ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 52 of 53 - CIA Live

June 25, 2018
Emergency-3.jpg
1min12970

 

જયેશ બ્રહ્મભટ્ટ

43મી વરસીએ ઇમરજન્સી-1975 સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ

આજથી બરાબર 43 વર્ષ અગાઉ તા.25મી જુન 1975ના દિવસે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ રાષ્ટ્રીય કટોકટી (ઇમરજન્સી)ની જાહેરાત કરી હતી. 1977 સુધી ચાલેલી આ ઇમરજન્સીને ભારતીય લોકશાહીમાં સૌથી કલંકિત ઘટના તરીકે લેવામાં આવે છે. તા.25મી જુનને દર વર્ષે ડાર્કેસ્ટ ડે તરીકે પણ ભારતમાં ઉજવવામાં આવે છે.

  • ઇમરજન્સીની ઘોષણા તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ કરી હતું.

  • સત્તાવાર નોટિફિકેશન તત્કાલિન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદની સહીથી ઇશ્યુ થયું હતું.

  • ઇમરજન્સી તા.25મી જુન 1975ના દિને ઇમ્પોઝ કરવામાં આવી હતી.

  • ઇમરજન્સી તા.21મી માર્ચ 1977ના દિને પરત ખેંચી લેવામાં આવી.

  • ઇમરજન્સી પહેલા કોંગ્રેસનું સંખ્યાબળ લોકસભામાં 352 સીટનું હતું.

  • ઇમરજન્સી પછી કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 153 પર સીમીત થઇ ગયું હતું.

 

ઇન્દીરા ગાંધીએ ભારતમાં લાદેલી એ ઇમરજન્સી આમ તો 3જી કટોકટી હતી. એ પહેલા 1962માં ચાઇના સામેની જંગ સમયે પહેલી વખત ભારતમાં ઇમરજન્સી ઘોષિત કરવાાં આવી હતી. દ્વિતીય ઇમરજન્સી 1972માં પાકિસ્તાન યુદ્ધ વખતે અને એ પછી 1975માં ઇન્દીરા ગાંધીએ રાજકીય કારણોસર ઇમરજન્સી ઘોષિત કરી હતી. ત્રીજી ઇમરજન્સી કોઇ બાહ્ય કારણથી નહીં બલ્કે દેશમાં અંદરોઅંદરના વિખવાદો ખાસ કરીને રાજકીય સ્થિરતાના અભાવે લાદવામાં આવી હોવાનો આરોપ તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધી પર મૂકવામાં આવ્યો હતો. 1975ની ઇમરજન્સી વખતે લોકસભાની ચૂંટણીઓ રદ કરી દેવામાં આવી હતી. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. સરકાર વિરોધી દેખાવોને સખત હાથે ડામી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ લોકશાહીની ચોથી જાગીર ગણાતા પ્રેસ-મિડીયા પર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. કેટલાક કાયદાઓ સરકારની તરફેણમાં બદલી નાંખવામાં આવ્યા હતા.

June 22, 2018
rajkot_hubwife.jpg
1min14010

તા.20 જૂન, 2018

ગુજરાતની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હાલ ભારે રાજકીય ઉથલ-પાથલ થઇ રહી છે. બદલાઇ રહેલી ટર્મને પગલે પદાધિકારીઓની વરણી થઇ રહી છે. રાજકીય ઉથલ-પાથલથી જરા હટકે સમાચારો પૈકી એક રસ પડે તેવા સમાચાર રાજકોટથી મળ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાટરિયા દંપતીનું રાજ સ્થાપિત થયું છે.

તા.20મીએ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક યોજાઇ હતી જેમાં નવી ટર્મ માટે પદાધિકારીઓની વરણીનું કામ હાથ પર લેવાયું હતું. દરમિયાન રાજકોટ જિલ્લાપંચાયતની કારોબારી સમિતિના ચૅરમૅન અર્જુન ખાટરિયાનાં ધર્મપત્ની અલ્પા ખાટરિયાની વરણી  જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આમ, રાજકોટ જિલ્લા પંચાયતનો કારોબાર ખાટરિયા દંપતિના હાથમાં સોંપવામાં આવ્યો છે.

પતિ અને પત્ની બન્ને રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાવીરૂપ હોદ્દાઓ પર બિરાજતા કોંગ્રેસના સભ્યોએ પતિ અર્જુનભાઈ ખાટરીયાની બરાબર ફિરકી ઉતારી હતી. મસ્તી મજાકની છોળો વચ્ચે કારોબારી સમિતિના ચેરમેન અર્જુન ખાટરિયાને પોતાની પત્ની અલ્પા ખાટરિયા કે જેઓ પ્રમુખ તરીકે વરાતાં તેમન ‘મૅડમ’નું સંબોધન કરવાની ફરજ પાડી હતી. અર્જુનભાઈએ હસતાં-હસતાં કહ્યું પણ હતું કે ‘ઘરમાં તેનું ચાલે છે, હવે અહીં પંચાયતમાં પણ તેનું ચાલશે. મારો તો બેઉ બાજુથી બરાબરનો મરો થવાનો છે.’

 

June 22, 2018
congress_financial.jpg
1min13580

તા.22 જૂન, 2018

કેન્દ્રમાંથી કૉંગ્રેસે સત્તા ગુમાવ્યા બાદ નિરંતર રીતે કોંગ્રેસની પડતી જોવા મળ રહી છે. અધૂરામાં પૂરું હવે કૉંગ્રેસ આર્થિક ભીંસનો સામનો કરી રહી છે. કૉંગ્રેસને ફંડ આપતા ઉદ્યોગપતિઓ હવે ભાજપ તરફ ઢળ્યા છે અગર તો કોંગ્રેસને મદદ કરવામાં ડરી રહ્યા છે.

ભાજપના ફંડમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે ત્યારે સૌથી જૂનો રાજકીય પક્ષ કૉંગ્રેસની તિજોરી તળીયા ઝાટક થઇ જવા પામી છે.  કૉંગ્રેસે ગુજરાતના તેના તમામ ધારાસભ્યોને પાર્ટી ફંડમાં એક એક લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

મોતીલાલ વોરાની સહીથી કાગળ ઇશ્યું થયા

કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાંથી ચૂંટાયેલા કૉંગ્રેસના તમામ 77 ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદો પાસેથી એક-એક લાખ રૂપિયાનું ફંડ પક્ષમાં જમા કરાવવા આદેશ કર્યો છે. કૉંગ્રેસ પક્ષની આર્થિક સ્થિતિ નબળી પડતાં એઆઈસીસીના ખજાનચી મોતીલાલ વોરાની સહી સાથેનો પત્ર તમામ ધારાસભ્યોને અપાયો છે, જેમાં વહેલી તકે એઆઈસીસીને એક લાખનો ચેક મોકલી આપવા તાકીદ કરાઈ છે.

ધારાસભ્યોમાં કચવાટ

ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો પાસેથી એક એક લાખ રૂપિયાની માગણીને કારણે કૉંગ્રેસ પક્ષના નવા-સવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં અંદરો અંદર ગણગણાટ વ્યાપી ગયો છે. કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પાસેથી એક લાખ ફંડનું ઉઘરાણું શરૂ કર્યું છે. આ આદેશને પગલે અત્યાર સુધીમાં કૉંગ્રેસના 60 ટકા જેટલા ધારાસભ્યોએ એઆઈસીસીના નામે દિલ્હી દરબારમાં ચેક મોકલી આપ્યો છે, પરંતુ હજુ 40 ટકા જેટલા ધારાસભ્યોએ પાર્ટી ફંડ આપ્યું નથી.

આ ધારાસભ્યો નાણાં છૂટા કરે તે માટે તાજેતરમાં જ કૉંગ્રેસના યુવા નેતાએ તાજેતરમાં જ બેઠક યોજી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાર્ટી ફંડ તો આપવું જ પડશે. ફંડના ઉઘરાણા પાછળ એવું કારણ અપાયું છે કે, ધારાસભ્યો પક્ષના માધ્યમથી ચૂંટાયા છે. સંગઠનને આર્થિક રીતે તકલીફ ના પડે તે માટે દરેક સભ્યનું યોગદાન જરૂરી છે. જોકે કૉંગ્રેસ હાઈકમાન્ડના આ ફરમાન સામે ગુજરાત કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમણે હજુ સુધી એક લાખનો ચેક જમા કરાવ્યો નથી.

June 14, 2018
smcbuilding.jpg
1min17020

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત મહાનગરપાલિકામાં 1995થી શાસન કરી રહેલા ભાજપાના હાઇકમાન્ડે આજે મેયર પદે ડો.જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન પદે શ્રી અનિલભાઇ ગોપલાણી અને શાસક પક્ષના નેતા પદે શ્રી ગિરજાશંકર મિશ્રાની  નિયુક્તિ કરીને સ્થાનિક સ્તરે અંદરખાને લડતા-ઝઘડતા રહેતા નેતાઓને ‘લાડવાઓ’ વહેંચી આપ્યા. કેટલાક ભાજપી ભક્તોએ એમ કહી રહ્યા છે કે દંડક પદે મહિલાની નિમણૂંક કરી છે, ત્યારે આવા ભક્તોને રાજકીય વિશ્લેષક એવી સલાહ આપી રહ્યા છે કે દંડક એ શાસકોની પોસ્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સત્તાવાર પદ એ જાણવા માટે બીપીએમસી એક્ટની ચોપડી વાંચવી જોઇએ.

સુરત મેયર પદે ડો. જગદીશ પટેલની વરણી

સુરતના ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહની વરણી

સુરત મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીની ચાવી હવે ડો. અનિલ ગોપલાણી પાસે

ભાજપા હાઇકમાન્ડની આ વહેંચણીમાં સ્ત્રી સશક્તિકરણનો ‘સરાસર’ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની દુહાઇ આપીને ભાજપા હાઇકમાન્ડે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણીમાં મેરીટ જોઇને  નિમણૂંક આપવાનો કોલ આપ્યો હતો એનો મતલબ એ થયો કે ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકાના ચાવીરૂપ પદો પૈકી એક પણ પદ માટે કોઇપણ મહિલા કોર્પોરેટર લાયક ન દેખાઇ. જોકે, પદોની વહેંચણીમાં મહિલા કોર્પોરેટરો પૈકી શ્રીમતી હેમાલી બોઘાવાલા, શ્રીમતી કલ્પના મદનસિંહ અટોદરીયા, શ્રી રોહિણીબેન છોટુભાઇ પાટીલ, શ્રીરૂપલબેન શાહ, શ્રી રશ્મિકાબેન પટેલ વગેરેના નામો ચાલતા હતા પણ એકેય મહિલાને ચાવીરૂપ પદ પૈકી એક પણ પદ માટે સમોવડી ગણવામાં આવી ન હતી.

ભાજપા હાઇકમાન્ડની બલિહારી તો એવી પણ રહી છે કે 1995થી અત્યાર સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે અગર તો શાસક પક્ષના નેતા તરીકે ક્યારેય કોઇપણ મહિલા કોર્પોરેટરની નિયુક્તિ કરી નથી. આ બાબત પ્રતીતિ કરાવે છે કે વુમન એમ્પાવરન્મેન્ટના મુદ્દે ભાજપાના ચાવવાના અને બતાવવાના દાંતમાં ટેન્ડરમાં જે રીતે ડેવિએશન આવે છે તેવું ડેવિએશન છે.

એક તરફ સ્પેન એવો દેશ છે જેણે તાજેતરમાં 17 સભ્યોની સરકારમાં 11 મહિલા મિનિસ્ટર અને ફક્ત 6 પુરુષને સમાવ્યા છે અને બીજી તરફ ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકામાં એકેય મહિલા કોર્પોરેટર પદ માટે લાયક જણાય નથી.

મેયર કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષપદ માટે ભારે લોબિંગ હતું

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશના ચાવીરૂપ પદોની વહેંચણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી હતી કે મેયર પદ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ માટે સ્થાનિક સ્તરેથી લઇને રાજ્ય સ્તરના નેતાઓ ભારે ઇન્ટ્રેસ્ટેડ હતા. જ્યારે મેયર પદ માટે ડો. જગદીશ પટેલનું નામ આવ્યું ત્યારે સ્થાનિક સ્તરે જૂથવાદમાં રાચતા એકેય નેતાએ તેમના નામનો વિરોધ કર્યો નહીં, એ બાબત સૂચક છે કે મેયર પદ માટે અહીં કોઇ લડાઇ હતી જ નહીં જે હતું એ સ્થાયી સમિતિ ચેરમેન પદ કે જેની પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની ચાવી રહે છે એ પદ માટે જ ખેંચતાણ હતી.

મુખ્યમંત્રીનું પણ માન ન રાખ્યું

મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે નિરવભાઇ શાહને મૂકવાની લાગણી ધરાવતા હતા. નિરવ શાહ સ્થાનિક સ્તરે પૂર્ણેશ મોદી જૂથ સાથે સક્રિય હોઇ, અન્ય જૂથ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતા તેમનું નામ સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે ફાઇનલ થતા થતા રહી ગયું.

સવારે 9 વાગ્યે નામ ફાઇનલ થયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના પદો પણ નામ ફાઇનલ કરવામાં ભાજપા મોવડીઓમાં છેક છેલ્લી ઘડી સુધી મડાગાંઠ જોવા મળી હતી. તા.13મીને બુધવારે રાત્રે જે નામો પણ સંમતિ સાધી લેવાઇ હતી, એ નામ આજે સવારે 9 વાગ્યે બદલવા પડ્યા હતા. સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતાઓ પર પોતપોતાના મળતીયાઓને ગોઠવવા માટે દરેક પ્રકારે લોબિંગ કરી જોયા હતા.

June 9, 2018
shiv.png
1min11810

ભાજપ સાથેના પોતાના સંબંધોમાં ઉતાર-ચઢાવના વચ્ચે શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો 152 સીટ મળે તો ભાજપા સાથે ગઠબંધનમાં લડવાની ઓફર રજૂ કરી છે. જોકે, ભાજપ હાઇકમાન્ડ કે મહારાષ્ટ્ર ભાજપાને શિવસેનાની આ ઓફર બાબતે ઝાઝો રસ પડતો નથી. શિવસેનાની ઓફર મુજબ મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 સીટોમાંથી તેઓ 136 સીટો પરથી જ ભાજપા લડી શકશે, તેમાંથી જેટલા પર જીત મેળવશે એ આંકડો 136થી ઓછો થશે અને શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવું પડી શકે. શિવસેનાનો આ નિર્ણય ઉદ્ધવ ઠાકરેના રાજકીય લક્ષ્યાંકો અનુસાર મુખ્યમંત્રી પદનો ઉમેદવાર તેમના પક્ષનો હોય.

આ સપ્તાહની શરૂઆતમાં માતોશ્રીમાં ભાજપ પ્રમુખ અમિત શાહ સાથેની બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ સમક્ષ શિવસેનાને 152 બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક અહેવાલ મુજબ શાહે ઠાકરેના આ પ્રસ્તાવ પર કહ્યું હતું કે તે ટૂંક સમયમાં મુલાકાત કરશે અને ત્યારબાદ બેઠકોની વહેંચણી પર કોઈ ફોર્મ્યુલા બનાવી ચર્ચા કરશે.

ભાજપની નીતિ શિવસેનાને 130થી વધુ બેઠકો નહીં આપવા અંગેની

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ શિવાસેનાને 130થી વધુ બેઠકો નહીં આપી શકે. અમિત શાહે ભાજપના નેતાઓ, સભ્યો અને ધારાસભ્યોને કહ્યું છે કે તેઓ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં એકલા ઉતરવાની પણ તૈયારી રાખે. તો બીજી તરફ શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે, ઠાકરેની આ નવી ફોર્મ્યુલા મહારાષ્ટ્રમાં પાર્ટીની તાકાત વધારવા માટે અપનાવવામાં આવી છે.

June 2, 2018
rt1.jpg
1min15820

મનસે દ્વારા 36 વિધાનસભા વિસ્તારમાં એક દિવસ માટે નાગરિકોને દરેક વિસ્તારના ચોક્કસ પેટ્રોલપંપ પર પેટ્રોલમાં ચાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની ઘોષણા કરી છે

