CIA ALERT
01. May 2024
March 20, 20201min3850

Related Articles



મુંબઇ, પૂને, નાગપુર અને ચિંચવાડ 31 માર્ચ સુધી લોકડાઉન : સ્કુલોમાં પરીક્ષા રદ : તમામ વિદ્યાર્થીઓને પ્રમોશન

Share On :
Print Friendly, PDF & Email

ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. ICMR મુજબ દેશમાં અત્યાર સુધી 206 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, નાગપુર, પૂને અને ચિંચવાડશહેરોમાં લોકડાઉનની વ્યૂહરચના અપનાવીને કોરોનાને મર્યાદિત કરવાનો દાવ ખેલ્યો છે.

શહેરો બંધ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, આજે મધરાતથી 31 માર્ચ સુધી મુંબઈ, MMR, પૂણે, પિંપરી ચિંચવાડ અને નાગપુર લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ જણાવ્યું કે, મુંબઈ, પૂણે અને પિંપરી ચિંચવાડમાં એક-એક કેસ સામે આવ્યો છે.

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ એવી જાહેરાત કરી છે કોરોનાને પગલે ઉદભવેલી સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે શાળાકીય પરીક્ષાઓ ચાલુ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. તમામ ધોરણોના વિદ્યાર્થીઓને પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવશે.

દિલ્હીમાં પબ્લિક પ્લેસિસ બંધ

દિલ્હીમાં કેજરીવાલ સરકારે શહેરના તમામ મૉલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આંકડા પર નજર કરીએ તો ભારતમાં કોરોનાએ અત્યાર સુધી 4 લોકોનો ભોગ લીધો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :