CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 128 of 142 - CIA Live

February 28, 2019
india-pak-army-compa.jpg
1min7640

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ભારતના મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બે પાયલટ તેમના કબ્જામાં છે. સાથોસાથ ચેતવણી આપી હતી કે અણુશસ્ત્રો ધરાવતાં બંને દેશ વચ્ચેની તંગદિલી દૂર કરવા વાતચીત કરવી જોઈએ.

ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધતા કહ્યું હતું કે ભારતના બે પાયલટ મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બંને પાયલટ તેમના કબ્જામાં છે. અમારા દેશમાં પ્રવેશ કરશે તો સમાન પગલાં લેવાશે.

અગાઉ વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હવાઈ દળે ભારતના મિલિટરી બેઝને લક્ષ્યાંક બનાવ્યો હતો, જ્યારે ભારતે આતંકવિરોધી કામગીરી હાથ ધરી હતી. ભારતનો એક પાયલટ લાપતા છે આ નિવેદન બાદ ઇમરાન ખાને સંબોધન કર્યું હતું.

તમામ યુદ્ધ ખોટી ગણતરીના આધારે શરૂ થયેલા છે. માનવના ભોગે યુદ્ધ લડાયા છે. પ્રથમ અને બીજું વિશ્ર્વયુદ્ધ હોય કે આતંક સામેના યુદ્ધમાં પણ એ જ સ્થિતિ હતી. બંને દેશોએ ડહાપણભર્યું પગલું લેવું જોઈએ. બંને પાસે અણુશસ્ત્રો છે. યુદ્ધ બંનેને પરવડે એમ છે? હાલની સ્થિતિ વણસશે તો નરેન્દ્ર મોદી કે ઇમરાન ખાનના હાથમાં કાંઈ અંકુશ રહેશે નહીં. આપણે બંને સાથે બેસીને વાતચીત કરીએ એવી ઓફર તેમણે મુકી હતી.

પુલવામા આતંકી હુમલા બાદ તપાસમાં સહકાર આપવા અમે ઓફર કરી હતી. બંને દેશો દાયકાઓથી યુદ્ધના કારણે અસરગ્રસ્ત થયેલા છે. ઉગ્રવાદીઓને તેમની જમીન વાપરવા દેવાથી પાકિસ્તાનના હિતમાં નથી.

ભારત તંગદિલીમાં વધારો કરશે તો પાકિસ્તાન તેનો જવાબ આપશે.

February 27, 2019
1.jpg
4min11960

તા.26મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે એલ.ઓ.સી.પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર કરેલા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ એક જવાબદાર ડિજીટલ મિડીયા તરીકે વર્તીને તેમના વાચકો સુધી સતત અને સાચી માહિતી રજૂ કરવા તત્પર છે. અહીં આ સેકશનમાં અમે વિગતવાર અપડેટ આપતા રહીશું.

13:01 (IST), FEB 27
ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ એવી જાહેરાત કરી હતી કે એરસ્પેશ ક્લોઝરના કારણે શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, અમૃતસર અને દહેરાદૂન જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે.
12:42 (IST), FEB 27
પીએમ  મોદી કાર્યક્રમો ટૂંકાવીને સલામતિ સમીક્ષા માટે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી ખાતેના તેમના વિજ્ઞાન ભવન ખાતેના કાર્યક્રમને ટૂંકાવીને તુંરત તેઓ નેશનલ સિક્યુરિટીની રિવ્યુ મિટીંગમાં ધસી ગયા હતા. પાકિસ્તાની જેટ્સ દ્વારા ભારતીય વાયુ સીમામાં ઘૂસીને કરાયેલા આક્રમણને ભારતે ગંભીરતાથી લઇને કેટલાક પગલાં ભર્યા તેની માહિતી તેમણે મેળવી હતી.
12:40 (IST), FEB 27
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પણ તણાવને પગલે અસરગ્રસ્ત થઇ. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે જ્યારે કેટલીક ઉડતી ફ્લાઇટ્સ તેમના ઓરિજિનલ ડેસ્ટિનેશન્સ પર વાળી દેવામાં આવી હોવાના અહેવાલો મળ્યા હતા.
12:37 (IST), FEB 27

પાકિસ્તાને પણ લાહોર, મુલતાન, ફૈઝલાબાદ, સિયાલકોટ અને ઇસ્લામાબાદ ખાતેના ફ્લાઇટ્સ ઓપરેશન્સ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બન્ને હંગામી ધોરણે સ્થગિત કરી દીધાના અહેવાલો મળ્યા હતા.

 12:37 (IST), FEB 27
પાકિસ્તાનના ફાઇટર જેટ્સ પ્લેન દ્વારા આજે જમ્મુ-કાશ્મિરની ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. નૌસેરા સેક્ટર ખાતે ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાની જેટ ફાઇટર્સને આંતર્યા હતા અને તેને પગલે પાકિસ્તાની પાઇલોટ્સ તેમના ફાઇટર પ્લેન પાકિસ્તાનની વાયુ સીમામાં માં પરત લઇ ગયાના અહેવાલો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે.

12:31 (IST), FEB 27

પાકિસ્તાન આર્મીના સ્પોક્સ પર્સન મોહમદ ફૈઝલએ પોતાના દેશનો બચાવ કરતા એવી બડાઇ પાકિસ્તાની ચેનલ પર હાંકી હતી કે પાકિસ્તાને એલ.ઓ.સી.ની પાર જઇને કેટલાક હુમલાઓ કર્યા હતા. મોહમંદ ફૈઝલે એવી ડીંગ પણ હાંકી હતી કે આવું કરવા પાછળ પાકિસ્તાનનો હેતુ ભારતને એ બતાવવાનો હતો કે તેઓ તેમની રક્ષા માટે કંઇપણ કરી શકે છે.

12:30 (IST), FEB 27
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથસિંહએ નવીદિલ્હી સ્થિત નોર્થ બ્લોક ખાતે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ, ખુફીયા એજન્સી રૉના વડા, ગૃહ સચિવ તેમજ અન્ય ઉચ્ચાધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર પ્રવર્તી રહેલી તણાવજનક સ્થિતિ પર કેટલાક નિર્ણયો કર્યા હતા.
12:29 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિરને અડીને આવેલી ભારત પાકિસ્તાનની એલ.ઓ.સી. પર પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા તા.26મીની રાતથી કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતે જડબાંતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને બુધવારે વહેલી સવારે પણ આવા હુમલાઓ ચાલુ રાખ્યા હતા.
12:25 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિર ક્ષેત્રના પાંચ એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ
શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ અને અમૃતસર એમ પાંચ એરપોર્ટસને આજે નાગરિક ઉડ્ડયન માટે સલામતિના કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. આજે બુધવારે સવારે ભારતીય વાયુ સેનાનું એક જેટ પ્લેન બડગામ જિલ્લામાં તૂડી પડ્યાના તુરંત બાદ આ પાંચ એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાંચ એરપોર્ટ બિલકુલ હંગામી ધોરણે અને ભારત પાકિસ્તાન સીમા પર વધેલા તણાવને જોતા બંધ કરવામાં આવ્યા છે.

Five airports closed on Wednesday for civilian air traffic

Srinagar, Jammu and Leh airports were among five airports closed on Wednesday for civilian air traffic shortly after an IAF jet crashed in Kashmir’s Budgam district. Airports at Chandigarh and Amritsar were also closed, according to airline officials. The move to close the five airports comes amid escalation of tension between India and Pakistan after IAF carried out strikes on terror bases in Pakistan.

12:06 (IST), FEB 27
સી.આર.પી.એફ.ના ડીજી આર.આર. ભટનાગર, જેઓ હાલ જમ્મુ ખાતે ફરજ પર છે, તેમણે જણાવ્યું કે જૈશ એ મહોમંદના બે આતંકવાદીઓને આજે ભારતીય સૈનિકોએ જાનથી મારી નાંખ્યા છે. તેમણે કહ્યું કે ઓપરેશન્સ ચાલી રહ્યા છે અને હજુ એ ચાલશે. આતંકવાદીઓનો સફાયો થઇને રહેશે.
 
12:05 (IST), FEB 27
ભારતીય વાયુ સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની એરફોર્સના એફ-16 પ્લેનને ભારતીય વાયુ સેનાએ આંતરીને તેના પર કરેલા બોંબમારાને કારણે પાકિસ્તાની પ્લેન પાકિસ્તાનની લામ વેલી ટેરેટરીમાં જઇને તૂટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા.

 

February 27, 2019
india.gif
1min1825

ભારતે મંગળવારે પરોઢિયા પહેલાં પાકિસ્તાનમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદના સૌથી મોટા કૅમ્પ સહિત અનેક છાવણી પર હુમલા કરીને અંદાજે 350 ત્રાસવાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા.ભારતભરમાં આ હુમલા બાદ ખુશાલી અને દેશપ્રેમનું નવું જોશ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાન ડઘાઇ અને હેબતાઇ ગયું હતું.ભારતીય હવાઇ દળે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને અનેક ઠેકાણે આવેલી ત્રાસવાદીઓની છાવણીઓ પર કરેલા હુમલામાં ‘મિરાજ 2000 કૉમ્બેટ જૅટ્સ’નો ઉપયોગ કર્યો હતો.ભારતીય યુદ્ધવિમાનો બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીમાંની ત્રાસવાદીઓની છાવણીઓ પર ત્રાટક્યા હતા.જૈશે મહંમદના વડા મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર અહીંની ત્રાસવાદી છાવણીઓને સંભાળતો હતો, પરંતુ તે આ હુમલામાં માર્યો ગયો છે કે નહિ તે હજી અસ્પષ્ટ છે.

વિદેશસચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં આ હુમલાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 12 દિવસ પહેલાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનનો જાન લેનારા ત્રાસવાદી હુમલા બાદ જૈશે મહંમદ ભારતમાં વિવિધ સ્થળે વધુ હુમલા કરવાની યોજના ઘડી રહ્યું હોવાની અને તેના માટે આત્મઘાતી જેહાદીઓને તાલીમ અપાતી હોવાની વિશ્ર્વાસપાત્ર માહિતી ગુપ્તચરો પાસેથી મળતા ભારતે પરોઢિયા પહેલાં રાતના બાલાકોટમાંની જૈશે મહંમદની સૌથી મોટી તાલીમ છાવણી અને અન્ય તાલીમ કૅમ્પ પર હુમલા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં જૈશે મહંમદના અનેક ત્રાસવાદી, તાલીમ આપનારા, વરિષ્ઠ કમાંડર, જેહાદીઓ, આત્મઘાતી હુમલાખોરો વગેરે માર્યા ગયા હતા.

કેન્દ્રના રાજ્ય કક્ષાના કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કર્યું હતું કે ભારતે સીમા પરની અંકુશ હરોળ પાર કરીને ત્રાસવાદીઓની છાવણીઓ પર હુમલો કર્યો હતો. બાલાકોટ પાકિસ્તાનના સામાન્ય નાગરિકોની વસતિથી દૂર પર્વતીય વિસ્તારમાં છે અને અહીંના ગાઢ જંગલમાં ત્રાસવાદીઓની છાવણીઓ હતી.

વિદેશસચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંની ત્રાસવાદીઓની છાવણીઓનો નાશ કરવો ભારત માટે જરૂરી બની ગયો હતો. ભારત ત્રાસવાદ સામેની લડતમાં દરેક પ્રકારના પગલાં ભરશે. તેમણે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પોતાની ભૂમિ પર ચાલતી ત્રાસવાદીઓની બધી છાવણીઓનો નાશ કરશે.

ભારતીય હવાઇ દળ પાકિસ્તાન પર ત્રાટક્યું તેના થોડા કલાક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સલામતીને લગતી પ્રધાનમંડળની સમિતિની બોલાવેલી બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન હાજર રહ્યા હતા.

દેશના બધા રાજકીય પક્ષે ભારતીય હવાઇદળે પાકિસ્તાનમાં કરેલા આ હુમલા બદલ ભારતીય સૈન્યને અભિનંદન આપ્યા હતા.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મહામંત્રી રામમાધવે દાવો કર્યો હતો કે મોદીજી દેશના દુશ્મનોનો નાશ કરવા મક્કમ નિર્ધાર ધરાવે છે. જવાનોની શહાદતથી ગુસ્સે થયેલો દરેક ભારતીય આ હુમલાથી ખુશ થયો છે. આપણું લશ્કર વિશ્ર્વકક્ષાની ક્ષમતા ધરાવે છે.

કૉંગ્રેસના વડા રાહુલ ગાંધીએ પણ ભારતીય હવાઇદળની આ કામગીરી કરનારા પાઇલટોને ‘અભિનંદન’ પાઠવ્યા હતા.

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે ભારતે પાડોશી દેશમાંની ત્રાસવાદી છાવણીઓ પર ત્રાટકવા માટે સૌપ્રથમ વખત હવાઇદળનો ઉપયોગ કર્યો હતો.

દરમિયાન, પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને ‘હુમલો’ કર્યો હોવાથી ઇસ્લામાબાદને ‘વળતો હુમલો’ કરવાનો અધિકાર છે.

