CIA ALERT

ઇન્ડીયા Archives - Page 195 of 216 - CIA Live

February 27, 2019
1.jpg
4min11930

તા.26મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે એલ.ઓ.સી.પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર કરેલા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ એક જવાબદાર ડિજીટલ મિડીયા તરીકે વર્તીને તેમના વાચકો સુધી સતત અને સાચી માહિતી રજૂ કરવા તત્પર છે. અહીં આ સેકશનમાં અમે વિગતવાર અપડેટ આપતા રહીશું.

13:01 (IST), FEB 27
ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ એવી જાહેરાત કરી હતી કે એરસ્પેશ ક્લોઝરના કારણે શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, અમૃતસર અને દહેરાદૂન જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે.
12:42 (IST), FEB 27
પીએમ  મોદી કાર્યક્રમો ટૂંકાવીને સલામતિ સમીક્ષા માટે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી ખાતેના તેમના વિજ્ઞાન ભવન ખાતેના કાર્યક્રમને ટૂંકાવીને તુંરત તેઓ નેશનલ સિક્યુરિટીની રિવ્યુ મિટીંગમાં ધસી ગયા હતા. પાકિસ્તાની જેટ્સ દ્વારા ભારતીય વાયુ સીમામાં ઘૂસીને કરાયેલા આક્રમણને ભારતે ગંભીરતાથી લઇને કેટલાક પગલાં ભર્યા તેની માહિતી તેમણે મેળવી હતી.
12:40 (IST), FEB 27
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પણ તણાવને પગલે અસરગ્રસ્ત થઇ. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે જ્યારે કેટલીક ઉડતી ફ્લાઇટ્સ તેમના ઓરિજિનલ ડેસ્ટિનેશન્સ પર વાળી દેવામાં આવી હોવાના અહેવાલો મળ્યા હતા.
12:37 (IST), FEB 27

પાકિસ્તાને પણ લાહોર, મુલતાન, ફૈઝલાબાદ, સિયાલકોટ અને ઇસ્લામાબાદ ખાતેના ફ્લાઇટ્સ ઓપરેશન્સ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બન્ને હંગામી ધોરણે સ્થગિત કરી દીધાના અહેવાલો મળ્યા હતા.

 12:37 (IST), FEB 27
પાકિસ્તાનના ફાઇટર જેટ્સ પ્લેન દ્વારા આજે જમ્મુ-કાશ્મિરની ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. નૌસેરા સેક્ટર ખાતે ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાની જેટ ફાઇટર્સને આંતર્યા હતા અને તેને પગલે પાકિસ્તાની પાઇલોટ્સ તેમના ફાઇટર પ્લેન પાકિસ્તાનની વાયુ સીમામાં માં પરત લઇ ગયાના અહેવાલો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે.

12:31 (IST), FEB 27

પાકિસ્તાન આર્મીના સ્પોક્સ પર્સન મોહમદ ફૈઝલએ પોતાના દેશનો બચાવ કરતા એવી બડાઇ પાકિસ્તાની ચેનલ પર હાંકી હતી કે પાકિસ્તાને એલ.ઓ.સી.ની પાર જઇને કેટલાક હુમલાઓ કર્યા હતા. મોહમંદ ફૈઝલે એવી ડીંગ પણ હાંકી હતી કે આવું કરવા પાછળ પાકિસ્તાનનો હેતુ ભારતને એ બતાવવાનો હતો કે તેઓ તેમની રક્ષા માટે કંઇપણ કરી શકે છે.

12:30 (IST), FEB 27
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથસિંહએ નવીદિલ્હી સ્થિત નોર્થ બ્લોક ખાતે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ, ખુફીયા એજન્સી રૉના વડા, ગૃહ સચિવ તેમજ અન્ય ઉચ્ચાધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર પ્રવર્તી રહેલી તણાવજનક સ્થિતિ પર કેટલાક નિર્ણયો કર્યા હતા.
12:29 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિરને અડીને આવેલી ભારત પાકિસ્તાનની એલ.ઓ.સી. પર પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા તા.26મીની રાતથી કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતે જડબાંતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને બુધવારે વહેલી સવારે પણ આવા હુમલાઓ ચાલુ રાખ્યા હતા.
12:25 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિર ક્ષેત્રના પાંચ એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ
શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ અને અમૃતસર એમ પાંચ એરપોર્ટસને આજે નાગરિક ઉડ્ડયન માટે સલામતિના કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. આજે બુધવારે સવારે ભારતીય વાયુ સેનાનું એક જેટ પ્લેન બડગામ જિલ્લામાં તૂડી પડ્યાના તુરંત બાદ આ પાંચ એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાંચ એરપોર્ટ બિલકુલ હંગામી ધોરણે અને ભારત પાકિસ્તાન સીમા પર વધેલા તણાવને જોતા બંધ કરવામાં આવ્યા છે.

Five airports closed on Wednesday for civilian air traffic

Srinagar, Jammu and Leh airports were among five airports closed on Wednesday for civilian air traffic shortly after an IAF jet crashed in Kashmir’s Budgam district. Airports at Chandigarh and Amritsar were also closed, according to airline officials. The move to close the five airports comes amid escalation of tension between India and Pakistan after IAF carried out strikes on terror bases in Pakistan.

12:06 (IST), FEB 27
સી.આર.પી.એફ.ના ડીજી આર.આર. ભટનાગર, જેઓ હાલ જમ્મુ ખાતે ફરજ પર છે, તેમણે જણાવ્યું કે જૈશ એ મહોમંદના બે આતંકવાદીઓને આજે ભારતીય સૈનિકોએ જાનથી મારી નાંખ્યા છે. તેમણે કહ્યું કે ઓપરેશન્સ ચાલી રહ્યા છે અને હજુ એ ચાલશે. આતંકવાદીઓનો સફાયો થઇને રહેશે.
 
12:05 (IST), FEB 27
ભારતીય વાયુ સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની એરફોર્સના એફ-16 પ્લેનને ભારતીય વાયુ સેનાએ આંતરીને તેના પર કરેલા બોંબમારાને કારણે પાકિસ્તાની પ્લેન પાકિસ્તાનની લામ વેલી ટેરેટરીમાં જઇને તૂટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા.

 

February 27, 2019
bharat_k_veer1-1280x720.jpg
3min14800

ભારતની રક્ષા કાજે પોતાના જીવ ન્યોછાવર કરી દેતા શહીદ સૈનિકોના પરિવારજનોને આર્થિક સહાય કરવાની બાબતમાં ભારતીયો હરહંમેશ ઉદારતા દાખવતા હોય છે. 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર સૈનિકોના પરિવારજનોને જ્યારે મદદની વાત આવી ત્યારે પણ ભારતીયોએ એટલા ઉત્સાહ અને તત્પરતાથી દરેક શહીદોના બેંક અકાઉન્ટ છલકાવી દીધા કે ખુદ શહીદોના પરિવારજનો માટે ફંડિંગ મેનેજમેન્ટ કરતી ભારત કે વીર વેબસાઇટના સંચાલકોએ લખવું પડ્યું કે શહીદોના પરિવારજનોના બેંક અકાઉન્ટમાં મેક્સીમમ લિમીટની રકમ પહોંચી ચૂકી છે હવે જે દાન ભારત કે વીર વેબસાઇટ મારફતે મળી રહ્યું છે તે ભારત કે વીર કોર્પસ ફંડસમાંં જશે અને આ રકમ પણ શહીદોના પરિવારજનોના કલ્યાણાર્થે જ ઉપયોગમાં લેવાશે.

ભારતીયો દ્વારા આપવામાં આવતું દાન ભારતની રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવી દેનારા વીર શહીદ સૈનિકોના પરિવારજનોના સીધા જ બેંક અકાઉન્ટમાં જમા થાય તેવું વ્યવસ્થા તંત્ર ભારત કે વીર નામની વેબસાઇટ તેમજ એપ્લિકેશન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. કોઇપણ ભારતીય વિશ્વના કોઇપણ છેડેથી ઓનલાઇન આર્થિક સહાય સીધી જ જે તે શહીદના પરિવારજનોને https://bharatkeveer.gov.in મારફતે કે તેની એપ્લિકેશન મારફતે જમા કરાવી શકતા હતા.

પરંતુ, ભારત કે વીર https://bharatkeveer.gov.in વેબસાઇટ પર હવે સીધા જ શહીદ પરિવારોના બેંક અકાઉન્ટમાં આર્થિક સહાયની રકમ જમા કરવાની સિસ્ટમ બંધ કરવામાં આવી છે. વેબસાઇટ સંચાલકોએ વેબસાઇટ પર લખ્યું છે કે શહીદોના પરિવારજનો સુધી દાનની મહત્તમ લિમીટ સુધીની રકમ જમા થઇ ચૂકી છે. હવે ભારતીયો જે દાન આપી રહ્યા છે તે ભારત કે વીર કોર્પસ ફંડ Bharat Ke Veer Corpus Fund માં જમા થશે.

ભારત કે વીર https://bharatkeveer.gov.in  વેબસાઇટ આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે.

એવી જ રીતે ભારત કે વીર મોબાઇલ એપ્લિકેશન પર પણ આ પ્રકારે સૂચના પ્રકાશિત કરવામાં આવી છે.

ભારત કે વીર વેબસાઇટ પર ભારતીયો દ્વારા કરવામાં આવતા દાનને આ મુજબના ફોર્સીસના શહીદ સૈનિકોના પરિવારજનોમાં વિતરીત કરવામાં આવે છે.

The CAPFs are armed forces under the Ministry of Home Affairs and comprise of the following forces :

  1. Assam Rifles (AR) engaged in border guarding along Indo-Myanmar border, as well as in counter insurgency operations in the North East.
  2. Border Security Force (BSF) guards Indias borders with Pakistan and Bangladesh, and are also deployed for anti insurgency operations.
  3. Central Industrial Security Force (CISF)provides security to the key sectors including Airports, Metro systems, important industries in the public and private Sector, heritage monuments, Government buildings and security to protected persons.
  4. Central Reserve Police Force (CRPF) is the primary force for internal secruity including anti naxal operations, counter insurgency duties in J&K and North East, and Law & Order problems.
  5. Indo-Tibetan Border Police (ITBP) guards Indias borders with China. Specially trained to operate in high altitude mountainous terrain, it is also engaged in internal security duties from time to time.
  6. National Disaster Response Force (NDRF) is for specialized response to natural and man-made disasters, saving lives and livelihood and prepares communities in disaster resilience and disaster risk reduction.
  7. National Security Guard (NSG)is a Special Force mandated to conduct counter-terrorist, counter-hijack, and hostage-rescue operations as well as provide `mobile security to designated protectees.
  8. Sashastra Seema Bal (SSB)with the motto of “Service Security Brotherhood” is primarily mandated to guard Indias borders with Nepal and Bhutan. The force is also performing internal security duties and is deployed to deal with LWE / Counter-insurgency in many states.
February 27, 2019
rbi.png
1min14100

આર્થિક વૃદ્ધિને ટેકો મળે તે માટે બેન્કોને સશક્ત કરવાના સરકારના ઇરાદા પ્રમાણે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્કને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) માળખામાંથી દૂર કરી છે અને તેમને મુક્તપણે ધિરાણ આપવાની છૂટ આપી છે.

બંને બેન્કોએ તેમની બેલેન્સ શીટ મજબૂત કરવા અને ફાઇનાન્શિયલ રેશિયોમાં સુધારો કરવા માટે સરકાર પાસેથી મળેલી નવી મૂડીનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. સરકારે 20 ફેબ્રુઆરીએ અલ્હાબાદ બેન્ક માટે ₹6,896 કરોડ અને કોર્પોરેશન બેન્ક માટે ₹9,086 કરોડના નવા મૂડીભંડોળની જાહેરાત કરી હતી.

