CIA ALERT
04. May 2024
June 20, 20191min4410

Related Articles



જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Share On :
Print Friendly, PDF & Email

1990ના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા જામનગર સેસન્સ કોર્ટે ફટકારી છે. સનદી અધિકારીઓના વર્ગમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ જ કેસમાં જામનગરની સેશન્સ કોર્ટે આ કેસના આરોપી સંજીવ ભટ્ટની સાથે પ્રવીણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી છે.

સમગ્ર કેસની વિગત એવી છે કે 1990માં થયેલા રમખાણ દરમિયાન સૌરાષ્ટ્રના જામજોધપુર પોલીસે 132 લોકોને માર માર્યો હતો, જેમાં પ્રભુદાસ વિઠ્ઠલાણી નમના શખ્સનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.

જામજોધપુરમાં લઘુમતી કોમની મિલકતોને આગચંપી કરાઈ હતી. તે વખતે સંજીવ ભટ્ટે મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી હતી, અને તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. ફરિયાદ મુજબ સંજીવ ભટ્ટે અટકાયતીઓને ફટકારવાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

મૃતક પ્રભુદાસ વિઠ્ઠલાણીના પરિવારજનોએ આ મામલે તત્કાલિન એએસપી સંજીવ ભટ્ટ તેમજ છ અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વિવાદ વકરતા તત્કાલિક ચીમનભાઈ પટેલની સરકારે કેસને સીઆઈડી ક્રાઈમને ટ્રાન્સફર કર્યો હતો. સંજીવ ભટ્ટ સામે પણ ખાતાકીય કાર્યવાહીનો આદેશ અપાયો હતો. 1996માં સીઆઈડીએ તપાસ પૂર્ણ કરી સંજીવ ભટ્ટ સામે ચાર્જશીટ ફાઈલ કરવા પરવાનગી માગી હતી, જેનો સરકારે ઈનકાર કર્યો હતો.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :