CIA ALERT

Slider Archives - Page 338 of 487 - CIA Live

June 15, 2019
medical.jpg
1min15690

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર અને બુકલેટનું વિતરણ આગામી તા.17મી જુન ને સોમવારથી રાજ્યભરમાં આવેલી એક્સિસ બેંકમાંથી કરવામાં આવશે.

એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી કે જ્યાં નીટના સ્કોરના આધારે પ્રવેશ મળશે. જ્યારે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થેટિક્સ વગેરે કોર્સમાં નીટ સિવાય એડમિશન મળશે. આ તમામ અભ્યાસક્રમોમના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીબી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની સઘળી વિગતો નીચે મુજબની અખબારી યાદીમાં સામેલ કરવામાં આવી છે.

In English

 

એક્સીસ બેંકની આ બ્રાન્ચ પરથી મળશે મેડીકલ એડમિશનના પીન અને બુકલેટ

June 15, 2019
allen_akash.jpg
1min18380

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં જ નહીં દેશના મોટા શહેરોમાં ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને કોચીંગ આપવાનો દેશવ્યાપી ધંધો કરી રહેલા એલન ALLEN અને આકાશ AAKASH નામના કોચિંગ ક્લાસીસો નવા-નવા વિદ્યાર્થીઓ એટલે કે નવો ધંધો મેળવવા માટે કેવા કેવા પેંતરાઓ અજમાવતા હોય છે એની પ્રતીતિ કરાવવાનો પ્રયાસ અહીં કરાયો છે.

તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ)માં એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષાનું પરીણામ જાહેર થયું હતું. આ પ્રવેશ પરીક્ષામાં સ્થાનિક ગુજ્જુ વિદ્યાર્થી વિશ્વ વડોદરીયાએ ટોપ રેન્કરમાં સ્થાન હાંસલ કર્યું છે.

akash & allen માટે છબી પરિણામ

રેન્કર્સનું નામ વટાવી ખાવાની મોડસ ઓપરેન્ડી

વિશ્વ વડોદરીયા ટોપ રેન્કર છે અને એ પોતાનો સ્ટુડન્ટ છે એવી જાહેરાતો અને દાવાઓ એલન ALLEN અને આકાશ AAKASH બન્નેએ કરવા માંડી છે. એલન અને આકાશ પૈકી એલન કહે છે કે વિશ્વ વડોદરીયાએ પોતાના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે અને આકાશ કહે છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સથી કોચિંગ લીધું છે. આ એક પ્રકારની શાબ્દિક રમતો છે જેની સાથે સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ કે લોકોનો ખબર હોતી નથી. કોઇ વિદ્યાર્થી આકાશ કે એલનના ટેસ્ટ પેપરની ડિમાંડ કરે એટલે તેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થાય બસ એટલે એ સિસ્ટમમાં એન્ટર થઇ જાય અને પછી બન્ને ક્લાસીસ એ વિદ્યાર્થી પોતાનો હોવાનો દાવો કરીને તેની ઇમેજ એન્કેશ કરવા માડે છે. આવી પ્રવૃત્તિ પર સરકારનો કોઇ અંકુશ કે નિયમો નથી એટલે કોચિંગ ક્લાસીસો મનફાવે તેવી છટકબારીઓ શોધીને પોતાનો ધંધો રળવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓના નામ એન્કેશ કરવા માંડે છે.

અહીં આકાશ AAKASH કોચિંગ ક્લાસની વેબસાઇટ પર એઇમ્સમાં સેકન્ડ ટોપર વિશ્વ વડોદરીયાનું નામ અને ફોટો છાપીને એવી ભ્રમણા ફેલાવવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓ મેળવેલી સિદ્ધિમાં આકાશનો ફાળો છે. અહીં આકાશ AAKASH ક્લાસે એવો પેંતરો રચ્યો છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સ લર્નિંગથી આકાશનું કોચિંગ લીધું છે.

સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓને એવી ખબર હોતી નથી કે ડિસ્ટન્સ નો અર્થ શું અને ક્લાસરૂમનો અર્થ શું, આકાશ જેવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ રીતસર રેન્કર સ્ટુડન્ટના નામ વટાવી ખાવાની પ્રવૃતિ બેરોકટોક શરૂ કરી દીધી છે.

અહીં એલન ALLEN ક્લાસીસે પણ ગુજરાત સમેત દેશભરના અખબારોમાં એઇમ્સના ટોપર્સ પોતાના હોવાની મોટી મોટી અખબારી જાહેરાતો છપાવી છે. એલનની જાહેરાતમાં પણ વિશ્વ વડોદરીયાનો ફોટો અને નામ સાથે એલન ક્લાસીસે ક્રેડીટ લેવાની કોશિશ કરી છે. એલન ALLEN ક્લાસીસની જાહેરાતમાં એવું દર્શાવાયું છે કે વિશ્વ વડોદરીયાએ તેના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે.

અહીં એલન ALLEN અને આકાશ AAKASHની આ પ્રવૃત્તિ એટલા માટે રજૂ કરવામાં આવી છે કે આવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોની નિયત ફક્ત રૂપિયા રળવાની છે. વિદ્યાર્થીઓ જેટલા વધુ મળશે એટલો ધંધો સારો ચાલશે એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના હોવાનો દાવો કરીને સમગ્ર ભારતમાં એક પ્રકારની જાળ બિછાવવામાં આવે છે અને આવી જાહેરાતો જોઇને સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના રવાડે ચઢી જતા હોય છે.

June 15, 2019
Untitled-1-1280x497.jpg
1min14410

વડોદરા નજીક ડભાઈ તાલુકાના ફરતીકુઈ પાસે આવેલી હોટલ દર્શનના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા સાત મજૂરોના એક પછી એક કૂવામાં જ ગૂંગળાઇ જતા મોત નિપજ્યાની કમકમાટી ભરેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં એરેરાટી ફેલાવી દીધી છે.

ખાળકૂવો સાફ કરવા માટે પહેલા પિતા-પુત્ર ઉતર્યા હતા અને તેમને જોવા માટે અન્ય મજૂરો એક પછી એક ઉતર્યા હતા. ખાળકૂવામાં અત્યંત ઝેરી ગેસ ધરબાયેલો હતો જેનાથી અજાણ મજૂરો અંદર ઉતરતા જ ગૂંગળામણનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં થુવાવી ગામમાં રહેતા પિતા-પુત્ર અશોકભાઇ હરીજન અને હિતેષ હરીજન સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા.

મૃતકોના નામ

1. અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
2. હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
3. મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી)
4. મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી)
5. અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ)
6. શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

7. વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખેંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાળકૂવામાં ઢળી પડ્યો હતો અને તેને બચાવવા માટે અન્ય છ મજૂર ખાળકૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા.

ફરતીકુઈ પાસેની દર્શન હોટલના માલિક હસન અબ્બાસ છે. રાતે હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર અને હોટલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ખાળકૂવામાં ઉતરતા સાથે જ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. ડૂબેલા મજૂરોને બચાવવાને બદલે ગભરાયેલા હોટલ માલિક હસન અબ્બાસે હોટલ બંધ કરીને દીધી હતી.

 

June 15, 2019
import-duties.jpg
1min12850

અમેરિકાથી આયાત થતા બદામ, અખરોટ અને કઠોળ સહિતની 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવા માટેની મુદ્ત સતત પાછી ઠેલ્યા બાદ હવે આગામી 16 જૂનથી ટેરિફમાં વધારો અમલી કરવામાં આવશે, એમ માહિતગાર સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સંદર્ભે નાણાં મંત્રાલય ટૂંક સમયમાંજ નોટિફિકેશન જારી કરશે.

સરકારના ટેરિફ વધારાના પગલાંથી આ 29 ચીજોના અમેરિકાના નિકાસકારો પર વિપરીત અસર પડશે અને આ ચીજોની આયાત મારફતે ભારતને 21.7 કરોડ ડૉલરની વધુ મહેસૂલી આવક થશે. ભારતે અમેરિકાને પ્રતિકારાત્મક ટેરિફ વધારા અંગે જાણ કરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું

નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ ભારતથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનો પર અનુક્રમે 25 ટકા અને 10 ટકા જેટલાં ટેરિફના ઊંચા દર લાદવાનો નિર્ણય લીધો હતો તેના પ્રતિકારમાં ભારતે પણ અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફ વધારવાનો નિર્ણય લીધો હતો. ગત સાલ મે મહિનામા નાણાં મંત્રાલયે અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવાની મુદ્ત 16 જૂન સુધી લંબાવી હતી, પરંતુ ત્યાર બાદ જૂન 2018 પછીથી ઘણી વખત આ મુદ્દત લંબાવવામાં આવી હતી.

અમેરિકાથી આયાત થતાં ઘણાં ઉત્પાદનો પર ટેરિફ વધારવાનું નોટિફાઈ કરવામાં આવ્યું હતું. જેમાં અખરોટ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 120 ટકા, વટાણા, ચણા અને મસૂર દાળ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 70 ટકા અને મસૂર પરની ટેરિફ વધારીને 40 ટકા કરવાનો સમાવેશ થતો હતો.

ગત નાણાકીય વર્ષ 2017-18માં ભારતની અમેરિકા ખાતે નિકાસ 47.9 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે આયાત 26.7 અબજ ડૉલરના સ્તરે રહેતાં વેપારી તુલા ભારતની તરફેણમાં રહી હતી.

June 15, 2019
mbbs.jpg
1min5190

ગુજરાતમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં સરળતા કરવામાં આવી છે. ડોમિસાઈલમાં ગુજરાત ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટિ.ની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો છે. ચાલુ વર્ષથી જ ગુજરાતના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં હોય અને જે વિદ્યાર્થીઓને 10મું ધોરણ અને 12મું ધોરણ ગુજરાતમાં પાસ કર્યું હોય. અને ગુજરાતના પાંચ માન્ય બોર્ડ હોય તેને આ વર્ષથી ડોમિસાઈલ સર્ટિફિકેટ રજુ નહીં કરવાની છૂટ આપવામાં આવે છે. આમ દસ હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઈલ લેવામાં સરળતા કરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જન્મ ગુજરાત બહાર જન્મ થયો હોય અને ગુજરાતમાં ધોરણ 10 અને 12માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ફાર્મ દરમિયાન ડોમિસાઇલ સર્ટી આપવું પડશે. દીવ દાદરા નગર હવેલી તે વિદ્યાર્થીઓ ગુજરાતની બોર્ડની પરીક્ષા આપતા હતા. અને તે વિદ્યાર્થીઓને ગુજરાતની મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપતા હતા. આ વખતે સિલવાસા ખાતે 150 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવી છે. દાદરા નગર હવેલીની નવી મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 સીટનો કોટા રિઝર્વ કરવામાં આવ્યો છે. મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન થશે. આરોગ્ય કમિશનરના વડપણ હેઠળની કમિટી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે અને મેરિટના આધારે પ્રવેશ મળશે. 4650 બેઠક ઉપર મેડિકલમાં પ્રવેશ અપાશે. તથા ધોરણ 12 સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક સાથે 50 ટકા મેળવ્યા હશે. તેવા વિદ્યાર્થીઓ પણ નીટની ટકાવારીને આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે, એવું તેમણે ઉમેર્યું હતું.

June 15, 2019
1min5020

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુએ દિશા બદલી પણ તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારની બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે શુક્રવાર સુવાર સુધીમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા તેમ જ તાલાલા હાઇવે પણ પાણી ભરાઇ જતા તે નદીમં ફેરાવાયો હતો. ગુરુવારની રાત્રિએ તાલાલા અને સૂત્રાપાડામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખાબક્યો હતો, જ્યારે વેરાવળમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાનોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા. બીજી તરફ દીવ, ઉના અને ગીરગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સૂત્રાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમ જ વેરાવળમાં બે, કોડિનારમાં બે, ઊનામાં એક અને ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.ગીરસોમનાથ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. દરમિયાન રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.

June 15, 2019
rain.jpg
1min5090

ગુજરાતમાં વાયા વાવાઝોડાની મધદરિયે વિદાય થયા બાદ તેની અસરરૂપે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં આઠ ઇંચ જ્યારે સૂત્રાપાડામાં છ ઇંચ જેટેલો વસસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બીજી મોટા ભાગના જિલ્લાઓમાં એકથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી સોનલખી નદી વહેતી થઇ હતી તેમ જ દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતી. જ્યારે ઉના અને તાલાલામાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા વહ્યાં હતા.

સોરઠમાં વંથલી પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો હતો. જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યના 114 તાલુકાઓમાં હળવા ઝાપટાંથી લઇ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મૂશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં 61 તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

તાલાલા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, 160 મી.મી, સૂત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે 145 મી.મી., વેરાવળમાં 60 મી.મી., કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30 મી.મી., ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી., માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ જોરદાર ઝાપટાં શરૂ થયા હતા. જિલ્લામાં તળાજા તાલુકામાં 57 મી.મી., ઉમરાળામાં 39 મી.મી., પાલીતાણામાં 34 મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં 33 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., ગારીયાધારમાં 27 મી.મી., શિહોરમાં 14 મી.મી., ધોધામાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં 48 મી.મી., રાણપુરમાં 23 મી.મી., બરવાળામાં 19 મી.મી., બોટાદમાં 14 મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 46 મી.મી., રાજુલામાં 44 મી.મી., ખાંભામાં 35 મી.મી., અમરેલી અને લાઠીમાં 30મી.મી., સાવરકુંડલામાં 29 મી.મી., વડીયામાં 25 મી.મી., લિલિયામાં 22 મી.મી., ધારીમાં 21 મી.મી. અને બાબરામાં 12 મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 42 મી.મી., ધોરાજીમાં 30 મી.મી., જામકંડોરણામાં 17 મી.મી., જેતપુર અને વિછિંયામાં 15 મી.મી., ગોંડલમાં 14 મી.મી., લોધિકામાં 12 મી.મી. વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં સોનગઢમાં 25 મી.મી. અને વ્યારામાં 12 મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત, પોરબંદર, ભરૂચ, નવસારી, ડાંગ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ જિલ્લામાં હળવા ઝાપટાં વરસ્યા હતા.

June 15, 2019
Vayu-kach-sandesh.txt.jpg
1min6300

ગુજરાતને માથેથી માંડ ટળેલું વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછું ફરીને કચ્છ પર 17 અથવા 18મી જૂને ત્રાટકવાની શક્યતા અર્થ સાયન્સ મંત્રાલયે જાહેર કરી હતી. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછુ ફરે એવી શક્યતા છે અને 17 કે 18મી જૂને કચ્છ પર ત્રાટકવાની શક્યતા સર્જાઇ છે. જોકે, વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે, પણ તોય એ કિનારા પર વાવાઝોડા સાથે અથડાશે. આ મામલે ગુજરાત સરકારને વાવાઝોડાની આડઅસર વિશે જાણ કરી દેવાઇ છે અને સરકાર ફરી એકવાર સાબદી થઇ છે. વાવાઝોડું ‘વાયુુ’ અગાઉ ગુરુવારે ગુજરાત પહોંચવાનું હતું, પણ બુધવારે રાતે એની દિશા બદલાઇ હતી. જોકે એ ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર નજીકથી પસાર થયું હતું.

June 15, 2019
doctors_wb.jpg
1min11410

પ.બંગાળમાં સાથી ડૉક્ટર પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરો પરત્વે એકતા દર્શાવવા ઈન્ડિયન મૅડિકલ અસોસિયેશન (આઈએમએ)એ શુક્રવારે ત્રણ દિવસનું રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન આરંભ્યું હતું અને બિનજરૂરી આરોગ્ય સેવા પાછી ખેંચી લઈ 17મી જૂને હડતાળની હાકલ કરી છે.

હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાનું કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા પર લગામ તાણવા કાયદો ઘડી કાઢવાની પણ આઈએમએએ નવેસરથી માગણી કરી છે અને તેમાં નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ એમ જણાવ્યું છે.

ડૉક્ટરો પર અવારનવાર કરવામાં આવતા હિંસક હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આઈએમએએ કાળી પટ્ટી પહેરી, ધરણા કરી, શાંતિપૂર્ણ રીતે સરઘસ કાઢી આજે અને આવતીકાલે પણ દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ અસોસિયેશનોને તેમાં સહભાગી થવાની વિનંતી કરી છે.

કોલકાતાસ્થિત એનઆરએસ કૉલેજ ખાતે ટોળાં દ્વારા ડૉ. મુખરજી પર કરવામાં આવેલા હિંસક હુમલાની ઘટનાને આઈએમએએ વખોડી કાઢી હતી અને ઘટનાને મામલે રાજ્ય સરકાર તરફથી દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.

પ.બંગાળના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની યોગ્ય માગણીઓ કોઈપણ પ્રકારની શરત વિના સ્વીકારવામાં આવવી જોઈએ, એમ આઈએમએના સેક્રેટરી જનરલ આર. વી. અશોકને કહ્યું હતું.

કોલકાતાના ડૉક્ટરોની હડતાળને ટેકો જાહેર કરવા અને તેમના પરત્વે એકતા વ્યક્ત કરવા મુંબઈના 2800 સહિત મહારાષ્ટ્રના 4500 કરતા પણ વધુ ડૉક્ટરોએ પણ એક દિવસની હડતાળ પાડી હતી. હૈદરાબાદ અને તેલંગણામાં જૂનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.

જયપુરમાં એસએમએસ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કાળીપટ્ટી અને હૅલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ડૉક્ટરોએ પણ પ્રતીકાત્મક હડતાળમાં ભાગ લીધો હતો.

રાયપુરમાં અંદાજે 400 જેટલા ડૉક્ટરોએ રાજ્યની સૌથી મોટા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હૉસ્પિટલમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હૉસ્પિટલના પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.

અનેક ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરી જતા પણજીસ્થિત ગોવા મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ સહિતની રાજ્યની હૉસ્પિટલોની સેવા આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી. ચંડીગઢમાં 1200 તો કોઈમ્બતુરમાં 100 ડૉક્ટરોએ ધરણા કર્યા હતા તો મહિલા ડૉક્ટરો પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી.

દરમિયાન, દેશભરના ડૉક્ટરોના આ પગલાંની સીધી અસર દર્દીઓ પર પડી હતી. હજારો દર્દીઓની સારવાર રખડી પડી હતી. દર્દીઓનો આર્તનાદ અસહ્ય હતો. જીવ બચાવનારાઓ જ જીવ લેવા બેઠા છે એવું દર્દીઓના સગાંઓ બોલી રહ્યા હતા. ડૉક્ટરોએ પેશન્ટોને રીતસર વૅન્ટીલેટર પર રાખ્યા છે. દર્દીઓનું દર્દ કોણ સમજશે? એવો આક્રોશ જોવા મળ્યો હતો.

June 14, 2019
jeeadv.png
1min7950

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એન્જિનિયરિંગની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી આઇ.આઇ.ટી. તેમજ એન.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાના આજે જાહેર થયેલા પરીણામની ગણતરીની મિનિટોમાં જ આ સંસ્થાની ત્રણક જેટલી વેબસાઇટ ખોટકાય જવા પામી હતી.

પરીક્ષા સત્તાધીશોએ આજે તા.14મી જુનની સવારે એવી જાહેરાત કરી હતી કે JEE એડવાન્સ 2019નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે. હજુ વિદ્યાર્થીઓ પરીણામ જુએ એટલી વારમાં તો રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. વેબસાઇટ ખૂલતી ન હોવાની ફરીયાદો દેશવ્યાપી ધોરણે ઉપસ્થિત થતાં જેઇઇ એડવાન્સ સત્તાધીશોએ અન્ય વૈકલ્પિક વેબસાઇટ પર પરીણામ જોવાની જાહેરાત કરી હતી. એ વેબસાઇટ પર પણ પરીણામ આજે સાંજે 4 વાગ્યા સુધી જોઇ શકાતા ન હતા.

આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી ભારતની સર્વોચ્ચ સંસ્થાની વેબસાઇટમાં આવા ધાંધીયા થાય એ સમગ્ર દેશ માટે નીચા જોણું છે. ભારતીયો તો આ બાબત જાણે છે પરંતુ, વિશ્વભરમાં આજે ભારતની ફજેતી થવા પામી હતી.

JEE એડવાન્સની પરીણામની વિગતો આ મુજબ છે.