ડેવલપમેન્ટ Archives - Page 87 of 142 - CIA Live

March 10, 2020
rakeshasthana.png
1min5610

સીબીઆઇના વિવાદીત કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાના ફરીથી ચર્ચામાં આવ્યા છે. રાકેશ અસ્થાના હવે ગુજરાતના નવા ડીજીપી બની શકે એવી અટકળોને વેગ મળ્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ડીજીપી સમેત અનેક ઉચ્ચ અધિકારીઓ વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપા હાઇકમાન્ડની ગુડબુકમાં રહેનારા રાકેશ અસ્થાનાના શિરે ગુજરાતના પોલીસવડાની નવી ભૂમિકાનો તાજ પહેરાવવા માટેની હલચલ શરૂ થયાના સંકેતો મળી રહ્યા છે.

ગુજરાતમાં આ વર્ષમાં સિનિયર અધિકારીઓની નિવૃત્તિના કારણે સરકારમાં મોટા અનુભવી અધિકારીઓની ઘટ પડશે અને એની અસર રાજ્યના સંચાલનમાં પણ દેખાશે. હવે ગુજરાત સરકાર પોતાના ગણતરીના વિશ્વાસુ અધિકારીઓને કી-પોસ્ટ પર ગોઠવવા માટે પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે જ રાકેશ અસ્થાનાની નિમણૂંક ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝાના અનુગામી તરીકે થઇ શકે તેમ છે.

ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા નિવૃત્ત થવાના છે. પહેલાં શિવાનંદ ઝાને એક્સટેન્શન મળવા માટે વિચારવામાં આવતું હતું. પરંતુ, હવે ગુજરાત સરકાર આ બાબતના મતમાં નહીં હોવાનું પણ જાણવા મળે છે.

ગુજરાત ડીજીપી પદ માટે દાવેદાર તરીકે આશિષ ભાટિયાનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ સીબીઆઇના કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાનાનું નામ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. રાકેશ અસ્થાના આશિષ ભાટિયા કરતાં સરકારની વધુ નજીક હોવાનું માનવામાં આવે છે. એવા શક્યતાઓ જોવાય રહી છે કે રાકેશ અસ્થાનાને કેન્દ્રના હાલના ડેપ્યુટશનથી ગુજરાત પાછા લાવીને ગુજરાતના પોલીસ વડા બનાવાય તો નવાઇ નહીં.

March 10, 2020
solar.jpeg
1min6550

ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ-2020 સુધીમાં રાજ્યમાં 50915 ઘર વપરાશની સોલાર રૂફટોપ સીસ્ટમ લગાડવામાં આવી છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.’
સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કેન્દ્ર સરકારના નવિન અને નવિનીકરણ ઊર્જા પ્રધાન આર. કે. સિંઘે આ અંગેની વિગતો આપી હતી.’

તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સીસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે તેમાં 64 ટકા એટલે કે બે તૃતિયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે.’ દેશભરમાં સોલાર રૂફટોપ માટે 79950 ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમિયાન કુલ 322 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકિય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પછીના ક્રમે 5531 સોલાર રૂફટોપ સીસ્ટમ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઉર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં 2022 સુધીમાં 1 લાખ 7પ હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્યમાં ઘર વપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો વિનિયોગ કરતા થાય તે માટે મુખ્યપ્રધાને ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.’ આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે.’ આ હેતુસર રાજ્યના 2020-21ના તાજેતરના બજેટમાં પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

આવી સોલાર રૂફટોપ સીસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.’ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ‘સૂર્ય ગુજરાત’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે 1.18 લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.

March 10, 2020
coronavirus.jpg
1min5670

કેરળ, જમ્મુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા 45 થઈ છે. ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઉગારવા માટે પણ વાયુદળનું ખાસ વિમાન મોકલવામાં આવશે. ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટાલીમાં સૌથી ગંભીર સ્થિતિ સર્જાય છે અને ટૂંકાગાળામાં 366 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસના ફેલાવાને ધ્યાને લઈને ચોથાભાગની વસતીને અળગી પાડી દેવામાં આવી હતી. તેમજ ઈટાલીના વડાપ્રધાને દેશવાસીઓને નિયમોની પુરતી અમલવારી કરવાની અપીલ કરી હતી. કોરોના વાયરસના દુનિયાભરમાં’ 110293 કેસ નોંધાયા છે. જેમાં 3831 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના વાયરસના ફેલાવાની શરૂઆતે ચીનમાં સૌથી ઝડપથી નવા કેસ સામે આવી રહ્યા હતા. જો કે હવે દક્ષિણ કોરિયા, જર્મનીમાં ઝડપથી નવા મામલા સામે આવી રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક મામલે ઈટાલી ચીન પછી બીજા’ ક્રમાંકે પહોંચી ગયું છે. ચીનમાં 3120 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે ઈટાલીમાં 366 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ ઈરાનમાં 194 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં પણ ઓછામા ઓછા 21 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 550 લોકોમાં કોરોના પોઝિટિવ છે. ભારતની વાત કરવામાં આવે તો દિલ્હી, ઉત્તર પ્રદેશના આગરા, જમ્મુ કાશ્મીર અને કેરળના એર્ણાકુલમમાંથી એક એક મામલો સામે આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મળીને અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં 25 હોસ્પિટલને એલર્ટ ઉપર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોરોના વાયરસે અંદાજીત પુરી દુનિયાને પોતાના સકંજામાં લીધી છે. ઓછામાં ઓછા 95 દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસની ગંભીરતા ઈટાલીના મૃત્યુઆંકથી જ સામે આવી રહી છે. જેમાં રવિવારે અચાનક કોરોના વાયરસથી મૃત્યુઆંક 133થી ત્રણ ગણો વધીને 366 થયો હતો. જેના કારણે કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી.’

ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓનો પ્રવેશ હંગામી ધોરણે સ્થગિત કરતું કતાર
નવી દિલ્હી તા. 9: કોરોના વાયરસ ફેલાતો રોકવા કતારે ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓના પ્રવેશને હંગામીપણે સ્થગિત કર્યો છે. આ નિર્ણય તળે વિઝા અપોન અરાઈવલ, રેસિડન્સ કે વર્ક પરમિટ ધરાવનારા અને હંગામી વિઝાવાળા પ્રવાસીઓના પ્રવેશને લાગુ પડે છે. દરમિયાન કતાર એરવેઝે 30 જુન સુધીની ફલાઈટ બુક કરાવાનારને નિ:શુલ્ક ટ્રાવેલપ્લાન બદલવા કે ટિકિટના બદલે વર્ષ સુધી વેલિડ ટ્રાવેલ વાઉચર દેવા ઓફર કરી છે.

કોરોનાથી બચવા ઉપાય કરી રહી છે સરકાર
ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ફરી એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સમીક્ષા બેઠક બોલાવી હતી. કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે કોરોના વાયરસની ચપેટમાં દુનિયાભરના દેશો છે તેમાં બહારથી આવતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ ફોન મારફતે કોરોના વાયરસ અંગે જાગૃત્તતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં 43 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને કોરોના વાયરસથી બચવા માટેના સૂચનો આપવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસની ચકાસણી માટે 46 જેટલી લેબ કાર્યરત છે. તેમજ રિંગટોન મારફતે લોકોને જાગૃત્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશના 30 એરપોર્ટ ઉપર ક્રીનિંગ થઈ રહ્યું છે. તેમજ હવે સરકાર તરફથી જિલ્લાસ્તરે વધુ તાલિમ પણ આપવામાં આવશે જેથી કોરોના સંક્રમિત લોકોની તાકિદે ઓળખ થઈ શકે.’

March 9, 2020
108.jpg
1min5620

૯ અને ૧૦ માર્ચે હોળી- ધુળેટીનો તહેવાર છે. ખાસ કરીને ધુળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતા વધુ જોવા મળે છે. ગત વર્ષ ૨૦૧૯ કરતા આ વર્ષે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ૬.૬૬ અને ધુળેટીના દિવસે ૧૫.૫૫ ટકા કેસમાં વધારો નોંધાવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ઇમરજન્સીમાં મદદ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે.

૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજ્યમાં ૩૦૯૧ જેટલા કેસો નોંધાય છે. જ્યારે આ વર્ષે હોળીના તહેવારના દિવસે ૩૨૯૭ અને ધુળેટીના દિવસે ૩૫૭૬ જેટલા કેસો નોંધાવવાની શક્યતા છે. તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાતો હોય છે જેના પગલે અમે ઇમરજન્સી પ્રકાર અને કેસોને જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં લોકેશન ગોઠવીએ છીએ. એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય ત્યારે તમામ પાયલોટ, ઇએમટીને સચેત રહેવા જણાવ્યું છે. વિવિધ હોસ્પિટલમાં પણ ૧૦૮ના કર્મચારીઓને મદદ માટે મૂકવામાં આવશે. રાજ્યભરમાં ૫૮૭થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. અમદાવાદમાં ૨૦થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. દરેક ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે સ્ટાફના બે લોકો અને સરકારી હોસ્પિટલમાં પણ ૧૦૮ના સ્ટાફને તહેનાત કરવામાં આવશે.

March 9, 2020
crude-oil-price-forecast_28242.jpg
1min5010

ઓપેક અને સહયોગી દેશો વચ્ચે મતભેદ પડતા શરૂ થયેલી ક્રૂડ ઓઇલ પ્રાઇસ વોરથી ભારત જેવા મોટા ગ્રાહક ફાયદાકારક પરિસ્થિતિમાં મુકાયો છે. શુક્રવારની બેઠકમાં પ્રતિદિન ૧. ૫ મિલિયન બેરલ્સ પર ડે (એમબીપીડી)ના વધારાના ઉત્પાદન કરતી ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ)ની દરખાસ્ત સાથે રશિયા સંમત નહીં થતા ક્રૂડ ઓઇલ પ્રાઇસ સતત ઘટી રહ્યા છે. સાઉદી અરેબિયાએ ઉત્પાદન વૃદ્ધિ જાહેર કર્યુ છે, યુએસ શેલ ઓઇલનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે પ્રોડ્કશન કટ નહીં થતા ક્રૂડના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.

એક અગ્રણી બૅંકરે રવિવારે કહ્યું કે ૬૫ ડોલરથી ૪૫ ડોલર પ્રતિ બેરલનો ક્રૂડ ઓઇલનો ભાવ થવાથી ભારતને પ્રતિ વર્ષ ૩૦ અબજ ડોલરની બચત થશે. બીજી બાજુ વૈશ્ર્વિક વ્યાજદર પણ ઘટી રહ્યા છે ત્યારે વૃદ્ધિદરને વેગ મળી શકશે. એક અંદાજ પ્રમાણે ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ એક ડોલરનો ઘટાડો વાર્ષિક ધોરણે ભારતના આયાતબિલમાં ૧૦,૭૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરે છે. એક બાજુ નાણાકીય ખાધ વધી રહી છે અને ચાલુ ખાતાની ખાધ પણ વધુ છે ત્યારે આયાત ખર્ચ ઘટવાથી ભારતની આર્થિક સ્થિતિ બહેતર થશે. તાજેતરમાં સબસિડી વગરના કૂકિંગ ગૅસના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો.

દરમ્યાન સાઉદી અરેબિયાની કંપની સાઉદી આરામ્કોએ ક્રૂડની કિંમતમાં જંગી ડિસ્કાઉન્ટ ઓફર આપતા રવિવારે કંપનીના શેર્સ ૬.૦ ટકા જેટલા તૂટી ગયા હતા. કંપનીના શેર્સની આઇપીઓ કિંમત ૩૨ સાઉદી રિયાલ હતી જે ઘટીને ૩૧.૯૮ રિયાલ થયા હતા સાઉદી સ્ટોક માર્કેટ ઓપનિંગ બેલ પછીની મિનિટોમાં ૭.૭ ટકા તૂટ્યું હતું.

March 8, 2020
corona-1.jpg
1min5460

કોરોના વાઇરસ અંગે યુદ્ધના ધોરણે પગલાં લઇ રહેલી ભારત સરકાર અને રાજ્ય સરકારોના પગલાંની બીજી તરફ આજે રવિવાર તા.8મી માર્ચે ભારતમાં કોરોનાના એક સાથે 5 કન્ફર્મ કેસો કેરેલાથી મળી આવતા સર્વત્ર ચકચાર મચી ગઇ છે. ઇટલીથી કેરળ આવેલા એક પરિવારને કોરોનાના લક્ષણો બાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવતા એક જ પરિવારના 5 લોકોને કોરોના કન્ફર્મ થયો હતો.

શનિવાર સુધી કોરોના કેસોની સંભ્યા 34 હત એ રવિવારે સવારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે.

પરિવાર હાલમાં જ ઈટાલીથી પરત ફર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.

કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું છે કે, પરિવારે એરપોર્ટ પર પોતાની યાત્રા અંગે જાણકારી આપી નહતી જેને કારણે તેમની તપાસ થઈ શકી નહતી. જે પાંચ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે તેમાં એક બાળક પણ સામેલ છે.

રાજ્યાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, બાળક અને તેના માતા-પિતા હાલમાં જ ઈટાલી ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ તેમના કેટલાક સંબંધીઓ સાથે પણ મળ્યા હતા. તેમના સંબંધીઓ પહેલા હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેમનામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. તેમને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પીડિત પરિવારને પણ હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા.

March 7, 2020
IndiGo_logo.png
2min5760

Coronavirus impact: IndiGo waives rescheduling charge for international, domestic flights

  • The airline has waived rescheduling charges for all bookings for travel between March 12 and March 31.
  • On March 6, union aviation minister Hardeep Singh Puri said Air India has waived cancellation charges for flights to affected countries.
  • Globally, German airline Lufthansa also announced its group airlines have waived re-booking charges until March 31.

વિશ્વભરના 75થી વધુ દેશોમાં મહામારીની જેમ ફેલાઇ રહેલા કોરોના વાઇરસને કારણે અનેક દેશોએ તેમના મુસાફરોને ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ ટૂર નહીં કરવા પહેલા એડવાઇઝરી અને હવે તાકીદ કરવા માંડી છે. આવી સ્થિતિમાં મુસાફરોએ વિવિધ ફ્લાઇટ્સમાં કરાવેલા એડવાન્સ બુકિંગ કેન્સલ તેમજ રિશેડ્યુલ કરવામાં આવી રહ્યા છે.

એરલાઇન કંપનીઓના નિયમો મુજબ કેન્સલેશન તેમજ રિશેડ્યુલમાં મુસાફરો પાસેથી તોતિંગ ચાર્જ કાપી લેવામાં આવે છે. પરંતુ, ઇન્ડીગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે તેઓ તા.12મી માર્ચથી તા.31મી માર્ચ 2020 દરમિયાનની ઇન્ટરનેશનલ ફ્લાઇટ કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સની બુક્ડ ટિકીટ જો કોઇ મુસાફર રિશેડ્યુલ કરાવે તે તેમની પાસેથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં.

ઇન્ડીગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે દરેક પ્રકારની બુક્ડ ટિકીટ પરથી રિશેડ્યુલિંગ ચાર્જ વેવ કરવામાં આવે છે. હાલ તા.31 માર્ચ 2020 સુધી રિશેડ્યુલિંગ ચાર્જ વેવ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

As passengers postpone their travel plans due to concerns over the spread of coronavirus, budget carrier IndiGo has waived rescheduling charges for domestic and international flights.

The airline has waived rescheduling charges for all bookings for travel between March 12 and March 31. It has also said that rescheduling charges will be waived on bookings made between March 12 and March 31 as the situation is still evolving.

This is expected to be seen as a huge relief for a large number of passengers as IndiGo commands nearly half of the entire domestic aviation market share.

March 7, 2020
CIA_Live_Logo_New2.jpg
3min5090

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. અફવાઓ અને ગેરમાન્યતાઓ એવું નથી કે એકલા ભારતમાં પ્રવર્તી રહી છે. કોરોના અંગે વિશ્વના દરેક દેશોમાં અફવાઓ છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ એવો કહેર મચાવ્યો છે ટોઇલેટ પેપરની ભારે કમી ઉદભવી છે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ વગેરે જાહેર સ્થળો ટોઇલેટ પેપર વિનાના બની ચૂક્યા છે. લોકો ટોઇલેટ પેપરની તીવ્ર માગ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની કમી દૂર કરવા માટે એન.ટી. ન્યુઝ નામના એક ટેબ્લોઇડ અખબારે કુલ 8 પાના કોરા છાપ્યા છે. અખબારે ફ્રન્ટ પેજ પર જાહેરાત કરી છે કે 8 પાના ઇરાદાપૂર્વક કોરા છોડવામાં આવ્યા છે. લોકો આ પાનાનો ઉપયોગ ટોઇલેટ પેપર તરીકે કરી શકે છે.

The editor of NT News, Matt Williams, said in an interview with the Guardian Australia that it was “certainly not a crappy edition.”

લોકો ટોઇલેટ પેપર તરીકે ઉપયોગ કરી શકે એ માટે અખબારના 8 પાના કોરા છાપનાર ઓસ્ટ્રેલિયન અખબાર એન.ટી. ન્યુઝના એડીટર મેટ વિલિયમ્સે જણાવ્યું કે અમે ઇરાદાપૂર્વક આઠ પાના કોરા છાપ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની ભારે કમી છે. મોલ્સમાં એક ગ્રાહકને વધુમાં વધુ 4 રોલ્સ ટોઇલેટ પેપર મળે છે. પબ્લિક ટોઇલેટમાં ટોઇલેટ પેપર્સ આઉટ ઓફ સ્ટોક છે. આવી સ્થિતિમાં અમારી ફરજ છે કે અમે અમારા કસ્ટમર્સને કોઇપણ રીતે ઉપયોગી નિવડીએ.

વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું વાંચો અહીં

વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું એ વાંચવા માટે નીચેની લિંક ક્લીક કરો.

https://edition.cnn.com/2020/03/05/world/coronavirus-australia-toilet-paper-scli-intl/index.html?utm_content=2020-03-07T07%3A22%3A34&utm_term=link&utm_source=twCNN&utm_medium=social

An Australian newspaper has printed an extra eight pages to be used as toilet paper after coronavirus fears prompted customers to bulk buy supplies, leaving some supermarket shelves bare.In a bid to tackle the shortage, The NT News provided a practical — if unconventional — solution.Australians living in the Northern Territories would have noticed on Thursday that eight pages in the paper had been left bare, except for watermarks and a cut-out guide edition.”Run out of loo paper? The NT News cares,” the newspaper read.”That’s why we’ve printed an eight-page special liftout inside, complete with handy cut lines, for you to use in an emergency.”

ઓસ્ટ્રેલિયાના અખબારમાં ટોઇલેટ પેપર તરીકે 8 પાના કોરા છાપવામાં આવ્યા, નીચેની લીંક ક્લીક કરો અને જુઓ વિડીયો

https://twitter.com/TheNTNews/status/1235320458733588482

March 7, 2020
coronavirus.jpg
2min9180

કોરોના અપડેટ, 7 માર્ચ સુધીનું સ્ટેટસ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા તા.7મી માર્ચ 2020ના રોજ 1 લાખની સંખ્યાને આંબી ગઇ હતી. હવે વિશ્વભરમાં 75 દેશોમાં કોરોના વાઇરસ પહોંચી ચૂક્યો છે. તા.22મી ડિસેમ્બર 2020થી ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઇરસના કહેરમાં હાલમાં 3500 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ચીનમાં શરૂ થયેલો કોરોનાનો કહેર હવે ચીનમાં ઘટવા માંડ્યો છે અને ઇટલી તેમજ ઇરાનમાં હાલ કોરોના ભારે હાહાકાર મચાવી રહ્યાના અહેવાલો મળ્યા છે.

ચીનની બહાર કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા વિશ્વભરમાં કુલ 20,290 દર્દીઓ છે. ચીનની બહાર કોરોનાથી મોતને ભેટેલો દર્દીઓની સંખ્યા 414ની છે.

On Saturday અમૃતસરમાં કોરોનાના 2 દર્દીઓ કન્ફર્મ કેસ, ભારતમાં કુલ કેસ 33 થયા

ભારતની વાત કરીએ તો સદનસીબે ભારતમાં હજુ 33 લોકો કન્ફર્મ કેસ તરીકે નોંધાયેલા છે અને તેમાંના અડધોઅડધ ઇટાલિયન નાગરીકો છે. તા.7મી માર્ચ 2020ના રોજ અમૃતસર ખાતે કોરોનાથી પીડીત હોય તેવા બે દર્દીઓના સેમ્પલ પોઝીટીવ આવ્યા હોવાની જાહેરાત સાથે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શનિવારે 33 પર પહોંચી છે.

ભારતનું સદનસીબ એ પણ છે કે હજુ સુધી એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી અને હાલમાં કોરોનાથી ઇન્ફેક્ટેડ દર્દીઓ પૈકી કોઇની સ્થિતિ ક્રિટીકલ (સિરીયસ) નથી.

અમેરીકામાં ગ્રાન્ડ પ્રિન્સેસ ક્રુઝ પર 3500 દર્દીઓ પૈકી 21 મુસાફરોને કોરોનાનો ચેપ લાગ્યો

In Brief

Total coronavirus cases has crossed one lakh globally, with almost 3,500 deaths. Outside China, a total of 20,290 cases have been recorded around the world since the epidemic began, including 414 deaths. In India, a Delhi resident became the 31st person testing positive. Stay with TOI for live updates.

Incoming flights to/from Kuwait are temporarily suspended for following countries (Bangladesh, Philippines, India, Sri Lanka, Syria, Lebanon, Egypt) starting from March 7, 2020 until one week: Kuwait’s low cost carrier Jazeera Airways

March 6, 2020
yes-bank-2.jpg
1min6440

રિઝર્વ બેંકે યસ બેન્ક સામે કરેલી નિયંત્રણાત્મક કામગીરી બાદ આજે તા.6 માર્ચે શેરબજારના પહેલા ટ્રેડિંગ સેશનમાં જ અપેક્ષા મુજબ યસ બેંકના શેરમાં 85 ટકા સુધીનું તોતિંગ ગાબડું પડ્યું હતું. ગતરોજ યસબેંકના શેરમાં છેતરામણી તેજી હતી એથી લોકોએ આ શેર ખરીદ્યો હતો, પરંતુ, રાત્રે રિઝર્વ બેંક નિયંત્રણો બાદ આજે સવારે યસ બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો.

રિઝર્વ બેંકની નિયંત્રણાત્મક કાર્યવાહીને પગલે યસ બેંકના શેરને શેરબજારમાં ચોમેરથી રોકાણકારોની વેચવાલી નિકળતા શેરમાં એક તબક્કે 85 ટકાનું તોતિંગ ગાબડું પડ્યું હતું.

આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન દબાયું હતું. યસ બેન્કનો શેર ગઈકાલના બંધ 36.85 સામે આજે 33.20 પર ખૂલીને દિવસના તળિયે 5.55ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેર ટોચથી તે 85 ટકા તૂટ્યો હતો. નીચેના સ્તરેથી શેરમાં લેવાલી જોવા મળી હતી અને શેર રૂ. 17 થયો હતો. યસ બેન્કના માથે સંકટ ઘેરું બનવાના એંધાણથી રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી શેરને કાઢતા ચારેકોરથી વેચવાલીના દબાણથી શેરમાં પ્રચંડ કડાકો બોલ્યો હતો.