CIA ALERT

ઇન્ડીયા Archives - Page 194 of 216 - CIA Live

March 2, 2019
atf1.jpg
1min13970

આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારો થતાં આજે જેટ ફ્યુઅલના ભાવમાં 8.1 ટકાનો તિવ્ર વધારો કરવામાં આવ્યો હોવાનું જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ જણાવ્યું છે. એવીએશન ટર્બાઇન ફ્યુઅલ વિમાનોમાં બળતણ તરીકે વપરાય છે અને તેના ભાવમાં તોતિંગ વધારો આગામી દિવસોમાં ડોમેસ્ટિક તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ફ્લાઇટ્સની ટિકીટના ભાવ વધારામાં પરીણમશે. એવીએશન કંપનીઓએ આગામી એક સપ્તાહમાં જ ટિકીટના દરો વધારવાની યોજનાઓ ઘડી કાઢવા માંડી છે.

જાહેર માલિકીની કંપનીઓ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી ખાતે ઍવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ કિલોલિટરદીઠ રૂ. 4734.15 અથવા તો 8.15 ટકા વધારીને રૂ. 62,795.12 નિર્ધારિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર મહિનામાં પહેલી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ અત્યાર સુધીની ઊંચી સપાટીએ રહ્યા છે.

નોંધનીય બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્યુઅલના બૅન્ચમાર્ક ભાવની સરેરાશ અને આગલા મહિનાના આંતરરાષ્ટ્રીય વિનિમય દરને ધ્યાનમાં રાખીને દરેક મહિનાની પહેલી તારીખે એટીએફ અથવા તો જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આ પૂર્વે ગત પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવ યથાવત્ રાખવામાં આવ્યા હતા અને તે પહેલા પહેલી જાન્યુઆરીના રોજ દર વિક્રમ 14.7 ટકા ઘટાડીને કિલોલિટરદીઠ રૂ. 9990 અને ડિસેમ્બરમાં દર 10.9 ટકા ઘટાડીને રૂ. 8327.83 નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

March 2, 2019
abhinandan.jpg
1min5510

દુશ્મન દેશ પાકિસ્તાનના કબજામાંથી છૂટીને ભારત પાછા ફરેલા હવાઇદળના પાઇલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું શુક્રવારે મોડી રાતે સરહદ પરની અટ્ટારી – વાઘા સીમા પર ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વદેશ પાછા ફરેલા અભિનંદનના ચહેરા પર ખુમારી અને શૌર્ય છલકતાં હતાં. પાઇલટ અભિનંદન ભારતીય હવાઇદળના ગણવેશમાં નહિ, પરંતુ સ્યૂટમાં સજ્જ હતો. સરહદ પરની ઇમિગ્રૅશનની કાર્યવાહી પૂરી થયા બાદ તેને તાત્કાલિક તબીબી તપાસ માટે લઇ જવાયો હતો. અગાઉ, પાકિસ્તાને ભારતને અભિનંદન આપવામાં ઘણો વિલંબ કર્યો હતો. સરહદ સહિત દેશભરમાં ઉત્સવનું વાતાવરણ ઊભું થયું હતું. ફટાકડા ફોડવામાં આવ્યા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને ઢોલનગારાં વગાડવાની સાથે દેશભક્તિના નારા પોકારવામાં આવ્યા હતા. પાઇલટ અભિનંદનને સરહદ પર આવકારવા ભારતીય હવાઇદળ સહિત સુરક્ષા દળના અનેક ઉચ્ચ અધિકારીઓ, રાજકીય નેતાઓ અને સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી.

પાઇલટ અભિનંદન ભારતને શુક્રવારે બપોરના જ મળવાનો હતો, પરંતુ પાકિસ્તાને અજાણ્યા કારણસર તેની સોંપણીમાં વિલંબ કર્યો હતો.

સરહદ પર પાઇલટ અભિનંદનને આવકારવા 20,000થી વધુ લોકો હાજર રહ્યા હતા. અનેકના હાથમાં

ત્રિરંગો ધ્વજ હતો. અહીં પ્રસારમાધ્યમના લોકો મોટી સંખ્યામાં મીટ માંડીને બેઠા હતા.

અગાઉ, અભિનંદને સરહદ પરની ઇમિગ્રૅશન ઑફિસ ખાતે સલામતીની કડક તપાસમાંથી પસાર થવું પડ્યું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેની તબીબી ચકાસણી પણ કરાઇ હતી.

પાકિસ્તાનના યુદ્ધવિમાનોને ભારતીય હવાઇસીમાથી દૂર રાખવાના પ્રયાસમાં પાઇલટ અભિનંદન પાકિસ્તાનના હાથમાં સપડાઇ ગયો હતો, પરંતુ જીનિવા કરારને કારણે ભારતીય પાઇલટની સોંપણી કરવા પાકિસ્તાનને ફરજ પડી હતી.

દેશમાં માત્ર સરહદ પરના જ નહિ, પરંતુ અંતરિયાળ વિસ્તારમાંના લોકો પણ પાઇલટ અભિનંદન વર્ધમાન પાછો ફરતા આનંદિત થઇ ગયા હતા.

ઘણી જગ્યાએ લોકો મોડી રાત સુધી અભિનંદનના ફૉટા અને બૅનર લઇને ભેગા થયા હતા. અનેક સ્થળે ફટાકડા ફોડાયા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને નાચગાન પણ કરાયું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળે ગરબા ગવાયા હતા, બેંગલોરમાં ડાન્સ કરાયો હતો, પુરીમાં રેતશિલ્પ તૈયાર કરાયું હતું અને ઘણી જગ્યાએ યજ્ઞ અને પૂજા-અર્ચના કરાઇ હતી.

અટ્ટારી સીમાથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલા અમૃતસર સુધીના માર્ગ પર લોકો અને વાહનોની ભારે ભીડ જામી હતી.

March 1, 2019
abhinandan.jpg
1min10310
  • પાકિસ્તાનના અતિશય અને અસહ્ય વિલંબ સામે ભારતમાં જબરદસ્ત આક્રોશ
  • લોકોએ સોશ્યલ મિડીયામાં પાકિસ્તાનીઓની ખબર લઇ નાખી
  • બિનજરૂરી કાર્યવાહીઓના બહાને અભિનંદનને વાઘા બોર્ડર પરના પાકિસ્તાની ઠાણામાં બેસાડી રખાયો
  • તા.1લી માર્ચે 2019ના રોજ સાંજે 7.30 વાગ્યા સુધી હેન્ડ ઓવર ન કરાયો અભિનંદનને

ઇન્ડિયન એરફોર્સના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને ભારતને સોંપવામાં પાકિસ્તાને પોતાના સ્વભાવ મુજબ આડાઇ કરીને તા.1લી માર્ચ 2019નો આખો દિવસ ખેંચી કાઢ્યો હતો. વાઘા બોર્ડર પર પહોંચ્યા પછી પણ બે કલાક સુધી અભિનંદનને પાકિસ્તાને પોતાની કચેરીના કોન્ફરન્સ રૂમમાં બેસાડી રાખ્યો હતો. પહેલા ઇમિગ્રેશન, બાદમાં મેડીકલ ચેકઅપ અને એ પછી ટી ડિપ્લોમસીમાં પાકિસ્તાની અધિકારીઓએ એટલો ટાઇમ પાસ કર્યો કે બીજી તરફ ભારતમાં અભિનંદનના આગમનની રાહ જોઇ રહેલા કરોડો લોકોની ધીરજ ખૂટી જવા પામી હતી. વાઘા  બોર્ડર પર હજારો લોકો, અમૃતસર રોડ પર લાખો લોકો અને ટેલિવિઝન સામે કરોડો લોકો અભિનંદનના ભારત આગમનની રાહ જોઇને આખો દિવસ બેસી રહ્યા. સાંજે સવા સાત વાગ્યા સુધી પાકિસ્તાન દ્વારા અભિનંદનને રિલીઝ કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ પાકિસ્તાન દ્વારા સમગ્ર દુનિયાને આ ઘટનાની જાણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની આર્મીએ અભિનંદનની સોંપણીની ઘટના અંગે દુનિયાભરના દેશોના અધિકૃત વ્યક્તિઓને ટ્વીટ કરીને સંદેશા પાઠવ્યા હતા. પરંતુ, વાઘા બોર્ડર પરથી ભારતને સોંપવામાં અતિશય વિલંબ કરવામાં આવી રહ્યો હતો.

તા.1લી માર્ચ 2019ની સાંજે સવા સાત વાગ્યે આ લખાઇ રહ્યું હતું ત્યારે સમગ્ર ભારતમાં મિડીયા, ટેલિવીઝન, સોશ્યલ મિડીયા વગેરે પર લોકો પાકિસ્તાનની વિલંબીત નીતિની ભારોભાર ટીકા કરતા સંદેશાઓ પાઠવી રહ્યા હતા.

અભિનંદન ભારત પરત ફરી સીધા પરિવારને નહીં મળી શકે

યુદ્ધ કેદીઓને જ્યારે કોઈ દેશ પરત કરે છે ત્યારે દેશના મુક્ત થયેલા જવાનને કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું પડે છે. જેને પગલે બોર્ડર પરથી વાપસી થયા બાદ અભિનંદન સીધા તેમના પરિવારને નહીં મળી શકે.  આર્મીના પ્રોટોકોલ મુજબ અભિનંદનને જ્યારે અટારી બોર્ડરથી ભારત લાવામાં આવશે ત્યારે એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તેને ભારતમાં આવકારશે અને ત્યારબાદ પ્રોટોકોલ મુજબ તેનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે અને તેની જરૂરી પૂછપરછ પણ થશે. પહેલાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ અભિનંદન મોડી રાત્રે 8 વાગ્યાના અરસામાં દિલ્હી પાલમ એરબેઝ પર પહોંચી જશે એ ગણતરીએ કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા. પરંતુ, પાકિસ્તાન તરફથી અભિનંદનને સોંપવામાં થયેલા અતિશય અને અસહ્ય વિલંબને કારણે તમામ કાર્યક્રમો રિશિડ્યુલ્ડ કરાયા હતા.

પાકિસ્તાનના ડોક્ટરની હાજરીમાં અભિનંદનનું મેડીકલ ચેકઅપ થયું

ભારતના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું ભારતમાં લગભગ 5.40 મિનીટે આગમન થઈ ચૂક્યું હતું. અટારી વાઘા બોર્ડર ખાતે ભારતીય એરફોર્સના અધિકારીઓએ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓની હાજરીમાં અભિનંદનને રિસીવ કર્યા હતા. જ્યાં રિસીવ કરવામાં આવ્યા ત્યાં જ પાકિસ્તાનના તબીબની હાજરીમાં ભારતીય સૈન્યના તબીબોએ અભિનંદન વર્થમાનનું મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. મેડીકલ ચેક અપ દરમિયાન અભિનંદનના  બોડી ફિઝિકલ પેરામીટર્સ નોર્મલ જણાયા હતા. એ પછી તેના મુક્તિ અંગેના પેપર્સ પર સહી સિક્કા કરવામાં આવ્યા હતા. સાંજે 6 વાગ્યાના અરસામાં અભિનંદનને ભારતીય અધિકારીઓ દ્વારા અધિકૃત રીતે રિસીવ કરવામાં આવશે.

ઇન્ડિયન એરફોર્સના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું ભારતીય ભૂમિ પર પગ મૂકતાની સાથે જ જાણે વાઘા બોર્ડર જીવંત બની હતી, લોકોએ ભારત જીંદાબાદ, અભિનંદન જીંદાબાદના નારા લગાવીને પ્રચંડ સૂત્રોચ્ચાર કર્યો હતો.

એ પૂર્વેનો ઘટનાક્રમ

દિલ્હી આવશે અભિનંદન

અમૃતસરના ડેપ્યૂટી કમિશ્નર શિવ દુલાર સિંહ ઢિલ્લો એ કહ્યું કે વિંગ કમાંડર અભિનંદન આજે સીમા પારથી પાછા આવી રહ્યા છે. તેઓ ક્યારે પાછા આવશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. ભારતીય વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી દિલ્હીથી અહીં પહોંચ્યા છે, તેઓ અભિનંદનને રિસીવ કરશે. તેમને દિલ્હીના પાલમ ટેક્નિરલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાંડર પહેલા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે

લાહોરથી રવાના થયા અભિનંદન

અભિનંદર લાહૌરથી ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. અહીં ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટીમ તેમને રીસિવ કરશે. સાથે જ અભિનંદનના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા છે. જેમનું પહેલા દિલ્હીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાઘા બૉર્ડર પર બીટિંગ રિટ્રીટ કેન્સલ

વિંગ કમાંડર અભિનંદનની મુક્તિને જોતા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અટારી બૉર્ડર પર આજે થનારી બીટિંગ રિટ્રીટ કેન્સલ કરવામાં આવે છે. વિંગ કમાંડર અભિનંદનના પાછા આવવાના અહેવાલો આવતા જ અટારી બૉર્ડર પર ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને જોતા આ નિર્ણય લેવાયો છે.

 

March 1, 2019
abhi.jpg
1min12290

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.

February 28, 2019
india-pak-army-compa.jpg
1min6190

કાશ્મીરના પુલવામા ખાતે ગઇ તા.14મી ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફ પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સામે લાલઆંખ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર ભારતે કુટનીતિક, રાજનીતિક પ્રહારો તો કર્યા જ પણ સાથોસાથ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આવેલા જૈશ એ મહોમદની છાવણીઓ પર બોંબમારો પણ કર્યો. અત્યાર સુધીની પાકિસ્તાનની કથની એવી રહી છે કે એણે ક્યારેય શરણાગતિ કે શાંતિથી વાતો કરી નથી. આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ગળે નહીં ઉતરે એવી ભાષામાં ભારત સાથે ડાયલોગ કરી રહ્યા છે.

તા.26 અને તા.27મીના ઘટનાક્રમ બાદ આજે તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ ઇમરાનખાને પાકિસ્તાનની સંસદમાં ઘોષણા કરીને ભારતના એક યુદ્ધ કૈદીને તા.1લી માર્ચે છોડવાની જાહેરાત કરી, એ પછી સમગ્ર વિશ્વભરના રાજનીતિજ્ઞોમાં અચરજ ફેલાયું છે. પાકિસ્તાન જે રીતે શરણાગતિ અને શાંતિની વાતો કરી રહ્યું છે તેનો કદી ભરોસો થાય તેમ નથી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને અધિકારીઓ પણ આ વાત સારી રીતે જાણે છે એટલે પાકિસ્તાનનો જરાય ભરોસો કર્યા વગર પોતાની નીતિઓનો અમલ ભારત કરી રહ્યું છે.

એક રાષ્ટ્ર તરીકે ભારત સામે લડી શકે તેવો એકેય મોરચો નહીં હોવા છતાં ભારતના પેંગડામાં પગ ઘાલવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને આ વખતે જે વલણ અખત્યાર કર્યું છે એ શરણાગતિની પાછળ કપટીપણાની બદબૂ ગંધાય રહી છે. જાણકારો કહે છે કે પાકિસ્તાન વિશ્વના દેશોને, યુનાઇટેડ નેશન્સને જાહેરમાં એવું દર્શાવવા માગે છે કે આતંકવાદ સામે એ ભારતની સાથે છે અને એ જ પાકિસ્તાન આગામી દિવસોમાં આતંકવાદ પ્રેરિત દુસાહસો કરીને ભારતને પજવી શકે તેમાં કોઇ શંકા નથી. એટલે જ પાકિસ્તાનીઓની કોઇ વાત કે તેમનું કોઇ સ્ટેન્ડ ભરોસાપાત્ર ગણી શકાય નહીં.

પુલવામા હુમલાને પગલે ભારતે કરેલી જવાબી કાર્યવાહીથી ડઘાઈ ગયેલા પાકિસ્તાને હવે શાંતિમંત્રણાની સુફિયાણી વાતો શરૂ કરી છે. બુધવારે ભારત દ્વારા પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ ભારતના એક મિગ-21 વિમાન નષ્ટ થયું હતું અને એલઓસી પાસેથી પાકે. ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને ઝડપી લીધો હતો. પાકે. દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના ઓફિસર તેમના કબજામાં છે બાદમાં ભારતે આ વાતની પુષ્ટી કરી હતી.

ભારતની સૈન્ય શક્તિ સામે પાકે. ઘૂંટણીયા ટેકવી દેતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને ટાંકીને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને પરત કરવા તૈયાર છે પરંતુ તે ઈચ્છ છે કે ભારત દ્વારા હવે કોઈ ઉશ્કેરણી ના કરવામાં આવે. પુલવામા હુમલા અંગેના ભારતના ડોઝિયરની પાક. સમીક્ષા કરશે. આના વળતા જવાબમાં ભારતે પણ પાકિસ્તાનને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓએ વિંગ કમાન્ડર માટે કોન્સ્યુલર એક્સેસ નથી માંગ્યું અને પાક. સાથે મંત્રણાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પાકિસ્તાન વહેલી તકે વાયુસેનાના અધિકારી ભારતને સોંપે. ભારત પાક.ની કોઈપણ શરત સ્વીકારવા તૈયાર નથી.

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇકને અમેરિકાએ સમર્થન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જૈશના આતંકી ઠેકાણાઓ પર હુમલા બાદ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓની ટેલિફોન પર વાતચીત થઇ હતી.

February 28, 2019
air_logo.jpg
1min6810

વિમાની મુસાફરોના રાઇટ્સ ચાર્ટરને આખરે મંજૂરી

કેન્દ્ર સરકારે ગત મે 2018માં ડ્રાફ્ટ કરેલા હવાઇ મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ માટેના રાઇટ્સ ચાર્ટરને તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ કેન્દ્રના સિવિલ એવિએશન મંત્રાલયે મંજૂરીની મહોર મારતા જારી કર્યા છે. હવે હવાઇ મુસાફરોને કયા કયા અધિકારો મળ્યા છે એ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે કેટલીક વિગતો મેળવી છે જે અત્રે પ્રસ્તુત છે.

જો તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાક કે તેનાથી વધુ સમય માટે વિલંબ (ડિલે) થાય તેમ હશે તો જે તે એરલાઇન કંપનીએ તમને એક દિવસ એડવાન્સમાં જાણ કરવી પડશે અને એ જ કંપનીએ તમને વૈકલ્પિક ફ્લાઇટ વ્યવસ્થા અગર તો ફુલ ટિકીટ  રિફંડ પણ ઓફર કરવું પડશે.

: If your domestic flight is delayed by six hours or more, then the airline should inform you a day in advance and offer you an alternative alternate flight or a full ticket refund.

જો એરલાઇન તમારી ડોમેસ્ટિક ફ્લાઇટને કેન્સલ (રદ) કરશે અને તમને તેની જાણ કરવામાં ચૂક કરશે, અગર તમે એ કારણથી તમારી બીજી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાવ કે ચૂકી જશો એમ હોવ તો એરલાઇન કંપનીએ તમને રૂ.5 હજારથી રૂ.10 હજારનું વળતર આપવું પડશે, આ વળતર મુસાફરીના સમય પર આધારીત હશે અથવા તો તમારી મુસાફરીનું એક તરફી ભાડું વત્તા ફ્યુઅલ ચાર્જ એ બેમાંથી જે ઓછું હશે એ રકમ એરલાઇન કંપનીએ તમને ચૂકવવી પડશે.

If the airline has cancelled your flight and has failed to inform you or you have missed a connecting flight because the airline’s earlier flight wasn’t on time, then you could get a compensation of Rs 5,000 to Rs 10,000 depending on travel time or oneway base fare plus fuel charge, whichever is less.

જો તમે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમારી ફ્લાઇટ 2થી 6 કલાક મોડી પડે તેમ છે, એવા સંજોગોમાં એરલાઇન કંપનીએ તમને વિનામૂલ્યે ભોજન તેમજ અન્ય રિફ્રેશમેન્ટસની વ્યવસ્થા કરી આપવી પડશે.

If you’re at the airport and the flight is delayed by 2-6 hours (depending on the travel time), the airline needs to offer you free meals and refreshments.

રાત્રે 8 વાગ્યાથી સવારે 3 વાગ્યા દરમિયાનના સમયગાળામાં 6 કલાકથી વધુ સમયના ફ્લાઇટ વિલંબના કેસમાં એરલાઇન કંપનીએ પેસેન્જરને હોટેલ એકોમોડેશન બિલકુલ ફ્રી માં આપવું પડશે.

For delays more than six hours for flights scheduled between 8pm and 3am and a delay of over 24 hours for other flights, airlines should inform passengers a day in advance and also offer them free hotel accommodation, the charter said.

આ પ્રકારની અનેક જોગવાઇઓ સિવિલ એવિએશનના પેસેન્જર ચાર્ટરમાં સામેલ કરવામાં આવી છે.

સી.આઇ.એ. લાઇવ પેસેન્જર ચાર્ટરની ફુલ કોપી મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે અને જેવી અમને ફાઇલ મળશે અમે અમારી ન્યુઝ પોર્ટલ પર એ કાયમ માટે અપલોડ રાખીશું.

February 28, 2019
bse.jpg
1min6820

રોકાણકારને ગયા બજેટથી આ બજેટ સુધીમાં શેર્સમાં કમાણી થઈ હોય તો તેણે પોતાને નસીબદાર ગણવો જોઈએ. સૂચિત ગાળામાં BSE પર લિસ્ટેડ 86 ટકા શેર્સના ભાવમાં 1 ફેબ્રુઆરી 2018થી 30 જાન્યુઆરી 2019 સુધીના ગાળામાં 97 ટકા સુધી ધોવાણ થયું છે. સમાન ગાળામાં સેન્સેક્સ 315 પોઇન્ટ (0.88 ટકા) ઘટ્યો છે. જોકે, કેટલાક શેર્સે કરેક્શનના આ તબક્કામાં પણ માતબર વળતર આપ્યું છે.

  • વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટ  708 ટકા
  • દાર્જિલિંગ રોપવેએ 572 ટકા
  • દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા
  • ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા
  • બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા
  • ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા
  • ગયા બજેટથી આ બજેટ સુધીમાં 31 સ્મોલ-કેપ શેર્સે રોકાણકારોની સંપત્તિમાં બમણાથી વધુ ઉમેરો કર્યો છે. જેમ કે, વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટના શેરે આ ગાળામાં 708 ટકા, દાર્જિલિંગ રોપવેએ 572 ટકા, દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા, ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા, બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા અને ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા સુધીનું વળતર આપ્યું છે. અન્ય કેટલાક શેર્સ બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા છે.

બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા

વૈશ્વિક ટ્રેડ વોર, ક્રૂડના ભાવમાં મોટી વધઘટ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો સહિતનાં પરિબળોને કારણે ભારતીય શેરબજાર માટે છેલ્લા 12 મહિના બહુ વોલેટાઇલ રહ્યા છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ શેર્સના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE મિડ-કેપ ઇન્ડેક્સ 16 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 26 ટકા ઘટ્યા છે. તેની સામે સેન્સેક્સના 30માંથી 11 શેર્સે 1 ફેબ્રુઆરી 2018થી રોકાણકારોને પોઝિટિવ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં બજાજ ફાઇનાન્સ 50 ટકા ઊછળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL, TCS, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક, HCL ટેક અને HDFC બેન્કમાં આ ગાળામાં 2 ટકાથી 27 ટકાની વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સ શેરોમાં ટાટા મોટર્સ 56 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો છે. ઘટનારા અન્ય શેર્સમાં યસ બેન્ક, વેદાંત, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ONGC અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 1 ફેબ્રુઆરી 2018થી અત્યાર સુધીમાં 3.3 ટકા ઘટ્યો છે.

છેલ્લા 12 મહિનામાં સ્થાનિક રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો છે. ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ 34 ટકા ઘટ્યો છે. BSE રિયલ્ટી, મેટલ્સ, ઓટો, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં અનુક્રમે 32 ટકા, 30 ટકા, 30 ટકા, 20 ટકા, 17 ટકા અને 17 ટકા ઘટાડો નોંધાયો છે. તેની સામે BSE IT, ટેક, અને FMCG ઇન્ડેક્સ અનુક્રમે 19 ટકા, 8.28 ટકા અને 6.27 ટકા વધ્યા છે.

February 28, 2019
congress.jpg
1min12480

સરહદે ઊભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવિધિને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એકમાત્ર વિચારે રાહુલજી એ આ કાર્યક્રમ સ્થગિત કર્યો છે, પરંતુ આવતીકાલે વડા પ્રધાને દેશભરમાં વીડિયો કોન્ફરન્સ કરીને લોકોને સંબોધવાનો કાર્યક્રમ હજુ સુધી યથાવત્ રાખ્યો છે, એવું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું. પુલવામાં હુમલા પછી સરકારના પડખે ઊભી રહેલી કૉંગ્રેસ રાજકીય હિસાબો સમય આવે ચૂંટણીના મેદાનમાં પૂરા કરી લેશે, પરંતુ આજે જ્યારે પાકિસ્તાનનો હિસાબ કરવાનો સમય છે ત્યારે દેશનું અને સરકારનું પીઠબળ બની અડીખમ રહેશે આ ભાવના જ વિરોધીઓના મનોબળને તોડવા પૂરતી છે. રાજકીય મતભેદો અને વૈચારિક અંતર મીટાવી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવવાની દિશામાં લેવાયેલા આ પગલા બદલ કૉંગ્રેસ પક્ષ અને દેશની જનતા રાહુલજી પર ગર્વ અનુભવે છે. પાકિસ્તાનને બે બે વખત યુદ્ધમાં પરાસ્ત કરી બે ભાગમાં વહેંચી દેનાર કૉંગ્રેસનો એક એક સિપાહી આજે રાહુલજીની દેશદાઝ અને સંવેદનશીલતા ને સલામ કરે છે. હવે મોદીજી આવતી કાલે જ તેમની દેશ વ્યાપી 15000 સ્થળોએ રાજકીય વિડિયો કોન્ફરન્સ કરવાના છે એ મોકૂફ રાખે છે કે પછી જેમ પુલવામામાં 42 જવાનોની શહીદી પછી જેમ તેમની રાજકીય રેલીઓ અને શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું તેમ ચાલુ રાખે છે એ જોવાનું રહ્યું.

February 28, 2019
india-pak-army-compa.jpg
1min7610

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ભારતના મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બે પાયલટ તેમના કબ્જામાં છે. સાથોસાથ ચેતવણી આપી હતી કે અણુશસ્ત્રો ધરાવતાં બંને દેશ વચ્ચેની તંગદિલી દૂર કરવા વાતચીત કરવી જોઈએ.

ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધતા કહ્યું હતું કે ભારતના બે પાયલટ મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બંને પાયલટ તેમના કબ્જામાં છે. અમારા દેશમાં પ્રવેશ કરશે તો સમાન પગલાં લેવાશે.

અગાઉ વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હવાઈ દળે ભારતના મિલિટરી બેઝને લક્ષ્યાંક બનાવ્યો હતો, જ્યારે ભારતે આતંકવિરોધી કામગીરી હાથ ધરી હતી. ભારતનો એક પાયલટ લાપતા છે આ નિવેદન બાદ ઇમરાન ખાને સંબોધન કર્યું હતું.

તમામ યુદ્ધ ખોટી ગણતરીના આધારે શરૂ થયેલા છે. માનવના ભોગે યુદ્ધ લડાયા છે. પ્રથમ અને બીજું વિશ્ર્વયુદ્ધ હોય કે આતંક સામેના યુદ્ધમાં પણ એ જ સ્થિતિ હતી. બંને દેશોએ ડહાપણભર્યું પગલું લેવું જોઈએ. બંને પાસે અણુશસ્ત્રો છે. યુદ્ધ બંનેને પરવડે એમ છે? હાલની સ્થિતિ વણસશે તો નરેન્દ્ર મોદી કે ઇમરાન ખાનના હાથમાં કાંઈ અંકુશ રહેશે નહીં. આપણે બંને સાથે બેસીને વાતચીત કરીએ એવી ઓફર તેમણે મુકી હતી.

પુલવામા આતંકી હુમલા બાદ તપાસમાં સહકાર આપવા અમે ઓફર કરી હતી. બંને દેશો દાયકાઓથી યુદ્ધના કારણે અસરગ્રસ્ત થયેલા છે. ઉગ્રવાદીઓને તેમની જમીન વાપરવા દેવાથી પાકિસ્તાનના હિતમાં નથી.

ભારત તંગદિલીમાં વધારો કરશે તો પાકિસ્તાન તેનો જવાબ આપશે.

February 28, 2019
khelo_india.jpg
1min7350

તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલી મોબાઈલ એપ ‘ખેલો ઇન્ડિયા એપ’નું લોકાર્પણ કર્યું હતું. ખેલો ઇન્ડિયા એપનો મુખ્ય આશય નાગરિકોમાં ખેલ-કૂદ પરત્વે જાગૃતિ લાવવાનો હોવાનું રમતગમત મંત્રી રાજ્યવર્ધન સીંધે જણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ દ્ષ્ટિકોણથી એપ તૈયાર કરવામાં આવી છે. જેનો આશય દેશમાં રમત-જગત પરત્વે સકારાત્મક અભિગમ જાગ્રત કરવાનો તથા આવનારા સમયમાં ખેલકૂદ ક્ષેત્રે ભારતને સ્પોર્ટિંગ સુપરપાવર સાબિત થવા પ્રેરણા પૂરી પાડવાનો છે.

ખેલમંત્રી રાજ્યવર્ધને ખેલો ઇન્ડિયા એપને ખેલકૂદ ક્ષેત્રે મહત્ત્વના પગલા સ્વરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલકૂદના વિસ્તરતા વ્યાપથી લોકો ફિટનેસ પ્રત્યે પણ સભાન થશે. યુવાનોને તેમની ક્ષમતા ઓળખવાની તક મળી રહેશે. તૈયાર કરાયેલી એપના પહેલા સેશનમાં એપ યુઝર્સને 18 રમતોના નીતિ નિયમોની જાણકારી મળી રહેશે. બીજા સેશનમાં જે તે રમત અંગેની જાણકારી એ અંગે પ્રાપ્ત થતી સગવડો અને દેશના કયા ભાગમાંથી એ સગવડો પ્રાપ્ત થશે એ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે જેમાં સાઈ ફેસેલિટી, સાઈ સપોર્ટેડ ફેસેલિટી તથા પ્રાઈવેટ ફેસેલિટીની માહિતી ઉપલબ્ધ હશે.

ખેલો ઇન્ડિયા એપમાં બાળકોની ફિટનેસ અંગેની પ્રાથમિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ફિટનેસ સેકશનમાં 8 જાતના ફિટનેસ ટેસ્ટ દ્વારા બાળકની ફિટનેસ ચકાસી શકાશે. ફિટનેસ ટેસ્ટ શાળાના ફિઝીકલ એજ્યુકેશન ટીચર્સ દ્વારા કરવામાં આવશે. હિન્દી તથા ઇંગ્લીશમાં તૈયાર થયેલી એપ એકવાર ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ ઇન્ટરનેટ વગર પણ વાપરી શકાશે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ સગવડો ઉપલબ્ધ નથી ત્યાં પણ ખેલો ઇન્ડિયા એપ લોકો સુધી પહોંચી શકશે.