ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 50 of 53 - CIA Live

August 21, 2018
yog.jpg
1min5060

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને 2007માં તેમણે આપેલું ઉશ્કેરણીજનક ભાષણ હવે ભારી પડી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટે એવા સંકેત આપ્યા છે કે તેમની સામે ખટલો કેમ નહીં ચલાવવો

૨૦૦૭માં ગોરખપુરમાં એક કથિત હેટ સ્પીચ (નફરતભર્યું પ્રવચન) આપવા બદલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કેસ કેમ ન ચલાવવા જોઇએ તેવો સવાલ કરીને સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે. યોગી ત્યારે ગોરખપુરમાંથી સાંસદ હતા અને તેમણે ભડકાઉ ભાષણો કર્યાનો આક્ષેપ છે. આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી કરાશે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે રાજ્ય સરકાર અને ગોરખપુરના કલેક્ટરને નોટિસ જારી કરી છે. અગાઉ અલ્હાબાદ હાઇકોર્ટે મુખ્યમંત્રી સામે કાનૂની કાર્યવાહી કરવાની અરજી ફગાવી દીધી હતી. એ પછી પિટીશનર રશીદ ખાને તેને સુપ્રીમમાં પડકારી છે.

યુપી સરકારે ૨૦૧૭માં મુખ્યમંત્રી સામે કામ ચલાવવા માટે જરૂરી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જાન્યુઆરી ૨૦૦૭માં આદિત્યનાથે કથિત રીતે ગોરખપુર રેલવે સ્ટેશનની બહાર એક પ્રવચન આપ્યું હતું. જેને કોમી હિંસા ભડકાવનારું ગણવામાં આવ્યું હતું. તેમના સ્પીચને પગલે પૂર્વી ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી.

August 19, 2018
mani.jpg
1min5500

હંમેશા વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા મણિશંકર અય્યરની કોંગ્રેસમાં ફરીથી વાપસી થઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મણિશંકર અય્યરનું સસ્પેનશન તત્કાલિક રીતે રદ કર્યું છે. ગત વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમ્ન કક્ષાનાં માણસ ગણાવ્યા હતા. અય્યરની આ ટિપ્પણીને લીધે પાર્ટીએ તેમને બેમુદતી સસ્પેન્ડ કર્યા હતા.

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાર્ટીની કેન્દ્રીય અનુશાસન સમિતિની મંજૂરીથી રાહુલ ગાંધીએ પાર્ટીનાં પ્રાથમિક સભ્યપદેથી અય્યરનું સસ્પેનશન રદ કરી દીધું છે.

August 17, 2018
712649-atal-bihari-vajpayee-1.jpg
1min10490

 

1942 : ભારત છોડો ચળવળમાં જોડાયા, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલવાસ.

1951 : અગાઉના જનસંઘના સ્થાપક-સભ્ય.

1957 : જનસંઘના નેતા બન્યા, 1957માં લોકસભામાં ચૂંટાયા.

1962 : રાજ્યસભામાં ચૂંટાયા.

1968 : ભારતીય જનસંઘના પ્રમુખ (1968-1973)

1975 : કટોકટી દરમિયાન ઘરમાં નજર કેદ રખાયા.

1977 : પ્રથમ બિન કૉંગ્રેસી વિદેશ પ્રધાન બન્યા.

1979 : સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રથમવાર હિન્દીમાં યાદગાર ભાષણ.

શ્યામા પ્રસાદ મુખરજીના મૃત્યુએ પત્રકાર વાજપેયીને રાજકારણી બનાવ્યા

દેશના મહાન વડા પ્રધાનોમાંના એક અને દિગ્ગજ રાજનેતા અટલ બિહારી વાજપેયી એક સફળ પત્રકાર પણ હતા. પોતાની કરિયરના પ્રારંભિક તબક્કામાં વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પત્રકાર હતા. અટલજીના રાજકારણમાં પ્રવેશવા પાછળ એક પ્રેરણાદાયક ઘટના છે.

એક સ્કૂલ ટીચરના ઘરે જન્મેલા વાજપેયીએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પત્રકારત્વમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન જેવાં અખબારો-મૅગેઝિનોનું સંપાદન કર્યું. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને આ સંગઠનની વિચારધારાની અસરને કારણે જ તેમનામાં દેશ માટે કંઈ કરી છૂટવાની, સામાજિક કાર્ય કરવાની ભાવના પ્રબળ બની હતી. આના માટે પત્રકારત્વ યોગ્ય માર્ગ જણાતાં તેઓ પત્રકાર બની ગયા.

વાજપેયીના પત્રકારમાંથી રાજકારણી બનવા પાછળ એક મહત્ત્વની ઘટના કારણભૂત હોવાનું કહેવાય છે. આ સંદર્ભે ખુદ વાજપેયીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.

ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી રહ્યા હતા. 1953માં ભારતીય જનસંઘના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાના વિરોધમાં હતા. જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલી પરમિટ સિસ્ટમનો વિરોધ કરવા ડૉ. મુખરજી શ્રીનગર ગયા. પરમિટ સિસ્ટમ અનુસાર કોઈ પણ ભારતીયને જમ્મુ-કાશ્મીરમાં વસવાની મંજૂરી નહોતી. એટલું જ નહીં, બીજા રાજ્યની કોઈ પણ વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરમાં જવા માટે સાથે ઓળખપત્ર રાખવાનું ફરજિયાત હતું. આનો વિરોધ કરી રહેલા ડૉ. મુખરજી પરમિટ સિસ્ટમ તોડી શ્રીનગર પહોંચી ગયા.

આ ઘટનાને કવર કરવા પત્રકાર તરીકે વાજપેયી પણ તેમની સાથે ગયા હતા. ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે હું તેમની સાથે હતો, પરંતુ તેમની ધરપકડ બાદ અમેે બધા પાછા આવી ગયા હતા. ડૉ. મુખરજીએ મને કહ્યું કે વાજપેયી, જાઓ અને દુનિયાને જાણ કરો કે હું કાશ્મીરમાં આવ્યો છું, એય કોઈ પરમિટ વગર.

આ ઘટનાના થોડા દિવસ બાદ જ નજરકેદમાં રહેલા ડૉ. મુખરજીનું બીમારીને કારણે નિધન થયું હતું. આ ઘટનાની વાજપેયી પર ખાસ્સી અસર થઈ. તેમને લાગ્યું કે ડૉ. મુખરજીના કામને આગળ ધપાવવું જોઈએ. પરિણામે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1957માં તેઓ પહેલી વાર સંસદસભ્ય બની લોકસભા પહોંચ્યા હતા.

1980 : પ્રમુખ, ભાજપ (1980-1986)

1984 : પોતાના વતન ગ્વાલિયરમાંથી લોકસભાની ચૂંટણીમાં હાર.

1992 : પદ્મવિભૂષણ ખિતાબની નવાજેશ.

1994 : લોકમાન્ય ટિળક પુરસ્કાર અને પંડિત ગોવિંદ વલ્લભ પંત એવૉર્ડ (શ્રેષ્ઠ સંસદસભ્ય)

1996 : વડા પ્રધાન બન્યા પણ તેમની સરકાર માત્ર 13 દિવસ રહી.

1998 : એનડીએ સત્તા પર આવતાં બીજી વાર વડા પ્રધાન બન્યા.

1998 : તેમની સરકારે મે, 1998માં પોખરણમાં સફળ અણુપરીક્ષણ કર્યું.

1999 : ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સુધી બસ સેવા શરૂ કરી તેમના આપ્રયાસને બં દેશ વચ્ચેની પડતર સમસ્યાના નિરાકરણ માટે વાટાઘાટના નવા યુગના મંડાણ તરીકે વ્યાપક આવકાર મળ્યો.

ભારતે કારગિલ યુદ્ધ જીત્યું. ભારતની ધરતી પરથી ઘૂસણખોરોની પીછે હઠ કરવાની પરિસ્થિતિ ઊભી કરવાના સફળ પ્રયાસ બદલ સરાહના.

1999માં: 13 ઍપ્રિલે તેમની સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવતાં રાજીનામું આપ્યું.

1999માં: તેમના પક્ષ અને યુતિ પક્ષને ફરી સત્તા મળતાં 13 ઑક્ટોબરે ત્રીજીવાર વડા પ્રધાનના હોદ્દે શપથ લીધા.

2001 : આગ્રા શિખર પરિષદમાં મુશર્રફ સાથેની મંત્રણા પડી ભાંગી.

2002 : પહેલીવાર સંસદના સંયુકત સત્ર બોલાવ્યા.

2004 : તેમનો પક્ષ ચૂંટણીમાં હાર્યો.

2005 : રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત.

ડિસેમ્બર 25, 2014માં વાજપેયીના 90મા જન્મદિને ‘સુસાશન દિન’ તરીકે ઉજવણી કરાઈ.

માર્ચ 27, 2015- દેશના સર્વોચ્ચ ખિતાબ ભારત રત્નની નવાજેશ.

August 15, 2018
dmkstalin.jpg
1min4690

એમ કરૂણાનિધિના અવસાનને કારણે ડીએમકેના સુકાનની વારસાઇ માટે તેમના પુત્રો વચ્ચેની લડાઇમાં સ્ટાલિન મેદાન મારી ગયા છે. પક્ષના મોટાભાગના હોદેદારોએ તેમને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે તેઓ ટૂંકમાં જ પક્ષની આગેવાની સંભાળશે.

કરૂણાનિધિના લાંબાસમયના સહયોગી અને પક્ષના પ્રિન્સીપાલ સેક્રેટરી દુરાઇમુરુગને જણાવ્યું હતું કે સ્ટાલિન પાસે પાર્ટીનું સુકાન સંભાળવાના તમામ કૌશલ્ય છે. સ્ટાલિનને થલાપતિ (કમાંડર) તરીકે સંબોધતાં સીનિયર લીડરે કહ્યું હતું કે ‘ડીયર થલાપતિ તમે ટૂંકમાં જ ડીએમકે પ્રમુખ બનવા જઇ રહ્યા છો, અમે તમારા આદેશોનું પાલન કરવા સજ્જ છીએ. અમારી આગેવાની લો.’

ઉલ્લેખનીય છે કે ટૂંકમાં ડીએમકેમાંથી હકાલપટ્ટી કરી દેવાયેલા કરૂણાનિધિના પુત્ર એમ કે અલાગિરીને દાવો ક્યો હતો કે તેમના પિતાના સાચા સમર્થકો તેમની સાથે છે. તેમના આ નિવેદન બાદ પક્ષમાં વારસાનો મુદો ઊભો થયો હતો.

August 14, 2018
kejri.jpeg
1min7570

દિલ્હી પોલીસે ફેબ્રુઆરીમાં રાજ્યના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ પર થયેલા કહેવાતા હુમલાની ચાર્જશીટ ગઈ કાલે કોર્ટમાં દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત ૧૧ વિધાનસભ્યોનાં નામનો આરોપીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ બાબતની સુનાવણી ૨૫ ઑગસ્ટે કરવામાં આવશે.

દિલ્હી પોલીસે ૧૮ મેએ સંબંધિત હુમલા બાબતે લગભગ ત્રણ કલાક માટે કેજરીવાલની પૂછપરછ કરી હતી. ૧૯ ફેબ્રુઆરીએ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર એક મીટિંગ દરમ્યાન પ્રકાશ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાની ઘટના બની એ સમયે મુખ્ય પ્રધાન કેજરીવાલ હાજર હતા.

પોલીસે કેજરીવાલના ઘરે મીટિંગ માટે હાજર રહેલા તમામ ૧૧ વિધાનસભ્યોની પૂછપરછ કરી છે. આ સંદર્ભે પાર્ટીના બે વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી છે.

ચીફ સેક્રેટરી પર કરવામાં આવેલા આ કહેવાતા હુમલાને પગલે દિલ્હી સરકાર અને એના અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ છેડાયું હતું.

August 13, 2018
somnath-1.jpg
1min5850

લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન થયું છે. 89 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. સોમનાથ ચેટર્જી લાંબા સમયથી બીમાર હતા. હાર્ટ એટેકેને કારણે તેમની સ્થિતિ વધુ બગડી, જે બાદ તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સોમનાથ ચેટર્જી 1968માં સીપીએમના સભ્ય બન્યા હતા.

સોમનાથ ચેટર્જી કિડનીની બીમારીથી પીડિત હતા. 10 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. આ પહેલા 28 જૂને મગજમાં રક્તસ્રાવને કારણે પણ તેમની સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર માટે પાંચ સભ્યોના મેડિકલ બોર્ડને નિયુક્ત કરાયું હતું, જે તેમની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા હતા.

સોમનાથ ચેટર્જીનો જન્મ આસામના તેજપુરમાં 26 જુલાઈ, 1929ના રોજ થયો હતો. તેઓ હિંદુ મહાસભાના સંસ્થાપક્ષ અધ્યક્ષ નિર્મલચંદ્ર ચેટર્જીના પુત્ર હતા. તેમનું શરૂઆતનું શિક્ષણ કોલકાતા અને ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટિમાં થયું. શ્રમિક નેતા અને વકીલની સાથે સાથે સોમનાથ ચેટર્જી પ્રભાવશાળી વક્તા પણ હતા. 1989 અને 2004 સુધી લોકસભામાં તેઓ સીપીએમના સંસદીય દળના નેતા રહ્યા. 2004માં સર્વસંમતિથી તેઓ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા.

સોમનાથ ચેટર્જી 1871માં પહેલી વખત સાંસદ બન્યા, જે બાદ તેમણએ રાજકારણા જુદા જુદા ક્ષેત્રમાં સફળતા મેળવી. ચેટર્જી દસ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. 35 વર્ષમાં સાંસદ તરીકે દેશ સેવા કરી અને 1996માં તેઓ સર્વશ્રેષ્ઠ સાંસદના પુરસ્કારથી સન્માનિત થયા. સર્વશ્રેષ્ઠ સાંસદ રહી ચૂકેલા સોમનાથ ચેટર્જી પ.બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી. પરંતુ ચેટર્જી એક જ વખત ચૂંટણી હાર્યા. જેમાં તેમનો પરાજય મમતા બેનર્જી સામે થયો હતો. 1984માં જાદવપુર બેઠક પર થયેલી લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ ત્યારે સીપીએમના કદાવર નેતાને પરાજય આપ્યો હતો.

સોમનાથ ચેટર્જી સિદ્ધાંતવાદી અને પ્રામાણિક વ્યક્તિ હતા. જ્યારે સરકારી કામ માટે વિદેશ જવું પડતું, ત્યારે તેઓ પરિવારજનોનો ખર્ચ જાતે ઉઠાવતા હતા. એટલું જ નહીં સ્પીકર તરીકેની કામગીરી દરમિયાન પણ તેમમે પોતાના સરકારી આવાસમાં થતા સરકારી ખર્ચ ઓછા કરી દીધા હતા.

August 10, 2018
rahul.jpg
1min6000

કૉંગ્રેસે 41 વર્ષ પછી પહેલીવાર રાજ્યસભાના નાયબ અધ્યક્ષની ચૂંટણીનો હારનો સામનો કરવો પડ્યો છે અને બિનકોંગ્રેસી સાંસદ ચૂંટાયા છે. જોકે, હજુ આ પદ પર ભાજપના સાંસદ હજુ બેસી શક્યા નથી. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અમિત શાહની ચાલ’ને સમજવામાં રાહુલ ગાંધીએ ફરી એકવાર ગોથું ખાધું છે. રાહુલ ગાંધીએ એવી ઘણી ભૂલો કરી કે રાજ્યસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો ?

જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પાંચ ભૂલ ન કરી હોત અને સક્રિય રહ્યાં હોત તો હરિવંશ સામે બીકે હરિપ્રસાદ કદાચ જીતી પણ શક્યા હોત. બી.કે. હરિપ્રસાદની પસંદગી સાવ છેલ્લી ઘડીએ કરાઇ. જ્યારે એનડીએ દ્વારા ચૂટણીની જાહેરાત સાથે જ ઉમેદવાર નક્કી કરાયો. વિપક્ષમાં ફોર્મ ભરવાના દિવસ સાથે ઉમેદવાર મામલે માથાકૂટ ચાલતી રહી. વિપક્ષ તરફથી પહેલાં એનસીપીના વંદના ચવ્હાણનું નામ આવ્યું, બાદમાં રાહુલે અંતિમ પત્તુ ખોલ્યું અને બીકે હરિપ્રસાદના નામની જાહેરાત કરી.

કોંગ્રેસે બીકે હરિપ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા, એટલે આ ચૂંટણીજંગ વિપક્ષોની સંયુક્ત રીતે નહીં પરંતુ કોંગ્રેસનો વ્યક્તિગત જંગ બની ગયો. એટલે કોંગ્રેસ તરફથી સમર્થન મેળવવાની કોશિશ કરાઈ, પરંતુ યુપીએના બાકી પક્ષોની ભૂમિકા ફક્ત મત આપવા પૂરતી સિમિત થઈ ગઈ. જ્યારે એનડીએ તરફથી હરિવંશ ઉમેદવાર હતા, તેમ છતાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહએ એનડીએના સહયોગી દળો અને વિપક્ષના કેટલાક દળોના સમર્થન માટે વાતચીત કરી હતી.

રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી જીતવામાં એનડીએ પહેલાંથી જ સક્રિય રહ્યું. જ્યારે કોંગ્રેસ તરફથી ખાસ સક્રિયતા જોવા મળી નહીં.

ભાજપના નેતૃત્વયુક્ત એનડીએમાં જેડીયૂના ઉમેદવાર હરિવંશને જાહેર કર્યા ત્યારથી જ શિવસેના અને અકાલીદળે ખુલ્લીને નારાજગી જાહેર કરી હતી. આ બંને પક્ષો જેડી (યુ)ને બદલે પોતાના ઉમેદવારની પસંદગી થાય તેમ ઈચ્છતા હતા. તેમ છતાં આ પક્ષોની નારાજગીનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકી નહીં. જ્યારે સમયને વહેણને જોઈને મોદી અને અમિત શાહે શિવસેના અને અકાળી દળ સાથે વાતચીત કરીને મનાવી લીધા.

August 9, 2018
harivansh_a123_1533555361_618x347.jpeg
1min8180
2019ની લોકસભા ચૂંટણી પહેલાં આજરોજ તા.9મી ઓગસ્ટ 2018ના રોજ રાજ્યસભાના ઉપાધ્યક્ષ માટે ચૂંટણી યોજાઇ હતી.
મુખ્ય ટક્કર એન.ડી.એ. અને યુ.પી.એ. વચ્ચે થઇ હતી. જેમાં NDAના ઉમેદવાર હરિવંશ સિંહની જીત થઇ છે. હરિવંશને 125ને મત મળ્યા હતા, જ્યારે UPAના બી.કે.હરિપ્રસાદને 105 મત મળ્યા હતા જો કે કેટલાક સાંસદોએ ખોટા બટન દબાવ્યા હોવાથી બે વખત મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ મતદાનમાં તેમને 115 અને બીજી વખતના મતદાનમાં કુલ 122 મત મળ્યા હતા. આ સાથે કુળ 222 સાંસદોએ રાજ્યસભામાં મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
August 8, 2018
download.jpg
1min12830

ચેન્નઇ: એક પટકથાલેખકની રૂએ તેઓ તમિળનાડુમાં ભગવાનનો દરજ્જો ભોગવતા ફિલ્મસ્ટારોના પડછાયામાં રહી શક્યા હોત પરંતુ વિધિએ તેમની માટે કંઇક ઓર જ વિચાર્યું હતું.

આખાબોલા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા કરુણાનિધિની યોજના જ કંઇ અલગ હતી. તમિળનાડુના દ્રવિડીયન રાજ્યના નાયક બનીને તેમણે ભલભલા ફિલ્મસ્ટારોને ઝાંખા પાડી દે તેવી રિઅલ એક્ટિંગ કરી લીધી. ટીનસેલ ટાઉનના અને રાજકીય તખ્તાના તેમના કટ્ટર હરિફ એમ. જી. રામચંદ્રન અને તેમના મિત્ર જયલલિતાને તેમણે વર્ષો સુધી હંફાવ્યા અને તમિળનાડુની રાજગાદી પર એક વાર નહીં પરંતુ પાંચ-પાંચ વાર રાજ કર્યું.

વર્તમાન સમયના રાજકીય કાવાદાવાઓની પાકી સમજ અને આવડત ધરાવતા કરુણાનિધિનું તેમના રાજ્યની બહાર પણ અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં પણ સારું એવું પ્રભુત્વ હતું. નવી દિલ્હીમાં કૉંગ્રેસ અને ભાજપ બંને સાથે યુતિ કરી તેમણે ઘણી વાર તકવાદી તરીકે લોકોની ખફગી પણ વહોરી લીધી હતી.

મુથુવેલ કરુણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૩૮માં ૧૪ વર્ષની નાની વયે તેમના ગામ તિરુવરુરમાં હિન્દી વિરોધી આંદોલનમાં જોડાઇને તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

બુદ્ધિગમ્ય અને સમતાવાદી વિચારધારા ધરાવતા ડીએમકે પક્ષના સ્થાપક ઇ.વી. રામાસામી ‘પેરિયાર’ અને રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઇના વિચારોની ઘણી ઊંડી અસર તેમના પર પડી હતી અને ધીમે ધીમે તેઓ દ્રવિડીયન આંદોલનનો ચહેરો બની ગયા, જે મહિલાઓ માટે અને સમાજના પછાત વર્ગ માટે સમાન અધિકારની લડત ચલાવતા હતા અને બ્રાહ્મણ પ્રથાના વિરોધી હતી.

વિધાનસભામાં તેઓ ૧૩ વખત ચૂંટાયા હતા. ફેબ્રુઆરી, ૧૯૬૯માં અન્નાદુરાઇના મૃત્યુ બાદ પોતાના કૌશલ્ય અને હોંશિયારીથી વી.આ. નેદુચેરિયનને પાછળ ઠેલી તેઓ મુખ્ય પ્રધાન બની ગયા.

તેમના જુનિયર અને લોકલાડીલા ફિલ્મ કલાકાર એમ. રામચંદ્રને નેદુચેરિયનને તેમના રસ્તામાંથી હટાવવામાં ઘણો સાથ આપ્યો, એ સમયે નેદુચેરિયન અન્નાદુરાઇ કેબિનેટમા ંનંબર ટૂના સ્થાને ગણાતા હતા.

વર્ષો બાદ કરુણાનિધિ અને એમજીઆર (રામચંદ્રનનું લોકલાડીલું નામ) છૂટા પડ્યા. એમજીઆરે એઆઇએડીએમકે પક્ષની સ્થાપના કરી.

૧૯૫૭માં તેઓ કુલીથલાઇ મતદારક્ષેત્રમાંથી જીતીને આવ્યા ત્યારથી લઇને ૨૦૧૬માં જ્યારે તેઓ થિરુવરુર ખાતેથી ચૂંટાઇ આવ્યા ત્યાં સુધી છ દાયકા સુધી કરૂણાનિધિ ધારાસભ્ય રહ્યા હતા. (૧૯૮૬ ને ૧૯૮૯ના સમયગાળાને બાદ કરતા)

૧૯૮૪માં તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા, જેને એમજીઆર સરકારે ૧૯૬૯માં નાબૂદ કરી. શ્રીલંકાના તમિળોના પ્રશ્ર્ને તેમણે ૧૯૮૩માં તેમણે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું.

૧૬૬૯ના જુલાઇમાં તેઓ ડીએમકેના વડા બન્યા અને આ પોસ્ટ પર તેઓ મૃત્યુ પર્યંત રહ્યા.

૧૯૭૧, ૧૦૮૯, ૧૯૯૬, ૨૦૦૬માં તેઓ તામિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૧૧માં તેઓ જ્યારે તેમના મિત્ર-કમ-દુશ્મન જયલલિતાના હાથે હાર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘લોકોએ મને થોડો આરામ આપ્યો છે.’

ડીએમકેના મુખપત્ર મુરાસોલીમાં તેઓ મુ.કા.ના નામે ઓળખાતા હતા. તેમની આત્મકથા નેનજુકુ નિધિ’ તેમના સમર્થકો માટે તેમના જીવનની ઘણી રસપ્રદ માહિતી પૂરી પાડે છે.

તેમની જેમ જ ફિલ્મી બૅક ગ્રાઉન્ડ ધરાવતા અન્નાદુરાઇની સાથે સાથે તેમણે પણ ફિલ્મી માધ્યમનો તેમની રાજકીય કારકિર્દી ઉંચકવા ઉપયોગ કર્યો. એમજીઆર અને અન્ય ટીનસેલ ટાઉન આઇકોન ગણેશનની પ્રથમ ફિલ્મના ડાયલોગ કરુણાનિધિએ લખ્યા હતા.

૧૯૭૨માં ભ્રષ્ટાચારના મુદ્દે એમજીઆરે જ્યારે કરુણાનિધિ સામે જ્યારે મોરચો માંડ્યો અને પાર્ટીના ફાઇનાન્સનો હિસાબ માગ્યો ત્યારે કરૂણાનિધિની રાજકીય કારકિર્દીને ભારે ધક્કો લાગ્યો.એમજીઆરની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એઆઇએડીએમકેનો જન્મ થયો. એમજીઆરના પક્ષનો ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૫માં વિજય થયો અને ૧૯૮૭માં મૃત્યુ સુધી એમજીઆર મુખ્ય પ્રધાનપદે રહ્યા અને કરુણાનિધિને વિરોધ પક્ષમાં બેસવાની ફરજ પડી.

૧૯૮૯માં ફરીથી સત્તા પર આવેલા કરુણાનિધિને ૧૯૯૧માં એમજીઆરની મિત્ર જયલલિતાના હાથે હાર ખમવી પડી. તેઓ ૧૯૯૬માં પાછા સત્તા પર આવ્યા, પરંતુ જયલલિતાના શાસનમાં એઆઇએડીએમકે ૨૦૦૧માં તેમનો પરાભવ થયો.

રાજકારણમાં કોઇ કાયમી મિત્ર નથી અને કોઇ કાયમી શત્રુ નથી એ ઉક્તિને સાર્થક ઠેરવતા હોય તેમ તેમણે ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કર્યો અને ઘણી વાર કૉંગ્રેસ, ભાજપ સાથે ગઠબંધન પણ કર્યું.

વાજપેયીની ભાજપ સરકારે શ્રીલંકાના તમિળો સામે થયેલા અત્યાચાર અંગે કૂણું વલણ અપનાવ્યુ એના વિરોધમાં તેમણે તેમની સરકાર સાથે છેડો ફાડ્યો હતો.

૧૯૮૦માં તેમણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.

તેમની પુત્રી અને સાસંદ કનિમોઝીનું નામ જ્યારે ટૂ-જી કૌંભાંડમાં આવ્યું ત્યારે તેમને ધક્કો લાગ્યો.

દરેક પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલનાર કરુણાનિધિ રાજકીય માસ્ટર તરીકે હંમેશા યાદ રહેશે.

August 7, 2018
power-1280x720.jpg
1min5580

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારે યુનાઈટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગોવડા અને તેઓ(શરદ પવાર) વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ન હોવાથી તેમણે એકજૂટ થઈને આખા દેશનો પ્રવાસ ખેડીને લોકોનો વિશ્ર્વાસ જીતવો જોઈએ અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો જબ્બર પ્રતિકાર કરવો જોઈએ.

પવારે મહારાષ્ટ્રમાં એનસીપી-કૉંગ્રેસની યુતિના દ્વાર બહુજન સમાજ પક્ષ માટે પહેલીવાર ખુલ્લા મૂકીને જણાવ્યું હતું કે બીએસપીનાં વડાં માયાવતી સાથે આ મુદ્દે ચર્ચા નથી કરી તેમ છતાં તેઓ જોડાશે તો તેમને ખુશી થશે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે 2019માં વિરોધી પક્ષો માટેની રૂપરેખા દોરી હતી અને હાલની રાજકીય પરિસ્થિતિને 1975-77ની પરિસ્થિતિ સાથે સરખાવતાં એવી દલીલ કરી કે તે સમયે ઇન્દિરા ગાંધીની બાબતે લોકોનો ભ્રમ ભાંગી ગયો હતો તેવી જ રીતે નરેન્દ્ર મોદીની બાબતે પ્રવર્તતી લહેર ઓસરી રહી છે. તેમણે સૂચવ્યું હતું કે વિરોધી પક્ષોએ રાષ્ટ્રીય સ્તરે જોડાણ કરવાને બદલે રાજ્યમાં જોડાણ કરવું જોઈએ. ચૂંટણી થઈ ગયા પછી નેતાગીરીના પ્રશ્ર્ને વિચારવું જોઈએ. રાજ્યોના પક્ષ સાથે ભાગીદારીનો તર્કસંગત અભિગમ અપનાવવાની કૉંગ્રેસને અરજ કરતાં તેમણે કહ્યું કે તાજેતરમાં રાહુલ ગાંધી સાથેની વાતચીત પરથી તેમનામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. હાલનું રાજકીય વાતાવરણ અને 1975-77ની પરિસ્થિતિ સમાંતર હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ પ્રસાર માધ્યમો, સરકાર અને સરકારી એજન્સીઓ પર પાબંદી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે લોકો તેમને પડકારવા વૈકલ્પિક મંચ, સંસ્થા અને નેતાનો અભાવ હોવાનો નિર્દેશ કરતા હતા.

ફરક એ છે કે જયપ્રકાશ જેવા રાજકીય નેતાઓ તે વખતે હતા. લોકો તેમની સલાહ લેતા હતા. આખરે મોટા ભાગના નેતાઓ પોતાના પક્ષને ભૂલી ગયા હતા. ચૂંટણી પત્યા પછી જનતા પક્ષ એકત્રિત થયો અને મોરારજી દેસાઈ પર નેતાની પસંદગીનો કળશ ઢોળાયો હતો. સાચું કહું તો મને વડા પ્રધાન બનવાની ખેવના નથી. પણ મારી મહત્ત્વાકાંક્ષા બધા વિરોધી પક્ષો એકત્ર થઈને વિકલ્પ પૂરો પાડવાની છે, એમ તેમણે કહ્યું હતું.

આજે જય પ્રકાશ નારાયણ જેવા નેતા હયાત નથી પણ કેટલાક નેતાઓ ભારતભરનો પ્રવાસ કરીને લોકોને વિશ્ર્વાસમાં લઈ શકે તેમ છે, એમ તેમણે કહ્યું હતું. પવારની આ ટિપ્પણી સામે ભાજપે કોઈ પ્રતિક્રિયા વ્યકત કરી ન હતી.