CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 40 of 53 - CIA Live

April 19, 2019
indiavtoes.jpg
1min4860

દેશમાં ૧૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાંની લોકસભાની ૯૫ બેઠક માટે ગુરુવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું હતું. આમ છતાં, મહારાષ્ટ્રની ૧૦ બેઠક પરનું સરેરાશ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ૫૭.૨૨ ટકા રહ્યું હતું જે ૨૦૧૪ની સરખામણીમાં ઓછું હતું.

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં પશ્ર્ચિમ બંગાળ અને મણિપુરમાં હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા તેમ જ મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનો (ઇવીએમ)માં ખામી સર્જાવાના કિસ્સા પણ નોંધાયા હતા.

પુડુચેરીમાં સરેરાશ ૭૮ ટકા અને મણિપુરમાં અંદાજે ૭૫ ટકા મતદાન થયું હતું.

શ્રીનગરમાં ૨૦૧૪ની જેમ આ વખતે પણ ઘણું જ ઓછું મતદાન થયું હતું. શિયાઓની બહુમતીવાળા બડગામ જિલ્લામાં બપોરના ૩ વાગ્યા સુધીમાં ૧૭.૧ ટકા મતદાન થયું હતું, જ્યારે આ બેઠક પર સરેરાશ મતદાન માત્ર ૧૨.૪૩ ટકા જ થયું હતું.

તમિળનાડુની ૩૮ બેઠક પર બપોરના ૩ વાગ્યા સુધી ૫૨.૦૨ ટકા મતદાન થયું હતું. કરુરમાં ૫૬.૮૫ ટકા, જ્યારે ચેન્નઇ મધ્યમાં ૪૫.૬૫ ટકા મતદાન નોંધાયું હતું.

વિધાનસભાના ૧૮ મતવિસ્તારમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બપોરના ૩ વાગ્યા સુધી ૫૫.૯૭ ટકા મતદાન થયું હતું.

તમિળનાડુ ઉપરાંત, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, ઉત્તર પ્રદેશના ૮, આસામની પાંચ, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, છત્તીસગઢની ત્રણ, પશ્ર્ચિમ બંગાળની ત્રણ, જમ્મુ અને કાશ્મીરની બે, મણિપુુરની એક અને પુડુચેરીની લોકસભાની એક બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું.

ઓડિશાના વિધાનસભાના ૩૫ મતવિસ્તારમાં પણ મતદાન થયું હતું.

તમિળનાડુના વેલ્લૂરમાં દ્રમુકના નેતાના એક સાથી પાસેથી મોટી રોકડ રકમ મળતાં ચૂંટણી પંચે અહીં મતદાન રદ કર્યું હતું.

ત્રિપુરા (પૂર્વ)ની લોકસભાની બેઠક પર કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ હોવાનું કારણ આપીને ત્યાં મતદાન ૨૩મી એપ્રિલે ત્રીજા તબક્કા પર મુલતવી રખાયું હતું.

પશ્ર્ચિમ બંગાળના રાયગંજ લોકસભા બેઠક ખાતે પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. અહીંના ચોપડા વિસ્તારમાં તોફાનીઓએ બૉમ્બ પણ ફેંક્યા હતા.

રાજગંજના કાટાફૂલવાડીમાં મતદાનનો અહેવાલ લેવા ગયેલા સમાચારની સ્થાનિક ચૅનલના પત્રકાર અને કૅમૅરામૅનને ધક્કે ચઢાવાયા હતા.

પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની ત્રણ બેઠક ખાતે હિંસા, રસ્તારોકો, બૉમ્બ ફેંકવાના અને પોલીસ ગોળીબારના બનાવો નોંધાયા હતા.

છત્તીસગઢની લોકસભાની ત્રણ બેઠક પર બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ અંદાજે ૫૯.૭૨ ટકા મતદાન થયું હતું, પરંતુ બાદમાં તે વધીને સરેરાશ ૬૯ ટકા થયું હતું.

ઓડિશાની લોકસભાની પાંચ બેઠક અને વિધાનસભાની ૩૫ બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૩ ટકા મતદાન થયું હતું.

કર્ણાટકમાં બપોરે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૧.૮૪ ટકા મતદાન નોંધાયું હતું.

આસામના કરીમગંજમાં બપોરે ત્રણ વાગ્યા સુધી ૬૩.૬૬ ટકા મતદાન થયું હતું. બાદમાં, મતદાનની ટકાવારી વધીને સરેરાશ ૭૩.૩૨ ટકા થઇ હતી.

બિહારની પાંચ બેઠક પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૫.૭૭ ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૦.૩૯ ટકા મતદાન નોંધાયું હતું, પરંતુ બાદમાં છ વાગ્યા સુધીમાં આ ટકાવારી વધીને સરેરાશ ૬૨.૩૦ થઇ હતી.

મણિપુરમાં બે મતદાન કેન્દ્ર ખાતે હિંસાના બનાવ નોંધાયા હતા. રાજ્યમાં સરેરાશ ૭૫.૬૯ ટકા મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણીના હવે પછીના તબક્કા ૨૩મી એપ્રિલે, ૨૯મી એપ્રિલે, છઠ્ઠી મેએ, ૧૨મી મેએ અને ૧૯મી મેએ યોજાવાના છે તેમ જ મતગણતરી ૨૩મી મેએ થશે.

April 18, 2019
maharashtra_map.jpg
1min5150

દસમી માર્ચના લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછીના સમયગાળાથી અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગ બદલ મહારાષ્ટ્ર રાજ્યમાં 15,000થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 118.20 કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ, ઈન્કમ ટેક્સ સહિત એન્ફોર્સિંગ ડિપાર્ટમેન્ટ તરફથી રૂ. 45.47 કરોડના મૂલ્યની સોનાના દાગીના સહિતની અન્ય મૂલ્યવાન ચીજવસ્તુ જપ્ત કરી હતી, જ્યારે 22.05 કરોડનો દારૂ તથા રૂ. 6.30 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હોવાનું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું. અલબત્ત, ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 15,095 વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં સૌથી વધારે કેસ ગેરકાયદે દારૂના સંગ્રહ તથા હથિયાર રાખવાના કેસ હતા, એવું એડિશનલ ચીફ ઈલેક્ટ્રોલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું.

ગેરકાયદે વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યા પછી આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો આ બધી વસ્તુ કાયદેસર હશે તો તેના મૂળ માલિકને પરત કરવામાં આવશે, નહીં તો તેમની સામે કેસ નોંધવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દારૂના વિતરણ તથા દારૂ રાખવાના 13,702થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે હથિયાર રાખવાના 602 જેટલા કેસ નોંધાયા હતા. એ સિવાયના બાકી કેસ ડ્રગ્સ તથા સોનું-રોકડના કેસ નોંધાયા હોવાનું વધુમાં જણાવ્યું હતું.

April 16, 2019
election19.jpg
1min12790

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે માંડ અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે જાહેર પ્રચાર આગામી રવિવારે સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે. તે પૂર્વે ગુજરાતમાં 26 લોકસભા વિસ્તારોમાં જાહેર પ્રચારમાં વેગ આવ્યો છે. સ્થાનિક, પ્રદેશના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતને ઘમરોળી રહ્યા છે.

છેલ્લા દિવસોમાં મતદારો પર અપેક્ષિત અસર પાડવા ભાજપ-કૉંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષો, ઉમેદવારો અને કાર્યકરો મથામણ કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત વ્યાપી ઝંઝાવતી પ્રવાસ શરૂ થઈ ગયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠકને ધ્યાને રાખી રાજુલા પાસે તેમની સભા યોજવામાં આવી હતી. તેઓ ફરી સંભવત તા. 19મીએ ગુજરાત આવશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે કોડીનારના પ્રવાસે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જૂનાગઢમાં એક સભા ગજાવી ગયા હવે અમરેલી બેઠકમાં બીજી સભા ગજાવવા તા. 18મીએ આવી રહ્યા છે. કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની તા. 17મીએ ધોરાજીમાં રોડ-શો અને સભા માટે આવતા હોવાના અહેવાલ પણ મળ્યા હતા. ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સભા, સંમેલન, રોડ-શો વગેરે દ્વારા પ્રચારની પરાકાષ્ટા સર્જવાની રાજકીય પક્ષોની નેમ છે.

April 15, 2019
model-code-of-conduct.jpg
1min5840

લોકસભા ચૂંટણીની આચારસંહિતાના ભંગ બદલ ૧૦મી માર્ચથી ૧૧મી એપ્રિલ વચ્ચે રાજ્યમાં ૧૦,૦૦૦થી વધુ એફઆઇઆર નોંધવામાં આવી છે. ૧૦,૩૯૭ પૈકી સૌથી વધુ કેસ મતદાતાઓને લલચાવવા માટે દારૂના વપરાશ અને ગેરકાયદે હથિયારો રાખવાના છે, એમ રાજ્ય ચૂંટણી કમિશનના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

ગેરકાયદે દારૂનો જથ્થો રાખવા અને તેનું વિતરણ કરવાના કેસમાં રાજયભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૯,૦૦૦ એફઆઇઆર નોંધાઇ છે. તેમ જ લાઇસન્સ વગર હથિયાર રાખવા બદલ ૪૫૭ એફઆઇઆર નોંધાઇ હોવાનું એડિશનલ ચીફ ઇલેકટોરલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું. તે સિવાય ગેરકાયદે બેનર્સ, લાઉડસ્પીકરના વપરાશ, ભડકાઉ ભાષણ, મંજૂરી વગર રેલી યોજવી, વગેરે અંગેની ફરિયાદો પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

નોંધનીય છે કે રાજ્યમાં ૪૮ લોકસભા સીટ માટેનું મતદાન ચાર તબક્કામાં થનાર છે. તે પૈકી પહેલા તબક્કાનું મતદાન ૧૧ તારીખે પૂર્ણ થયું હતું. આગામી ત્રણ તબક્કાનું મતદાન ૧૮,૨૩ અને ૨૯ તારીખે થવાનું છે. તેમ જ ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

April 14, 2019
abhinandan.jpg
1min6970

‘વન નૉટ, વન વૉટ’નું સૂત્ર આપનાર લખનઊથી લોકસભાની ચૂંટણી માટે નામાંકન કરનાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હમસકલ અભિનંદન પાઠકને ચૂંટણીપંચે કારણદર્શક નોટિસ ફટકારી હતી. પાઠકે શુક્રવારે લખનઊથી પોતાનું નામાંકન દાખલ કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે મારું સૂત્ર ‘વન નૉટ, વન વૉટ’નું છે. હું વારાણસીથી પણ નામ દાખલ કરવાનો છું.

જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલરાજ શર્માએ જણાવ્યું હતું કે સૂત્ર આચારસંહિતાનો ભંગ કરતું અને મતદારોને લલચાવનારું જણાય છે. પાઠકને શુક્રવારે સાંજે નોટિસ ફટકારવામાં આવી હતી.

નોટિસમાં પાઠકને નોટિસ મળ્યાના 24 કલાકમાં જવાબ આપવા જણાવાયું હતું. જો જવાબ નહીં મળે તો કાયદાની યોગ્ય કલમ હેઠળ પાઠક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે.

લખનઊની બેઠક માટે ભાજપ તરફથી ગૃહપ્રધાન રાજનાથસિંહ નામાંકન દાખલ કરવાના છે. એમને પડકાર્યા બાદ પાઠકે 26મી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વારાણસીની બેઠક માટે પોતાનું નામ દાખલ કરવાની વાત પત્રકારોને જણાવી હતી.

પાઠક મોદી જેવો દેખાય છે. એ કપડાં પણ એમના જેવા જ પહેરે છે અને બોલવામાં પણ મોદીની કોપી કરતા પોતાના વાક્યની શરૂઆત મિત્રો શબ્દથી કરે છે.

2014ની લોકસભાની ચૂંટણી વખતે પાઠક સહિત મોદીના અનેક હમસકલ દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર કરતા દેખાયા હતા.

પાઠક અગાઉ ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઇ (આઠવલે)માં હતો, પણ ત્યાર બાદ એ કૉંગ્રેસમાં જોડાયો હતો અને એણે કૉંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણી માટે અનેક ઠેકાણે પ્રચાર કર્યો હતો.

April 12, 2019
pabubha.jpg
1min8150

2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન દ્વારકાની બેઠકના ઉમેદવાર પબુભા માણેકના ઉમેદવારીપત્રકમાં ટેકનિકલ ભૂલ હતી, જેને ચૂંટણી તંત્રએ નકારી પણ ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી

2017ની વિધાનસભા ચંટણીમાં દ્વારકા બેઠક પરથી પબુભા માણેક ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. પબુભા માણેક સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મેરામણ ગોરીયાએ હાઈકોર્ટમાં અરજી કરીને ચૂંટણી રદ કરવા માગ કરી હતી. મેરામણ ગોરીયાએ પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ હોવાનું કહીને ઉમેદવારી ફોર્મ જ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી હતી.

મેરામણ ગોરિયાની રજૂઆત હતી કે પબુભા માણેકે પોતાના ઉમેદવારી ફોર્મના ભાગ 1 માં તેઓ કઈ બેઠક પર ચૂંટણી લડવા માગે છે, તે દર્શાવેલું ન હતું, પરિણામે તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. આ મામલે ચૂંટણી અધિકારીએ ઉમેદવારને નોટિસ પણ ફટકારી હતી. જો કે કોંગ્રેસની વાંધા અરજી ન સ્વીકારાતા ચૂંટણી યોજાઈ હતી.

આખરે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.

હાઇકોર્ટના ચૂકાદાની સાથે જ ભાજપામાં ભૂકંપ મચી ગયો હતો. હવે દ્વારકાની બેઠક પર ફરીથી ચૂંટણી યોજવી પડશે. હાલમાં ચૂંટાયેલા જાહેર થયેલા ધારાસભ્ય પબુભા માણેક હવે એમ.એલ.એ. મટીને સામાન્ય મતદાર બનીને રહી ગયા છે.

April 12, 2019
indiavtoes.jpg
1min12200

પ્રથમ તબક્કામાં દેશના 18 રાજ્યમાં કુલ 91 બેઠક માટે ગુરુવારે મતદાન કરવામાં આવ્યું હતું.

ભારતમાં 17મી લોકસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન 18 રાજ્ય, બે કેન્દ્રશાસતિ પ્રદેશમાં 91 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રના છ પ્રધાનનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. વર્તમાન લોકસભામાં 91માંથી 32 બેઠક ભાજપ પાસે છે. જ્યારે કૉંગ્રેસ સાત બેઠક ધરાવે છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની 175, સિક્કીમની 32, અરુણાચલ પ્રદેશની 57 અને ઓડિશાની 28 બેઠક માટે મતદાન થયું હતું. આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25, તેલંગણામાં તમામ 17, ઉત્તરાખંડની તમામ પાંચ, મેઘાલયની બે, અરુણાચલ પ્રદેશની બે, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપની એક એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં આઠ, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં છ, આસામમાં પાંચ, ઓડિશાની ચાર, જમ્મુ-કાશ્મીરની બે, પશ્ર્ચિમ બંગાળની બે અને છત્તીસગઢની એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.

ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્ર 55.97 ઉત્તર પ્રદેશમાં 64 ટકા, બિહારમાં 53.06 ટકા,ઓડિશા 66 ટકા, તેલંગણામાં 61 ટકા, સિક્કિમ 69 ટકા, મિઝોરમ 61.29 ટકા, મણીપુર 78.20, બસ્તર 57 ટકા, ત્રિપુરા 77.6 ટકા, આંધ્ર પ્રદેશ 73 ટકા, મેઘાલય 67 ટકા,લક્ષ્યદ્વીપ 65.9, નાગાલેન્ડમાં 78.76, આસામમાં 68 ટકા મતદાન થયું હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), કિરેન રિજ્જુ (અરુણાચલ વેસ્ટ), વી. કે. સિંગ (ગાઝિયાબાદ), મહેશ શર્મા (ગૌતમ બુદ્ધ નગર), હંસરાજ આહીર (ચંદ્રપુર), સત્યપાલ સિંહ (બાગપત) બેઠક પર મતદાન થયું હતું.

લોકસભાની 543 બેઠક માટે મતદાન સાત તબક્કામાં થવાનું છે જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું હતું. 23મીએ મતગણતરી કરવામાં આવશે.

April 11, 2019
indiavtoes.jpg
1min11870

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન સાથે આજે ગુરુવારે પહેલા તબક્કાના મતદાનના આરંભ સાથે બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે દેશની 91 લોકસભા બેઠકો માટે મતદાનનો પ્રારંભ શાંતિપૂર્ણ રીતે થવા પામ્યો છે.

લોકસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 1,279 ઉમેદવારો મેદાનમાં છે. દેશના કુલ 1.70 લાખ મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યું છે.

સમગ્ર દેશમાં કુલ 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 11 એપ્રિલે 20 રાજ્યોમાં 91 બેઠકો માટે મતદાન યોજાશે.

આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ અને તેલંગાણાની તમામ સીટો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુર સાંસદીય વિસ્તારમાંથી મતદાન કર્યું. મતદાન બાદ કહ્યું કે મતદાન કરવું એ આપણી ફરજ છે, જેને દરેકે કરવું જોઈએ.

આ ઉપરાંત આંધ્ર, સિક્કીમ અને ઓડિશા વિધાનસભા માટે પણ મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કીમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને આંદામાન તથા લક્ષદીપમાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યાના અહેવાલો મળ્યા છે. આજે સાંજે પાંચ કલાકે દેશના કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કિરણ રિજીજુ, વી કે સિંહ સહિતના નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25 અને વિધાનસભાની 175 બેઠકો માટે એક સાથે મતદાન યોજાઇ રહ્યું છે. તેલંગાણાની તમામ 17 લોકસભા બેઠકો, યુપીમાં આઠ બેઠકો, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં ચાર, અરૂણાચલ પ્રદેશમાં બે, છત્તીસગઢમાં એક (બસ્તર), ઓડિશામાં છ, ઉત્તરાખંડમાં તમામ પાંચ, પશ્ચિમ બંગાળમાં, જમ્મુ કાશ્મીર અને મેઘાલયમાં બે-બે બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. મિઝોરમ, ત્રિપુરા, મણીપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપમાં એક-એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે.

April 10, 2019
alpesh_thakor.jpeg
1min11740

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે નિયુક્તિ પામેલા અલ્પેશ ઠાકોરે આજે તા.10મી એપ્રિલ 2019ના રોજ સાંજે પાંચ કલાકે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે.

ભારે હૈયે રાજીનામું આપતા અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં કહ્યું હતું કે તેની સાથે હળાહળ અન્યાય થયો છે અને તેની અનુભૂતિ કરી રહ્યો છે.

અલ્પેશનો રાજીનામા પત્ર આ મુજબ 

April 10, 2019
modiudhav.png
1min6660

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે એકબીજાના હાથ પકડીને સ્ટેજ પર પ્રવેશ કર્યો હતો. લાતુર અને ઉસ્માનાબાદના યુતિના ઉમેદવારની સંયુક્ત ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ મરાઠી ભાષામાં શરૂઆત કરી હતી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાના નાના ભાઈ તરીકે સંબોધ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી અને સિદ્ધેશ્ર્વર મહારાજ તથા આઈ તુળજાભવાનીના આશીર્વાદ સાથે મહારાષ્ટ્રની પુણ્ય ભૂમિને નમન કરતા તેમણે મારા નાના ભાઈ ઉદ્ધવ ઠાકરે એવું સંબોધન કર્યું હતું.

મોદીએ કૉંગ્રેસ પર જોરદાર હુમલો કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસે હિન્દુ હૃદયસમ્રાટ એવા બાલાસાહેબ ઠાકરેનું નાગરિકત્વ છીનવીને મતદાનના અધિકારથી વંચિત રાખ્યા હતા તેને કોઈ ભૂલશે નહીં.

કૉંગ્રેસ અને પાકિસ્તાનના વિચાર અને નિવેદન એકસરખા છે. આપણા સુરક્ષા જવાનોએ પાકના આતંકી કેમ્પ પર બે વાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. દરેક વખતે કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ પુરાવા માગ્યા હતા. જવાનોનું મનોબળ તોડે એવા રોજ નિવેદન કરાય છે. કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં પણ રાષ્ટ્રદ્રોહનો કાનૂન નાબૂદ કરવા તથા સુરક્ષા દળોને પાવર ઘટાડવા જણાવ્યું છે. આવા લોકોની ચૂંટણીમાં ડિપોઝિટ જાય એ માટે જનતાને હાકલ કરી હતી.

પ્રથમવાર મતદાન કરનારાએ તેમનો વોટ બાલાકોટમાં આતંકી કેમ્પનો ખાતમો બોલાવનાર વીર જવાનોને સમર્પિત કરવો જોઈએ, એમ મોદીએ કહ્યું હતું. કૉંગ્રેસના નેતાઓને કારણે પાકિસ્તાનનું સર્જન થયું હતું. કૉંગ્રેસ આવશે તો ભ્રષ્ટાચાર ફરીથી ફૂલશે-ફાલશે. કૉંગ્રેસના ઘરેથી કરોડો રૂપિયા ચૂંટણી સમયે જપ્ત કરાયા છે, જે દર્શાવે છે કે કૉંગ્રેસની સંસ્કૃતિ કેવી છે. ખરા ચોર કોણ છે તે તમને ખબર પડી ગઈ છે.

કૉંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એકસરખી છે. આવા લોકોને દેશની સત્તા આપી શકાય એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો. ભાજપે સંકલ્પપત્રમાં જણાવ્યું છે કે દેશની સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ, આતંકવાદ નાબૂદી માટે તેઓ પ્રતિબદ્ધ છે. વંશવાદ ચલાવતા કૉંગ્રેસે બાલાસાહેબ ઠાકરે પરિવાર પાસેથી શીખવા જેવું છે, જેમણે સરકારમાં કોઈ હોદ્દો સ્વીકાર્યો નહોતો. મોદીએ એનસીપીના વડા શરદ પવાર પર હુમલો કરતા કહ્યું હતું કે ભાગલાવાદી પરિબળો સાથે પવાર ઊભા છે તે શોભતું નથી.

જમ્મુ-કાશ્મીરના ઉમર અબ્દુલ્લા અલગ વડા પ્રધાનની માગણી કરી રહ્યા છે તેવા લોકો સાથે પવાર ઊભા છે તે આશ્ર્ચર્ય જન્માવે છે. મરાઠા સ્ટ્રોંગમેન નબળા મનના લોકોની પડખે કેમ છે? એ પ્રશ્ર્ન પૂછ્યો હતો. સંયુક્ત રેલીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ પણ સંબોધી હતી. કેન્દ્રના કડક પગલાંથી કાશ્મીરમાં દહેશતવાદ ઘટ્યો છે. પડોશી દેશ કૂણા પડ્યા છે.