CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 46 of 53 - CIA Live

December 12, 2018
kcr.jpg
1min15630

પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ તરફ નજર નાખીએ તો તેલંગણા એક એવું રાજય છે જયાં તેલુગુ દેશમ સામ્યવાદી પક્ષ, કૉંગ્રેસ અને તેલંગણા જનસમિતિના મહાગઠ બંધનનો સામનો કરી કે. ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટી ફરી વખત તેલંગણામાં સરકાર રચવાની છે. આ સાથે જ તેલંગણામાં ગુલાબી ક્રાંતિ આવી છે. તેલંગણાના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે છ મહિના પૂર્વે જ વિધાનસભાનું વિસર્જન કરી ફરી ચૂંટણીનો નિર્ણય કર્યો હતો.

કેસીઆર પાર્ટીએ ચૂંટણી વિશ્ર્વલેષકોની ગણતરી ખોટી પાડી છે. તેના મુખ્ય કારણમાં ચંદ્રશેખર રાવની પ્રજાની નાડ પારખવાની નીતિ સહાયત બની છે. કેસીઆર પક્ષની પૈસા, શાદી, પાણી અને મકાન ફોર્મ્યુલાએ ચંદ્રશેખર રાવના પક્ષને જવલંત સફળતા અપાવી છે. અન્ય કોઈ ફોર્મ્યુલા પર આધાર રાખવાને બદલે રાવે જનતાના કલ્યાણની યોજના જનતા સમક્ષ મૂકી પ્રજામત મેળવી લીધો છે.

રાવની પાર્ટીએ ખેડૂતોને પ્રતિસિઝન પર એકર રૂ. 4000 રોકડા આપવાની ફોર્મ્યુલા અપનાવી હતી. તેલંગણાની રવી પાક અને ખરીફ પાક એમ બે સિઝનનો પાક લેવા ટેવાયેલા ખેડૂતોને પ્રતિએકર રૂ. 8000 વાર્ષિક મળવાથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

ઉપરાંત તેલંગણાની કેસીઆર સરકારે દીકરીવાળા પરિવાર માટે કલ્યાણ લક્ષ્મી અને શાદી મુબારક (મુસ્લિમ પરિવાર) યોજના અમલમાં મૂકી હતી, જે મુજબ પ્રતિલગ્ન સરકારે રૂ. 1 લાખની સહાય જાહેર કરી હતી.

તેલંગણા રાષ્ટ્ર સમિતિ દ્વારા વૃદ્ધ, વિધવા તથા વિકલાંગો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી. તદ્ઉપરાંત ગરીબ પરિવારો માટે બે બેડરૂમના મકાનની જાહેરાત પણ કરવામાં આવી. જોકે આવાસ યોજના પૂર્ણ થઈ નહતી, પરંતુ ઘર અંગે બાંધકામ શરૂ થઈ ગયા હતા. જેથી પ્રજામાં પણ એક એવો ભરોસો બેઠો કે આવાસ યોજનાની પૂર્ણાહુતિ માટે પણ કેસીઆર સરકારને વિજયી બનાવવી જરૂરી છે. કેસીઆર સરકારે પ્રત્યેક ઘરને વીજળી તથા ચોખ્ખા પાણીનું પણ વચન આપ્યું હતું. મતલબમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટીએ પ્રજાની નાડ પારખી તેમની જરૂરિયાત પરત્વે પ્રજાને પૂરા પેકેજની સહાય જાહેર કરી એ અંતર્ગત કામ પણ કર્યા.

તેલંગણામાં મોટા બેનર અને મોટા રાજકીય નેતાઓના ગઠબંધન વચ્ચે પણ પ્રજાની નાની અને મહત્ત્વની જરૂરિયાતો પૂરી કરનાર કેસીઆર પાર્ટીએ ચૂંટણી નિષ્ણાતોના સમીકરણો ખોટા સાબિત કરી તેલંગણામાં મેદાન મારી લીધું છે.

December 11, 2018
bjp-1280x960.jpg
1min6820

પાંચ રાજ્યોના પરિણામ ધીરે ધીરે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકાર રચાશે તે થોડાક કલાકોમાં નક્કી થઈ જશે. હાલ તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનો રથ આગળ ચાલી રહ્યો છે, તો મધ્યપ્રદેળમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે., તેલંગાણામાં TRS અને મિરોઝરમમાં મિજો નેશનલ ફ્રંટ આગળ છે.