RBIએ ખાનગી સેક્ટરની ધનલક્ષ્મી બેન્ક પર લાદેલી મર્યાદાઓ પણ હટાવી દીધી છે. અત્યારે આ બેન્ક એક પણ મર્યાદાનો ભંગ કરતી નથી. આ બેન્કોના પર્ફોર્મન્સની સમીક્ષા કર્યા બાદ મંગળવારે RBIના બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન (‌BFS)એ આ નિર્ણય લીધો હતો. સમીક્ષા બેઠક બાદ RBIએ જણાવ્યું હતું કે, આ બેન્કોએ ચોક્કસ શરતોનું પાલન કરવું પડશે અને તેમના પર સતત મોનિટરિંગ રાખવામાં આવશે.

વધારે પડતી બેડ એસેટ્સ અને નેગેટિવ રિટર્ન આપવા બદલ કુલ 12 બેન્કોને PCA હેઠળ મૂકવામાં આવી હતી, જેમાંથી છ બેન્ક હવે આ કડક નિયમોમાંથી બહાર છે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સૌથી પહેલાં આમાંથી બહાર થઈ હતી.

“જાહેર ક્ષેત્રની બેન્કોમાં સુધારો ચાલુ રહ્યો છે. 4R સ્ટ્રેટેજીને કારણે કેટલીક અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ શકી છે. બંને બેન્કોએ સારું પર્ફોર્મન્સ આપવાનું ચાલુ રાખવું પડશે અને ક્લીન બેન્કિંગ માટે દૂરંદેશી દાખવવી પડશે.” એમ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું. ઇકોનોમિક ટાઇમ્સે 20 ફેબ્રુઆરીએ નોંધ્યું હતું કે, અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ જશે.

February 27, 2019
india.gif
1min1824

ભારતે મંગળવારે પરોઢિયા પહેલાં પાકિસ્તાનમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદના સૌથી મોટા કૅમ્પ સહિત અનેક છાવણી પર હુમલા કરીને અંદાજે 350 ત્રાસવાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા.ભારતભરમાં આ હુમલા બાદ ખુશાલી અને દેશપ્રેમનું નવું જોશ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાન ડઘાઇ અને હેબતાઇ ગયું હતું.ભારતીય હવાઇ દળે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને અનેક ઠેકાણે આવેલી ત્રાસવાદીઓની છાવણીઓ પર કરેલા હુમલામાં ‘મિરાજ 2000 કૉમ્બેટ જૅટ્સ’નો ઉપયોગ કર્યો હતો.ભારતીય યુદ્ધવિમાનો બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીમાંની ત્રાસવાદીઓની છાવણીઓ પર ત્રાટક્યા હતા.જૈશે મહંમદના વડા મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર અહીંની ત્રાસવાદી છાવણીઓને સંભાળતો હતો, પરંતુ તે આ હુમલામાં માર્યો ગયો છે કે નહિ તે હજી અસ્પષ્ટ છે.

વિદેશસચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં આ હુમલાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 12 દિવસ પહેલાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનનો જાન લેનારા ત્રાસવાદી હુમલા બાદ જૈશે મહંમદ ભારતમાં વિવિધ સ્થળે વધુ હુમલા કરવાની યોજના ઘડી રહ્યું હોવાની અને તેના માટે આત્મઘાતી જેહાદીઓને તાલીમ અપાતી હોવાની વિશ્ર્વાસપાત્ર માહિતી ગુપ્તચરો પાસેથી મળતા ભારતે પરોઢિયા પહેલાં રાતના બાલાકોટમાંની જૈશે મહંમદની સૌથી મોટી તાલીમ છાવણી અને અન્ય તાલીમ કૅમ્પ પર હુમલા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં જૈશે મહંમદના અનેક ત્રાસવાદી, તાલીમ આપનારા, વરિષ્ઠ કમાંડર, જેહાદીઓ, આત્મઘાતી હુમલાખોરો વગેરે માર્યા ગયા હતા.

કેન્દ્રના રાજ્ય કક્ષાના કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કર્યું હતું કે ભારતે સીમા પરની અંકુશ હરોળ પાર કરીને ત્રાસવાદીઓની છાવણીઓ પર હુમલો કર્યો હતો. બાલાકોટ પાકિસ્તાનના સામાન્ય નાગરિકોની વસતિથી દૂર પર્વતીય વિસ્તારમાં છે અને અહીંના ગાઢ જંગલમાં ત્રાસવાદીઓની છાવણીઓ હતી.

વિદેશસચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંની ત્રાસવાદીઓની છાવણીઓનો નાશ કરવો ભારત માટે જરૂરી બની ગયો હતો. ભારત ત્રાસવાદ સામેની લડતમાં દરેક પ્રકારના પગલાં ભરશે. તેમણે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પોતાની ભૂમિ પર ચાલતી ત્રાસવાદીઓની બધી છાવણીઓનો નાશ કરશે.

ભારતીય હવાઇ દળ પાકિસ્તાન પર ત્રાટક્યું તેના થોડા કલાક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સલામતીને લગતી પ્રધાનમંડળની સમિતિની બોલાવેલી બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન હાજર રહ્યા હતા.

દેશના બધા રાજકીય પક્ષે ભારતીય હવાઇદળે પાકિસ્તાનમાં કરેલા આ હુમલા બદલ ભારતીય સૈન્યને અભિનંદન આપ્યા હતા.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મહામંત્રી રામમાધવે દાવો કર્યો હતો કે મોદીજી દેશના દુશ્મનોનો નાશ કરવા મક્કમ નિર્ધાર ધરાવે છે. જવાનોની શહાદતથી ગુસ્સે થયેલો દરેક ભારતીય આ હુમલાથી ખુશ થયો છે. આપણું લશ્કર વિશ્ર્વકક્ષાની ક્ષમતા ધરાવે છે.

કૉંગ્રેસના વડા રાહુલ ગાંધીએ પણ ભારતીય હવાઇદળની આ કામગીરી કરનારા પાઇલટોને ‘અભિનંદન’ પાઠવ્યા હતા.

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે ભારતે પાડોશી દેશમાંની ત્રાસવાદી છાવણીઓ પર ત્રાટકવા માટે સૌપ્રથમ વખત હવાઇદળનો ઉપયોગ કર્યો હતો.

દરમિયાન, પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને ‘હુમલો’ કર્યો હોવાથી ઇસ્લામાબાદને ‘વળતો હુમલો’ કરવાનો અધિકાર છે.

ઇસ્લામાબાદમાં સરકારની ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક યોજાઇ હતી અને તે પછી કુરેશીએ વડા પ્રધાન ઇમરાન ખાનને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે આજે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારતે સરહદ પરની અંકુશ હરોળ પાર કરી છે.

આમ છતાં, પાકિસ્તાન લશ્કરના જનસંપર્ક અધિકારી મેજર જનરલ આસિફ ગફુરે જણાવ્યું હતું કે ભારતીય વિમાન મુઝફરાબાદ ક્ષેત્રમાંથી પ્રવેશ્યું હતું. પાકિસ્તાનના હવાઇદળે તેને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય વિમાનને ઉતાવળે પાછા ફરવાની ફરજ પડાઇ હતી અને તેના હુમલામાં કોઇ જાનહાનિ નથી થઇ.

February 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16400
શહીદ જવાનોના પરિવારના સહાયતાર્થે અભિનેતા અક્ષયકુમાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ‘ભારત કે વીર- એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું 28મી ફેબ્રુઆરીએ આયોજન
ભારત કે વીર જવાન નામની વેબસાઇટ પર શહીદ થનારા પ્રત્યેક ભારતીય વીર જવાનની સઘળી વિગતો, બેંક અકાઉન્ટ નંબર વગેરે દર્શાવેલા હોય છે, કોઇપણ નાગરિક તેમને આર્થિક સહાય કરી શકે છે, સુરતના હર્ષ સંઘવી અને તેમના સમર્થકો દ્વારા આવા વીર શહીદોના પરિવારજનો માટે હાલ સુરતમાંથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તા.28મી ફેબ્રુઆરી 2019ના વનિતા વિશ્રામ ખાતેના કાર્યક્રમમાં આવનારા લોકો પણ  ભારત કે વીર જવાન નામના ચેક સાથે આવી ને તેમનું યોગદાન આપી શકે છે.
વધુમાં સુરત ખાતે યોજાયેલા એક પત્રકાર પરિષદમાં સુરત મજૂરાના એમ.એલ.એ. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પુલવામા ખાતે શહીદ થયેલા આપણા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતના આંગણે 28મી ફેબ્રુઆરીના રોજ ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલીવુડના કેસરી એવા અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના લોકપ્રીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં દેશપ્રેમ, દેશ ભક્તિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આયોજન અંગે માહિતી આપતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે માતૃભૂમિની રક્ષા કાજે જવાનો વિકટ પરિસ્થિમા પણ સીમા પર અડગ રહીને ફરજ બજાવે છે. એટલું જ નહી પણ માતૃભૂમિની રક્ષા માટે પ્રાણની આહૂતિ પણ આપી દે છે ત્યારે દેશવાસી તરીકે આપણી સૌની ફરજ બને છે કે સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. પુલવામામાં થયેલ આત્મઘાતી આતંકી હુમલાથી આપણે સૌ વિચલિત છે. સાથે જ ભારત સરકાર પણ આ હુમલાનો અનેક રીતે જડબાતોઙ જવાબ આપી રહી છે. ત્યારે શહીદ જવાનોના પરિવારોના સહાયતાર્થે સુરત ખાતે 28મી ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ ચેરીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષ બાબત એ છે કે ખુદ બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયબાઈ રૂપાણી ઉપસ્થિત રહેનાર છે.
February 26, 2019
mirage_fighter.jpeg
1min11380

ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા

ભારતે આતંકી કૅમ્પ પર 1000 કિલો બૉમ્બથી કર્યો હુમલો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને  જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.

આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ  પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

February 25, 2019
AffordableHousing.png
1min7080

બાંધકામ હેઠળના ઘરો અને એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી સાત ટકા ઘટાડતી જીએસટી કાઉન્સિલ

ઘર ખરીદનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની રવિવારે મળેલી બેઠકમાં બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. બાંધકામ હેઠળના રહેણાંકમાં જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી ૮ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો છે. બંનેમાં રેટ સાત ટકા ઘટાડાયા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે નવા ઘટાડેલા દર ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવશે. જીએસટી દરમાં ઘટાડો થવાથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારાયો છે. રૂા. ૪૫ લાખ સુધીની કિંમતના ઘરો આવરી લેવાયા છે. મેટ્રો શહેરમાં ૬૦ ચો. મીટર અને મેટ્રો સિવાયના શહેરોમાં ૯૦ ચો. મીટરવાળાને આવરી લેવાયા છે. નવા જીએસટી દર અંતર્ગત બિલ્ડરો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં.

લોટરીની બાબતમાં કાઉન્સિલે નિર્ણય મુલતવી રાખ્યો છે તેના માટે પ્રધાનોની પેનલ ફરી ચર્ચા માટે મળશે. હાલ રાજ્ય સરકાર ચલાવાતી લોટરીમાં ૧૨ ટકા જીએસટી છે જ્યારે રાજ્ય અધિકૃત લોટરીમાં ૨૮ ટકા છે.

February 21, 2019
modik.jpg
1min6670

ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનને ગુરુવારે સિયોલમાં યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પણ હાજર રહ્યા. પ્રતિમાના અનાવરણ બાદ આ નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર વિશ્વના 155 દેશના ગાયકોએ તેમનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેમને કહિએ ગાયું છે. હવે આ વૈશ્વિક વારસો બની ગયું છે જે અમારા માટે ગર્વનો વિષય છે. વડાપ્રધાને કહ્યું કે ગાંધીજી કોઈ એક યુગના બંધનમાં નથી બંધાતા. તેઓ આવનારા સમયમાં પણ આપણને પ્રેરણા આપતા રહેશે.


યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની એક પ્રતિમાના અનાવરણના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીના વિચાર અને આદર્શ આપણને આતંકવાદ અને જળવાયુ પરિવર્તનના ખતરાથી બહાર આવવામાં મદદ કરવાની શક્તિ આપે છે. તેમણએ કહ્યું કે આ બે મુદ્દાઓ જ દુનિયા સામે સૌથી મોટા પડકારો છે.

વડાપ્રધાન મોદી ગુરુવારે સવારે દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા. આ વડાપ્રધાન મોદીની બીજી દક્ષિણ કોરિયાની યાત્રા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સિયોલમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. જે બાદ વડાપ્રધાને ભારત-દક્ષિણ કોરિયાના ઉદ્યોગતિઓના એક કાર્યક્રમને સંબોધન કર્યું. એ દરમિયાન તેમણે કહ્યું કે અને ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે નવા સાથીની શોધ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયા અમારું મહત્વનું સાથીદાર રહ્યું છે અને તે દેશના ટૉપ 10 ટ્રેડર્સમાં સામે છે.

February 19, 2019
SDCA_logo.jpg
1min11190
  • બીસીસીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પર સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ ચમક્યા
  • સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટીની કુલ 21 મેચો સુરતમાં રમાશે
  • 14 મેચ લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 4 મેચ સીબી પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 3 મેચ પીઠાવાલા સ્પોર્ટસ કલબ ખાતે
  • 21મી ફેબ્રુઆરીથી 3જી માર્ચ 2019 સુધી સુરતમાં 21 મેચો રમાશે

બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા આયોજિત સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી સિરીઝની કુલ 7 ટીમ્સના સ્લોટ સુરતના ત્રણ જુદા જુદા ક્રિકેટ ગ્રાઉન્ડસને ફાળવવામાં આવ્યા છે. આગામી તા.21મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી શરૂ થઇ રહેલી મુસ્કાત સૈયદઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ પર ગુજરાત, રણજી ચેમ્પિયન વિદર્ભ, તમિળનાડુ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, બિહાર અને મેઘાલયની સિનિયર પ્લેયર્સની ટીમો રમશે. આ 7 ટીમમાં અનેક ભારતીય સ્ટાર ક્રિકેટર્સ, ભૂતકાળમાં આઇ.પી.એલ. ગજાવી ચૂકેલા અનેક ક્રિકેટર્સ પણ સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવા મળશે.

સુરત આવી રહેલા સ્ટાર ક્રિકેટર્સમાં અશ્વિન, (દિનેશ કાર્તિકે પરમિશન માગી રમવા માટે), ખલીલ ફાસ્ટ બોલર (રાજસ્થાન), અક્ષર પટેલ, પાર્થિવ પટેલ વગેેરે ક્રિકેટર્સને જોવાનો મોકો મળશે.

સુરતના ઇતિહાસમાં પહેલી વખત ઘટના આકાર પામી રહી છે કે એક સાથે 7-7 રાજ્યોની સિનિયર ક્રિકેટ ટીમ એક સાથે રમવા માટે આવી છે. સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટની મેચો સુરતમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપરાંત સી.કે. પીઠાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ સી.બી. પટેલ સ્ટેડીયમ ખાતે ફાળવવામાં આવી છે. પહેલી મેચ ગુજરાત અને મેઘાલય વચ્ચે તા.21મીએ સવારે 10 કલાકે યોજાશે.

સુરતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ મેચો જોઇ શકે તે માટે બિલકુલ ફ્રી એન્ટ્રી

સુરતના ત્રણેય ગ્રાઉન્ડસ પર સૈયદ મુસ્તાકઅલી ક્રિકેટની મેચો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અનેક ટીમોમાં ભારતીય ક્રિકેટના અનેક સિતારાઓ સુરત આવી રહ્યા હોઇ તેમની સાથે બીસીસીઆઇના પણ અનેક અધિકારીઓ સુરત આવી રહ્યા છે. સુરતવાસીઓ માટે ખાસ કરીને ક્રિકેટપ્રેમી સુરતીઓ માટે આ એક અદભૂત નજારો હશે. ક્રિકેટ સ્ટાર સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવાનું દ્રશ્ય અવિસ્મરણીય બની રહેશે.

February 19, 2019
bjp_shivsena.jpg
1min9170

ભાજપ 25 અને શિવસેના 23 લોકસભા બેઠકો ઉપરથી લડશે : વિધાનસભામાં એકસમાન બેઠક ઉપર લડવા સમજૂતિ

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી આવતી ગરમાગરમી ઉપર પૂર્ણવિરામ મુકાયું છે અને બન્ને પક્ષોએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધન અને બેઠકોની વહેચણી મુદ્દે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એલાન કરવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રની લોકસભાની 48 બેઠકોમાંથી ભાજપ 25 અને શિવસેના 23 બેઠક ઉપરથી લડશે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી એકસમાન બેઠકો ઉપરથી લડવામાં આવશે. બેઠક બાદ શાહે દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 45 બેઠકો ઉપર ભાજપ-શિવસેનાના ગઠબંધનને જીત મળશે. શિવસેના અને ભાજપના આ એલાન બાદ હવે કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.

જયપુરથી મેંબઈ પહોંચેલા અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં અતિમહત્વની એક બેઠક યોજાઈ હતી

જયપુરથી મેંબઈ પહોંચેલા અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં અતિમહત્વની એક બેઠક યોજાઈ હતી. જેમાં બેઠકની વહેચણી, રામ મંદિર મુદ્દો, ખેડૂતોની મુશ્કેલીઓ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ અમિત શાહ, ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ એક સંયુક્ત પ્રત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે સમજૂતિ થઈ છે. ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદ છે પણ બન્નેના વિચાર એક છે. ચર્ચા દરમિયાન બેઠકની વહેંચણી પહેલા રામ મંદિરના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં શિવસેનાને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોના મુદ્દા ઉપર પણ યોગ્ય કામગીરી કરવાની ખાતરી શિવસેનાને આપવામાં આવી છે.

‘ફડણવીસે મહારાષ્ટ્રની લોકસભા બેઠકોનું’ ચિત્ર સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, આગામી લોકસભામાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ 25 બેઠક અને’ શિવસેના 23 બેઠક ઉપર લડશે. તેમજ વિધાનસભામાં બન્ને પક્ષ સરખી બેઠક ઉપરથી લડશે.’ અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અકાલી દલ અને શિવસેના ભાજપના જુના સાથી છે. ભાજપ અને શિવસેનાનો સિદ્ધાંત એક છે. બન્ને પક્ષ વચ્ચે જે મતભેદ હતો તે હવે દૂર થયો છે. આ સાથે અમિત શાહે દાવો કર્યો હતો કે લોકસભામાં 48 બેઠકોમાંથી 45 ઉપર ભાજપ અને શિવસેના જીત મેળવશે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અમારા મન સાફ છે. ભાજપ અને શિવસેના વચ્ચે હિન્દૂત્વ અને રામ મંદિર મુદ્દે ગઠબંધન થયું હતું. વર્તમાન સમયમાં જો બન્ને પક્ષો અંદરોઅંદર લડશે તો જેની સામે 50 વર્ષથી લડી રહ્યા છે તેઓના હાથમાં સત્તા પહોંચી જશે.