એક ભાજપ નેતા સાથે મારપીટ કરવાના મામલામાં દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલને અહીંની રોઝ એવેન્યૂ કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. અદાલતે રામનિવાસ ગોયલના પુત્ર સુમિત ગોયલ સહિત પાંચ જણને છ-છ માસની સજા અને એક-એક હજારના દંડની સજા પણ કરી હતી.
રામનિવાસ ગોયલ તેમજ ચાર અન્ય પર 201પની છઠ્ઠી ફેબ્રુઆરીએ ભાજપના નેતા મનીષ ઘાઈના ઘરે બળજબરીથી ઘૂસીને મારપીટ કરવાનો આરોપ હતો.અને તેમને દોષી ઠરાવાયા હતા. શાહદરા વિસ્તારના આપના ધારાસભ્ય રામનિવાસ ગોયલ પર ઘરમાં સામાનમાં તોડફોડ કરવાનો અને ઘરના મજૂરો-નોકરો સાથે પણ મારપીટનો આરોપ હતો.
તા.18મી ઓક્ટોબર 2019ના રોજ કોર્ટે સજા સંભળાવી હતી. રામનિવાસ ગોયલે પોતાના બચાવમાં એવી દલીલ કરી હતી કે તેમને એવી માહિતી મળી હતી કે ભાજપ નેતાએ પોતાના ઘરે ધાબળા અને શરાબ છુપાવી રાખ્યા હતા અને ચૂંટણી પહેલા એ શરાબ ગરીબોમાં વિતરિત કરવાની હતી. તેમણે આ વાતની જાણકારી પોલીસને પણ આપી હતી અને પોલીસ સાથે જ ઘરમાં ઘુસ્યા હતા પણ અદાલતે આ દલીલો નકારી કાઢી હતી અને છ માસની સજા ફટકારી હતી.
દિલ્હીની રોઝ એવેન્યૂ અદાલતે ગયા શુક્રવારે જ વિધાનસભાના અધ્યક્ષને આ મામલામાં દોષી ઠરાવ્યા અને દસ હજારના મુચરકા પર છોડયા હતા. અદાલતે ગોયલ પિતા-પુત્ર ઉપરાંત હિતેશ ખન્ના,અરુણ ગુપ્તા અને બલબીર સિંહને પણ આ મામલામાં દોષી ઠરાવાયા હતા.
તામિલનાડુના મહાબલીપુરમાં 11-12 ઓકટોબરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક યોજવા જઇ રહી છે. બન્ને નેતા યુનેસ્કોના કેટલાક વિશ્વ ધરોહર સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજર રહેશે.
ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાપિત બેઠક માટે 11 ઓકટોબરે બપોર બાદ ચેન્નાઇ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરથી પ0 કિલોમીટર દૂર છે.
બન્ને નેતાઓ મહાબલીપુરમાં સાંજે બેઠક કરશે અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપ્રમુખ જિનપિંગને આ તટીય શહેરમાં મલ્લમ શાસકો દ્વારા નિર્મિત કેટલાંક ઐતિહાસિક સ્થળો ઉપર લઇ જશે. મોદી ચીનના રાષ્ટ્ર પ્રમુખના માનમાં રાત્રીભોજન પણ આપશે અને બન્ને નેતા ત્યાં કલાક્ષેત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારબાદ બન્ને નેતાઓ 12 ઓકટોબરે પોતાના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણાના બીજા તબક્કામાં સામેલ થશે જેના પછી થી બપોરે બે વાગ્યે સ્વદેશ જવા રવાના થશે.
બીજા દિવસની મંત્રણા તાજ સમૂહ સંચાલિત ફિશરમેન્સ કોચમાં યોજાશે. જોકે મંત્રણા અનૌપચારિક છે. તેથી કોઇ ઔપચારિક મંત્રણા કે કોઇ પ્રકારની સમજૂતિ ઉપર હસ્તાક્ષર નહીં થાય.
લોકનેતા હકીકતમાં એને કહેવાય કે એની એક હાકલથી લોકો તેમની સાથે ઉમટી પડતા હોય છે. ગુજરાત ભાજપ જ નહીં પણ ગુજરાતના રાજકીય તખ્તે વર્તમાન સમયમાં એવા આંગળીના વેઢે ગણાય તેટલા પણ નેતા નથી કે જેની હાકલ પડી હોય ને 50 માણસ પર ભેગું થાય. લોકોને પરાણે તેડાવા પડે ત્યારે માથા દેખાય. પણ સુરતના લોક નેતા સી.આર. પાટીલની વાત અનોખી છે. કોઇ ગમે તે કહે પણ ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડ પણ એ વાત સ્વીકારે છે કે નવસારીના સાંસદ સી.આર. પાટીલ એક જમીની નેતા છે, સંગઠનના માણસ છે અને તેની હાકલથી લોકો ઉમટી પડે છે. સી.આર. પાટીલએ પોતે જમીની નેતા છે એવું પુરવાર કરવાની ક્યારેય જરૂર પડતી નથી. એવા અનેક દાખલાઓ મળી આવે છે, જેમાં સી.આર. પાટીલની હાકલ પડી હોય અને માનવ કીડીયારું ઉભરાયું હોય. આજે તેમના મત વિસ્તારમાં કાઢવામાં આવેલી ગાંધી સંકલ્પ યાત્રા જ જોઇ લો.
નવસારી સંસદીય મત વિસ્તારમાં આવતા લિંબાયત ખાતે ગાંધી સંકલ્પ પદયાત્રા આજરોજ તા.6 ઓક્ટોબર 2019ના રોજ યોજવામાં આવી હતી. નવસારીના સાંસદ સી.આર. પાટીલએ જ્યાંથી યાત્રા શરૂ કરી ત્યારથી હકડેઠઠ માનવ મેદની ઉમટી હતી અને જ્યારે પૂર્ણ થઇ ત્યારે યાત્રા શરૂ થઇ તેનાથી 20 ગણા વધુ લોકો હતા. રવિવારની રજા, નવરાત્રીનો પર્વ અને દુર્ગાઅષ્ઠમી હોવા જેવા સંયોગ હોય ત્યારે રાજનેતા હોય તો એને ડર લાગે કે પબ્લિક આવશે કે કેમ, પણ લોક નેતાને એની ચિંતા હોતી નથી. આજે ના તો કોઇ ચૂંટણી યાત્રા હતી કે ના તો કોઇ રાજકીય કાર્યક્રમ, સી.આર. પાટીલના નેતૃત્વમાં ગાંધી સંકલ્પ યાત્રામાં હજારોની માનવ મેદની સ્વયંભુ ઉમટી પડી.
રવિવારે આમેય રજાના દિવસો આરામ કરવાનો મૂડ હોય, ગુજરાતી લોકો નવરાત્રીમાં મોડે સુધી ગરબે ઘૂમ્યા હોઇ, રવિવારની રજાના દિવસો આરામ કરવાના મૂડમાં હોય, બીજી તરફ પરપ્રાંતીય પરિવારોમાં આજે દુર્ગાઅષ્ઠમીનો ભારે મહિમા હોય. સી.આર. પાટીલના સમર્થકોમાં આ ત્રણેય વર્ગના લોકો આજે હર્ષોલ્લાસભેર ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.
રવિવારની રજા, નવરાત્રી અને દુર્ગાઅષ્ઠમી હોવા છતાં લોકો સ્વયંભુ ઉમટ્યા
સાંસદ શ્રી સી.આર. પાટીલએ જણાવ્યું કે સંકલ્પમાં ખૂબ તાકાત હોય છે. રાષ્ટ્રપિતા ગાંધીજીનાં વિચારો અને સિધ્ધાંતો લોકો સુધી પહોંચાડવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. આ સંકલ્પ યાત્રા પરવત કોમ્યુનિટી હોલથી શરૂ થઇ રામભરણજીની સ્કૂલ ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌએ સત્ય, અહિંસા અને એકતાની વાત કરી. ભારત માતાની જયનાં પોકારોથી આકાશ ગૂંજી ઉઠ્યું હતું.
આ સંકલ્પયાત્રા અંતર્ગત સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવાનો સંકલ્પ પણ લેવાયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પણ કરી એમનાં સિધ્ધાંતો અને વિચારોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પૂજ્ય મહાત્મા ગાંધીજીને કોટિ કોટિ વંદન.
ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહ્યા હતા, ગાંધીજીનું બીજું વિશેષણ મોદીને મળ્યું
આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ પૂર્વે આજરોજ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ગુજરાતની ધરતી પર મહાત્મા ટુ મહાત્મા, નરેન્દ્રભાઇ મોદી ગાંધી બાપૂની 150મી જન્મજયંતિના કાર્યક્રમોમાં ઉપસ્થિત થઇ રહ્યા છે, ગુજરાત માટે તેમણે આ ઘટના ગૌરવવંતી ગણાવી હતી.
ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે તા.2જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ પર્વે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન શ્રી મોદીના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઇ વાઘાણીએ નરેન્દ્ર મોદીને મહાત્મા ગણાવ્યા હતા.
થોડા દિવસો અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે હતા ત્યારે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીનું એક વિશેષણ ફાધર ઓફ ધ નેશન શબ્દ પ્રયોગ શ્રી નરેન્દ્ર મોદી માટે કર્યો હતો. એ વાત સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ હતી. આજે તા.1લી ઓક્ટોબર 2019ના રોજ ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મહાત્મા ગાંધીને અપાયેલું એક વિશેષણ મહાત્મા શબ્દ પ્રયોગથી શ્રી નરેન્દ્ર મોદીને નવાજ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધેલા કાશ્મીરમાંથી 360મી કલમ દૂર કરવા સંદર્ભે લીધેલા પગલાંને સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી હોવાનું જણાવીને સમગ્ર દુનિયામાં ભારતનું સ્વાભિમાન વધારનાર નેતા તરીકે શ્રી મોદીને ગણાવ્યા હતા. અમેરીકાના સફળ પ્રવાસ બાદ પહેલી વખત ગુજરાત આવી રહેલા શ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત ભાજપા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તા.2જી ઓક્ટોબર 2019ના રોજ જોરદાર બહુમાન કરવામાં આવશે.
ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન
ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાદી પ્રિય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોમાં સૌથી મહત્વની ખાદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન સૂત્ર આપીને ખાદી ખરીદીને દેશભરમાં પ્રચલિત કરનાર નેતા શ્રી નરેન્દ્ર મોદીને ગણાવ્યા હતા.
જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન શ્રી મોદીના આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના ગુજરાતના ટૂંકા પ્રવાસ અંગેના ટેન્ટીટીવ કાર્યક્રમ પત્રકાર પરીષદમાં ઘોષણા કરી હતી.
શ્રી મોદીના તા.2જી ઓક્ટોબરના સંભવિત સૂચિત કાર્યક્રમની રૂપરેખા
5.30થી 5.45 વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે એરપોર્ટ પ્રીમાઇસીસમાં જ ભાજપા પ્રદેશ એકમ દ્વારા ભવ્યાતિભવ્ય સમારોહ
7થી 7.30 દરમિયાન વડાપ્રધાન શ્રી મોદી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. જ્યાં સ્વચ્છતાના આગ્રહી એવા દેશભરના 20000 ગામડાઓના સરપંચોના સમારોહને સંબોધશે
8.40 સુધીમાં અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ગુજરાત સરકારના નવરાત્રી ઉત્સવમાં હાજરી આપશે. માં અંબાની આરતી ઉતારશે.
9.10 પછી અનુકૂળ સમયે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે
6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોના વિજય માર્જીન વધારે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા હોવાનું જણાવતા જીતુ વાઘાણી
સુરત ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપાના ઉમેદવારો 6 એ બેઠકો પર માર્જિન વધારીને જીત મેળવશે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે. તેમનો કહેવાનો મતલબ એ હતો કે કોંગ્રેસના ઉમેદવારો હારેલા, જાકારો પામેલા છે, ભાજપાની જીતને આસાન બનાવી દીધી છે.
રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની માહિતી આપવા માટે કેન્દ્રીય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બુધવાર, ૧૮મી સપ્ટેમ્બરે પત્રકાર પરિષદ બોલાવી છે. તેમ છતાં બુધવારે ચૂંટણીની જાહેરાત કરાશે નહીં.
અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યવાળી ટીમ ચૂંટણીની તૈયારી ચકાસવા માટે મંગળવારે રાજ્યમાં આવ્યા છે. ચૂંટણી પહેલા આ ટીમ બે દિવસ રાજ્ય સરકાર, મહારાષ્ટ્ર પોલીસ, રેલવે, ઇન્કમ ટેક્સ વિભાગ, એક્સાઇસ વિભાગ તથા અન્ય અધિકારીઓની મુલાકાત લેશે. તેમજ વિભાગીય કમિશનર, જિલ્લાધિકારી, રાજકીય પક્ષના નેતાઓ સાથે પણ બેઠક યોજશે. ‘ત્રણ સભ્યવાળી ટીમ બે દિવસ તપાસ કરીને બેઠક યોજશે. ત્યાર બાદ ૧૯મી સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી બે તબક્કામાં યોજાઇ શકે છે જ્યારે ઝારખંડમાં અનોખુ પેટર્ન જ હશે. ૨૦૧૪માં અહીં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી’, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં મહારાષ્ટ્ર સહિત હરિયાણા, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
અધિકારીઓના જણાવ્યાનુસાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તૈયારી માટે ૩૫ દિવસનો સમય જોઇતો હોય છે. દિવાળીની રજા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થવી જોઇએ અને આ વખતે દિવાળી ૨૭મી ઓક્ટોબરે છે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચ તથા કેન્દ્ર સરકાર પાસે વધારાના પોલીસ વ્યવસ્થાની માગણી કરી છે.
નર્મદા ડેમે ૭૦ વર્ષમાં પ્રથમવાર ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે ત્યારે નર્મદાના નીરના વધામણાં કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. તેઓ જન્મદિવસના એક દિવસ પહેલા આવતી કાલે ૧૬ સપ્ટેમ્બરે ગુજરાત આવી ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રી રોકાણ કરી ૧૭મીએ જન્મ દિવસે સવારે સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચી નર્મદાના નવા નીરના વધામણાં કરશે.
ફાઇલ ફોટો, મોદી ગુજરાતમાં આવ્યા હતા એ વેળાનો
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મ દિવસે આ ઐતિહાસિક ઘટના નમામી દેવી નર્મદેની ઉજવણી કરશે. આ ઐતિહાસિક ક્ષણે પીએમ મોદી નર્મદાના નીરના વધામણાં કરશે. કેવડિયા સહિતનો વિસ્તારમાં એસપીજી તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર વોચ રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈ કેવડિયા પહોંચશે ત્યાર બાદ હેલિકૉપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે અને બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે.
વડા પ્રધાનના આગમનના પગલે રેન્જ આઈજીએ લેખિત ઓર્ડર કરી છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ એમ ચાર જિલ્લાના પોલીસ અધિકારીઓની રજા રદ કરી દીધી હતી. તેમ જ બીજા કર્મચારીઓની રજા કેન્સલ કરી તેમને પરત બોલાવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૪માં ભાજપ સરકારના નેતૃત્વકર્તા તરીકે શાસન સંભાળતાની સાથે માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મુકવાની મંજૂરી આપી. ત્યાર બાદ ૨૦૧૫માં ૩૦ દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી ૨૦૧૭માં મળી હતી. જો કે છેલ્લાં બે વર્ષમાં પાણીની આવક ઓછી રહી હતી અને આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા બંધ છલોછલ ભરાયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ગિફટ મળેલી છે, તે પૈકી ૨૭૦૦થી વધુ ગિફ્ટનું લિલામ ૧૯ ઑકટોબરે હાથ ધરાશે એમ સાંસ્કૃતિક ખાતાના પ્રધાન પ્રહલાદ પટેલે જણાવ્યું હતું. ૨૭૭૨ ગિફ્ટનું ઓનલાઈન ઓકશન કરાશે. જેનો લઘુતમ બેઝ ભાવ રૂ. ૨૦૦ અને મહત્તમ ભાવ રૂ. ૨.૫૦ લાખ છે.આ વર્ષના પ્રારંભમાં ૧૮૦૦થી વધુ ગિફ્ટનું ઓકશન કરાયું હતું.
હિમાચલના ગવર્નર તરીકે દત્તાત્રયે શપથ લીધા
સિમલા: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બંદારુ દત્તાત્રયે હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે શપથ લીધા હતા. તેઓ હિમાચલ પ્રદેશના ૨૭મા ગવર્નર બનશે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકારમાં તેઓ લેબર અને ઍમ્પ્લોયમેન્ટ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા. હિમાચલ પ્રદેશના અગાઉના ગવર્નર કલરાજ મિશ્રા હવે રાજસ્થાનના ગવર્નર છે.
પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ભાજપ અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સોમવારે થયેલા હિંસક ઘર્ષણમાં કેસરિયા પક્ષના 25 કાર્યકર ઘાયલ થઈ ગયા હતા. તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભાજપે નોર્થ 24 પરગણા જિલ્લામાં તેના સાંસદ અર્જુનસિંહ પર રવિવારે થયેલા હુમલાના વિરોધમાં આજે પાળેલા 12 કલાકના બંધ દરમ્યાન આ સંઘર્ષ થયો હતો. અગાઉ, ભગવા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના વાહનને શ્યામનગર રેલવે સ્ટેશન પર તોડફોડ કરાઈ હતી.
સાંસદે દાવો કર્યો હતો કે, તૃણમૂલ સમર્થકોએ તેમના પર હુમલો કરવા સાથે તેમની કારને નુકસાન પહોંચાડયું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ વિવિધ સ્થળોએ ભાજપ કાર્યાલયો પર બળપૂર્વક કબ્જો કરવાની કોશિશ કરે છે.
બીજીતરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીના પક્ષે ભાજપ નેતા તરફથી કરાયેલા તમામ આરોપો ફગાવી દીધા હતા. ઊલટું, બંગાળના ખાદ્યાન્ન પ્રધાન જ્યોતિપ્રિય મલિકે સામો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ કાર્યકરોએ બૈરકપુર સ્થિત તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર બળજબરીથી કબ્જો કર્યો હતો.
ભાજપના દિગ્ગજ નેતા પૂર્વ નાણામંત્રી શ્રી અરુણ જેટલીનું આજે તા.24મી ઓગસ્ટ 2019ના રોજ નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સીઝમાં બપોરે 12.07 કલાકે નિધન થયું હતું. એઇમ્સના સત્તાવાળાઓએ તેમના નિધનની પુષ્ટી કરી હતી.
અરુણ જેટલી ગઇ તા.9મી ઓગસ્ટથી મલ્ટીપલ બિમારીઓની સારવાર માટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શ્રીમાન અરુણ જેટલી 66 વર્ષની વયના હતા.
Former Union minister Arun Jaitley died at All India Institute
of Medical Sciences (AIIMS) on Saturday, the hospital announced.
Jaitley, 66, was undergoing treatment at the hospital for several weeks.
“It is with profound grief that we inform about the sad demise of Arun
Jaitley,” the AIIMS said in a brief statement.
તાજેતરમાં માંડવી તાલુકાના બિદડા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ અને પરિસંવાદમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન અરુણ જેટલીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી.
સ્વતંત્રતા પર્વે જાહેર કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડએ કાશ્મીરની કલમ 370ની જગ્યાએ 170 કહીને ભાંગરો વાટ્યો અને અમીત શાહની જગ્યાએ નીતિન પટેલના નામોલ્લેખ કરીને હાંસીપાત્ર બન્યા હતા.અગાઉ ગુજરાત સરકારના મંત્રી વાસણ આહિરે એક જાહેર કાર્યક્રમમાં જીવીત અરુણ જેટલીને શ્રદ્ધાંજલી પાઠવી દીધી હતી.
ગુરુવારે ગુજરાત સરકારના પશુપાલન પ્રધાન બચુ ખાબડે ભાંગરો વાટ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરમાં ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારના પ્રધાન બચુ ખાબડની જીભ બે વખત લપસી હતી. બચુ ખાબડે જાહેરસભામાં ૩૭૦ને બદલે ૧૭૦ની કલમ રદ્દ કરીને તેમ જણાવીને ભાંગરો વાટ્યો હતો. ત્યાર બાદ બીજી વખત પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે કહ્યુ હતું કે, આ દેશ પૂરા વિશ્ર્વમાં મહાસત્તા બને તે દિશા તરફ વડા પ્રધાન મોદી અને દેશના અમારા ગૃહ પ્રધાન નીતિન પટેલ બંને ગુજરાતના સપૂતોની નેતૃત્વમાં દેશ વિકાસની તરફ આગળ જઇ રહ્યું છે. આમ બચુ ખાબડે દેશના ગૃહ પ્રધાન અમિત શાહના બદલે નીતિન પટેલ કહીને ભાંગરો વાટ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.