CIA ALERT

Slider Archives - Page 339 of 487 - CIA Live

June 14, 2019
vayu11.jpg
1min5960
  • ગીરનાર પર્વત ઉપર દુકાનોના છાપરાં, બાંકડા ઉડયા : પાલિતાણામાં દીવાલ પડતાં એક મૃત્યુ
  • ઉત્તર ગુજરાતના શણગાલ ગામે 2પ મકાનોના છાપરાં ઉડયા : ચાર પશુના મૃત્યુ
  • વેરાવળમાં 14 હોડી ડૂબી, પાંચ ફીશીંગ બોટને નુકસાન : જામનગરમાં 182 વીજ ફીડરને અસર
સૌરાષ્ટ્રના સાગરતટે વિનાશક વાવાઝોડું વાયુ ત્રાટકવાનું હતું પણ સદ્દનસીબે ભયાનક તબાહી ટળી ગઈ છે છતાં ચક્રાવાતની અસરના કારણે અનેક જગ્યાએ, ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, થાંભલા ઊડયા હતા. દરિયામાં પ્રચંડ મોજાં ઊછળ્યા હતા. કોડીનાર, મૂળ દ્વારકા, માઢ બંદરમાં 30 જેટલા મકાનો ધરાશાયી થયા હતા અને અમુક મકાનોમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. પોરબંદરમાં ભૂતેશ્વર મહાદેવનું મંદિર પડી ગયું હતું તો માધવપુરમાં મોબાઈલનો ટાવર પડી ગયો હતો. વેરાવળમાં 14 જેટલી બોટ ડૂબી ગઈ હતી. વાવાઝોડાંની દિશા બદલાઈ છે પણ ખતરો ટળ્યો નથી, તેવી હવામાન વિભાગની ચેતવણી બાદ સ્થળાંતર કરાયેલા લોકોનો આશરો યથાવત્ રાખવામાં આવ્યો છે અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વાવાઝોડાં અને વરસાદની સ્થિતિ વચ્ચે અનેક જગ્યાએ પ્રસુતાઓને ડિલીવરી કરાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનો ચિતાર જોઈએ તો, મોરબીના અહેવાલ મુજબ, દરિયા વિસ્તારના 16 ગામોના 8600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પ1 આશ્રયસ્થાઓ કાર્યરત કરાયા છે અને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા છે. ભાવનગરના મહુવામાં તંત્ર દ્વારા શાળા નંબર પમાં સ્થળાંતરીત થયેલા નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ આ સ્થળની મુલાકાત લઈ ઘટતું કરવા સૂચના આપી હતી અને વ્યવસ્થા કરી હતી. પોરબંદરના અહેવાલ મુજબ, અહીં વાવાઝોડાંના પગલે 1પ થી 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. ચોપાટીને કોર્ડન કરી લેવાઈ હતી. પીજીવીસીએલની 93 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પોલીસે હોટેલ, ગેસ્ટ હાઉસ ખાલી કરાવ્યા હતા. ભારે પવનના કારણે 2પ પીલાણ (નાની હોડી) ગૂમ થઈ ગઈ હતી જ્યારે એક ફીશીંગ બોટ તૂટી ગઈ હતી. પોરબંદરમાં સ્થળાંતર કરાયેલા 40 હજાર લોકોને આરોગ્ય વિષયક સુવિધા આપવામાં આવી રહી છે. માળીયા હાટીનામાં અનેક સ્થળે વૃક્ષ પડયા હતા અને દિવસભર ઝાપટાં વરસ્યા હતા. ભાવનગર નજીક ઘાંઘળી ગામે પાંચ વીજ પોલ ધરાશાયી થતાં અંધારપટ છવાયો હતો. કોડીનારના માઢ ગામે દરિયાના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા તે વાતથી મંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજાને વાકેફ કરવામાં આવ્યા હતા અને તેમણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તળાજામાં મેમણ સમાજના લોકોએ ગરીબ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. દરિયા કિનારે આવેલા દીવમાં વૃક્ષો પડયા હતા અને પોલીસે ગોઠવેલા બેરીકેડ ઉડયા હતા. દીવમાં એનડીઆરએફની પાંચ ટીમ તૈનાત હતી. જેતપુરમાં એસટી બસના તમામ રૂટ બંધ કરી દેવાતાં મુસાફરો રઝળ્યા હતા. ડોળાસા વિસ્તારમાં વાવાઝોડાંની સામાન્ય અસર થઈ હતી અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બોટાદમાં સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ફાડર મેલડી માતાજીના મંદિર પાસે બે વૃક્ષ પડી ગયા હતા.
