ડેવલપમેન્ટ Archives - Page 88 of 142 - CIA Live

March 6, 2020
epfo.jpg
1min4750

ર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ અંદાજે છ કરોડ નોકરિયાતનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નો વ્યાજદર ઘટાડીને સાત વર્ષની સૌથી નીચી સપાટીએ ૮.૫ ટકા રાખ્યો હતો.

અગાઉ, ઇપીએફનો ૨૦૧૮-૨૦૧૯નો વ્યાજદર ૮.૬૫ ટકા હતો. એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશનની નિર્ણય લેતી સર્વોચ્ચ સમિતિ

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટી (સીબીટી)ની બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો.

શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે અહીં મિટિંગ પછી જણાવ્યું હતું કે સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીની ગુરુવારની બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યાજદર ૮.૫ ટકા રાખવાનું નક્કી કરાયું હતું.

તેમણે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષે એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડનો વ્યાજદર ૮.૫ ટકાના દરે ચૂકવ્યા બાદ પણ ઇપીએફઓ પાસે રૂપિયા ૭૦૦ કરોડથી વધુની પુરાંત રહેશે.

શ્રમ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જો એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડનું વ્યાજ ચાલુ વર્ષે ૮.૫૫ ટકાના દરે ચૂકવાય તો પણ ઇપીએફઓની પાસે રૂપિયા ૩૦૦ કરોડથી વધુની પુરાંત રહેશે. જો ઇપીએફઓના સભ્યોને ૮.૫૫ ટકાથી વધુના દરે વ્યાજ ચૂકવાય તો ખાધ ઊભી થાત.

અગાઉ, ઇપીએફનો વ્યાજદર ૨૦૧૨-૨૦૧૩માં ૮.૫ ટકા હતો અને તે પછી સાત વર્ષે ફરી તે સ્તરે ઘટાડી દેવાયો છે. એમ્પ્લૉઇસ પ્રૉવિડન્ટ ફંડે ૨૦૧૩-૨૦૧૪માં ૮.૭૫ ટકા વ્યાજ આપ્યું હતું.

પીએફ પર વ્યાજદરમાં ઘટાડો કરવાની ઘોષણા કરાઈ છે. કેન્દ્રના શ્રમમંત્રી સંતોષ ગંગવારે કહ્યું હતું કે, 2019-20ના વર્ષ માટે કર્મચારી ભવિષ્યનિધિ (પ્રોવિડન્ટ ફંડ) પર 8.50 ટકા વ્યાજ મળશે, જે ગત વર્ષે 2018-19માં 8.65 ટકા હતો.

March 6, 2020
nonveg.jpg
5min16840

(શાકાહારીઓને સમાચાર નહીં ગમે) પણ, કોરોના અંગેની Myth ભાંગવી જરૂરી છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગત જાન્યુઆરી 2020ના ત્રીજા સપ્તાહથી ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાઇરસ નોનવેજ માર્કેટમાંથી ફેલાયો હોવાના અહેવાલો બાદ વિશ્વભરમાં ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે કે નોનવેજમાંથી કોરોના ફેલાય રહ્યો છે અને તેને પગલે નોનવેજ ખાનારાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. શાકાહારીઓને કદાચ નહીં ગમે એવા સમાચાર છે પણ ભારતના ફૂડ વિભાગના અધિકારીથી લઇને કેન્દ્ર સરકારના મંત્રી ગિરીરાજ કિશોરે સ્પષ્ટતા કરી છે કે ઇંડા, ચીકન, મટન, ફીશ કે અન્ય સી ફૂડમાંથી કોરોના વાઇરસ ફેલાતો નથી.

ચીકન, મટન, સી ફૂડથી કોરોના વાઈરસ ફેલાતો હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાનું ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)ના વડા જીએસજી આયંગરે ગુરુવારે Date 5 March 2020 કહ્યું હતું. કોરોના વાઈરસ ઊંચા તાપમાનમાં પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકતો હોવાનો દાવો તેમણે કર્યો હતો.

Coronavirus does not spread through chicken, mutton, seafood: FSSAI chief

મૂળભૂત રીતે તે પ્રાણીઓનો વાઈરસ છે. માનવમાં આ વાઈરસ કઈ રીતે ફેલાયો તે નક્કી કરવાનું વૈજ્ઞાનિકો પર છોડી દો, એમ તેમણે કહ્યું હતું. ભારત ઉષ્ણકટિબંધ પ્રદેશ છે અને એકવાર તાપમાન ૩૫-૩૬ ડિગ્રી પાર કરે પછી કોઈ વાઈરસ બચી ન શકે, એમ તેમણે કહ્યું હતું.

ભારતના કોરોના વાઈરસના ચેપના ૨૯ ક્ધફર્મ કેસ છે. શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય એવી ઈશ્ર્વરને પ્રાર્થના કરો, એમ તેમણે કહ્યું હતું. ચીકન, મટન અને સી ફૂડ ખાવાથી કોરોના વાઈરસ વધુ ફેલાય છે એ પ્રકારની અફવાઓ વચ્ચે એફએસએસએઆઈએ કહ્યું હતું કે આ અંગે કોઈ ગેરસમજ નથી. હું વૈજ્ઞાનિક છું અને હું એ દલીલ માન્ય નહીં રાખું, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. અગાઉ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે સંકળાયેલા આયંગરે કહ્યું હતું કે કોરોના વાઈરસને અંકુશમાં લેવાની દવા જલદી જ શોધી કાઢવામાં આવશે.

There is no scientific evidence to show that coronavirus spreads through eating chicken, mutton and seafood, FSSAI chief G S G Ayyangar said on Thursday and asserted that the virus would not survive in higher temperature. “It is basically an animal virus.

Let us leave it to scientists to figure out how it has been transmitted…however, ours is a tropical country and once the temperature crosses 35-36 degrees celsius, no virus will survive.

“Let us pray to God that winter ends and temperature rises,” he said. There are at least 29 confirmed cases of coronavirus infection in India. Amid apprehensions that the infection could spread through eating chicken, mutton and seafood, the Food Safety and Standards Authority of India (FSSAI) CEO said there is a misconception about it.

“There is a misconception that coronavirus will spread through chicken, mutton and seafood. There is nothing like that. It is scientifically not proven. “I am a scientist, I will not buy this argument,” Ayyangar told reporters here. Loan from 3000 to 3 lakhs on your fingertips.

Ayyangar, who was earlier with Indian Council of Medical Research (ICMR), said it is a matter of time that vaccine for coronavirus will be developed as India has a good track of handling viruses. “Whether it is Ebola virus or Avian flu, we have handled them very well. It is a matter of time. We have to take precaution. We have to be on our toes,” he said. Urging people to take precautions, he said coronavirus is like many other viruses and developing a vaccine will depend on the complexity of the virus. The government is making all efforts to isolate the virus. “Once we are able to isolate the virus, then it takes sometime to find a vaccine to counter the virus,” he said at an event organised by industry body Assocham.

Addressing the event on nutrition and functional foods, Hexagon Nutrition Managing Director Vikram Kelkar said prices of vitamin supplements have been volatile recently and spread of coronavirus has affected the supply across the world.

On March 2, poultry breeders demanded a relief package from the government claiming that the sector has incurred heavy losses of around Rs 1,750 crore in a month due to fake news that eating chicken could spread coronavirus. Poultry bird prices have plunged to Rs 10-30 per kg at farm gate level due to a slump in chicken demand while the average cost of production is Rs 80 per kg, the All India Poultry Breeders Association had said in a representation to the Ministry of Animal Husbandry.

March 6, 2020
rain-1280x720.jpg
1min5060

ગુરુવારે ઉત્તર ગુજરાત અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા

આજરોજ શુક્રવાર તા.6 માર્ચે સૂરત સમેત દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા સવારના પહોરમાં જ પડતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. દિવાળીથી શરૂ કરીને લગભગ દરેક મોટા તહેવારો પૂર્વે વરસાદ આવતા લોકોમાં એ ચર્ચા પણ જાગી છે કે 2020માં તહેવારો વરસાદી માહોલમાં જ ઉજવવાના છે કે શું. આ પૂર્વે ગુરુવારે ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો હોય જાણે ચોમાસું બેઠું હોય.

