CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 86 of 142 - CIA Live

March 17, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5950

સરકારે સોમવારે તા.16મી માર્ચ 2020ના રોજ જાહેરમાં એવી સ્પષ્ટતા કરી છે કે ભારતીય ચલણની હાઇએસ્ટ વેલ્યુ ધરાવતી રૂપિયા ૨,૦૦૦ની ચલણી નૉટો છાપવાનું બંધ કરવાનો કોઇ નિર્ણય નથી લેવાયો.

મોટા ભાગની બૅન્કોના એટીએમમાંથી રૂપિયા ૫૦૦, રૂપિયા ૨૦૦ અને રૂપિયા ૧૦૦ની જ નૉટ નીકળતી હોવાથી તેમ જ કૅશ કાઉન્ટર પરથી પણ રૂપિયા ૨,૦૦૦ની નૉટ બહુ જ ઓછી અપાતી હોવાથી સામાન્ય જનતાના મનમાં રૂપિયા ૨,૦૦૦ની નૉટ રદ થઇ હોવાની શંકા ઊભી થઇ છે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સામાન્ય જનતાને રૂપિયા ૨,૦૦૦ની નૉટ વટાવવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બૅન્કો દ્વારા ગ્રાહકોને રૂપિયા ૨૦૦ અને રૂપિયા ૫૦૦ની વધુ નૉટ વધુ અપાઇ રહી છે.

તેમણે જણાવ્યું હતું કે સરકાર ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની સાથે સલાહમસલત કરીને જરૂરિયાત મુજબ ચલણીનૉટોનું છાપકામ કરે છે.

અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે દેશમાં પાંચમી માર્ચે રૂપિયા ૧૦૦ની ૧૯૬૨૪૭.૭ લાખ, રૂપિયા પચાસની ૮૫૫૬૮.૪ લાખ નૉટ હતી.

આ ઉપરાંત, રૂપિયા ૨૦ની રૂપિયા ૧૬,૬૧૯.૬૦ કરોડના મૂલ્યની અને રૂપિયા ૧૦ની રૂપિયા ૩૦૫૧૦.૭૯ કરોડના મૂલ્યની નૉટ હતી.

March 16, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5530

કેન્દ્ર સરકારે કોરોના સામે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે. કોરોના ટેસ્ટિંગ માટેની સિસ્ટમ જડબેસલાક બનાવી છે. કોરોનાના દર્દીઓને કેવી રીતે ઓળખવા અથવા તો કેવા પ્રકારની ગાઇડલાઇન્સ તબીબોએ ફોલો કરવી તે અંગે પણ સ્પેશિફિક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

કોરોના શંકાસ્પદ દર્દીઓનો પહેલો ટેસ્ટ જો નેગેટીવ આવે તો સંબંધિત ડોક્ટરની સલાહને અનુસરીને જે તે દર્દીને જવા દેવામાં આવશે અને એ ફર્સ્ટ નેગેટીવ પેશન્ટનું 14 દિવસ સુધી ફોલોઅપ તંત્ર દ્વારા લેવામાં આવશે.

કોરોના પોઝીટીવ દર્દીઓ માટેની ગાઇડલાઇન અનુસાર ટ્રીટમેન્ટ લઇ રહેલા દર્દીના એક દિવસમાં જો બે સેમ્પલ ટેસ્ટ નેગેટીવ આવે તો તેને ડિસ્ચાર્જ કરી શકાશે. આ ગાઇડલાઇન્સ અનુસરવા માટે ભારતભરમાં સૂચના જારી કરવામાં આવી છે.

In English

The government has issued a discharge policy for Covid-19, Cases of suspected coronavirus, who test negative in the first instance, can be discharged on doctor’s advice but will be monitored for 14 days after their last contact with a confirmed Covid-19 case, the guidelines said.

cases under which a positive case shall be managed as per protocol and discharged after only two samples test negative within 24 hours and there’s evidence of chest radiographic clearance and viral clearance in respiratory samples.

March 14, 2020
usa_flag.png
4min11610

ભારત સ્થિત અમેરિકી એમ્બેસીએ એવી જાહેરાત કરી છે કે તા.16મી માર્ચ 2020થી લાગુ થાય તે રીતે અમેરીકન વીઝા માટે ભારતમાં આપવામાં આવેલી તમામે તમામ એપોઇન્ટમેન્ટસ અચોક્કસ મુદત માટે રદ કરવામાં આવી છે. જે ભારતીય નાગરીકોને તા.16મી માર્ચથી એપોઇન્ટમેન્ટસ આપવામાં આવી છે તેમણે મુંબઇ, દિલ્હી તેમજ અન્ય અમેરીકન એમ્બેસી ખાતેની કચેરી પર નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે.

