CIA ALERT

Slider Archives - Page 290 of 487 - CIA Live

October 30, 2019
sakib.jpg
1min4970

બંગલાદેશના ટેસ્ટ અને ટી-૨૦ મેચોની ટીમના કેપ્ટન શકિબ અલ હસનને ક્રિકેટના ભ્રષ્ટાચાર (ફિક્સિગં)ના સંબંધમાં આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સહિત તેનો ત્રણ વાર સંપર્ક સાધવામાં આવ્યા પછી તે વાતની સત્તાવાળાઓને જાણ ન કરવા માટે આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા બે વર્ષ માટે મંગળવારે સસ્પેન્ડ કરાયો હતો અને આ કારણે તેને રાષ્ટ્રની ટીમના ભારત ખાતેના પ્રવાસમાંથી બાકાત કરી દેવામાં આવ્યો છે.

બંગલાદેશની ટીમ ૩જી નવેમ્બરથી ભારતમાં ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ અને બે ટેસ્ટનો પ્રવાસ-કાર્યક્રમ શરૂ કરનાર છે.

૩૨ વર્ષના શકિબને પ્રવાસની તૈયારીમાં ટીમની પ્રેક્ટિસથી પણ આઈ. સી. સી.ના આદેશને અનુસરી દૂર રખાયો હતો.

“મને રમતમાંથી બાકાત થઈ જવામાં ઘણું દુ:ખ થઈ રહ્યું છે, પણ મારી ભૂલ બદલ હું આ સજાને સ્વીકારી રહ્યો છું, એમ આઈ. સી. સી. તરફથી બહાર પાડવામાં આવેલ પ્રસાર માધ્યમો માટેની યાદીમાં શકિબે કહ્યું હતું.

શકિબ આવતા વર્ષે આઈ. પી. એલ.માં અને ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયામાં ૧૮મી ઑક્ટોબરથી ૧૫મી નવેમ્બર સુધી યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ નહીં રમી શકે.

બે વર્ષ અગાઉ એક સંભવિત ભારતીય બુકીએ શકિબનો આંતરરાષ્ટ્રીય મેચ પૂર્વે ઓફર આપી સંપર્ક સાધ્યો હતો જે વાતની તેણે આઈ. સી. સી.ના ભ્રષ્ટાચાર વિરોધી ખાતાને જાણ ન કરી હતી.

શકિબનો પ્રતિબંધ બંગલાદેશ ક્રિકેટ બૉર્ડ (બી. સી. બી.)ની પ્રવાસ પહેલાની સમસ્યાઓમાં વધારો કરશે.

તેની ગેરહાજરીમાં ટીમનો સૌથી વરિષ્ઠ ખેલાડી મુશફિકર રહીમ ટેસ્ટ મેચોમાં સુકાન સંભાળશે અને વન-ડે મેચોમાં મહમુદુલ્લાહ રિયાઢ અથવા મોસાદેક હુસેનને નેતૃત્વ અપાશે.

શકિબની આગેવાનીમાં બંગલાદેશના ખેલાડીઓએ તાજેતરમાં હડતાળ પાડી હતી, પણ બી. સી. બી.એ વધુ નાણાંની ચુકવણી સહિત તેઓની માગણી સ્વીકારી લેતા તે પાછી ખેંચી લેવામાં આવી હતી.

શકિબે ત્રણ ફૉર્મેટની ક્રિકેટમાં કુલ ૧૧,૦૦૦થી વધુ રન કર્યા છે અને ૫૦૦થી વધુ વિકેટ લીધી છે.

October 30, 2019
statue-of-unity.jpg
1min9450

૩૧ ઑક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કેવડિયા ખાતે આવવાના છે તે જ દિવસે આદિવાસી સમાજે પોતાના હકોની માગણીઓને લઇને કેવડિયાબંધનું એલાન આપ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની સામે આદિવાસી સમાજની રાષ્ટ્રીય આફત દિવસની ઉજવણીની જાહેરાત કરી છે. ગુજરાતની પૂર્વપટ્ટી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં ૩૧ ઑકટોબરે વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આદિવાસી અગ્રણી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઓળખ, જમીનો, જંગલો, માનવતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજે ૩૧ ઑકટોબરના રોજ કેવડિયા વિસ્તારબંધનું એલાન આપ્યું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકારો નષ્ટ કરીને જો કેવડિયા વિસ્તારને બીજું કાશ્મીર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસીઓ ભાજપના ઝંડાને કાયમી તિલાંજલિ આાપી દેશે. ૩૧ ઑક્ટોબરે અમે અહિંસક આંદોલન કરીશું અને સમગ્ર આદિવાસી પંથક સ્વંયભૂ બંધ પાળશે. વધુમાં પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં વિકાસના નામે સ્થાનિક લોકોને હટાવીને બહારના લોકોને લાવવામાં આવી રહ્યા છે. તેનો અમારો વિરોધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઇને જે બાંધકામ કરાઇ રહ્યું છે, તેને પગલે આદિવાસીઓને નુકસાન થઇ રહ્યું છે, તેનો અમારો વિરોધ છે. ભાજપ કેવડિયાને કાશ્મીર સમજવાની ભૂલ ના કરે, જરૂર પડશે તો દેશના ૧૨.૫ કરોડ આદિવાસીઓ કેવડિયા વિસ્તારને બચાવવા રસ્તાઓ પર આવશે.

October 30, 2019
108.jpg
1min5140

ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષે ૧૦૮ની સેવાઓએ અનેક લોકોની જિંદગી બચાવી હતી. ૧૦૮ને દિવાળીએ ૩,૮૮૫ અને બેસતા વર્ષે ૪,૭૯૫ ઇર્મજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને બેસતા વર્ષે ૨૦.૪૨ ટકાથી વધારે કોલ મળ્યા હતા. ૧૦૮ને દિવાળીએ ગત વર્ષની સરખામણીએ દાઝી ગયેલા દર્દીઓ અથવા તો આગને લગતાં કેસની સંખ્યામાં ૩૮૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ઝઘડા અને મારામારીના બનાવોથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે મળેલા ઇર્મજન્સી કેસમાં ૧૨૮ ટકાનો વધારો થયો હતો, જ્યારે અકસ્માત સહિતના ટ્રોમાના વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકા અને નોન વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાયો હતો.

ઈમર્જન્સી સર્વિસ ૧૦૮ને બેસતા વર્ષે સૌથી વધુ ૭૦૭ કોલ અમદાવાદમાંથી મળ્યા હતા. બેસતા વર્ષે રાજ્યના અન્ય શહેર, જિલ્લામાં સુરતમાંથી ૫૦૨, દાહોદમાંથી ૩૦૩, વડોદરામાંથી ૨૬૯, રાજકોટમાંથી ૨૨૪ કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને અરવલ્લી જિલ્લામાં ૬૪.૭૧ ટકા, મહિસાગરમાં ૫૦.૭૫ ટકા, જામનગરમાં ૫૦.૪૮ ટકા અને બનાસકાંઠામાં ૪૫.૮૮ ટકા, મોરબીમાં ૪૫.૭૧ ટકા વધારે કોલ મળ્યા હતા. સામાન્ય દિવસમાં બર્નના છ કોલ મળતા હોય છે, જ્યારે નૂતન વર્ષે ૨૯ મળ્યા હતા.

આમ આ કેસમાં ૩૮૩.૩૩ ટકાનો વધારો નોંધાયો હતો. મારામારીના બનાવોમાં સામાન્ય દિવસોના ૬૮ની સામે ૧૭૦ કોલ મળતાં ૧૫૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એવી જ રીતે અકસ્માતોના કોલમાં પણ ૧૨૭.૯૧ ટકાનો વધારો નોંધાયો હતો.

October 29, 2019
jyotish.jpg
2min8690

શનિની પનોતી કે ગ્રહયોગોથી ડરાવતા જ્યોતિષોની પહોંચની બહાર સોશ્યલ મિડીયા ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિપાવલીની રજાઓમાં જો કંઇપણ વધારે વખત વંચાતુ મટિરીયલ હોય તો એ જ્યોતિષો દ્વારા કરવામાં આવેલી (C.I.A. Live) વિક્રમ સંવતના નવા વર્ષ માટેની ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથન હોય છે. ગુજરાતમાં જ્યોતિષો દ્વારા કરવામાં આવતી આ ભવિષ્યવાણીઓને લોકો આખું વર્ષ સાચવી રાખતા હોય છે અને તેમાં લખેલું હોય એ બ્રહ્મવાક્ય માની લેતા હોય છે.

આ વખતના જ્યોતિષીઓના કથનમાં એક ઉડીને આંખ વળગે એવી વાત આપ સૌ સાથી શેર કરી રહ્યો છું. સોશ્યલ મિડીયા આજના યુગમાં દૈનિક ક્રિયા કે કાર્યની જેમ વણાઇ ચૂક્યું છે એવું અભિન્ન અંગ થઇ ચૂક્યું છે. (C.I.A. Live) સોશ્યલ મિડીયાનો સૌથી નકારાત્મક પ્રભાવ વિદ્યાર્થીઓ પર સૌથી વધુ છે. એવી જ રીતે સ્ત્રી વર્ગ સોશ્યલ મિડીયા અને સાઇબર ક્રાઇમથી ભોગ બનતી હોવાની ઘટનાઓ રોજિંદી બની ચૂકી છે. ધંધા-રોજગાર માટે સોશ્યલ મિડીયાના સારા-નરસા પ્રસંગો પણ રોજેરોજ જોવા મળે છે.

નૂતન વર્ષની ભવિષ્યવાણીઓનો પ્રભાવ લોકો પર હોય છે સોશ્યલ મિડીયાથી થતાં નફા નુકસાનનો કોઇ જ પ્રભાવ જ્યોતિષોની ભવિષ્યવાણીઓ પર નથી

વિક્રમ સંવત 2076ના વર્ષ માટે જ્યોતિષોએ જુદા જુદા પ્લેટફોર્મ પરથી કરેલી ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથનમાં રોજેરોજની પ્રવૃતિઓ ત્યાં સુધી કે ગાયને શું ખવડાવવું, ગરીબોને શું દાન આપવું, કઇ દિશામાં બેસવું, કઇ દિશામાં સૂઇ જવું, કાળા મરી, હળદર, દૂધ કોને ક્યાં કેવી રીતે ચઢાવવું વગેરેનું જ્ઞાન પીરસતા જોવા મળે છે પણ સોશ્યલ મિડીયાથી થતા નુફા નુકસાન બાબતે એક હરફ ઉચ્ચાર્યો નથી. (C.I.A. Live) જ્યારે સામાન્ય લોકોની દૈનિક ક્રિયાઓ, દિનચર્યા અંગેની તમામ વાતો, પાસાઓ જ્યોતિષો આવરી લેતા હોય ત્યારે સોશ્યલ મિડીયા તો દૈનિક કાર્યનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેના નફા-નુકસાનની સારી નરસી બાબતો સામાન્ય લોકો પર રોજેરોજ વર્તાતી જોવા મળે છે. પણ વિક્રમ સંવત 2076 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં સોશ્યલ મિડીયા જ્યોતિષોની પહોંચની બહાર હોવાનું જણાય આવે છે.

આવી સ્થિતિમાં વિક્રમના નવા વર્ષમાં જ્યોતિષીઓએ કરેલી આગાહીઓમાં ક્યાંયે સોશ્યલ મિડીયાથી થનારા નફા નુકસાનનો કોઇ જ નામોલ્લેખ સુદ્ધાં નથી. બુદ્ધિજીવી વર્ગ આમેય જ્યોતિષીઓના કથનને માનતા નથી ત્યારે આ મુદ્દો તેમની દલીલને બળ આપી રહ્યો છે.

શનિની પનોતી કે અન્ય ગ્રહયોગો અંગે લોકોને ડરાવતા જ્યોતિષો સોશ્યલ મિડીયાના અજગરી ભરડાંથી થતાં નુકસાનથી લોકોને સાવચેત નથી કરી રહ્યા

Symbolic pic : CIA Live

સોશ્યલ મિડીયાથી વિદ્યાર્થી વર્ગને શું નુકસાન

  • વિદ્યાર્થીઓનો અભ્યાસ સોશ્યલ મિડીયા બગાડી રહ્યું છે
  • આરોગ્ય બગડે એ રીતે વિદ્યાર્થીઓ સોશ્યલ મિડીયાના આદી બની ચૂક્યા છે.
  • વિદ્યાર્થીઓ માટે વ્યસન બની ચૂક્યું છે સોશ્યલ મિડીયા
  • પબજી જેવી ગેમ્સ પર સરકારી પ્રતિબંધો મૂકી દેવા પડ્યા હતા (C.I.A. Live)
  • કેટલીક ગેમ્સ રમતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધાના દાખલા વિશ્વભરમાં બન્યા

સોશ્યલ મિડીયાથી સ્ત્રી વર્ગને નુકસાન

  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાના કારણે અનેક સ્ત્રીઓના સંસારમાં કલેષ જન્મે છે
  • સોશ્યલ મિડીયાના દુરુપયોગથી અનેક મહિલાઓ સાઇબર ક્રાઇમનો ભોગ બની
  • સોશ્યલ મિડીયા, સેલ્ફીના ચક્કરમાં અનેક સ્ત્રીઓ પોતાના બાળકોના ઉછેરમાં સમય આપી શકતી નથી (C.I.A. Live)
  • અનેક મહિલાઓ, યુવતિઓના સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરાયેલા ફોટાને મોર્ફ કરીને તેમની બદનામી કરવામાં આવી

સોશ્યલ મિડીયાથી માનસિક-શારીરીક આરોગ્યને ગંભીર નુકસાન

  • કામકાજના માટે 24 કલાકમાંથી માંડ 14 કલાક મળે તેમાંથી 3-4 કલાક સોશ્યલ મિડીયામાં બિનજરૂરી પ્રવૃતિઓમાં વેડફાવા માંડતા નાણાંકીયા આવક અને ક્રિએટિવીટી ઘટી જવા પામી છે.
  • એવા લોકો મંદી મંદીના બૂમો પાડી રહ્યા છે જેઓ સોશ્યલ મિડીયા પાછળ પોતાના કામના કલાકો અને મગજ બન્ને બગાડતા જોવા મળે છે. (C.I.A. Live)
  • શારીરીક અને માનસિક આરોગ્ય બન્ને સામે સોશ્યલ મિડીયાએ જોખમ ઉભા કર્યાના દાખલાઓ રોજેરોજ જોવા-જાણવા મળી રહ્યા છે.
  • સોશ્યલ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયાથી બનતા ગુનાઓ વધી રહ્યા છે. સાઇબર ક્રાઇમથી બચવું આજે મહત્વની બાબત બની ચૂકી છે.
  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાને કારણે આર્થિક નુકસાનીનો કોઇ અંદાજ જ નથી. જે યુઝર્સ પહેલા 500 એમ.બી.ડેટા મહિને કરકસરથી વાપતા હતા એ યુઝર્સને આજે દૈનિક 1500 એમ.બી. ડેટા ઓછો પડી રહ્યો છે. સોશ્યલ મિડીયાના કારણે ઇન્ટરનેટને વપરાશ વધ્યો અને વપરાશ વધતા ડેટા પેક પાછળના ખર્ચા પણ વધ્યા.

એવું નથી કે સોશ્યલ મિડીયાથી નુકસાન જ નુકસાન છે ફાયદાઓ પણ અનેક છે

  • જીવનસાથી આ વર્ષે મળશે એવી આગાહી કરતા જ્યોતિષો એવું નથી કહી રહ્યા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કે વ્હોટ્સ એપ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી જીવનસાથી મળશે. આજે સોશ્યલ મિડીયાથી લોકોનો જીવનસાથી મળી રહ્યા છે અગર તો જીવનસાથીની સાચી ઓળખ સોશ્યલ મિડીયાથી લોકો મેળવી રહ્યા છે. (C.I.A. Live)
  • મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ સોશ્યલ મિડીયા પોસ્ટ્સનો સહારો લઇને ઉમેદવારોનું વ્યક્તિત્વ અને વ્યક્તિગત પસંદગીનો તાગ મેળવતા હોય છે.
  • ધંધા-રોજગારમાં લોકો પ્રત્યક્ષ બિઝનેસ ટુ કસ્ટમર, ડાયરેક્ટ વેપારથી નુકસાન પામતા લોકોને સોશ્યલ મિડીયા માર્કેટિંગ, ઇનડાયરેક્ટ માર્કેટિંગથી ભરપૂર ફાયદો મળ્યો. આમાં કેમ જ્યોતિષો કંઇ કહી શક્તા નથી.

October 29, 2019
pmmodi_riyadh.jpg
1min6990

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે નવી દિલ્હીથી સાઉદી અરબ જવા માટે નીકળ્યા હતા. ભારતમાં ભાઇબીજની વહેલી સવારે તેઓ સાઉદીની રાજધાની રિયાધ પહોંચ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાદના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. સ્થાનિક સમય મુજબ ત્યાં મધરાત હતી આમ છતાં તેમનું ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર રિયાદની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે.

વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કે જે મુખ્ય સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે તેમાં ભારત-સાઉદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પરિષદની શરૂઆત કરવી, રૂપે કાર્ડ શરૂ કરવું તથા બંને દેશોની ઈ-પ્રવાસ પ્રણાલી વચ્ચે સમન્વય લાવવાની સમજૂતીનો સમાવેશ થાય છે.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રૂપે કાર્ડ લોન્ચ કરશે. સાથે જ તે ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ (FII)ના ત્રીજા સત્રમાં શામેલ થશે. તે મંગળવારે રાત્રે દિલ્હી પરત ફરશે.

October 29, 2019
md_drug.jpg
1min7110

દિવાળીના તહેવારોની આડમાં ટ્રેન મારફતે મુંબઇ પહોંચાડવામાં આવી રહેલા ડ્ર્ગ્સના મોટા કન્સાઇન્મેન્ટને સૂરત રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજે 3.5 કરોડની જંગી કિંમતના આ જથ્થાને બે શખ્સો ટ્રેન મારફતે મુંબઇ લઇ જઈ રહ્યા હતા.

Symbolic Photo

સુરતમાં ફરી બે શખસો ભારે ભરખમ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. સુરત ટ્રેનમાંથી રૂ.૩.૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

ડીઆરઆઈની ટીમે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. અને આ ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો ૭.૫ કિલો હતો કે જેની બજારમાં કિંમત ૩.૫ કરોડ જેટલી થાય છે. ડ્રગ્સને લઈ બે શખસો ટ્રેનમાં હતા. આટલા ભારે જથ્થામાં ડ્રગ્સ દિલ્હીથી મુંબઈ લઈ જવાતું હતું. જે બે શખશો ઝડપાયા એ હરિયાણાના રહેવાસી છે અને તે મુંબઈ આ ડ્રગ્સને ડિલિવરી કરવાના હતા પરંતુ એ પહેલા સુરતમાં તેનું સુરસુરિયું થઈ ગયું અને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.

October 28, 2019
pm_tweet.jpg
1min5050

આજથી શરુ થતા હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2076ના કારતક માસ, શુક્લપક્ષના પ્રથમ દિવસ કે જેને ગુજરાતીઓ પરીવારો નવું વર્ષ તરીકે ઉજવે છે. ખાસ ગુજરાતી સમાજને નવા વર્ષ નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

આજરોજ તા.28મી ઓક્ટોબર 2019ને સોમવારે સવારે 7.57 કલાકે વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાતી ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક!’

October 28, 2019
warner.jpg
1min4510

ડેવિડ વોર્નરે તેની બૅટિંગ કાબેલિયતના ફરી પુરાવા આપતા ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી ઑસ્ટ્રેલિયાની ટીમને રવિવારે અહીં શ્રેણીની પહેલી મેચમાં શ્રીલંકા સામે ૧૩૪ રનથી વિજય અપાવ્યો હતો.

ઑસ્ટ્રેલિયાનો ૧૩૪ રનનો વિજયી-માર્જિન અત્યાર સુધી એણે જીતેલી તમામ ટી-ટ્વેન્ટી મૅચોમાં સર્વોચ્ચ છે. અગાઉ ૧૦૦ રન એનો સર્વોત્તમ માર્જિન હતો જે ૨૦૧૮માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે નોંધાયો હતો.

મેન ઑફ ધ મેચ જાહેર કરાયેલ વોર્નરે તેની વર્ષગાંઠની ઉજવણીમાં અણનમ ૧૦૦ રન કરી ઑસ્ટ્રેલિયાને બે વિકેટે ૨૩૩ રનના જુમલે પહોંચાડ્યું હતું જેમાં તેણે કેપ્ટન એરોન ફિન્ચ તથા ગ્લેન મેક્સવેલ જોડે સદીની બે ભાગીદારી પણ નોંધાવી હતી.

શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ફક્ત ૯૯ રન કરી શકી હતી જેમાં લેગ-સ્પિનર એડમ ઝમ્પાએ ૧૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી એશિઝ સિરીઝ તથા રાષ્ટ્રીય સર્કિટની નવી ક્રિકેટ મોસમમાં નબળા દેખાવ બાદ વોર્નરે ૫૬ બોલમાં ચાર છગ્ગા અને ૧૦ ચોક્કા સાથે પોતાની સદી નોંધાવી હતી.

ડાબોડી ઓપનિંગ બેટ્સમેન વોર્નરે ઑસ્ટ્રેલિયાએ એશિઝ જાળવી રાખેલ છેલ્લી શ્રેણીમાં પોતાના દસ દાવમાં કુલ માત્ર ૯૫ રન કર્યા હતા, પણ રવિવારે અહીં તેણે શ્રીલંકાના બૉલરોને ઝૂડી કાઢયા હતા, જેમાં કાસુન રજિતા તેની ચાર ઓવરમાં ૭૫ રન આપી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ખર્ચાળ બન્યો હતો.

શ્રીલંકાના દાવમાં પેટ કમીન્સે દાનુશ્કા ગુનાથિલાકા (૧૧) અને ભાનુકા રાજાપક્સા (૨)ને ઉપરાઉપરી બોલમાં આઉટ કર્યા હતા અને દાસુન શાનાકાએ ૧૭ રનનો સર્વોત્તમ બૅટિંગ દેખાવ કર્યો હતો. કેપ્ટન મલિન્ગા ૧૩ રન કરી અણનમ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ફિન્ચે ૩૬ બોલમાં ત્રણ છગ્ગા અને આઠ ચોક્કા સહિત ૬૪ રન કર્યા હતા અને વોર્નર જોડે પહેલી વિકેટે ૧૨૨ રનની ભાગીદારી નોંધાવી હતી.

મેક્સવેલે ૨૮ બોલમાં ફટકાબાજીભર્યા ૬૨ રન કર્યા હતા જેમાં ત્રણ છગ્ગા અને સાત ચોક્કાનો સમાવેશ હતો તથા વોર્નર જોડેની ભાગીદારીમાં ૧૦૭ રનનો ઉમેરો કરી દાવની છેવટની ઓવરમાં આઉટ થયો હતો.

૨૦૦૭માં સિડની ખાતે ઈંગ્લેન્ડ સામેની મેચમાં ૨૨૧ રન બાદ ઑસ્ટ્રેલિયાની ટીમનો ઘરઆંગણે ટી-૨૦ ક્રિકેટમાં આ સૌથી મોટો જુમલો બન્યો હતો.

શ્રેણીની અન્ય બે મેચ બ્રિસ્બેન તથા મેલબર્ન ખાતે રમાશે અને ત્યાર પછી, પાકિસ્તાનની ટીમ સિડની, કેનબેરા તથા પર્થ ખાતે ત્રણ મેચની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવનાર છે.

ઑસ્ટ્રેલિયામાં આવતા વર્ષે ઑક્ટોબરમાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાનાર છે.

ટૂંકો સ્કોર:

ઑસ્ટ્રેલિયા: ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૩૩ (એ. ફિન્ચ ૬૪, ડી. વોર્નર ૧૦૦ અણનમ, જી. મેક્સવેલ ૬૨, સેન્ડાકન ૪૧ રનમાં એક, શનાકા ૧૦ રનમાં એક).

શ્રીલંકા: ૨૦ ઓવરમાં નવ વિકેટે ૯૯ (સ્ટાર્ક ૧૮ રનમાં બે, કમીન્સ ૨૭ રનમાં બે, ઝમ્પા ૧૪ રનમાં ત્રણ, એગાર ૧૩ રનમાં એક).

October 28, 2019
newyear.jpg
1min5180

પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ઉમંગ અને દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળીની રવિવારે લોકોએ મનભરીને ઊજવણી કરી હતી. ફટાકડા તેમ જ મીઠાઈ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. દરમિયાન લોકોએ સંવત ૨૦૭૫ની વિદાય અને ૨૦૭૬ના નૂતન વર્ષને અવકારવા આગોતરી તૈયારીઓ કરી લીધી હતી.

આજરોજ તા. ૨૮મી ઑક્ટોબર કારતક સુદ એકમને સોમવારે ગુજરાતમા પરંપરાગત રીતે નૂતન વર્ષ નિમિત્તે પરિજનો નવાં વસ્ત્રો પહેરી એક બીજાને ઘરે મળવા પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.

આજરોજ સોમવાર તા.28મી ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાઇ રહ્યું છે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થઇ રહી છે. નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો. હિન્દુનો આ સૌથી મોટો તહેવાર હોવાથી લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દરમિયાન રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને બજારોમાં રોનક જોવા મળી હતી.

દરમિયાન તા.27મી ઓક્ટોબર 2019ના રોજ દિવાળી નિમિત્તે વેપારીઓએ શુભમુહૂર્તમાં ચોપડાપૂજન કર્યાં હતા. કેટલાક ઠેકાણે ચોપડાને બદલે કોમ્પ્યુટરનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરો અને દેવસ્થાનકોમાં અન્નકૂટ ભરાવામાં આવ્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિર પરિસરમાં ૧૦ હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાઈ હતી અને સૌ કોઈએ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.

October 28, 2019
modi_diwali.jpg
1min5470

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એલઓસી ખાતે ફરજ બજાવતાં સૈનિકોને મળતા તેઓ વડા પ્રધાનની અચાનક મુલાકાતથી અત્યંત ખુશ થઇને ગૌરવ અનુભવ્યું હતું. સૈનિકો ભાવવિભોર થયા હતા

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦નાબૂદી બાદ વડા પ્રધાન મોદીની જમ્મુના સરહદી જિલ્લામાં પ્રથમ મુલાકાત હતી. ઇન્ફેન્ટ્રી ડે ની ઉજવણી પણ સાથે થઇ છે.

બી. જી. બ્રિગેડ વડા કાર્યાલય ખાતે વડા પ્રધાને સૈનિકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાનની મુલાકાતે અમારી દિવાળી યાદગાર બનાવી છે, એમ સૈનિકોએ કહ્યું હતું. વડા પ્રધાનની મુલાકાતથી અમે આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા અને ગૌરવ અનુભવીએ છીએ. સૈનિકોનું નૈતિક મનોબળ મજબૂત બન્યું છે, એમ સૈનિકોએ કહ્યું હતું.

દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોની કામગીરીના વડા પ્રધાને વખાણ કર્યા હતા. સરકાર તમારી પડખે છે એવી ખાતરી તેમણે આપી હતી. પાકિસ્તાને આ વર્ષે ૨૧૦૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. ૨૯ ભારતીયોનાં મોત થયા છે. સરહદ પર તકેદારી રાખવાનું ચાલુ રાખવા મોદીએ સૈનિકોને કહ્યું હતું. નરેન્દ્ર મોદી

૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ દિવાળી દર વર્ષે જવાનોની સાથે મનાવે છે. ૨૦૧૪માં લડાખના સિયાચીનમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. ૨૦૧૫માં પંજાબ સરહદે સુરક્ષા જવાનો સાથે દિવાળીમાં રહ્યા હતા. ૨૦૧૬માં હિમાચલપ્રદેશમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળીનો સમય પસાર કર્યો હતો. ૨૦૧૭માં ઉત્તર કાશ્મીર અને ૨૦૧૮માં ઇન્ડો-ચાઇના બોર્ડર નજીક આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

રવિવારે દિવાળી એલઓસી નજીક ફરજ બજાવતાં સુરક્ષા જવાનો સાથે ઉજવી હતી. તેઓ બે કલાક રહ્યા હતા. થોડા સમય અગાઉ જ પાક આર્મીએ ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો દેશના જવાનો મારા પરિવાર જેવા છે એમ મોદીએ કહ્યું હતું.

તેમણે રાજોરીમાં હોલ ઓફ ફેમની મુલાકાત લીધી હતી. રાજોરી અને પુંચ વિસ્તારની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે હોલ ઓફ ફેમને પરાક્રમ-પ્રેરણા અને પાવનભૂમિ ગણાવી હતી આપણા બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરીને દિવાળી વધુ મધુર બની છે.