વેરાવળથી મળતા અહેવાલ મુજબ, વેરાવળ બંદર પર લાંગરેલી માંગરોળની ત્રણ, વેરાવળની બે ફીશીંગ બોટોના એન્ક તૂટી જઈ મોટા પથ્થર સાથે અથડાતાં પાંચેય બોટને નુકસાન થયું છે. નાની મોટી 3પ હોડીઓ પણ તોફાની દરિયાની ઝપટે ચડી ગઈ હતી. 62 બોટોને રેસ્કયૂ કરીને બચાવી લેવાઈ હતી. બોટ એસોસિએશનના તુલસીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, બંદરના ઈસ્ટર્ન બેક વોટર વિસ્તારમાં દરિયા કિનારા નજીક 70 જેટલી બોટો લાંગરવામાં આવી હતી. પણ પ્રચંડ પવન અને મોજાંના કારણે બોટને નુકસાન થવાની ભીતિ હોવાથી 62 બોટને બચાવી લેવામાં આવી હતી. 14 બોટ તો સંપૂર્ણ ડૂબી ગઈ છે. આ બોટના કારણે માછીમારોને અંદાજે 1.40 કરોડનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢના અહેવાલ મુજબ, માંગરોળના માળીયામાં 32 હજાર લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે 2પ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વાવાઝોડાંની અસર વિસરાવા લાગતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
તાલાલાના અહેવાલ અનુસાર, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષો અને થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. પ0 વીજકર્મીઓનો સ્ટાફ તૈનાત હતો. આજે તાલાલાના યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ રાખવામાં આવી હતી.
જામનગરથી મળતા અહેવાલ અનુસાર, જામનગર અને દેવભૂમિ દ‰વારકા જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે બપોરે ભારે પવન સાથે વરસાદના કારણે બંને જિલ્લાના 182 જેટલાં વીજ ફિડરોને અસર થઈ હતી અને વીજ પૂરવઠો ખોરવાયો હતો.મોડી રાત્રી સુધીમાં મોટાભાગના વીજ ફિડરોને ચાલુ કરી દેવાયાં હતાં. ગઈકાલે બપોરે અડધી કલાક સુધી ચાલુ રહેલા તોફાની વરસાદના કારણે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક નાના-મોટા વૃક્ષો તૂટી પડયાં હોવાના 38 જેટલાં કોલ ફાયર બ્રિગેડ શાખાને મળ્યાં હતાં.36 જેટલાં ફાયરમેનો સાથેની 6 ટૂકડીઓ દ‰વારા મોડી રાત્રે 2-00 વાગા સુધીમાં આ તૂટી પડેલા વૃક્ષોને માર્ગ પરથી ખસેડી લેવાની કાર્યવાહી કરી તમામ 38 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ‰વારા સંભવિત વાવાઝોડાના પગલે એલર્ટ બન્યું છે.કોઈ ખાના ખરાબી અથવા જાનમાલની નુકશાની થાય નહીં તે માટેના તમામ ચાંપતા પગલાં ભરવામાં આવી રહયાં છે.જેના ભાગરૂપે જામનગર’ જિલ્લાના નિચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને’ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગઈકાલ સવારથી જ વહીવટી તંત્રની ટીમ દ‰વારા લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવાયું હતું અને આજે વહેલી સવાર સુધીમાં જિલ્લાના કુલ 17907 વ્યકિતનું સ્થળાંતર કરી લેવાયું છે.
ઉત્તર ગુજરાતના પ્રાંતીજમાં વાવાઝોડાં સાથે વરસાદ ત્રાટક્યો હતો. અહીં અમીનપુરા ટેકરા વિસ્તારમાં રહેતા કનુભાઈ રાવજીભાઈ વાઘેલાને ઘરના સમારકામ દરમિયાન પતરું ઊડીને વાગી જતાં તેમનું મૃત્યુ થયું હતું. તાલુકામાં ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. બાયડ તાલુકાના શણગાલ ગામે 2પ થી વધારે મકાનોના છાપરાં ઊડી ગયા હતા. આ બનાવમાં ચાર પશુઓના મૃત્યુ પણ થયા છે. ધોરાજીમાં લશ્કરના પ1 જવાનો બે દિવસથી ખડેપગે છે. ધોરાજી અને કંડોરણા વિસ્તારમાં ઝુંપડાંમા રહેતા લોકોને તાકીદથી ખસેડવામાં આવ્યા હતા અને 3પ00 જેટલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવ્સથા કરવામાં આવી હતી.
વીરપુર (જલારામ)થી મળતા અહેવાલ અનુસાર, 2પ0 જેટલા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેતપુર તાલુકાના નવ ગામોના 600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ વીરપુર આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. દ્વારકાના અહેવાલ મુજબ, અહીં ઊંચા મોજાં ઊછળ્યા હતા અને વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.
કેશોદથી મળતા સમાચાર મુજબ, સવારથી પવન સાથે વરસાદ હતો અને ભારે પવનથી વેરાવળ રોડ ઉપર આવેલા દ્વારકાધીશ મારકેટની અગાસીમાં લગાવેલું હોર્ડિંગ કડડભૂસ થતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ ઉપરાંત ચારચોક વિસ્તારમાં આવેલી મારકેટમાં બાથરૂમની દિવાલ નીચે પડતાં બાઈકનો ભુક્કો બોલી ગયો હતો. વાંકાનેરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, તંત્રે વાવાઝોડાં સામે રક્ષણ મેળવવા તૈયારી કરી હતી અને વૃક્ષોની મોટી ડાળીઓ કાપી હતી પણ કાપેલા ઝાડની ડાળીઓ એક છત ઉપર રાખવામાં આવી હતી. જો વાવાઝોડું ફૂંકાત તો છત ઉપર રાખેલી ડાળીઓ ઊડીને અન્યોને ઈજા કરત. ખાંભાના અહેવાલ અનુસાર, ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા. ખાંભા-ઊના સ્ટેટ હાઈ વછે પર 60 વર્ષ જૂનું પીપરનું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફીક જામ થયો હતો. અને આખો દિવસ વિજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.
રાણાવાવમાં ખોજાબેન્કની બાજુમાં આવેલી હઝરત બાબા જાહેરશાપીરની દરગાહમાં વૃક્ષ ધરાશાયી થયું હતું અને વૃક્ષના કારણે દિવાલ પણ પડી હતી. ચોરવાડમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો અને 300નું સ્થળાંતર થયું હતું. જવાહર ચાવડાએ ચારવાડ બંદરની મુલાકાત લીધી હતી.
જૂનાગઢમાં ગીરનાર પર્વત ઉપર આવેલી દુકાનોના છાપરાં ઉડયા હતા અને પ્રવાસીઓને બેસવાના બાંકડા પણ ઉડયા હતા. ટંકારાથી જાણવા મળ્યા મુજબ, અહીં સ્થળાંતરીત કરાયેલા લોકોને કન્યા શાળામાં આશરો અપાયો હતો. ટંકારામાં આર્ય વિદ્યાલય તથા ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા સ્થળાંતરીત લોકોને રસ-પુરીના જમણ આપવામાં આવ્યા હતા. મીતાણા ગામે વીજ થાંભલા પડયા હતા. સલાયામાં ઝુંપડપટ્ટીના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. 90 જેટલા અગરીયાઓને પણ ખસેડવામાં આવ્યા છે. મોરબીના નવાગામે બે થાંભલા પડી ગયા હતા તો જામકંડોરણામાં 748 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કોડીનાર નજીક 30 મકાનો તો ધરાશાયી થયા હતા પણ મોટલ પીપળો પણ તૂટી પડયો હતો.
પાલિતાણામાં તળેટી રોડ ઉપર ખીમત વિહાર ધર્મશાળામાં ચણતર કામ ચાલુ હતું ત્યારે સાતમા માળેથી દિવાલનો ભાગ બાજુમાં આવેલા મકાન ઉપર પડતાં સુતેલા બે વ્યક્તિ ઉપર પડયો હતો જેમાંથી એકનું મૃત્યુ થયું છે. ભાવનગરમાં ત્રણ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. ખંભાળીયાના અહેવાલ મુજબ, દ્વારકા જિલ્લાના 194 ગામોમાંથી પપ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દ્વારકામાં 100 વર્ષ જૂનો વડલો ધરાશાયી થયો છે. માંગરોળમાં 100થી 120 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે વરસાદ વરસ્યો હતો અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. દરિયામાં જોરદાર મોજાં ઊછળ્યા હતા. માધવપરુમાં બંધ વાયરલેસ ટાવર ધરાશાયી થયો હતો. ઊનામાં 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. અનેક વૃક્ષો તૂટી પડયા હતા. ભાવનગરના શિપ બ્રકીંગ યાર્ડના ચાર હજાર મજૂરોને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ટ્રનીંગ સેન્ટર કોલોનીમાં આશરો આપવામાં આવ્યો છે.
June 14, 2019
theft.jpg
1min10070

મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કેરાલા રાજ્યની એક ખાનગી ફાયનાન્સ કંપનીનો બ્રાન્ચ મેનેજર બ્રાન્ચ બંધ થઈ ગયા બાદ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી પોતાની પાસે રહેલી ચાવીથી તિજોરીઓ ખોલી લોકોએ ધિરાણ પર મુકેલા રૂ. 2.32 કરોડ સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કેરેલાની એક ખાનગી ફાઇનાન્સ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં ગ્રાહકોને સોના સામે લોન આપી ગ્રાહકોનું સોનું ખાનગી ફાયનાન્સના લોકરમાં મૂકવામાં આવ્યા હતા.

મેઘાણીનગરની બ્રાન્ચમાં એક મહિના પહેલા અમીધર બારોટ બ્રાન્ચ મેનેજર તરીકે જોડાયો હતો. બંને લોકરની બે-બે ચાવી અમીધર પાસે રહેતી હતી. બ્રાન્ચ મેનેજર અમીધર અને અન્ય કર્મીઓ સાંજના છ વાગ્યાની આસપાસ બ્રાન્ચ બંધ કરીને ઘરે ગયાં હતાં અને બ્રાન્ચનો છેલ્લોે સ્ટોક જે તિજોરીમાં સોનું રાખ્યું હતું તે કુલ 593 પેકેટ બેન્કમાં હતા. સવારના નવ વાગ્યે કર્મીઓ ઓફિસ પહોંચ્યાં ત્યારે બ્રાન્ચનું શટર ખુલ્લું હતું અને બોક્સમાં સોનાનું પેકેટ ન મળતાં ઓફિસમાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજર અમીધરને આપેલી ચાવીઓ ઓફિસના ટેબલ પર પડી હતી. તે ચાવીઓ વડે બીજી તિજોરી ખોલી તો તેમાં પણ ગ્રાહકોનાં જે સોનાનાં પેકેટ મૂકેલાં હતાં તે પણ ગાયબ હતાં. જેથી કર્મચારીઓએ બ્રાન્ચ મેનેજર અમીધરનો સંપર્ક કર્યો હતો, પરંતુ બ્રાન્ચ મેનેજર અમીધરે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

June 14, 2019
forbes_1200x1200.jpg
1min5410

ફોબર્સ મેગેઝીને જારી કરેલી વિશ્ર્વની 2000 સૌથી મોટી પબ્લિક કંપનીઓની યાદીમાં ભારતની 57 કંપનીને સ્થાન મળ્યું છે. આ યાદીમાં 61 દેશ આવરી લેવામાં આવ્યાં છે અને તેમાં 575 કંપની સાથે અમેરિકા ટોચ પર છે.

ચીન અને હોંગકોંગ તથા જાપાન અનુક્રમે 309 કંપની અને 223 કંપની સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. એકંદર યાદીમાં સતત સાતમાં વર્ષે ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઇના (આઇસીબીસી) ટોચના સ્થાને રહી છે.

ઓઇલ એન્ડ ગેસ સેકટરમાં રોયલ ડચ શેલ કંપની ટોચ પર છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ક્રમ 11મો આવ્યો છે. જ્યારે એકંદર યાદીમાં આ કંપનીએ 71મું સ્થાન મેળવ્યું છે.

એ જ રીતે, ક્ધઝ્યુમર ફાઇનાન્સ કંપનીઓની વૈશ્ર્વિક યાદીમાં અમેરિકન એક્સપ્રેસ ટોચ પર છે, જ્યારે ભારતની એચડીએફસી આ યાદીમાં સાતમા સ્થાને છે. એકંદર યાદીમાં આ કંપનીનું સ્થાન 332મું છે.

ભારતીય કંપનીઓમાં માત્ર રિલાયન્સે ટોચની 200 કંપનીમા સ્થાન મેળવ્યું છે, જ્યારે એચડીએફસી બેન્ક 209મા, ઓએનજીસી 220મા, ઇન્ડિયન ઓઇલ 228મા સ્થાને છે.

ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એલએન્ડટી, એસબીઆઇ અને એનટીપીસીએ પણ ટોપ-500માં સ્થાન મેળવ્યું છે. ભારતની અન્ય કંપનીઓમાં ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, કોટક મહિન્દ્ર બેન્ક, ભારત પેટ્રો, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, આઇટીસી, ભારતી એરટેલ, વિપ્રો, જેએસડબલ્યુ સ્ટીલ, પાવરગ્રીડ, હિન્દાલ્કો, એચસીએલ ટેકનો, એમએન્ડએમ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ગેઇલ વગેરેનો સમાવેશ હતો.

June 14, 2019
pension-1280x720.jpg
1min16250

પ્રધાન મંત્રી કિસાન પેન્શન યોજનામાં ખેડૂતે દર મહિને ફક્ત રૂ. 100 ભરવાના રહેશે અને સરકાર પણ એટલા જ રૂપિયા એલઆઇસીને આપશે.

18-40 વર્ષની વયના નાના અને મધ્યમ ખેડૂતો આ યોજનામાં ભાગ લઇ શકશે. તેઓ જ્યારે 60 વર્ષના થશે ત્યારે એમને દર મહિને રૂ. 3000નું પેન્શન જીવનભર આપવામાં આવશે. મોદી 2.0 સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં પહેલા ત્રણ વર્ષ દરમિયાન પાંચ કરોડ લાભકર્તા માટે પીએમ કિસાન યોજનાને મંજૂરી આપી હતી. આ માટે સરકારને દર વર્ષે રૂ. 10,774.5 કરોડનો ખર્ચ થશે. કેન્દ્રીય કૃષી પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજના વિશે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની વિનંતી કરી હતી.

June 14, 2019
ISRO.jpg
1min6110

ભારત પાસે પોતાનું ઍર સ્પેસ સ્ટેશન અવકાશમાં સ્થાપવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત ઇસરોના પ્રમુખ કે સિવાને જાહેર કરી હતી.

એમના કહેવા પ્રમાણે આ રીતે ભારત વધુ માનવોને અવકાશમાં મોકલી શકશે. આ વિશે એમણે આપેલી રસપ્રદ માહિતીમાં જણાવ્યું હતું કે અમે ગગનયાન કાર્યક્રમ શરૂ કર્યો છે. લાંબા ગાળાની યોજના પ્રમાણે અમે ભારતનું અલાયદુ ઍર સ્પેસ સ્ટેશન બનાવીશું. ભારત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ) સાથે નહીં જોડાય.

અમે ચન્દ્ર અને ધૂમકેતુ પર માનવ મોકલવાના આંતરરાષ્ટ્રીય મિશનમાં સહભાગી થઇશું. સ્પેસ પ્રોગ્રામ માટે અમારી પાસે સ્પષ્ટ યોજના છે. આપણું સ્પેસ સ્ટેશન ઘણું નાનું હશે. અમે નાનકડું મોડ્યુલ મોકલીશું અને એનો ઉપયોગ માઇક્રોગ્રેવિટી પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે. આપણા સ્પેસ સ્ટેશનનું વજન વીસ ટન જેટલું હશે.

જોકે, એમણે એ વાત સ્પષ્ટ કરી હતી કે સ્પેસ સ્ટેશન બનાવીને તેઓ સ્પેસ પર્યટન શરૂ કરવા નથી માગતા. ગગનયાન મિશન બાદ 2022 સુધીમાં તેઓ સરકારને મંજૂરી માટે અરજી મોકલશે તથા આ યોજના પૂર્ણ થતા પાંચથી સાત વર્ષનો સમય લાગશે.

June 14, 2019
nana.jpg
1min6440

ભારતમાં મી ટૂ ઝુંબેશ હેઠળ નોંધાવવામાં આવેલો પહેલો કેસ ઊંધા માથે પછડાયો છે અને આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ફરિયાદ ખોટી હોવાનો અહેવાલ રજૂ કરતાં હવે આ આખા પ્રકરણે નવો વળાંક લીધો છે. એકટ્રેસ તનુશ્રી દત્તા દ્વારા મીટૂ ઝુંબેશ હેઠળ નાના પાટેકર સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી અને પછી પોલીસ સ્ટેશનમાં રીતસરની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ગુરુવારે ઓશિવારા પોલીસ સ્ટેશન દ્વારા અંધેરી કોર્ટમાં ‘બી-સમરી’ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સામે કોઈપણ પુરાવા મળ્યા ન હોવાને પગલે આ અહેવાલ દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે, આવો અહેવાલ દાખલ કરવામાં આવ્યાના બાદ તનુશ્રીના વકીલ નીતિન સાતપુતેએ કહ્યું હતું કે ‘પોલીસે કોર્ટમાં બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો છે કે સી-સમરી રિપોર્ટ રજૂ કર્યો છે તે અંગેની સ્પષ્ટતા હજી સુધી થઈ

નથી. અમારી પાસે ટૂંક સમયમાં આ અહેવાલની નકલ આવશે અને પછી મુંબઈ હાઈ કોર્ટમાં આ અહેવાલને પડકારતી રિટ પિટિશન દાખલ કરવામાં આવશે.’

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ‘પોલીસ આરોપીને બચાવવાના પ્રયાસો કરી રહી છે. તનુશ્રી દત્તા તરફથી જે 10 સાક્ષીના નામ આપવામાં આવ્યા હતાં એમાંથી એકેયને પૂછપરછ પણ કરવામાં આવી નથી તો ક્યા આધારે આ અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે? અમે અંધેરી કોર્ટમાં પહેલાં અમારો જવાબ નોંધાવીશું અને જો અદાલતને અમારી રજૂઆત યોગ્ય લાગશે તો તેઓ પોલીસને ફરી તપાસનો આદેશ આપી શકશે.’

સાતપુતેએ કહ્યું હતું કે ‘આ કેસમાં તપાસ યોગ્ય રીતે ન થઈ હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે અને અન્ય કોઈ તપાસ એજન્સીને તપાસ સોંપવાની માગણી કરવામાં આવશે.’

બીજી તરફ નાના પાટેકરના વકીલ અનિકેત નિકમે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા અહેવાલનું સમર્થન કરતાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારથી અમે કહેતા હતા કે ફરિયાદ ખોટી છે. આખરે સત્ય બહાર આવ્યું છે. મારો અસીલ (નાના પાટેકર) નિર્દોષ છે અને ન્યાય મળશે.’

શું બન્યું હતું?

2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમ્યાન નાના પાટેકરે અણછાજતું વર્તન કર્યું હોવાની ફરિયાદ એકટ્રેસ તનુશ્રી દત્તાએ ઑક્ટોબર-2018માં સોશ્યલ મીડિયા પર મીટૂ ઝૂંબેશ હેઠળ કરી હતી. આ ફરિયાદ બાદ ખળભળાટ ફેલાયો હતો અને નાના પાટેકરને કેટલીક ફિલ્મોમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.

શું છે ‘બી-સમરી’ રિપોર્ટ?

જ્યારે કોર્ટમાં ખાનગી ફોજદારી કેસ દાખલ કરવામાં આવે ત્યારે અદાલત પોલીસને કેસની તપાસ સોંપે છે અને આવા કેસમાં પોલીસ દ્વારા જે અહેવાલ સોંપવામાં આવે તેની ત્રણ શ્રેણી છે જેને એ, બી અને સીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે ફરિયાદમાં તથ્ય છે અને કેસ ચલાવવામાં આવે. બી-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે ફરિયાદ ખોટી છે અને કેસ ચલાવવા યોગ્ય નથી. અને સી-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે પોલીસને આ કેસમાં હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને અદાલતે નિર્ણય લેવો કે કેસ ચલાવવો કે નહીં.

June 13, 2019
fraud.jpg
1min5880

છેલ્લા 11 વર્ષમાં રૂ. 2.05 લાખ કરોડની રકમના લગભગ 50 હજારથી વધુ કૌભાંડ થયા છે. સૌથી વધુ કૌભાંડના કેસ સ્ટેટ બૅંક, એચડીએફસી બૅંક અને આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે, એમ રિઝર્વ બૅંકના આંકડામાં જણાવાયું છે. 2008-09થી 2018-19 દરમિયાન 53334 કૌભાંડના કેસ નોંધાયા છે. તે પૈકી 6811 કેસ આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે જેમાં રૂ. 5033.81 કરોડના કૌભાંડ થયા છે.

સ્ટેટ બૅંકમાં રૂ. 23734.74 કરોડના 6793 કૌભાંડના કેસ છે. એચડીએફસી બૅંકમાં રૂ. 1200.79 કરોડના કૌભાંડ થયા છે.

આરટીઆઈ દ્વારા કરાયેલ અરજીના સંદર્ભમાં રિઝર્વ બૅંકે માહિતી આપી હતી. બૅંક ઑફ બરોડામાં કૌભાંડના 2160 કેસ છે જેમાં રૂ. 12962.96 કરોડની રકમ છે. પીએનબીમાં રૂ. 28700.74 કરોડના 2047 કૌભાંડ થયા છે. એક્સિસ બૅંકમાં રૂ. 5301.39 કરોડ, બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 12358.20 કરોડ, સિન્ડિકેટ બૅંકમાં રૂ. 5820.85 કરોડ, સેન્ટ્રલ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 9041.98 કરોડના કૌભાંડ થયા છે.

આઈડીબીઆઈ બૅંકમાં રૂ. 5978.96 કરોડના 1264 કૌભાંડ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅંકમાં રૂ. 1221.41 કરોડના 1263 કૌભાંડ, કેનેરા બૅંકમાં રૂ. 5113.38 કરોડના 1254 કેસ, યુનિયન બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 11830.74 કરોડના 1244 કૌભાંડ, કોટક મહિન્દ્રા બૅંકમાં રૂ. 430.46 કરોડના 1213 કેસ નોંધાયા છે. ઈન્ડિયન ઓવરસીઝ બૅંકમાં રૂ. 12644.70 કરોડ, ઓરિયેન્ટલ બૅંકમાં રૂ. 5598.23 કરોડ, યુનાઈટેડ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 3052.34 કરોડના કૌભાંડ થયા છે. ખાનગી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. ભારતમાં કાર્યરત વિદેશી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. અમેરિકન એક્સપ્રેસ બૅંકમાં રૂ. 86.21 કરોડ, સિટી બૅંકમાં રૂ. 578.09 કરોડ, એચએસબીસીમાં રૂ. 312.10 કરોડ, રોયલ બૅંક ઓફ સ્કોટલેન્ડમાં રૂ.12.69 કરોડના કૌભાંડ થયા છે. બૅંકોમાં વધી રહેલા કૌભાંડ વિશે સરકારે શ્ર્વેતપત્ર બહાર પાડવું જોઈએ, એવી માગણી કૉંગ્રેસે કરી છે.

June 13, 2019
modi_rajnath.jpg
1min6060

ભારતીય જનતા પક્ષે બુધવારે સંસદીય પાર્ટી કારોબારી કમિટીની રચના કરી હતી, જેમાં લોકસભાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નાયબ નેતા નીમવામાં આવ્યા છે. રાજયસભામાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોટ ગૃહના નેતા અને પીયૂષ ગોયલની નાયબ નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને પણ કારોબારીમાં સ્થાન મળ્યું છે.

ભાજપના વિરષ્ઠ નેતા એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, અરુણ જેટલી અને સુષમા સ્વરાજ કારોબારી સમિતિમાં સભ્ય નથી.

ચીફ વ્હીપ તરીકે જયસ્વાલની નિમણૂક કરવામાં આવી છે. મહિલા સાંસદોને ધ્યાનમાં રાખી પ્રથમવાર ભાજપે ત્રણ મહિલા વ્હીપની નિમણૂક કરી છે. વિવિધ રાજયોના સંસદ સભ્યો માટે બીજા 15 વ્હીપની નિમણૂક કરવામાં આવી છે. લોકસભાના

નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, અર્જુન મુન્ડા, નરેન્દ્રસિંહ તોમર અને જુઆલ ઓરમને સંસદીય કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત તરીકે લેવામાં આવ્યા છે. રાજયસભામાં જે. પી. નડ્ડા, ઓમપ્રકાશ માથુર, નિર્મલા સીતારામન, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રકાશ જાવડેકરને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપવામાં આવશે.

ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ધીયની ભાજપ સંસદીય ઓફિસના ઈનચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જયારે બાલાસુબ્રમણિયમ કુમારસુને સચિવ નીમવામાં આવ્યા છે.

સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા અગાઉ 16 જૂને 3.30 કલાકે કારોબારીની પ્રથમ બેઠક બોલાવવામાં આવશે.

June 13, 2019
vayu-1280x720.jpg
1min11580
વાવાઝોડું ફંટાઈને હવે તેની દિશા બદલી રહ્યું છે. ગુજરાતનો દરિયાકાંઠો પસાર કર્યા બાદ તે ઉત્તર અરબ સાગરમાં કરાચીના દરિયા કિનારામાં પહોંચીને નબળું પડી શકે છે. હાલમાં ગુજરાતના દરિયા કિનારે ‘વાયુ’ની અસરના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હળવો વરસાદ પડી રહ્યો છે.

સેટેલાઇટ ઇમેજીસ કહે છે વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે

હવામાન અંગે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સ્કાયમેટની વેબસાઇટ પર કરવામાં આવેલા ફોરકાસ્ટ અનુસાર તા.13 અને તા.14 જુન દરમિયાન વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા, જુનાગઢ, નલિયા અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત વેરાવળ અને ઓખામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વચ્ચે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હવામાન એજન્સી સ્કાયમેટ ની આગાહી ગુજરાતના રહેવાસીઓ ઉપરાંત રાજ્ય સરકાર માટે રાહતજનક પુરવાર થઇ રહી છે.

વૈશ્વિક રીતે સ્વીકૃત સ્કાયમેટ વેબ ફોરકાસ્ટ કહે છે ગુજરાતની ધરતીને નહીં સ્પર્શે વાયુ

સ્કાયમેટ ફોરકાસ્ટ અનુસાર ‘વાયુ’ વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય પરંતુ તે પોરબંદરના દરિયાકાંઠા નજીકથી પસાર થઈને ઓમાન તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે વાવાઝોડું પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠા નજીકથી પસાર થશે. આ પહેલા ‘વાયુ’ વેરાવળથી દ્વારકા વચ્ચેના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

સ્કાયમેટ મુજબ ‘વાયુ’ વાવાઝોડાનું સિસ્ટમ દરિયામાં ચાલુ જ રહેશે, પરંતુ જમીન તેને નબળું પાડી રહી છે. હાલમાં કેટેગરી 2નું વાયુ વાવાઝોડું નબળું પડી કેટેગરી 1 માં પરિણમી શકે છે. જોકે તેમ છતાં 135થી 145કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને 175 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉદભવતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે NDRFની ટીમોને ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત 3 લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
vayu latest update માટે છબી પરિણામ
June 12, 2019
vayu_main-1.jpg
1min13450

ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડાને લઈને તમામ પ્રકારના તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. દરિયા કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ માછીમારી માટે ના જવાની સૂચના આપાઈ છે. વાવાઝોડુ હવે ગુજરાતથી 350 કિલોમીટર કરતા જેટલા અંતરે છે, જે સતત દીવ અને વેરાવળ તરફ ધસી રહ્યું છે.

ગુજરાતના દરિયા કિનારા પર કોઈ જાનહાનીની ઘટના ના બને તે માટે સ્થાનિકોને છેલ્લા 24 કલાકથી સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર દરિયામાં થઈ રહેલી હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આવામાં દરિયા કિનારે ફરવા ગયેલા પ્રવાસીઓ વાવાઝોડાનો શિકાર ના બને તે માટે પણ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. દીવ, દ્વારકા, કચ્છ વગેરે જગ્યાએ ફરવા માટે ગયેલા દરિયા પ્રવાસીઓને સૂચના આપવામાં આવી છે કે, આજે બપોર પછી દરિયા કિનારા પર ના જવું.

વાવાઝોડાના કારણે વેરાવળ, દીવ, જાફરાબાદ, મહુવા, સોમનાથ વગેરે દરિયા કિનારા પર અસર જોવા મળી રહી છે. અને આ તોફાન દરમિયાન કોઈ જાનહાની ના થાય તે માટે પણ દરિયા કિનારા પર વિવિધ ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.