ઇસ્લામાબાદમાં સરકારની ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક યોજાઇ હતી અને તે પછી કુરેશીએ વડા પ્રધાન ઇમરાન ખાનને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે આજે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારતે સરહદ પરની અંકુશ હરોળ પાર કરી છે.

આમ છતાં, પાકિસ્તાન લશ્કરના જનસંપર્ક અધિકારી મેજર જનરલ આસિફ ગફુરે જણાવ્યું હતું કે ભારતીય વિમાન મુઝફરાબાદ ક્ષેત્રમાંથી પ્રવેશ્યું હતું. પાકિસ્તાનના હવાઇદળે તેને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય વિમાનને ઉતાવળે પાછા ફરવાની ફરજ પડાઇ હતી અને તેના હુમલામાં કોઇ જાનહાનિ નથી થઇ.

February 26, 2019
mirage_fighter.jpeg
1min11380

ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા

ભારતે આતંકી કૅમ્પ પર 1000 કિલો બૉમ્બથી કર્યો હુમલો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને  જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.

આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ  પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

February 25, 2019
AffordableHousing.png
1min7100

બાંધકામ હેઠળના ઘરો અને એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી સાત ટકા ઘટાડતી જીએસટી કાઉન્સિલ

ઘર ખરીદનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની રવિવારે મળેલી બેઠકમાં બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. બાંધકામ હેઠળના રહેણાંકમાં જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી ૮ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો છે. બંનેમાં રેટ સાત ટકા ઘટાડાયા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે નવા ઘટાડેલા દર ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવશે. જીએસટી દરમાં ઘટાડો થવાથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારાયો છે. રૂા. ૪૫ લાખ સુધીની કિંમતના ઘરો આવરી લેવાયા છે. મેટ્રો શહેરમાં ૬૦ ચો. મીટર અને મેટ્રો સિવાયના શહેરોમાં ૯૦ ચો. મીટરવાળાને આવરી લેવાયા છે. નવા જીએસટી દર અંતર્ગત બિલ્ડરો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં.

લોટરીની બાબતમાં કાઉન્સિલે નિર્ણય મુલતવી રાખ્યો છે તેના માટે પ્રધાનોની પેનલ ફરી ચર્ચા માટે મળશે. હાલ રાજ્ય સરકાર ચલાવાતી લોટરીમાં ૧૨ ટકા જીએસટી છે જ્યારે રાજ્ય અધિકૃત લોટરીમાં ૨૮ ટકા છે.

February 19, 2019
government_gujarat.jpg
1min14310

રાજ્ય સરકાર તરફથી આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. હવે પછી 2019-20નું બજેટ રજૂ કરવામાં આવશે. અછતના વર્ષમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોની પડખે રહીને અત્યાર સુધીમાં ઐતિહાસિક રીતે રાહત પેકેજ 96 તાલુકાઓમાં 16.27 લાખ ખેડૂતો, 1,557 કરોડની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. 443 પાંજરાપોળ અને ગૌશાળામાં 2.60 લાખ પશુઓ, તેમજ 1.62 ઢોરવાડા પશુઓમાં દૈનિક રૂ.35ની આર્થિક સહાય પશુ નિભાવ માટે અત્યાર સુધીમાં રૂ.40.84 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં રૂ.2 પ્રતિ કીલોના દરે 6.84 કરોડ કિલો સૂકું ઘાંસ પહોંચાડી દેવામાં આવ્યું છે. ખેડૂતોના પાક બચાવવા માટે ખેતી માટે વીજળી 8 કલાકની જગ્યાએ 10 કલાક પાવર આપવામાં આવ્યો રૂ.4.36 કરોડની વીજળી પૂરી પાડવામાં આવી. 96 તાલુકાઓના 23 લાખથી વધુ ખેડૂતો માટે રૂ.2285 કરોડના ખાસ સહાય પેકેજને અમલમાં મૂક્યા છે.

લેખાનુદાનના મુખ્ય અંશો

  • 17-18 દરમિયાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકાના વિકાસ દરે ખેત ઉત્પાદન વધ્યા
  • દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 7.29 ટકા
  • હાલોલ ખાતે ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે
  • 19મી પશુ ધન ગણતરીમાં 15.19 ટકાનો વધારો નોંધાયો, માથાદીઠ દુધ ઉત્પાદન 243 ગ્રામ પરથી વધીને 543 ગ્રામ થયું છે
  • ઝીંઘા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે 5000 હેક્ટર ખારાશવાળી જમીન, સરકારી જમીન, દરીયા કાંઠે ફાળવવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની રજૂઆતો
  • વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં માછીમારો માટે વધુ સુવિધા ઉભી થાય તે માટે મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (જેટી) બનાવવાનો નિર્ણય
  • પાકિસ્તાન જેલમાં બંધ માછીમાર પરિવારોને સરકાર દૈનિક રૂ.150ને બદલે રૂ.300નું નિર્વાહ ભથ્થું આપશે
  • 11 લાખ ખેડૂતોની 58 લાખ હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી ખેતી થઇ રહી છે
  • નર્મદા યોજનામાં 01થી 2018 સુધીમાં રૂ.51786 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ યોજનાથી 9083 ગામો અને 166 શહેરોને પીવાનું પાણી મળી રહ્યું છે
  • 9231 પેટા આરોગ્ય કેન્દ્ર 4199 પીએચસી, 30 જિલ્લા હોસ્પિટલ 16 મેડીકલ કોલેજ કાર્યરત, 2018માં 3.82 લાખ દર્દીઓએ ઓપીડી અને 43.30 લાખ દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે લાભ લીધો
  • મા વાત્સલ્ય યોજનામાં નોંધાયેલા 68 લાખ પરિવારોને રૂ.3 લાખની વાર્ષિક સહાયને બદલે રૂ.5 લાખ સુધીની સારવાર બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે
  • મા વાત્સલ્યમાં લાભાર્થી થવા માટે વાર્ષિક રૂ.3 લાખની આવક મર્યાદા હતી જેમાં વધારો કરીને હવે રૂ.4 લાખ કરવામાં આવી. વધુ 15 લાખ નવા પરિવારો જોડાય શકશે. 75 લાખ નવા લાભાર્થીઓને લાભ મળી શક્શે.
  • મેડીકલ કોલેજની સીટો વધારી રહ્યા છે, 2001માં 1275 સીટો હતી તે વધીને 4150 સીટો થઇ છે એમબીબીએસની. ટૂંક સમયમાં નવી એક મેડીકલ કોલેજ નડીયાદ મેડીકલ કોલેજને ઝડપથી મંજૂરી મળી જવાની શક્યતા છે.
  • કર્મચારીઓ લક્ષી જાહેરાતમાં આશા યોજનામાં માસિક મહેન્તાણામાં રૂ.2000નો વધારો કરવાની જાહેરાત
  • નવી નડીયાદ, વિસનગર અને અમરેલી મેડીકલ કોલેજો શરૂ કરવા માટેનું આયોજન
  • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 પથારીની નવી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર, નવી આઇ અને નવી ડેન્ટલ હોસ્પિટલ મળીને 1450 કરોડના ખર્ચે કામ પૂર્ણ થયું છે. આગામી તા.4થી માર્ચે લોકાર્પણ કરવામાં આવશે.
  • ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલના વિસ્તૃતિકરણનું કામ હાથ ધરવામાં આવશે
  • મહિલાઓ રાજ્યની દોઢ લાખ વિધવા બહેનોને રૂ.1000 માસિક સહાય ચૂકવવામાં આવતી હતી. વિધવા મહિલાઓને આજીવન પેન્શન ચાલુ રહેશે. 18 વર્ષનું સંતાન થયા પછી પણ પેન્શન ચાલુ રહેશે. હવે રૂ.1250 માસિક પેન્શન મળશે.
  • 53 હજાર આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને રૂ.900 માસિક વધારા સાથે હવે રૂ.7200 માસિક ભથ્થું, તેડાગર બહેનોને રૂ.3200માં રૂ.450નો વધારો કરીને રૂ.3650 રૂ. ભથ્થું આપવામાં આવશે.
  • 1.13 હજાર કરોડ શિક્ષણ માટે ફાળવી આપવામાં આવ્યા. 6 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ
  • ડ્રોપ આઉટ રેશીયો ઘટીને ફક્ત 1.42 ટકા સુધી નીચે આવી ગયો
  • આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને બિલકુલ મફત ટેબ્લેટ આપવામાં આવ્યા
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પાછળ રૂ.1055 કરોડ ખર્ચાય રહ્યા છે
  • સમરસ 8 નવા છાત્રાલયની જોગવાઇ કરવામાં આવી
  • માઇનોરિટીઝ વિકાસ માટેના 8 નિગમોને રૂ.100ને બદલે રૂ.150 કરોડનું ફંડ
  • ગુજરાતમાં 1,14 હજાર કિ.મી.ના પાકા માર્ગોનું નેટવર્ક, 19-20માં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રૂ.2000 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે
  • જે હાઇવે પર એક લાખ યુનિટથી વધારે વ્હીકલ અવરજવર હશે ત્યાં ભારત સરકાર અને રાજ્ય સરકારના 50 ટકાના સહયાગથી 6500 કરોડના ખર્ચે રેલવે ફ્લાયઓવર કે અન્ડર પાસ બનાવવામાં આવશે.
  • 103 કિ.મી. પગદંડી યાત્રા, જૈન તિર્થ પદયાત્રીઓ માટે અમદાવાદથી શરૂ થશે
  • મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકથી ગીચ વિસ્તારમાં ફ્લાય ઓવર તથા અન્ડર પાસ ગુજરાત સરકાર 100 ટકા ખર્ચ આપશે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડાદરા રાજકોટમાં 8-8, ભાવનગર, રાજકોટમાં 3-3 બ્રિજ બનશે. દાહોડ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, દિશા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, નવસારી, વલસાડ, ભરુચ, હિંમતનગર વગેરે મળીને કુલ 75 ફ્લાય ઓવર બ્રિજ શહેરોમાં બનાવી આપશે.
  • ફાટક મુક્ત ગુજરાત બનાવવાની યોજના. સરકાર રૂ.750 કરોડ ફાળવી રેલવે ફાટકો પણ બનાવી આપશે
  • 7.64 લાખ આવાસ આપવાનું આયોજન, જૈ પૈકી અત્યાર સુધીમાં 3.87 લાખ આવાસો મંજૂર કરી દેવાયા છે. 1 લાખ કરતા વધુ અરજદારોને આવાસ ધિરાણ વ્યાજ મુક્ત લોન
  • 1960થી ખેડૂતોને 6.94 લાખ વીજ જોડાણો, જ્યારે ભાજપાએ 18 વર્ષમાં 11 લાખથી વધુ વીજ જોડાણો આપ્યા છે. રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા તમામ કૃષિ વિજ જોડાણો, ગ્રામ વિસ્તારના રહેઠાણ જોડાણોને વીજ બિલના મુદ્દલ, વ્યાજ અને પેનલ્ટી માફ કરી દેવાનો નિર્ણય કરાયો
  • કરાર આધારિત વીજ પાવરથી વધુ વપરાશના કિસ્સામાં કલમ 126  અને 135 મુજબના થયેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, 6.74 લાખ ખેડૂતો અને ગ્રામીણ ગરીબોને લાભ મળશે. રૂ.691 કરોડનો બોજો ઉપાડશે સરકાર
  • ખેડૂતોના વીજ જોડાણો, લાઇન લોસ વગેરે સમસ્યા નિવારણ માટે સ્કાય યોજના અંતર્ગત સોલાર પાવર જનરેશન કરાશે. ખેડૂતો પાસે સરકાર વીજ ખરીદશે.
  • ફાઇબર ટુ ફેશન સુધીનું કામ થાય એ માટેની ટેક્સટાઇલ પોલિસી બનાવાઇ
  • ગીરનાર ખાતે દર પાંચ વર્ષે રાજ્ય સરકાર ગીરનાર શિવરાત્રી કુંભ મેળાનો આરંભ 2019થી શરૂ કરાશે

ગુજરાતની સિદ્ધિઓ

 

  • 1,74,652 માથાદીઠ આવક
  • દેશની માથાદીઠ આવક કરતા 54.8 ટકા વધારે
  • દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 17-18માં વધીને 22 ટકા
  • ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8 ટકા યોગદાન આપીને સૌથી પહેલા ક્રમે
  • આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાદ પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિકોને રોજગારી મળે તેવી યોજનાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગના શિક્ષિત બેરોજગાર યુવકો માટે ખાસ યોજનાઓ
  • સુએઝ પાણી ટ્રીટમેન્ટથી રીસાઇકલ કરેલા પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં ઉપયોગ કરાશે
  • બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર મેગા પ્લાન્ટ ધોલેરા ખાતે સ્થાપવામાં આવશે.
February 19, 2019
suratairport1.jpg
2min18570

સુરત એરપોર્ટ પરથી હવે દેશના અન્ય ભાગોને જોડતી એટલી બધી ફ્લાઇટ્સ આવવા માંડી છે કે કઇ ફ્લાઇટ્સ ક્યારે આવે છે અને ક્યારે ઉપડે છે તે અંગે પણ મુલાકાતીઓ, સુરતના લોકોને ગૂંચવાડો થવા માંડ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ હવે નિયમિત રીતે સુરત એરપોર્ટની ફ્લાઇટ્સના શિડ્યુલની સત્તાવાર માહિતી રજૂ કરશે. અહીં અમે સુરત એરપોર્ટરથી ઉપડી અને આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેમજ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સુરત શારજાહની ફ્લાઇટના સત્તાવાર ટાઇમ ટેબલ રજૂ કર્યા છે.

સુરત એરપોર્ટ પરથી ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019
Flight Schedule - Domestic Departures

Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

સુરત એરપોર્ટ પર દેશના વિવિધ એરપોર્ટસ પરથી આવતી ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Arrivals

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February, 2019

Flight Schedule - Domestic Arrivals
Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

International Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019

Surat International Airport - International Departure Schedule

Surat International Airport [STV] – Direct & Connecting International Departures

NOTE:

The above Time Table has been compiled based on Flight Schedules published by the Airlines, as required of a Scheduled Operator.

Please note despite of a detailed schedule announced weeks in advance, intermittent changes are very likely to happen & it is subject to changes as per the Airlines and approvals by the Regulatory Authority

February 11, 2019
tv_reviews.jpg
1min5830
  • 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરી
  • 6.5 કરોડ કેબલ ટીવી અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો નવી વ્યવસ્થામાં જોડાયા
Widescreen high definition TV screen with video gallery.

 

દૂરસંચાર નિયામક ટ્રાઈના કહેવા પ્રમાણે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થામાં જોડાઈ ગયા છે. જેમાં’ 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓને કોઈપણ જાતની પરેશાની ન પડે તે માટે ટ્રાઈ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.

ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માના કહેવા પ્રમાણે સામે આવી રહેલા આંકડા પ્રમાણે’ નવી વ્યવસ્થામાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આશા છે કે બાકી રહેલા લોકો પણ પોતાની પસંદગીની ચેનલ મેળવી લેશે. શર્માના કહેવા પ્રમાણે જે 9 કરોડ લોકોએ મનગમતી ચેનલ પસંદ કરી છે. તેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. શર્માએ ઉમેર્યું હતું કે, કુલ 17 કરોડ ગ્રાહકોમાંથી 9 કરોડે ઓપરેટર પાસે પસંદગીની ચેનલ માટે નોંધણી કરાવી છે. જે મોટી સંખ્યા છે.

શર્માએ ભાર દેતાં કહ્યું હતું કે, જ્યાં પણ જરૂર પડે ત્યાં ઓપરેટરોની મદદ કરવામાં આવી રહી છે અને દિશાનિર્દેશ થઈ રહ્યા છે. આટલું જ નહી મુશ્કેલીઓના નિરાકરણ માટે નિયમિત રૂપે બેઠકો પણ થઈ રહી છે. આગામી સમયમાં નિયમકની ગ્રાહકો સુધીની પહોંચ વધારવા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની પણ યોજના છે. જેમાં સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, વિજ્ઞાપન અને અન્ય કાર્યક્રમો થકી અભિયાન ચલાવવામાં આવશે.’

February 9, 2019
mba-1280x725.png
1min5940

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારને સીધો ₹20 લાખનો વાર્ષિક પગાર મળવાનું સામાન્ય થઈ ગયું છે. અગાઉ માત્ર ટોપ-3 બિઝનેસ સ્કૂલ્સના ગ્રેજ્યુએટ્સને જ ઊંચો પગાર મળતો હતો.

  • મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ,
  • IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી)
  • ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈ

આ વખતની પ્લેસમેન્ટ સીઝનમાં ઓછામાં ઓછી ચાર બિઝનેસ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પહેલી વખત સરેરાશ વાર્ષિક ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે. જેમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ, IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈનો સમાવેશ થાય છે.

પ્લેસમેન્ટના આંકડા જણાવે છે કે, કંપનીઓ ટોપ ટેલેન્ટ માટે મંદ બજારમાં પણ મોટો ખર્ચ કરવા તૈયાર છે. ઓનલાઇન એસેસમેન્ટ પ્લેટફોર્મ Mettlના કેમ્પસ સેલરી હાયરિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ 2018ના અહેવાલ મુજબ ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે છે.

ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે

શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ

ડેટામાં પ્રથમ હરોળનાં શહેરોની 31 અને બીજી હરોળનાં શહેરોની 49 બિઝનેસ સ્કૂલ્સનો સમાવેશ કરાયો છે. પ્રથમ હરોળનાં શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ રહ્યો છે.

સ્ટાર્ટ-અપ્સથી માંડી ટોપ કન્સલ્ટન્ટ્સ અને મલ્ટિનેશનલ્સ ઉત્કૃષ્ટ ટેલેન્ટની પાછળ દોડે છે. દરેક કંપની સમાન ટેલેન્ટની આશા રાખે છે અને અમુક લાયકાતવાળી ટેલેન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ્સના સ્નાતકોને હંમેશા પ્રીમિયમ સેલરી મળે છે.

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર મળ્યો હતો. જોબ માર્કેટની સ્થિતિ બહુ સારી ન હોય ત્યારે પણ ટોચની બિઝનેસ સ્કૂલ્સના સ્નાતકોને ખાસ અસર થતી નથી અથવા ઓછી અસર થાય છે.

ચાલુ વર્ષે જે ઇન્સ્ટિટ્યૂટ્સે સરેરાશ ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે તેમાં આ રકમના પેકેજ ચૂકવતી કંપનીઓમાં 20-25 ટકા વધારો નોંધાયો છે. જેમ કે, MDI ગુડગાંવ ખાતે ચાલુ વર્ષે 55 કંપનીએ ₹20 લાખ કે વધુનો પગાર ચૂકવ્યો છે, જે આંકડો ગયા વર્ષે 46 હતો.

TISS મુંબઈમાં આવી કંપનીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધી છે. IIFT દિલ્હીમાં વાર્ષિક ₹20 લાખથી ઊંચો પગાર આપનારી કંપનીઓની સંખ્યા આ વખતે વધીને 48 થઈ છે, જે ગયા વર્ષે 27 હતી. IIFTના કોર્પોરેટ અને પ્લેસમેન્ટ એડ્વાઇઝર હરકિરત સિંઘે જણાવ્યું હતું કે, “આ બ્રેકેટમાં ઓફર્સની સંખ્યા 2016-’18ના 87થી 54 ટકા ઊછળી 134 થઈ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ વર્ષે સરેરાશ પગારનો આંકડો ₹20.07 લાખે પહોંચ્યો છે.

કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર ₹20 લાખથી વધુનો વાર્ષિક પગાર ચૂકવતી કંપનીઓમાં એરટેલ, એમેઝોન, એશિયન પેઇન્ટ્સ, એવેન્ડસ, બજાજ ઓટો, સિટીબેન્ક, કોલગેટ પામોલિવ, ડેલ EMC, ડેલોઇટ ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ITC, લોઢા ગ્રૂપ, લો’રિયાલ, M&M, મેરિકો, નેસ્લે, રેકિટ બેન્કાઇઝર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેમસંગ R&D, ઓયો રૂમ્સ, રિવિગો, સ્વિગી, TAS અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.

February 2, 2019
Narendra-Modi-budget.jpg
1min10970

ભારતીય સંસદમાં તા.1લી ફેબ્રુઆરી 2019ને શુક્રવારે હંગામી નાણાંમંત્રી શ્રી પિયુષ ગોયેલ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ અંગે સમગ્ર ભારતમાં ખુશાલીનો માહોલ પ્રવર્તી ઉઠ્યો છે ત્યાં કેટલાક લોકોને આ વચગાળાનું બજેટ ગેરકાયદે પણ દેખાયું છે અને તેના ભાગૂરપે જ બજેટ રજૂ થયાના ગણતરીના કલાકોમાં જ દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વચગાળાનું બજેટને રદ કરવા અંગે વિનંતી કરવામાં આવી છે.

મોદી સરકારના ઇન્ટ્રીમ બજેટ વિરુદ્ધ કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વચગાળાના બજેટ અંગે બંધારણમાં કોઇ જોગવાઇ નથી. વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નિર્દેશ કરાયો છે કે બંધારણમાં માત્ર પૂર્ણ બજેટ અને વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની જ જોગવાઇ છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, વોટ ઓન એકાઉન્ટ ચૂંટણીના વર્ષમાં નિર્ધારિત સમય માટે સરકારી ખર્ચને મંજૂરી આપે છે. ત્યારબાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે. શુક્રવારે લોકસભામાં નાણાં મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી.