ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 46 of 53 - CIA Live

November 30, 2018
reservation.jpg
1min9790

મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીમાં 16 ટકા અનામત આપીને ક્વૉટા ટકાવારીમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. ક્વૉટા ટકાવારીમાં પહેલા ક્રમાંકે તમિળનાડુ છે.

અગાઉ હરિયાણા 67 ટકા અનામત આપીને બીજા ક્રમાંકે હતું અને તેલંગણા 62 ટકા અનામત આપીને ત્રીજા ક્રમાંકે હતું, પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 68 ટકા પર પહોંચી ગઇ છે. તમિળનાડુમાં ક્વૉટા ટકાવારી 69 ટકા છે. રાજસ્થાનમાં ગુર્જર અને અન્ય ચાર પછાત કોમને અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 54 ટકા પર પહોંચી છે.

November 27, 2018
Hari-Chaudhary-Union-Minister.jpg
1min10620

કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પર લાંચ લેવાના આરોપ લાગ્યા છે. આ મામલે દિવસો બાદ હરિભાઈ ચૌધરીએ મૌન તોડ્યું છે. કોલસા અને ખનીજ ઉત્ખનન પ્રધાન હરિભાઈ ચૌધરીએ પાલનપુરમાં એક શાળાનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન 2 કરોડ લાંચના આરોપ મામલે પણ મૌન તોડ્યું. લાંચ કેસ મામલે સ્પષ્ટતા કરતા હરિભાઈ ચૌધરીએ કહ્યું કે,’સરકાર સમગ્ર મામલાની તપાસ કરાવે, આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ. આ આક્ષેપો પાયા વિહોણા છે હું જેને ઓળખતો નથી તેણે મારા પર આરોપ લગાવ્યા છે.’

November 24, 2018
yogi.jpg
1min6790

યોગીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધતા કમલનાથના નિવેદનને આધાર બનાવીને સ્ફોટક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને તેમના મુસ્લિમ મતો એટલે કે અલી મુબારક અને અમને એટલે કે ભાજપને બજરંગ બલી જ ચૂંટણી જીતાડશે.

મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ ધમપછાડા કરી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે ભોપાલમાં એક રેલીનું સંબોધન કરતા તેમણે કોંગ્રેસ હુમલા કર્યા હતા. તેમણે કમલનાથના વીડિયોનો હવાલો આપ્યો હતો જેમાં તેઓ કથિત રીતે જણાવી રહ્યા હતા કે, જો ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના 90 ટકા વોટ પડશે નહી તો કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે.

યોગી આદિત્યનાથે આ નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કમલનાથજીનું એક નિવદેન હું વાંચી રહ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે, અમને એસસી/એસટીના વોટ નથી જોઇતા. કોંગ્રેસને માત્ર મુસ્લિમોના વોટ જોઇએ છે. કમલનાથજી તમને તમારો અલી મુબારક, અમને બજરંગબલી મદદ કરશે.

November 20, 2018
sushma_swaraj.jpg
1min11620

વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે ઈન્દૌરમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય પાર્ટી લેશે જોકે તેમણે આગામી ચૂંટણી નહી લડવાનું મન બનાવી લીધું છે.

સુષ્મા સ્વરાજ 2019માં લોકસભા ચૂંટણી નહી લડવાનો ધડાકો કર્યો છે. સુષ્મા સ્વરાજે તા.20મી નવેમ્બર 2018ના રોજ સ્થાનિક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઈન્દૌરમાં આ ઘોષણા કરી હતી. તેમણે આગામી ચૂંટણી નહી લડવા પાછળ સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું હતું. સુષ્મા સ્વરાજે મધ્ય પ્રદેશમા વિધાનસભા ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા, ત્યાં તેમણે આ ઘોષણા કરી છે. નોંધનીય છે કે, સુષ્મા સ્વરાજ મધ્ય પ્રદેશના વિદિશાથી લોકસભાના સાંસદ છે.

November 17, 2018
ramdev.jpg
1min5910

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં વિવાદમાં ઝંપલાવતા બાબા રામદેવે હવે અયોધ્યા ખાતે રામ મંદિરના મુદ્દે કહ્યું કે જો હમણાં નહીં બને તો રામ મંદિર અયોધ્યામાં ક્યારે નહીં બની શકે. તેમણે સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો, અત્યારે નહીં તો ક્યારેય નહીંની રીત પર કામ કરવું પડશે.

રામ મંદિર નિર્માણ અંગેનો મામલો ગરમી પકડી રહ્યો છે. હિન્દુ સંગઠનો અને  મહંતોના કહેવા પ્રમાણે ઝડપથી રામલલાના મંદિરનું નિર્માણ કરવામાં આવે. આ ક્રમમાં યોગ ગુરૂ બાબા રામદેવે પણ રામ મંદિર નિર્માણ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રામ મંદિરનું નિર્માણ ન થાય તો સાંપ્રદાયિક માહોલ ગરમ થશે અને પારસ્પરિક ભેદભાવ પણ વધશે.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું હતું, ‘જો રામ મંદિર નહીં બને તો દેશમાં સાંપ્રદાયિક માહોલ ગરમાશે, સાંપ્રદાયિક અને પારસ્પરિક ભેદભાવ વધશે. રામદેવે કહ્યું હતું, ‘મંદિર માટે સમજૂતીનો સમય વીતી ગયો છે.’

November 10, 2018
mizo.jpg
1min10650
જયેશ બ્રહ્મભટ્ટ
તાજેતરમાં સીબીઆઈના બે આઇ.પી.એસ. ઓફિસર આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના વૉરને કારણે સુપ્રીમ કોર્ટે બન્નેને તેમના પદ પરથી થોડા સમય માટે દૂર કરી દીધા છે, આ બન્નેમાં એક અધિકારી ગુજરાત કેડરના છે.
આ પ્રકારનો જ એક કિસ્સો બે આઇ.એ.એસ. કક્ષાના અધિકારીઓ વચ્ચે બન્યો છે. મિઝોરમમાં હાલ યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે એવી ફરીયાદ મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી હતી. જેને પગલે એલ.ચૂઆંગોના હટાવી દેવાયા હતા. બાદમાં ચૂંટણી પંચે મિઝોરમના ચૂંટણી અધિકારીને પણ હટાવી દીધા છે. આ કેસમાં પણ એક આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ગુજરાત કેડરના છે. એલ. ચૂઆંગોએ ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી જગ્યાઓ પર ફરજ અદા કરી ચૂક્યા છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ ડેપ્યુટી કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.
ગુજરાત કેડરના આઇ.એ.એસ. એલ. ચૂઆંગોને કારણે મિઝોરમ વિધાનસભાની ચૂંટણી કરાવી રહેલા વહીવટીતંત્રમાં મસમોટી ઉથલપાથલ થવા પામી છે. હાલમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાની ફરીયાદ કરીને મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. બી. શશાંકે તેમને પદ પરથી હટાવ્યા બાદ શરૂ થયેલા રાજકારણએ ખુદ મિઝોરમના ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકનો પણ ભોગ લીધો હતો. દેશના ચૂંટણી પંચે તેમને પણ તાત્કાલિક હટાવી દીધા છે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો કે જેમને પહેલા મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) પદેથી હટાવવામાં આવ્યા તેમની તસ્વીર)
ચૂંટણી કમિશને મિઝોરમ રાજ્યના પ્રધાન સચિવ (ગૃહ) લલનુનમાવિયા ચૂઆંગોને હટાવી દેવામા આવ્યા ત્યારબાદ એનજીઓ કોર્ડિનેશન કમિટીએ શશાંકને હટાવવાની માંગ કરી. મીડિયાના એક વર્ગે જણાવ્યું કે શશાંકે ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી હતી કે ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી લલથનહવલાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે, લોકોનો મુખ્ય ચૂંટણી અધિકારી એસ બી શશાંક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે તો 2018 વિધાનસભાના સારા સંચાલન માટે એકમાત્ર સમાધાન, સીઈઓ એસબી શશાંકને તત્કાલિક પદથી હટાવવાનું રહેશે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો હટાવાની ફરીયાદ કરનાર મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકને પણ તેમના પદ પરથી હટાવી દેવાયા. એસ.બી. શશાંકની તસ્વીર)
ચૂંટણી આયોગે મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસબી શશાંકને હટાવવાનો નિર્ણય કર્યો છે. મિઝોરમમાં લાંબા સમયથી શશાંકને હટાવવાની માંગ ચાલી રહી હતી.
ચૂંટણી કમિશન અધિકારીને હટાવવાની માંગ વચ્ચે ચૂંટણી ઉપાયુક્તની ટીમ તપાસ માટે મિઝોરમ પહોંચી હતી. તેમના રિપોર્ટ બાદ આયોગે ચૂંટણી અધિકારીને બદલવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ચૂંટણી આયોગે નવા મુખ્ય ચૂંટણી અધિકારી માટે મિઝોરમના મુખ્ય સચિવે નવી પેનલની માંગ કરી છે.
40 સીટોવાળી મિઝોરમ વિધાનસભા માટે આ મહિને 28 તારીખે મતદાન થવા જઇ રહ્યું છે. 28 નવેમ્બરે જ મધ્યપ્રદેશમાં પણ વોટ નાંખવામા આવશે. મિઝોરમ સહિત પાંચ ચૂંટણી રાજ્યોમાં મત ગણતરી 11 ડિસેમ્બરે થવાની છે.
November 9, 2018
CR1.jpg
1min42610

ભારતીય જનતા પાર્ટી માટે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલ ઇલેક્શન સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. બિહાર, કર્ણાટક બાદ હવે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ સી.આર. પાટીલને મધ્યપ્રદેશમાં ઇન્દોર ક્ષેત્રમાં આવતી લોકસભાની 16 બેઠકો પર પ્રચાર પ્રસારની જવાબદારી સાથે પ્રભારી બનાવ્યા છે. એક વખત સી.આર. પાટીલ આ ક્ષેત્રની મુલાકાત લઇ આવ્યા છે અને હવે આગામી સપ્તાહમાં પોતાની ટીમ સાથે મધ્યપ્રદેશમાં તેમને સોંપાયેલી કામગીરી કરવા માટે પ્રયાણ કરશે.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલને મધ્ય પ્રદેશમાં કઇ કઇ બેઠકો પર પ્રચાર-પ્રસાર, ઇલેકશન વ્યૂહરચના ગોઠવણ માટે પ્રભારી બનાવવામાં આવ્યા છે તેની યાદી અત્રે પ્રસ્તુત છે.

સી.આર. પાટીલને ઇન્દોર ક્ષેત્રમાં આવતા બડવાની જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠકો, ખંડવા જિલ્લામાં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો, બુહરાનપુર જિલ્લામાં આવતી કુલ 2 બેઠકો અને ખરગોણ જિલ્લામાં આવતી કુલ 6 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય બીજીપી કાર્યકારણની બેઠકમાં તેમને આ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલને ઇલેકશન સ્પેશ્યલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમકે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ ભાજપા ક્યારેય જીત્યું ન હતું એવા ક્ષેત્રની વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડીને સી.આર. પાટીલે ભાજપાના ઉમેદવારો વિજયી બને તે માટેનું નેટવર્ક ગોઠવ્યું હતું અને તેનું સાનૂકુળ પરીણામ આવતા ભાજપાએ તેમને ઇલેકશન સ્ટ્રેટેજી મેકર નેતાઓની યાદીમાં મૂક્યા છે. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં તેમને સોંપવામાં આવેલી કામગીરીના પહેલા દૌરમાં તેઓ એક વખત જઇ આવ્યા છે હવે આગામી સપ્તાહે સુરતથી પોતાની ટીમ સાથે ઇન્દૌર ક્ષેત્રમાં જશે અને ત્યાં બીજેપીના ઉમેદવારોના જીતાડવા માટે વ્યૂહરચના અનુસાર કામગીરી સંભાળશે એમ જાણવા મળે છે.

November 9, 2018
modi.jpg
1min6890

વડાપ્રધાન મોદીની પ્રથમ ચૂંટણી રેલી છત્તીસગઢના જગદાલપુરમાં યોજાશે. બિલાસપુર અને રાયગઢમાં 12 નવેમ્બરના રોજ વડાપ્રધાન ચૂંટણી યોજશે, જ્યારે 16મી નવેમ્બરના રોજ અંબિકાપુર અને મહાસમુંદમાં 18મી તારીખે મહાસભામાં સંબોધિત કરશે.

છત્તીસગઢમાં વડાપ્રધાન મોદી પાંચ રેલી યોજશે. વડાપ્રધાન મોદી 23મી નવેમ્બરના રોજ રાજસ્થાનના અલવરથી રેલીની શરૂઆત કરશે. 26મી નવેમ્બરે જયપુર અને ભીલવાડા, જ્યારે 27 નવેમ્બરના નાગૌર અને કોટામાં રેલી યોજાશે. 28 નવેમ્બરના રોજ ડુંગરપુર અને દોસા, તો બીજી તરફ 4 નવેમ્બરના રોજ હનુમાનગઢ, સિકર અને જોધપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કા હશે. બંને તબક્કામાં કુલ 1,291 ઉમેદવારો ચૂંટણી લડશે. પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારની સાત બેઠક અને રાજનાંદગાંવ જિલ્લા માટે 18 બેઠક માટે 12 નવેમ્બરે મતદાન યોજાશે. બીજા તબક્કામાં 72 બેઠકો માટે 20 તારીખે મતદાન યોજાશે.

બીજી તરફ રાજસ્થાનની વાત કરીએ તો અહીંની 200 બેઠકો માટે 7 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી થશે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવા જઇ રહ્યો છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને વસુંધરા રાજે મુખ્યમંત્રી બન્યા હતા.

November 8, 2018
mp-mansukh.jpg
1min10170

ભરૂચ લોકસભા મતક્ષેત્રનું છેલ્લા પાંચ ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવાને આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મળવાની શક્યતા નહીંવત્ હોય તેવું જાણી ગયેલા વસાવાએ સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રીને આ બાબતે પત્ર લખી તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારમાં પ્રધાનપદેથી મનસુખ વસાવાને દૂર કરવામાં આવ્યા ત્યારથી તેમણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો હોય તેમ જાહેરમાં નિવેદનો શરૂ કર્યા હતાં. કેન્દ્રમાં પોતાનો એક સાંસદ ઓછો થાય અને દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની બેઠકો ઓછી થાય એ ડરથી ભાજપે છાશવારે બળવાખોરી કરનારા સાંસદ વસાવાને સસ્પેન્ડ કરવાનું તો દૂર રહ્યું નોટિસ આપવાનું પણ ટાળ્યું હતું. આ બંને સ્થિતિઓ વચ્ચે હવે સાંસદને ટિકિટ મળવાની જ નથી ત્યારે તેમણે સામેથી પત્ર લખીને ભરૂચ બેઠક માટે અન્યને ઉમેદવાર બનાવવાનું સૂચન કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

November 7, 2018
kumaraswamy-yeddyurappa-1541487076.jpg
1min6770

પેટાચૂંટણીમાં લોકસભાની ત્રણમાંથી બે અને વિધાનસભાની બન્ને બેઠક જીતી : ૧૪ વર્ષથી ભાજપ ગઢ રહેલા બલ્લારીમાં પણ વિજય

કર્ણાટકમાં ત્રીજી નવેમ્બરે યોજાયેલી લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ચાર બેઠકો કૉંગ્રેસ-JDSગઠબંધને જીતીને ભાજપને જબરદસ્ત પછડાટ આપી છે. આ ચૂંટણીમાં બલ્લારી લોકસભા મતક્ષેત્ર પર ૧૪ વર્ષથી ભાજપના અવિરત વર્ચસ્વનો અંત આવ્યો છે. મોટી સરસાઈથી વિજયને કારણે રાજ્યમાં છ મહિનાથી હાલકડોલક સ્થિતિ અનુભવતા ગઠબંધનમાં ઉત્સાહનો સંચાર થયો છે. શરૂઆતમાં મહિનાઓમાં આ ગઠબંધન સરકાર કેટલું ટકશે એ વિશે અટકળો ચાલતી હતી.

 

JDSના નેતા અને કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વ હેઠળના ગઠબંધને લોકસભાની બલ્લારી અને માંડ્યા બેઠકો અને વિધાનસભાની રામનગરા અને જામખંડી બેઠકો જીતી હતી. બૅન્ગલોર પાસેની રામનગરા બેઠક પરથી કુમારસ્વામીનાં પત્ની અનીતાનો વિજય થયો હતો. ગ્થ્ભ્ને આશ્વાસનરૂપે ફક્ત શિવમોગાની બેઠક મળી હતી. અગાઉ લોકસભાની શિવમોગા અને બલ્લારીની બેઠકો ગ્થ્ભ્હસ્તક હતી અને માંડ્યાની બેઠક પર JDSનું વર્ચસ્વ હતું. આ વખતે રામનગરની બેઠક JDSને ફાળે ગઈ છે અને જામખંડીની બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ છે. આ વખતે ખનિજસંપત્તિ માટે જાણીતા બલ્લારીમાં ગ્થ્ભ્નો શરમજનક પરાજય થયો હતો.

ભાજપના વિવાદાસ્પદ રેડ્ડી બ્રધર્સે ૨૦૦૪થી બલ્લારીની બેઠક પર વર્ચસ્વ જાળવ્યું હતું. જનતાના મિજાજનો માપદંડ ગણાતી પેટાચૂંટણીમાં વિજયથી ઉત્સાહમાં આવેલા મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને કૉંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ દિનેશ ગુંડુરાવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સાથે મળીને ગ્થ્ભ્ની સામે લડત ચલાવવાનો નર્ણિય જાહેર કર્યો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં JDS-કૉંગ્રેસ ગઠબંધનનો ટાર્ગેટ ૨૮ તમામ બેઠકો જીતવાનો છે.

કુમારસ્વામીનો પત્ની સાથે વિધાનસભામાં પ્રવેશ ઐતિહાસિક

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને તેમનાં પત્ની અનીતાનો રાજ્ય વિધાનસભામાં લોકપ્રતિનિધિરૂપે સહિયારો પ્રવેશ ઐતિહાસિક બનશે. રામનગરા વિધાનસભા મતવિસ્તારમાંથી ગ્થ્ભ્ના ઉમેદવાર એલ. ચંદ્રશેખરને ૧.૯૦ લાખ મતોની સરસાઈથી હરાવીને કુમારસ્વામીનાં પત્ની અને JDSનાં ઉમેદવાર અનીતાએ વિક્રમરૂપ વિજય મેળવ્યો હતો. મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એચ. ડી. કુમારસ્વામીએ રામનગરા અને ચેન્નાપટના એમ બે બેઠકો પરથી ઉમેદવારી કરી હતી, પરંતુ પરિણામો આવ્યા બાદ કુમારસ્વામીએ રામનગરા બેઠક પરથી રાજીનામું આપતાં એ બેઠક ખાલી પડી હતી.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનીતાના હરીફ એલ. ચંદ્રશેખર થોડા જ દિવસમાં ઉમેદવારી પાછી ખેંચીને કૉંગ્રેસમાં પાછા ગયા હતા, પરંતુ ટેક્નિકલી ભાજપના ઉમેદવાર રહ્યા હતા. JDSના વિધાનસભ્ય કે. ગોપાલૈયાએ જણાવ્યું હતું કે ‘કર્ણાટક વિધાનસભાના ગૃહમાં કોઈ મુખ્ય પ્રધાનનો પત્ની સાથે પ્રવેશ જવલ્લે જ બનતી ઘટના છે. રાજ્યના ઇતિહાસમાં મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય રહ્યા હોય એવું ક્યારેય બન્યું નહોતું. આ દંપતી અગાઉ પણ સાથે રાજ્ય વિધાનસભાના સભ્યપદે હતું. એ વખતે કુમારસ્વામી રામનગરા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેમનાં પત્ની અનીતા મધુગિરિ બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. રાજ્ય વિધાનસભામાં ભાઈઓ, પિતા-પુત્રી અને પિતા-પુત્ર સાથે વિધાનસભ્ય બન્યાના દાખલા છે; પરંતુ મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય બન્યાનું આ પહેલું ઉદાહરણ છે.’