CIA ALERT

Slider Archives - Page 417 of 491 - CIA Live

December 10, 2018
kedarnath.jpg
1min6340

ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાનની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. તો બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂર અને સારા અલી ખાનની કેદારનાથે રવિવારે એટલે કે ત્રીજા દિવસે પણ 10.75 કરોડ રૂપિયાની કમાણી કરી. પહેલા વીક એન્ડમાં ફિલ્મ કુલ 27.75 કરોડ રળી ચૂકી છે.

ફિલ્મ કેદારનાથે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર થી 7.25 કરોડ રૂપિયા ઉસેટ્યા હતા. તો બીજા દિવસે આ આંકડો વધીને 9.75 કરોડ થયો. રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મે 10.75 કરોડની કમાણી કરી. આ સાથે જ ફિલ્મ પોતાના પહેલા વીક એન્ડમાં 27.75 કરોડની કમાણી કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાનની એક્ટિંગ વખણાઈ છે. પોતાની ડેબ્યુ ફિલ્મમા જ સારાએ ક્ષમતાની નોંધ લેવડાવી છે.

કેદારનાથ 2013માં કેદારનાથમાં આવેલી પૂરની ઘટના પર આધારિત છે. આ પૂરમાં એક હજાર કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રોની સ્ક્રૂવાલાની RSVP અને અભિષેક કપૂરની ગાય ઈન ધી સ્કાય પિક્ચર્સ દ્વારા નિર્મિત કેદારનાથ અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે.

December 10, 2018
hukka.jpg
1min14370
  • મુંબઈ હાઈ કોર્ટમાં તા.26મી નવેમ્બર 2018ના રોજ આવો સવાલ કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી
  • ૧૭ ડિસેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ કરાયો છે

મહારાષ્ટ્રમાં નવા જે કાયદા કાનૂન લાગુ થાય છે ગુજરાતમાં એ થોડા વખતમાં લાગૂ પડી જાય છે. જેમકે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર બેન મૂકાયા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરાયો હતો. એવા અનેક નિયમો, કાયદાઓ બન્યા છે જેનો ટ્રેન્ડ મહારાષ્ટ્રે સેટ કર્યો છે. હવે હુક્કા બારની બાબતમાં પણ આવું બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકાયો છે જેની સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે જેમાં સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે હુક્કા બાર પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં તો હુક્કાબારમાં સિગારેટ કે બીડી કરતા પણ ઓછું નિકોટિન હોય છે, મોટા મોલ્સ, એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ધુમ્રપાન માટે સ્પેશયલ એરિયા હોય છે ત્યારે હુક્કા બાર પણ સ્પેશિયલ જગ્યા હોવા છતાં તેને કેમ ગેરકાચદે ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ રીટના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકારને તા.17મી ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી તો પછી હુક્કા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવો સવાલ પુણેની કાર્નિવલ રેસ્ટોરન્ટના દિનેશ ગાયકવાડે ગઇ તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પૂછ્યો છે. આ પિટિશનમાં રાજ્યમાં હુક્કા પાર્લર પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. આ પિટિશનની અંતિમ સુનાવણી કરવામાં આવી ત્યારે સરકારને પોતાનો જવાબ નોંધાવવાનો આદેશ આપીને સુનાવણી ૧૭ ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી.

પિટિશનરે એવો દાવો કર્યો છે કે હુક્કામાં બીડી અને સિગારેટની સરખામણીમાં ઓછા નિકોટિનનું સેવન થાય છે. આમ છતાં બીડી અને સિગારેટના વેચાણને પરવાનગી છે અને થિયેટર્સ, મૉલ, કૉર્પોરેટ ઑફિસ, ઍરપોર્ટ વગેરે સ્થળે ખાસ સ્મોકિંગ ઝોન બનાવીને આપવામાં આવે છે ત્યારે હુક્કા વિક્રેતા સાથે જ કેમ અન્યાય કરવામાં આવે છે?

December 10, 2018
taj.jpg
1min6750

વિશ્વની અજાયબીઓમાંથી એક તાજમહેલમાં ભીડને કાબૂમાં કરવા માટે નવી વ્યવસ્થા લાગૂ પાડવામાં આવી છે. મુખ્ય મકબરા સુધી જવા માટે હવે પર્યટકોએ કુલ 250 રૂપિયા ચુકવવા પડશે. તાજ મહેલની મુલાકાતે આવા પર્યટકોની સંખ્યા સતત વધી કહી છે. વીકેંડમાં 50 હજારથી વધુ સહેલાણીઓ તાજની મુલાકાતે પહોંચે છે. એવામાં મુખ્ય મકબરા પર ભીડ વધ્યા બાદ શાહજહાં અને મુમતાઝની કબર જોવા વાળાઓની ભીડ વધી જાય છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મુખ્ય મકબરા પર ભીડને ઓછી કરવા માટે ટિકિટના જક વધારવાનું સૂચન આપ્યું હતું જેને સરકારે મંજૂરી આપી છે.

જૂના દર મુજબની 50 રૂપિયાની ટિકિટ લેનાર પર્યટકોને રેડ પ્લેટફોર્મ(ચમેલી ફર્શ) સુધી જવાની અનુમતિ મળશે. આ પર્યટકો મુખ્ય મકબરા સિવાય તાજમહેલના દીદાર કરી શકશે.

  • સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયા
  • વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા
  • સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયા

તાજમહેલના પૂર્વીય અને પશ્ચિમી ગેટ પર બનેલી ટિકિટ વિંડો પરથી પર્યટકો ટિકિટ લઈ શકશે. અહીં સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયાની ટિકિટ આપવામાં આવશે જ્યારે વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયાની ટિકિટ રહેશે. મુલાકાતીઓ પોતાની સુવિધા અનુસાર ટિકિટની પસંદગી કરી શકશે.

પ્રવાસન વિભાગે ઑગસ્ટમાં પણ તાજની ટિકિટમાં વધારો કર્યો હતો. સ્થાનિક અને સાર્ક દેશોના પર્યટકો માટે ટિકિટમાં 10 રૂપિયા અને વિદેશી પર્યટકો માટે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા એપ્રિલ 2016માં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો.

200 રૂપિયાની વધારાની ટિકિટ લઈને મુલાકાતીઓ તાજના મુખ્ય મકબરાના મુગલકાળના નકશીકામનો આકર્ષક નજારો જોઈ શકશે. સંગેમરમર પર કરવામાં આવેલું આ નકશીકામ પર્યટકોમાં આકર્ષણનું કેંદ્ર છે. મુમતાજની કબર પાસે પણ પથ્થરો પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. જે ખુબ જ મનમોહક છે.

 

December 10, 2018
senior_citizen.jpg
1min6310

(Symbolic photo senior citizen )

કેટલીક બેંકો સિનિયર સિટીઝન્સને બેંક ડિપોઝીટસ પર મળતા વ્યાજની આવકમાંથી ખોટી રીતે ઇન્કમટેક્સ કાપી લેતી હોવાની બાબત ધ્યાન પર આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ ગઇ તા.6 ડિસેમ્બર 2018ના રોજ એક ખાસ નોટિફિકેશન જારી કરીને દરેક બેંકો, ફાઇનાન્સિયલ સંસ્થાઓ જોગ સ્પષ્ટતા કરી છે કે સિનિયર સિટીઝન્સને વિવિધ પ્રકારની થાપણો, ડિપોઝીટ્સ પર થતી વ્યાજની કુલ રૂ.50,000 સુધીની આવક પર કોઇ પણ પ્રકારનો ટેક્સ કાપવાનો નથી. (CBDT)એ એ પણ સ્પષ્ટતા કરી છે કે ઇન્કમ ટેક્સ એક્ટ ની કલમ 194-એ અન્વયે પણ રૂ.50,000 સુધીની વ્યાજની આવક ધરાવનાર સિનિયર સિટીઝન્સની આવક પર કોઇ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કાપવાનો નથી.

થાપણો પર રૂ.50,000થી વધુ વાર્ષિક આવક ધરાવત સિનિયર સિટીઝનની વ્યાજની આવક પર જ ટેક્સની ગણતરી કરીને તેને કાપવાનો રહેશે. રૂ.50 હજાર સુધીના વાર્ષિક વ્યાજ પર કોઇપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કાપવાનો રહેતો નથી.

(CBDT)ની આ પ્રકારી સ્પષ્ટતા પછી દેશભરના લાખો નહીં કરોડો સિનિયર સિટીઝન્સને રાહતની લાગણી થઇ છે. મોટા ભાગના સિનિયર સિટીઝન્સ કે જેઓ સેવા નિવૃત જીવન વિતાવે છે, તેમની પાસે આવકનો એકમાત્ર સ્ત્રોત બેંકની ફિક્સ ડિપોઝીટ કે અન્ય થાપણો સ્વરૂપે હોય છે અને તેના વ્યાજમાંથી મળતી રકમમાંથી તેમનો નિર્વાહ થતો હોય છે. આવા સંજોગોમાં (CBDT)ની સ્પષ્ટતાથી સિનિયર સિટીઝન્સને રાહતની લાગણી ફેલાય છે.

