CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 127 of 142 - CIA Live

March 14, 2019
gst.jpg
1min6180

ચૂંટણી પંચે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટેના નીચા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) દરોના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે વિચારણા કરવા આગામી 19મી માર્ચે નિયત થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકને લીલી ઝંડી બતાવી છે. આ મીટિંગ વિડિયો કૉન્ફરન્સિંગ મારફત યોજાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ચૂંટણી પંચની મંજૂરી મળી જવાને પગલે જીએસટી કાઉન્સિલના સચિવાલય ખાતેથી રાજ્યોને 19મી માર્ચે યોજાનારી કાઉન્સિલની 34મી બેઠકમાં હાજરી આપવા માટેની સૂચના આપવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. રવિવારથી ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી ચૂંટણી પંચની મંજૂરી જરૂરી હતી.

અગાઉની મીટિંગમાં ઉચ્ચ-સ્તરીય જીએસટી કાઉન્સિલે બાંધકામ હેઠળના ફ્લૅટો પરના વેરાનો દર પહેલી એપ્રિલથી લાગુ પડે એ રીતે ઘટાડીને પાંચ ટકા કરી નાખ્યો હતો તેમ જ નીચલા વર્ગોને પરવડી શકે એવા ભાવના ઘરો પરના ટેક્સનો દર ઘટાડીને એક ટકો કરી નાખ્યો હતો.

હાલમાં બાંધકામ હેઠળની પ્રોપર્ટી કે રહેવા માટે તૈયાર ફ્લૅટો માટેના પેમેન્ટ પરની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) સાથે 12 ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. તૈયાર ફ્લૅટો એવા હોય છે જેમાં વેચાણના સમયે પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું હોતું. પરવડી શકાય એવી રહેવાલાયક યુનિટો (ઘરો) માટે 8 ટકાનો ટેક્સનો દર અત્યારે પ્રવર્તમાન છે.

ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ઘટીને 97,247 કરોડ રૂપિયા હતું જે આગલા મહિને 1.02 લાખ કરોડ એકત્રિત થયું હતું. ફેબ્રુઆરીના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટીનું પ્રમાણ 17,626 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) 24,192 કરોડ રૂપિયા, ઇન્ટીગ્રેટેડ જીએસટી 46,953 કરોડ રૂપિયા અને સેસ 8476 કરોડ રૂપિયા હતું.

વર્તમાન નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ 10.70 લાખ કરોડ રૂપિયાનો જીએસટી એકત્રિત થયો છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટેનો જીએસટી કલેક્શનનો લક્ષ્યાંક સુધારિત અંદાજોમાં 13.71 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કરી નાખ્યો છે.

એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા, મેમાં 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઈમાં 96,483 કરોડ રૂપિયા, ઑગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં 94,442 કરોડ રૂપિયા, ઑક્ટોબરમાં 1,00,710 કરોડ રૂપિયા, નવેમ્બરમાં 97,637 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 94,725 કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં 1.02 લાખ કરોડ રૂપિયા હતું.

આગામી નાણાકીય વર્ષ (2019-’20) માટે જીએસટી કલેક્શન ટાર્ગેટ 13.71 લાખ કરોડ રૂપિયા નિયત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

March 13, 2019
SpiceJet-MAX2.jpg
2min18420
  • બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ મૂકાયા પછી પણ સ્પાઇસ જેટ એ દિલ્હી સુરત રૂટની સાથે દેશમાં 6-6 લોકેશન્સ પર ઉડતા કોફીન સમાન બોઇંગ 737 મેક્સ વિમાનો બેરોકટોક ઉડાડ્યા
  • ભારતમાં બોઇંગ 737 મેક્સ વિમાન પર પ્રતિબંધ મૂકાયા પછી તમામ એરલાઇન્સ એ આ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા ફક્ત સ્પાઇસ જેટએ 6-6 ફ્લાઇટ્સ ઉડતા કોફિન જેવા વિમાનોમાં ઉડાડીને હજારો પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા
  • બુધવારે સવારે 11 વાગ્યે સ્પાઇશ જેટ તરફથી કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી જે આ સમાચારના અંત ભાગમાં રજૂ કરવામાં આવી છે

(ઉડતા કોફીન મનાય રહ્યા છે બોઇંગ 737 મેક્સ વિમાનો)

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એરલાઇન કંપનીઓ પોતાના બિઝનેસને જતો ન કરવો પડે તેટલા માટે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતી નથી, આ બાબતની પ્રતીતિ કરાવતી ઘટના તા.13મી માર્ચ 2019ના રોજ દિલ્હી સુરત ફ્લાઇટમાં બની છે. આજે તા.13મી માર્ચને બુધવારે સવારે દિલ્હીથી સુરત આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ 737 બોઇંગ મેક્સ વિમાનમાં મોકલવાની હતી. હજુ તા.12મીએ રાત્રે જ ડીજીસીએ સમેત ભારતીય ઉડ્ડયન ઓથોરિટીએ બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાંથી ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને એ મુજબ ભારતની સ્પાઇસ જેટ સિવાયની તમામ એરલાઇન્સ કંપનીઓએ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા હતા. પરંતુ, એકમાત્ર સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની ફ્લાઇટ બોઇંગ 737 મેક્સ વિમાન સાથે 189 પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા છે. એથી વિશેષ દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટ સુરતથી પરત દિલ્હી જવા માટે પણ એ જ પ્લેનનો ઉપયોગ કર્યો હતો.

રવિવાર. 11મી માર્ચ 2019ના રોજ ઇથોપિયાનું બોઇંગ 737 મેક્સ વિમાન તૂટી પડવાની ઘટના બાદ સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોએ બોઇંગ 737 મેક્સ મોડેલના વિમાનોને ઉડાડવા પર તાત્કાલિક ધોરણે અમલમાં આવે એ રીતે પ્રતિબંધ લાદી છે. ભારતે પણ તાકીદની અસરથી સરકારી અને પ્રાઇવેટ બન્ને એરલાઇન્સને બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાં કોઇપણ સંજોગોમાં ઉપયોગમાં નહીં લેવાની કડક સૂચના જારી કરી છે.

અત્યાર સુધી ક્રેશ થયેલા મોટા ભાગના વિમાનો આ મોડેલના હોઇ આખી દુનિયામાં એ પુરવાર થઇ ચૂક્યું છે કે બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડતા કોફિન જેવા છે. આમ છતાં તા.12મી માર્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની પોતાની ફ્લાઇટ બોઇંગ મેક્સ 737 મોડેલમાં જ રવાના કરી હતી. જે લોકો સ્પાઇસ જેટની આ હરકતને પામી ચૂક્યા હતા તેમણે તાત્કાલિક ટ્વીટ કરીને પ્રાઇમ મિનિસ્ટર તેમજ ડીજીસીએને જાણ કરી હતી. સ્પાઇસ જેટ એ દિલ્હીથી સુરતની ફ્લાઇટ માં પ્રતિબંધિત બોઇંગ 737 મેક્સ વિમાન ઉડાડીને પેસેન્જરોનો તો જીવ જોખમમાં મૂક્યો હતો પરંતુ, નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના નીતિ નિયમોના પણ ધજ્જીયા ઉડાડી મૂક્યા છે.

સુરતના એવીએશન ક્ષેત્રના એક્સપર્ટ રાજેશભાઇ મોદીએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તા.12મીએ સાંજે ડીજીસીએ એ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને ભારતમાં સ્પાઇસ જેટ સિવાય બાકીની તમામ કંપનીઓએ આજે સવારથી બોઇંગ 737 મેક્સ વિમાનોમાં એકેય ફ્લાઇટ ઉડાડી ન હતી. પરંતુ, સ્પાઇસ જેટની સુરત દિલ્હી રૂટ ઉપરાંત દેશમાં 6 ફ્લાઇટ્સ પ્રતિબંધિત 737 બોઇંગ મેક્સ વિમાનોમાં ચાલી રહી હતી. રાજેશ મોદીએ સી.આઇ.એ.ને બોઇંગ 737 મેક્સ વિમાનોમાં ઉડતી સ્પાઇસ જેટની ફ્લાઇટ્સની ઇમેજ પણ શેર કરી હતી.

ભારત સરકારે બોઇંગ 737 મેક્સ વિમાનોને પ્રતિબંધિત કર્યા પછી એક સાથે 6-6 ફ્લાઇટ્સ બેરોકટોક પણે ઉડાડનાર સ્પાઇસ જેટના સંચાલકોએ હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે. સુરતના રાજેશ મોદીએ કહ્યું કે તેઓ આ મુદ્દે ડીજીસીએ સાથે પત્ર વ્યવહાર કરીને આવું કેમ થયું તેનો જવાબ માગવાના છે.

ડરી રહી છે દુનિયા બોઈંગ 737થી

ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.

માત્ર 6 મહિનામાં જ બોઈંગ 737 મેક્સ 8ના બે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાથી હવે વિશ્વભરના દેશો તેનાથી ડરી રહ્યા છે. ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.

મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના નિવેદન પ્રમાણે જ્યાં સુધી આ વિમાનની સુરક્ષા અંગેની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તેની ઉડાન પર પ્રતિબંધ રહેશે. મુસાફરોની સુરક્ષા સર્વોપરિ છે. DGCAએ કહ્યું કે તેઓ એરલાઈન્સ અને એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ તમામ એરલાઈન્સની ઈમરજન્સી મીટિંગ બોલાવી છે, જેમાં મુસાફરોની પરેશાની પર ચર્ચા થશે.

DGCA has taken the decision to ground the Boeing 737-MAX planes immediately. These planes will be grounded till appropriate modifications and safety measures are undertaken to ensure their safe operations. (1/2)

આ પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, આયરલેન્ડ, આઈસલેન્ડ, ઓમાન, ચીન, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને આર્જેન્ટિના જેવા દેશો પણ બોઈંગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. આ વિમાનનો ખૌફ એટલો જબરજસ્ત છે કે યુકેએ તો પોતાની એરસ્પેસમાં પણ બોઈંગના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

At 11 a.m. on 13 March 2019 Spice Jet has made a Clarification, As Given Below.

March 11, 2019
parliament-election.jpg
1min8980

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એક બિઝનેસ સિટી છે અને વ્યાપારીઓ વાત વાતમાં બે-પાંચ લાખની રોકડ લઇને ફરતા હોય છે. વેપારી વર્ગમાં એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી કે ચૂંટણી આચારસંહિતામાં ફકત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર થઇ શકે છે. પરંતુ, આ ગેરમાન્યતા છે. સુરતના બિનરાજકીય સામાન્ય વ્યક્તિ, વેપારી, ધંધાર્થી રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે લઇને ફરી શકશે. એવી સ્પષ્ટતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ આજે પત્રકાર પરિષદમાં કરી હતી.

  • રાજકીય પક્ષ ઉમેદવાર સાથે સંકળાયેલા વ્યક્તિ રૂ.50 હજારની મર્યાદામાં રોકડ રાખી શકશે
  • બિનરાજકીય સામાન્ય વ્યક્તિ રૂ.10 લાખ સુધીની રોકડ રાખી શકશે, રૂ.10 લાખથી વધુ રકમ હશે તો ચૂંટણી તંત્ર ઇન્કમટેક્સ વિભાગને જાણ કરશે

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા (મોડર્ન કોડ ઓફ કન્ડક્ટ) લાગૂ થઇ ગયા પછી સુરતના વ્યાપારીઓ, ધંધાર્થીઓમાં એવી દહેશત હતી કે રૂ.50 હજાર કે તેનાથી વધુની કેશ (રોકડ રકમ)ની હેરફેર નહીં થઇ શકે. પરંતુ, આ બાબતમાં મહત્વની સ્પષ્ટતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું કે રૂ.50 હજાર કે તેથી વધુ રકમની કેશ હેરફેરનો નિયમ ફક્ત રાજકારણ સાથે, રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની સામે ચૂંટણી પંચના કાયદા અનુસાર કાર્યવાહી કરાશે. જો કોઇ બિનરાજકીય, સામાન્ય વ્યક્તિ હોય, કોઇ પાર્ટી કે ઉમેદવાર સાથે સંકળાયેલ ન હોય તેવી વ્યક્તિઓ રૂ.10 લાખ સુધીની રોકડની હેરફેર કરી શકશે. રૂ.10 લાખથી વધુની રોકડ સામાન્ય, બિનરાજકીય વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની જાણ ઇન્કમટેકસ વિભાગને કરવામાં આવશે.

  • ચૂંટણી આચારસંહિતાની ફરીયાદ માટે cVIGIL નામની એપ્લિકેશન

અગાઉની ચૂંટણીમાં વિવિધ ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરીયાદો માટે લેખિત સ્વરૂપનો આગ્રહ રાખવામાં આવતો હતો. કાગજકીય કાર્યવાહીને પગલે આચારસંહિતાના ભંગની ફરીયાદો થતી ન હતી કે વિલંબમાં મૂકાતી હતી.  આ વખતે ચૂંટણી પંચે સી.વિજિલ (cVIGIL) નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. કોઇપણ સામાન્ય વ્યક્તિ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ પર ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરીને જો તેમને ક્યાંય કોઇપણ પ્રકારે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ દેખાય તો તેના પર ફોટો, વિડીયો અપલોડ કરીને ઓનલાઇન ફરીયાદ કરી શકશે અને ચૂંટણી પંચ તમામ ફરીયાદ પર તાત્કાલિક ફોલોઅપ કરશે.

  • 1950 નંબરની ટેલિફોનિક હેલ્પલાઇન સામાન્ય લોકો માટે

જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ ખાસ આગ્રહ રાખ્યો હતો કે સામાન્ય લોકો, મતદારોમાં ચૂંટણી લક્ષી કોઇપણ પ્રકારની માહિતી જેવી કે મતદારયાદી, મતદાન મથક વગેરે જાણકારી માટે ટેલિફોનિક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. આ ટેલિફોનિક હેલ્પલાઇન નો નંબર 1950 છે. કોઇપણ વ્યક્તિ તેના પરથી ચૂંટણીની માહિતી લઇ શકશે.

 

March 11, 2019
epf_logo.jpg
1min13600

ઍમ્પ્લોયિસ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન-ઈપીએફઓના ગ્રાહકોએ આવનારા નાણાકીય વર્ષથી નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ કરવો નહીં પડે એમ જણાવતાં શ્રમ ખાતાએ કહ્યું હતું કે આ પ્રક્રિયાને હવે ઑટોમેટિક બનાવી દેવામાં આવશે.

યુનિવર્સલ અકાઉન્ટ નંબર (યુએએન) હોવા છતાં હાલ ઈપીએફઓના ગ્રાહકોએ નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ ફાઈલ કરવો પડે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દર વરસે ઈપીએફઓને ઈપીએફ ટ્રાન્સફર ક્લેમની આઠ લાખ જેટલી અરજી મળે છે. હાલ ઈપીએફઓ આ યંત્રણાનું પરીક્ષણ કરી રહ્યું છે. આવતા વરસે ગમે ત્યારે ગ્રાહકો માટે આ સુવિધાનો આરંભ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પેપરલેસ સંસ્થા બનવાનું લક્ષ્ય સિદ્ધ કરવા ઈપીએફઓએ આ યંત્રણાનો અભ્યાસ કરવા સી-ડૅક સંસ્થાને રોકી છે. હાલ ૮૦ ટકા કામકાજ ઑનલાઈન થાય છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર જે ક્ષણે નવો માલિક નવા કર્મચારીના યુએએન સહિત માસિક ઈપીએફ રિટર્ન ફાઈલ કરશે ત્યારે જ ઈપીએફનું યોગદાન અને તેના પરનું વ્યાજ ઑટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.

March 9, 2019
guj_gov_logo.png
1min16010
  • ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે
  • સ્ટેમ્પ ડયૂટી ઓનલાઇન ભરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા

Jayesh Brahmbhatt : 9825344944

રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઇન કરવાની સફળ કામગીરી બાદ ખેતી-બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડયૂટી પણ હવે ઓનલાઇન ભરપાઇ કરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા રાજ્યવ્યાપી ધોરણે કરવાની જાહેરાત રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે કરી છે.

  • તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બની હતી
  • ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી
  • ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં
  • 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી

મહેસૂલ પ્રધાને  ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરિણામે નાગરોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. માત્ર ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી છે.

કૌશિકભાઇ પટેલે  વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયામ પરવાનગી અમલી બનાવ્યા બાદ તેની સફળતાને પગલે હવે સમગ્ર રાજ્યમાં આ પદ્ધતિ અપનાવવામાં આવશે. રાજ્યસરકાર મહેસૂલ સેવાઓ ઓનલાઇન કરી સરળ અને પારદર્શી બનાવવા ઝડપભેર આગળ વધી રહી છે. જેના પરિણામે 15 માસ જેટલા ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે.

કઇ કઇ મહેસૂલી સેવાઓ ઓનલાઇન થઇ રહી છે

હાલ આઠ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થવા જઇ રહી છે જેમાં

(1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી-બિનખેતીના હેતુસર  શરતફેર કરવા અંગે પ્રિમીયમની પરવાનગી,

(2) જમીન મહેસૂલ અઘિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી,

(3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી,

(4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત  કરવું,

(5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી,

(6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(7) ગણોતધારાની કલમ-63 (એએ)હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રયિલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(8) ઇ-ધારામાં વારસાઇ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.

March 8, 2019
ayodhya.jpg
1min6480

અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દેશના સૌથી સંવેદનશીલ અને વિવાદી ઇશ્યુ ગણાતા અયોધ્યા વિવાદમાં મધ્યસ્થીથી નિર્ણય લાવવાનો આગ્રહ રાખીને સુપ્રીમ કોર્ટએ આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવામાં આવે એવો અભિગમ જાહેર કર્યો છે.

અયોધ્યા વિવાદને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે.

  • સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી
  • રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ
  • શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રામ પંચૂ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.

March 6, 2019
Swaksh2109.jpg
22min6560

દેશના શહેરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2019ના નામથી એક તંદુરસ્ત હરીફાઇ દર વર્ષે યોજવામાં આવે છે. દેશના લગભગ દરેક શહેરોમાં સ્વચ્છતા અંગેના સર્વેક્ષણ, લોકોના મત, જુદા જુદા પ્લેટફોર્મ પરથી એકત્રિત કરીને જે તે શહેરોના સ્વચ્છતામાં સ્થાન આપવામાં આવે છે. 2019ના વર્ષ માટેના સ્વચ્છ સર્વેક્ષણમાં નીચે મુજબના 100 શહેરોને સ્વચ્છતા અંગેના રેટિંગ્સ આપવામાં આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણના પેરામીટર્સ ધ્યાને લેવામાં આવ્યા હતા.

સ્વચ્છતા સર્વેક્ષણ 2019ના પરિણામો જાહેર થયા છે. જેમાં રાજકોટ દેશનું નવમું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. જ્યારે સૌથી સ્વચ્છ મોટા શહેરની યાદીમાં અમદાવાદ પ્રથમ

સર્વેમાં ઈંદૌર સતત ત્રીજી વાર અવ્વલ રહ્યું છે. જ્યારે રાજકોટને નવમું સ્થાન મળ્યું છે. સૌથી સ્વચ્છ રાજધાનીઓમાં ભોપાલ પહેલા સ્થાન પર છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈને બાજી મારી છે.

મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે, સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં દેશનાં 4237 શહેરોનો 28 દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. આ દરમિયાન અલગ અલગ ટીમોએ 64 લાખથી વધુ લોકોના પ્રતિભાવો જાણ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી આ શહેરોના 4 કરોડ લોકોના પ્રતિભાવો લેવામાં આવ્યો. ટીમે આ શહેરોના 41 લાખ ફોટો ભેગા કર્યા. સર્વેક્ષણમાં સામેલ શહેરો તરફથી સ્વચ્છતાના સંદર્ભમાં સાડા ચાર લાખે ડૉક્યૂમેંટ્સ અપલોડ કરવામાં આવ્યા.

  • World’s largest cleanliness survey
  • વિશ્વમાં સૌથી મોટો સ્વચ્છતા આધારિત સરવે

 

  • 4237 cities covered
  • ભારતના 4237 શહેરો, નગરોને આવરી લેવાયા

 

  • Survey completed within 28 days
  • 28 દિવસમાં સ્વચ્છ સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું

 

  • 4.5 Lakh documents were uploaded by cities
  • શહેરોએ પોતાના તરફથી 4.5 લાખ જેટલા ડોક્યુમેન્ટસ અપલોડ કર્યા હતા

 

  • 41 lakhs Geotagged Photos captured from field
  • 41 લાખ જીઓટેગ ફોટો ફિલ્ડમાંથી કેપ્ચર કરવામાં આવ્યા

 

  • Massive participation by citizens
  • નાગરીકોએ મોટી સંખ્યામાં મંતવ્યો આપ્યા

 

  • 64 Lakhs citizen feedback collected
  • 64 લાખ નાગરિકોના ફિડબેક ભેગા કરવામાં આવ્યા

 

  • Social Media Outreach of 4 Crores
  • સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમોથી 4 કરોડ લોકો સુધી અભિયાન પહોંચાડવામાં આવ્યું હતું

સ્વચ્છ સર્વેક્ષણમાં દેશના ટોચના 100 શહેરોમાં કયા કયા શહેરોને સ્થાન મળ્યું છે એ નીચે મુજબના કોષ્ટક પરથી જાણી શકાશે

RANK CITY NAME SCORE
#1 Indore 4659.09
#2 Ambikapur 4394.09
#3 Mysore 4378.54
#4 Ujjain 4244.47
#5 New Delhi (NDMC) 4190.52
#6 Ahmedabad 4137.43
#7 Navi Mumbai 4128.85
#8 TIRUPATI 4024.61
#9 Rajkot 4000.15
#10 Dewas 3967.61
#11 Bhilai Nagar 3929.48
#12 Vijayawada 3882.46
#13 Ghaziabad 3877.43
#14 Surat 3860.66
#15 Jamshedpur 3805.72
#16 Kolhapur 3803.28
#17 Khargone 3798.34
#18 Nagda 3794.48
#19 Bhopal 3793.68
#20 Chandigarh 3787.09

 

RANK CITY NAME SCORE
#21 Singrauli 3763.08
#22 Gandhinagar 3756.71
#23 GVMC Visakhapatnam 3744.09
#24 Karnal 3735.72
#25 Jabalpur 3667.32
#26 Chhindwara 3636.41
#27 Mira-Bhayandar 3622.11
#28 Bilaspur 3616.57
#29 Chandrapur_M 3603.73
#30 Ambarnath 3575.32
RANK CITY NAME SCORE
#31 Bathinda 3520.18
#32 Jagdalpur 3510.18
#33 Durg 3500.35
#34 Wardha 3475.07
#35 Greater Hyderabad 3454.9
#36 Vasai Virar 3447.93
#37 Pune 3445.54
#38 Latur 3426.81
#39 Tiruchirappalli 3414.37
#40 Coimbatore 3411.64
RANK CITY NAME SCORE
#41 Raipur 3393.28
#42 Rajnandgaon 3390.69
#43 Raigarh 3373.97
#44 Jaipur 3365.75
#45 Satara 3361.44
#46 Ranchi 3319.31
#47 Neemuch 3314.39
#48 Sagar 3283.6
#49 Greater Mumbai 3276.84
#50 Pithampur 3273.2
RANK CITY NAME SCORE
#51 Kulgaon-Badlapur 3243.57
#52 Pimpri Chinchwad 3228.33
#53 Udgir 3225.28
#54 Solapur 3206.43
#55 Barshi 3197.66
#56 Dhanbad 3190.09
#57 Thane 3181.06
#58 Nagpur 3160.31
#59 Gwalior 3147.59
#60 Nanded Waghala 3141.37
RANK CITY NAME SCORE
#61 Chennai 3118.03
#62 Ratlam 3116.27
#63 Kanpur 3113.33
#64 Hazaribag 3112.56
#65 Korba 3111.36
#66 Chas 3095.89
#67 Nashik 3092.99
#68 Jhansi 3086.27
#69 Rohtak 3082.76
#70 Varanasi 3063.21
RANK CITY NAME SCORE
#71 Panchkula 3055.89
#72 Patiala 3053.86
#73 Deesa 3051.91
#74 Amravati 3041.88
#75 Rewa 3039.33
#76 Jalgaon 3033.6
#77 Kalyan Dombivali 3013.26
#78 Damoh 3011.64
#79 Vadodara 2999.85
#80 Jamnagar 2995.95
RANK CITY NAME SCORE
#81 Warangal 2995.25
#82 Shivpuri 2986.85
#83 Gurgaon 2975.41
#84 Bhiwandi Nizampur 2971.78
#85 Agra 2970.14
#86 Panvel 2968.58
#87 Hoshangabad 2955.85
#88 Vapi 2952.76
#89 Achalpur 2936.41
#90 Tenali 2935.8
RANK CITY NAME SCORE
#91 Bhavnagar 2921.17
#92 Saharanpur 2908.16
#93 Khandwa 2907.74
#94 Beed 2904.89
#95 Mango 2897.5
#96 Yavatmal 2887.13
#97 Katni 2872.43
#98 Rajahmundry 2866.89
#99 Karimnagar 2861.24
#100 Dhule 2858.07

સ્વચ્છ સર્વેક્ષણ 2019માં રાજ્યોની કેવી સ્થિતિ

States Ranking

POSITION STATE NAME
#1 Chhattisgarh
#2 Jharkhand
#3 Maharashtra
#4 Madhya Pradesh
#5 Gujarat
#6 Andhra Pradesh
#7 Punjab
#8 Telangana
#9 Haryana
#10 Uttar Pradesh
POSITION STATE NAME
#11 Rajasthan
#12 Tamil Nadu
#13 Manipur
#14 Karnataka
#15 Jammu and Kashmir
#16 Mizoram
#17 Odisha
#18 Goa
#19 Uttarakhand
#20 Himachal Pradesh
POSITION STATE NAME
#21 Kerala
#22 Sikkim
#23 Tripura
#24 Bihar
#25 Nagaland
#26 Assam
#27 Arunachal Pradesh
#28 Meghalaya
March 5, 2019
JET.jpg
1min10480
  • જેટ એરવેઝના કુલ 123 પ્લેનમાંથી ત્રીજા ભાગના પ્લેન જમીનગત કરી દીધા છે
  • જેટની રોજની 100થી વધુ ફ્લાઇટ્સ રદ
  • ઇન્ડિગોની દૈનિક 40 ફ્લાઇટ્સ રદ
  • મુસાફરી ભાડામાં તોતિંગ ભાવવધારાનો તોળાતો ભય
  • કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ

જેટ એરવેઝે છેલ્લા એક સપ્તાહમાં સેંકડો ફ્લાઇટ રદ કરી છે. તેની સાથે ઇન્ડિગોએ પણ રોજની 40થી વધારે ફ્લાઇટ રદ કરતાં હવાઈપ્રવાસ મોંઘો થયો છે. દેશનાં નાનાં શહેરો વચ્ચે હવાઈભાડાંમાં 60 ટકા વધારો થયો હોવાનું જાણવા મળે છે. જેટે તેના કુલ 123 પ્લેનના કાફલામાંથી ત્રીજા ભાગનો કાફલો જમીનગત કરી દીધો છે અને તે રોજની 100થી વધુ ફ્લાઇટ રદ કરી રહ્યું છે. ખાસ કરીને જેટે ઉત્તરપૂર્વમાં તો ઊડવાનું જ બંધ કરી દીધું છે. કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ છે. ભાડામાં સરેરાશના ધોરણે 25 ટકાનો વધારો થયો છે અને કેટલાંક સેક્ટરોમાં 60 ટકા જેટલું ભાડું વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી-મુંબઈ દેશમાં અત્યંત વ્યસ્ત રૂટ હોવાથી તેને હજી સુધી સ્પર્શવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે, “અમે હજી પણ નબળી સીઝનનો સામનો કરી રહ્યા છીએ. માર્ચ આવતાં ભાડાંમાં હજી વધારો થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

ઇન્ડિગોના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે આગામી સપ્તાહોમાં દૈનિક 30થી વધારે દૈનિક ફ્લાઇટ્સ રદ કરવાની છે. ઉદ્યોગનાં આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ આ આંકડો 40ને સ્પર્શી શકે છે. સામાન્ય રીતે આ બે એરલાઇન્સ દૈનિક 1,700થી 2,000 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેના લીધે સૌથી વધારે અસર પામનારા રૂટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મેટ્રોથી નોન-મેટ્રો રૂટ છે.

રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જુએ છે કે કેટલી ઝડપથી સીટો વેચાઈ રહી છે અને તેને મુજબ ભાડાંને કેવી રીતે એડ્જસ્ટ કરવામાં આવી શકે. આમ એરલાઇન્સ દ્વારા જે રૂટ રદ કરવામાં આવ્યા છે તેમાં તો ચોક્કસપણે ભાવમાં વધારો થવાનો એ સ્વાભાવિક છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલી જેટે ગયા વર્ષે વર્ષના બીજા ભાગમાં લીઝ રેન્ટલ પેમેન્ટમાં નાદારી નોંધાવતાં તેણે કેટલાંય પ્લેન ભૂમિગત કરવા પડ્યાં છે.

March 2, 2019
farmers.jpg
1min12210

વીમા કંપનીએ ચલાવી ઉઘાડી લૂંટ : બે વર્ષમાં ખેડૂતોને ચૂકવાયો ફક્ત 32% પાક વીમો!

2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રિમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂ. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. આમ ટકાવારીમાં વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ’ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમા જણાવ્યું’ કે, 2017 અને વર્ષ 2018 દરમિયાન ખેડૂતોના પાક વીમાના પ્રિમિયમ પેટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 3 સરકારી અને 6 ખાનગી વીમા કંપનીઓને રૂા.6685 કરોડ ચુકવવામાં આવ્યા છે.

જેમાં એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.1134 કરોડ, એચ.ડી.એફ.સી. અર્ગોને રૂા.1329 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કાર્ગોને રૂા.31 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સને રૂા.1619.60 કરોડ, ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સને રૂા.276 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.426 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.264 કરોડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.998 કરોડ અને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોયન્સ કંપનીના રૂા.618 કરોડ મળીને કુલ રૂા.6685.60 કરોડ પ્રિમિયમ તરીકે ચુકવાયા છે.

ખેડૂતોના પાક નિષ્ફળ જવાને લઇને જે વીમાની રકમ ચુકવવાની હતી તે આ બે વર્ષ દરમિયાન માત્ર રૂા.2192 કરોડ ચુકવાઇ છે. જેમાં 3 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લી.દ્વારા રૂા.998 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂા.353 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા રૂા.38 કરોડ, જ્યારે ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.766 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.177 કરોડ જ્યારે ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા માત્ર રૂા.20.57 કરોડ ચુકવવામાં આવ્યા છે.

બહુચર્ચિત’ રફાલમાં જેમનું નામ ચમક્યું છે તે અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને વર્ષ 2018 માટે રૂા.992 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 માટે રૂા.264 કરોડ સહિત યુનિવર્સલ સેમ્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 પેટે રૂા.618 કરોડનું પાક વીમા પ્રિમિયમ ચુકવાયું છે અને આ પાક વીમા પ્રિમિયમ ખરીફ-2018 માટે ચુકવવામાં આવ્યું છે. ‘ ‘
એચડીએફસી અર્ગોને વીમા પ્રિમિયમ તરીકે સરકારે રૂા.1329 કરોડ ચુકવ્યા તેની સામે તેમણે દાવા રૂા766ના મંજુર કર્યા એટલે કે 50 ટકા જેટલા દાવા મંજુર થયા, બીજી રીતે કહીએ તો રૂા.563 રોડનો એચડીએફસી કાર્ગોએ નફો કર્યો. એવી જ રીતે ઇફકો ટોકીયોને વીમા પ્રિમિયમ પેટે રૂા.276 કરોડ ચુકવ્યા તો તેમણે દાવા માત્ર 20.57 કરોડના જ મંજુર કર્યા એટલે કે માત્ર 1 ટકા જ દાવા મંજુર થયા. એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપની પણ તેને ચુકવાયેલા પ્રિમિયમના 40 ટકા દાવા મંજુર કરતા તે પણ 60 ટકા જેટલી રકમ કમાઇ હોય તેવું અનુમાન મુકી શકાય છે.

March 1, 2019
abhi.jpg
1min12310

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.