CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 60 of 79 - CIA Live

May 25, 2019
surat_fire.jpg
1min9960

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે આવેલા ગેરકાયદે રીતે ચાલતા ટયૂશન કલાસની બાજુમાં આવેલા ઇલે. ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ પ્રસરી જતા ક્લાસમાં ભણવા આવેલા 50 તરૂણો અને શિક્ષકોમાંથી 20ના કમકમાટીભર્યાં મોત થયાં હતાં.

બાળકોએ આગ લાગેલા રૂમમાં જ એકબીજાને બાથ ભરી હતી. બાથ ભરેલી લાશો ફાયરબ્રિગેડની ટીમોએ બહાર કાઢી હતી. ચોંકાવનારી બાબત તો એ હતી કે, આ ટયૂશન ક્લાસની બિલ્ડિંગમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમનો અભાવ હતો અને મનપાના તંત્ર દ્વારા તેને નોટિસ આપ્યા બાદ કોઇ પણ પ્રકારના પગલાં ભર્યા નહોતા.

surat fire માટે છબી પરિણામ

સુરતમાં બનેલી આ કરૂણ ઘટનાની વિગત એવી છે કે, સુરતમાં નિયમો વિરૂદ્ધ ધમધમતા ક્લાસિસમાં બપોર બાદ ધો. 10 અને ધો. 12ના 50 બાળકો ભણી રહ્યા હતા ત્યારે ઇમારતમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. આગની લેપેટો પ્રસરી જતા ક્લાસની બહાર નિકળવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હોવાથી 15 જેટલા બાળકોએ ચોથા માળેથી જ બચવા માટે નીચે કૂદકા માર્યા હતા. જ્યારે ઘટના સ્થળે પહોંચી ગયેલી ફાયરબ્રિગેડની ટીમો ફાયરના સાધનો અભાવે બહાર ઊભી રહી હતી. તેમની નજર સામે જ બાળકો એક પછી એક કૂદકા મારીને ઘાયલ થતા રહ્યા હતા જ્યારે બીજા બાળકો અને શિક્ષકો ઇમારતીની છત પર ડોમ કરીને બંધાયેલા આ ક્લાસિસમાં ધૂમાડાં અને આગમાં ફસાઇ ગયા હતા. જેમાંથી 15થી વધુ બાળકો અને શિક્ષકો આગથી ભડથું થઇ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમો એક બીજાને બાથ ભરેલી હાલતમાં મ્ાૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે આઠથી વધારે ઈજાગ્રસ્તોને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આ આખી ઘટનામાં ચાર જેટલા બાળકો લાપત્તા બન્યા હતા.

બીજી તરફ આ ઘટનાને પગલે લોકોનાં ટોળાં સ્થળ પર ધસી આવ્યા હતા અને જવાબદાર સંચાલક અને અધિકારીઓ સામે તત્કાળ પગલાં ભરીને તેમની ધરપકડ કરવાની માગણી સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દરમિયાન પ્રચંડ આગ લાગ્યાનો કોલ મળ્યાં બાદ ફાયરબ્રિગેડ અડધો કલાકથી વધુ મોડું પહોંચ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ આવી ગયું હોવા છતાં તેમની પાસે પૂરતા સાધનો નહોતાં. જેથી વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ મારવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓએ છલાંગ મારતાં જ પાંચથી વધુનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય વિદ્યાર્થીઓના અંદર જ મોત નીપજ્યાં હતાં.

બીજી તરફ આ કરૂણ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું હતું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુ:ખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું હતું. વડા પ્રધાનના આ ટ્વીટ બાદ તરત જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ અધિકારીઓને તત્કાળ ઘટના સ્થળે જઇને બચાવ કામગીરી ઉપરાંત તપાસ કરવાના આદેશ કર્યા હતા. તેમ જ રાત્રે ઘટનાસ્થળે પહોંચી જઇને સમીક્ષા કરી હતી.

May 21, 2019
gseb.png
1min9780

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે માર્ચ 2019ની ધો.10 એસએસસીની પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું ધો.10નું પરીણામ સરેરાશ દર વર્ષે આવે છે તેટલું જ છે પરંતુ, સુરતનું પરીણામ સુરત માટે જ નહીં સમગ્ર ગુજરાત માટે ન ભૂતો ન ભવિષ્યતી જેવું છે.

સુરત જિલ્લાનું પરીણામ 2018માં પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ હતું અને 2019માં આ વખતે પણ સુરત જિલ્લાનું પરીણામ સમગ્ર રાજ્યમાં પ્રથમ છે.

સૌથી મહત્વની વાત એ છે કે એ-વન ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા. સુરત શહેર જિલ્લામાંથી કુલ 1009 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ હાંસલ કર્યો છે.

કોઇ એક જિલ્લાની એ વન ગ્રેડની સંખ્યા ચાર આંકડામાં આવી હોય તેવો આ પહેલો બનાવ ગુજરાત બોર્ડના ઇતિહાસમાં બન્યો છે. સુરતે અત્યાર સુધી અનેક વખત રેન્કર્સ આપ્યા છે પરંતુ, આજનું પરીણામ વાસ્તવમાં જ છપ્પર ફાડ પરીણામ છે.

જોઇએ બોર્ડ અને સુરતના પરીણામની સરખામણી

સુરતમાંથી કુલ 82,781 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી

  • એ-વન ગ્રેડ          1,009,
  • એ-ટુ ગ્રેડ             5,734,
  • બી-વન ગ્રેડ      10,577,
  • બી-ટુ ગ્રેડ         16,831,
  • સી-વન ગ્રેડ      19,676,
  • સી-ટુ ગ્રેડ         11,382,
  • ડી-ગ્રેડ                  707

ગુજરાતનું પરીણામ

ગ્રેડ       2018            2019
A1        6378            4974
A2       33956        32375
B1        72739        70677
B2       127110     129629
C1        172350    187607
C2       113932     119452
D            6937        6288

May 16, 2019
fire_safty.jpg
1min6660

શહેરમાં ફાયર બ્રિગેડની ટીમે વહેલી સવારે જ સપાટો બોલાવ્યો હતો અને શહેરના અલગ અલગ ઝોનમાં આવેલા ૧૬ કોમર્શિયલ કોમ્પલેક્ષ સીલ કરી દીધા હતા. આ ઘટનામાં શહેરની ૧૦૦૦થી વધુ દુકાનો સીલ કરાઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવને ધ્યાને લઈને ફાયર વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં મ.ન.પા.ની કામગીરીથી દુકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર સેફ્ટીને લઈ આગામી દિવસોમાં કામગીરી ચાલુ રહેશે તેવી વાત પણ કહેવામાં આવી હતી. શહેરના તમામ ઝોનમાં કામગીરી હાથ ધરાઇ રહી છે. થોડા દિવસ અગાઉ ૧૬ એવા કોમ્પલેક્ષને નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી.

જોકે નોટિસ બાદ પણ કોઈ પગલાં ન લેવાતાં બુધવારે વહેલી સવારે આ તમામ કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા હતા. સીલ કરેલા આ ૧૬ કોમ્પલેક્ષમાં અંદાજે ૧૦૦૦થી વધુ દુકાનો આવેલી છે.

May 15, 2019
jain-religion.png
1min8990
સુરતમાં તા.30ના સવારે 7-30 કલાકે શ્રીમદ વિજય મુકિતપ્રભસુરિશ્વરજી મહારાજ તથા શ્રી શ્રેયાંસપ્રભસુરીજી મહારાજ આદીઠાણાની નિશ્રામાં રાજકોટની દીકરી મુમુક્ષુ અંકિતાબેન જયેશભાઇ શાહ સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ દીક્ષા મહોત્સવ કાર્યક્રમ સુરતમાં ફોનીકસ ટાવર રત્નજયોતિ સર્કલ વીઆઇપી રોડ વેસુ ખાતે યોજાશે. જેમાં ભાવિક મહેતા જતીન બીદ કાર્યક્રમનું સંચાલન કરશે. તા.28 થી 30 યોજાનારા દીક્ષા મહોત્સવમાં જૈન જૈનેતરો ઉમટી પડશે. અંકિતાકુમારીની સાથે સુરતના મુમુક્ષુરત્ના દેવીકુમારી પ્રફુલ્લભાઇ શાહ પણ દીક્ષા અંગીકાર કરશે.
મુમુક્ષુ કુ.અંકિતાકુમારીના દીક્ષા ગ્રહણ નિમિતે રાજકોટમાં રૈયા રોડ જૈન સંઘના આંગણે તા.23 થી 25 એમ ત્રિદિવસીય જીનેન્દ્રભકિત મહોત્સવનું આયોજન કરાયું છે.
તા.23 થી 25 સુધી યોજાનારા મહોત્સવમાં શ્રેયરૂકરી નિશ્રા શ્રીમદ વિજય હર્ષશીલ સુરિશ્વરજી મહારાજ આદિઠાણા તથા શ્રી સ્વયંપ્રભશ્રીજી મ.આદિઠાણા પ્રદાન કરશે.
તા.23ના સવારે નવ વાગ્યે રૈયા રોડ દેરાસરની સાલગિરિ નિમિતે સતરભેદી પૂજા તથા ધ્વજા રોહણ સાંજે 7 વાગ્યે શિતલનાથ જીન પ્રસાદમાં પરમાત્માને ભવ્ય અંગ રચના દીપ રોશની, પુષ્પ શણગાર સહિતની મહાપૂજા થશે.
તા.24ના સવારે આઠ વાગ્યે વરસીદાન યાત્રા બપોરે 3-30 થી 5-30 બહેનોની સાંજી, રાત્રે 8 કલાકે સંયમ સંવેદના તથા વિદાય સમારંભ યોજાશે. તા.25મીએ સવારે 8 કલાકે પરમાત્મા ભકિત સ્વરૂપ શ્રી દશવિધ પતિધર્મ પૂજા ભણાવાશે તેમ દીલીપભાઇ વસાએ જણાવ્યું છે.
દીક્ષા નિમિત્તે યોજાશે સેવાકિય કાર્યો
રાજકોટની દીકરી મુમુક્ષુ કુ.અંકિતાકુમારી તા.30ના સંયમનો શણગાર ધારણ કરી સંસારના તમામ સુખોનો ત્યાગ કરશે. ત્યારે રૈયા રોડ જૈન સંઘ દ્વારા રાજકોટમાં વિવિધ સંસ્થાઓમાં આશરો લેતા લોકોને નિ:શુલ્ક સાડી, ટ્રેકશુટ, લેડીઝ ડ્રેસનું વિતરણ કરાશે. સાથોસાથ ભોજન પણ કરાવાશે. આ માટે મુંબઇના દાતાઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
મુમુક્ષુનો પરિચય
મુમુક્ષુ અંકિતાબેન જયેશભાઇ શાહનો જન્મ મોટી પાનેલીમાં થયો છે. માતાનું નામ જયશ્રીબેન છે. તેઓએ માસ્ટર ઓફ એન્જીનીયરીંગ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કોલ છે. જ્ઞાન સાધનામાં પંચ પ્રતિક્રમણ સુત્ર સાર્થ, પ્રકરણ ભાસ્યા કર્મ ગ્રંથ, સંસ્કૃત બેબુક, પ્રાકૃત, વૈરાગ્ય, શતક, ઇન્દ્રિય પરાજય શતક, તર્ક સંગ્રહ, વિસીરણ સ્તોત્ર વગેરેનો અભ્યાસ કર્યો છે. 3 વાર સમ્મેત શિખરજીની યાત્રા, સિધ્ધગિરીના 99 યાત્રા તથા જીરાવાલા આદિ અનેક પ્રાચીન તીર્થોની સ્પર્શના કરેલ છે.
May 14, 2019
birthday-bumps-images-8.jpg
1min7600

(Symbolic Pic)

સુરતમાં ખાસ કરીને લોઅર મિડલ ક્લાસના યંગસ્ટર્સ પોતાના મિત્રની બર્થ ડે ઉજવણીના બહાને જાહેર માર્ગ પર વગર પીધે છાકટા થઇને જંગલીયત પર ઉતરી આવતા હતા. પોતાના મિત્રની સાથે ટપોરીઓને પણ શરમાવે એ રીતે મારઝૂડ અને જુલ્મો આચરતા સુરતી યંગસ્ટર્સની આખરે શાન ઠેકાણે લાવવા માટે પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર બર્થડે બમ્પસના સેલિબ્રેશન પર પ્રતિબંધ લાદવો પડ્યો હતો. બર્થ ડે પર ઘાતકી રીતે મારઝૂડ કરવાનો ટ્રેન્ડ મિડલ અને લોઅર મિડલ ક્લાસ પરિવારના યંગસ્ટર્સમાં જ જોવા મળતો હતો. જ્યારે બર્થ ડે ની જાહેર માર્ગ પર ઉજવણી કરતા ત્યારે આ સુરતી યંગસ્ટર્સ એટલી જંગલિયત પર ઉતરી આવતા હતા કે મારઝૂડની સાથે ગાળાગાળી કરીને આખા વિસ્તારમાં અશાંતિ મચાવી મૂકતા હતા.

(Symbolic Pic)

પણ હવે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ જંગલીયતભર્યા બર્થ ડે સેલિબ્રેશન સામે નિષેધાત્મક આદેશ જાહેર કર્યો છે.

પોલીસ કમિશનરના આદેશો બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચ, પી.એલ. ચૌધરીએ આઈપીસી 188 અંતર્ગત આદેશોની અવગણના ન થાય તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પોલીસ આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.

સુરતના અડાજણ, ઉમરા, ડુમસ વગેરે વિસ્તારમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે જાહેર જગ્યાઓ પર ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતી જન્મદિવસની ઉજવણી હિંસાત્મક અને જાહેર જીવનમાં ખલેલ પહોંચાડનારી બનતી હતી. એક યુવકનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો હતો તે સમયે તેને પહેલા બાંધી દીધો હતો અને બાદમાં તેના પર ઈંડા ફેંકવામાં આવ્યા. પાડોશીનું ધ્યાન જતાં તેણે યુવકને છોડાવતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો.

બર્થ ડે બમ્પસ સામે પ્રતિબંધ મૂકવાની આખા દેશમાં પહેલ કરનારા પોલીસ કમિશનર શ્રી શર્માએ કહ્યું હતું કે, ‘આ જાહેરનામું લોકોમાં સાવચેત કરવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે.

હિંસક રીતે જન્મદિવસની ઉજવણીની બાબતમાં પોલીસ રસ્તા તેમજ અન્ય જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરશે. પોલીસ પેટ્રોલિંગ ટીમ આવી રીતે થતી ઉજવણીઓ પર પણ નજર રાખશે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. ડુમસ રોડ પર જન્મદિવસની ઉજવણી નિયમિત રીતે થાય છે, જેના કારણે મુસાફરો, ફુટપાથ પર બેસતા તેમજ પરિવાર અને મિત્રો સાથે ફરવા આવતા લોકોને ખલેલ પહોંચે છે.

May 10, 2019
surat_loksabha.png
1min7770

દાયકા પહેલાં આવેલી મંદીમાં ડેવલપરોએ 40 ટકા સુધી ઘટાડો કર્યો હતો : રેરા-જીએસટી અને ઊંચા પ્રીમિયમને કારણે માર્જિન ઘટી ગયું હોવાથી બિલ્ડરો પણ લાચાર

સુરત શહેર, અર્બન એરીયા તેમજ તેને અડીને આવેલા વિસ્તારોમાં હાલમાં બે લાખ જેટલી નવી મિલક્તો જેમાં સૌથી વધુ ફ્લેટ્સ છે, દુકાનો, ઓફિસ, રો હાઉસ, ગાળા ટાઇપ મકાનો વગેરે ખાલી પડ્યા હોવા છતાં તેના ભાવો ઘટતાં નથી. શહેરીજનોને પણ નવાઇ લાગી રહી છે કે પડ્યા પડ્યા મિલક્તો ખરાબ થઇ રહી છે, બાંધકામો સડી રહ્યા છે આમ છતાં બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો મિલક્તોના ભાવ ઓછા કરીને વેચવા કેમ કાઢતા નથી. હાલ આ મુદ્દો લગભગ દરેક ધંધાદારી લોકોના સર્કલથી લઇને ફ્રેન્ડસ ગ્રુપોમાં ચર્ચાય રહ્યો છે.

દાયકા સવા દાયકા પહેલાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરદસ્ત મંદી આવી હતી. એ વખતે જે રીતે નવી ખાલી મિલક્તોા ભાવમાં 40 ટકા જેવો જંગી ઘટાડો થયો હતો એવો આ વખતે થયો નથી. ફ્લેટના વેચાણમાં અત્યંત મંદી હોવા છતાં બિલ્ડરો ભાવમાં ઘટાડો કરવાને બદલે ફ્લેટો જાળવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે નાણાં લઇને બેઠેલા ઇન્વેસ્ટર્સ માથું ખંજવાળી રહ્યા છે કે તેમની પાસે સસ્તા ભાવે રોકાણની તક આવતી નથી. આવી સ્થિતિ છેલ્લા દોઢેક વર્ષથી સર્જાયેલી જોવા મળી રહી છે.

બિલ્ડરો અને ડેવલપર્સનું માર્જિન ઘટી રહ્યું છે

એક જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે રિયલ એસ્ટેટ માર્કેટ પર લગાવવામાં આવેલા ભારે વેરા અને પ્રીમિયમની ઊંચી રકમને કારણે ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. આ બધાની વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે સ્પર્ધા આવી ગઈ છે, ત્યારે ફક્ત આઠ ટકા જેવા નજીવા માર્જિનમાં ડેવલપરો ફ્લેટ વેચી રહ્યા છે અને તેથી જ ભાવમાં વધુ ઘટાડો કરવા તેઓ તૈયાર નથી.

ફાઇનાન્સ અને ઇન્ટરેસ્ટ કોસ્ટમાં વધારો, બિલ્ડરો લાઇન છોડીને અન્ય વેપારમાં નજર દોડાવી રહ્યા છે

2005થી ફાઈનાન્સ અને ઈન્ટરેસ્ટની કોસ્ટમાં અંદાજે આઠ ગણો વધારો થઈ ગયો છે,કેમ કે બિલ્ડરોને ધીમી ગતિએ થતા વેચાણને લઈને લાંબા ગાળાની લોન લેવી પડે છે. આ ઉપરાંત જમીનની કિંમતમાં નવ ગણો, મંજૂરીઓ પાછળ થતા ખર્ચમાં સાત ગણો અને ક્ધસ્ટ્રક્શન કોસ્ટમાં બમણો વધારો થતાં ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2005માં એક પ્રોજેક્ટને પૂરો થતાં સરેરાશ ત્રણ વર્ષ લાગતા હતા, તેને સ્થાને હવે 6 વર્ષ લાગે છે. આ બધું મળીને પ્રોજેક્ટની 35 ટકા કિંમત થઈ જાય છે અને સૌથી મોટો ખર્ચ આ જ છે.

શહેરના મોટા ભાગના રિયલ એસ્ટેટના માંધાતાઓએ હવે બિલ્ડીંગ લાઇન પરચૂરણ લઇન થઇ ગયાનું માનીને પોતાની મૂડી મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં નાંખવાના આયોજન કર્યા હોવાનું જણાય આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રકશનમાં કોસ્ટ વધી, મળતર ઘટ્યું અને નાના પ્લેયર્સ પણ આવી રહ્યા હોઇ હવે મોટા માંથા રિયલ એસ્ટેટમાંથી ખસી રહ્યા છે.

મિલક્તો પોતાની કિંમતે વેચવા માટે અનેક સ્કીમો બિલ્ડરોએ આપવી પડી રહી છે

આ બધા ઉપરાંત ડેવલપરો પ્રોપર્ટીની કિંમતની ચુકવણીમાં હપ્તા પાડીને આપે, ફ્લોર રાઈઝના હિસાબે વધારાની કિંમત ન વસૂલે, જીએસટી અને રજિસ્ટ્રેશન ફી ચુકવી આપે આ બધાને કારણે તેમના પર વધારાના 10-20 ટકા જેટલો બોજો પડી રહ્યો છે. અનેક ડેવલપરોએ તો તૈયાર પડેલા પોતાના ફ્લેટો વેચવા માટે 10-15 વર્ષના હપ્તાની સ્કીમ બનાવી આપી છે, જેથી તેમનું રોલિંગ અટકી ન પડે. આને કારણે પણ નફામાં કાપ મુકાઈ રહ્યો છે.

2005માં કોઈ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનારી વ્યક્તિ અને આજે એ જ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારી વ્યક્તિ લગભગ સમાન કિંમત ચુકવી રહી છે તેના પરથી રિયલ એસ્ટેટ માર્કેટની હાલતનો અંદાજ આવે છે. જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત રેરાએ પણ પ્રોપર્ટી માર્કેટ પર ગંભીર અસર કરી છે.

May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11720

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરીણામમાં વરાછા રોડની સાયન્સ સ્કુલોનું પરીણામ સુરતની અન્ય સ્કુલોની સરખામણીમાં શ્રેષ્ઠ રહ્યું હતું. ખાસ કરીને વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન, પી.પી. સવાણી ગ્રુપ, તપોવન વિદ્યાભવન જેવી સ્કુલોમાંથી સૌથી વધુ એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યા છે.

વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન ધો.12 સાયન્સના નબળા પરીણામ વચ્ચે પણ આ વખતે અડીખમ ઉભી રહી છે. સુરત શહેર જિલ્લા મળીને કુલ 31 એ-વન ગ્રેડ આવ્યા છે. જેમાં એકલી આશાદીપ સાયન્સ ભવન સ્કુલના જ 31 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં આવ્યા છે.

કેમેસ્ટ્રીના ખરાબ પરીણામ વચ્ચે આશાદીપના બે વિદ્યાર્થીઓ 100માંથી 99 માર્કસ ખેંચી લાવ્યા

આશાદીપ સાયન્સ ભવનમાં અક્ષર દિનેશભાઇ રોય તેમજ પરીબ મુકેશભાઇ બલર એ બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમના કેમેસ્ટ્રી વિષય કે જેમાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓ ધોવાય ગયા છે આ બે વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રમાં 100માંથી 99 માર્કસ હાંસલ કર્યા છે. આમ સુરતમાં વિજ્ઞાન પ્રવાહમાં આશાદીપ સાયન્સ ભવન સ્કુલ 40 ટકા જેટલા એ-વન ગ્રેડ એકલા હાથે ખેંચી લાવી છે.

સુરતમાં એ-વન ગ્રેડમાં કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ

  • શાળાનું નામ                           એ-વન ગ્રેડની સંખ્યા
  • આશાદીપ સાયન્સ ભવન            31
  • પીપી સવાણી ગ્રુપ                       12
  • જયઅંબે વિદ્યાભવન                    05
  • તપોવન વિદ્યાભવન                    05
  • આઇએન ટેકરાવાળા સ્કુલ          04
  • મૌની ઇન્ટરનેશનલ સ્કુલ             04
  • દિપદર્શન વિદ્યાસંકુલ                   04
  • સ્વામીનારાયણ ગુરુકુળ               03
  • સેંટ ઝેવિયર્સ સ્કુલ                        03
  • કૌશલ વિદ્યાભવન                        02
  • માધવબાગ વિદ્યાભવન                02
  • જીવનભારતી                               02
  • એલપી સવાણી સ્કુલ                   02
  • અક્ષરજ્યોત વિદ્યાલય                  02
  • ગુરુકૃપા વિદ્યાભવન (હિન્દી)       02
  • વશિષ્ઠ વિદ્યાલય                          02
  • વિદ્યામંગલ કામરેજ                      01
  • ડીઆર રાણા વિદ્યાસંકુલ             01
  • શારદા વિદ્યાભવન                       01
  • ગજેરા વિદ્યાભવન                        01
  • જેબી ડાયમંડ સ્કુલ                      01
  • સીસી શાહ એક્સપેરિમેન્ટલ        01

આશાદીપ સાયન્સ ભવન આ રહ્યા તેજસ્વી તારલાઓ

May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11230

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.9મી મે 2019ના રોજ જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામથી સુરતીઓને જરૂર આંચકો લાગશે. અત્યાર સુધી છેલ્લા દાયકા દરમિયાન સાયન્સના એજ્યુકેશનમાં સુરતીઓનું પ્રભુત્વ હતું. સાયન્સના પરીણામમાં સુરત પહેલા અથવા બીજા ક્રમે આવતું હતું જે 2019ના પરીણામમાં છેક આઠમા ક્રમે ધકેલાય ગયું છે.

ગુજરાતના જિલ્લાવાર ધો.12 સાયન્સનું પરીણામ ચકાસીએ તો સૌથી હાઇએસ્ટ પરીણામ

  1. રાજકોટ જિલ્લાનું 84.47 ટકા
  2. અરવલ્લી જિલ્લાનું 84.12 ટકા
  3. મહિસાગર જિલ્લાનું 84.02 ટકા
  4. અમદાવાદ જિલ્લાનું 91.28 ટકા
  5. મહેસાણા જિલ્લાનું 80.85 ટકા
  6. ભાવનગર જિલ્લાનું 80.22 ટકા
  7. જામનગર જિલ્લાનું 79.60 ટકા અને છેક
  8. સુરત જિલ્લાનું 77.86 ટકા પરીણામ આવ્યું છે.

અત્યાર સુધી સુરતી વિદ્યાર્થીઓને સાયન્સમાં અન્ય કોઇ જિલ્લાના વિદ્યાર્થીઓ બીટ કરી શકતા ન હતા. વ્યક્તિગત પરીણામ એટલે કે એ ગ્રેડની સંખ્યા હોય કે ઓવરઓલ પરીણામ હોય સુરતીઓનું પરીણામ છેલ્લા દાયકામાં પહેલા અથવા બીજા ક્રમે રહ્યું હતું. પરંતુ આ વખતે એવો રકાસ થયો છે કે સુરતી વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં છેક આઠમા ક્રમે ધકેલાય ગયા છે.

ડમી સ્કુલો અને ધંધાદારી કોચિંગવાળાઓએ ડાટ વાળ્યો

સુરતી વિદ્યાર્થીઓનું ધો.12 સાયન્સમાં કંગાળ પરીણામ માટે સૌથી વધુ જવાબદાર હોય તો એ ડમી સ્કુલો અને જેઇઇ, નીટના ધંધાદારી કોચીંગવાળા છે. માબાપ અને વિદ્યાર્થીઓને ભોળવીને એવી સ્કુલોમાં એડમિશન લેવડાવે કે જ્યાં શાળાકીય શિક્ષણ વગર, ગેરહાજરી હોવા છતાં હાજરી પૂરીને, સ્કુલના ભોગે ટ્યુશનો કરાવીને ધો.12 સાયન્સનો અભ્યાસ કરાવાયો હતો.

આ રહ્યું જિલ્લાવાર ધો.12 સાયન્સનું પરીણામ

May 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4940

 

સુરતના ક્રીમ એરીયા ગણાતા પારલે પોઈન્ટ વિસ્તારમાં 35 વર્ષ જૂનું અને બિસ્માર અવસ્થામાં આવી ચૂકેલું વિશાલ દર્શન એપાર્ટમેન્ટ આજે સવારે જમીનદોસ્ત થઇ ગયું હતું. ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી કેમકે 6 મે 2019ની રાત્રે જ આ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ પરિવારોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા.

આજે તા7મી મે ને મંગળવારે વહેલી સવારે જ ધડાકાભેર વિશાલદર્શન ધ્વસ્ત થઈ ગયું હતું. વિશાલદર્શન એપાર્ટમેન્ટ તા.6 મે ના રોજ નમી ગયું હોવાના સમાચારો આસપાસના વિસ્તારોમાં પ્રસરતા લોકોના ટોળેટોળા તેને જોવા ઉમટ્યા હતા એ પછી આજે જ્યારે એપાર્ટમેન્ટનું હયાત સ્ટ્રક્ચર કડાકા સાથે પડી જતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એપાર્ટમેન્ટ અત્યંત બિસ્માર અવસ્થામાં હતું, તેનું સમારકામ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવ્યું ન હતું.

આજે સવારે એપાર્ટમેન્ટ પડી જાય એ પૂર્વે તા.6 મે ના રોજ રાત્રે રહીશોએ તેમના કિંમતી દર દાગીના , હીરા ઝવેરાત પોતાની પાસે રાખી લીધા હતા. આજે એપાર્ટમેન્ટ પડી ગયા પછી ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

April 30, 2019
Narayan.jpeg
1min12210

સાધિકા પર દુષ્કર્મ કરવાના કેસમાં સુરત જેલમાં છેલ્લા પાંચેક વર્ષથી સબડી રહેલા આશારામનો રેપિસ્ટ પુત્ર નારાયણ સાઇને આજે આખરે સુરત સેસન્સ કોર્ટે સજા સંભળાવી હતી. સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં કોર્ટે સજાનો ચૂકાદો આપતા કહ્યું હતું કે નારાયણ સાઇને આજીવન કેદની સજા અને રૂ.1 લાખનો દંડ તેમજ તેના સહયોગીઓ સાધિકા બહેનો ગંગા, યમુના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ડ્રાઇવર રમેશ મલહોત્રાને ને છ મહિનાની કેદની સજા ફટકારવાનો હુકમ કરાયો છે.

  • કોર્ટના ચુકાદામાં શું શું
  • નારાયણ સાઇને આજીવન કેદ અને રૂ.1 લાખનો દંડ
  • ગંગા, યમુના અને હનુમાન, ત્રણેયને 10 વર્ષની કેદની સજા
  • ડ્રાઇવર રમેશ મલહોત્રાને 6 મહિનાની કેદની સજા અને રૂ.500નો દંડ
  • પીડીતાને રૂ.5 લાખની સહાય

ગત સપ્તાહે સેશન્સ કોર્ટે નારાણય સાંઈને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેની સજાની સુનવણી આજે તા.30મી એપ્રિલ પર મુકરર કરી હતી. આજે સવારથી જ કોર્ટ સંકુલમાં નારાયણ સાઇના કેસના હિયરીંગને લઇને ઘણી ચહલપહલ જોવા મળી હતી. સાંજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો.

પાછલા 5 વર્ષ કરતા વધુ સમયથી જેલના સળિયા ગણી રહેલા આસારામના દીકરા નારાયણ સાંઈ સામેના દુષ્કર્મના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે મોટો મને મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. નારાયણની સાથે ગંગા, જમુના અને હનુમાન પણ આ કેસમાં દોષિત ઠેરવાયા છે. ગંગા અને જમુના નારાયણ સાંઈની સાધિકા છે અને તેમણે દુષ્કર્મમાં નારાણય સાંઈનો સાથ આપ્યાના દોષિત ઠર્યા છે. નારાણય સાંઈ સામે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેની પર વર્ષ 2002 થી 2005ની વચ્ચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં 6 ઓક્ટોબરના રોજ નોંધાવવામાં આવી હતી. ફરીયાદના અનુસંધાને નારાયણ સાઇની લાંબા સમય સુધી શોધખોળ પોલીસે કરી હતી. છેવટે તા. 4 ડિસેમ્બર 2013ના દિવસે હરિયાણાના કુરુક્ષેત્રથી રેપિસ્ટ નારાયણ સાઇને ઝડપી લેવામાં આવ્યો હતો.

સુરતના બહુચર્ચિત નારાયણ સામેના દુષ્કર્મના આરોપમાં 53 જેટલા સાક્ષીઓ અને બચાવ પક્ષ તરફથી 12 જેટલા સાક્ષીઓની પૂછપરછ થઈ છે, આ લિસ્ટમાં નારાણય સાંઈની પત્ની જાનકી પણ સાક્ષી છે.