CIA ALERT
28. April 2024
March 1, 20191min8430

Related Articles



News @ 7.30pm > પાકિસ્તાનનું ભેદી અને કપટી વલણ, અભિનંદનને વાઘા બોર્ડરે બેસાડી રાખ્યો

Share On :
Print Friendly, PDF & Email
  • પાકિસ્તાનના અતિશય અને અસહ્ય વિલંબ સામે ભારતમાં જબરદસ્ત આક્રોશ
  • લોકોએ સોશ્યલ મિડીયામાં પાકિસ્તાનીઓની ખબર લઇ નાખી
  • બિનજરૂરી કાર્યવાહીઓના બહાને અભિનંદનને વાઘા બોર્ડર પરના પાકિસ્તાની ઠાણામાં બેસાડી રખાયો
  • તા.1લી માર્ચે 2019ના રોજ સાંજે 7.30 વાગ્યા સુધી હેન્ડ ઓવર ન કરાયો અભિનંદનને

ઇન્ડિયન એરફોર્સના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને ભારતને સોંપવામાં પાકિસ્તાને પોતાના સ્વભાવ મુજબ આડાઇ કરીને તા.1લી માર્ચ 2019નો આખો દિવસ ખેંચી કાઢ્યો હતો. વાઘા બોર્ડર પર પહોંચ્યા પછી પણ બે કલાક સુધી અભિનંદનને પાકિસ્તાને પોતાની કચેરીના કોન્ફરન્સ રૂમમાં બેસાડી રાખ્યો હતો. પહેલા ઇમિગ્રેશન, બાદમાં મેડીકલ ચેકઅપ અને એ પછી ટી ડિપ્લોમસીમાં પાકિસ્તાની અધિકારીઓએ એટલો ટાઇમ પાસ કર્યો કે બીજી તરફ ભારતમાં અભિનંદનના આગમનની રાહ જોઇ રહેલા કરોડો લોકોની ધીરજ ખૂટી જવા પામી હતી. વાઘા  બોર્ડર પર હજારો લોકો, અમૃતસર રોડ પર લાખો લોકો અને ટેલિવિઝન સામે કરોડો લોકો અભિનંદનના ભારત આગમનની રાહ જોઇને આખો દિવસ બેસી રહ્યા. સાંજે સવા સાત વાગ્યા સુધી પાકિસ્તાન દ્વારા અભિનંદનને રિલીઝ કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ પાકિસ્તાન દ્વારા સમગ્ર દુનિયાને આ ઘટનાની જાણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની આર્મીએ અભિનંદનની સોંપણીની ઘટના અંગે દુનિયાભરના દેશોના અધિકૃત વ્યક્તિઓને ટ્વીટ કરીને સંદેશા પાઠવ્યા હતા. પરંતુ, વાઘા બોર્ડર પરથી ભારતને સોંપવામાં અતિશય વિલંબ કરવામાં આવી રહ્યો હતો.

તા.1લી માર્ચ 2019ની સાંજે સવા સાત વાગ્યે આ લખાઇ રહ્યું હતું ત્યારે સમગ્ર ભારતમાં મિડીયા, ટેલિવીઝન, સોશ્યલ મિડીયા વગેરે પર લોકો પાકિસ્તાનની વિલંબીત નીતિની ભારોભાર ટીકા કરતા સંદેશાઓ પાઠવી રહ્યા હતા.

અભિનંદન ભારત પરત ફરી સીધા પરિવારને નહીં મળી શકે

યુદ્ધ કેદીઓને જ્યારે કોઈ દેશ પરત કરે છે ત્યારે દેશના મુક્ત થયેલા જવાનને કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું પડે છે. જેને પગલે બોર્ડર પરથી વાપસી થયા બાદ અભિનંદન સીધા તેમના પરિવારને નહીં મળી શકે.  આર્મીના પ્રોટોકોલ મુજબ અભિનંદનને જ્યારે અટારી બોર્ડરથી ભારત લાવામાં આવશે ત્યારે એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તેને ભારતમાં આવકારશે અને ત્યારબાદ પ્રોટોકોલ મુજબ તેનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે અને તેની જરૂરી પૂછપરછ પણ થશે. પહેલાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ અભિનંદન મોડી રાત્રે 8 વાગ્યાના અરસામાં દિલ્હી પાલમ એરબેઝ પર પહોંચી જશે એ ગણતરીએ કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા. પરંતુ, પાકિસ્તાન તરફથી અભિનંદનને સોંપવામાં થયેલા અતિશય અને અસહ્ય વિલંબને કારણે તમામ કાર્યક્રમો રિશિડ્યુલ્ડ કરાયા હતા.

પાકિસ્તાનના ડોક્ટરની હાજરીમાં અભિનંદનનું મેડીકલ ચેકઅપ થયું

ભારતના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું ભારતમાં લગભગ 5.40 મિનીટે આગમન થઈ ચૂક્યું હતું. અટારી વાઘા બોર્ડર ખાતે ભારતીય એરફોર્સના અધિકારીઓએ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓની હાજરીમાં અભિનંદનને રિસીવ કર્યા હતા. જ્યાં રિસીવ કરવામાં આવ્યા ત્યાં જ પાકિસ્તાનના તબીબની હાજરીમાં ભારતીય સૈન્યના તબીબોએ અભિનંદન વર્થમાનનું મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. મેડીકલ ચેક અપ દરમિયાન અભિનંદનના  બોડી ફિઝિકલ પેરામીટર્સ નોર્મલ જણાયા હતા. એ પછી તેના મુક્તિ અંગેના પેપર્સ પર સહી સિક્કા કરવામાં આવ્યા હતા. સાંજે 6 વાગ્યાના અરસામાં અભિનંદનને ભારતીય અધિકારીઓ દ્વારા અધિકૃત રીતે રિસીવ કરવામાં આવશે.

ઇન્ડિયન એરફોર્સના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું ભારતીય ભૂમિ પર પગ મૂકતાની સાથે જ જાણે વાઘા બોર્ડર જીવંત બની હતી, લોકોએ ભારત જીંદાબાદ, અભિનંદન જીંદાબાદના નારા લગાવીને પ્રચંડ સૂત્રોચ્ચાર કર્યો હતો.

એ પૂર્વેનો ઘટનાક્રમ

દિલ્હી આવશે અભિનંદન

અમૃતસરના ડેપ્યૂટી કમિશ્નર શિવ દુલાર સિંહ ઢિલ્લો એ કહ્યું કે વિંગ કમાંડર અભિનંદન આજે સીમા પારથી પાછા આવી રહ્યા છે. તેઓ ક્યારે પાછા આવશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. ભારતીય વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી દિલ્હીથી અહીં પહોંચ્યા છે, તેઓ અભિનંદનને રિસીવ કરશે. તેમને દિલ્હીના પાલમ ટેક્નિરલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાંડર પહેલા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે

લાહોરથી રવાના થયા અભિનંદન

અભિનંદર લાહૌરથી ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. અહીં ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટીમ તેમને રીસિવ કરશે. સાથે જ અભિનંદનના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા છે. જેમનું પહેલા દિલ્હીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાઘા બૉર્ડર પર બીટિંગ રિટ્રીટ કેન્સલ

વિંગ કમાંડર અભિનંદનની મુક્તિને જોતા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અટારી બૉર્ડર પર આજે થનારી બીટિંગ રિટ્રીટ કેન્સલ કરવામાં આવે છે. વિંગ કમાંડર અભિનંદનના પાછા આવવાના અહેવાલો આવતા જ અટારી બૉર્ડર પર ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને જોતા આ નિર્ણય લેવાયો છે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :