CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 62 of 78 - CIA Live

March 16, 2019
tejaswi.jpg
1min3414

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 15, 2019
BJP_surat.jpg
1min15670

જયેશ બ્રહ્મભટ્ટ

આજે સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે સ્થાનિક સંગઠનના હોદ્દેદારોને સેન્સ લેવા માટે આવેલા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિરીક્ષકોની ટીમે સાંજે સવા સાત વાગ્યે અનૌપચારિક રીતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 9.30 વાગ્યાથી શરૂ થયેલી રજૂઆતો સાંભળવાની પ્રક્રિયા સાંજે 7 વાગ્યા સુધી ચાલી હતી. અંદાજે 350 જેટલા ભાજપના નેતાઓ, કાર્યકરોએ પોતપોતાની રજૂઆતો કરી હતી. હકારાત્મક વાતાવરણમાં થયેલી રજૂઆતો અંગે ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે સૌનો એક મત હતો કે પાર્લામેન્ટરી બોર્ડ જેને પણ ટિકીટ આપશે અમે તેને જીતાડી લાવીને ફિર એક બાર મોદી સરકારને સાર્થક કરીશું. કેટલી રજૂઆતો અને કેટલા ઉમેદવારીપત્રો ભરાયા તે અંગે નિરીક્ષકોએ કહ્યું કે એ પક્ષની આંતરિક બાબત છે એ જણાવી શકીએ નહી.

આજે દિવસ દરમિયાન સુરત સંસદીય મતવિસ્તારમાં કોને ઉમેદવાર બનાવવો એ અંગે સ્થાનિક ભાજપના સંગઠન પાંખના નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો વગેરેએ રજૂઆતો કરી હતી. સી.આઇ.એ.નું ઇન્વેસ્ટીગેશન કહે છે કે આ વખતની રજૂઆતોમાં બહુમતી રજૂઆત એ હતી કે ટિકીટ કોઇને પણ આપો પરંતુ, મૂળ સુરતી હોય તેવી વ્યક્તિને જ સુરતના સાંસદની સીટ માટે ભાજપાની ટિકીટ મળવી જોઇએ. આજે કોઇ એક વિશાળ જૂથે એક કોમન રજૂઆત કરી હોય તો એ મૂળ સુરતીને જ ટિકીટ મળવી જોઇએ તેવી રજૂઆત હતી. રજૂઆત કરનાર દરેક મૂળ સુરતી ભાજપી નેતાએ આ એક વાત પર જ ભાર મૂક્યો હતો કે સુરતના સાંસદ મૂળ સુરતી જ હોવા જોઇએ.

બીજી તરફ, મૂળ સુરતી ઉપરાંત સૌથી વ્યાપક રજૂઆતો વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોષ માટે કરવામાં આવી હતી. તેમને રિપીટ કરવામાં આવે તો કોઇ વાંદો નથી એ પ્રકારે અનેક રજૂઆત કર્તાઓએ રજૂઆતો કરી હતી.

સૌરાષ્ટ્રવાસીઓ તરફે પૂર્વ ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળા, અસ્મિતાબેન શિરોયા, ડો. પ્રફુલ શિરોયા, દર્શિણી કોઠિયા, ધીરુભાઇ સવાણી તેમજ અન્યોએ રજૂઆતો કરી હતી. જોકે, મેયર ડો.જગદીશભાઇ પટેલે કોઇ દાવેદારી નોંધાવી ન હતી. સી.આઇ.એ. લાઇવની સાથે વાતચીત કરતા મેયર ડો.જગદીશભાઇ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ના તો કોઇ રેસમાં હતા કે ના તો રહેશે. મેયર તરીકેની તેમની ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે.

BJPમાંથી સુરત સંસદીય બેઠક પર ત્રણ (એસ) S-S-S ની પેનલનો સંયોગ

સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે દેશની સૌથી સલામત સીટો પૈકીની એક છે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસી સરકારો હતી ત્યારે પણ સુરત બેઠક પરથી ભાજપાના ઉમેદવારો જ જીતતા આવ્યા હતા. સુરત સંસદીય મત વિસ્તારમાં એસ (સ) મૂળાક્ષરનો કેવો યોગ રચાયો છે એની પહેલા વાત કરીએ.

S એટલે સુરત સંસદીય મત વિસ્તાર અને ફરીથી S એટલે સૌથી સલામત કહો કે અંગ્રેજીમાં સેફ સીટ કહો ભાજપા માટે સુરત એ એવી સીટ છે કે અહીં અજાણ્યાને પણ ઉમેદવાર બનાવે તો આસાનીથી ચૂંટાઇ આવશે.

આજે ઉધના મેઇન રોડ સ્થિત ભાજપા કાર્યાલય ખાતે ભાજપાના પ્રદેશ નિરીક્ષકો વિધિવત રીતે સ્થાનિક ભાજપાના સંગઠનના આગેવાનોને સ્ટેપ બાય સ્ટેપ સાંભળી રહ્યા છે. વોર્ડ વિસ્તારથી લઇને વિધાનસભા અને લોકસભા વિસ્તારના ભાજપાના સંગઠન સાથે સંકળાયેલા નેતાઓનો સેન્સ લેવાય રહ્યો છે. આ રિપોર્ટ ભાજપાની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મારફતે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચશે.

સુરત સંસદીય મતવિસ્તાર એક હાઇપ્રોફાઇલ બેઠક ગણાય છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે અને દેશ-દુનિયાને ચોંકાવે, અચરજ પમાડે તેવી ઘટનાઓ, ઇવેન્ટસ સુરત આપી રહ્યું છે. ટેક્સ પેયર્સથી શરૂ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડેવલપમેન્ટ વગેરે બાબતો હવે સમગ્ર દેશમાં સુરતને ચર્ચાસ્થાને મૂકે છે. આવા સંજોગોમાં સુરતના સાંસદ બનવું એટલે હાઇપ્રોફાઇલ પોર્ટફોલિયો ધારણ કરવો એમ મનાય છે.

દર્શના જરદોષને બે ટર્મ મળી છે એટલે હવે રિપીટેશનની શક્યતાઓ ઓછી છે 

સુરત સંસદીય મતવિસ્તારમાં દર્શના જરદોષ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાય આવ્યા છે. બબ્બે ટર્મ મળ્યા પછી હવે તેમને ત્રીજી ટર્મ મળે તેવી શક્યતાઓ ધૂંધળી જણાય આવે છે. દર્શના જરદોષએ એવું કોઇ હાઇપ્રોફાઇલ કામ કર્યું નથી કે તેમને પાર્લામેન્ટરી બોર્ડ રિપીટ કરે કે નથી દર્શના જરદોષે સુરતના ટેક્સટાઇલ વેપારીઓનો જીએસટીનો પ્રશ્ન ઉકેલી શક્યા. સંસદમાં લેખિતમાં પ્રશ્નો પૂછીને તેમણે તેમનો રેકોર્ડ ભલે અપટુ ડેટ મેઇન્ટેન કર્યો હોય પરંતુ, બે ટર્મથી ત્રીજી ટર્મ મળે તેવી શક્યતા બહુ ઓછી જણાય છે. આવી સ્થિતિમાં સુરત સંસદીય મતવિસ્તારમાંથી ભાજપાની ટિકીટ મળે તે માટે અનેક ધારાસભ્યો, સ્થાનિક ભાજપાના અનેક નેતાઓએ એડીચોટીનું જોર લગાડવાનું શરૂ કરી દીધું છે.

  • સુરત સંસદીય મતવિસ્તારમાં બનનારી ત્રણ સંભવિતોની પેનલમાં એસ મૂળાક્ષરનો સંયોગ

  • S એટલે સુરતી, એક મૂળ સુરતી નેતા ત્રણ સભ્યોની પેનલ હશે

  • S એટલે સૌરાષ્ટ્રીયન, એક સૌરાષ્ટ્રીયન નેતા પણ ત્રણ સભ્યોની બનનારી પેનલમાં હશે

  • S એટલે સ્કાયલેબ, કોઇપણ આવી શકે, એ સેલિબ્રિટી હોય, આયાતી હો, ફિલ્મ સ્ટાર પણ હોઇ શકે

સુરત સૌથી સલામત સીટ હોઇ, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કોઇ સેલિબ્રિટી અગર તો હોમગ્રાઉન્ડ વગરના દિગ્ગજ નેતાને સુરત સંસદીય મતવિસ્તાર પરથી કોઇપણ આયાતી ઉમેદવારને ટિકિટ આપવાનું પણ વિચારી શકે. હાલમાં મૂળ સુરતી ઉમેદવારની શક્યતા 50 ટકા, સૌરાષ્ટ્રવાસીની શક્યતા 40 ટકા અને સ્કાલલેબની શક્યતા 10 ટકા હોવાની સ્થિતિ જણાય આવે છે.

મૂળ સુરતી ઉમેદવારોમાં સૌથી હોટફેવરિટ નીતિન ભજીયાવાળા

મૂળ સુરતી ઉમેદવારોના ચર્ચાય રહેલા નામોમાં દર્શના જરદોષ (રિપીટ), અજય ચોક્સી, નીતિનભાઇ ભજીયાવાળા, કિરીટ ગંગારામ પટેલ વગેરે લાંબુ લિસ્ટ સંભળાય છે. પરંતુ, મૂળ સુરતી તરીકે હાલમાં સૌથી વધુ પ્રોજેકશન સુરત શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળાને મળી રહ્યું છે. નીતિનભાઇ માટે કહેવાય છે કે તેમના કરતા વધુ પ્રયત્નો તેમના શુભેચ્છક, સમર્થક નેતાઓ કરી રહ્યા છે. પ્રદેશ મોવડીથી લઇને કેન્દ્રીય મોવડીમંડળમાં તેમની શાખ સારી મનાય રહી છે. નીતિનભાઇ ભજીયાવાળા માટે હવે પ્રમોશન ટાઇમ ડયુ થઇ ગયો હોવાનું પણ મનાય રહ્યું છે. સૌથી પ્રબળ દાવેદારી જેમની મનાતી હતી એ પૂર્ણેશભાઇ મોદી માટે એવી વાતો ચર્ચાય રહી છે કે તેઓ સાંસદની રેસમાં નથી. નીતિનભાઇ ભજીયાવાળા માટે ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકર્તાઓમાં એવી જ છાપ છે કે તેઓ મૂળ સુરતી છે પરંતુ, હકીકતમાં નીતિનભાઇ ભજીયાવાળા મૂળ સૌરાષ્ટ્રવાસી જ છે, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાળાને જે લોકો નજદીકથી ઓળખે છે તેઓ જણાવે છે કે તેમના પરિવારિક મૂળ સૌરાષ્ટ્રના છે.

March 12, 2019
surat.jpeg
1min14940

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતની ઓળખ હવે મૂળ સુરતીઓ કરતા બહારથી આવીને સુરતને કર્મભૂમિ બનાવનારા લોકો બની રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે પરપ્રાંતિયોના હાથમાં પહોંચી ચૂક્યો છે અને ડાયમંડ ઉદ્યોગ ગુજ્જુ ખરાં પણ સૌરાષ્ટ્રવાસીઓના હાથમાં છે. વિધાનસભાની ચૂંટણીઓમાં 12-12 તમામ બેઠકો જીતીને આપનાર સુરતના મૂળ સુરતીને બબ્બે ટર્મથી ગુજરાત સરકારમાં મિનિસ્ટ્રી મળી નથી.  6 હજાર કરોડના વહીવટવાળી સુરત મહાનગરપાલિકામાં મેયર પદું પણ છેલ્લી ત્રણ ટર્મથી મૂળ સુરતી પાસે નથી બલ્કે મૂળ સૌરાષ્ટ્રીયન નેતાઓની નિમણૂંકો થઇ છે. હવે સુરતના સાંસદ કોણ એ મુદ્દે લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે જ્યારે ભાજપામાં સ્પર્ધાએ જોર પકડ્યું છે.

  • નિરંજન ઝાંઝમેરા, અસ્મિતા શિરોયા અને હવે ડો.જગદીશ પટેલ, મેયર પદ છેલ્લી ત્રણ ટર્મથી સુરતીઓને મળ્યું નથી
  • નાનુ વાનાણી અને એ પછી કિશોર કાનાણી, સુરતની બારેબાર બેઠકો જીતી લાવ્યા પછી પણ ગુજરાત સરકારમાં મંત્રી પદ સુરતીઓને મળ્યું નથી

સુરત સંસદીય મતવિસ્તારમાંથી કોને ઉમેદવાર બનાવવા એનો નિર્ણય સીધો જ ક્યાં તો ભાજપાના નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ કરશે ક્યાં તો ખુદ પી.એમ. મોદી કરશે. કોને સુરત સંસદની સીટ મળશે એ અંગે જ્યાં સુધી આધિકારીક જાહેરાત ન થાય ત્યાં સુધી કોઇ જ નામ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. પરંતુ, એક હવે એવી ઉભી કરવામાં આવી રહી છે કે સુરત સંસદીય મત વિસ્તારમાં આ વખતે હવે બે ટર્મ ભોગવી ચૂકેલા મહિલા સાંસદ દર્શનાબેન જરદોષને બદલીને કોઇ સૌરાષ્ટ્રીયન નેતાની વરણી કરવામાં આવે.

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના કેન્ડીડેટ તરીકે મનસુખ માંડવીયા, ડો. જગદીશ પટેલ અથવા નાનુ વાનાણી માટે થઇ રહેલું જોરદાર લોબિંગ

મળતી માહિતી મુજબ સુરત સાંસદની બેઠક માટે જે નામો જોરશોરથી ચર્ચાય રહ્યા છે અગર તો જેના માટે લોબિંગ થઇ રહ્યું છે એ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મેયર ડો. જગદીશ પટેલ અને માજી મંત્રી નાનુભાઇ વાનાણીના નામો છે. મૂળ સુરતીઓ ક્યાંયો સ્પર્ધામાં જણાતા નથી. આમેય મૂળ સુરતીઓ ભાજપ પ્રદેશ મોવડીઓ સામે કશું બોલી શક્તા નથી તો કેન્દ્રીય નેતાગીરી સામે તો આંખ ઉઠાવીને જોઇ પણ ન શકે. સુરતની તમામ 12 વિધાનસભા બેઠકો પર બબ્બે ટર્મથી ક્લીન સ્વીપ કરી લાવતા સુરતને એકેય સુરતી એમ.એલ.એ.ને મંત્રી પદ નહીં આપવા છતાં સુરત ભાજપા એક હરફ ઉચ્ચારી શક્તી નથી. ઉલ્ટાનું વડોદરાના ધારાસભ્યોએ બાંયો ચઢાવીને છેલ્લા વિધાનસભા અધ્યક્ષ પદ મેળવ્યું હતું. પરંતુ, સુરત ભાજપાના નેતાઓ મોવડીઓ પાસે કશું હકથી માંગી શક્તા નથી.

ભાજપાની પ્રદેશ અને કેન્દ્રીય નેતાગીરી મૂળ સુરતીઓના નેતૃત્વની નબળાઇ ભાળી ગઇ છે, મૂળ સુરતીઓ હકનું માંગી શક્તા નથી તો બાંયો ચઢાવવાની વાત દૂર રહી

(હવે ખરેખર જો દર્શનાબેન જરદોષ પોલિટીકલ બુલડોઝર નહીં ફેરવે તો મૂળ સુરતીઓના હાથમાંથી સાંસદ પદું પણ જતુ રહેવાના ચાન્સિસ છે.)

સુરત સંસદીય બેઠક માટે ભાજપામાં ઉમેદવારની પસંદગીની ગતિવિધિઓ જોતા એવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે હવે મૂળ સુરતીઓ પાસે જે બાકી બચ્યું હતું એ સંસદીય સીટ પણ સૌરાષ્ટ્રવાસી નેતાને ધરી દેવી પડે તેમ છે. કેન્દ્રીય મંત્રી મન્સુખ માંડવીયા માટે તો સુરતમાંથી એવા સેન્સ અને ફિડબેક પણ મોવડીઓને મોકલાય રહ્યા છે કે તેઓ સૌથી મેરીટ ધરાવતા ઉમેદવાર છે.

મૂળ સુરતી ઉમેદવારોમાં હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, અજય ચોક્સી, નિરવ શાહ, નીતિન ભજીયાવાળા, રાજેશ દેસાઇ વગેરે નામો તેમના સમર્થકો દ્વારા ચલાવાઇ રહ્યા છે પરંતુ, જે રીતે મન્સુખ માંડવીયા અગર તો ડો. જગદીશ પટેલ માટે સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ લોબિંગ કરી રહ્યા છે એ રીતે માટે મોદી કે અમિત શાહ સાથે ઘરોબો ધરાવતા ઉદ્યોગપતિઓ મૂળ સુરતી માટે લોબિંગ નથી કરી રહ્યા. આમેય એ ઇતિહાસ રહ્યો છે કે સુરત ભાજપે અત્યાર સુધીમાં પ્રદેશ મોવડીઓએ જે મેન્ડેટ, હવાલાઓ મોકલ્યા છે એને આંખો બંધ કરીને સરઆંખો પર ચઢાવ્યા છે, સુરતી નેતાગીરી ક્યારેય પ્રદેશ કે કેન્દ્રીય મોવડીઓના નિર્ણય સામે એક સવાલ સુદ્ધાં ઉપસ્થિત નહીં કરે એ બાબત ભાળી ગયેલા કેન્દ્ર અને પ્રદેશ ભાજપાના નેતાઓ આ વખતે પણ સુરત સંસદીય મત વિસ્તારમાં પોતાનું ધાર્યું કરાવી જશે તો મૂળ સુરતીઓનો એકડો નીકળી જવાનો છે એ વાત નક્કી છે.

સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે સૌથી સેફ સીટ મનાય છે, અહીં કાશીરામ રાણાથી લઇને દર્શનાબેન જરદોષ વિક્રમી સરસાઇથી જીતતા આવ્યા છે. એટલે આ સૌથી સલામત સીટ પર ભાજપાની નેતાગીરી કોઇપણ વ્યક્તિને ઉમેદવાર બનાવી શકે છે. છેલ્લા બે ટર્મથી સુરતના સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા દર્શનાબેન જરદોષ એટલા લૉ પ્રોફાઇલમાં રહ્યા કે મોટા ભાગના સામાન્ય લોકોમાં એવી જ છાપ છે કે સુરતના સાંસદ સી.આર. પાટીલ જ છે. સુરત એરપોર્ટનો પ્રશ્ન હોય કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોનો જીએસટીનો પ્રશ્ન હોય કે પછી છેલ્લે તાપી નદીનો પ્રોજેક્ટ હોય સી.આર. પાટીલ નવસારીના સાંસદ હોવા છતાં સુરતના પ્રશ્નો માટે સરકારમાં લોબિંગ કરતા જોવાયા છે. સાંસદ તરીકે દર્શનાબેન જરદોષની બે ટર્મ દરમિયાન સુરતમાં સ્થાનિક સ્તરેથી પ્રાદેશિક કે કેન્દ્રીય સ્તરની નેતાગીરીની કેડર ઉભી થઇ શકી નહીં. એકેય સુરતી એમએલએ ને મિનિસ્ટરશીપ મળી નહીં કે એ પ્રાદેશિક લેવલ પર નેતૃત્વ સ્થાપી શકે, બધા નેતાઓ સુરત પૂરતા સિમીત બનીને રહી ગયા. સ્વાભાવિક છે કે પછી સુરતીઓ કેન્દ્રીય મોવડીઓને સાંસદ લિડરશીપ માટે વામણાં લાગે એમાં બેમત નથી.

આમેય સુરતમાં અસ્સલ સૂરતીઓ લઘુમતિમાં મૂકાઇ ગયા છે. એવી પરિસ્થિતિમાં મૂળ સુરતી પાસેથી સાંસદ પદું પણ છીનવાય જાય તો સુરતની ઓળખ સામે જ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે.

March 10, 2019
him_pm.jpg
1min189860

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખૈનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખૈની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

(કેન્દ્રીય મંત્રી શ્રી રુપાલા સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખૈની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખૈનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખૈની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

(વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખૈનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા.

 

March 5, 2019
twin1.jpg
1min15720

આજે પણ ઘણાં પરિવારો એવા જોવા મળે છે જેમને દિકરી નથી જોઇતી, દિકરાના જન્મે ખુશ થાય છે. આવા પરિવારોથી વિપરીત સુરતમા ંએક એવો પરિવાર છે કે જેણે પરિવારમાં ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે ઠાઠમાઠથી કાઢવામાં આવતા કોઇ વરઘોડાને ટક્કર મારે તેવી શોભાયાત્રા કાઢીને દિકરીઓને પરિવારમાં વધાવી લીધી હતી.

સુરતના એક જૈન પરિવારની આ કહાની છે. ટ્રાવેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા આશિષ જૈનના પરિવારમાં ટવીન દિકરીઓનો જન્મ થયો છે. આ દિકરીઓનું નામ આન્યા અને અનાયા રાખવામાં આવ્યું છે. સમાજમાં બેટી બચાવો અભિયાનનો ચોંટદાર પડઘો પડે તે માટે આશિષ જૈન અને તેમના પરિવારજનોએ ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે રવિવારે સવારે અઠવાલાઇન્સથી ટીમલિયાવાડ સુધી આકર્ષક સરઘસ કાઢ્યું હતું.

પહેલી નજરે આ સરઘસને જોનારાઓને એવું થઇ આવે કે હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગનો કોઇ વરઘોડો નીકળ્યો હોય. પરંતુ, તપાસ કરાતાં જાણવા મળ્યું કે જૈન પરિવારને ત્યાં પારણું બંધાયું અને પારણે ટવીન દિકરીઓ અવતરી છે. આ દિકરીઓના સન્માનમાં જૈન પરિવારો ઘોડાગાડી, બગી, ડીજે મ્યુઝિકના સથવારે સગાસબંધીઓ સાથે સરઘસ કાઢીને દિકરીઓના જન્મ પ્રસંગને આવકાર્યો છે.

 

February 28, 2019
amroli_utran_flyover.jpg
1min9330

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના હસ્તે તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ અમરોલી અને ઉત્રાણ વચ્ચે રેલવે ટ્રેકની ઉપર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ ખુલ્લો મૂકાતા વરાછાથી શરૂ કરીને અમરોલી, ઉત્રાણ, મોટા વરાછા વગેરે વિસ્તારના ટ્રાફિકની અવરજવરમાં મોટી રાહત થશે. આ બ્રિજની તસ્વીર અત્રે પ્રસ્તુત છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે રાજ્યના સૌથી અધતન પોલીસ મથકોમાં એક ગણાતા સુરતના કતારગામના નવનિર્મિત પોલીસ મથકને પણ ઉદઘાટિત કર્યું હતું. કતારગામ પોલીસ મથકની તસ્વીર અત્રે પ્રસ્તુત છે.

February 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min494010

સુરત એરફોર્સમાં કામ કરી રહેલી સુરતની એક યુવતિએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિરમાં ભારતીય એરફોર્સએ કરેલા હુમલામાં મોટું યોગદાન આપ્યું હોવાની વહેતી થયેલી અફવા મોડી સાંજ સુધીમાં દાવાનળની જેમ ફાટી નીકળી હતી. અંતે સુરતની આ યુવતિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ખુદ એક સ્પષ્ટતા કરવી પડી હતી કે તેણે કોઇપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો નથી. આ યુવતિએ એવી યાચના કરવી પડી કે તેના નામથી કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે. એ પોતે કોઇ સ્ટ્રાઇક મિશનમાં ન હતી. ખોટા સંદેશાઓ નહીં પ્રસરાવવા માટે તેણે લોકોને અપીલ કરવી પડી હતી. એ યુવતિએ કહેવું પડ્યું કે તે બિમાર છે અને રજા પર છે.

ઉર્વિશા જરીવાળા નામની સુરતની યુવતિ હાલમાં ઇન્ડિયન એરફોર્સમાં એરગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કાર્યરત છે અને તેના નામે આજે સવારથી જ ખોટા મેસેજ ફેલાવવાના શરૂ કરતા મોડી સાંજે ઉર્વિશા જરીવાળાએ તેના ફેસબુક હેન્ડલ પર આ રીતે સ્પષ્ટતા કરવી પડી હતી. જે અત્રે પ્રસ્તુત છે.

ઉત્સાહના અતિરેકમાં સુરતીઓએ ઉર્વિશા જરીવાળાના નામથી જે અફવાઓ ફેલાવી તેનાથી તેના પરિવારજનો, સગાસબંધીઓ સમેત અનેક લોકોએ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

 

February 25, 2019
tapi1-1280x720.jpg
1min18050
  • તાપી પાસેથી અત્યાર સુધી લીધે રાખ્યું, હવે તાપી નદીના ખરા અર્થમાં જતનનું કામ શરૂ થશે
  • ખુદ નરેન્દ્ર મોદી તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સુરત આવે તેવી સંભાવના
  • લોકસભાની ચૂંટણી પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરી દેવાય તેવી વકી
  • મોટી સંખ્યામાં કોલેજીયન, યંગસ્ટર્સને તાપી ડેવલપમેન્ટમાં કારસેવા કરવા માટે જોડવામાં આવશે
  • ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળીને અંદાજે 13 કરોડ લોકો તાપી નદીના પાણી પર નિર્ભર

(Map of Tapi)

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તેમજ જેના મૂળીયા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા છે એ સૂર્યપૂત્રી તાપી નદીના ડેવલપમેન્ટ માટે ગુજરાતના સ્થાનિક વહીવટીતંત્રોએ તૈયાર કરેલા રૂ.952 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રૂ.21 કરોડ વધારાની ગ્રાન્ટ ઉમેરીને કુલ રૂ.973 કરોડના પ્રોજેક્ટને આજે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ તેમજ રાજ્ય સરકારે એક પણ સવાલ ઉઠાવ્યા વગર, એક પણ સૂચન કર્યા વગર લીલીઝંડી આપી દીધી હોવાની વિગતો જાણવા મળી છે.

સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ તાપી શુદ્ધિકરણના આ પ્રોજેક્ટને સત્વરે મંજૂરી મળે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં આક્રમક લોબિંગ કર્યું હતું. તેઓ સતત આ કામનો ફોલોઅપ કરતા રહ્યા અને આખરે ઝડપભેર પ્રોજેક્ટ સાકાર થઇ શકે અને સુરતની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટનું કામ શરૂ થાય તેવા તેમના પ્રયાસો હતા.

તાપી નદી પાસેથી અત્યાર સુધી સુરત હોય કે દક્ષિણ ગુજરાતની પ્રજા અને વહીવટીતંત્રોએ બધું લીધું જ છે, તાપી નદીના જતન માટે કોઇ નક્કર યોજના ભૂતકાળથી લઇને અત્યાર સુધી ક્યારેય બની ન હતી. પરંતુ, સુરત પર વસતિનું ભારણ વધતા તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાંથી વિતરીત સિંચાઇ પુરવઠાની ખેંચ પડવા માંડતા તાપી નદીને હવે મેઇન્ટેન કરવા, શુધ્ધ કરવા તેમજ અન્ય આનુષંગિક કામો કરીને દક્ષિણ ગુજરાતની લોકમાતા કહો કે જીવાદોરી સમાન તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે કેન્દ્ર સરકારે પણ લીલીઝંડી આપી દીધી છે. અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થઇ જાય તે માટે હવે સ્થાનિક વહીવટીતંત્રોથી લઇને ભાજપાએ પણ કાર્યક્રમો ગોઠવવા માંડ્યા છે.

આગામી દિવસોમાં તાપી મૈયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના શુભારંભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ સુરત આવે તેમજ સ્થાનિક યુવાપેઢી, કોલેજિયન તાપી કાર સેવામાં મોટી સંખ્યામાં જોતરાય તેવા પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે.

આગામી દિવસોમાં સ્થાનિક વહીવટીતંત્રોના સથવારે ભાજપા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને એક ચૂંટણી મુદ્દા તરીકે એન્કેશ કરે તેવા કાર્યક્રમો જોવા મળશે. એ ભલે કંઇપણ કરે પરંતુ, તાપી નદીનો વિકાસ થશે એ બહું આવકારદાયક પગલું બની રહેશે.

February 20, 2019
jab-koi-baat-05-1.jpg
1min24230

પોતાની 20મી મેરેજ એનિવર્સરીને એક અદ્દલ બોલીવુડ સોંગ બનાવડાવીને સેલિબ્રેટ કરનાર સુરતી યુગલ અજીતા અને જગદીશ ઇટાલિયા અભિનીત ગુજરાતી સોંગ જબ કોઇ બાત ને યુ ટ્યુબ પર ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ મળ્યા છે. કોઇ સુરતી બોલિવુડના ખ્યાતનામ સિંગર્સ કે એક્ટર્સને મળતા હોય તેવા વ્યુઝ મળે એ સુરતીઓ માટે ગૌરવપ્રદ ઘટના છે.

ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ કમાઇ ચૂક્યું છે સુરતી કપલનું રોમેન્ટિક સોંગ જબ કોઇ બાત-વાલમ આવોને

એડવેન્ચરિયસ સાઇકલિંગ માટે ખ્તાયનામ અજિતા અને જગદીશ ઇટાલિયા મ્યુઝિક તેમાં પણ ખાસ કરીને ગુજરાતી મ્યુઝિકના ભારોભાર પ્રેમી છે. તક અને સમય મળે ત્યારે અજિતા કે જગદીશ ગીત ગાવાની એકેય તક જતી કરતા નથી હોતા એવા આ સુરતી મ્યુઝિક લવર કપલ અજિતા અને જગદીશ ઇટાલિયાએ પોતાની 20મી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે જોધપુર ખાતે પોતાના પર જ જબ કોઇ બાત અને વાલમ આવોને ગીતનું ફિલ્માંકન કરાવ્યું હતું. સોંગ મેકીંગ પ્રોસેસ દરમિયાન તેમની અપેક્ષા બહાર આ ગીતની સિનેમેટોગ્રાફિ, મ્યુઝિક કમ્પોઝિશન, લિરીક્સ બધું જ એટલું યોગ્ય હતું કે વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંપનીને એપ્રોચ કરીને તેનું વર્લ્ડ પ્રીમિયર અને એ પણ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ઉપલક્ષમાં કરવાનું નક્કી કરાયું હતું. વિનસ મ્યુઝિક કંપનીએ જબ કોઇ બાત વાલમ આવોને સોંગ યુ ટ્યુબ સમેત 9 મ્યુઝિક ચેનલ્સ પર લોંચ કર્યાના 3 જ દિવસમાં સુરતી કપલના અદ્લ બોલિવુડ સ્ટાઇલ ગુજરાતી સોંગને 10 લાખ કરતા વધુ વ્યુઅર્સ મળી ચૂક્યા છે.

  • ઓવર વ્હેલમિંગ રિસપોન્સની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ : જગદીશ ઇટાલિયા
  • અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે : અજિતા ઇટાલિયા

અમે જ્યારે જગદીશ અને અજિતાનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે આટલા વ્યુઅર્સ મળ્યા પછી કેવી ફિલિંગ થાય છે, ત્યારે સાહજિક રીતે જ જગદીશ ઇટાલિયાએ કહ્યું આ રિસ્પોન્સ કલ્પના બહારનો છે, સ્વપ્નેય વિચાર્યું ન હતું કે મારી એનિવર્સરી સેલિબ્રેશન માટે બનાવેલું સોંગ  ગુજરાતી મ્યુઝિક લવર્સને આટલી હદે ગમશે. આ એક ઉત્સાહ વર્ધક રિસ્પોન્સ છે, ઓવર વ્હેલમિંગની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ. અજિતા ઇટાલિયાએ સહજતાથી કહ્યું કે અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે. સોંગ પ્રત્યેના લોકોના પ્રતિભાવો અમે જ્યારે સોશ્યલ મિડીયા પર વાંચીએ છીએ ત્યારે એવી ફિલીંગ આવે છે કે જાણે અમે પ્રોફેશનલ હોઇએ.

February 19, 2019
SDCA_logo.jpg
1min11200
  • બીસીસીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પર સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ ચમક્યા
  • સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટીની કુલ 21 મેચો સુરતમાં રમાશે
  • 14 મેચ લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 4 મેચ સીબી પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 3 મેચ પીઠાવાલા સ્પોર્ટસ કલબ ખાતે
  • 21મી ફેબ્રુઆરીથી 3જી માર્ચ 2019 સુધી સુરતમાં 21 મેચો રમાશે

બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા આયોજિત સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી સિરીઝની કુલ 7 ટીમ્સના સ્લોટ સુરતના ત્રણ જુદા જુદા ક્રિકેટ ગ્રાઉન્ડસને ફાળવવામાં આવ્યા છે. આગામી તા.21મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી શરૂ થઇ રહેલી મુસ્કાત સૈયદઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ પર ગુજરાત, રણજી ચેમ્પિયન વિદર્ભ, તમિળનાડુ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, બિહાર અને મેઘાલયની સિનિયર પ્લેયર્સની ટીમો રમશે. આ 7 ટીમમાં અનેક ભારતીય સ્ટાર ક્રિકેટર્સ, ભૂતકાળમાં આઇ.પી.એલ. ગજાવી ચૂકેલા અનેક ક્રિકેટર્સ પણ સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવા મળશે.

સુરત આવી રહેલા સ્ટાર ક્રિકેટર્સમાં અશ્વિન, (દિનેશ કાર્તિકે પરમિશન માગી રમવા માટે), ખલીલ ફાસ્ટ બોલર (રાજસ્થાન), અક્ષર પટેલ, પાર્થિવ પટેલ વગેેરે ક્રિકેટર્સને જોવાનો મોકો મળશે.

સુરતના ઇતિહાસમાં પહેલી વખત ઘટના આકાર પામી રહી છે કે એક સાથે 7-7 રાજ્યોની સિનિયર ક્રિકેટ ટીમ એક સાથે રમવા માટે આવી છે. સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટની મેચો સુરતમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપરાંત સી.કે. પીઠાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ સી.બી. પટેલ સ્ટેડીયમ ખાતે ફાળવવામાં આવી છે. પહેલી મેચ ગુજરાત અને મેઘાલય વચ્ચે તા.21મીએ સવારે 10 કલાકે યોજાશે.

સુરતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ મેચો જોઇ શકે તે માટે બિલકુલ ફ્રી એન્ટ્રી

સુરતના ત્રણેય ગ્રાઉન્ડસ પર સૈયદ મુસ્તાકઅલી ક્રિકેટની મેચો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અનેક ટીમોમાં ભારતીય ક્રિકેટના અનેક સિતારાઓ સુરત આવી રહ્યા હોઇ તેમની સાથે બીસીસીઆઇના પણ અનેક અધિકારીઓ સુરત આવી રહ્યા છે. સુરતવાસીઓ માટે ખાસ કરીને ક્રિકેટપ્રેમી સુરતીઓ માટે આ એક અદભૂત નજારો હશે. ક્રિકેટ સ્ટાર સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવાનું દ્રશ્ય અવિસ્મરણીય બની રહેશે.