Slider Archives - Page 414 of 487 - CIA Live

December 10, 2018
kannor.jpg
1min8490

તા.9મી ડિસેમ્બર 2018ને રવિવારે ક્ધનુર ઍરપોર્ટનું ઉદ્ઘાટન થતાં કેરળ ચાર આંતરરાષ્ટ્રીય વિમાનીમથકો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુલકી ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુ અને મુખ્ય પ્રધાન પિનારયી વિજયને સવારે મત્તાન્નુર શહેર નજીકના ઍરપોર્ટ પર સંયુક્ત રીતે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી હતી અને એ સાથે વિમાનીમથક સત્તાવાર રીતે કાર્યરત્ થયું હતું. અબુ ધાબી ગયેલી આ ફ્લાઇટમાં ૧૮૬ મુસાફરો હતા.

રાજ્યના બીજા ત્રણ વિમાનીમથકો થિરુવનન્થપુરમ, કોચી અને કોઝિકોડે ખાતે છે. ક્ધનુરનું ઍરપોર્ટ મલબાર અને ક્ધનુરની સાંસ્કૃતિક પરંપરા ઉપરાંત પાડોશી રાજ્ય કર્ણાટકના કોદાગુની પરંપરાને પણ રજૂ કરે છે. ખાસ કરીને મલબાર અને કથકલી, થેય્યમ, યક્ષગણ સહિતના વિવિધ ભારતીય નૃત્યો દર્શાવતા ભીંત પરના રંગચિત્રો આ ઍરપોર્ટની ખાસિયતો છે.

સુરેશ પ્રભુએ ઉદ્ઘાટન પ્રસંગે પ્રવચનમાં કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટની શરૂઆતથી રાજ્યના અને ખાસ કરીને ઉત્તર પ્રાન્તના એકંદર વિકાસ તથા સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા સમાન કહી શકાય.’

આ ઍરપોર્ટ અખાતના દેશોના બિન-રહીશ કેરલાઇટ્સ (એનઆરકે)ને મદદરૂપ થવા ઉપરાંત પર્યટન ઉદ્યોગને તેમ જ નિકાસને વેગ આપશે અને એને પગલે અનેક રોજગારો ઊભા થશે.

મુખ્ય પ્રધાન પી. વિજયને સુરેશ પ્રભુની પ્રશંસા કરી હતી તેમ જ ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટ બની રહ્યું હતું એ સમયે હું મોદીજીને મળ્યો ત્યારે તેમનો પણ પ્રતિસાદ ખૂબ સકારાત્મક હતો.’

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમેન ચન્ડીને આ ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ ન અપાતાં કૉન્ગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય જનતા પક્ષે પણ બહિષ્કાર કર્યો હતો.

December 8, 2018
surat.jpg
1min14810

Jayesh Brahmbhatt.

તાજેતરમાં સુરત સમેત ભારતના 17 શહેરોને 2035 સુધીમાં વિશ્વના સૌથી ઝડપી ગતિએ પ્રગતિ પામતા શહેરોની યાદીમાં મૂકવામાં આવ્યા હોવાના સમાચારો ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઇક પ્રોફેસરના મોઢેથી પ્રસરાવવામા આવ્યા. સુરત સમેત જે 17 શહેરોનો ઉલ્લેખ કરાયો છે ત્યાં ઓક્સફર્ડના એ અધ્યાપક કે તેમના સાથીઓએ કોઇપણ પ્રકારનો ફિઝિકલ રિપોર્ટ, રેન્ડમ સર્વે, સેમ્પલ સરવે પણ કર્યો નથી. ફક્ત બેઠા બેઠા, આમથી તેમથી મળતા સમાચારોને આધાર બનાવાયા ઉપરાંત કેટલાક ચોક્કસ લક્ષ્યાંકો પાર પાડવા માટે રિપોર્ટને સ્પ્રેડ કરવામા આવ્યા હોવાનું પ્રથમદર્શી નજરે જ જણાય આવે છે. સુરત કે ભારતના 17 શહેરો જો વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હશે કે બનશે તો શું વિશ્વના વિકસિત દેશોના બાદ કરતા બાકીના દેશોના શહેરો કશું કરતા જ નહીં હોય? કોઇ તર્ક કે ટ્રેક રેકોર્ડને આધાર બનાવાયા વગર બે-પાંચ લિટીના સ્ટેટમેન્ટથી સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બની જશે?

  • ભવિષ્યમાં તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, બજાજ, ગોદરેજ જેવી કંપનીઓ હીરા ઉદ્યોગમાં ઝંપલાવે અને કટ એન્ડ પોલીશના યુનિટ્સ શરૂ કરે એવા સમાચારો મળે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.
  • ભવિષ્યમાં સુરત કે આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નહીં પણ મલ્ટી સ્ટેટ કે મલ્ટી નેશનલ કંપનીઓ 100 ટકા વ્હાઇટ અમાઉન્ટ સાથે ફ્લેટ્સ, મકાન, દુકાન ઓફર કરતા હશે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.
  • ભવિષ્યમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફેબ્રિક નહીં પણ ફેબ્રિક તૈયાર થયા પછી અહીં જ રેડીમેડ ગારમેન્ટનો ઉદ્યોગ ખીલતા જુઓ ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

સુરતની વાત કરીએ તો સુરતના ગુણગાન ગાતા રિપોર્ટસ ઇન્ટરનેશનલ લેવલ પરથી કેમ શરૂ કરવામાં આવ્યા, આ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યાપકે શરૂઆત કરી છે, હજુ ભવિષ્યમાં વિશ્વની અનેક સંસ્થાઓ કહેશે, સંભવ છે કે વર્લ્ડ બેંકના કોઇ અધિકારી કોઇ  બીચ પર રજાઓ માણતા સુરતના વિકાસ વિશે ટ્વીટ કરશે, સંભવ છે કે અમેરિકાની કોઇ ફાઇનાન્સિયલ સંસ્થા સુરત વિશે ભવિષ્યમાં એવી આગાહી કરશે કે સુરતનો મૃતપ્રાય રિયાલિટી ઉદ્યોગ ફરીથી ધમધમતો થઇ જશે.

હકીકતમાં સુરતના ત્રણ મોટા ઉદ્યોગ કે જે હવે સ્થગિત મોડમાં આવી ગયા છે એને લિફ્ટ કરવા માટે જરૂરી તાકાત કોઇ વ્યક્તિગત વેપારી કે પારિવારીક પેઢી આપી શકે તેમ નથી. (1) સુરતમાં હીરા ઉદ્યોગ કે જે હાલ પારિવારીક પેઢીઓના હાથમાં છે, સિન્થેટિક ડાયમંડના વિશ્વાસઘાતી વેપાર પછી હવે આ ઉદ્યોગમાં વિશ્વસનીયતા ઉદ્યોગસમૂહો જ લાવી શકે તેમ છે. (2) ટેક્સટાઇલ ઉદ્યોગ ફક્ત ફેબ્રિક બનાવે છે, ફાઇબર ટુ ફેશન એટલે કે એન્ડ યુઝર્સ માટે સુરતનું ફેબ્રિક કામ આવતું નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેશન અવસ્થામાં આવે તો જ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવું જોમ ઉમેરાય તેમ છે. (3) સુરતના બાંધકામ ઉદ્યોગની માઠી અવસ્થા ત્યારે જ બદલાઇ શકે જ્યારે કોર્પોરેટ્સ સુરતમાં ઝંપલાવે. હકીકતમાં સુરતના જમીનોના ભાવ એટલી હદે ઉંચા થઇ ગયા છે કે હવે જમીનોના સોદા અટકી ગયા છે. સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ એટલા ઉંચા ભાવે મોટી મોટી જમીનો પકડી લીધી છે, એથી વિશેષ ઘણા બિલ્ડરોએ એટલા આડેધડ પ્રોજેક્ટસ તાણી બાંધ્યા છે કે ત્યાં આજે કોઇ લેવાલ નથી. સવા લાખથી વધુ ફ્લેટ્સ, દુકાનો ખાલી હોય એવી સ્થિતિમાં બાંધકામ ઉદ્યોગને બેઠો કરવા માટે હવે ઉધોગ સમૂહની આવશ્યકતા રહેલી છે.

અત્યાર સુધી કોર્પોરેટ્સનો ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે કે તેમને કોઇ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેઓ ક્યાં તો પોતાનો સરવે કરાવે છે અગર તો આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લોકો કે સંસ્થાઓએ કરેલા સરવેના આધારે એ દિશા તરફ મીંટ માંડે છે.

ઉંચા ભાવે જમીનો પકડીને બેઠેલા ઉદ્યોગપતિઓ ત્યારે જ બચશે જ્યારે કોર્પોરેટ સેક્ટર સુરતમાં ઝુકાવશે

સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ એટલા ઉંચા દરે જમીનો પકડી લીધી છે કે હવે કોઇ વ્યક્તિગત રીતે કે પારિવારિક પેઢી આટલા ઉંચા ભાવે સુરત કે આસપાસની જમીનો ખરીદી નહીં શકે. આવું ને આવું રહેશે તો વિશ્વ વિખ્યાત બનેલા સુરતના અનેક ઉદ્યોગપતિઓ અબજોપતિના સ્ટેટસ પરથી નીચે ઉતરીને કરોડપતિ પર ઉતરી આવશે. સુરતના રિયાલિટી ઉદ્યોગને વેગ ત્યારે જ મળશે જ્યારે જમીનો વેચાશે અને પ્રોજેક્ટસ શરૂ થશે. હવે ઉંચા ભાવની જમીનો ખરીદી શકે તેવું કોઇ હોય તો એ કોર્પોરેટ સેક્ટરની કંપનીઓ જ છે. સુરતમાં હાલ જમીન મકાનનો ધંધો વ્યક્તિગત કે પારિવારીક અને અનઓર્ગેનાઇઝ્ડ મોડમાં ચાલી આવતો ઉદ્યોગ છે પણ હવે આ ઉદ્યોગને લિફ્ટ કરવો હોય તો મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, લખનૌની જેમ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓને જ આ ઉદ્યોગમાં નાંખવી પડે અને તેમને જ ઉંચા ભાવની જમીનો પરવડે અગર તો  આ કંપનીઓ જ તોતિંગ ફાઇનાન્સ કરીને પ્રોજેક્ટ કરી શકે. ભવિષ્યમાં સુરત કે આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નહીં પણ મલ્ટી સ્ટેટ કે મલ્ટી નેશનલ કંપનીઓ 100 ટકા વ્હાઇટ અમાઉન્ટ સાથે ફ્લેટ્સ, મકાન, દુકાન ઓફર કરતા હશે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

સિન્થેટિક ડાયમંડ માટે બદનામ થયેલા સુરતના હીરા ઉદ્યોગમાં કોર્પોરેટ સેક્ટર પ્રવેશે તો જ શક્ય છે કે ચમક પાછી ફરે

આવી જ સ્થિતિ સુરતના હીરા ઉદ્યોગમાં પણ પ્રવર્તી રહી છે. સિન્થેટિક ડાયમંડના વેપારમાં પોતાનો ચળકાટ ગુમાવી દેનારા ઉદ્યોગપતિઓના પાપે હવે સુરતના હીરા ઉદ્યોગ પર વિશ્વાસ કરનારા ઓછા છે, સુરતના ભોગે અમદાવાદના કારખાનાઓને ભરપૂર કામ મળી રહ્યા છે. દિવાળી પહેલાથી સુરતના હીરા ઉદ્યોગમાં કારીગરોને રજા આપી દેવી પડી હતી. આવી સ્થિતિમાં હવે સુરતના હીરા ઉદ્યોગમાં ત્યારે જ પ્રાણ ફૂંકાય કે જ્યારે કોર્પોરેટ સેક્ટર આ ઉદ્યોગમાં પ્રવેશે. થોડા મહિના અગાઉ જ્યારે રતન ટાટાએ સુરતના એકાદ-બે હીરાના કારખાનાઓની મુલાકાત લીધી ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે હવે તાતા જૂથ અને તેને પગલે દેશના ટોચના ઉધોગસમૂહો હીરા ઉદ્યોગમાં ઝંપલાવશે. બસ આવી ઘડીઓ ત્યારે જ વજૂદમાં પરીણમશે જ્યારે વિશ્વના ખ્યાતનામ લોકોના મોઢેથી સુરતના વિકાસના ગુણગાન ગવાય. ભવિષ્યમાં તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, બજાજ, ગોદરેજ જેવી કંપનીઓ હીરા ઉદ્યોગમાં ઝંપલાવે અને કટ એન્ડ પોલીશના યુનિટ્સ શરૂ કરે એવા સમાચારો મળે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

આંતર રાષ્ટ્રીય સ્તરેથી વખાણો થશે તો જ ભારતના કોર્પોરેટ્સ સુરત ભણી આકર્ષાય 

સુરતના વિકાસના ગુણગાન આંતર રાષ્ટ્રીય સ્તરેથી થાય તો જ સુરતના રિયલ એસ્ટેટમાં ઉંચા ભાવે જમીનો પકડીને બેઠેલા લોકોની જમીનો કે પ્રોજેક્ટસનું ગાડું આગળ ચાલે તેમ છે. એવી જ રીતે હીરા ઉદ્યોગની ચમક કે વિશ્વસનિયતા આંતર રાષ્ટ્રીય સ્તરે પરત ત્યારે જ ફરી શકે કે જ્યારે ભારતના ખ્યાતનામ કોર્પોરેટ્સ ઉદ્યોગ સમૂહો સુરતમાં ઝૂકાવે. કોર્પોરેટ્સને સુરત ભણી આકર્ષવા માટે એક ચોક્કસ કાર્ટેલ રચવામાં આવી છે. આ કાર્ટેલમાં ઘણાં સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાના વિદેશી સંપર્કો મારફતે ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝના મોઢે સુરતના ગુણગાન ગાતા સ્ટેટ્સમેન્ટસ કરાવશે અને ભવિષ્યમાં પણ આપણને એવા ન્યુઝ મળતા રહેશે કે સુરતમાં આમ, સુરતમાં તેમ, સુરતમાં ફલાણું. હકીકતમાં આ બધું ફીલ ગુડ સિવાય કશું નહીં હોય.

સુરતની પોતીકી બાય પ્રોડેક્ટ શું

સુરત પ્રોગ્રેસ ફક્ત વસતિની દ્રષ્ટિએ કરી રહ્યું છે. વસતિને કારણે દરેક ચીજવસ્તુઓની માગ અને સપ્લાય વધ્યા છે. આ બેઝિક પેરામિટર્સ છે. વસતિ વધારો છે એટલે રેલવે ટ્રેનની ફ્રિક્વન્સી તો વધે જ, વસતિ વધારો છે એટલે ફ્લાઇટ્સની આવશ્યકતા તો વધે જ, જીવનજરૂરી ચીજવસ્તુઓથી લઇને બધી જ જરૂરીયાતોના કાઉન્ટર્સ વધતાં સુરતનનો ઇકોનોમિક ગ્રોથ દેખાય રહ્યો છે.

જાણકારોએ સી.આઇ.એ.ને જણાવ્યું કે વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બનવા માટેની સફળ ઓછામાં ઓછી 3 દાયકાઓની હોઇ શકે. હજુ 2050 સુધી એવા કોઇ હાલ-હવાલ નથી જણાતા કે સુરત વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બને.

શું છે સુરતની નબળાઇઓ

  1. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ છે પણ ફક્ત ફાઇબર ટુ ફેબ્રિક સુધી અહીં ફેબ્રિક્સ બન્યા પછી એન્ડ યુઝર્સ સીધા તેનો ઉપયોગ કરી શકે એવો ફાઇબર ટુ ફેશન ઉદ્યોગ નથી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફાઇબર ટુ ફેશન એટલે કે રેડી ટુ વેયર વસ્ત્રો નહી હોવાથી ઉત્પાદનની સાયકલ અધૂરી રહી જાય છે.
  2. સુરતમાં હીરા ઉદ્યોગ છે પણ એ મહદ અંશે જોબ વર્ક અાધારિત છે. એટલે કે કાચા હીરાની આયાત ફક્ત તેના પર કટ અેન્ડ પોલિશની પ્રોસેસ કરવા માટે જ થાય છે. હીરા પર કટ એન્ડ પોલિશની પ્રોસેસ થયા પછી એ ફરી ભારત બહાર મોકલી આપવા પડે છે. સુરતની ઇકોનોમીમાં ટર્ન ઓવર ફક્ત કટ એન્ડ પોલિસની મજૂરી જેટલું જ છે.
  3. સુરતમાં કોઇ એવી પ્રોડક્ટ બનતી નથી કે જે મોનોપોલી આઇટમ હોય અને એવું કોઇ પોટેન્શિયલ નથી કે જેનાથી સુરતમાં બનતી ચીજ વસ્તુઓ ભારત કે વિશ્વના દેશોએ સુરતથી આયાત કરવી પડે.
  4. સુરતના હજીરા વિસ્તારમાં ભારતની દિગ્ગજ કંપનીઓના ફક્ત મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આવેલા છે. ભારતના આ કોર્પોરેટ્સની હેડ ઓફિસ કે મેઇન ઓફિસ સુરતમાં નથી. રિજિયોનલ કચેરીઓ પણ સુરતની જગ્યાએ અમદાવાદમાં છે, હેડ ઓફિસ કે કોર્પોરેટ ઓફિસ મુંબઇ કે દિલ્હીમાં હોઇ અહીં ઇન્ડસ્ટ્રીયલ ટુરીઝમ પણ બિલકુલ નહીંવત છે.
  5. આંતર રાષ્ટ્રીય સહેલાણીઓની સંખ્યા વધે એવા એકેય પ્રોજેક્ટસ સુરતમાં હજુ સુધી સાકાર કરી શકાયા નથી.
  6. સુરતની એક સાઇડની બોર્ડર પર દરિયા કિનારો હોવા છતાં હજુ સુધી તેને વિકસીત કરી શકાયો નથી. સહેલાણીઓની વાત તો દૂર રહી સુરતના લોકોએ પણ દરીયા કિનારાની મઝા માણવા માટે દક્ષિણ ગુજરાતના દમણ, દેવકા, તિથલ, દાંડી, બોરડી, ઉમરગામ જેવા અન્ય દરિયા કિનારાઓ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.
  7. વીકએન્ડ હોય કે તહેવારો હોય સુરતના લોકોએ ઉજાણી માટે રોડ સાઇડ સ્પોટસનો સહારો ન લેવો પડતો હોત.

આવા મુદ્દાઓ શોધવા કે વિચારવા બેસીએ તો મહાનિબંધ પણ લખાય જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઇ અધ્યાપકે કહી ત્યાં બેઠા બેઠા નિવેદન કરી દીધું અને આપણે તેને માનીને ફીલ ગુડ મોડમાં આવી ગયા. કોઇ તર્કસંગત વાત હોય તો ગળે ઉતરે, પણ ફક્ત 15-20 લિટીના આ ન્યુઝને પગલે સુરતમાં જાણે એવો વાયરો ફૂંકાયો કે રાતોરાત વિકાસની ઉથલ-પાથલ મચી જાય. ટૂંકમાં સુરત શહેરની અત્યાર સુધીની આર્થિક પ્રગતિ અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાંથી થતી આવી છે. અનઓર્ગેનાઇઝ્ડનો બહુલ અર્થ એ પણ થાય છે કે સુરતમાં અત્યારપર્યંત અને ઘણું ખરું આજના સંજોગોમાં પણ રોકડીયા આર્થિક વ્યવહારો જ થાય છે. અનઅોર્ગેનાઇઝ્ડ સેક્ટરને હવે ઓર્ગેનાઇઝ્ડ અવસ્થામાં લાવવું પડે અને એ માટે કોર્પોરેટસની જરૂરીયાત વર્તાય રહી છે.

December 8, 2018
google_Play_Store_Logo.png
3min6720

મોબાઇલ ધારક માટે ગુગલ પ્લે સ્ટોર એટલે જાણે એવો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કે મનમાં જે શબ્દ આવે તેને પ્લે સ્ટોર પર નાંખીને એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર  પરથી મફતમાં મેળવી તેનો આનંદ ઉઠાવતા હતા. પરંતુ, હવે ગુગલ પ્લે સ્ટોર પરથી મફતમાં મળતી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાથી મોટું નુકશાન જાય તેવી ભીંતી છે. ખુદ ગુગલ પ્લે સ્ટોરે પોતાના નેટવર્કમાથી સાફસૂફી કરતા 22 જેટલી એપ્લિકેશન્સને કાઢી નાંખી છે જે યુઝર્સને ભારે નુકસાન કરે તેમ હતી.

વિશ્વ વિખ્યાત ગુગલ કંપનીએ સ્માર્ટ ફોન માટેના પોતાના એપ્લિકેશન પ્લેટફોર્મ ગુગલ પ્લે સ્ટોરમાંથી 22 એપ્લિકેશનને તાત્કાલિક અસરથી કાઢી નાંખી છે. આ 22 એપ્લિકેશન એવી છે જે યુઝર્સ સાથે છેતરપીંડી કરીને રૂપિયા પડાવી લેતી હતી. આ 22 એપ્લિકેશનન્સની યાદી અત્રે સામેલ છે.

ગુગલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી એપ્લિકેશન્સમાં કેટલીક એટલી બધી પ્રચલિત એપ્લિકેશન્સ છે જે તેને ડાઉનલોડ કરનારાઓની સંખ્યા પરથી જાણી શકાય છે. જેમકે સ્પાર્કલ ફ્લેશલાઇટ. અંદાજે 10 લાખથી વધુ લોકોએ સ્પાર્કલ ફ્લેશલાઇટ (ટોર્ચ) એપ્લિકેશન પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી રહ્યા હતા.

ગુગલ દ્વારા પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી 22 એપ્લિકેશન્સ યુઝર્સને કેવી રીતે ચૂનો ચોપડતી હતી તેની વિગતો આપતા સોફોસ નામની કંપનીએ સંશોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે એપ્લિકેશન્સ યુઝર્સના વધુ પડતા ડેટા ખર્ચી કાઢતા હતા. એથી વિશેષ બેટરીની અવધિ પણ ફટાફટ ઘટાડી દેતી હતી. આ એપ્લિકેશન્સ અનેક વખત યુઝર્સના મોબાઇલ ફોનને હેંગ કરી દેતી કે તેનો ડેટા ચોરી લેતી હતી.

Google recently removed 22 apps from its Play Store. The search giant removed the apps after security researcher Sophos found that these apps are being used for ad fraud by hackers. The list includes some of the popular apps like Sparkle Flashlight with 1 million-plus downloads. “From the user’s perspective, these apps drain their phone’s battery and may cause data overages as the apps are constantly running and communicating with servers in the background. Furthermore, the devices are fully controlled by the C2 server and can potentially install any malicious modules upon the instructions of the server,” warned the Sophos report.

Application Title

Sparkle FlashLight

Snake Attack

Math Solver

ShapeSorter

Tak A Trip

Magnifeye

Join Up

Zombie Killer

Space Rocket

Neon Pong

Just Flashlight

Table Soccer

Cliff Diver

Box Stack

Jelly Slice

AK Blackjack

Color Tiles

Animal Match

Roulette Mania

HexaFall

HexaBlocks

PairZap

December 8, 2018
diamond.jpg
1min5520

વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા અને હીરા કટિંગ-પોલિશિંગના હબ ગણાતા સુરતમાં દિવાળી વેકેશનથી બંધ થયેલા સેંકડો નાના કારખાનાઓ દિવાળીના એક મહિના પછી પણ હજુ સુધી શરુ થયા નથી. મોટા કારખાનાઓ શરૂ થઇ ચૂક્યા છે પરંતુ, કમસે કમ 50 હજાર લોકોને રોજગારી આપતા નાના હીરાના કારખાનાઓમાં જોબવર્કના અભાવે હજુ સુધી કારખાનેદારોએ કારીગરોને કામ પર બોલાવ્યા ન હોવાની વિગતો જાણવા મળી છે.

ગુજરાતના બે શહેરો અમદાવાદ અને સુરતના હીરા ઉદ્યોગમાં વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં કારખાનાઓ ધમધોકાર ચાલે છે જ્યારે સુરતના હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી રહી છે, દિવાળી અગાઉ કેટલાક કારખાનાઓમાં કામ નહીં હોવાથી વેકેશન પહેલા જ રજાઓ આપી દેવામાં આવી હતી.

દિવાળીના તહેવારો પૂરા થયા ને એક મહિના પછી પણ રજાઓની સ્થિતિ જૈસે થે જેવી છે. નાના કારખાનાઓ હજુ સુધી ખુલ્યા નથી. હવે ક્રિસમસની ખરીદી નહીં નીકળતાં હીરાબજારનું નૂર ઊડી ગયું છે. નાના અને પોલિશ્ડ હીરાનું સૌથી મોટું માર્કેટ સુરત હોઈ મંદી વધતાં દિવાળી વેકેશન પછી પણ 30 ટકાથી વધુ નાના કારખાનાઓ શરૂ થઈ શક્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી પછી હીરા ઉદ્યોગમાં તેજી આવશે. તેવી ધારણા હતી, તે ખોટી પડી છે. મોટા કારખાનામાં હિરાનું કામકાજ મંદ ગતિએ શરૂ થયુ છે. પણ નાના યુનિટને શરૂ થતાં હજુ પખવાડિયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે એ મુશ્કેલીએ નાના હીરાના કારખાનાઓને કામ મળતાં હજુ 1પ દિવસ લાગશે. દિવાળી અગાઉ જ હિરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા.

December 7, 2018
jica1-1280x960.jpg
1min6730

નરેન્દ્ર મોદીના કહેવાતા ડ્રીમ પ્રોજેક્ટ મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની જે કંપની 8000 કરોડ રૂપિયાનું ફાઇનાન્સ કરવાની છે એ જીકા કંપનીના પ્રતિનિધિમંડળે આજે કઠોર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મિટીંગ યોજીને રજૂઆતો સાંભળી હતી. જીકા કંપની અને ખેડૂતોની આ મિટીંગ મેરેથોન રહી હતી અને 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગ સાંજે 7 વાગ્યા જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ યથાવત હતી.

ખેડૂત આગેવાન તરફે દર્શન નાયક, આનંદભાઇ યાજ્ઞિક, જયેશભાઇ દેલાડ, જયેશભાઇ પટેલ પાલ સમેત 600થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જીકા કંપનીના પ્રતિનિધિ મંડળ સામે ખેડૂતોએ સ્પષ્ટ, મુદ્દાસર, આક્રમક અને નક્કર રજૂઆતો કરી હતી. ખેડૂતોની રજૂઆતોનો સૂર એ રહ્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર કરવાના ઇરાદે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોના મૂળભૂત હકોને પણ વિસરી જવાની પેરવી કરતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવવું પડ્યું હતું. ખેડૂતોની આક્રમક રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ રહ્યા હતા.

  1. પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતોને મળતા વળતરના ભાવોમાં અસમાનતા
  2. જમીનના બદલામાં વળતરનો રેટ માર્કેટ રેટ આધારિત હોવો જોઇએ
  3. જેમના મકાનો જઇ રહ્યા છે તેમના રેટની ગણતરીમાં ભારે અન્યાયની ભીંતિ
  4. પ્રોજેક્ટ માટે જમીન વપરાયા બાદ બાકી બચેલી પડતર જમીનનો મુદ્દો
  5. સ્થાનિકોને રોજગારીનો મુદ્દો

મોડીસાંજે અંંધારુ થઇ ગયા બાદ પણ ખેડૂતોની આક્રમક રજૂઆતોનો દૌર ચાલ્યો હતો. ખેડૂતો તરફે રજૂઆત કરી રહેલા સુરત જિલ્લાના સામાજિક, રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ખેડૂતોએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં રાજ્ય સરકારે જે સરમુખત્યારશાહીભર્યું વલણ અપનાવ્યું તેની પણ આકરી ટીકા કરી હતી. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હવાતિયા મારી રહેલી સરકારે ખેડૂતોના મૂળભૂત હકો છીનવી લેવા ઉપરાંત ખેડૂતોના પરિવારો જેના પર દાયકાઓથી નિર્ભર છે એ જમીન છીનવી લેવાની પેરવી કરતા ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે બાંયો ચઢાવવી પડી હતી.

દર્શન નાયકે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બદલામાં ખેડૂતોને જે દરથી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ દરો સાવ બેબુનિયાદ છે. માર્કેટ રેટ અને રાજ્ય સરકારના રેટ વચ્ચે ભારે અસમાનતા રહેલી છે. એથી વિશેષ અરીયાવાઇઝ પણ દરોમાં અસમાનતા હોઇ, ખેડૂતો જમીન આપવાના મૂડમાં નથી.

December 7, 2018
patidar_paas_logo.jpg
1min7050

અલ્પેશ કથિરીયાની મુક્તિ સાથે શરૂ થનારી સંકલ્પ યાત્રાને સુરતથી

ખોડલધામ અને ખોડલધામથી ઉંઝા ઉમિયા ધામ ખાતે લઇ જવાનું આયોજન

ઉપર જોઇ રહ્યા છો એ ઇમેજ મુજબ આગામી તા.9મી ડિસેમ્બર 2018ના રોજ પાસના સુરતના જ નહીં બલ્કે ગુજરાતના ટોચના નેતા ગણાતા અલ્પેશ કથિરીયા ઉર્ફે અલ્પેશ ગબ્બરની સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી મુક્તિ થવા સાથે જ પાસ દ્વારા ત્રણ દિવસની સંકલ્પ યાત્રાનો આરંભ કરવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી છે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિને વધાવવા માટે શક્ય એટલા પાટીદારોને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ઉપસ્થિત રહી ત્યાંથી રેલી આકારે વાયા ભેસ્તાન વરાછા સુધી જોડાવા માટે આહવાન કરવામાં આવી રહ્યા છે. સુરતના વરાછા, પૂણા, કતારગામ, અમરોલી, વેડ, ડભોલી વગેરે વિસ્તારોમાં રાત્રી સભાઓ તેમજ ઓટલા બેઠકો કરીને વધુને વધુ પાટીદારો અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સમયે યોજાનારી યાત્રામાં જોડાય તેવા પ્રયાસો કરવામા આવ્યા છે.

દરમિયાન પાસ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ત્રણ દિવસની સંકલ્પ યાત્રા સુરતથી નીકળીને પહેલા ખોડલધામ જશે, ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ ઉંઝા ઉમિયા માતાના ધામ ખાતે સંકલ્પ યાત્રાને વિરામ આપવામાં આવશે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સાથે જ ત્રણ દિવસની સંકલ્પ યાત્રા યોજવા અંગે પાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે સુરત પોલીસ હરકતમાં આવી ગઇ છે અને પાસની સંકલ્પ યાત્રાના રૂટ તેમજ પાટીદારની બહુલ વસતિ ધરાવતા વરાછા, પૂણાના વિસ્તારોમાં પોલીસની હાજરી અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે.

December 7, 2018
non-agriculture-land-1-728.jpg
2min20840
  • બાંધકામના પ્લાન ઓનલાઇન કરવાની પ્રક્રિયા બંધ કરવી પડી છે
  • એન.એ.ની મેન્યુઅલ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને વચેટીયાઓ હતા, હવે કેવી રીતે કામ થશે
  • કમ્પ્યુટર ફ્રેન્ડલી ગ્રાહક નહીં હોય તો ઓનલાઇન પ્રક્રિયા ફરી વચેટીયાઓના હાથમાં જવાનો ભય

રાજ્યમાં ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાની પ્રક્રિયાને ઓનલાઇન કરવાના લેવાયેલા નિર્ણયનો અમલ આગામી તા.10મી ડિસેમ્બર 2018થી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આવેલી આઠ મહાનગરપાલિકાઓની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં વિકાસ કાર્યો તેમજ બાંધકામ કરવા માટે મોટા પાયે ખેતીની જમીન બિનખેતીમાં તબદીલ કરવાની આવશ્યકતાઓ રહેલી છે. હાલની એન.એ. સિસ્ટમ બિનપારદર્શક હોવા ઉપરાંત સ્થાનિક સ્તરે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર વગર કોઇ જમીન એન.એ. કરી આપવામાં આવતી ન હોવાની ફરીયાદો ઉપસ્થિત થતાં રાજ્ય સરકારે આખરે સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન ને બિન ખેતીમાં તબીદલ કરી આપવાની પ્રક્રિયાને ઓનલાઇન કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

રાજ્ય સરકારે ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરી આપવાની પ્રક્રિયા ઓનલાઇન થઇ શકે તે માટે ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. પોતાની ખેતીની જમીન એન.એ. કરાવવા માંગતા અરજદારો માટે નિમ્નદર્શિત વેબસાઇટની રચના કરવામાં આવી છે.

https://onlinerevenue.gujarat.gov.in/REVENUE/

ઉપરોક્ત વેબસાઇટ પર જઇને એન.એ. કરાવવા માંગતા અરજદારોએ પ્રથમ પોતાની જમીન અંગે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વેબસાઇટ પર એન.એ.ની ઓનલાઇન પ્રક્રિયા અંગેનું યુઝર મેન્યુઅલ પણ આપવામાં આવ્યું છે. નીચે મુજબની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

https://onlinerevenue.gujarat.gov.in/REVENUE/StaticAttachment?AttachmentFileName=/pdf/Document/UserManual.pdf

એન.એ. ઓનલાઇન પ્રક્રિયામાં નવા રજિસ્ટ્રેશનથી લઇને અંત સુધીની પ્રક્રિયા અા મુજબની રહેશે.

પેજ-1

પેજ-2

પેજ-3

પેજ-4

પેજ-5

પેજ-6

પેજ-7

પેજ-8

પેજ-9

પેજ-10

પેજ-11

પેજ-12

 

પ્રથમ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન ડોમેન સાથે જંત્રીના ભાવ, લેન્ડ રેકોર્ડઝ, વિલેજ મેપ્સ, જુદા જુદા એપ્લિકેશન ફોર્મ્સ તેમજ ઇ-ધરાની લિંક પણ આપવામાં આવી છે.

December 7, 2018
GPSC_logo.png
1min17840
  • વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા
  • સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય
  • વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ
  • આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય
  • મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય

જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય છે જયારે વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ યોજાય છે. વર્ગ-૩ ની પરીક્ષામાં પ્રાથમિક કસોટી તથા પરીક્ષા નિયમોની જોગવાઈ પ્રમાણે મુખ્ય લેખિત પરીક્ષા હોય છે. આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય છે જયારે મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય છે.

પ્રાથમિક કસોટી પૂરી થયાના ગણતરીના કલાકોમાં OMR

આયોગ દ્વારા ડીસેમ્બર-૧૬ પછીથી યોજાયેલ તમામ પ્રાથમિક કસોટીઓની OMR પરીક્ષા પુર્ણ થયાના ગણતરીના કલાકોમાં આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જો પરીક્ષા રાજયવ્યાપી હોય તેવા કિસ્સામાં ૨૪ કલાકમાં OMR વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં સંપન્ન થયેલ વર્ગ-૧ અને ર ની પ્રાથમિક કસોટી ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં સવારે ૧૧ થી ૧ તથા બપોરે ૩ થી ૫ દરમ્યાન યોજવામાં આવેલ હતી. આયોગની કચેરીથી ઘણાં દૂર અંતરે આવેલા ડાંગ-આહવા કે ભૂજ ખાતે જો પેટા કેન્દ્રો હોય તે પેટાકેન્દ્રો પરથી જિલ્લાના મુખ્ય કેન્દ્રો પર OMR ઉત્તરવહીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પહોંચાડવામાં આવી અને જિલ્લા કેન્દ્રો ખાતેથી આયોગની કચેરી ખાતે લાંબા કિ.મી. નું અંતર કાપી અને આ OMR ઉત્તરવહીઓ આયોગની કચેરી પર લાવવામાં આવી હતી અને કચેરી ખાતે તાત્કાલિક તેનું સ્કેનિંગ કરીને બીજા દિવસે સવારમાં કેટલાક ઉમેદવારો પરીક્ષાના સખત થાકને લીધે નિંદ્રાધીન હતાં તેવી વેળાએ સવારે ૧૦.૦૦ કલાકે આયોગની વેબસાઇટ પર આ OMR અપલોડ કરવામાં આવેલ છે. આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની પારદર્શિતાનો આ એક બેજોડ નમૂનો છે.

તંત્રને શું તકલીફો ઉપસ્થિત થાય

સામાન્ય રીતે એવું લાગે કે સોફ્ટવેર દ્વારા જ બધી પ્રક્રિયા થતી હોય તો પરિણામ પ્રસિદ્ધ કરવામાં આટલો સમય શા માટે ? પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી હોય છે જેમાં ઉમેદવાર પોતાનો રોલનંબર OMR ઉત્તરપત્ર (જવાબવહી) પર આંકડામાં લખે છે અને લખેલ રોલનંબર એનકોડ કરવાનો હોય છે. OMR (Optical Mark Reader) ટેકનોલોજીથી એનકોડ કરેલ Bubble રીડ કરવામાં આવે છે તથા આકડામાં લખેલ નંબર ICR (Intelligent Character Recognition) ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. ઘણી વાર ઉમેદવાર Bubble એનકોડ કરવામાં ભૂલ કરે છે જેને કારણે આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબર એ બંન્નેમાં વિસંગતતા થાય છે. પરીક્ષા પછી ઉમેદવારને માલૂમ પડે કે બેઠક નંબર એનકોડ કરવામાં ભૂલ કરી છે તો આવા ઉમેદવારો આયોગને લેખિત રજુઆત પણ કરતાં હોય છે અને આયોગ આ રજુઆતોને ગ્રાહ્ય પણ રાખતું હોય છે. જો ચોકસાઇ ના રાખવામાં આવે તો કદાચ એવું બને કે ગેરહાજર રહેલ ઉમેદવારની સામે માર્કસ મૂકાય અથવા એક જ નંબરના બે ઉમેદવારો જણાય. આવું ના બને એટલા માટે આયોગ દ્વારા તમામ ઉમેદવારોએ આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબરને સરખાવવામાં આવે છે તદ્દઉપરાંત OMR શીટ પર છાપેલ બારકોડ અને એટેન્ડન્ટ શીટ પરના નંબર OMR/ICR ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. કોઈપણ કલ્પના કરી શકે કે ૪ લાખ કે તેથી વધુ OMR ઉત્તરવહીનું physical verification પ્રક્રિયા કેટલી tedious અને સમય માંગી લેનારી હોય શકે ! સમગ્ર પરીક્ષાના સંચાલનમાં આયોગના અધિકારીઓની મહેનત કાબિલેતારીફ છે, સરાહનીય છે.

પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key

આયોગ દ્વારા યોજાતી પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key અને એ પછી પરિણામ પ્રસિદ્ધ કરતા પહેલા આયોગની વેબસાઇટ પર Provisional Answer Key મૂકવામાં આવે છે. આ Provisional Answer Key પર ઉમેદવારોના વાંધાઓ મંગાવવામાં આવે છે અને એના માટે ૧૦ કામકાજના દિવસ જેટલો સમય આપવામાં આવે છે. વાંધા મંગાવવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ વાંધાઓ એકાદ અઠવાડિયામાં સંકલિત કરી વિષયવાર નિષ્ણાંતોને મોકલવામાં આવે છે. વિષય નિષ્ણાંત ઉમેદવારોના વાંધાઓ અને તેની સાથે રજૂ કરેલ સ્ત્રોતની ખરાઇ કરી પોતાનો અભિપ્રાય આપતા હોય છે. જરૂર જણાયે કેટલીક વખત આયોગ વધારાના વિષય નિષ્ણાંતનો પણ અભિપ્રાય લે છે. વાંધાઓની સંખ્યાને જોઈને વિષય નિષ્ણાંત માટે ૧૦-૧૫ દિવસ નો સમય જરૂરી છે. એક સાથે ઘણી બધી પરીક્ષાની પ્રક્રિયા આયોગ ખાતે સમાંતર ચાલતી હોય છે. છેલ્લા ૩ વર્ષમાં ૨૦૦ કરતા વધુ પરીક્ષા આયોગે લીધી છે અને આશરે ૧૦,૦૦૦ જેટલા અધિકારીઓને પસંદ કરી સરકારને ભલામણ કરી છે.

જયાં સુધી જા.ક્ર. ૪૦/૧૮-૧૯ ગુજરાત મુલ્કી સેવા તથા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ર નો સવાલ છે ત્યાં સુધી જુલાઇ ૨૦૧૮ માં જાહેરાત પ્રસિદ્ધ કરતી વખતે જણાવવામાં આવેલ કે આ જગ્યાની પ્રાથમિક કસોટી તા.૨૧.૧૦.૧૮ ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ સંભવતઃ ડીસેમ્બર-૨૦૧૮ માં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે મુખ્ય લેખિત પરીક્ષા તા. ૧૭, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી-૨૦૧૯ ના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવતઃ જૂન -૨૦૧૯ માં પ્રસિદ્ધ કરવામાં આવશે અને રૂબરૂ મુલાકાત જુલાઇ-૨૦૧૯ માં ગોઠવામાં આવશે. આ જાહેરાત અન્વયેની પ્રાથમિક કસોટી જાહેરાતમાં જણાવેલ સમયમર્યાદામાં પુર્ણ કરવામાં આવેલ છે. બાકીના તબકકાઓ પણ નિર્ધારિત સમયમર્યદામાં જ પુર્ણ કરવામાં આવશે. રાત્રે ૧૨ વાગ્યે ડિસેમ્બર શરુ થાય છે એમ સમજી કેટલાંક વીરલાઓએ તો તા. ૩૦ નવેમ્બરે રાત્રે ૧૧.૫૯ મિનિટે પરિણામ કયારે આવશે તેની Tweet પર પૃચ્છા કરવા લાગ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે જા.ક્ર. ૯/૧૪-૧૫ ના ઉમેદવારો કે જેઓ અત્યારે નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સેકશન અધિકારી કે ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર તરીકે ફરજો બજાવી રહ્યાં છે તે ઉમેદવારોએ પણ આખરી પરિણામ તા. ૩૧, મે ૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થવાનું હતું પરંતુ એક લીટીગેશન ના કારણે ૩૧મી મે એ પરિણામ પ્રસિદ્ધ કરી શકાય તેમ ન હતું તે જાણતા હોવા છતાં તો પણ લગભગ રાત્રે ૧૨ થી ૨ ની વચ્ચે સીન્ડીકેટ બનાવી અને ૧૫૦ થી ૨૦૦ Tweet કરેલ.

કયારેક કયારેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વર્તમાન પેઢીની મને ઇર્ષા આવે છે કે અમારી પેઢી વીસમી સદીના છેલ્લા દસકાના ઉત્તરાર્ધમાં જયારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે GPSC ની જાહેરાત કયારે આવશે ? પરીક્ષા કયારે લેવાશે ? GPSC ની ઓફિસ કયાં છે ? GPSC ના ચેરમેન કોણ છે ? આવી કોઇ પણ માહિતી ન હતી ક્યાં તો ગતાગમ ન હતી. જયારે એકવીસમી સદીના બીજા દસકામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરનાર ઉમેદવારો પાસે પુર્વ નિર્ધારિત પરીક્ષા કાર્યક્રમ તથા અન્ય આનુસાંગિક સુવિધાઓ ઉપલબ્ધ છે. રાત્રે ૧૨ વાગ્યે કે ૨ વાગ્યે જી.પી.એસ.સી.ના ચેરમેન દિનેશ દાસા ને પરિણામ કયારે પ્રસિદ્ધ કરશો એવું Tweet કરી પૂછી શકાય છે. ૨૦ મી સદીમાં હિંસાના જે પ્રકારો હતાં તેમાં ૨૧ મી સદીમાં એક હિંસાનો ઉમેરો થયો છે અને તે છે ડીજીટલ હિંસા. રાત્રે ૧૨ થી ૨ વચ્ચે બીપ…બીપ…કરીને Twitter પર ૧૦૦-૨૦૦ નોટિફિકેશન નોટીફાય કરવા એને હિંસા ગણવી કે નહીં તે બાબતમાં હજુ અવઢવમાં છું. પણ હું તમામ બાબતોને હકારાત્મકતાથી મૂલવું છું.આ પેઢીના યુવાનો તકની રાહ જોય રહ્યા છે તક મળ્યેથી પોતાની જવાબદારી નીભાવવા માટે ઉત્સુક છે. ભવિષ્યમાં સરકારી અધિકારી બન્યા પછી પણ આવી જ તત્પરતા રાખશે અને રાત્રે ૧૨.૦૦ વાગ્યે પણ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે તત્પર રહેશે એવા હકારાત્મક વિશ્વાસ સાથે આનંદની લાગણી અનુભવું છું.

16 ડિસેમ્બર 2018ના રોજ લેવાનારી પરીક્ષાના ઉમેદવારો જોગ

આગામી ૧૬ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ જયારે નાયબ મામલતદાર અને નાયબ સેકશન અધિકારીની પ્રાથમિક કસોટી યોજાઇ રહી છે ત્યારે ઉમેદવારોને ખાસ વિનંતી કે પોતાના બેઠક નંબર એનકોડ કરવામાં ધ્યાન રાખે. જેટલી ઉમેદવારો ઓછી ભૂલો કરશે તેટલી આયોગને ઉત્તરવહીની ચકાસણી/બેઠક નંબરની સરખામણી કરવામાં ઓછી મહેનત કરવી પડશે અને પરિણામ વધુ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાય. સૌ ઉમેદવારોને હૃદય પૂર્વકની શુભેચ્છાઓ….

સાભાર ઃ શ્રી દિનેશભાઇ દાસાની ફેસબુક પોસ્ટ…ગુજરાતના યુવાઓના વિશાળ હિતમાં પ્રકાશિત

December 6, 2018
wrun.jpg
1min16180

શહેરની અનેક સંસ્થાઓ દ્વારા આગામી તા.16મી ડિસેમ્બર 2018ના રોજ રવિવારે સવારે 6 વાગ્યાથી ખાસ મહિલાઓ માટે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ જે પારિવારીક જવાબદારીઓ, પારીવારીક અને વ્યાવસાયિક વ્યસ્તતાના કારણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેધ્યાન રહેતી હોય છે, આવી સ્થિતિમાં મહિલાઓ સ્વસ્થ રહે એવા આશયને ઉજાગર કરવાની નેમ સાથે સુરતમાં વુમન રન WRun નું આયોજન કરવામાં આવ્યું છે.

હાલમાં વુમન રન માટેના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે. કોઇપણ મહિલા આ વુમન રન WRun માં સરળતાથી ભાગ લઇ શકે છે. વુમન રન WRunમાં ભાગ લેવા માટે https://wrun.in/ વેબસાઇટ પર લોગ ઇન થવું પડશે.

વુમન રન WRun 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ બે ભાગમાં યોજવામાં આવી છે. ડુમસ રોડ પર ડીકેથ્લોન સ્પોર્ટસથી શરૂ થઇને ત્યાં જ વુમન રન WRun પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વુમન હેલ્થ એન્ડ ફિટનેસના હેતુથી યોજાઇ રહેલી આ વુમન રન WRun મિની મેરેથોનમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવતિઓ જોડાય તે માટે હાલમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સાઇકલિંગમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર અજિલિયાના અજીતા ઇટાલિયાએ પણ વુમન રન WRunને ઉદ્દેશીને આ અપીલ કરી છે.

#WRUN

Posted by Jagdish Italiya on Tuesday, 4 December 2018

December 6, 2018
jica_logo.jpg
1min16420

એક ઝીકા નામનો વાઇરસ આફ્રીકામાં ધૂમ મચાવી રહ્યો છે અને બીજી તરફ ભારતમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે રેલવે ટ્રેકની આસપાસના ગામના ખેડૂતો જીકા નામની કંપની સામે રોષ ઠાલવી રહ્યા છે. જીકા કંપની એટલે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જે.આઇ.સી.એ.). આ એ જ કંપની છે જેને અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માટે રૂ.8 હજાર કરોડની લોન આપવાની છે એવી વાત ચાલી રહી છે. આ કંપની પ્રોજેક્ટની તપાસ માટે આવી રહી છે.

હાલમાં જાપાનીઝ કંપની જીકાનું એક ડેલિગેશન પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઇ રહ્યું છે. જીકા કંપનીનું ડેલિગેશન આવતીકાલ તા.7મી ડિસેમ્બર 2018ના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યું છે. સુરત શહેર અને જિલ્લાના વિસ્તારમાંથી જ્યાં જ્યાંથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થવાનો છે એ તમામ અસરગ્રસ્ત વિસ્તારો, અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત તો લેશે જ જીકાના ડેલિગેટ્સ પરંતુ, સાથોસાથે જમીન ગુમાવનારા ખેડૂતોને પણ જીકા કંપનીના અધિકારીઓ મળવાના છે.

સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ જીકા કંપનીના અધિકારીઓ આવતીકાલ તા.7મી ડિસેમ્બર 2018ના રોજ બપોરે 3 વાગ્યે કામરેજ નજીક કઠોરના સ્વામી નારાયણ મંદિર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો, ખેડૂત આગેવાનો સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે.