પાક ઘૂંટણીએ પડ્યું: ભારત સાથે વાટાઘાતની ઓફર મૂકી
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ભારતના મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બે પાયલટ તેમના કબ્જામાં છે. સાથોસાથ ચેતવણી આપી હતી કે અણુશસ્ત્રો ધરાવતાં બંને દેશ વચ્ચેની તંગદિલી દૂર કરવા વાતચીત કરવી જોઈએ.
ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધતા કહ્યું હતું કે ભારતના બે પાયલટ મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બંને પાયલટ તેમના કબ્જામાં છે. અમારા દેશમાં પ્રવેશ કરશે તો સમાન પગલાં લેવાશે.
અગાઉ વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હવાઈ દળે ભારતના મિલિટરી બેઝને લક્ષ્યાંક બનાવ્યો હતો, જ્યારે ભારતે આતંકવિરોધી કામગીરી હાથ ધરી હતી. ભારતનો એક પાયલટ લાપતા છે આ નિવેદન બાદ ઇમરાન ખાને સંબોધન કર્યું હતું.
તમામ યુદ્ધ ખોટી ગણતરીના આધારે શરૂ થયેલા છે. માનવના ભોગે યુદ્ધ લડાયા છે. પ્રથમ અને બીજું વિશ્ર્વયુદ્ધ હોય કે આતંક સામેના યુદ્ધમાં પણ એ જ સ્થિતિ હતી. બંને દેશોએ ડહાપણભર્યું પગલું લેવું જોઈએ. બંને પાસે અણુશસ્ત્રો છે. યુદ્ધ બંનેને પરવડે એમ છે? હાલની સ્થિતિ વણસશે તો નરેન્દ્ર મોદી કે ઇમરાન ખાનના હાથમાં કાંઈ અંકુશ રહેશે નહીં. આપણે બંને સાથે બેસીને વાતચીત કરીએ એવી ઓફર તેમણે મુકી હતી.
પુલવામા આતંકી હુમલા બાદ તપાસમાં સહકાર આપવા અમે ઓફર કરી હતી. બંને દેશો દાયકાઓથી યુદ્ધના કારણે અસરગ્રસ્ત થયેલા છે. ઉગ્રવાદીઓને તેમની જમીન વાપરવા દેવાથી પાકિસ્તાનના હિતમાં નથી.
ભારત તંગદિલીમાં વધારો કરશે તો પાકિસ્તાન તેનો જવાબ આપશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now