આ વલણની વચ્ચે પીએમ મોદીએ કોર કમિટીની બેઠક બોલાવી છે. મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં પાંચ રાજ્યોના પરિણામ અંગે ચર્ચા થશે. હાલના પરિણામો ભાજપનું કોંગ્રેસમુક્ત ભારતનું સપનું તોડતા દેખાઈ રહ્યા છે. ત્યારે કોર કમિટીની બેઠકમાં પરિણામના જો તો વિશે પણ ચર્ચા થઈ શકે છે.

હાલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે. તો તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આ પાંચેય રાજ્યોના પરિણામને 2019ની લોકસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ મનાઈ રહ્યા છે.

December 10, 2018
upendra-kushwaha.jpg
1min7650
તા.11મી ડિસેમ્બરના રોજ મંગળવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે એના એક દિવસ પહેલા આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ એનડીએની બેઠક યોજાવાની છે, આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહેવા અંગે ટ્વીટ કરનાર કેન્દ્રીય મંત્રી અને બિહારના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. તા.10મી ડિસેમ્બરના રોજ બપોરે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છ. ચર્ચા થઈ રહી છે કે ઉપેન્દ્ર કુશવાહા વિપક્ષોના મહાગઠબંધન સાથે જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસના સરાસરી મળતી હોય તેવું લાગી રહ્યું છે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)નાં અધ્યક્ષ છે ઉપેન્દ્ર કુશવાહા
November 30, 2018
reservation.jpg
1min9880

મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીમાં 16 ટકા અનામત આપીને ક્વૉટા ટકાવારીમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. ક્વૉટા ટકાવારીમાં પહેલા ક્રમાંકે તમિળનાડુ છે.

અગાઉ હરિયાણા 67 ટકા અનામત આપીને બીજા ક્રમાંકે હતું અને તેલંગણા 62 ટકા અનામત આપીને ત્રીજા ક્રમાંકે હતું, પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 68 ટકા પર પહોંચી ગઇ છે. તમિળનાડુમાં ક્વૉટા ટકાવારી 69 ટકા છે. રાજસ્થાનમાં ગુર્જર અને અન્ય ચાર પછાત કોમને અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 54 ટકા પર પહોંચી છે.

November 27, 2018
Hari-Chaudhary-Union-Minister.jpg
1min10810

કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પર લાંચ લેવાના આરોપ લાગ્યા છે. આ મામલે દિવસો બાદ હરિભાઈ ચૌધરીએ મૌન તોડ્યું છે. કોલસા અને ખનીજ ઉત્ખનન પ્રધાન હરિભાઈ ચૌધરીએ પાલનપુરમાં એક શાળાનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન 2 કરોડ લાંચના આરોપ મામલે પણ મૌન તોડ્યું. લાંચ કેસ મામલે સ્પષ્ટતા કરતા હરિભાઈ ચૌધરીએ કહ્યું કે,’સરકાર સમગ્ર મામલાની તપાસ કરાવે, આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ. આ આક્ષેપો પાયા વિહોણા છે હું જેને ઓળખતો નથી તેણે મારા પર આરોપ લગાવ્યા છે.’

November 24, 2018
yogi.jpg
1min6860

યોગીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધતા કમલનાથના નિવેદનને આધાર બનાવીને સ્ફોટક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને તેમના મુસ્લિમ મતો એટલે કે અલી મુબારક અને અમને એટલે કે ભાજપને બજરંગ બલી જ ચૂંટણી જીતાડશે.

મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ ધમપછાડા કરી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે ભોપાલમાં એક રેલીનું સંબોધન કરતા તેમણે કોંગ્રેસ હુમલા કર્યા હતા. તેમણે કમલનાથના વીડિયોનો હવાલો આપ્યો હતો જેમાં તેઓ કથિત રીતે જણાવી રહ્યા હતા કે, જો ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના 90 ટકા વોટ પડશે નહી તો કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે.

યોગી આદિત્યનાથે આ નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કમલનાથજીનું એક નિવદેન હું વાંચી રહ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે, અમને એસસી/એસટીના વોટ નથી જોઇતા. કોંગ્રેસને માત્ર મુસ્લિમોના વોટ જોઇએ છે. કમલનાથજી તમને તમારો અલી મુબારક, અમને બજરંગબલી મદદ કરશે.

November 20, 2018
sushma_swaraj.jpg
1min11790

વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે ઈન્દૌરમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય પાર્ટી લેશે જોકે તેમણે આગામી ચૂંટણી નહી લડવાનું મન બનાવી લીધું છે.

સુષ્મા સ્વરાજ 2019માં લોકસભા ચૂંટણી નહી લડવાનો ધડાકો કર્યો છે. સુષ્મા સ્વરાજે તા.20મી નવેમ્બર 2018ના રોજ સ્થાનિક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઈન્દૌરમાં આ ઘોષણા કરી હતી. તેમણે આગામી ચૂંટણી નહી લડવા પાછળ સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું હતું. સુષ્મા સ્વરાજે મધ્ય પ્રદેશમા વિધાનસભા ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા, ત્યાં તેમણે આ ઘોષણા કરી છે. નોંધનીય છે કે, સુષ્મા સ્વરાજ મધ્ય પ્રદેશના વિદિશાથી લોકસભાના સાંસદ છે.

November 17, 2018
ramdev.jpg
1min6020

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં વિવાદમાં ઝંપલાવતા બાબા રામદેવે હવે અયોધ્યા ખાતે રામ મંદિરના મુદ્દે કહ્યું કે જો હમણાં નહીં બને તો રામ મંદિર અયોધ્યામાં ક્યારે નહીં બની શકે. તેમણે સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો, અત્યારે નહીં તો ક્યારેય નહીંની રીત પર કામ કરવું પડશે.

રામ મંદિર નિર્માણ અંગેનો મામલો ગરમી પકડી રહ્યો છે. હિન્દુ સંગઠનો અને  મહંતોના કહેવા પ્રમાણે ઝડપથી રામલલાના મંદિરનું નિર્માણ કરવામાં આવે. આ ક્રમમાં યોગ ગુરૂ બાબા રામદેવે પણ રામ મંદિર નિર્માણ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રામ મંદિરનું નિર્માણ ન થાય તો સાંપ્રદાયિક માહોલ ગરમ થશે અને પારસ્પરિક ભેદભાવ પણ વધશે.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું હતું, ‘જો રામ મંદિર નહીં બને તો દેશમાં સાંપ્રદાયિક માહોલ ગરમાશે, સાંપ્રદાયિક અને પારસ્પરિક ભેદભાવ વધશે. રામદેવે કહ્યું હતું, ‘મંદિર માટે સમજૂતીનો સમય વીતી ગયો છે.’

November 10, 2018
mizo.jpg
1min10790
જયેશ બ્રહ્મભટ્ટ
તાજેતરમાં સીબીઆઈના બે આઇ.પી.એસ. ઓફિસર આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના વૉરને કારણે સુપ્રીમ કોર્ટે બન્નેને તેમના પદ પરથી થોડા સમય માટે દૂર કરી દીધા છે, આ બન્નેમાં એક અધિકારી ગુજરાત કેડરના છે.
આ પ્રકારનો જ એક કિસ્સો બે આઇ.એ.એસ. કક્ષાના અધિકારીઓ વચ્ચે બન્યો છે. મિઝોરમમાં હાલ યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે એવી ફરીયાદ મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી હતી. જેને પગલે એલ.ચૂઆંગોના હટાવી દેવાયા હતા. બાદમાં ચૂંટણી પંચે મિઝોરમના ચૂંટણી અધિકારીને પણ હટાવી દીધા છે. આ કેસમાં પણ એક આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ગુજરાત કેડરના છે. એલ. ચૂઆંગોએ ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી જગ્યાઓ પર ફરજ અદા કરી ચૂક્યા છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ ડેપ્યુટી કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.
ગુજરાત કેડરના આઇ.એ.એસ. એલ. ચૂઆંગોને કારણે મિઝોરમ વિધાનસભાની ચૂંટણી કરાવી રહેલા વહીવટીતંત્રમાં મસમોટી ઉથલપાથલ થવા પામી છે. હાલમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાની ફરીયાદ કરીને મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. બી. શશાંકે તેમને પદ પરથી હટાવ્યા બાદ શરૂ થયેલા રાજકારણએ ખુદ મિઝોરમના ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકનો પણ ભોગ લીધો હતો. દેશના ચૂંટણી પંચે તેમને પણ તાત્કાલિક હટાવી દીધા છે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો કે જેમને પહેલા મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) પદેથી હટાવવામાં આવ્યા તેમની તસ્વીર)
ચૂંટણી કમિશને મિઝોરમ રાજ્યના પ્રધાન સચિવ (ગૃહ) લલનુનમાવિયા ચૂઆંગોને હટાવી દેવામા આવ્યા ત્યારબાદ એનજીઓ કોર્ડિનેશન કમિટીએ શશાંકને હટાવવાની માંગ કરી. મીડિયાના એક વર્ગે જણાવ્યું કે શશાંકે ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી હતી કે ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી લલથનહવલાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે, લોકોનો મુખ્ય ચૂંટણી અધિકારી એસ બી શશાંક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે તો 2018 વિધાનસભાના સારા સંચાલન માટે એકમાત્ર સમાધાન, સીઈઓ એસબી શશાંકને તત્કાલિક પદથી હટાવવાનું રહેશે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો હટાવાની ફરીયાદ કરનાર મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકને પણ તેમના પદ પરથી હટાવી દેવાયા. એસ.બી. શશાંકની તસ્વીર)
ચૂંટણી આયોગે મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસબી શશાંકને હટાવવાનો નિર્ણય કર્યો છે. મિઝોરમમાં લાંબા સમયથી શશાંકને હટાવવાની માંગ ચાલી રહી હતી.
ચૂંટણી કમિશન અધિકારીને હટાવવાની માંગ વચ્ચે ચૂંટણી ઉપાયુક્તની ટીમ તપાસ માટે મિઝોરમ પહોંચી હતી. તેમના રિપોર્ટ બાદ આયોગે ચૂંટણી અધિકારીને બદલવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ચૂંટણી આયોગે નવા મુખ્ય ચૂંટણી અધિકારી માટે મિઝોરમના મુખ્ય સચિવે નવી પેનલની માંગ કરી છે.
40 સીટોવાળી મિઝોરમ વિધાનસભા માટે આ મહિને 28 તારીખે મતદાન થવા જઇ રહ્યું છે. 28 નવેમ્બરે જ મધ્યપ્રદેશમાં પણ વોટ નાંખવામા આવશે. મિઝોરમ સહિત પાંચ ચૂંટણી રાજ્યોમાં મત ગણતરી 11 ડિસેમ્બરે થવાની છે.
November 9, 2018
CR1.jpg
1min42790