અચોક્કસ મુદત માટે વીઝાની તમામ પ્રોસીજર બંધ કરવામાં આવી છે. લાગતાવળગતા અરજદારોને ભવિષ્યમાં કામગીરી યથાવત થયેથી વધુ જાણકારી તેમના સત્તાવાર ઇમેલ પર કે એજન્ટસ થકી પહોંચાડવામાં આવશે.

On Twitter

https://twitter.com/USAndIndia/status/1238658443470196737

Alert: Cancelling of immigrant and nonimmigrant visa appointments

U.S. Mission India posts, in light of the global COVID-19 pandemic, are cancelling immigrant and nonimmigrant visa appointments from March 16, 2020, onward. Your visa appointment stands as cancelled. Once Mission India resumes regular consular operations, appointments will be made available and you will be able to reschedule. Please see www.ustraveldocs.com/in  and in.usembassy.gov/covid-19-information/ for further information.

Coronavirus: US Embassy, Consulates in India cancel all visa appointments

The US Embassy and Consulates in India have cancelled all visa appointments from March 16 in the wake of coronavirus outbreak.

US President Donald Trump on Friday officially declared a national emergency that he said would give states and territories access to up to $50 billion in federal funds to combat coronavirus.

A statement issued by the US Embassy here said, “US Mission India posts, in light of the global COVID-19 pandemic, are cancelling immigrant and nonimmigrant visa appointments from March 16, 2020, onward.”

“Your visa appointment stands as cancelled. Once Mission India resumes regular consular operations, appointments will be made available and you will be able to reschedule,” it said.

March 13, 2020
gujaratenergy.jpg
1min5710

વિધાનસભાના પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં ઊર્જા પ્રધાને વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત વીજળીનું વિપૂલ ઉત્પાદન કરનારું રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે.

વીજળીની માગ અને પુરવઠામાં જુદા જુદા કારણોસર વધઘટ થતી રહે છે. વરસાદની મોસમ હોય, તહેવારો કે રજાના દિવસોમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ હોય કે તાપમાનની વધઘટ હોય અથવા વિન્ડ એનર્જી, સોલાર એનર્જીની વ્યાપક ઉપલબ્ધિ હોય તેવા સંજોગોમાં માગ-પુરવઠામાં બદલાવ આવતો રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વીજ માગ ઓછી હોય ત્યારે વીજ ઉત્પાદનની શ્રેષ્ઠત્તમ ઉપયોગિતા માટે અને પ્લાન્ટ બિનઉપયોગી ન રહે તેવા હેતુસર અન્ય રાજ્યોને વીજળી વેચવામાં આવે છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય સંપત્તિ એવા વીજમથકોનો મહત્તમ ઉપયોગ થાય તેમ જ વીજ ખરીદીની પડતર કિંમત ઘટાડવા સારું ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ પ્રકારની વીજમાગને પૂર્ણ કર્યા બાદ વધારાની સરપ્લસ વીજળી દેશમાં તીવ્ર ખેંચ અનુભવતા જરૂરિયાતવાળા રાજ્યોને વેચવામાં આવે છે.

ઊર્જા પ્રધાને જે રાજ્યોને ગુજરાતે ર૦૧૯ના વર્ષમાં વીજળી વેચી છે તેની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, આંધ્રપ્રદેશને પ.૪૦ મિલિયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૪.૪૪ના દરે, છત્તીસગઢને ૦.પ૦ મિલિયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૪.૪૦, તામિલનાડુ ૧.૬૦ મિલિયન યુનિટ વીજળી પ.૧૩ પ્રતિ યુનિટ, ઉત્તર પ્રદેશ ૯.૫૪ મિલિયન યુનિટ વીજળી ૪.૦૭ પ્રતિ યુનિટ, મહારાષ્ટ્ર ૦.પ૦ મિલિયન યુનિટ રૂ. ૪.૦૦ પ્રતિ યુનિટ તેમ જ પશ્ર્ચિમ બંગાળ ૮.પપ મિલિયન યુનિટ વીજળી દર યુનિટે ૩.૭૯ના ભાવે, બિહાર ૭.૧૩ મિલિયન યુનિટ વીજળી ૪.૭૧ પ્રતિ યુનિટના ભાવે, ઝારખંડ ૩.૩૦ મિલિયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૩.૯૧ના ભાવે તેમ જ ઓરિસ્સા ૬.૦પ મિલિયન યુનિટ વીજળી યુનિટ દિઠ ૪.પ૧ના ભાવે અને મણીપુર ૦.૦૪ મિલિયન યુનિટ વીજળી રૂ. પ પ્રતિ યુનિટના ભાવે વેચવામાં આવી છે. આ ઉપરાંત ઈન્ડિયન એનર્જી એકસચેન્જને ૧૩૮.ર૧ મિલિયન યુનિટ વીજળી ૪.૧૧ પ્રતિ યુનિટના ભાવે ગુજરાત સરકારે વેચી છે.

March 13, 2020
CIA_Live_Logo_New2.jpg
3min12470

ભારતમાં 16 March 2020 નોવેલ કોરોના વાઇરસ કેસોની સંખ્યા વધીને 112 થઇ હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૩ કેસ અને કેરળમાં ૨૨ કેસ નોંધાયા હતા.

ભારતે ઇટાલી અને ઇરાનથી ૪૫૦ ભારતીયોને ઍરલિફ્ટ કર્યા હતા અને તેમને ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા હતા.

રવિવારે મધ્યરાત્રિથી સરકારે કરતારપુર સાહિબ ગુરુદ્વારા જનારા શ્રદ્ધાળુઓની નોંધણી બંધ કરી હતી અને આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાનમાં જવાનું બંધ કરાવ્યું હતું. આ અગાઉ ભારત-બંગલાદેશ, ભારત-નેપાળ, ભારત-ભુતાન અને ભારત-મ્યાનમાર સરહદ પરથી લોકોનું આવનજાવન બંધ કરાવી હતી. જોકે, કેટલાક ચેકપોસ્ટ પર અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા આંકડા મુજબ હજી સુધી ભારતમાં ૧૭ વિદેશી સહિત ૯૬ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં એક અને દિલ્હીમાં એકનું મોત નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં વધુ કેસ પોઝિટિવ નોંધાતા આંકડો વધીને ૩૩ થયો હતો. કેરળમાં ૨૨, ઉત્તર પ્રદેશમાં ૧૧ અને દિલ્હીમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી છ સપ્તાહ માટે લંબાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લોકોને ગભરાયા અને રઘવાયા નહી બનવાની અપીલ કરી હતી.

Corona Update : on 14 March 2020

ભારત : 83 કેસ : 2 ના મોત : 10 સાજા થઇ ગયા : 71ની ટ્રીટમેન્ટ ચાલુ : અડધું ભારત બંધ139 દેશોમાં : મૃત્યુઆંક 5429, કન્ફર્મ કેસ 145369

લગભગ અઢી મહિના પહેલા ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે વિશ્વના 139 દેશોમાં ફેલાઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોરોનાને વેશ્વિક મહામારી જાહેર કરાયા બાદ મૃત્યુઆંક 5429 સુધી પહોંચી ગયો છે. તેમજ 145369 કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યાં છે.

ભારતમાં 10 દર્દી સાજા થઇ ગયા, 71ની ટ્રીટમેન્ટ ચાલે છે, 2 ના મોત

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસે બે લોકોના જીવ લીધા છે. બન્ને વૃદ્ધ વ્યક્તિઓ હતા. સદનસીબ ભારતનું એ પણ છે કે કોરોનાના કહેર વચ્ચે ખુશી થાય તેવા સમાચાર એ છે કે નવા સાત દર્દી અને કેરળના પહેલાના 3 મળીને કુલ 10 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમના ઘરે પહોંચી ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તા.14મી માર્ચે બપોરે 12 વાગ્યાન સ્થિતિએ ભારતમાં કોરોનાના કુલ 83 દર્દીઓ નોંધાયા હતા. જેમાં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના 7 દર્દી સાજા થઈ ગયા છે. આ સિવાય કેરળમાં પણ ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયા છે. મતલબ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 82 કેસ નોંધાયા હતા જેમાંથી 10 દર્દી સાજા થયા છે. હાલ 71 દર્દીઓની સારવાર ચાલી રહી છે કારણકે બેનાં મોત થયા છે.

શનિવારથી અડધું ભારત બંધ અત્યાર સુધીમાં દેશનાં કુલ 11 રાજ્યોમાં કોરોનાના ચેપગ્રસ્તો નોંધાયા છે.

ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, ઝારખંડ, ઓડિશા, હરિયાણા અને દિલ્હીમાં સરકારો શુક્રવારે હરકતમાં આવી ગઈ હતી અને રાજ્યોએ તકેદારીરૂપે સ્કૂલો, કોલેજો, જિમ, જાહેર સમારંભો, મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને સ્વીમીંગ પુલ્સ સહિતનાં ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળો પર પાબંદી લાદી દીધી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓડિશા, પંજાબ, દિલ્હી, હરિયાણા, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સ્કૂલો, કોલેજો, થિયેટરો, મલ્ટીપ્લેક્સીસ સહિતનાં જાહેર સ્થળો પર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

દિલ્હીમાં વૃદ્ધાનું મોત, ભારતમાં 2ના મૃત્યુ

કર્ણાટકમાં કોરોના વાઇસરથી ૭૬ વર્ષના વૃદ્ધનું મોત થયા બાદ શુક્રવારે દિલ્હીમાં ૬૮ વર્ષની વૃદ્ધાનું પણ મોત થયું હતું. મૃત્યુ પામેલી મહિલા ડાયાબિટીસ અને હાઇપર્ટેન્શનથી પીડાતી હતી. વૃદ્ધાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધા સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ થઇ હતી. કોરોના વાઇરસથી વૃદ્ધાનું મૃત્યુ થતાં હવે મરણાંક બે પર પહોંચ્યો છે. નોંધનીય છે કે કર્ણાટકમાં સારવાર દરમિયાન મગંળવારે વૃદ્ધનું મોત થયું હતું. વૃદ્ધ તાજેતરમાં સાઉદી અરેબિયાથી આવ્યો હતો અને તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ઈટાલી : કોરોનાથી એક જ દિવસમાં 250ના મોત

ઈટાલી માટે ગઈ કાલનો શુક્રવાર કોઈ ‘બ્લેક ફ્રાઈડે’થી ઉતરતો નહતો. ફક્ત એક જ દિવસ એટલે કે 24 કલાકની અંદર ઈટાલીમાં 250 લોકોના મોત નિપજ્યા છે. આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે શુક્રવારે કોરોના વાયરસન કારણે દુનિયાભરમાં સૌથી વધારે લોકોએ ઈટાલીમાં અંતિમ શ્વસ ભર્યા હતા. શુક્રવારના રોજ ચીન કરતા પણ વધારે મોત ઈટાલીમાં નિપજ્યા છે. ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ઉદ્ભવ થયો હતો અને ત્યાં જ આ વાયરસે સૌથી પ્રચંડ તારાજી સર્જી હતી, પરંતુ હવે ઈટાલીની પરરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઈટાલી, ઈટાલી નહીં રહને વુહાન થઈ ગયું હોય. પહેલા કોરોનાનું કેન્દ્ર ચીન હતું, પરંતુ હવે યુરોપ તેનું કેન્દ્ર બની ગયું છે. 

રિપોર્ટેડ ઓન 13 માર્ચ

કોરોના વાઇરસથી ભારતમાં પહેલું મૃત્યુ થયું છે. કર્ણાટકમાં સારવાર દરમિયાન મંગળવારે રાતે ૭૬ વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું, જેને કોરોના થયો હોવાનું ગુરુવારે ક્ધફર્મ થયું હતું. આ વૃદ્ધ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી આવ્યો હતો. તે ખાનગી હોસ્પિટલમાં પણ ગયો હતો.

રાજ્યના આરોગ્ય પ્રધાન બી. શ્રીરામુલુએ ટ્વિટ કર્યું હતું કે પ્રોટોકોલ પ્રમાણે તબીબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલો વૃદ્ધ કલબુર્ગીનો રહેવાસી હતો. આ વૃદ્ધ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે સાઉદી અરેબિયા ગયો હતો અને ૨૯ ફેબ્રુઆરીએ પાછો ફર્યો હતો. બાદમાં તાવ આવતાં તે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો જ્યાં ડોક્ટરોએ તેને હૈદરાબાદ લઇ જવાની તેના પરિવારને સલાહ આપી હતી. હૈદરાબાદમાં રાત્રે ૧૧ વાગે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક હાઈપર્ટેન્શન, ડાયાબીટીસ અને અસ્થમાથી પીડાતો હતો. તેના મૃતદેહને સરકારી પ્રોટોકોલ પ્રમાણે નિકાલ કરવામાં આવ્યો હતો.ભારતમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કિસ્સો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩

નવી દિલ્હી: ભારતના મહારાષ્ટ્રમાં નવ, દિલ્હી, લડાખ અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં એક અને એક વિદેશી નાગરિક મળીને ૧૩ નવા નોંધાયેલા કેસ સાથે દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩ થયા હોવાની માહિતી ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

મંત્રાલયે રાજ્ય પ્રમાણે આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં છ, ઉત્તર પ્રદેશમાં ૧૦, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં ૧૧ અને લડાખમાં ત્રણ કેસ પોઝિટિવ હોવાની જાણ થઇ છે.

આ સિવાય રાજસ્થાન, તેલંગણા, તમિળનાડુ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં પ્રત્યેકમાં એક કેસ નોંધાયો છે.

કેરળમાં અત્યાર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે અને એમાંથી ત્રણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

કુલ ૭૩ કનફર્મ્ડ કેસમાંથી ૧૭ વિદેશી, ૧૬ ઇટાલીના પર્યટક અને એક વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે.

ભારતીય ડૉક્ટરોની એક ટીમ ગુરુવારે ઇરાન જવા રવાના થઇ હતી. ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સેમ્પલ એકઠાં કરીને તપાસ માટે તેઓ અહીં મોકલશે જેથી એમના આવ્યા અગાઉ ટેસ્ટના પરિણામ જાણી શકાય.

ઇરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયા છે એમાં તીર્થયાત્રીઓ, વિદ્યાર્થીઓ અને માછીમારોનો સમાવેશ થાય છે.

કોરોનાની રસી ડેવલપ કરી હોવાનો ઈઝરાયલના વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના વાઈરસ સામે રક્ષણ આપે તેવી વેક્સિન બનાવવામાં સફળતા મળી છે, તેવી જાહેરાત ઈઝરાયલના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કરશે, તેવું મીડિયાના એક અહેવાલામાંથી જાણવા મળ્યું છે. વાઈરસના ગુણધર્મો અને રચના સમજવામાં ઈઝરાયલના ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાનિકો સફળ થયા છે, તેવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. જો કે સંરક્ષણ મંત્રાલયે મીડિયા અહેવાલને સમર્થન આપ્યું ન હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ‘કોરોના વાઈરસ સામેની વેક્સિન અથવા પરીક્ષણ માટેની કિટ તૈયાર થઈ નથી. ઈન્સ્ટિટ્યૂટની કામગીરી યોજના પ્રમાણે ચાલતી હોય છે. હાલમાં ૫૦થી વધુ અનુભવી વૈજ્ઞાનિકો વાઈરસનો ઈલાજ શોધવામાં કાર્યરત છે.’

ઈઝરાયલના સૌથી લોકપ્રિય પોર્ટલ વાયનેટએ ત્રણ સપ્તાહ અગાઉ એવો અહેવાલ આપ્યો હતો કે જાપાન, ઈટાલી અને અન્ય દેશોમાંથી પાંચ વાઈરસ સેમ્પલ મેળવવામાં આવ્યા હતા. આ સેમ્પલ માઈનસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચમાં રાખવામાં આવ્યા હતા. નિષ્ણાતો સહિત વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિન વિકસાવવાનું સંશોધન સતત ચાલી રહ્યું છે. દોઢ વર્ષ સુધીમાં વેક્સિન વિકસાવી શકાશે, તેવું નિષ્ણાતો માને છે.

ઈઝરાયેલના નેસ ઝિયોના શહેરમાં સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યું છે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસની દેખરેખમાં આ સંસ્થાનું કામ ચાલતું હોય છે. પહેલી ફેબ્રુઆરીએ વડા પ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુએ વેક્સિન વિકસાવવાનો ઈન્સ્ટિટ્યૂટને આદેશ આપ્યો હતો.

વિશ્ર્વમાં સંખ્યાબંધ સંશોધકો વેક્સિન વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાણીઓમાં વાઈરસની પ્રવૃત્તિ બાબતમાં ઘણા સંશોધકો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યારે વાઈરસ પ્રાણીઓમાંથી માનવીઓમાં પ્રવેશે છે ત્યારે તેમાં જે બદલાવ થઈ જાય તે સમજવાનો પકડાર મોટો છે.

જાન્યુઆરીમાં વાઈરસથી રોગચાળો ફેલાયો તે પછી ચીને વાઈરસની જિનેટિક સિકવન્સ જાહેર કરી હતી. આ રીતે સંશોધકોને સેમ્પલ વગર વેક્સિન અને સારવારની પદ્ધતિ વિકસાવવાની તક મળી હતી. તાજેતરમાં બોસ્ટનની બાયોટેક્નોલોજિ કંપનીએ વેક્સિન તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી. જોકે, તેનું પરીક્ષણ એપ્રિલમાં કરવામાં આવશે.

March 12, 2020
Rwanda-map-boundaries-cities-locator-1280x1062.gif
3min10970

121 દેશોમાં કોરોનાનો કહેર, વિશ્વ આખું કોરોનાથી ભયભીત છે ત્યારે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં 111 દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસના કહેરથી 4100થી વધુ લોકોનો મોત નિપજ્યા છે અને કમસે કમ 200 કરોડ લોકોમાં જેનો ભારે ભય ફેલાયો છે એવા કોરોના વાઇરસથી વિશ્વમાં એક દેશ રવાન્ડા જે પૂર્વ આફ્રિકામાં આવેલો છે, રવાન્ડામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

મહત્વની વાત એ છે કે કોરોના વાઇરસ રવાન્ડામાં નહીં ફેલાય એ માટે તકેદારી તો એટલી જ રાખવામાં આવી રહી છે જેટલી તકેદારી ચીન અને ઇટલી પણ નહીં રખાતી હોય.

રવાન્ડામાં સાર્વજનિક સ્થળો પર પોર્ટેબલ વોશ બેઝિન મૂકવામાં આવ્યા છે. જેમકે પેસેન્જરો બસ કે ટ્રેનમાં ચઢતા પહેલા ફરજિયાત હાથ ધુએ છે અને પછી જ બસ, ટ્રેન કે પ્લેનમાં બેસી શકે છે.

પૂર્વ આફ્રિકામાં આવેલો છે રવાન્ડા દેશ

રવાન્ડામાં જાહેર સ્થળો પર હજારો પોર્ટેબલ વોશ બેઝિન મૂકવામાં આવ્યા છે

https://twitter.com/NewTimesRwanda/status/1237048775526547456

Rwanda is guarding against the spread of coronavirus by flooding its capital with portable sinks for hand-washing at bus stops, restaurants, banks and shops across the capital Kigali.

Rwanda has not recorded any cases of the virus so far but neighboring Democratic Republic of Congo confirmed its first case on Tuesday, making it eight countries in sub-Saharan Africa hit by the epidemic.

At the biggest car park in Kigali, passengers must wash their hands before they board buses – adopting the hygiene mantra advocated by health authorities across the world to tackle the outbreak.

“Authorities advised us to buy these hands washing machines and ask customers to use them. We are doing this to fight the coronavirus outbreak,” said Jimmy Blaise Bugingo, an inspection officer at Alpha Express, a bus company that travels to Congo.

Banks, shops, restaurants as well as bars, have all been equipped with portable wash sinks and customers seem keen to use them.

“I just washed my hands at the bank and I now I just did again,” said Jean Pierre Habimana 48-year-old father of four as he was boarding a bus.

South Africa now has the most confirmed cases of coronavirus in sub-Saharan Africa, with 13. Ivory Coast confirmed its first case on Wednesday. Cases have also been recorded in Nigeria, Senegal, Cameroon, Togo, Burkina Faso and Congo.

March 12, 2020
visa.jpg
1min6460

કોરોના વાયરસ દુનિયાભરમાં 110થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 4100થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતમાં કોરોના વાઇરસનો વ્યાપ વિસ્તાર વધે તેવી ગણતરીઓને પગલે ભારત સરકારે કોરોનાને અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભર્યા છે જેમાં એક મહત્વનું પગલું એ પણ છે કે ભારત આવતા તમામ વિદેશી નાગરીકોના વિઝા તા.15મી એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે કહ્યું કે ચીન, ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મનીથી સીધા અથવા આ દેશોની 15 ફેબ્રુઆરી પછી મુસાફરી કરી ભારત આવનારા મુસાફરોએ ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરોને આપવામાં આવેલા વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા 15 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. આ નિયમ 13 માર્ચ 2020થી લાગુ થશે.

વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારે 15 એપ્રિલ સુધી ડિપ્લોમેટ્સ, યૂએન અને આંતરાષ્ટ્રિય સંગઠન સાથે જોડાયેલા લોકો, રોજગારી માટે જાહેર કરેલા વિઝા સિવાયના તમામ વિઝાને 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

March 12, 2020
coronavirus.jpg
1min9480

દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસ ભયાનક રીતે ફેલાયો છે. અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 122289 કેસ નોંધાઈ ચુક્યા છે અને 4389 મૃત્યુઆંક થયો છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સત્તાવાર રીતે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ને વૈશ્વિક મહામારી ઘોષિત કર્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 62 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. તેમજ’ કર્ણાટકના કલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકા હતી તેવા એક વ્યક્તિનું મૃત્યુ થતા હડકંપ મચ્યો છે. મૃતક વ્યક્તિના સેમ્પલ તપાસ માટે બેંગલુરૂની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દેશમાં કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યાને ધ્યાને લઈને ડિપ્લોમેટિક, ઓફિશિયલ, યૂએન, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનને બાદ કરતા વિદેશથી આવતા તમામ લોકોના વીઝા 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા તમામ નાગરિકોને જરૂર વિના વિદેશ પ્રવાસ ન કરવાનું સુચન પણ આપવામાં આવ્યું છે.’ ભારત સરકારે અત્યારસુધીમાં કોરોના ગ્રસ્ત દેશોમાંથી 948 લોકોને બચાવ્યા છે. જેમાંથી 900 ભારતીય હતા અને બાકીના 48 લોકો, અમેરિકા, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોના હતા. વિદેશમંત્રીના કહેવા પ્રમાણે હવે ઈરાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈરાનમાં 6000 ભારતીય અલગ અલગ વિસ્તારમાં છે. જેમાં 1100 શ્રદ્ધાળુ, 200 છાત્ર અને 1000 જેટલા માછીમારોનો સમાવેશ થાય છે.’ દેશભરમાં કોરોના વાયરસને રોકવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેવામાં મિલાનથી 80 મુસાફર સાથેનું એક વિમાન ક્રીનિંગ વિના દિલ્હી એરપોર્ટે પહોંચી ગયું હતું. જેથી દિલ્હી એરપોર્ટમાં પાર્કિંગમાં તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ઈટાલીથી આંધ્રપ્રદેશ પહોંચેલા 75 લોકોને 14 દિવસ ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ ઉપર પુરતી દેખરેખ પણ રાખવામાં આવશે.” 15 ફેબ્રુઆરી 2020 બાદ ચીન, ઈટાલી, કોરિયા, ઈરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મની ગયેલા ભારતીય સહિત તમામ લોકોને 14 દિવસ હેઠળ દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈરાનમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં 958નો વધારો થતા કુલ આંક 9000ને પાર પહેંચ્યો છે. જ્યારે સ્પેન, દક્ષિણ કોરિયા, સ્વિત્ઝરલેન્ડ વગેરેમાં વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે.

March 11, 2020
indiangovernment.jpg
4min7940

Advisory: Travel and Visa restrictions related to COVID-19

In supersession of all earlier advisories issued on the subject the following advisory is issued for implementation with immediate effect

i.    All regular (sticker) Visas/e-Visas granted to nationals of France, Germany and Spain and issued on or before 11.3.2020 and who have not yet entered India stand suspended with immediate effect.

ii.    All regular (sticker) Visas/e-Visas (including VoA for Japan and South Korea) granted to nationals of Italy, Iran, South Korea and Japan, and which have been issued on or before 3.3.2020 and who have not yet entered India remain suspended.

iii.    Regular (sticker) Visas/e-Visas granted to nationals of China issued on or before 5.2.2020 suspended earlier, continue to be suspended.

iv.    Regular (sticker) Visas/e-Visas granted to all foreign nationals who have traveled to China, Iran, Italy, South Korea, Japan, France, Germany and Spain on or after 1.2.2020 and who have not yet entered India stand suspended with immediate effect.

v.    All aforementioned restricted categories of foreign nationals may not enter India from any air, land or seaport ICPs. Those requiring to travel to India due to compelling reasons may seek fresh visa from the nearest Indian embassy/consulate. Italian and South Korean nationals who are granted fresh visa issued after 05.03.2020 should carry ‘Tested Negative for COVID-19’  medical certificate from designated laboratories of Italy and South Korea. 

Similar certificate needs to be carried by Indian nationals coming from Italy and South Korea.

vi.    Visas of all foreigners already in India remain valid. They may contact the nearest FRRO/FRO through e-FRRO module for extension/conversion, etc. of their visa or for grant of any consular service if they choose to do so.

vii.    Holders of diplomatic passports, official passports, officials of UN and other international bodies, OCI cardholders and air-crew from the above eight countries are exempted from such restriction on entry. However, their medical screening on arrival is compulsory.

viii.    All foreign and Indian nationals entering into India from any port are required to furnish a pair of duly filled self-declaration forms (including personal particulars i.e. phone number and address in India) and travel history to health officials and immigration officials at all arrival ports.

March 11, 2020
CIA_Live_Logo_New2.jpg
2min5330

ધૂળેટીની રજા દરમિયાન ભારતાં એક દિવસમાં કોરોનાના 18 નવા કન્ફર્મ કેસો નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કેરળ રાજ્ય સૌથી વધુ કોરોના દર્દી ધરાવતું રાજ્ય બન્યું હોઇ, કેરળમાં લૉકડાઉન સ્થિતિ સર્જી દેવામાં આવી છે. કેરળમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી ડેકલેરેશન ફરજિયાત બનાવાયું છે. કેરળમાં યુદ્ધના ધોરણે કોરોનાગ્રસ્ત દર્દીઓ શોધવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ સાથે જ તા.11મી માર્ચે સવારે ભારતના સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે.

મંગળવારે ધૂળેટીના દિવસે મહારાષ્ટ્રમાં 5 નવા કેસો, કેરળમાં 8 નવા કેસો, કર્ણાટકમાં 4 અને જમ્મુકાશ્મીરમાં 1 કેસ કોરોનાનો હોવાનું કન્ફર્મ થતાં ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે. કેરળમાં કુલ 1495 લોકોને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.

કેરળમાં વધુ છ કેસ: સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ

કેરળમાં મંગળવારે કોરોના વાઇરસના વધુ છ કેસ કનફર્મ્ડ થયા બાદ સરકારે વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે શાળા, કૉલેજ અને સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ કરવા સહિત સખત નિયંત્રણ મૂકવાનો નિર્ણય લીધો હતો.

આ સાથે કેરળમાં કોરોના વાઇરસના કુલ ૧૨ કનફર્મ્ડ કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસ વિશે બોલાવવામાં આવેલી કેબિનેટની ખાસ બેઠક બાદ મુખ્ય પ્રધાન પિનારયી વિજયને પત્રકારોને જણાવ્યું હતું કે ૧૧૧૬ વ્યક્તિ પર નજર રાખવામાં આવી છે, ૧૪૯ વ્યક્તિને વિવિધ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે અને ૯૬૭ વ્યક્તિને એમનાં ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં નોંધાયેલા ક્ધર્ફ્મ્ડ કેસમાં ઇટાલીથી પાછા ફરેલા અને પથનમથિટ્ટા જિલ્લાના રાનેના રહેવાસી પતિ-પત્ની, એમનો પુત્ર તથા એમની સાથે રહેતા સગા અને મિત્રોનો સમાવેશ થાય છે.

મંગળવારે નોંધાયેલા નવા છ ક્ધર્ફ્મ્ડ કેસમાં દંપતીનાં વૃદ્ધ માતાપિતાનો સમાવેશ થાય છે.

આ સિવાય, કોચીમાં પોતાનાં માતાપિતા સાથે સોમવારે ઇટાલીથી પાછા ફરેલા ૧૧ અને ત્રણ વર્ષનાં બે બાળકનો સમાવેશ પણ થાય છે.

ગયા મહિને આ વાઇરસનો ભોગ બનેલા ત્રણ દર્દીને સફળતાપૂર્વક સાજા કરીને એમના ઘરે મોકલ્યા બાદ કેરળમાં કોરોના વાઇરસના આ બીજા નવા કેસ નોંધાયા હતા.

વિજયને જણાવ્યું હતું કે ૩૧મી માર્ચ સુધી બધી જ શાળા, કૉલેજ અને સિનેમાઘરો બંધ રહેશે.

રાજ્ય, સીબીએસઇ અને આઇસીએસઇ બૉર્ડના ધોરણ ૧થી ૭ બંધ રહેશે અને એમની શરૂ થયેલી પરીક્ષાઓ હાલ સ્થગિત રાખવામાં આવી છે.

જોકે, ૧૦મા ધોરણ, ૧૨મા ધોરણ અને વૉકેશનલ હાયર સેક્ધડરીની પરીક્ષાઓ ચાલુ રહેશે. આઠઠમાં અને નવમાં ધોરણની ફાઇનલ પરીક્ષાઓ સમયપત્રક પ્રમાણે યોજાશે.

આ સિવાય, મદરેસા, આંગણવાડીઓ, ટ્યુશન કલાસીસ પણ ૩૧મી માર્ચ સુધી બંધ રહેશે.

નાટ્યગૃહો અને કલા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, મંદિરો અને ચર્ચના ઉત્સવોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

India’s count of coronavirus cases rose by 18 to 62 with eight testing positive from Kerala, five from Maharashtra, four from Karnataka and one from J&K on Tuesday.

ચીનમાં મરણાંક ૩૧૩૬ : વિશ્વમાં ૪૦૧૧નાં મોત

ચીનના કોરોના વાઈરસે ૧૦૦ દેશને ઝપટમાં લીધા છે. ચીનમાં મરણાંક ૩૧૦૦ ઉપર ગયો છે. વિશ્ર્વભરમાં મળીને ૪૦૦૦થી વધુના મોત થયા છે. ચીન બાદ સૌથી વધુ અસર ઈટાલીને થઈ છે, જ્યાં ૩૦૦થી વધુનાં મોત થયા છે, ત્યાર બાદ દક્ષિણ કોરિયા, ઈરાન, અમેરિકામાં મોત વધારે થયા છે. ચીનમાં ગઈ કાલે ૩૭નાં મોત થયા છે, તેમાં ૨૦નાં મોત હૉટેલ ધરાશાયી થતા થયા છે. ક્વોરેન્ટાઈન સવલતના ઉપયોગમાં લેવાયેલી હૉટેલ તૂટી પડી હતી જેમાં ૮૧ વ્યક્તિ ટેસ્ટિંગ માટે રખાઈ હતી તે જ તૂટી પડતા ૨૦નાં મોત થયાં છે. ૬૧ વ્યક્તિને બચાવી લેવાઈ હતી જેમાં દસ વર્ષના બાળકનો સમાવેશ છે.

કુઆનઝોની શીનજીયા હૉટેલ ક્વોરેન્ટાઈન માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. વાઈરસથી અસરગ્રસ્તોનું ટેસ્ટિંગ થતું હતું. વાઈરસનો ચેપ લાગેલા દર્દીની સંખ્યા ૧,૧૦,૦૦૦ થઈ ગઈ છે, તે જોતાં મરણાંક વધી શકે છે. કોરોના વાઈરસ સહુ પ્રથમ ચીનના વુહાનમાં ડિસેમ્બરના અંતમાં ફેલાયો હતો, ત્યાર બાદ ચીનના પ્રમુખ શી જિનપિંગ પ્રથમ વાર આ શહેરની મુલાકાતે મંગળવારે ગયા હતા. ચીનમાં ૩૧૩૬નાં મોત થયા છે. સૌથી વધુ મરણ વુહાનમાં થયા છે.