કચ્છ અને ગુજરાતમાં ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આખો દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ચોમાસાનું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવા સાથે ઠંડીનું વાતાવરણ ઊભું થયું હતું. કચ્છના અનેક શહેરોમાં પણ માવઠું થયાના અહેવાલો મળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી, બોપલ, સેટેલાઇટ સહિતના તમામ વિસ્તારો અને પૂર્વમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હાટકેશ્ર્વર, ખોખરા મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઇશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ,

ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાથીજણ રામોલ માર્ગ પરના ડાકોર જતા પદયાત્રીઓના સેવા કેમ્પના મંડળો પલળી જવા સાથે ભારે પવનમાં અંશત નુકસાન થયું હતું અને પદયાત્રીઓને વિસામો લેવામાં પણ ભારે હાલાકી પડી રહી હતી.

ગુજરાતમાં હજી શિયાળો ગયો નથી ત્યાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. આખો દિવસ વાદળછાયાં વાતાવરણ અને પવનના સૂસવાટાં સાથે અનેક ઠેકાણે હળવા ઝાપટાં વરસ્યાં હતા. દેવભુમિ દ્વારકા અને કચ્છમાં વહેલી સવારે ઝાપટાં વરસ્યા બાદ સાંજ સુધીમાં અમદાવાદ, ભાવનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં માવઠું વરસ્યું હતું. માવઠાને કારણે ખેતીને નુકસાન થયું છે. અમદાવાદમાં સાંજે છાંટા વરસ્યા બાદ ઠંડા પવનથી ઉનાળામાં શીત લહેરનો અહેસાસ થયો હતો. પણ રાત પડતાં જોરદાર ગાજવીજ સાથે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદે લોકોને હાલાકીમાં મૂકી દીધા હતા.

કચ્છ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ ગઈ હતી. કચ્છના લખપત, નખત્રાણા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈ ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લખપત તાલુકાના દયાપર, દોલતપર, સિયોત, નારાયણ સરોવર, મેઘપર, વિરાણી, ઉમરસર, ગુનેરી, પુનરાજપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા તાલુકાના પશ્ર્ચિમ ગંગોણ, મોડકુબા, દેશલપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ડુમરા, કોઠારા અને ભુજ શહેરના આસપાસના ગામોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. દરમિયાન વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વહેલી સવારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડા પવન સાથે માવઠું વરસ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ કેટલાક ઠેકાણે છાંટા વરસ્યાં હતા.

કમોસમી વરસાદથી જીરૂ, ચણા, ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી જગતનો તાત મોઢામાં આવેલો કોળિયો છીનવાતો જોઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ જીરાનો અને ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને બીજી તરફ વરસાદથી નુકસાન પહોંચ્યું છે.

March 4, 2020
doctors-1280x1349.jpg
1min6710

પ્રાઇવેટ પ્રેક્ટિસમાં તગડી કમાણી : તબીબોને સરકારી નોકરીમાં કોઇ રસ નથી

ગુજરાત વિધાનસભા સત્રમાં તા.3જી માર્ચ 2020ના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યની કૉલેજોમાંથી એમબીબીએસ પાસ ડૉક્ટરોની નિમણૂક અંગે સંદર્ભે કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા વિવિધ પ્ર્શ્નોના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સરકારી કૉલેજોમાંથી મેડીકલ ગ્રેજ્યુએશન, એમબીબીએસ થયેલા ૨૨૨૮ ઉમેદવારોને રાજ્યની જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં નિમણૂક આપવામાં આવી હતી. જેમાંથી ૩૨૧ ડૉક્ટરો ફરજ પર હાજર રહ્યા હતા. ૧૯૦૭ ડૉક્ટરો ગેરહાજર રહ્યા હતા.

ક્યાં કેટલા તબીબોની એપોઇન્ટમેન્ટ થઇ હતી?

રાજ્યમાં એમબીબીએસ પાસ થયેલા ડૉક્ટરોમાંથી સૌથી વધુ દાહોદ જિલ્લામાં ૨૯૩ ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ ડૉક્ટરો હાજર અને ૨૭૭ ડોક્ટરો ગેરહાજર રહ્યા હતા.

છેલ્લાં બે વર્ષમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં બનાસકાંઠામાં ૧૮૪ ડૉક્ટરોની, કચ્છમાં ૧૮૪ ડૉક્ટરોની, છોટા ઉદેપુરમાં ૧૩૮ ડૉક્ટરોની, ભરૂચમાં ૧૦૪ ડૉક્ટરોની, વલસાડમાં ૧૦૧ ડૉક્ટરોની સરકારી હૉસ્પિટલોમાં નિમણૂક કરવામાં આવી હતી જેમાંથી ક્રમશ: બનાસકાંઠામાં ૨૮ ડૉકટરો હાજર અને ૧૫૬ ગેરહાજર રહ્યા છે.

કચ્છમાં પાંચ ડૉક્ટરો હાજર અને ૧૭૯ ગેરહાજર, છોટાઉદેપુરમાં ચાર ડૉક્ટરો હાજર અને ૧૩૪ ગેરહાજર, ભરૂચમાં પાંચ ડૉક્ટરો હાજર અને ૯૯ ગેરહાજર, વલસાડમાં ૨૭ ડૉક્ટરો હાજર અને ૭૪ ગેરહાજર, અમદાવાદમાં ચાર ડૉક્ટરો હાજર અને ૧૧ ગેરહાજર, ગાંધીનગરમાં બે ડૉક્ટરો ગેરહાજર અને એક હાજર રહ્યા હતા. જ્યારે પોરબંદરમાં નિમણૂક કરવામાં આવેલા ૧૧ ડૉક્ટરોમાંથી બધા ૧૧ ડૉક્ટરો ગેરહાજર રહ્યા હતા.

March 3, 2020
gisat1-1280x720.jpeg
1min5770

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) પાંચમી માર્ચે દેશનો પહેલો જિયો ઈમેજિંગ ઉપગ્રહ લોન્ચ કરશે. જીએસએલવી-એફ10ની મદદથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે.
આ ઉપગ્રહ ભારતીય મહાદ્વીપ પર નજર રાખવાની સાથે કૃષિ, મોસમવિજ્ઞાન, આપત્તિઓ અને અન્ય વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં દેશને આગળ લઈ જશે. આ સેટેલાઈટ રિયલ ટાઈમમાં ઘણી ઝડપથી તસવીરો દેવામાં સક્ષમ છે.

લોન્ચિંગ માટે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાના બીજા લોન્ચિંગ પેડનો ઉપયોગ કરવામાં આવશે. લોન્ચિંગનો સંભવિત સમય સવારે 5.43નો રાખવામાં આવ્યો છે.

ઇસરો અનુસાર જે રોકેટથી લોન્ચિંગ થશે તે જીએસએલવી-એફ-10ની ઊંચાઇ સેટેલાઇટ અને લોન્ચિંગ વ્હીકલ મળીને આશરે 16 માળની ઇમારત જેટલી ઊંચી છે. સમગ્ર લોન્ચિંગ વ્હીકલનું વજન આશરે 4,20,300 કિલોગ્રામ આસપાસ છે.

March 2, 2020
coronavirus.jpg
1min4920

વિશ્વના લગભગ 50થી વધુ દેશોમાં ઝડપથી પ્રસરેલા કોરોના વાઇરસના આખરે બે કેસો ભારતમાંથી પણ મળી આવ્યા છે. બન્ને કેસોના દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. બન્ને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે. એક દર્દી ઇટલીથી ભારત આવ્યો હતો જ્યારે અન્ય દર્દી દુબઇથી ભારત આવ્યો હતો. અગાઉ કોરોના વાઇરસના ભારતમાં ત્રણ કેસો કેરેલા ખાતેથી મળ્યા હતા, ત્રણેય દર્દીઓ સંપૂર્ણપણે રીકવર થઇ ચૂક્યા હોવાનું જાણવા મળે છે.

ભારત સરકારની એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું હતું કે નવી દિલ્હીમાં એક કોરોના વાઇરસથી પીડીત મુસાફર મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક દર્દી તિલંગાનાથી મળ્યો છે. દિલ્હીથી મળી આવેલા કોરોનાગ્રસ્ત દર્દી ઇટલીથી પરત ફર્યો હોવાની હિસ્ટ્રી જાણવા મળી છે. જ્યારે તિલંગાના દર્દી દુબઇથી પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ભારત સરકાર બન્ને દર્દીઓ અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો સરવે કરી રહી છે. આ બન્ને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને બન્ને રિકવર થઇ જાય તેવી સ્થિતિમાં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

કોરોના વાઇરસ અપડેટ્સ

  • કુલ મૃત્યુંઆંક 2912 (ચીનમાં)
  • કુલ કન્ફર્મ કેસ 80,026 (ચીનમાં)
  • કુલ મૃત્યુ (ચીન સિવાય) વિશ્વમાં 141
  • કુલ કન્ફર્મ કેસ (ચીન સિવાય) વિશ્વમાં 9,049

Azlan Shah Cup hockey tournament postponed due to coronavirus

February 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7780

સૂરતમાં બિલ્લીપગે ફેલાયો હાથીપગો, રાજ્યમાં સૌથી વધુ 248 કેસ સૂરતથી મળ્યા

ગુજરાતમાંથી હાથીપગા નામનો રોગ નેસ્ત નાબૂદ થઇ ચૂક્યો હોવાની સરકારી જાહેરાતોની ભીંતરમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાંથી હાથીપગાના સેંકડો કેસો મળી આવતા રાજ્યનું આરોગ્ય ખાતું હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તિત્વમાં એની પ્રતીતી કરાવતી બનેલી ઘટનાઓમાં સુરત જિલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસો હાથીપગાના દર્દીઓના મળી આવ્યા છે, એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં સૂરતને અડીને આવેલા નવસારી જિલ્લામાં ૨૦, રાજકોટ જિલ્લામાં ૧૬ કેસ, જૂનાગઢમાં જિલ્લામાં હાથી પગાના 5 દર્દીઓ મળી આવ્યા હોવાની સત્તાવાર માહિતી સરકારના પ્રવક્તા નીતિન પટેલે આપી છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાથીપગા રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે. નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે જેમને કાયમી ધોરણે વિનામૂલ્યે દવાની સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

હાથીપગા રોગના નોંધાયેલા દર્દીઓના અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

February 28, 2020
CORO.jpg
4min5270

રદ થયેલી ટુર્નામેન્ટો

(૧) ૪-૧૦ મેનો શાંઘાઈ ખાતેનો આર્ચરી (તીરંદાજીનો) વર્લ્ડ કપ.

(૨) ૯ ફેબ્રુઆરીની હૉંગ કૉંગ ખાતેની મૅરેથોન.

(૩) ૧૨-૧૩ ફેબ્રુઆરીની હૅન્ગઝોઉ ખાતેની એશિયન ઇન્ડોર ચૅમ્પિયનશિપ.

(૪) ૧૨ એપ્રિલની નૉર્થ કોરિયા ખાતેની મૅરેથોન.

(૫) ૨૧ માર્ચની સૅન્યા ખાતેની ફૉર્મ્યુલા ઇ-પ્રિ ઇવેન્ટ.

(૬) ૩-૮ માર્ચની મુલ્હીમ ખાતેની જર્મન ઓપન બૅડ્મિન્ટન.

(૭) ૧૪-૨૫ માર્ચનો ચીન ખાતેનો ભારતીય મહિલા હૉકી ટીમનો પ્રવાસ.

(૮) માર્ચ-એપ્રિલનો મલયેશિયાનો આયર્લેન્ડની મહિલા હૉકી ટીમનો પ્રવાસ.

(૯) ૨૦-૨૩ ફેબ્રુઆરીની થાઇલૅન્ડ ખાતેની ગૉલ્ફ સ્પર્ધા.

(૧૦) ૫-૮ માર્ચની હૈનન ટાપુ ખાતેની ગૉલ્ફ સ્પર્ધા.

(૧૧) ૨૭ ફેબ્રુઆરીની સિંગાપોર ખાતેની મહિલા ગૉલ્ફ વર્લ્ડ ચૅમ્પિયનશિપ.

(૧૨) ૨૭ માર્ચની જાપાન-સાઉથ આફ્રિકા વચ્ચેની ફ્રેન્ડ્લી ફૂટબૉલ મૅચ.

(૧૩) ૧૨-૧૬ ફેબ્રુઆરીની કઝાખસ્તાન ખાતેની એશિયન વૉટર પોલો ચૅમ્પિયનશિપ નામની સ્વિમિંગ સ્પર્ધા.

(૧૪) ૭-૯ માર્ચની બીજિંગ ખાતેની ડાઇવિંગ (સ્વિમિંગ) વર્લ્ડ સિરીઝ ઇવેન્ટ.

(૧૫) ૧૩-૧૯ એપ્રિલની ક્સિઆન ખાતેની ટેનિસ સ્પર્ધા.

(૧૬) ૩૦ માર્ચ-૫ એપ્રિલની ચાઇના ઓપન સ્નૂકર સ્પર્ધા.

મુલતવી રખાયેલી ટુર્નામેન્ટો

(૧) ૨૨-૨૮ ફેબ્રુઆરીની બંગલાદેશ ખાતેની તીરંદાજીની સ્પર્ધા.

(૨) ૧૩-૧૫ માર્ચની ચીન ખાતેની વર્લ્ડ ઇન્ડોર ઍથ્લેટિક્સ સ્પર્ધા.

(૩) ૨૯ માર્ચની હૉંગ કૉંગ ખાતેની એશિયન ક્રોસ-ક્ધટ્રી ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ.

(૪) ૧૯ એપ્રિલની શાંઘાઈ ખાતેની ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિ.

(૫) ૨૫ ફેબ્રુઆરી-૧ માર્ચની હૈનન ખાતેની ચાઇના બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૬) ૨૬-૨૯ માર્ચની ક્રૅકોઉ ખાતેની પૉલીશ ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૭) ૨૪-૨૯ માર્ચની હેનોઇ ખાતેની વિયેટનામ બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૮) ૮-૯ ફેબ્રુઆરીની ચીન ખાતેની ફીલ્ડ હૉકી સ્પર્ધાની મૅચો.

(૯) ૧૬-૧૯ એપ્રિલની મલયેશિયા ખાતેની યુરોપિયન ટૂર ગૉલ્ફ સ્પર્ધા.

(૧૦) ૨૩ એપ્રિલની ચીનમાં શેન્ઝેન ખાતેની ચાઇન ઓપન ગૉલ્ફ સ્પર્ધા.

(૧૧) ૨૨ ફેબ્રુઆરીની ઇટલી ખાતેની સેરી-એ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૨) ૨૫ ફેબ્રુઆરી-૧૫ માર્ચની જાપાનમાંની જે-લીગ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૩) ૨૬ ફેબ્રુઆરીની તુર્કમેનિસ્તાન ખાતેની એશિયન ફૂટસલ ચૅમ્પિયનશિપ.

(૧૪) એપ્રિલ-મેની ચીન ખાતેની એશિયન ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૫) ૨-૩ માર્ચની ઇરાનની ક્લબોની ફૂટબૉલ મૅચો.

(૧૬) મે-જૂનની સાઉથ કોરિયા ખાતેની વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ.

(૧૭) ૧૬-૨૧ જૂનની બુસૅન ખાતેની સાઉથ કોરિયા ટેબલ ટેનિસ સ્પર્ધા.

(૧૮) ૨૩-૨૮ જૂનની ગીલૉન્ગ ખાતેની ઑસ્ટ્રેલિયન ટેબલ ટેનિસ સ્પર્ધા.

(૧૯) ૧૦ મેનો ચીન ખાતેનો ટ્રાયથ્લોન વર્લ્ડ કપ.

(૨૦) ૮ મેની તાઇવાન ખાતેની એશિયન કપ ટ્રાયથ્લોન સ્પર્ધા.

(૨૧) ૨૨-૨૬ એપ્રિલની ચીન ખાતેની વૉલીબૉલ વિશ્ર્વકપ સ્પર્ધા.

(૨૨) ફેબ્રુઆરી-મેની જાપાન ખાતેની ટોક્યો ઑલિમ્પિક્સ ટ્રેઇનિંગ ઇવેન્ટ.

(૨૩) ૨૧-૨૩ ફેબ્રુઆરીની ચીન ખાતેની વિન્ટર એક્સ ગેમ્સ,

(૨૪) ૨૦ માર્ચની ફિલિપાઇન્સ ખાતેની સાઉથ એશિયન પૅરા ગેમ્સ.

February 28, 2020
Gandhinagar-Gujarat.jpg
1min4890

ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે. સુધારેલા અંદાજ મુજબ સરકારનું જાહેર દેવું રૂ.૨,૬૭,૬૫૧ કરોડે પહોંચશે, જે ૨૦૨૦-૨૧ના નવા નાણાંકીય વર્ષના અંતે રૂ. ૨૮,૬૧૭ કરોડ વધીને કુલ રૂ.૨,૯૬,૨૬૮ કરોડ થશે, તેમ રાજ્યના બજેટ દસ્તાવેજોમાં જણાવાયું છે.

રાજ્ય સરકારનું જે કુલ રૂ.૨,૬૭, ૬૫૧ કરોડનું જાહેર દેવું ૩૧મી માર્ચ-૨૦૨૦ના રોજ રહેવાનો અંદાજ દર્શાવાયો છે, તેમાં નાની બચત યોજનાઓ યાને એનએસએસએફની લોનનું દેવું રૂ. ૩૫,૭૫૬ કરોડ, કેન્દ્ર સરકારની રૂ. ૭,૭૦૨ કરોડની લોનનું દેવું, બજાર લોન તથા પાવર બોન્ડનું રૂ. ૨,૦૮,૦૨૩ કરોડનું દેવું તેમ જ બૅંકો-નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનોનું રૂ. ૧૬,૧૬૯ કરોડનું દેવું સામેલ છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, ૨૦૧૯-૨૦ના વર્ષમાં તે રૂ. ૪૪,૦૦૧ કરોડનું કરજ કરશે, જ્યારે ૨૦૧૫-૧૬માં રૂ. ૨૩,૪૮૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૭,૬૬૮ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ.૨૬,૯૫૩ કરોડનું તથા ૨૦૧૮-૧૯માં રૂ.૪૩,૧૪૬ કરોડનું જાહેર દેવું કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે જાહેર દેવા સામે ૨૦૧૫-૧૬માં રૂ. ૧૪,૪૫૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૧૬,૦૮૭ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ. ૧૭,૧૪૬ કરોડનું, ૨૦૧૮-૧૯માં રૂ. ૧૮,૦૭૭ કરોડનું તેમ જ સુધારેલા અંદાજ મુજબ ૨૦૧૯-૨૦માં રૂ.૨૦,૩૬૫ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. 

February 28, 2020
trains.jpg
1min5960

કચ્છના મુંબઇ તેમજ અન્ય રાજયોમાં સ્થાઇ થયેલા લોકો પણ ભુજ અવારનવાર આવતા હોય છે અને કચ્છમાં પણ પરપ્રાંતિય નોકરીયાત વર્ગ વધારે છે જે પોતાના વતન જવા માટે મોટાભાગે ટ્રેનનો ઉપયોગ કરે છે.

કચ્છથી દોડતી તમામ ટ્રેન મોટાભાગે હાઉસફુલ રહે છે ત્યારે ભુજથી મુંબઇ તેમજ અન્ય રાજયોમાં જતી ત્રણ દિવસ માટે આઠ ટ્રેનના રૂટ રદ્દ કરાયા છે. છતાંય સામખિયાળીથી લાકડિયા સુધીના ૧૫ કિ.મી.ના ડબલ ટ્રેક કરવાની કામગીરી માટે ત્રણ દિવસ સુધી આઠ ટ્રેન પ્રભાવિત કરાઇ છે.

અમુક ટ્રેન તો રદ્દ જ કરી દેવાઇ છે. તો સાતેક ટ્રેન માત્ર અમદાવાદ સુધી જ દોડશે, તેવું રેલવેની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

કચ્છના સામખિયાળીથી લાકડિયા સુધીના ડબલ ટ્રેકની કામગીરી કરવા માટે ત્રણ દિવસ સુધી અમુક ટ્રેન રદ્દ કરાઇ છે તો અમુકના રૂટ ટુંકાવાયા છે.

  • ૨૯ ફેબ્રુઆરીની દાદર-ભુજ, પાલનપુર-ભુજ અને ગાંધીધામ-પાલનપુર રદ્દ કરાઇ છે.
  • તા. ૨૯મીએ ગાંધીધામ-અમદાવાદ વચ્ચે પણ રદ્દ રહેશે.
  • તા. ૨૮ ફેબ્રુઆરી અને તા. ૨૯ ફેબ્રુઆરીના બાન્દ્રા ટર્મિનસ, ભુજ-બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ સુધી જ આવશે.
  • તા. ૨૮મી ફેબ્રુઆરીની બરેલી-ભુજ બરેલી દોડાવાશે જ નહીં.
  • ૨૯મીએ બરેલી એક્સપ્રેસ અમદાવાદ-ભુજ વચ્ચે રદ્દ રહેશે.
  • ૧ માર્ચના ભુજ બરેલી એકસપ્રેસ ભુજ-પાલનપુર વચ્ચે રદ્દ રહેશે.
  • ૨૮ અને ૨૯મીએ જોધપુર-ગાંધીધામ ટ્રેન રદ્દ કરાવાઇ હોવાની રેલવેની સત્તાવાર યાદી જણાવે છે.