હિન્દુ ધર્મના પુરાણોમાં પારદ શિવલિંગનો ઉલ્લેખ છે કે વૈજ્ઞાનિક રીતે મરક્યુરી એટલે કે પારાને હિલિંગ (ઉપચાર માટેનું શ્રેષ્ઠ માધ્યમ) માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.
અધ્યાત્મિક વિશ્વમાં પારદ્ શિવલીંગનું વિશેષ મહાત્ત્મય છે. પારદ્ શિવલીંગના સાનિધ્યમાં મેડીટેશન એટલે કે ધ્યાન ધરવાથી અનેક ગણા વધારે ફાયદાઓ મેળવી શકાયાના દાખલાઓ, પરચાઓ હાજરાહજૂર છે. રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણે પણ પારદ શિવલીંગની ઉપાસના થકી અખુટ સમ્પદા અને લંકાની સોના પ્રાપ્ત કરી હતી. પારદને ભગવાન શિવના રજ અંશ તરીકે ઓળખવામાં આવે છે. પારદ્ શિવલિંગના આધ્યાત્મને નવી ઉંચાઈ તરફ લઈ જશે.

આગામી દિવસોમાં ભારત જ નહીં બલ્કે વિદેશોથી પણ લોકો શાંતિ મેળવવા વલસાડના રોલા ખાતે પધારશે કેમકે વલસાડ ખાતે વિશ્વનું સૌથી મોટું પારદ્ શિવલિંગની રચના કરવાનું મહાકાર્ય શરૂ થઇ ચૂક્યું છે.
યજ્ઞમૂર્તિ દાદાશ્રી અને ધ્યાન મૂર્તિ પૂજ્ય ગુરુશ્રી દ્વારા સૌથી મોટા પારદ્ શિવલિંગની રચના કરવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. ત્રણ મહિનાના ભગીરથ પુરુષાર્થ બાદ આ પારદ્ મહાલિંગમની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પારદ્ મહાલિંગમના નિર્માણમાં 3,333 કિલો પારો (મરક્યુરી)નો ઉપયોગ કરવામાં આવશે. આ આખાય કાર્યને દાદાશ્રી ફાઉન્ડેશનનો સહકાર સાંપડી રહ્યો છે.
ધ્યાનમૂર્તિ ગુરુશ્રીના કહેવા પ્રમાણે હાલ વિશ્વમાં સમસ્યાઓ વધી રહી છે. લોકો સ્ટ્રેસ ફીલ કરી રહ્યા છે, સાથે જ કેન્સર જેવા અસાધ્ય રોગો પણ વધી રહ્યા છે. આવા સમયમાં જો પારદના શિવલિંગ સામે ધ્યાન કરવામાં આવે તો માનસિક અને શારીરીક રીતે અનેકગણો ફાયદો થાય છે. એટલે જ અમે શિવલિંગનું મંદિર નહીં પરંતુ ધ્યાન કેન્દ્ર બનાવી રહ્યા છીએ.
તો દાદાશ્રીનું કહેવું છે કે પારદના શિવલીંગની સામે ધ્યાન કરવાથી અનેકગણા ફાયદો મળે છે. એટલે જ યોગીઓ ધ્યાન કરવા માટે પારદના શિવલીંગને પસંદ કરે છે





















ૉ


