રાજકીય નેતાઓના બર્થ ડે હોય એટલે તેમના અનુયાયીઓથી લઇને સામાન્ય નાગરિકોને અત્યાર સુધી મીઠાઇ કે ભોજન મળતા, પણ હવે રાજ ઠાકરેના મનસેએ નવી ચીલો ચાતરવાની શરૂઆત કરી છે. મનસે દ્વારા આગામી તા.14મી જૂનના રોજ તેમના સુપ્રીમો રાજ ઠાકરેના જન્મ દિવસે મુંબઇગરાઓને અેવી ગીફ્ટ આપવાનું એલાન કર્યુ છે જેનાથી સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ સર્જાશે. પેટ્રોલના ભાવો હાલ જ્યારે ભડકે બળી રહ્યા છે, બેકાબૂ બન્યા છે તેવા સંજોગોમાં આ બર્નિંગ ઇશ્યુને લઇને મનસેએ ઘોષણા કરી છે કે આગામી તા. ૧૪ જૂને MNS અધ્યક્ષ રાજ ઠાકરેનો બર્થ-ડે છે અને એ નિમિતે MNSએ નાગરિકોને ચાર રૂપિયા સસ્તું પેટ્રોલ આપીને તેમનો બર્થ-ડે ઊજવવાનું નક્કી કર્યું છે.

એક દિવસ માટે MNS નાગરિકોને હાલના પેટ્રોલના ભાવ કરતાં ચાર રૂપિયા સસ્તું પેટ્રોલ આપશે. મુંબઈના ૩૬ વિધાનસભા મતવિસ્તારોમાં પ્રત્યેકમાં એક પેટ્રોલ-પમ્પ પર આ છૂટ આપવામાં આવશે.

MNSના સરચિટણીસ સંદીપ દેશપાંડેએ આ માહિતી આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલના ભાવ ઓછા કરવામાં નિષ્ફળ નીવડી હોવાની ટીકા પણ MNSએ કરી હતી અને એટલા જ માટે અનોખી રીતે પોતાના અધ્યક્ષ રાજ ઠાકરેનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

May 31, 2018
indian-politics-600_1417091987.jpg
1min14140

તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016-17માં દેશના 07 રાષ્ટ્રીય રાજકીય પક્ષોને અજાણ્યા સ્ત્રોત પાસેથી રૂ. 711 કરોડની રકમ દાનમાં મળી હતી. આવી સ્થિતિમાં સામાન્ય વ્યક્તિની મનોસ્થિતિ એ બયાં કરે છે કે સામાન્ય વ્યક્તિને અનનોન નંબર પરથી ફક્ત ફોન કોલ આવી શકે, પણ રાજકીય પક્ષ હોય તો તેને અનનોન (અજાણ્યા) લોકો પાસેથી અબજો રૂપિયાનું ફંડ મળી શકે છે.

સાતેય પક્ષોએ રૂ.20,000થી વધુ દાનમાં મળેલી રકમની જાહેરાત કર્યા પ્રમાણે એમને રૂ.589.38 કરોડ મળ્યા હતા અને સૌથી વધુ રૂ. 532.27 કરોડ ભાજપને 1194 વ્યક્તિઓએ આપ્યા હતા.

ભાજપે જાહેર કરેલી દાનની રકમ કૉંગ્રેસ, એનસીપી, સીપીઆઇ, સીપીએમ અને તૃણમૂલ કૉંગ્રેસે જાહેર કરેલી રકમના સરેરાશના નવ ગણા કરતાય વધારે છે.

સાતેય પક્ષોને રૂ.589.38 કરોડ 2123 વ્યક્તિ કે સંસ્થા તરફથી રૂ.20,000થી વધુ રકમ દાનમાં આપી હતી. સૌથી વધુ રૂ. 532.27 કરોડ ભાજપને 1194 વ્યક્તિઓએ આપ્યા હતા, જ્યારે કૉંગ્રેસને રૂ. 41.90 કરોડ 599 વ્યક્તિ કે સંસ્થા તરફથી મળ્યા હતા.

બહુજન સમાજ પક્ષે એવી જાહેરાત કરી હતી કે એને વર્ષ 2016-17માં રૂ.20,000થી વધુ રકમ એકેય જણે દાનમાં નહોતી આપી.

રાષ્ટ્રીય પક્ષોને વર્ષ 2015-16માં મળેલું રૂ. 102.02 કરોડનું દાન 2016-17માં વધીને રૂ.589.38 કરોડ થયું હતું.

આ રિપોર્ટ એડીઆર અને નેશનલ ઇલેક્શન વૉચે સંયુક્ત રીતે તૈયાર કર્યો હતો.

ભાજપને 2015-16માં મળેલું રૂ. 76.85 કરોડનું દાન 2016-17માં વધીને રૂ.532.27 કરોડ થયું હતું.

એનસીપીને 2015-16માં મળેલું રૂ. 71 લાખનું દાન 2016-17માં વધીને રૂ.6.34 કરોડ થયું હતું.

રિપોર્ટ પ્રમાણે ટીએમસીની દાનની રકમમાં 231 ટકાનો, સીપીએમ અને કૉંગ્રેસની દાનની રકમમાં અનુક્રમે 190 ટકાનો અને 105 ટકાનો વધારો થયો હતો, પણ સીપીઆઇએ 9 ટકાનો ઘટાડો થયો હોવાની જાહેરાત કરી હતી.

ટૂંકમાં રાજકીય પક્ષોને મળેલી દાનની રકમનો એવા સમયગાળામાં જંગી વધારો થયો છે જે સમયગાળામાં એ પક્ષો ક્યાં તો પ્રાદેશિક સરકાર રચે છે અથવા જે તે રાજ્યમાં સરકારને સમર્થન કરે છે અગર તો કેન્દ્ર સરકારમાં હોય અથવા તો કેન્દ્ર સરકારને સમર્થન આપે છે. આમ સત્તામાં હોય તેવા સંજોગોમાં જ રાજકીય પક્ષોની આવકમાં જંગી ઉછાળો જોવા મળે છે. કાગડા બધે જ કાળા હોય તેમ કોઇ રાજકીય પક્ષ ફંડિંગ બાબતે વિવાદના વમળમાં ફસાયેલા જોવા મળે છે.

May 26, 2018
firmodi.jpg
1min13040

‘2019 મેં ફિર મોદી સરકાર’. ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે તેનું નવું સૂત્ર તૈયાર કરી લીધું છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે ચાર વર્ષ પૂરાં કરી લીધા બાદ ભાજપે હવે આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે તેની સિદ્ધિઓની યાદીઓ તૈયાર કરી છે અને કેન્દ્ર દ્વારા અમલમાં મુકાતા વિકાસલક્ષી પ્રોજેક્ટો જ નહિ પરંતુ તેના ‘સ્વચ્છ ઇરાદા’ પર ફોકસ કરતાં એક નવું સૂત્ર પણ બનાવી દીધું છે. ભાજપ માને છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સામે લોકોમાં અવિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના ચાર વર્ષની ઉજવણી પ્રસંગે એક જાહેર સમારોહને સંબોધવા માટે આવતીકાલે ઓડિશાના કટક જવાના છે. પાર્ટી માને છે કે ૨૦૧૯ની ચૂંટણીમાં કામગીરી સુધારવા પાર્ટીએ મહેનત કરવાની જરૂર છે. આ માટે જ ઓડિશાથી વડાપ્રધાનનો પ્રવાસ શરૂ થયો છે.

 

દિલ્હીમાં ભાજપ પ્રમુખ અને તેના વ્યૂહકાર અમિત શાહ પણ એક મીડિયા ઇવેન્ટને સંબોધશે. તેઓ ચાર વર્ષમાં પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવશે અને બીજી મુદત માટે પાર્ટીની રાહ બતાવશે. સરકારની વિવિધ યોજનાઓ અને નિર્ણયોને આવરી લેતા એક ત્રણ મિનિટના વીડિયોમાં આ કાર્યક્રમોની સામાન્ય લોકોના જીવનને કેવી અસર થઇ છે તેના ગુણગાન ગવાયાં છે. ‘સાફ નિયત, સહી વિકાસ’ અને પંચલાઇન ‘2019 મેં ફિર મોદી સરકાર’નું સૂત્ર હવેથી ભાજપની સભાઓમાં ગજવાશે. અગાઉ ૨૦૧૪માં ‘અબકી બાર, મોદી સરકાર’નું સૂત્ર ઘણું ગાજ્યું હતું.

સરકાર બન્યાને ચાર વર્ષ પૂર્ણ થયા બાદ ભાજપ દેશમાં અનેક સ્થળોએ ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ‘ખુશીના પ્રસંગે’ ભાજપ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટે પુન:ચૂંટણી પ્રચારની ઝુંબેશ શરૂ કરશે.જોકે, અહેવાલો કહે છે કે ચૂંટણી આવતા વર્ષના એપ્રિલથી મેને બદલે તેના સમય કરતાં વહેલી ડિસેમ્બરમાં પણ યોજાઇ શકે છે. મીડિયાના રિપોર્ટ્સ કહે છે કે ભાજપ છેલ્લાં ચાર વર્ષની સરકારની વિવિધ સિદ્ધિઓને દર્શાવતો ત્રણ મિનિટનો વીડિયો બહાર પાડશે. તે ચોથી વર્ષગાંઠે ફેરચૂંટણી માટે સૂત્ર પણ જારી કરશે. ‘૨૦૧૯ મેં ફિર મોદી સરકાર’નું સૂત્ર ગાજે તો તેનો મતલબ એમ થયો કે બીજેપી ફરીથી મોદીને જ દેશનું સુકાન આપવા માગે છે અને તેઓ જ મુખ્ય પ્રચારક રહેશે. જોકે, હાલમાં સ્થિતિ બદલાઇ છે મોદીના ‘અચ્છે દિન’ અથવા ‘ સબકા સાથ સબકા વિકાસ’ જેવા મોદીના મોટા વચનો માત્ર સુત્રો જ રહ્યા હતા કેમ કે હાલમાં દેશ વિવિધ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો છે.

May 24, 2018
modivs.jpg
1min13560
તા.23મી મે 2018ના રોજ કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર અસ્તિત્વમાં આવી તેની સાથે જ એક એવું ચિત્ર ઉભરી આવ્યું જેેને સંકેત હતો મોદી વિરુદ્ધ ઇન્ડિયન પોલિટીક્સ, 22 વર્ષ પછી ભાજપા વિરુદ્ધ સૌથી મોટું રાજકીય ગઠબંધન. આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા એક એન્ટી ભાજપ મહાગઠબંધનનો વિચાર મજબૂત થતો દેખાઈ રહ્યો છે. જેડીએસ-કોંગ્રેસની ગઠબંધ સરકારની ઉજવણી મનાવવા માટે લગભગ તમામ બીનભાજપી પાર્ટીઓ એક મંચ પર એકઠી થઈ હતી.
કર્ણાટકમાં ભાજપ બહુમતીની નજીક આવીને અટકી ગયું, પણ આ પ્રદર્શનને કારણે કોંગ્રેસ, જેડીએસ અને બીજા વિરોધીઓને એક થવાનો મોકો મળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સાફ થઈ ગયું છે કે હજુ મોદી લહેર અકબંધ છે અને અમિત શાહે ભાજપને ચૂંટણી મશીનમાં બદલી નાખ્યું છે, જે એવી જગ્યાઓ પર પણ સારું પ્રદર્શન કરે છે જ્યાં સ્થિતિ વિરુદ્ધમાં હોય. ભાજપને રોકવા માટે બેચેન કોંગ્રેસ તાત્કાલિક કુમારસ્વામીને સમર્થન આપવા માટે આગળ આવી ગઈ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તેમને સખત વિરોધી સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે મંચ શેર કર્યું.
યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિરોધી દળોની એકતા માટે મહત્વની ભૂમિકા ભજવી. ભગવાને રોકવા માટે આવો પડકાર 2004માં સોનિયા સામે હતો. ચૂંટણી પરિણામ આવતા પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે જેડીએસના જૂના સાથી અને પૂર્વ પીએમ એચડી દેવેગૌડાને ફોન કરવામાં જરા પણ મોડું ન કર્યું. કોંગ્રેસે દેવેગૌડાના દીકરા કુમારસ્વામીને ખુલ્લી ઓફર આપી દીધી. સોનિયા ગાંધી સ્ટેજ પર લાલુ પ્રસાદ યાદવના દીકરા તેમના ઉત્તરાધિકારી મનાતા તેજસ્વી યાદવ સહિત અન્ય નેતાઓને આત્મીયતા સાથે મળ્યા. પણ માયાવતીની સાથે તેમની મુલાકાતે વધારે ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન બીએસપી સુપ્રીમોએ પણ ગઠબંધન અંગે ઉષ્મા દર્શાવી.
માત્ર ઓડિશાના સીએમ નવીન પટનાયક અને તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ (KCR) જ આ શપથ ગ્રહણ સમારોહથી દૂર રહ્યા હતા. જોકે, કેસીઆરે મંગળવારે એચડી કુમારસ્વામી અને તેમના પિતા એચડી દેવેગૌડા સાથે મુલાકાત કરી હતી. મોટાભાગની બીનભાજપી પાર્ટીના નેતાઓએ કર્ણાટકમાં ભગવા સાશનને રોકવામાં સફળ રહ્યા તે આ સમારોહમાં જોવા મ‌ળ્યા હતા. મુખ્યમંત્રી કુમારસ્વામી અને ડેપ્યુટી સી.એમ જી પરમેશ્વરે ભવ્ય વિધાનસભાના લોનમાં શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન સમર્થકોની સાથે મંચ પર મોટી સંખ્યાવાળું ઝુંડ દેખાયું હતું. તેમાં મોટી ભાગના પીએમ મોદીના બીજા કાર્યકાળને રોકવાની પ્રબળ ઈચ્છાની સમાનતા દેખાઈ રહી હતી.
May 22, 2018
modi-meets-muslims-2.jpg
1min15810
દેશમાં પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાને સોશિયલ મીડિયા ટ્વિટર પર ઉર્દૂમાં ટ્વિટ કરીને લોકોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથેના વીડિયોમાં પીએમ મોદી રમઝાનના મહત્ત્વને સમજાવતા પણ સાંભળી શકાય છે. જો કે, પીએમ મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું હતું. અનેક લોકોએ પીએમ મોદીએ ઉર્દૂમાં ટ્વિટ કર્યુ તેનો વિરોધ કર્યો હતો, જેમાં કટ્ટરવાદ પણ જોવા મળ્યો હતો. પીએમ મોદીને ટ્રોલ કરતા કેટલાકે લખ્યું હતું કે મુસ્લિમ મતો ભૂલી જાઓ, હિન્દુ મતો પણ તમને મળવાના નથી.
આ ઉપરાંત અન્ય મધુર નામની વ્યક્તિએ ટ્રોલ કરતા લખ્યું હતું, ‘ઓ સેક્યુલર મોદીજી થોડા કંટ્રોલ કરો. નોટા ભી હરા સકતા હૈ આપકો, મુસ્લિમ વોટ દેગા નહીં, હિન્દુ સે મિલેગા નહીં, તો ક્યા કરોગે?’ આ ઉપરાંત અભિષેક હિન્દુ દ્વારા કરાયેલા ટ્વિટમાં લખાયું હતું, હું ભાજપનો કર્મઠ કાર્યકર્તા હોવાના નાતે આપને નિવેદન કરૂં છું કે મુસ્લિમો પર વધુ ધ્યાન ન આપો. એ ક્યારેય ભાજપના થશે નહીં, તેના કારણે ક્યાંક એવું ન બને કે હિન્દુ વોટર સરકી જાય ભાજપ પાસેથી, જયશ્રી રામ, નમો નમો. જ્યારે મનજીત રાજપૂત અયોધ્યાના ટ્વિટમાં લખ્યું હતું, જી આપ કંઈ પણ કરી લો આ મુલ્લા ભાજપને ક્યારે વોટ નહીં આપે, તમે કંઈપણ કરો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
એમ પણ લખાયું કે વડાપ્રધાન કોઈપણ ભાષામાં ટ્વિટ કરી શકે છે અને તેઓ કોઈપણ સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી શકે છે. ઊર્દૂ ભારતની ૨૨ અધિકૃત ભાષાઓમાંની એક છે ત્યારે અહીં ઉર્દૂને માત્ર મુસ્લિમોની ભાષા ગણવી એ અયોગ્ય છે. અન્ય ટ્રોલ એટેકમાં મોદીના ટ્વિટ અંગે લખાયું હતું કે શા માટે મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ ન કર્યું, શા માટે મુસ્લિમો ‘જય શ્રી રામ’ કહેતા નથી. મનીન્દર સિંહ ચીમાના એક ટ્વિટમાં લખાયું હતું કે મોદીજી આપ રમઝાન પર ઉર્દૂમાં તો લખી રહ્યા છો પણ આજ સુધી કોઈ મુસ્લિમે જય શ્રી રામ પણ કહ્યું નથી. શું આ જ ભાઈચારો છે દેશનો. પીએમ મોદીના ટ્વિટને ટ્રોલ કરનારા લોકોમાં મોદી તરફી અને મોદી વિરોધી બંને લોકો હતા જેઓ આમને સામને ટ્રોલ એટેક પર ઉતરી ગયા હતા. એક સમયે એકબીજા સામે અપશબ્દોનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું