સુરતીઓની દુનિયા Archives - Page 62 of 81 - CIA Live

May 14, 2019
birthday-bumps-images-8.jpg
1min7690

(Symbolic Pic)

સુરતમાં ખાસ કરીને લોઅર મિડલ ક્લાસના યંગસ્ટર્સ પોતાના મિત્રની બર્થ ડે ઉજવણીના બહાને જાહેર માર્ગ પર વગર પીધે છાકટા થઇને જંગલીયત પર ઉતરી આવતા હતા. પોતાના મિત્રની સાથે ટપોરીઓને પણ શરમાવે એ રીતે મારઝૂડ અને જુલ્મો આચરતા સુરતી યંગસ્ટર્સની આખરે શાન ઠેકાણે લાવવા માટે પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર બર્થડે બમ્પસના સેલિબ્રેશન પર પ્રતિબંધ લાદવો પડ્યો હતો. બર્થ ડે પર ઘાતકી રીતે મારઝૂડ કરવાનો ટ્રેન્ડ મિડલ અને લોઅર મિડલ ક્લાસ પરિવારના યંગસ્ટર્સમાં જ જોવા મળતો હતો. જ્યારે બર્થ ડે ની જાહેર માર્ગ પર ઉજવણી કરતા ત્યારે આ સુરતી યંગસ્ટર્સ એટલી જંગલિયત પર ઉતરી આવતા હતા કે મારઝૂડની સાથે ગાળાગાળી કરીને આખા વિસ્તારમાં અશાંતિ મચાવી મૂકતા હતા.

(Symbolic Pic)

પણ હવે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ જંગલીયતભર્યા બર્થ ડે સેલિબ્રેશન સામે નિષેધાત્મક આદેશ જાહેર કર્યો છે.

પોલીસ કમિશનરના આદેશો બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચ, પી.એલ. ચૌધરીએ આઈપીસી 188 અંતર્ગત આદેશોની અવગણના ન થાય તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પોલીસ આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.

સુરતના અડાજણ, ઉમરા, ડુમસ વગેરે વિસ્તારમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે જાહેર જગ્યાઓ પર ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતી જન્મદિવસની ઉજવણી હિંસાત્મક અને જાહેર જીવનમાં ખલેલ પહોંચાડનારી બનતી હતી. એક યુવકનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો હતો તે સમયે તેને પહેલા બાંધી દીધો હતો અને બાદમાં તેના પર ઈંડા ફેંકવામાં આવ્યા. પાડોશીનું ધ્યાન જતાં તેણે યુવકને છોડાવતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો.

બર્થ ડે બમ્પસ સામે પ્રતિબંધ મૂકવાની આખા દેશમાં પહેલ કરનારા પોલીસ કમિશનર શ્રી શર્માએ કહ્યું હતું કે, ‘આ જાહેરનામું લોકોમાં સાવચેત કરવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે.

હિંસક રીતે જન્મદિવસની ઉજવણીની બાબતમાં પોલીસ રસ્તા તેમજ અન્ય જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરશે. પોલીસ પેટ્રોલિંગ ટીમ આવી રીતે થતી ઉજવણીઓ પર પણ નજર રાખશે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. ડુમસ રોડ પર જન્મદિવસની ઉજવણી નિયમિત રીતે થાય છે, જેના કારણે મુસાફરો, ફુટપાથ પર બેસતા તેમજ પરિવાર અને મિત્રો સાથે ફરવા આવતા લોકોને ખલેલ પહોંચે છે.

May 10, 2019
surat_loksabha.png
1min7860

દાયકા પહેલાં આવેલી મંદીમાં ડેવલપરોએ 40 ટકા સુધી ઘટાડો કર્યો હતો : રેરા-જીએસટી અને ઊંચા પ્રીમિયમને કારણે માર્જિન ઘટી ગયું હોવાથી બિલ્ડરો પણ લાચાર

સુરત શહેર, અર્બન એરીયા તેમજ તેને અડીને આવેલા વિસ્તારોમાં હાલમાં બે લાખ જેટલી નવી મિલક્તો જેમાં સૌથી વધુ ફ્લેટ્સ છે, દુકાનો, ઓફિસ, રો હાઉસ, ગાળા ટાઇપ મકાનો વગેરે ખાલી પડ્યા હોવા છતાં તેના ભાવો ઘટતાં નથી. શહેરીજનોને પણ નવાઇ લાગી રહી છે કે પડ્યા પડ્યા મિલક્તો ખરાબ થઇ રહી છે, બાંધકામો સડી રહ્યા છે આમ છતાં બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો મિલક્તોના ભાવ ઓછા કરીને વેચવા કેમ કાઢતા નથી. હાલ આ મુદ્દો લગભગ દરેક ધંધાદારી લોકોના સર્કલથી લઇને ફ્રેન્ડસ ગ્રુપોમાં ચર્ચાય રહ્યો છે.

દાયકા સવા દાયકા પહેલાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરદસ્ત મંદી આવી હતી. એ વખતે જે રીતે નવી ખાલી મિલક્તોા ભાવમાં 40 ટકા જેવો જંગી ઘટાડો થયો હતો એવો આ વખતે થયો નથી. ફ્લેટના વેચાણમાં અત્યંત મંદી હોવા છતાં બિલ્ડરો ભાવમાં ઘટાડો કરવાને બદલે ફ્લેટો જાળવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે નાણાં લઇને બેઠેલા ઇન્વેસ્ટર્સ માથું ખંજવાળી રહ્યા છે કે તેમની પાસે સસ્તા ભાવે રોકાણની તક આવતી નથી. આવી સ્થિતિ છેલ્લા દોઢેક વર્ષથી સર્જાયેલી જોવા મળી રહી છે.

બિલ્ડરો અને ડેવલપર્સનું માર્જિન ઘટી રહ્યું છે

એક જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે રિયલ એસ્ટેટ માર્કેટ પર લગાવવામાં આવેલા ભારે વેરા અને પ્રીમિયમની ઊંચી રકમને કારણે ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. આ બધાની વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે સ્પર્ધા આવી ગઈ છે, ત્યારે ફક્ત આઠ ટકા જેવા નજીવા માર્જિનમાં ડેવલપરો ફ્લેટ વેચી રહ્યા છે અને તેથી જ ભાવમાં વધુ ઘટાડો કરવા તેઓ તૈયાર નથી.

ફાઇનાન્સ અને ઇન્ટરેસ્ટ કોસ્ટમાં વધારો, બિલ્ડરો લાઇન છોડીને અન્ય વેપારમાં નજર દોડાવી રહ્યા છે

2005થી ફાઈનાન્સ અને ઈન્ટરેસ્ટની કોસ્ટમાં અંદાજે આઠ ગણો વધારો થઈ ગયો છે,કેમ કે બિલ્ડરોને ધીમી ગતિએ થતા વેચાણને લઈને લાંબા ગાળાની લોન લેવી પડે છે. આ ઉપરાંત જમીનની કિંમતમાં નવ ગણો, મંજૂરીઓ પાછળ થતા ખર્ચમાં સાત ગણો અને ક્ધસ્ટ્રક્શન કોસ્ટમાં બમણો વધારો થતાં ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2005માં એક પ્રોજેક્ટને પૂરો થતાં સરેરાશ ત્રણ વર્ષ લાગતા હતા, તેને સ્થાને હવે 6 વર્ષ લાગે છે. આ બધું મળીને પ્રોજેક્ટની 35 ટકા કિંમત થઈ જાય છે અને સૌથી મોટો ખર્ચ આ જ છે.

શહેરના મોટા ભાગના રિયલ એસ્ટેટના માંધાતાઓએ હવે બિલ્ડીંગ લાઇન પરચૂરણ લઇન થઇ ગયાનું માનીને પોતાની મૂડી મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં નાંખવાના આયોજન કર્યા હોવાનું જણાય આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રકશનમાં કોસ્ટ વધી, મળતર ઘટ્યું અને નાના પ્લેયર્સ પણ આવી રહ્યા હોઇ હવે મોટા માંથા રિયલ એસ્ટેટમાંથી ખસી રહ્યા છે.

મિલક્તો પોતાની કિંમતે વેચવા માટે અનેક સ્કીમો બિલ્ડરોએ આપવી પડી રહી છે

આ બધા ઉપરાંત ડેવલપરો પ્રોપર્ટીની કિંમતની ચુકવણીમાં હપ્તા પાડીને આપે, ફ્લોર રાઈઝના હિસાબે વધારાની કિંમત ન વસૂલે, જીએસટી અને રજિસ્ટ્રેશન ફી ચુકવી આપે આ બધાને કારણે તેમના પર વધારાના 10-20 ટકા જેટલો બોજો પડી રહ્યો છે. અનેક ડેવલપરોએ તો તૈયાર પડેલા પોતાના ફ્લેટો વેચવા માટે 10-15 વર્ષના હપ્તાની સ્કીમ બનાવી આપી છે, જેથી તેમનું રોલિંગ અટકી ન પડે. આને કારણે પણ નફામાં કાપ મુકાઈ રહ્યો છે.

2005માં કોઈ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનારી વ્યક્તિ અને આજે એ જ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારી વ્યક્તિ લગભગ સમાન કિંમત ચુકવી રહી છે તેના પરથી રિયલ એસ્ટેટ માર્કેટની હાલતનો અંદાજ આવે છે. જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત રેરાએ પણ પ્રોપર્ટી માર્કેટ પર ગંભીર અસર કરી છે.

May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11860

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરીણામમાં વરાછા રોડની સાયન્સ સ્કુલોનું પરીણામ સુરતની અન્ય સ્કુલોની સરખામણીમાં શ્રેષ્ઠ રહ્યું હતું. ખાસ કરીને વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન, પી.પી. સવાણી ગ્રુપ, તપોવન વિદ્યાભવન જેવી સ્કુલોમાંથી સૌથી વધુ એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યા છે.

વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન ધો.12 સાયન્સના નબળા પરીણામ વચ્ચે પણ આ વખતે અડીખમ ઉભી રહી છે. સુરત શહેર જિલ્લા મળીને કુલ 31 એ-વન ગ્રેડ આવ્યા છે. જેમાં એકલી આશાદીપ સાયન્સ ભવન સ્કુલના જ 31 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં આવ્યા છે.

કેમેસ્ટ્રીના ખરાબ પરીણામ વચ્ચે આશાદીપના બે વિદ્યાર્થીઓ 100માંથી 99 માર્કસ ખેંચી લાવ્યા

આશાદીપ સાયન્સ ભવનમાં અક્ષર દિનેશભાઇ રોય તેમજ પરીબ મુકેશભાઇ બલર એ બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમના કેમેસ્ટ્રી વિષય કે જેમાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓ ધોવાય ગયા છે આ બે વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રમાં 100માંથી 99 માર્કસ હાંસલ કર્યા છે. આમ સુરતમાં વિજ્ઞાન પ્રવાહમાં આશાદીપ સાયન્સ ભવન સ્કુલ 40 ટકા જેટલા એ-વન ગ્રેડ એકલા હાથે ખેંચી લાવી છે.

સુરતમાં એ-વન ગ્રેડમાં કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ

  • શાળાનું નામ                           એ-વન ગ્રેડની સંખ્યા
  • આશાદીપ સાયન્સ ભવન            31
  • પીપી સવાણી ગ્રુપ                       12
  • જયઅંબે વિદ્યાભવન                    05
  • તપોવન વિદ્યાભવન                    05
  • આઇએન ટેકરાવાળા સ્કુલ          04
  • મૌની ઇન્ટરનેશનલ સ્કુલ             04
  • દિપદર્શન વિદ્યાસંકુલ                   04
  • સ્વામીનારાયણ ગુરુકુળ               03
  • સેંટ ઝેવિયર્સ સ્કુલ                        03
  • કૌશલ વિદ્યાભવન                        02
  • માધવબાગ વિદ્યાભવન                02
  • જીવનભારતી                               02
  • એલપી સવાણી સ્કુલ                   02
  • અક્ષરજ્યોત વિદ્યાલય                  02
  • ગુરુકૃપા વિદ્યાભવન (હિન્દી)       02
  • વશિષ્ઠ વિદ્યાલય                          02
  • વિદ્યામંગલ કામરેજ                      01
  • ડીઆર રાણા વિદ્યાસંકુલ             01
  • શારદા વિદ્યાભવન                       01
  • ગજેરા વિદ્યાભવન                        01
  • જેબી ડાયમંડ સ્કુલ                      01
  • સીસી શાહ એક્સપેરિમેન્ટલ        01

આશાદીપ સાયન્સ ભવન આ રહ્યા તેજસ્વી તારલાઓ

May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11310

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.9મી મે 2019ના રોજ જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામથી સુરતીઓને જરૂર આંચકો લાગશે. અત્યાર સુધી છેલ્લા દાયકા દરમિયાન સાયન્સના એજ્યુકેશનમાં સુરતીઓનું પ્રભુત્વ હતું. સાયન્સના પરીણામમાં સુરત પહેલા અથવા બીજા ક્રમે આવતું હતું જે 2019ના પરીણામમાં છેક આઠમા ક્રમે ધકેલાય ગયું છે.

ગુજરાતના જિલ્લાવાર ધો.12 સાયન્સનું પરીણામ ચકાસીએ તો સૌથી હાઇએસ્ટ પરીણામ

  1. રાજકોટ જિલ્લાનું 84.47 ટકા
  2. અરવલ્લી જિલ્લાનું 84.12 ટકા
  3. મહિસાગર જિલ્લાનું 84.02 ટકા
  4. અમદાવાદ જિલ્લાનું 91.28 ટકા
  5. મહેસાણા જિલ્લાનું 80.85 ટકા
  6. ભાવનગર જિલ્લાનું 80.22 ટકા
  7. જામનગર જિલ્લાનું 79.60 ટકા અને છેક
  8. સુરત જિલ્લાનું 77.86 ટકા પરીણામ આવ્યું છે.

અત્યાર સુધી સુરતી વિદ્યાર્થીઓને સાયન્સમાં અન્ય કોઇ જિલ્લાના વિદ્યાર્થીઓ બીટ કરી શકતા ન હતા. વ્યક્તિગત પરીણામ એટલે કે એ ગ્રેડની સંખ્યા હોય કે ઓવરઓલ પરીણામ હોય સુરતીઓનું પરીણામ છેલ્લા દાયકામાં પહેલા અથવા બીજા ક્રમે રહ્યું હતું. પરંતુ આ વખતે એવો રકાસ થયો છે કે સુરતી વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં છેક આઠમા ક્રમે ધકેલાય ગયા છે.

ડમી સ્કુલો અને ધંધાદારી કોચિંગવાળાઓએ ડાટ વાળ્યો

સુરતી વિદ્યાર્થીઓનું ધો.12 સાયન્સમાં કંગાળ પરીણામ માટે સૌથી વધુ જવાબદાર હોય તો એ ડમી સ્કુલો અને જેઇઇ, નીટના ધંધાદારી કોચીંગવાળા છે. માબાપ અને વિદ્યાર્થીઓને ભોળવીને એવી સ્કુલોમાં એડમિશન લેવડાવે કે જ્યાં શાળાકીય શિક્ષણ વગર, ગેરહાજરી હોવા છતાં હાજરી પૂરીને, સ્કુલના ભોગે ટ્યુશનો કરાવીને ધો.12 સાયન્સનો અભ્યાસ કરાવાયો હતો.

આ રહ્યું જિલ્લાવાર ધો.12 સાયન્સનું પરીણામ

May 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5030

 

સુરતના ક્રીમ એરીયા ગણાતા પારલે પોઈન્ટ વિસ્તારમાં 35 વર્ષ જૂનું અને બિસ્માર અવસ્થામાં આવી ચૂકેલું વિશાલ દર્શન એપાર્ટમેન્ટ આજે સવારે જમીનદોસ્ત થઇ ગયું હતું. ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી કેમકે 6 મે 2019ની રાત્રે જ આ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ પરિવારોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા.

આજે તા7મી મે ને મંગળવારે વહેલી સવારે જ ધડાકાભેર વિશાલદર્શન ધ્વસ્ત થઈ ગયું હતું. વિશાલદર્શન એપાર્ટમેન્ટ તા.6 મે ના રોજ નમી ગયું હોવાના સમાચારો આસપાસના વિસ્તારોમાં પ્રસરતા લોકોના ટોળેટોળા તેને જોવા ઉમટ્યા હતા એ પછી આજે જ્યારે એપાર્ટમેન્ટનું હયાત સ્ટ્રક્ચર કડાકા સાથે પડી જતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એપાર્ટમેન્ટ અત્યંત બિસ્માર અવસ્થામાં હતું, તેનું સમારકામ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવ્યું ન હતું.

આજે સવારે એપાર્ટમેન્ટ પડી જાય એ પૂર્વે તા.6 મે ના રોજ રાત્રે રહીશોએ તેમના કિંમતી દર દાગીના , હીરા ઝવેરાત પોતાની પાસે રાખી લીધા હતા. આજે એપાર્ટમેન્ટ પડી ગયા પછી ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

April 30, 2019
Narayan.jpeg
1min12390

સાધિકા પર દુષ્કર્મ કરવાના કેસમાં સુરત જેલમાં છેલ્લા પાંચેક વર્ષથી સબડી રહેલા આશારામનો રેપિસ્ટ પુત્ર નારાયણ સાઇને આજે આખરે સુરત સેસન્સ કોર્ટે સજા સંભળાવી હતી. સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં કોર્ટે સજાનો ચૂકાદો આપતા કહ્યું હતું કે નારાયણ સાઇને આજીવન કેદની સજા અને રૂ.1 લાખનો દંડ તેમજ તેના સહયોગીઓ સાધિકા બહેનો ગંગા, યમુના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ડ્રાઇવર રમેશ મલહોત્રાને ને છ મહિનાની કેદની સજા ફટકારવાનો હુકમ કરાયો છે.

  • કોર્ટના ચુકાદામાં શું શું
  • નારાયણ સાઇને આજીવન કેદ અને રૂ.1 લાખનો દંડ
  • ગંગા, યમુના અને હનુમાન, ત્રણેયને 10 વર્ષની કેદની સજા
  • ડ્રાઇવર રમેશ મલહોત્રાને 6 મહિનાની કેદની સજા અને રૂ.500નો દંડ
  • પીડીતાને રૂ.5 લાખની સહાય

ગત સપ્તાહે સેશન્સ કોર્ટે નારાણય સાંઈને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેની સજાની સુનવણી આજે તા.30મી એપ્રિલ પર મુકરર કરી હતી. આજે સવારથી જ કોર્ટ સંકુલમાં નારાયણ સાઇના કેસના હિયરીંગને લઇને ઘણી ચહલપહલ જોવા મળી હતી. સાંજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો.

પાછલા 5 વર્ષ કરતા વધુ સમયથી જેલના સળિયા ગણી રહેલા આસારામના દીકરા નારાયણ સાંઈ સામેના દુષ્કર્મના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે મોટો મને મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. નારાયણની સાથે ગંગા, જમુના અને હનુમાન પણ આ કેસમાં દોષિત ઠેરવાયા છે. ગંગા અને જમુના નારાયણ સાંઈની સાધિકા છે અને તેમણે દુષ્કર્મમાં નારાણય સાંઈનો સાથ આપ્યાના દોષિત ઠર્યા છે. નારાણય સાંઈ સામે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેની પર વર્ષ 2002 થી 2005ની વચ્ચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં 6 ઓક્ટોબરના રોજ નોંધાવવામાં આવી હતી. ફરીયાદના અનુસંધાને નારાયણ સાઇની લાંબા સમય સુધી શોધખોળ પોલીસે કરી હતી. છેવટે તા. 4 ડિસેમ્બર 2013ના દિવસે હરિયાણાના કુરુક્ષેત્રથી રેપિસ્ટ નારાયણ સાઇને ઝડપી લેવામાં આવ્યો હતો.

સુરતના બહુચર્ચિત નારાયણ સામેના દુષ્કર્મના આરોપમાં 53 જેટલા સાક્ષીઓ અને બચાવ પક્ષ તરફથી 12 જેટલા સાક્ષીઓની પૂછપરછ થઈ છે, આ લિસ્ટમાં નારાણય સાંઈની પત્ની જાનકી પણ સાક્ષી છે.

April 26, 2019
sunstroke.jpg
1min110330

સુરત મહાનગરપાલિકાએ દરેક બસ સ્ટેન્ડ, દરેક હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ.ની સુવિધા ઉભી કરી છે

સુરત મહાનગરપાલિકાએ તા.27મી એપ્રિલ 2019ના રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રી  જેટલો તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા દર્શાવતી એક એડવાઇઝરી જારી કરી છે. શહેરીજનોને અતિશય તાપથી બચીને રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સન સ્ટ્રોકને કારણે લૂ લાગવા તેમજ અન્ય મુશ્કેલીઓ ઉપસ્થિત થવાની શક્યતા જોવાય રહી છે.

વાતાવરણની અધિકૃત ભાષામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે. અતિશય ગરમી પડે એટલે એને ઓરેન્જ એલર્ટ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે છે.

આ પ્રકારની ગરમી શનિવાર, તા.27મી એપ્રિલે પડવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની એડવાઇઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તા.28મી એપ્રિલ 2019ને રવિવારે તાપમાનનો પારે 43 ડિગ્રીએ એટલે કે યલો એલર્ટ તેમજ તા.29મી એપ્રિલને સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

શહેરીજનોને અતિશય તાપ પડવાની એડવાઇઝરી આપતા સુરત મહાનગરપાલિકાએ નીચે મુજબનું સ્ટેટમેન્ટ પણ જારી કર્યું છે.

વધુમાં તા.26મી એપ્રિલ 2019ના રોજ સુરત શહેરમાં તાપમાનનો પારો આ વખતની સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્તરે 42.1 ડિગ્રી પર નોંધાયો હતો. શુક્રવારે ભેજનું પ્રમાણ 20 ટકા જેટલું નીચે ઉતરી ગયું હતું. હવાનું દબાણ 1004.7 મિલીબાર નોંધાયું હતું અને પવનની ગતિ ઉત્તરમાંથી 7 કિ.મી. જેટલી નોંધાઇ હતી. જોકે, સુરતીઓ શુક્રવારની ગરમીથી ત્રસ્ત પોકારી ઉઠ્યા હતા.

શુક્રવારે જ  સુરતીઓ પારાવાર ગરમીથી પરેશાન થઇ ગયા હતા. એવામાં હવે પછીના ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવારે ભારે ગરમી પડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

 

April 25, 2019
bni_logo.png
1min9200

जयेश ब्रह्मभट्ट

BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल को सुरत लाने वाले सी.ए. गौरव सिंघवी के नाम पर विवाद खडां हो गया है. सुरत में BNI चेप्टर्स के मेम्बर्स को विकली मिटिंग में गैरहाजिर रहे ने पर फटकार लगाने वाले गौरव सिंघवी खुद सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI )  कि मिटिंग में हाजिर नहीं रहेते. उनकी निरंतर गैरहाजरी के चलते चलते SGCCI ने उन्हे बरखास्त क्यूं न किया जाए इस मुद्दे पर कारणबताव नोटिस दिया है. यह मुद्दा बी.एन.आइ. के मेम्बर्समां भारी चर्चास्पद बना हूआ है.

हाल ही में सुरत में BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल ने 1000 दिन पूरे किए है. उसी दिन BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के सर्वेसर्वा माने जाते सी.ए. गौरव सिंघवी को उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के चलते नोटिस मिला है. गौरव सिंघवी जैसे तकरीबन 29 बडे उद्योगपतिओ को नोटिस दिया गया है.

गौरव सिंघवी इसिलिए विवाद में फंसे है क्यूंकी BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के चेप्टर्स में मेम्बर्स कि गैरहाजरी पर वे खुद और डो.निधी सिंघवी काफी सख्त रूख अपना तै है. अगर कोई मेम्बर अनिवार्य कारण से मिटींग में नहीं जा सक्ता तो उनको फोन करके धमकाया जाता है. उनके सामने काफी कम्पलेन उठे है, पर मेम्बर्स अभी तक उनके खिलाफ कम्पलेन नहीं करते थे लेकिन अब BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) को कम्पलेन करने का मन बना चूके है.

BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) के नियमो के मुताबिक विकली मिटींग के प्रति मिटिंग 800 रू. प्रति माह ले सक्ते है पर यहां सुरत में मेम्बर्स को एक साथ 3 महिने कि मिटींग्स के पैसे एडवान्स में जमा करवाए जाते है, ऐसा इसिलिए किया जाता है ताकी मेम्बर गैरहाजिर न रहे, अगर रहे तो भी उनका पैसा एडवान्स में बी.एन.आइ. के खाते में जमा हो गया होता है.

क्या कहा गौरव सिंघवी ने गैरहाजरी के विवाद में

जब सी.आइ.ए. लाइव ने गौरव सिंघवी को व्होट्स एप के जरिए उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के बारे में पूछा तभी उन्हो ने कहा कि अब से सभी मिटींगोमां वो हाजरी दैंगे, और उन्हे कहा की मै बहुत खुश हुं की उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) मेम्बर्स कि गैरहाजरी पर इतनी चिंता जता रही है.

BNI સુરતમાં ગેરહાજરી બાબતે કડક વલણ અપનાવતા ડાયરેક્ટર ગૌરવ સિંઘવી ખુદ SGCCIની મિટીંગોમાં ગેરહાજર રહે છે

સુરતમાં BNI બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલને લાવીને ડઝનબંધી ચેપ્ટર્સ ઉભા કરનાર સી.એ. ગૌરવ સિંઘવી એક અજીબોગરીબ વિવાદમાં સપડાયા છે. BNI સુરતના ચેપ્ટર્સમાં મેમ્બર્સ બનેલા લોકોની અનિવાર્ય કારણોસર પણ જો કોઇ ગેરહાજરી હોય તો તેમને ઝાટકી નાંખતા સી.એ. ગૌરવ સિંઘવી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ની મેનેજિંગ કમિટીની મિટીંગમાં સતત ગેરહાજર રહેતા આવ્યા છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરતા  SGCCI એ ગૌરવ સિંઘવીને નોટિસ ફટકારી છે.

SGCCI એ કુલ 29 સભ્યોને નોટિસ ફટકારી છે એમાં ગૌરવ સિંઘવી એટલા માટે વિવાદમાં સપડાયા છે કેમકે તેઓ બી.એન.આઇ. સુરતમાં ગેરહાજરી બાબતે સખત વલણ અપનાવે છે અને અનેક મેમ્બર્સ તેમની આ બાબતને લઇને બી.એન.આઇ. ચેપ્ટર્સ છોડી ચૂક્યા છે.

શું કહ્યું ગૌરવ સિંઘવીએ

બી.એન.આઇ. સુરત ચેપ્ટર્સમાં ગૌરવ સિંઘવીના બેવડા ધોરણો આજે દિવસભર ચર્ચામાં રહ્યા છે. સી.આઇ.એ. લાઇવ એ ગૌરવ સિંઘવીને જ્યારે SGCCIની મેનેજિંગ કમિટીની મિટીંગમાં ગેરહાજરી બાબતે પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે હવે પછીની મિટીંગોમાં તેઓ હાજરી આપશે. તેમણે ઉમેર્યું કે તેઓ ખુશ છે કે SGCCI પોતાના સભ્યની ગેરહાજરી બાબતે ચિંતિત છે.

April 24, 2019
surat_loksabha.png
3min7390

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારના મતદાન મથકોએ તા.23મીએ સવારે 7થી સાંજે 5 વાગ્યાના 10 કલાક દરમિયાન પ્રતિ કલાકના સરેરાશ લગભગ એક લાખ (99,927) મતદારો મતદાન કરી રહ્યા હતા. પરંતુ, સાંજે 5થી 6ના છેલ્લા છેલ્લા એક કલાક દરમિયાન એક લાખની સરેરાશ ઘટીને 60,152 પર સીમીત થઇ ગઇ હતી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા કલાકમાં મતદાન ઘટે કે વધે?

અત્યાર સુધીની ચૂંટણીમાં એવું જોવામાં આવ્યું છે કે મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાનમાં જંગી વધારો થતો હોય છે. પરંતુ, સુરતના 2019ના મતદાનના આંકડા અજીબોગરીબ સ્થિતિ બયાં કરી રહ્યા છે.

કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે સુરતના ચૂંટણી તંત્રના આ આંકડા ગળે ઉતરે તેવા નથી. તો કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે વોટર્સ નિરસ રહ્યા છે. ગરમીના કારણે મતદાનમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં એ વધારાના એક કલાકમાં મતદાનમાં જેટલું બુસ્ટઅપ થવું જોઇતું હતું તેવું આંકડા પરથી જાણી શકાયું નથી.

નીચે મુજબના કોષ્ટક પરથી સવારે 7થી દર પ્રતિ બે કલાકે થયેલા મતદાનના આંકડા તેમજ ટકાવારી જાણી શકાય છે અને એ ટકાવારી છેલ્લા એક કલાક 5થી 6ના ગાળામાં કેટલી ઘટી ગઇ એ પણ પ્રથમદર્શી નજરે જોઇ શકાય છે.

ક્રમ સમય કુલ મતદાન  મતદાનની ટકાવારી
પુરુષ સ્ત્રી અન્ય કુલ પુરુષ સ્ત્રી અન્ય ટકાવારી
1 ૭.૦૦ થી ૯.૦૦ ૧૦૨૭૭૬ ૬૪૦૩૯ ૧૬૬૮૧૭ ૧૧.૫૩ ૮.૩૮ ૩.૩૯ ૧૦.૦૮
2 ૭.૦૦ થી ૧૧.૦૦ ૨૨૩૭૧૫ ૧૫૧૦૦૭ ૩૭૪૭૨૪ ૨૫.૧ ૧૯.૭૬ ૩.૩૯ ૨૨.૬૩
3 ૭.૦૦ થી ૧.૦૦ ૩૪૩૪૨૨ ૨૫૯૩૭૬ ૬૦૨૮૦૩ ૩૮.૫૩ ૩૩.૯૪ ૮.૪૭ ૩૬.૪૧
4 ૭.૦૦ થી ૩.૦૦ ૪૬૯૮૦૪ ૩૫૪૩૮૨ ૮૨૪૧૯૩ ૫૨.૭૧ ૪૬.૩૭ ૧૧.૮૬ ૪૯.૭૮
5 ૭.૦૦ થી ૫.૦૦ ૫૫૯૩૬૬ ૪૩૯૮૯૪ ૯૯૯૨૬૮ ૬૨.૭૬ ૫૭.૫૬ ૧૩.૫૬ ૬૦.૩૫
6 ૭.૦૦ થી ૬.૦૦ ૫૬૪૪૮૮ ૪૯૪૯૨૧ ૧૧ ૧૦૫૯૪૨૦ ૬૩.૩૩ ૬૪.૭૫ ૧૮.૬૪ ૬૩.૯૯

(ઉપરોક્ત કોષ્ટક-માહિતી, સુરતના માહિતી ખાતા દ્વારા સત્તાવાર રીતે અપાયેલી માહિતી છે)

ઉપરોક્ત કોષ્ટક જોયા પછી સ્વાભાવિક સવાલ એ ઉપસ્થિત થાય કે સુરતના મતદાન મથકો પર છેલ્લા એક કલાકમાં એવું તે શું બન્યું કે આખા દિવસ દરમિયાન જે ગતિએ મતદારો નોંધાયા તે છેલ્લા એક કલાકના મતદાનમાં વધવાની જગ્યાએ લગભગ અડધા થઇ ગયા.

વિસ્તૃત એનાલિસીસ જોઇએ તો સુરત સંસદીય મત વિસ્તારમાં પ્રતિ બે કલાકના સ્પેલમાં કેટલા મતદારો વધ્યા એ નીચેના આંકડા દર્શાવે છે.

મતદારોની પ્રતિ બે કલાકમાં વધ ઘટ

સવારે 7થી 9                  1,66,817

સવારે 9થી 11                2,07,907

સવારે 11થી બપોરે 1      2,28,079

બપોરે 1થી બપોરે 3       2,21,390

બપોરે 3થી સાંજે 5         1,75,075

સાંજે 5થી 6                      60,052  (એક કલાકના ડબલ ગણીએ તો પણ 1.20 લાખ મતદારો થાય)

આમ, સુરતમાં છેલ્લા એક કલાકના આંકડામાં અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે. છેલ્લા કલાકમાં કોઇપણ ચૂંટણીમાં કોઇપણ સ્થળે મતદાનમાં વધારો નોંધાતો હોય તેની સામે સુરત સંસદીય મત વિસ્તારમાં 2019ની ચૂંટણીમાં છેલ્લા કલાકના મતદાનમાં અસામાન્ય ઘટાડો નોંધાયો છે.

April 22, 2019
Crdarshna.jpg
1min10090

જયેશ બ્રહ્મભટ્ટ

તા.23મીએ લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે અને વિના વિધ્ને સંપન્ન થાય એ માટે આજે તા.22મી એપ્રિલથી જ પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફને તૈનાત કરી દેવામાં આવી રહ્યો છે. સુરત ટેરેટરીની વાત કરીએ તો સુરત, નવસારી અને બારડોલી સંસદીય મત વિસ્તાર પૈકી સુરત અને નવસારીમાં ભાજપનો વિજયન નિશ્ચિત મનાય છે જ્યારે બારડોલીમાં ભાજપીઓની યાદવાસ્થળી કદાચ ફરીથી ડો. તુષાર ચૌધરીને લાઇમલાઇટમાં લઇ આવશે.

ભાજપાના વિજયની વાત કરીએ તો સુરત અને નવસારી બન્ને સીટો ભાજપા માટે સેફ ગણાય છે. સુરત નવસારી બેઠકો પર ભાજપાનો વિજય નિશ્ચિત હોવા છતાં બન્ને બેઠકોની વિક્ટરીમાં ફેર છે.

(શું ફરીથી આ તસ્વીર શક્ય બનશે…)

સુરત બેઠક પર સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા દર્શના જરદોષ પક્ષબળે ચૂંટણી જીતશે જ્યારે નવસારી બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા સી.આર. પાટીલ આપબળે ચૂંટણી જીતશે.

સુરત મહાનગરનું ભાજપાનું નેટવર્ક રાજ્યના સૌથી સુવ્યવસ્થિત નેટવર્ક તરીકે માનવામાં આવે છે. સુરત ભાજપાની સંગઠનાત્મક કામગીરી, વનબુથ ટેન યુથ, માઇક્રો પ્લાનિંગ, બૂથ લેવલનું પ્લાનિંગ, પેજ પ્રમુખોનું વ્યવસ્થા તંત્ર સુરત ભાજપા મહાનગરનું એટલું વખાણાય છે કે ભાજપ અહીનું મોડેલ સમગ્ર રાજ્યમાં લાગૂ પાડે છે. દર્શના જરદોષને સુરત ભાજપાના આ નેટવર્કનો સીધો લાભ મળી રહ્યો છે.

બબ્બે ટર્મથી સુરત જેવા ચૌતરફા પ્રગતિ કરી રહેલા સ્માર્ટ સિટીના સાંસદ ચૂંટાયા હોવા છતાં દર્શના જરદોષ જમીની નેતા બની શક્યા નથી. પાર્ટી ટિકીટ આપે છે એટલે કાર્યકર્તાઓ તેમની સાથે દેખાય છે. ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ તેમનું કામ એટલે કરે છે કે પાર્ટી તેમના પર વોચ રાખે છે. અન્યથા દર્શના જરદોષ માટે સ્વયંભુ કામ કરવાની ઇચ્છા બહું ઓછામાં જણાય આવે છે.

આવી પ્રચાર રેલી સી.આર. પાટીલ સિવાય કોઇ ઉમેદવાર કાઢી શકે એમ નથી

બીજી તરફ નવસારીમાં ભાજપનો વિજય સી.આર. પાટીલના સ્વબળે થઇ રહ્યો છે. નવસારીમાં ભાજપાનું નેટવર્ક સુરત ભાજપા જેવું નથી. આમ છતાં છેલ્લી બે ટર્મથી સી.આર. પાટીલ જીતતા આવ્યા છે અને તેમણે 10 વર્ષોમાં સતત પોતાના વિસ્તારમાં રહીને પોતાનું નેટવર્ક એવું જડબેસલાક બનાવી દીધું છે કે તેના પર જ તેઓ વિજયી નિવડી રહ્યા છે. સી.આર. પાટીલ માટે કોઇ ગમે તેટલો દુષ્પ્રચાર કરતું હોય પરંતુ એવો આરોપ તેમની સામે ક્યારેય નથી મૂકાયો કે તેઓ પોતાના વિસ્તારમાં ગયા નથી કે પોતાના વિસ્તારનો વિકાસ કર્યો નથી. પોતાના વિસ્તારમાં સી.આર. પાટીલ સતત રહ્યા અને ત્યાં ના લોકો પણ સી.આર. પાટીલને જાણે છે એટલે જ  તેઓ પ્રચંડ લીડથી આપબળે વિજયી નિવડી રહ્યા છે. આમેય સુરત ભાજપામાં સી.આર. પાટીલને પહેલેથી જ જમીની નેતા રહ્યા છે, પાવરમાં ન હોવા છતાં તેમની સાથે કાર્યકરોની ફૌજ સતત ઉભી રહેતી, હવે તો સાંસદ છે એટલે આખી સેના તેમની પડખે સતત ઉભી રહે છે.

ડો. તુષાર ચૌધરી માટે ભાજપીઓએ જ દિલ્હીનો રસ્તો તૈયાર કર્યો

સુરત ટેરેટરીની ત્રીજા બેઠક બારડોલી સંસદીય મત વિસ્તાર. બારડોલી બેઠક જે 2014માં ભાજપાએ કોંગ્રેસના ડો.તુષાર ચૌધરી પાસેથી આંચકી લીધી હતી. પરંતુ, આ વખતે ડો. તુષાર ચૌધરી ફરીથી આ બેઠક અંકે કરવા માટે જોરદાર કમબેક કરી રહ્યા છે તેમના આ કમબેકમાં સુરત જિલ્લા ભાજપના યાદવાસ્થળીમાં રાચતાં અને નેતા બનીને ફરતા ભાજપીઓ જ આડકતરી પણ મહત્વની હેલ્પ કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ બેંક, સુમુલડેરી અને સુગર ફેક્ટરીઓ જેવી સહકારી સંસ્થાઓના કેટલાક નેતાઓએ જે ખેલ ખેલીને ખેડૂતો અને સામાન્ય લોકોને હાલાકીમાં મૂક્યા એ હવે એન્ટી વોટિંગ સ્વરૂપે ભાજપીઓને પરત મળે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

બારડોલી સંસદીય મત વિસ્તારમાં જો ભાજપાની હાર થશે તો હારના થોડા જ દિવસોમાં ભાજપાના બની બેઠેલા નેતાઓ અને સંગઠનના પદો પરથી પોતાની ખીચડી પકાવી રહેલા નેતાઓ પર શિક્ષાત્મક કોકડાં વિંઝાશે એવી ચીમકી જિલ્લા ભાજપાના નેતાઓને મળી ચૂકી છે.