CIA ALERT
19. May 2024
November 9, 20191min2950

Related Articles



આજે અયોધ્યા રામ જન્મભૂમિ પર સર્વોચ્ચ અદાલતનો ફેંસલો

Share On :
Print Friendly, PDF & Email

સાત દાયકાથી ચાલ્યા આવતાં દેશનાં સર્વોચ્ચ સંવેદનશીલ ધાર્મિક અને રાજકીય, અયોધ્યા વિવાદમાં આજે તા.9મી નવેમ્બર 2019 સવારે 10.30 કલાકે દેશની સર્વોચ્ચ અદાલત અંતિમ અને ઐતિહાસિક ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ શ્રી ગોગોઈ સમેત 5 ન્યાયાધીશોની બનેલી બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવે એ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સતર્ક રહીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી દીધી હતી.

રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈનાં નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે તા.9મી નવેમ્બર 2019ની સવારે આપવાની હોવાથી તા.8મીને શુક્રવારની રાતથી જ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ અપ્રિય ઘટના આકાર ન પામે એના માટે બંદોબસ્ત ગોઠવવા માંડી હતી.

બીજીબાજુ બન્ને પક્ષકારો તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે, ચુકાદો ભલે કોઈના પણ પક્ષે આવે પરંતુ દેશમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેવા જોઈએ.

અયોધ્યા વિવાદમાં પહેલીવાર 18પ3માં હિંસા થયેલી અને ત્યાર પછીથી જ આ વિવાદ વધુ ઘટ્ટ બનતો ગયો હતો. 188પમાં વિવાદ પહેલીવાર જિલ્લા અદાલતમાં પહોંચ્યો હતો. નિર્મોહી અખાડાનાં મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં મસ્જિદ પરિસરમાં મંદીર બનાવવાની અપીલ કરેલી પણ અદાલતે તેને ખારિજ કરી નાખી હતી. ત્યારપછી વર્ષો સુધી આ મામલે કાનૂની અને રાજકીય દાવપેંચ ચાલતા રહ્યા છે. 1992માં હિન્દુવાદી કાર્યકરોએ 16મી સદીની બાબરી મસ્જિદનો ધ્વંશ કરી નાખ્યો હતો.

સતત 40 દિવસ સુધી એકધારી સુનાવણી બાદ 16મી ઓક્ટોબરે સીજેઆઈ ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભુષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની સદસ્યતા ધરાવતી બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખી લીધો હતો.

શુક્રવાર તા.8મી નવેમ્બર 2019ની સાંજ સુધી અયોધ્યા વિવાદનો ચુકાદો ક્યારે આવશે તે અસ્પષ્ટ હતું. બધાં એટલું ચોક્કસ જાણતાં હતાં કે સીજેઆઈ ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત્ત થાય તે પહેલા આ મામલાનો નિકાલ થઈ જશે. સીજેઆઈ ગોગોઈનાં અનુગામી જસ્ટિસ બોબડેએ અયોધ્યા કેસને દુનિયાનાં સૌથી મહત્વનાં કેસ પૈકી એક ગણાવ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :