ગુજરાતમાં વાયા વાવાઝોડાની મધદરિયે વિદાય થયા બાદ તેની અસરરૂપે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં આઠ ઇંચ જ્યારે સૂત્રાપાડામાં છ ઇંચ જેટેલો વસસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બીજી મોટા ભાગના જિલ્લાઓમાં એકથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી સોનલખી નદી વહેતી થઇ હતી તેમ જ દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતી. જ્યારે ઉના અને તાલાલામાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા વહ્યાં હતા.

સોરઠમાં વંથલી પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો હતો. જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યના 114 તાલુકાઓમાં હળવા ઝાપટાંથી લઇ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મૂશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં 61 તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
તાલાલા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, 160 મી.મી, સૂત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે 145 મી.મી., વેરાવળમાં 60 મી.મી., કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30 મી.મી., ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી., માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ જોરદાર ઝાપટાં શરૂ થયા હતા. જિલ્લામાં તળાજા તાલુકામાં 57 મી.મી., ઉમરાળામાં 39 મી.મી., પાલીતાણામાં 34 મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં 33 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., ગારીયાધારમાં 27 મી.મી., શિહોરમાં 14 મી.મી., ધોધામાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં 48 મી.મી., રાણપુરમાં 23 મી.મી., બરવાળામાં 19 મી.મી., બોટાદમાં 14 મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 46 મી.મી., રાજુલામાં 44 મી.મી., ખાંભામાં 35 મી.મી., અમરેલી અને લાઠીમાં 30મી.મી., સાવરકુંડલામાં 29 મી.મી., વડીયામાં 25 મી.મી., લિલિયામાં 22 મી.મી., ધારીમાં 21 મી.મી. અને બાબરામાં 12 મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 42 મી.મી., ધોરાજીમાં 30 મી.મી., જામકંડોરણામાં 17 મી.મી., જેતપુર અને વિછિંયામાં 15 મી.મી., ગોંડલમાં 14 મી.મી., લોધિકામાં 12 મી.મી. વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં સોનગઢમાં 25 મી.મી. અને વ્યારામાં 12 મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત, પોરબંદર, ભરૂચ, નવસારી, ડાંગ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ જિલ્લામાં હળવા ઝાપટાં વરસ્યા હતા.