The Central Board of Direct Taxes (CBDT) has learnt of instances where banks wrongly deducted tax at source (TDS) on interest income earned by senior citizens. In a notification issued on December 6, it has clarified that no TDS has to be deducted under section 194-A of the Income Tax (I-T) Act in the hands of senior citizens, unless their interest income in the aggregate exceeds Rs 50,000 in a year.

Section 80-TTB was introduced with effect from April 1, 2018. Any individual, aged 60 and above, can claim a deduction of up to Rs 50,000 from his/her interest income.

Thus, if the interest income is collectively less than this sum, TDS requirements do not come into play

 

December 10, 2018
upendra-kushwaha.jpg
1min7610
તા.11મી ડિસેમ્બરના રોજ મંગળવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે એના એક દિવસ પહેલા આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ એનડીએની બેઠક યોજાવાની છે, આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહેવા અંગે ટ્વીટ કરનાર કેન્દ્રીય મંત્રી અને બિહારના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. તા.10મી ડિસેમ્બરના રોજ બપોરે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છ. ચર્ચા થઈ રહી છે કે ઉપેન્દ્ર કુશવાહા વિપક્ષોના મહાગઠબંધન સાથે જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસના સરાસરી મળતી હોય તેવું લાગી રહ્યું છે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)નાં અધ્યક્ષ છે ઉપેન્દ્ર કુશવાહા
December 10, 2018
india_wins.jpg
1min4790

એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ ટેસ્ટ જીતવાની સાથે ભારતે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે 2008માં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતી હતી. તો એડિલેડ ઓવલમાં ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે.

ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે સંકટમોચન બનીને ભારતીય ટીમના ઐતિહાસિક વિજયમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યુ હતું. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બુમરાહ, શમી અને અશ્વિને 3-3 વિકેટ ખેરવી હતી. આ ટીમ ઈન્ડિયાનો 11મો વિજય છે જ્યારે એડિલેડ મેદાનમાં 15 વર્ષ બાદ વિજય મેળવ્યો છે.

December 10, 2018
sensex.jpg
1min9730

આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું

તા. 11મી ડિસેમ્બર 2018 ને મંગળવારે ભારતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે, પણ તે પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપાને મોટું નુકસાન વેઠવું પડે તેવી આગાહીઓ થતાં ચાલુ અઠવાડિયાના પ્રથમ દિવસે બજારમાં હાહાકાર મચ્યો છે. આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કેચૂંટણીના પરિણામ પહેલા શુક્રવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા ત્યારથી જ ભાજપ માટે સ્થિતિ ચિંતા જનક દેખાઈ રહી છે.

બેન્ક સેક્ટરના શૅરના ભાવ પણ સતત ઘટી રહ્યાં છે. જે શૅરના ભાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેમાંના વિપ્રો, એક્સિસ બેન્ક, ઈંડસ્લેન્ડ બેન્ક, પાવર ગ્રિડ, ONGC, HDFC Bank, ITC, L&T, ટાટા સ્ટીલ, NTPC, SBIN, હીરો મોટોકોર્પ વગેરે છે.

ગત સપ્તાહે એટલે કે શુક્રવારે ફાઈનેન્શિયલ અને બેઁક શૅરમાં ખરીદદારો વધવાને કારણે સેન્સેક્સ 361 અંક વધીને 35,673ના સ્તરે બંધ થયો હતો. ત્યાં જ નિફ્ટી પણ 92 અંકની તેજી સાથે 10693 અંકે બંધ થયો. આ પહેલા ગુરુવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 562 અંક ગબડીને 35,312ના સ્તરે બંધ થયો. ત્યાં જ નિફ્ટી 181 અંકથી સીધું 10601ના સ્તરે પહોંચ્યું હતો.

બુધવારે પણ સેન્સેક્સ લગભગ 250 જેટલું તૂટીને 35, 884 પર બંધ થયો. જ્યારે નિફ્ટી ગબડીને 10784 પર હતો. ભારતીય શૅર બજાર માટે મંગળવારનો દિવસ પણ સારું નહોતો. જેમ કે સેન્સેક્સ 107 અંક ગબડીને 36,134 પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ ગબડીને 10869 પર આવ્યો. ત્યાં જ સોમવારે છઠ્ઠા વેપારી સત્રમાં તેજીનો સિલસિલો ચાલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 47 અંકના સામાન્ય ઉછાળા સાથે 36,241ના અંકે બંધ થયો જ્યારે નેશનલ સ્ટેક એક્સચેંજના નિફ્ટીમાં 7 અંકના વધારા સાથે 10,883.75ને અંકે બંધ થયો.

ડૉલરની સામે રૂપિયાની શરૂઆત જ ઘટાડાથી થઈ. રૂપિયો 54 પૈસા તૂટીને 71.34ના સ્તરે ખૂલ્યો ત્યાં જ ગત વેપારી સત્રમાં રૂપિયો 10 પૈસાના વધારાની સાથે 70.80ના સ્તરે બંધ થયો.

December 10, 2018
guj.jpg
1min5110

ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે ગુજરાતમાં ચાલુ વર્ષે જળસંકટ ઘેરું બન્યું છે. આ વર્ષે પડેલા સાધારણ વરસાદને લીધે પાણીની સમસ્યા સર્જાતા રવીપાકની વાવણીમાં પણ ઘટાડો નોંધાયો છે.

રાજ્યના ૨૦૪ જળાશયમાંથી ૮૩ જળાશયોમાં ૧૦ ટકાથી પણ ઓછી પાણીની સપાટી છે. તો કચ્છના જળાશયોમાં માત્ર ૧૧.૪૨ ટકા પાણી બચ્યું છે. હજુ તો શિયાળાની શરૂઆત જ થઈ છે ત્યારે રાજ્યના ૩૪ જળાશયો અત્યારથી તળિયાઝાટક થઈ ગયા છે. ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદના કારણે મોટાભાગના જળાશયો પૂરતા ભરાયા નહેતા. ઉનાળા પહેલા જ ૩૫ ડેમો તો તળિયા ઝાટક થઈ ગયા છે. શિયાળામાં પાણીની સ્થિતિ સર્જાતા ઉનાળો વધુ આકરો બનશે. સરદાર સરોવરમાં માત્ર ૬૨ ટકા જળસ્તર નોંધાયું છે. રાજ્યના ૧૪ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણી છે. જ્યારે કે ૧૩ જળાશયોમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો જથ્થો બાકી છે. આ સિવાય ૧૦ જળાશયોમાં ૭૦થી ૮૦ ટકા પાણી છે. તો ૧૬૬ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછું પાણી રહ્યુ છે. હજુ તો માત્ર શિયાળાની શરૂઆત થઈ છે, ત્યારે જ જળાશયોમાં ૫૦ ટકા જેટલું પાણી બાકી રહેતાં ગુજરાતમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે.

December 10, 2018
kannor.jpg
1min8720

તા.9મી ડિસેમ્બર 2018ને રવિવારે ક્ધનુર ઍરપોર્ટનું ઉદ્ઘાટન થતાં કેરળ ચાર આંતરરાષ્ટ્રીય વિમાનીમથકો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુલકી ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુ અને મુખ્ય પ્રધાન પિનારયી વિજયને સવારે મત્તાન્નુર શહેર નજીકના ઍરપોર્ટ પર સંયુક્ત રીતે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી હતી અને એ સાથે વિમાનીમથક સત્તાવાર રીતે કાર્યરત્ થયું હતું. અબુ ધાબી ગયેલી આ ફ્લાઇટમાં ૧૮૬ મુસાફરો હતા.

રાજ્યના બીજા ત્રણ વિમાનીમથકો થિરુવનન્થપુરમ, કોચી અને કોઝિકોડે ખાતે છે. ક્ધનુરનું ઍરપોર્ટ મલબાર અને ક્ધનુરની સાંસ્કૃતિક પરંપરા ઉપરાંત પાડોશી રાજ્ય કર્ણાટકના કોદાગુની પરંપરાને પણ રજૂ કરે છે. ખાસ કરીને મલબાર અને કથકલી, થેય્યમ, યક્ષગણ સહિતના વિવિધ ભારતીય નૃત્યો દર્શાવતા ભીંત પરના રંગચિત્રો આ ઍરપોર્ટની ખાસિયતો છે.

સુરેશ પ્રભુએ ઉદ્ઘાટન પ્રસંગે પ્રવચનમાં કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટની શરૂઆતથી રાજ્યના અને ખાસ કરીને ઉત્તર પ્રાન્તના એકંદર વિકાસ તથા સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા સમાન કહી શકાય.’

આ ઍરપોર્ટ અખાતના દેશોના બિન-રહીશ કેરલાઇટ્સ (એનઆરકે)ને મદદરૂપ થવા ઉપરાંત પર્યટન ઉદ્યોગને તેમ જ નિકાસને વેગ આપશે અને એને પગલે અનેક રોજગારો ઊભા થશે.

મુખ્ય પ્રધાન પી. વિજયને સુરેશ પ્રભુની પ્રશંસા કરી હતી તેમ જ ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટ બની રહ્યું હતું એ સમયે હું મોદીજીને મળ્યો ત્યારે તેમનો પણ પ્રતિસાદ ખૂબ સકારાત્મક હતો.’

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમેન ચન્ડીને આ ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ ન અપાતાં કૉન્ગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય જનતા પક્ષે પણ બહિષ્કાર કર્યો હતો.

December 8, 2018
surat.jpg
1min14900

Jayesh Brahmbhatt.

તાજેતરમાં સુરત સમેત ભારતના 17 શહેરોને 2035 સુધીમાં વિશ્વના સૌથી ઝડપી ગતિએ પ્રગતિ પામતા શહેરોની યાદીમાં મૂકવામાં આવ્યા હોવાના સમાચારો ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઇક પ્રોફેસરના મોઢેથી પ્રસરાવવામા આવ્યા. સુરત સમેત જે 17 શહેરોનો ઉલ્લેખ કરાયો છે ત્યાં ઓક્સફર્ડના એ અધ્યાપક કે તેમના સાથીઓએ કોઇપણ પ્રકારનો ફિઝિકલ રિપોર્ટ, રેન્ડમ સર્વે, સેમ્પલ સરવે પણ કર્યો નથી. ફક્ત બેઠા બેઠા, આમથી તેમથી મળતા સમાચારોને આધાર બનાવાયા ઉપરાંત કેટલાક ચોક્કસ લક્ષ્યાંકો પાર પાડવા માટે રિપોર્ટને સ્પ્રેડ કરવામા આવ્યા હોવાનું પ્રથમદર્શી નજરે જ જણાય આવે છે. સુરત કે ભારતના 17 શહેરો જો વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હશે કે બનશે તો શું વિશ્વના વિકસિત દેશોના બાદ કરતા બાકીના દેશોના શહેરો કશું કરતા જ નહીં હોય? કોઇ તર્ક કે ટ્રેક રેકોર્ડને આધાર બનાવાયા વગર બે-પાંચ લિટીના સ્ટેટમેન્ટથી સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બની જશે?

  • ભવિષ્યમાં તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, બજાજ, ગોદરેજ જેવી કંપનીઓ હીરા ઉદ્યોગમાં ઝંપલાવે અને કટ એન્ડ પોલીશના યુનિટ્સ શરૂ કરે એવા સમાચારો મળે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.
  • ભવિષ્યમાં સુરત કે આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નહીં પણ મલ્ટી સ્ટેટ કે મલ્ટી નેશનલ કંપનીઓ 100 ટકા વ્હાઇટ અમાઉન્ટ સાથે ફ્લેટ્સ, મકાન, દુકાન ઓફર કરતા હશે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.
  • ભવિષ્યમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફેબ્રિક નહીં પણ ફેબ્રિક તૈયાર થયા પછી અહીં જ રેડીમેડ ગારમેન્ટનો ઉદ્યોગ ખીલતા જુઓ ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

સુરતની વાત કરીએ તો સુરતના ગુણગાન ગાતા રિપોર્ટસ ઇન્ટરનેશનલ લેવલ પરથી કેમ શરૂ કરવામાં આવ્યા, આ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યાપકે શરૂઆત કરી છે, હજુ ભવિષ્યમાં વિશ્વની અનેક સંસ્થાઓ કહેશે, સંભવ છે કે વર્લ્ડ બેંકના કોઇ અધિકારી કોઇ  બીચ પર રજાઓ માણતા સુરતના વિકાસ વિશે ટ્વીટ કરશે, સંભવ છે કે અમેરિકાની કોઇ ફાઇનાન્સિયલ સંસ્થા સુરત વિશે ભવિષ્યમાં એવી આગાહી કરશે કે સુરતનો મૃતપ્રાય રિયાલિટી ઉદ્યોગ ફરીથી ધમધમતો થઇ જશે.

હકીકતમાં સુરતના ત્રણ મોટા ઉદ્યોગ કે જે હવે સ્થગિત મોડમાં આવી ગયા છે એને લિફ્ટ કરવા માટે જરૂરી તાકાત કોઇ વ્યક્તિગત વેપારી કે પારિવારીક પેઢી આપી શકે તેમ નથી. (1) સુરતમાં હીરા ઉદ્યોગ કે જે હાલ પારિવારીક પેઢીઓના હાથમાં છે, સિન્થેટિક ડાયમંડના વિશ્વાસઘાતી વેપાર પછી હવે આ ઉદ્યોગમાં વિશ્વસનીયતા ઉદ્યોગસમૂહો જ લાવી શકે તેમ છે. (2) ટેક્સટાઇલ ઉદ્યોગ ફક્ત ફેબ્રિક બનાવે છે, ફાઇબર ટુ ફેશન એટલે કે એન્ડ યુઝર્સ માટે સુરતનું ફેબ્રિક કામ આવતું નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેશન અવસ્થામાં આવે તો જ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવું જોમ ઉમેરાય તેમ છે. (3) સુરતના બાંધકામ ઉદ્યોગની માઠી અવસ્થા ત્યારે જ બદલાઇ શકે જ્યારે કોર્પોરેટ્સ સુરતમાં ઝંપલાવે. હકીકતમાં સુરતના જમીનોના ભાવ એટલી હદે ઉંચા થઇ ગયા છે કે હવે જમીનોના સોદા અટકી ગયા છે. સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ એટલા ઉંચા ભાવે મોટી મોટી જમીનો પકડી લીધી છે, એથી વિશેષ ઘણા બિલ્ડરોએ એટલા આડેધડ પ્રોજેક્ટસ તાણી બાંધ્યા છે કે ત્યાં આજે કોઇ લેવાલ નથી. સવા લાખથી વધુ ફ્લેટ્સ, દુકાનો ખાલી હોય એવી સ્થિતિમાં બાંધકામ ઉદ્યોગને બેઠો કરવા માટે હવે ઉધોગ સમૂહની આવશ્યકતા રહેલી છે.

અત્યાર સુધી કોર્પોરેટ્સનો ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે કે તેમને કોઇ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેઓ ક્યાં તો પોતાનો સરવે કરાવે છે અગર તો આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લોકો કે સંસ્થાઓએ કરેલા સરવેના આધારે એ દિશા તરફ મીંટ માંડે છે.

ઉંચા ભાવે જમીનો પકડીને બેઠેલા ઉદ્યોગપતિઓ ત્યારે જ બચશે જ્યારે કોર્પોરેટ સેક્ટર સુરતમાં ઝુકાવશે

સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ એટલા ઉંચા દરે જમીનો પકડી લીધી છે કે હવે કોઇ વ્યક્તિગત રીતે કે પારિવારિક પેઢી આટલા ઉંચા ભાવે સુરત કે આસપાસની જમીનો ખરીદી નહીં શકે. આવું ને આવું રહેશે તો વિશ્વ વિખ્યાત બનેલા સુરતના અનેક ઉદ્યોગપતિઓ અબજોપતિના સ્ટેટસ પરથી નીચે ઉતરીને કરોડપતિ પર ઉતરી આવશે. સુરતના રિયાલિટી ઉદ્યોગને વેગ ત્યારે જ મળશે જ્યારે જમીનો વેચાશે અને પ્રોજેક્ટસ શરૂ થશે. હવે ઉંચા ભાવની જમીનો ખરીદી શકે તેવું કોઇ હોય તો એ કોર્પોરેટ સેક્ટરની કંપનીઓ જ છે. સુરતમાં હાલ જમીન મકાનનો ધંધો વ્યક્તિગત કે પારિવારીક અને અનઓર્ગેનાઇઝ્ડ મોડમાં ચાલી આવતો ઉદ્યોગ છે પણ હવે આ ઉદ્યોગને લિફ્ટ કરવો હોય તો મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, લખનૌની જેમ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓને જ આ ઉદ્યોગમાં નાંખવી પડે અને તેમને જ ઉંચા ભાવની જમીનો પરવડે અગર તો  આ કંપનીઓ જ તોતિંગ ફાઇનાન્સ કરીને પ્રોજેક્ટ કરી શકે. ભવિષ્યમાં સુરત કે આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નહીં પણ મલ્ટી સ્ટેટ કે મલ્ટી નેશનલ કંપનીઓ 100 ટકા વ્હાઇટ અમાઉન્ટ સાથે ફ્લેટ્સ, મકાન, દુકાન ઓફર કરતા હશે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

સિન્થેટિક ડાયમંડ માટે બદનામ થયેલા સુરતના હીરા ઉદ્યોગમાં કોર્પોરેટ સેક્ટર પ્રવેશે તો જ શક્ય છે કે ચમક પાછી ફરે

આવી જ સ્થિતિ સુરતના હીરા ઉદ્યોગમાં પણ પ્રવર્તી રહી છે. સિન્થેટિક ડાયમંડના વેપારમાં પોતાનો ચળકાટ ગુમાવી દેનારા ઉદ્યોગપતિઓના પાપે હવે સુરતના હીરા ઉદ્યોગ પર વિશ્વાસ કરનારા ઓછા છે, સુરતના ભોગે અમદાવાદના કારખાનાઓને ભરપૂર કામ મળી રહ્યા છે. દિવાળી પહેલાથી સુરતના હીરા ઉદ્યોગમાં કારીગરોને રજા આપી દેવી પડી હતી. આવી સ્થિતિમાં હવે સુરતના હીરા ઉદ્યોગમાં ત્યારે જ પ્રાણ ફૂંકાય કે જ્યારે કોર્પોરેટ સેક્ટર આ ઉદ્યોગમાં પ્રવેશે. થોડા મહિના અગાઉ જ્યારે રતન ટાટાએ સુરતના એકાદ-બે હીરાના કારખાનાઓની મુલાકાત લીધી ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે હવે તાતા જૂથ અને તેને પગલે દેશના ટોચના ઉધોગસમૂહો હીરા ઉદ્યોગમાં ઝંપલાવશે. બસ આવી ઘડીઓ ત્યારે જ વજૂદમાં પરીણમશે જ્યારે વિશ્વના ખ્યાતનામ લોકોના મોઢેથી સુરતના વિકાસના ગુણગાન ગવાય. ભવિષ્યમાં તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, બજાજ, ગોદરેજ જેવી કંપનીઓ હીરા ઉદ્યોગમાં ઝંપલાવે અને કટ એન્ડ પોલીશના યુનિટ્સ શરૂ કરે એવા સમાચારો મળે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

આંતર રાષ્ટ્રીય સ્તરેથી વખાણો થશે તો જ ભારતના કોર્પોરેટ્સ સુરત ભણી આકર્ષાય 

સુરતના વિકાસના ગુણગાન આંતર રાષ્ટ્રીય સ્તરેથી થાય તો જ સુરતના રિયલ એસ્ટેટમાં ઉંચા ભાવે જમીનો પકડીને બેઠેલા લોકોની જમીનો કે પ્રોજેક્ટસનું ગાડું આગળ ચાલે તેમ છે. એવી જ રીતે હીરા ઉદ્યોગની ચમક કે વિશ્વસનિયતા આંતર રાષ્ટ્રીય સ્તરે પરત ત્યારે જ ફરી શકે કે જ્યારે ભારતના ખ્યાતનામ કોર્પોરેટ્સ ઉદ્યોગ સમૂહો સુરતમાં ઝૂકાવે. કોર્પોરેટ્સને સુરત ભણી આકર્ષવા માટે એક ચોક્કસ કાર્ટેલ રચવામાં આવી છે. આ કાર્ટેલમાં ઘણાં સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાના વિદેશી સંપર્કો મારફતે ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝના મોઢે સુરતના ગુણગાન ગાતા સ્ટેટ્સમેન્ટસ કરાવશે અને ભવિષ્યમાં પણ આપણને એવા ન્યુઝ મળતા રહેશે કે સુરતમાં આમ, સુરતમાં તેમ, સુરતમાં ફલાણું. હકીકતમાં આ બધું ફીલ ગુડ સિવાય કશું નહીં હોય.

સુરતની પોતીકી બાય પ્રોડેક્ટ શું

સુરત પ્રોગ્રેસ ફક્ત વસતિની દ્રષ્ટિએ કરી રહ્યું છે. વસતિને કારણે દરેક ચીજવસ્તુઓની માગ અને સપ્લાય વધ્યા છે. આ બેઝિક પેરામિટર્સ છે. વસતિ વધારો છે એટલે રેલવે ટ્રેનની ફ્રિક્વન્સી તો વધે જ, વસતિ વધારો છે એટલે ફ્લાઇટ્સની આવશ્યકતા તો વધે જ, જીવનજરૂરી ચીજવસ્તુઓથી લઇને બધી જ જરૂરીયાતોના કાઉન્ટર્સ વધતાં સુરતનનો ઇકોનોમિક ગ્રોથ દેખાય રહ્યો છે.

જાણકારોએ સી.આઇ.એ.ને જણાવ્યું કે વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બનવા માટેની સફળ ઓછામાં ઓછી 3 દાયકાઓની હોઇ શકે. હજુ 2050 સુધી એવા કોઇ હાલ-હવાલ નથી જણાતા કે સુરત વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બને.

શું છે સુરતની નબળાઇઓ

  1. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ છે પણ ફક્ત ફાઇબર ટુ ફેબ્રિક સુધી અહીં ફેબ્રિક્સ બન્યા પછી એન્ડ યુઝર્સ સીધા તેનો ઉપયોગ કરી શકે એવો ફાઇબર ટુ ફેશન ઉદ્યોગ નથી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફાઇબર ટુ ફેશન એટલે કે રેડી ટુ વેયર વસ્ત્રો નહી હોવાથી ઉત્પાદનની સાયકલ અધૂરી રહી જાય છે.
  2. સુરતમાં હીરા ઉદ્યોગ છે પણ એ મહદ અંશે જોબ વર્ક અાધારિત છે. એટલે કે કાચા હીરાની આયાત ફક્ત તેના પર કટ અેન્ડ પોલિશની પ્રોસેસ કરવા માટે જ થાય છે. હીરા પર કટ એન્ડ પોલિશની પ્રોસેસ થયા પછી એ ફરી ભારત બહાર મોકલી આપવા પડે છે. સુરતની ઇકોનોમીમાં ટર્ન ઓવર ફક્ત કટ એન્ડ પોલિસની મજૂરી જેટલું જ છે.
  3. સુરતમાં કોઇ એવી પ્રોડક્ટ બનતી નથી કે જે મોનોપોલી આઇટમ હોય અને એવું કોઇ પોટેન્શિયલ નથી કે જેનાથી સુરતમાં બનતી ચીજ વસ્તુઓ ભારત કે વિશ્વના દેશોએ સુરતથી આયાત કરવી પડે.
  4. સુરતના હજીરા વિસ્તારમાં ભારતની દિગ્ગજ કંપનીઓના ફક્ત મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આવેલા છે. ભારતના આ કોર્પોરેટ્સની હેડ ઓફિસ કે મેઇન ઓફિસ સુરતમાં નથી. રિજિયોનલ કચેરીઓ પણ સુરતની જગ્યાએ અમદાવાદમાં છે, હેડ ઓફિસ કે કોર્પોરેટ ઓફિસ મુંબઇ કે દિલ્હીમાં હોઇ અહીં ઇન્ડસ્ટ્રીયલ ટુરીઝમ પણ બિલકુલ નહીંવત છે.
  5. આંતર રાષ્ટ્રીય સહેલાણીઓની સંખ્યા વધે એવા એકેય પ્રોજેક્ટસ સુરતમાં હજુ સુધી સાકાર કરી શકાયા નથી.
  6. સુરતની એક સાઇડની બોર્ડર પર દરિયા કિનારો હોવા છતાં હજુ સુધી તેને વિકસીત કરી શકાયો નથી. સહેલાણીઓની વાત તો દૂર રહી સુરતના લોકોએ પણ દરીયા કિનારાની મઝા માણવા માટે દક્ષિણ ગુજરાતના દમણ, દેવકા, તિથલ, દાંડી, બોરડી, ઉમરગામ જેવા અન્ય દરિયા કિનારાઓ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.
  7. વીકએન્ડ હોય કે તહેવારો હોય સુરતના લોકોએ ઉજાણી માટે રોડ સાઇડ સ્પોટસનો સહારો ન લેવો પડતો હોત.

આવા મુદ્દાઓ શોધવા કે વિચારવા બેસીએ તો મહાનિબંધ પણ લખાય જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઇ અધ્યાપકે કહી ત્યાં બેઠા બેઠા નિવેદન કરી દીધું અને આપણે તેને માનીને ફીલ ગુડ મોડમાં આવી ગયા. કોઇ તર્કસંગત વાત હોય તો ગળે ઉતરે, પણ ફક્ત 15-20 લિટીના આ ન્યુઝને પગલે સુરતમાં જાણે એવો વાયરો ફૂંકાયો કે રાતોરાત વિકાસની ઉથલ-પાથલ મચી જાય. ટૂંકમાં સુરત શહેરની અત્યાર સુધીની આર્થિક પ્રગતિ અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાંથી થતી આવી છે. અનઓર્ગેનાઇઝ્ડનો બહુલ અર્થ એ પણ થાય છે કે સુરતમાં અત્યારપર્યંત અને ઘણું ખરું આજના સંજોગોમાં પણ રોકડીયા આર્થિક વ્યવહારો જ થાય છે. અનઅોર્ગેનાઇઝ્ડ સેક્ટરને હવે ઓર્ગેનાઇઝ્ડ અવસ્થામાં લાવવું પડે અને એ માટે કોર્પોરેટસની જરૂરીયાત વર્તાય રહી છે.