CIA ALERT

ઇન્ડીયા Archives - Page 196 of 216 - CIA Live

February 18, 2019
pulwama.jpg
1min10860

પિંગલાન વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી બાદ આર્મીએ ઓપરેશન હાથ ધર્યું હતું, આતંકીઓના બેફામ ફાયરિંગમાં એક મેજર સહિત 4 જવાનો શહીદ

File photo pulwama

જમ્મુ કાશ્મીરના પુલવામામાં વિસ્તારમાં ભારતીય સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગઇ કાલ રવિવારે મધરાતથી જબરદસ્ત અથડામણ થયાના અહેવાલો મળ્યા છે. પુલવામાના પિંગલાન વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની મળેલી બાતમીને પગલે રવિવારે મોડી રાતથી સુરક્ષાદળો ઓપરેશન હાથ ઘર્યું હતું. આખી રાત બંને તરફથી સામસામે પાયરિંગ થયું. સમગ્ર વિસ્તાર ખાલી કરી લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગાઝી રાશિદ પણ આ વિસ્તારમાં છુપાયેલો હોઈ શકે છે. મળતી માહિતી મુજબ છુપાયેલા આતંકીઓ પણ જૈશ એ મોહમ્મદના જ છે. તમામ આતંકીઓ પુલવામા હુમલો કરનાર આદિલ અહેમદ ડારના સાથીદારો છે.

મોડી રાત્રે 55RR, CRPF અને SOGના જવાનોએ આ ઓપરેશનને અંજામ હાથ ધર્યું હતું. શહીદ થયેલા જવાનોમાં મેજર ડી. એસ. ડોંડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાઈ અજય કુમાર અને સિપાઈ હરી સિંહ સામેલ છે. તો અન્ય એક ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયા છે.

 

February 13, 2019
jab-koi-baat-05-1.jpg
1min27900

લગ્ન જીવન કહો કે મેરેજ લાઇફ આજે એવો જમાનો છે કે યુગલ લગ્નગ્રંથીથી જોડાય અને થોડા મહિનાઓમાં તો એવી ખટપટો થાય કે છૂટા પડવાના આરે આવીને ઉભું રહી જાય. આ સિવાયના દામ્પત્ય જીવન જીવી રહેલા યુગલો જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ દામ્પત્યજીવને સમાધાનકારી જીવન બનાવી લે છે. આવા તમામ યુગલોને સુરતનું આઇકોનિક કપલ જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા એવો સંદેશ આપી રહ્યા છે કે લગ્નજીવનને ક્યારેય ઘડપણ આવતું નથી, લગ્ન જીવનને સદાયે યુવાન રહેવાનું વરદાન મળેલું હોય છે અને આ જ થીમ સાથે પોતાના લગ્નજીવનની  જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા દ્વારા ગવાયેલું અને તેમના પર જ ફિલ્માવાયેલું  ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને ગુજરાતી ગીત ને તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે લોંચ કરી રહ્યા છે. આજથી વીસ વર્ષ પહેલા જ્યારે જગદીશ ઇટાલિયા અને અજીતા તેજાણી લગ્નગ્રંથીથી જોડાયા હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે તેમના પર કોઇ ગીતનું ફિલ્માંકન થાય, એ સ્વપ્ન 20 વર્ષે પૂરું થયું છે. આજે પણ આ યુગલ 20 વર્ષ નહીં પણ 20 દિવસ થયા હોય તે રીતે મેરેજ લાઇફને માણી રહ્યા છે અને એ જ તેમના ગુજ્જુ સોંગમાં જોવા મળશે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ એક કમ્પ્લીટ ગુજરાતી સોંગ છે એવું જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતી મ્યુઝિકને પ્રમોટ કરવા માટે થઇને તેમણે જબ કોઇ બાત બિગડ જાયે જેવા સૌથી પ્રચલિત સોંગને પણ ગુજરાતીમાં કન્વર્ટ કરીને ફિચર કર્યું છે. આ ગીતને જોતા જ લાગશે કે કોઇ અદ્દલ બોલિવુડ સોંગને ટક્કર મારે તેવી રીતે સિનેમેટોગ્રાફીના તમામ પાસાઓને આવરી લઇને તૈયાર કરાયું છે. સોને પે સુહાગા નો ઘાટ તો ત્યારે સર્જાયો જ્યારે ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની વિનસ મ્યુઝિક્સ પ્રા. લિ. સુરતના જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા અભિનીત અને આ કપલના કંઠે જ ગવાયેલા ગીતનું વર્લ્ડ પ્રીમિયર વેલેન્ટાઇન ડે ના દિવસે કરી રહી છે.

તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે કલપ રોમેન્ટીક કપલ સોંગ ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને વિનસ મ્યુઝિક્સ યુ ટ્યુબ પર તો લોંચ કરશે જ પણ તેની સાથોસાથ સાવન, સ્પોટીફાય, ગુગલ પ્લે, ગાના, એપલ મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ, આઇટ્યુન સ્ટોર, મ્યુઝિક્સ વગેરે જેવી 9 મ્યુઝિક ઓડિયો ચેનલ પણ એક સાથો લોંચ કરી રહી છે. કોઇ અદ્લ ગુજ્જુ રોમેન્ટિક  સોંગ અને એ પણ સુરતી કપલ દ્વારા અભિનીત તેને આટલા બિગ સ્કેલ પર અગાઉ ક્યારેય લોંચિંગ પેડ મળ્યું નથી. આ પહેલી વખતની ઘટના બની રહી છે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ સોંગ વિશે રેપિડ ફાયરમાં જગદીશ ઇટાલિયાએ આ પ્રકારે સવાલોના જવાબો આપ્યા હતા.

  • સોંગ ટાઇટલ                   જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને
  • સમય                               5 મિનીટ
  • લોકેશન                           જોધપુર, રાજસ્થાન
  • રિલીઝિંગ બાય               વિનસ મ્યુઝિક્સ પ્રા.લિ., મુંબઇ અને વિરલ મોટાણી
  • ડાયરેક્ટર                        અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
  • પ્રોડ્યુસર                         અજિતા ઇટાલિયા, સુરત
  • સ્ટોરી કન્સેપ્ટ                  અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
  • વિડીયોગ્રાફી                   50એમએમ મિડીયા પ્રોડક્શન્સ
  • મ્યુઝિક રીઅરેન્જ            હાર્દિક ટેલર –  સુભાષ દુધાત
  • લિરીક્સ                          પ્રેમ દવે, (ગુજરાતી)
  • ફિચરિંગ                          જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
  • સિંગર                              જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
  • ઓરિજલ ક્રેડિટ                 જબ કોઇ બાત …..કુમાર સાનું અને સાધના સરગમ, લિરીક્સ ઇન્દીવર, મ્યુઝિક રાજેશ રોશન

                                                    વાલમ આવો ને…જીગગદાન ગઢવી, લિરીક્સ નિરેન ભટ્ટ, મ્યુઝિક સચીન જીગર

                                                    પ્રોડ્યુસ બાય અક્ષર કમ્યુનિકેશન્સ

જગદીશ ઇટાલિયા એ ગાયેલું આંખનો અફિણી ગીતના યુ ટ્યુબ પર 40 લાખ વ્યુઅર્સ થઇ ચૂક્યા છે

આજથી 2 વર્ષ પહેલા જગદીશ ઇટાલિયાએ તેમની મેરેજ એનીવર્સરીએ અજિતા ઇટાલિયાને સરપ્રાઇઝ આપવા માટે એક ગુજરાતી ગીત ગાયું હતું. આ ગીતના બોલ છે તારી આંખનો અફીણી…બાદમાં આ સોંગને યુ ટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું. વિશ્વભરના ગુજરાતીઓને આ સોંગ એટલું ગમ્યું કે અત્યાર સુધીમાં આ સોંગને યુ ટ્યુબ પર 40 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને હજુ પણ ટ્રોલ થઇ રહ્યું છે. મ્યુઝિક ક્ષેત્રમાં કોઇ પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટે નહીં પરંતુ, મનમૌજી રીતે પોતાના અંદાજમાં ગીતો ગાઇને એક પ્રકારે મેડીટેશન મળી રહ્યું છે એમ જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે તેમને ગુજરાતી ગીતો ગાવાની પ્રેરણા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલમાંથી મળી છે, પાર્થિવ ગોહિલને સાંભળી સાંભળીને આજે તેઓ પણ ગુજરાતી ગીતસંગીતના દિવાના બની ચૂક્યા છે.

February 12, 2019
doctors-assault.jpg
1min10560

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પૃથ્વી પર જેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, અંગ્રેજીથી લઇને ગુજરાતી સાહિત્યકારોએ જેને જીવનદાતા ગણાવ્યા છે એ તબીબો (ડોક્ટર્સ) પર એવા જીવલેણ હુમલા થઇ રહ્યા છે કે ભારતમાં હવે તબીબો ગન લાઇસન્સ (હથિયારોના પરવાના) માગી રહ્યા છે. કોઇ સ્થળે તબીબોને દર્દીઓના સગાઓના હુમલાથી બચવા માટે સેલ્ફ પ્રોટેક્શનની તાલિમ આપવામાં આવી રહી છે તો દિલ્હીની એઇમ્સ જેવી હોસ્પિટલના તબીબો હેલ્મેટ પહેરીને દુનિયાને એવું દેખાડી રહ્યા છે કે દર્દીઓની સેવા ચાકરી કરવાનું એટલું જોખમી બન્યું છે કે તેમણે હેલ્મેટ પહેરીને ટ્રીટમેન્ટ કરવી પડી રહી છે.

ભારતમાં પાછલા 1 વર્ષ દરમિયાન વિવિધ સ્થળો પર તબીબો પર 50થી વધુ જીવલેણ હુમલાઓની ઘટનાઓ બની છે. તબીબો પર હુમલો કરવાની આ ઘટનાઓ ઝડપભેર આકાર પામી રહી છે. તબીબી આલમ તેમના પર વધતા હુમલાઓથી એટલી ભયભીત બની છે કે હવે કહેવાતી સારી હોસ્પિટલ્સ પણ ક્રિટીકલ કે સિરીયસ પેશન્ટસ દાખલ થવા માટે આવે ત્યારે તેને સિફતપૂર્વક એડમિટ કરવાનો ઇન્કાર કરી દે છે. દર્દીઓના ક્રિટીકલ ઓપરેશન્સ કરતા પહેલા તબીબો દર્દીઓના સગાઓ તથા તેમની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

તાળી એક હાથે નથી વાગતી એમ તબીબો પરના હુમલાઓની પાછળ કેટલાક તબીબો અને કેટલીક હોસ્પિટલ્સના ગોરખધંધાઓ પણ કારણભૂત ગણાય છે. રૂપિયા રળવા માટે બિનજરૂરી દવાઓ, બિનજરૂરી પરીક્ષણો અને ત્યાં સુધી કે બિનજરૂરી ઓપરેશન્સ કરતા પણ કહેવાતા આ ભગવાનોને સહેજ પણ ડર લાગતો નથી. આમ દર્દીઓને જ્યારે પણ ચાલુ ટ્રીટમેન્ટએ કંઇક થાય એટલે સગા સબંધીઓ તબીબોને જ કસૂરવાર ગણીને મારપીટ કે હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી દેતા હોય છે.

ભારતમાં તબીબો પરના હુમલાઓની ઘટનાઓ દિનપ્રતિદિન દાવાનળની જેમ પ્રસરી છે. તબીબો પણ ટોળાઓ દ્વારા થતા હુમલાઓનો શિકાર બની રહ્યા હોઇ, ભારતમાં જુદા જુદા સ્થળો અને હોસ્પિટલ્સના તબીબોએ પોતાના સ્વબચાવ માટે કેવા પગલાંઓ ભર્યા છે એ જાણીને સહજ અચરજ થાય તેમ છે.

નાગપુર સરકારી મેડીકલ કોલેજના ડોક્ટર્સે હથિયારના લાઇસન્સ માંગ્યા

નાગપુર ખાતે આવેલી ઇન્દિરા ગાંધી સરકારી મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ્સમાં તાજેતરમાં જ સિનિયર ડોક્ટર પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દેવાયા હતા. દર્દીનું સારવાર દરિમયાન મોત નિપજતા વિફરેલા સગાસબંધીઓએ સિનિયર તબીબને કસૂરવાર ગણીને તેના પર એવો ઘાતકી હુમલો કર્યો કે એ જોઇને અન્ય તબીબો ભારે ભયભીત બની ગયા છે. આ ઘટનાએ સમગ્ર દેશના તબીબોને હચમચાવી મૂક્યા હતા. આ ઘટના બાદ નાગપુર સરકારી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા અનેક ડોક્ટરોએ પોલીસ કમિશનર સમક્ષ અરજી કરીને વેપન લાઇસન્સ આપવા રજૂઆત કરી છે. કારણ એ દર્શાવાયું છે કે તેમના પર દર્દીઓના સગાઓ દ્વારા વારંવાર ઘાતકી હુમલાઓ કરવામાં આવી રહ્યા હોઇ, સ્વબચાવ માટે તેમને વેપન લાઇસન્સ આપવામાં આવે.

કોલકાત્તાની એન.આર.એસ. મેડીકલ કોલેજમાં તબીબોને કરાટેની તાલિમ

તબીબો પર થઇ રહેલા દર્દીઓના સગાઓ દ્વારા હુમલાઓ દરમિયાન તબીબો પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે કોલકાત્તા સ્થિત એન.આર.એસ. મેડીકલ કોલેજમાં જુનિયર, સિનિયર, રેસિડેન્ટ તમામ પ્રકારના તબીબો માટે ટેઇકવોન્ડો કરાટેની તાલિમ આપવામાં આવી રહી છે. અહીં તબીબો માટે આ પ્રકારની તાલિમ ફરજિયાત બનાવવામાં આવી છે અને જ્યારે જ્યારે પણ દર્દીઓના સગાઓ દ્વારા તેમના પર હુમલો થાય ત્યારે તેમને આ માર્શલ આર્ટથી સ્વબચાવ કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે.

દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં હેલ્મેટ પહેરીને સારવાર કરતા તબીબો

નવી દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સના તબીબોએ તાજેતરમાં જ દેશભરમાં તબીબો પર થઇ રહેલા ઘાતકી હુમલાઓનો  વિરોધ કરવા માટે હેલ્મેટ પહેરીને દર્દીઓની સારવાર કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. એઇમ્સના તબીબો દુનિયાને એવું જણાવવા માગી રહ્યા હતા કે દર્દીની સારવાર કરવાનું ઉમદા કામ એટલું કપરું અને જોખમી બન્યું છે કે તેમણે હેલ્મેટ પહેરીને દર્દીઓની સેવા ચાકરી કરવી પડી રહી છે.

 

February 11, 2019
tv_reviews.jpg
1min5800
  • 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરી
  • 6.5 કરોડ કેબલ ટીવી અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો નવી વ્યવસ્થામાં જોડાયા
Widescreen high definition TV screen with video gallery.

 

દૂરસંચાર નિયામક ટ્રાઈના કહેવા પ્રમાણે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થામાં જોડાઈ ગયા છે. જેમાં’ 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓને કોઈપણ જાતની પરેશાની ન પડે તે માટે ટ્રાઈ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.

ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માના કહેવા પ્રમાણે સામે આવી રહેલા આંકડા પ્રમાણે’ નવી વ્યવસ્થામાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આશા છે કે બાકી રહેલા લોકો પણ પોતાની પસંદગીની ચેનલ મેળવી લેશે. શર્માના કહેવા પ્રમાણે જે 9 કરોડ લોકોએ મનગમતી ચેનલ પસંદ કરી છે. તેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. શર્માએ ઉમેર્યું હતું કે, કુલ 17 કરોડ ગ્રાહકોમાંથી 9 કરોડે ઓપરેટર પાસે પસંદગીની ચેનલ માટે નોંધણી કરાવી છે. જે મોટી સંખ્યા છે.

શર્માએ ભાર દેતાં કહ્યું હતું કે, જ્યાં પણ જરૂર પડે ત્યાં ઓપરેટરોની મદદ કરવામાં આવી રહી છે અને દિશાનિર્દેશ થઈ રહ્યા છે. આટલું જ નહી મુશ્કેલીઓના નિરાકરણ માટે નિયમિત રૂપે બેઠકો પણ થઈ રહી છે. આગામી સમયમાં નિયમકની ગ્રાહકો સુધીની પહોંચ વધારવા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની પણ યોજના છે. જેમાં સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, વિજ્ઞાપન અને અન્ય કાર્યક્રમો થકી અભિયાન ચલાવવામાં આવશે.’

February 9, 2019
mba-1280x725.png
1min5930

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારને સીધો ₹20 લાખનો વાર્ષિક પગાર મળવાનું સામાન્ય થઈ ગયું છે. અગાઉ માત્ર ટોપ-3 બિઝનેસ સ્કૂલ્સના ગ્રેજ્યુએટ્સને જ ઊંચો પગાર મળતો હતો.

  • મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ,
  • IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી)
  • ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈ

આ વખતની પ્લેસમેન્ટ સીઝનમાં ઓછામાં ઓછી ચાર બિઝનેસ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પહેલી વખત સરેરાશ વાર્ષિક ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે. જેમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ, IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈનો સમાવેશ થાય છે.

પ્લેસમેન્ટના આંકડા જણાવે છે કે, કંપનીઓ ટોપ ટેલેન્ટ માટે મંદ બજારમાં પણ મોટો ખર્ચ કરવા તૈયાર છે. ઓનલાઇન એસેસમેન્ટ પ્લેટફોર્મ Mettlના કેમ્પસ સેલરી હાયરિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ 2018ના અહેવાલ મુજબ ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે છે.

ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે

શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ

ડેટામાં પ્રથમ હરોળનાં શહેરોની 31 અને બીજી હરોળનાં શહેરોની 49 બિઝનેસ સ્કૂલ્સનો સમાવેશ કરાયો છે. પ્રથમ હરોળનાં શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ રહ્યો છે.

સ્ટાર્ટ-અપ્સથી માંડી ટોપ કન્સલ્ટન્ટ્સ અને મલ્ટિનેશનલ્સ ઉત્કૃષ્ટ ટેલેન્ટની પાછળ દોડે છે. દરેક કંપની સમાન ટેલેન્ટની આશા રાખે છે અને અમુક લાયકાતવાળી ટેલેન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ્સના સ્નાતકોને હંમેશા પ્રીમિયમ સેલરી મળે છે.

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર મળ્યો હતો. જોબ માર્કેટની સ્થિતિ બહુ સારી ન હોય ત્યારે પણ ટોચની બિઝનેસ સ્કૂલ્સના સ્નાતકોને ખાસ અસર થતી નથી અથવા ઓછી અસર થાય છે.

ચાલુ વર્ષે જે ઇન્સ્ટિટ્યૂટ્સે સરેરાશ ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે તેમાં આ રકમના પેકેજ ચૂકવતી કંપનીઓમાં 20-25 ટકા વધારો નોંધાયો છે. જેમ કે, MDI ગુડગાંવ ખાતે ચાલુ વર્ષે 55 કંપનીએ ₹20 લાખ કે વધુનો પગાર ચૂકવ્યો છે, જે આંકડો ગયા વર્ષે 46 હતો.

TISS મુંબઈમાં આવી કંપનીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધી છે. IIFT દિલ્હીમાં વાર્ષિક ₹20 લાખથી ઊંચો પગાર આપનારી કંપનીઓની સંખ્યા આ વખતે વધીને 48 થઈ છે, જે ગયા વર્ષે 27 હતી. IIFTના કોર્પોરેટ અને પ્લેસમેન્ટ એડ્વાઇઝર હરકિરત સિંઘે જણાવ્યું હતું કે, “આ બ્રેકેટમાં ઓફર્સની સંખ્યા 2016-’18ના 87થી 54 ટકા ઊછળી 134 થઈ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ વર્ષે સરેરાશ પગારનો આંકડો ₹20.07 લાખે પહોંચ્યો છે.

કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર ₹20 લાખથી વધુનો વાર્ષિક પગાર ચૂકવતી કંપનીઓમાં એરટેલ, એમેઝોન, એશિયન પેઇન્ટ્સ, એવેન્ડસ, બજાજ ઓટો, સિટીબેન્ક, કોલગેટ પામોલિવ, ડેલ EMC, ડેલોઇટ ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ITC, લોઢા ગ્રૂપ, લો’રિયાલ, M&M, મેરિકો, નેસ્લે, રેકિટ બેન્કાઇઝર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેમસંગ R&D, ઓયો રૂમ્સ, રિવિગો, સ્વિગી, TAS અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.

February 5, 2019
uri.jpg
1min7070

૨૩ અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની વિકી કૌશલની

વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ બૉક્સ-ઑફિસ પર એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને હજી પણ એ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મે ૨૩મા અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ચોથા અઠવાડિયાના શુક્રવારે ૩.૪૩ કરોડ, શનિવારે ૬.૫૩ કરોડ અને રવિવારે ૮.૭૧ કરોડ સાથે ટોટલ ૧૮૯.૭૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી બસો કરોડની ક્લબમાં દાખલ થશે એવી ચર્ચા છે.

આ ફિલ્મે ૨૩મા દિવસે ૬.૫૩ કરોડનો બિઝનેસ કર્યો છે જે અગાઉ ૬.૩૫ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો. આ સાથે જ ‘ઉરી’એ ૨૪મા દિવસે ૮.૭૧ કરોડનો બિઝનેસ કર્યો છે, જે અગાઉ ૭.૮૦ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો.

February 5, 2019
ips-1280x720.jpg
1min5420

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને સુપ્રીમ કોર્ટમાં જોરદાર આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચીટફંડ કૌભાંડમાં પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે કોલકાતા પોલીસ કમિશ્રન રાજીવ કુમારને આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, રાજીવ કુમારની હાલ ધરપકડ નહીં થાય. બંગાળ સરકારના મુખ્યમંત્રી મમતા બેનરજી સીબીઆઈ વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે અને ત્યાંથી જ ફોન પર પોતાની સરકારનો વહીવટ ચલાવી રહ્યા છે.

શારદા ચીટફંડ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સીબીઆઈની અરજી પર સુનાવણી દરમિયાન સીબીઆઈના પક્ષે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે દલીલ રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે પોલીસ કમિશ્નરના વડપણ હેઠળ એસઆઈટીની રચના કરી હતી જેમના દ્વારા પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને કૌભાંડની યોગ્ય તપાસ નથી થઈ.

સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે મમતાને એકરીતે આંચકો લાગ્યો છે. જો કે મમતાએ સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારતા કહ્યું કે- કોઈ જ દેશમાં મોટો બોસ નથી.  સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશ્નરને સીબીઆઈની માનહાનીની અરજી પર નોટિસ પાઠવી છે.

February 4, 2019
ips-1280x720.jpg
1min6100

રાજીવ કુમાર (ફાઇલ ફોટો)

શારદા ચિટફંડ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને સીબીઆઇ સામસામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચેલી સીબીઆઇ ઓફિસર્સની ટીમને કોલકાતા પોલીસે અટકાવી હતી અને તમામ ઓફિસર્સની અટકાયત પણ કરી હતી. ત્યારબાદ આ ઓફિસર્સને છોડી પણ મૂકવામાં આવ્યા હતા. જોકે આ બધા ડ્રામા દરમિયાન મમતા બેનર્જી પણ રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા. તેમણે રાજીવ કુમાર માટે થઈને ભાજપ વિરુદ્ધ ધરણા કર્યા હતા. જાણો કોણ છે આ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર અને મમતા બેનર્જી કેમ કરી રહ્યા છે તેમની તરફેણ.

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની SM કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

રાજીવ કુમાર હાલ શારદા ચિટફંડ તપાસના ઘેરામાં છે. તેમણે ચિટફંડની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને લીડ કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ તપાસ દરમિયાન ગરબડ કરવામાં આવી હતી. SITની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ સાથે જોડાયેલા અનેક મહત્વની ફાઇલો અને દસ્તાવેજો ગાયબ છે. સીબીઆઈ આ ગુપ્ત થયેલી ફાઇલો અને દસ્તાવેજોને લઈને કમિશ્નરની પૂછપરછ કરવા માંગે છે. આ મામલે સીબીઆઈએ પોલીસ કમિશ્નરને ફરાર બતાવ્યા છે.

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની SM કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

શારદા ચિટફંડ એક મોટો ગોટાળો છે. આ ગોટાળામાં અનેક મોટા લોકો સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં પશ્ચિમ બંગાળની ચિટફંડ કંપની શારદા ગ્રુપે લોકોને છેતરવા માટે અનેક લલચામણી ઓફર આપી હતી. આ કંપનીએ 34 ગણી રકમ કરી આપવાનું વચન આપ્યું હતું, બાદમાં કંપનીએ લોકોના પૈસા પડાવી લીધા હતા.

February 3, 2019
sunday.png
1min32510

અઠવાડીયામાં 7 દિવસ હોય છે પણ રવિવારે જ ભારતમાં કેમ રજાનો દિવસ હોય છે, એ અંગે મોટેરાઓને ભલે વિચાર ન આવતા હોય પરંતુ, નાના, શાળાએ જતા બાળકોને આ પ્રશ્ન જરૂર થાય છે અને તેઓ જેને આ અંગે પૂછતા હોય છે એવા મોટેરાઓ પાસે આનો જવાબ હોતો નથી. હકીકતમાં રવિવારે રજા રાખવાની પરંપરા શરૂ થવા પાછળના ઐતિહાસિક કારણો બહુ જ રસપ્રદ છે અને કોઇપણ વ્યક્તિએ આ ઇતિહાસ જાણવો જોઇએ.

હકીકતમાં 1843માં ભારતમાં રવિવારે રજા આપવાની પ્રથા શરૂ થઇ હતી. અંગ્રેજ શાસકો પોતે રવિવારના દિવસે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જતા હતા પરંતુ, ભારતીય મજદૂરો પાસે રવિવારે પણ કામ કરાવતા હતા, એ સમયે અંગ્રેજ શાસકોને ભારતીય આગેવાનોએ રજૂઆતો કરીને રવિવારના દિવસે રજા રાખવા માટે અપીલ કરી હતી. એ પછીથી અંગ્રેજોએ ભારતમાં 6 ડે વર્કિંગ પરંપરા શરૂ કરી હતી જે આજે પણ અકબંધ છે.

Sunday officially became an off day since 1843 . It took the British government a decade long on making Sunday an official holiday in India as was the case in Britain. The story behind it is – According to Christianity God created the world in 6 days and on the 7th day he took rest i.e. Sunday .

February 3, 2019
yogi-helicopter.jpg
1min5780

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા. યોગી આદિત્યનાથ હવે બંને રેલીને ફોનથી સંબોધન કરશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં 2 રેલી કરવાના હતા. રેલીના સ્થળ નજકી તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની પરવાનગી નથી મળી, જેને કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હવે ફોન દ્વારા રેલીને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ સાથે આ ઘટના થઈ ચૂકી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને ઝારગ્રામમાં લેન્ડિંગની પરવાનગી નહોતી આપવામાં આવી. આ ઉપરાંત માલદામાં પણ તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી નહોતી.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળમાં 100થી વધુ રેલી કરવાનું છે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ માલદામાં રેલી કરીને શરૂઆત કરી દીધી છે. સીએમ યોગી આદિત્યનાથ પણ ચાર રેલી કરવાના છે.