સુરત આગ હોનારત, રાજ્યના અગ્રસચિવએ તપાસ શરુ કરી, જોઇએ કોણ જવાબદાર ઠરે છે
સુરતના સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડમાં આવેલા એક કલાસમાં પ્રચંડ આગમાં 20થી વધુ વિદ્યાર્થીઓના મોત થતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આગની દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ અર્થે તાત્કાલિક શહેરી વિકાસ અગ્ર સચિવને સુરત ખાતે મોકલી ત્રણ દિવસમાં દુર્ઘટનાનો રીપોર્ટ આપવાના આદેશો કર્યા હતા અને જવાબદાર સામે પગલાં લેવાના પણ આદેશો આપ્યા હતા.
મોડી રાતથી સુરત આવેલા અગ્ર સચિવએ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્ય પ્રધાને સુરતના ટ્યુશન કલાસીસમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓના મોતની દુખદ ઘટના પર અત્યત દુ:ખની લાગણી વ્યક્ત કરી તાકીદે સુરત જવા રવાના થયા હતા અને દુર્ઘટનાને પગલે મુખ્ય પ્રધાને આ આગ લાગવાની ઘટનાના કારણોની, ફાયરબ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડિંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા શહેર મનપાની કામગીરી બાબતે સંપૂર્ણ તપાસ કરવા રાજ્ય સરકારે તાકીદે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરીને તાબડતોબ સુરત મોકલી દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની કડક આદેશો આવ્યા હતા. મુખ્ય પ્રધાને દુર્ઘટનાનો ભોગ બનનારના પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારોને રૂપિયા ચાર લાખની સહાયની મુખ્ય પ્રધાનના રાહત નિધિમાંથી કરવાની જાહેરાત કરી હતી. ઘટનાને પગલે વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ, કૉંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કૉંગે્રસના નેતા શક્તિસિંહ, કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલે વિદ્યાર્થીઓના મોતની ઘટના પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now