ભારતીય જનતા પાર્ટી માટે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલ ઇલેક્શન સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. બિહાર, કર્ણાટક બાદ હવે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ સી.આર. પાટીલને મધ્યપ્રદેશમાં ઇન્દોર ક્ષેત્રમાં આવતી લોકસભાની 16 બેઠકો પર પ્રચાર પ્રસારની જવાબદારી સાથે પ્રભારી બનાવ્યા છે. એક વખત સી.આર. પાટીલ આ ક્ષેત્રની મુલાકાત લઇ આવ્યા છે અને હવે આગામી સપ્તાહમાં પોતાની ટીમ સાથે મધ્યપ્રદેશમાં તેમને સોંપાયેલી કામગીરી કરવા માટે પ્રયાણ કરશે.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલને મધ્ય પ્રદેશમાં કઇ કઇ બેઠકો પર પ્રચાર-પ્રસાર, ઇલેકશન વ્યૂહરચના ગોઠવણ માટે પ્રભારી બનાવવામાં આવ્યા છે તેની યાદી અત્રે પ્રસ્તુત છે.

સી.આર. પાટીલને ઇન્દોર ક્ષેત્રમાં આવતા બડવાની જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠકો, ખંડવા જિલ્લામાં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો, બુહરાનપુર જિલ્લામાં આવતી કુલ 2 બેઠકો અને ખરગોણ જિલ્લામાં આવતી કુલ 6 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય બીજીપી કાર્યકારણની બેઠકમાં તેમને આ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલને ઇલેકશન સ્પેશ્યલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમકે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ ભાજપા ક્યારેય જીત્યું ન હતું એવા ક્ષેત્રની વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડીને સી.આર. પાટીલે ભાજપાના ઉમેદવારો વિજયી બને તે માટેનું નેટવર્ક ગોઠવ્યું હતું અને તેનું સાનૂકુળ પરીણામ આવતા ભાજપાએ તેમને ઇલેકશન સ્ટ્રેટેજી મેકર નેતાઓની યાદીમાં મૂક્યા છે. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં તેમને સોંપવામાં આવેલી કામગીરીના પહેલા દૌરમાં તેઓ એક વખત જઇ આવ્યા છે હવે આગામી સપ્તાહે સુરતથી પોતાની ટીમ સાથે ઇન્દૌર ક્ષેત્રમાં જશે અને ત્યાં બીજેપીના ઉમેદવારોના જીતાડવા માટે વ્યૂહરચના અનુસાર કામગીરી સંભાળશે એમ જાણવા મળે છે.