ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 48 of 53 - CIA Live

October 11, 2018
nitishkumar.jpg
1min6050

અનામતનો વિરોધ કરીને યુવકે કાર્યક્રમમાં નીતિશ પર ચપ્પલ ફેંક્યું, જો કે ચપ્પલ દૂરથી ફેંકાયું હોવાથી નીતિશ કુમાર સુધી પહોંચ્યું નહીં

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર પર પટનામાં એક કાર્યક્રમ દરમિયાન ચપ્પલ ફેંકવાની ઘટના સામે આવી છે. નિતીશ જેડીયુના યૂથ વિંગના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ચપ્પલ ફેંકનારા આરોપી વિદ્યાર્થિએ અનામતને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ઘટના દરમિયાન પ્રશાંત કિશોર પણ નિતીશ કુમારની સાથે હતા. મીડિયાના રિપોર્ટ્સ મુજબ ચપ્પલ ફેંકાવાની ઘટનાથી ગુસ્સામાં આવીને જેડીયુના કાર્યકર્તાઓએ આરોપી વિદ્યાર્થીને ઢોર માર મારી, પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે.

આરોપી વિદ્યાર્થી ઔરંગાબાદનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવકે જણાવ્યું કે, અનામતને લઇને તે ચિંતિત છે અને ઉચ્ચ જાતિના હોવાને કારણે તેને નોકરી પણ મળતી નથી. આ વાતથી તે નાખુશ હતો.

October 6, 2018
Election_Commission.jpg
1min10540

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતા દેશના રાજકીય તખ્તે ચહલપહલ જોવા મળી હતી.

ચીફ ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે કરેલી જાહેરાત મુજબ ચૂંટણીની તારીખો આ મુજબ છે.

મધ્ય પ્રદેશ

  • મતદાન તા.28 નવેમ્બર 2018, બુધવાર
  • વિધાનસભા વિસર્જન તા. 7 જાન્યુઆરી 2019, કુલ 230 બેઠકો 

રાજસ્થાન અને તિલંગાના

  • મતદાન તા.7 ડિસેમ્બર શુક્રવાર,
  • વિધાનસભા વિસર્જન તા. 20 જાન્યુઆરી 2019, કુલ 200 બેઠકો

છત્તીસગઢ

  • ફર્સ્ટ ફેઝ 18 બેઠકો, 16 ઓક્ટોબર નોટિફિકેશન, મતદાન 12 નવેમ્બર 2018 સોમવાર
  • ફેઝ ટુ, 72 બેઠકો 26 ઓક્ટોબર નોટિફિકેશન, 20 નવેમ્બર 2018, મંગળવાર  
  • વિધાનસભા વિસર્જન તા. 5 જાન્યુઆરી 2019, કુલ 90 બેઠકો

મિઝોરમ

  • મતદાન તા.28 નવેમ્બર 2018, બુધવાર
  • વિધાનસભા વિસર્જન તા. 15 ડિસેમ્બર 2018, કુલ 40 બેઠકો

 

  • મતગણતરી દરેક રાજ્યોમાં 11 ડિસેમ્બર 2018ના રોજ હાથ ધરાશે.

ચૂંટણીની તારીખોની ઘોષણા સાથે જ મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગૂ કરી દેવામાં આવી છે.

ઉમેદવારોના સોગંદનામામાં માગવામાં આવતી વિગતોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ફેરફાર કરવામાં આવ્યો હોવાનું ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું. દરેક વિધાનસભા મત વિસ્તારમાં રૂ.28 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

જે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું છે એ પૈકી ત્રણ રાજ્યોમાં હાલમાં ભાજપાની સરકાર જ્યારે મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આજે ચૂંટણીની તારીખોની ઘોષણા થાય એ પહેલા ભાજપના બે દિગ્ગજ નેતાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં અને બીજેપીના નેશનલ પ્રેસિડેન્ટ અમીત શાહ મધ્ય પ્રદેશમાં ચૂટણી સભાને સંબોધન કર્યું હતું.

 

October 3, 2018
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min12120

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી સૌથી વધુ બેઠકો મળે એવી ગણતરી સાથે કેન્દ્રીય ભાજપના નેતાઓ ગુજરાત પર મોટો દાવ રમી રહ્યા છે એવા સંજોગોમાં ગુજરાતમાં ભાજપા પાસે જીત (જીતુ વાઘાણી) અને વિજય (વિજય રૂપાણી) બન્ને છે આમ છતાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ બન્ને ગુજરાતના આ જીત અને વિજયથી નાખુશ છે અને સંભવ એ પણ છે કે કોઇક મોટા નો ભોગ પણ લેવાય જાય.

વાત જાણે એમ બની કે

વડાપ્રધાન મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાત આવ્યા હતા એ પછી તાબડતોડ ભાજપ સેન્ટ્રલ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. આ દરમિયાન ચર્ચા હતી કે પીએમ મોદીના કાર્યક્રમમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરી કેમ હતી, ખુરશીઓ, બેઠકો ખાલી હતી. ખુદ મોદીને આ વાત અપમાનજનક લાગી હતી. આ બાબતથીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ એ વાત જાહેર થઇ ગઇ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે સ્થાનિક નેતાઓનો ઉધડો લીધો અને આવું કેમ થયું તેની તપાસ શરૂ કરાવડાવી છે. એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને સંગઠનની કામગીરીથી નારાજ પીએમ મોદીએ અમિત શાહને ધ્યાન દોરતા શાહે ભાજપના નેતાઓને યોગ્ય કાર્યવાહી માટે કડકાઈ સૂચના આપી છે એ જોતા આગામી દિવસોમાં એકાદ બે નેતાઓની જવાબદારી લઇને બીજા કોઇ નેતાને સુપરત કરવામાં આવે.

જાણકારોનું કહેવું છે કે ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ હવે આગામી દિવસોમાં ગુજરાત ભાજપામાં સંગઠન સ્તરે અને રાજ્ય સરકારમાં પરિવર્તનની વકી સ્પષ્ટ છે.

ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ પર નિર્ભર

નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલી નિષ્ફળતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ચાર દિવસ માટે ગુજરાત મોકલ્યા છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મોદીના મુલાકાતના સ્થળો અને તે જિલ્લામાં ભાજપની સ્થિતિ અને ભાજપ અંગે પ્રજાનો વિશ્વાસ અને રોષ કેવો છે તે અંગેનો તાગ મેળવીને રિપોર્ટ કરશે. ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે.

નારાજગીનો સૂર તો પહેલેથી છે જ

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણી અને મંત્રીમંડળની કામગીરી સામે ભાજપના જ ધારાસભ્યોની નારાજગી વારતહેવારે સામે આવી ચૂકી છે. તો મંત્રીઓ વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી કામગીરી અટકતી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.  ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા અને શહેર પ્રમુખ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાથી સરકારની કામગીરી પ્રજા સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. આમ ભાજપ સંગઠન અને સરકારમાં સંકલનના અભાવ અને પ્રજા સાથે સંપર્ક કરવામાં ભાજપ ઉણો ઉતરતાં હાઈકમાન્ડે પણ તેની ગંભીર નોંધ લીધી છે.

September 25, 2018
DARSHAN_naik.jpg
1min10130

સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે જિલ્લા પંચાયત અધિકારીથી લઇને રાજ્ય સરકારને સુરત જિલ્લામાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો કે જેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તે અટકાવવા માટે તાકીદે પગલાં ભરવા આક્રમક રજૂઆતો કરી

સુરત જિલ્લાના રાજકીય આગેવાન અને જિલ્લા પંચાયતના સિનિયર મેમ્બર દર્શન નાયકએ આજે જિલ્લા પંચાયત અધિકારીને લેખિત રજૂઆતોમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના વિસ્તારોમાં પાણીજન્ય અને જંતુ જન્ય રોગચાળાના કેસો વકરી રહ્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ, પલસાણા, માંગરોળ તાલુકાઓમાં ઔદ્યોગિકીકરણને કારણે અહીં ગીચ વસતિ આકાર પામી છે. બીજા જિલ્લામાંથી આવેલા ગરીબ પરિવારો કાચા પાકા આવાસોમાં વસવાટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રહેતા લોકોને લૂંટવા માટે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને ચોર્યાસી તાલુકામાં સૌથી વધારે બોગસ તબીબો બેરોકટોક પણે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં કીમ, સાયણ, દેલાડ વગેરે જેવા ઘણાં ગામોમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. પલસાણ તાલુકામાં ચલથાણ, વરેલી, જોળવા, તાતીથૈયા જેવા વિસ્તારોમાં, માંગરોળ તાલુકામાં મોટા બોરસરા, પીપોદરા, સીયાલજ, કીમ ચોકડી, બંભોરા, માંડવી તાલુકામાં કરંજ, હરીયાલ, વગેરે વિસ્તારમાં જિલ્લા પંચાયતની ટીમોએ રેડ પાડીને બોગસ પ્રેક્ટિસ કરી રહેલા તબીબો સામે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરવી જોઇએ.

શ્રી દર્શન નાયકે કહ્યું કે અગાઉ તંત્રવાહકોને 30 બોગસ તબીબોના નામ સરનામા, પ્રેક્ટિસના સ્થળો સમેતની વિગતો સાથે લેખિતમાં રજૂઆતો કરી હતી આમ છતાં એકેય તબીબ સામે કેમ કાયદેસરની કાર્યવાહી થઇ નહીં, તેમણે તંત્રવાહકોની બોગસ તબીબો સાથે મિલીભગત હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

સુરત જિલ્લામાં બેરોકટોક પણે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. તેઓ સારવારની યોગ્ય પદ્ધતિ નહીં જાણતા હોવા છતાં એલોપેથી દવાઓ, ઇન્જેકશન આપીને લોકોના જીવનને ભયમાં મૂકી રહ્યા છે.

September 20, 2018
hardik_jindal.jpg
1min5400

જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે

hardik patel

ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ કરનાર  હાર્દિક પટેલ હવે  ટ્રિટમેન્ટ માટે બેંગાલુરુ પહોંચ્યો છે. બેંગાલુરુની જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બેંગાલુરુની આ એ જ જિંદાલ નેચરલ કેર સેન્ટર છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ નેચરોપથીની સારવાર મેળવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા સિનિયર નેતાઓ પણ પોતાની હેલ્થ સાચવવા આ નેચરલ કેર સેન્ટરના દર્દી બન્યા છે. હાર્દિક પટેલ  28 તારીખ સુધી આ સેન્ટરમાં ટ્રિટમેન્ટ લેશે. ત્યારબાદ પરત ગુજરાત ફરશે.

September 19, 2018
agusta.jpg
1min18830

વચેટિયાના પ્રત્યાર્પણનો આદેશ, કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલી

HELICOPTER

3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે ભારતને મોટી સફળતા મળી છે. દુબઈની અદાલતે આ વિવાદિત ડીલમાં કથિત બ્રિટિશ વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ માટે આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ મિશેલના પ્રત્યાર્પણની શક્યતા વધી ગઈ છે. જો કે આ મામલે સવાલોના ઘેરામાં રહેલી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક સમય પહેલા ભારતે દુબઈને ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ માટે રજૂઆત કરી હતી. ભારત સરકારની અપીલ સીબીઆઈ અને ઈડી તરફથી કરાયેલી તપાસને આધારે કરાઈ હતી.

સૂત્રો મુજબ દુબઈના અદાલતનો આદેશ અરબી ભાષામાં કરાયેલો છે, એટલે વિસ્તૃત આદેશ તો આજે જાણી શકાશે. ભારતીય પ્રશાસન આ આદેશનો અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યું છે. મિશેલના પ્રત્યાર્પણના આદેશને સીબીઆઈ અને ઈડી માટે મોટી સફળતા મનાઈ રહી છે. ઈડીએ મિશેલ વિરુદ્ધ જૂન, 2016માં દાખલ કરેલી ચાર્જશીટમાં કહ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં તેણે 225 કરોડ રૂપિયાની દલાલી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2017માં મિશેલની યુએઈમાંથી ધરપકડ કરાઈ હતી. મિશેલના વકીલનો આરોપ છે કે સીબીઆઈ તેના ક્લાયન્ટ પર દબાણ કરી રહી છે. જો કે તપાસ એજન્સીઓએ આ આરોપો નકારી દીધા હતા.

September 14, 2018
paswan.jpg
1min9090

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાને પિતા સામે જ મોરચો માંડ્યો છે

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાને પિતા સામે જ મોરચો માંડ્યો છે. આશા પાસવાને ચોંકાવનારી જાહેરાત કરતા કહ્યું કે તે પોતાના પિતા વિરુદ્ધ આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડશે. આશા પાસવાને કહ્યું જો રાજદ ટિકિટ આપશે તો તે હાજીપુરથી પિતા સામે જ લડશે. ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવને આશા પાસવાને કાકા ગણાવ્યા તો તેજસ્વી અને તેજપ્રતાપને પોતાના નાના ભાઈ કહ્યા.

આશાનો આરોપ છે કે તેમના પિતા હંમેશા ભાઈ ચિરાગ પાસવાનની કારકિર્દી જ આગળ વધારી રહ્યા છે, પુત્રી વિશે ક્યારેય નથી વિચાર્યું. પિતા પુત્રી સાથે ભેદભાવ કરતા હોવાનો પણ આશા પાસવાને આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રામ વિલાસ પાસવાનને બે લગ્ન કર્યા છે. આશા પાસવાનની માતા રામ વિલાસ પાસવાનની પહેલી પત્ની છે. જે બિહારમાં પાસવાનના વતનમાં રહે છે. તો ચિરાગ પાસવાન રામ વિલાસ પાસવાનની બીજી પત્નીના એકમાત્ર પુત્ર છે.

આશા પાસવાને પોતાના પિતા અને ભાઈ પર આરોપ લગાતા કહ્યું કે બંને પોતાની મનમાની કરે છે. રામવિલાસ પાસવાન દલિતોના નહીં પરંતુ સવર્ણોના નેતા બની ચૂક્યા છે. સાથે જ આશા પાસવાને પિતા પર પોતાનું જ નહીં તમામ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

September 13, 2018
jetli-1-1280x720.jpg
1min7130

વિજય માલ્યાના નિવેદનને આધાર બનાવીને રાહુલ ગાંધી સમેત ભાજપ વિરોધી પાર્ટીના નેતાઓએ કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી સામે આકરાં સરશંધાન વ્યક્ત કર્યા છે. આજે તા.13મી સપ્ટેમ્બર 2018ના રોજ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને એક એકથી અણીયારા સવાલો ઉપસ્થિત કરીને મોદી-અમીત શાહને બેકફૂટ પર લાવી દીધા છે. અરુણ જેટલી પોતાનો બચાવ કરી શકતા નથી. આ મામલે હવે ભાજપે ડેમેજ મેનેજમેન્ટ કન્ટ્રોલ હાથ ધરવાની નોબત આવી છે.

રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે વિજય માલ્યા ભાગી જવાના છે એવી ખબર હોવા છતાં અરુણ જેટલીએ તેમની સામે કાર્યવાહી થવા ન દીધી, તેમણે તંત્રવાહકોને એલર્ટ કરી દેવાની જરૂર હતી. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે અરુણ જેટલી 15 મિનિટ સુધી સંસદ ભવનમાં જ વિજય માલ્યાને મળ્યા હતા. સીસી ટીવી ફૂટેજ ચકાસી લઇએ તો બધું ખબર પડી જશે.

દેશની બેંકોના કરોડો રુપિયાનું ફુલેકું ફેરવનાર શરાબના વેપારી વિજય માલ્યાએ અરુણ જેટલી સાથેની મુલાકાતનો ખુલાસો કર્યા બાદ રાજકારણનો માહોલ ગરમાઈ ગયો છે. રાહુલ ગાંધીએ એટલે સુધી જણાવ્યું કે માલ્યા અને જેટલી વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે પણ રાહુલ ગાંધીએ માંગ કરી હતી.

તા.13મી સપ્ટેમ્બર 2018ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલે અરુણ જેટલીનું રાજીનામું માંગ્યું હતું. કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ અરુણ જેટલી પર કરેલાં 10 મોટા હુમલા આ પ્રમાણે છેઃ

1. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તા.12મી સપ્ટેમ્બર 2018ના રોજ અરુણ જેટલીએ કબુલ્યુ કે વિજય માલ્યા સાથે એમની સંસદ પરિસરમાં મુલાકાત થઈ હતી. જેટલી લાંબા બ્લોગ લખે છે, પરંતુ આ મામલે કશુંય લખતા નથી. અરુણ જેટલી મુલાકાત અંગે જુઠ બોલી રહ્યા છે. અમારા સાથી પીએલ પુનિયાએ એમને મુલાકાત કરતા જોયા છે.

2. રાહુલ કહ્યું કે, એમાં બે સવાલ પેદા થાય છે. પ્રથમ સવાલ કે નાણાપ્રધાન ભાગેડુ સાથે વાત કરે છે અને એમને લંડન જવા અંગે કહે છે. પરંતુ માલ્યા અંગે અરુણ જેટલીએ કોઈ એજન્સીને કેમ જણાવ્યું નહીં.

3. રાહુલ ગાંધીએ એ પણ પૂછ્યું કે સીબીઆઈ પર દબાણ વધારીને ‘રેસ્ટ્રેન્ડ નોટિસ’ને ‘ઈન્ફોર્મ્ડ’ નોટિસમાં કોણ બદલાવી ? એમણે આરોપ લગાવ્યો કે, નાણાપ્રધાનની મિલીભગત છે. નાણાપ્રધાને રાજીનામું આપવું જોઈએ.

4. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂછ્યું કે નાણાપ્રધાને જણાવવું જોઈએ કે એમણે અપરાધી સાથે મિલીભગત કેમ કરી ? રાહુલે એ પણ પ્રશ્ન કર્યો કે જેટલીએ માલ્યાને ખુદના સ્તર પર ભાગવા જવાનો નિર્ણય કર્યો કે પછી મોદીજીના કહેવાથી આવું કર્યું ?

5. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે લુકઆઉટ નોટિસ તો ફક્ત નાણાપ્રધાન અને વડાપ્રધાન જ બદલાવી શકે છે. નાણાપ્રધાને વિજય માલ્યાને ભાગવ દીધા.

6. કોંગ્રેસ અધ્યક્ષ પોતાની સાથે પીએલ પુનિયાને લઈને આવ્યા હતા. પીએલ પુનિયાએ દાવો ક્યો કે એમણે જેટલી અને માલ્યાને સંસદ પરિસરમાં મુલાકાત કરતા જોયા હતા.

7. પીએલ પુનિયાએ કહ્યું કે બજેટ રજૂ થવાના આગળના દિવસે 1 માર્ચે અરુણ જેટલી અને વિજય માલ્યા વાત કરી રહ્યા હતા. એ લગભગ 15 થી 20 મિનિટ વાત કરતા રહ્યાં. પહેલા બંને ઉભા રહીને અે પછી બંને ત્યાં સેન્ટ્રલ હોલમાં બેસીને વાત કરવા માંડ્યા.

8. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે મેં બે દિવસ પછી વાંચ્યું તો વિજય માલ્યા રવાના થઈ ગયા છે, તો હું હેરાન રહી ગયો. એમણે કહ્યું કે, અમે ઈચ્છીએ કે સંસદના સીસીટીવી ફુટેજની તપાસ થવી જોઈએ તો સત્ય બહાર આવશે.

9. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માલ્યાના નિવેદન બાદ નાણાપ્રધાન જેટલીનું રાજીનામું માગ્યું હતું.

10. એમણે ટ્વીટ કરીને કહ્યું કે માલ્યા તરફથી લગાવેલા આરોપ ગંભીર છે અને વડાપ્રધાને તાત્કાલિક આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. રાહુલે કહ્યું કે, તપાસ પુરી ન થાય ત્યાં સુધી જેટલીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપી દેવું જોઈએ.

September 10, 2018
modi-shah.jpg
1min4540

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘અજેય ભારત, અટલ ભાજપ’ એવું નવું સૂત્ર જાહેર કરીને સત્તાવાર રીતે ૨૦૧૯ની સંસદીય ચૂંટણી માટેનો દૃઢતાભર્યો મૂડ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના શાસન હેઠળ સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ મૂલ્યો માટે તેમ જ દેશની પ્રગતિ તથા વિકાસના માર્ગે લઈ જવા દૃઢ છે એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. મોદીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકને સંબોધતી વખતે સદ્ગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને નવા સૂત્ર સાથે હૃદયપૂર્વકની અંજલિ પણ આપી હતી.

‘અજેય ભારત, અટલ ભાજપ’ એ સૂત્રનો અર્થ એવું ભારત જે સદા અપરાજિત રહેશે અને કોઈના પણ વશમાં આવ્યા વગર અડગ અને નિશ્ર્ચયી રહેશે. મોદીએ કહ્યું હતું કે તેમનો પક્ષ આ સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે.

ભાજપની વિરુદ્ધમાં મહાગઠબંધન કરનારા વિરોધ પક્ષો વિશે મોદીએ ટકોર કરતા કહ્યું હતું કે ‘જે લોકોને એકમેક સામે જોવાનો વ્યવહાર નથી તેઓ મહાગઠબંધન માટેની મથામણ કરી રહ્યા છે. અમારા કાર્યોનું આ સૌથી મોટું સમર્થન છે. આ લોકોનું એવું મહાગઠબંધન કરવામાં મથ્યા છે જેમાંના નાના પક્ષો સહિત કોઈને પણ કૉન્ગ્રેસની નેતાગીરી સ્વીકાર્ય નથી.’ દરમિયાન, ભાજપના પ્રમુખ અમિત શાહે ૨૦૧૯ની ચૂંટણીમાં પોતાનો પક્ષ ફરી સત્તા પર આવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

‘અમિત શાહે કહ્યું છે કે ભાજપ આવતા ૫૦ વર્ષ સુધી સત્તા પર રહેશે. ભાજપ પોતાના પર્ફોર્મન્સને આધારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતશે અને પછીના ૫૦ વર્ષ સુધી પણ એને કોઈ સત્તાવિમુખ નહીં કરી શકે,’ એવું ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે અહીં પત્રકારોને પક્ષની કારોબારીની બેઠક ખાતે અમિત શાહે આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.

પ્રસાદે કહ્યું હતું કે ‘આ અંદાજ વિવિધ રાજ્યોમાં ભાજપ-શાસિત સરકારોના તેમ જ કેન્દ્રમાં સરકારનો જે પર્ફોર્મન્સ રહ્યો છે અને કોઈ પણ પ્રકારના અહંકાર વગર જે રીતે કામો થઈ રહ્યા છે એને આધારે વ્યક્ત થયો છે. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યાર પછી ભાજપે ક્યારેય ચૂંટણીમાં પરાજય નથી જોવો પડ્યો. ભાજપ પોતાના પર્ફોર્મન્સને કારણે જ રાજ્યમાં સત્તા પર રહી છે.’

September 9, 2018
mohan-bhagwat-h_d.jpg
1min5700

હિંદુઓમાં પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. આ સમુદાય જ્યારે સમાજ તરીકે કામ કરશે ત્યારે જ સમૃદ્ધ થશે, એમ જણાવતા આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ સમુદાયના નેતાઓને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે એક થવાની હાકલ કરી હતી.

બીજા વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસમાં ભાગ લેનારા આશરે 2,500 પ્રતિનિધિના સમૂહને સંબોધતા આરએસએસના વડા ભાગવતે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વને એક ટીમમાં લાવવાના મહત્ત્વના મૂલ્યમાં અહમ્ પર નિયંત્રણ મૂકવું અને સર્વસંમતિ સ્વીકારવાનું શીખવું છે.

1893માં શિકાગો ખાતે સર્વ ધર્મની પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલા ઐતિહાસિક ભાષણના 125મા વર્ષે બીજા વિશ્ર્વ હિંદુ કૉંગ્રેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘સિંહ જો એકલો હોય તો જંગલી કૂતરાઓ પણ તેને નિશાન બનાવી તેને મારી નાખી શકે છે. આપણે એ ભૂલવું ના જોઇએ. અમે દુનિયાને બહેતર બનાવવા માગીએ છીએ. અમને પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. અમારો પ્રભાવ એ વિજય અને વસાહત સ્થાપવાનું પરિણામ નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.

આદર્શવાદની ભાવના સારી છે એમ જણાવતા ભાગવતે ઉમેર્યું હતું કે તેઓ આધુનિકતાના વિરોધી નથી, પરંતુ ભવિષ્યને આવકારનારા છે.

મહાભારતના વિચારોને ટાંકીને ભાગવતે લોકોને સર્વસંમતિથી એક ટીમ બનીને કામ કરવા અપીલ કરી હતી. હિંન્દુઓ તેમના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે, તેથી હેરાન થઇ રહ્યા છે. હિન્દુઓમાં ઘણા વિદ્વાનો છે, ધુરંધરો છે, પરંતુ તેઓ સાથે મળીને કામ કરતા નથી. હિન્દુ કોઇનો વિરોધ કરતા નથી. તેમના વિરોધીઓને પણ તેઓ નુક્સાન નથી પહોંચાડતા, એમ ભાગવતે જણાવ્યું હતું

અધૂરા જ્ઞાન અને અજ્ઞાનતાને કારણે દુનિયાના સૌથી જૂના હિન્દુ ધર્મને ઘણી હાનિ પહોંચી છે એ જોઇને મને ઘણું દુ:ખ થાય છે, એમ અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું હતું.

આ કાર્યક્રમને સંબોધન કરનારાઓમાં લેફટ. ગવ. એવલિન સંગુનેટ્ટી, વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસની ઓર્ગેનાઇઝિંગ કમિટીના વડા એસ. પી. કોઠારી, સુરિનામના ઉપપ્રમુખ અશ્ર્વિન અધિન અને વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસના વાઇસ ચૅરમેન રાજુ રેડ્ડીનો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહુએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની અને તાજેતરમાં અવસાન પામેલા લેખક વી. એસ. નાયપોલની સ્મૃતિમાં એક મિનિટ મૌન પાળ્યું હતું.

આ કાર્યક્રમ સમયે કેટલાક વિરોધીઓના જૂથે વિશ્ર્વ હિંદુ કૉંગ્રેસની કાર્યવાહીને ટૂંક સમય માટે ખોરવી નાખી હતી. વિરોધીઓ સ્લોગન ઉચ્ચારી રહ્યા હતા અને ભારતની ધાર્મિક લઘુમતીઓ સામે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાર્મિક નેતાઓને જણાવ્યું હતું. સ્થાનિક પોલીસ દળ દ્વારા બે મહિલા વિરોધીની ધરપકડ કરવામાં આવી હતી.

બનાવટી ઓળખપત્ર બનાવી વિરોધીઓ કાર્યક્રમમાં આવ્યા હતા અને કાર્યક્રમની મધ્યમાં સ્લોગન ઉચ્ચારવા માંડ્યા હતા અને આરએસએસ પાછા જાવની નારેબાજી કરવા માંડ્યા હતા.