CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 117 of 142 - CIA Live

June 17, 2019
dr.jpg
1min982

સમગ્ર દેશમાં હડતાળ પર ઉતરેલા તબીબોને કારણે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં માછલાં ધોવાય રહ્યા હતા. ચોમેરથી પ્રેશર વધતા આખરે અડગ વલણ અપનાવનાર મમતા બેનરજીએ તબીબો સામે ઝુંકવું પડ્યું છે. પશ્ચિમ બંગાળનું મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રદર્શન કરનારા ડોક્ટરો સાથેની તાકીદની બેઠક યોજી હતી.જેમાં મમતા બેનરજીએ માંગણી સ્વીકારી હતી કે પશ્ચિમ બંગાળની દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર મુકવામાં આવશે.

રેસિડેન્ટ ડોક્ટરો મમતા બેનરજીના આ નિર્ણયથી ખુશ છે તેવું તેમણે જણાવ્યું હતું.

કોલકાત્તાના NRS મેડિકલ કોલેજમાં જૂનિયર ડોક્ટર્સ સાથે મારઝૂડના વિરોધમાં 17 જૂનથી એક દિવસ માટે ડોક્ટરો દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ઉદભવેલી આ સમસ્યાએ આજે દેશભરમાં તબીબી સેવાઓને ખોરવી નાંખી છે.

દેશમાં ડોક્ટર્સના સૌથી મોટા સંગઠન IMA એ સમર્થન આપતા આજની તબીબોની હડતાળ ભારતભરમાં જડબેસલાક બની હતી.

તબીબોની હડતાળનું પ્રેશર સીધું જ મમતા બેનરજી પર પડ્યું હતું અને ડોક્ટર્સ વિરુદ્ધ સખત વલણ ધરાવનાર પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પીછેહઠ કરવાનો સમય આવ્યો છે. દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષા મામલે વિરોધ થતા મમતા બેનરજી સરકાર પર ચોતરફથી દબાણ વધ્યું હતું. જેના કારણે સોમવારના રોજ તેઓએ હડતાળને ખતમ કરવા માટે તમામ શરતોને માનતા મીડિયાની સામે જ ડોક્ટર્સના પ્રતિનિધિમંડળને મળવા રાજી થયા હતા.

June 17, 2019
Vayu-kach-sandesh.txt.jpg
1min1385

gujarat

ગુજરાત પરથી ફંટાઇને એક સમયે ઓમાન તરફ ફંટાયેલું વાયુ વાવાઝોડું મધદરિયાથી ફરીથી ગુજરાતની દિશામાં વળ્યું હતું અને હવે આજે રાત્રે કચ્છની ભૂમિ પર ત્રાટકી શકે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કચ્છની દરીયાઇ સીમા પર એલર્ટ પોઝીશન જાહેર કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડું કચ્છના દરિયા કિનારાના લખપતથી માંડવી વચ્ચે વાયુ લેન્ડફોલ કરશે, જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવા ઉપરાંત તોફાની પવન ફુંકાઈ શકે છે. જોકે, વાયુ હાલ નબળું પડી ચૂક્યું છે, અને તેનાથી કોઈ તબાહી ફેલાય તેવી શક્યતા નથી.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 18મી તારીખે પણ કચ્છમાં વાયુની અસર જોવા મળશે. તેના કારણે 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આ ઉપરાંત, આ વાવાઝોડું કચ્છમાં ભારે વરસાદ પણ લાવી શકે છે. તેના લીધે સૂકા કચ્છમાં 8-10 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

કચ્છ ઉપરાંત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વાયુને કારણે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. હાલ કચ્છમાં વાયુના ખતરાને ધ્યાનમાં લેતા બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. કચ્છ સિવાયના ગુજરાતના બાકીના કોઈ વિસ્તારને આ વાવાઝોડાંની ખાસ અસર નથી થવાની.

વાવાઝોડાં દરમિયાન દરિયો તોફાની બનવાની પૂરી શક્યતા હોવાના કારણે માંડવી બીચ પર પ્રવાસીઓની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. માછીમારોને પણ હાલ દરિયામાં ન જવા માટે કહી દેવામાં આવ્યું છે, અને ફિશિંગની બોટ્સ કિનારા પર લાંગરી દેવામાં આવી છે.

June 16, 2019
metro.jpeg
1min4910

વન નેશન, વન કાર્ડ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે કેન્દ્ર સરકાર
મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે ટૂંક સમયમાં ખુશખબરી આવી શકે છે. સરકાર એક એવું સ્માર્ટ કાર્ડ લાવવા ઉપર વિચારણા કરી રહી છે જેનો ઉપયોગ દેશની તમામ મેટ્રો માટે ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ સીમિત યાત્રીઓ માટે જ હશે. અન્ય શહેરમાં મેટ્રો કાર્ડનો ઉપયોગ કરવા માટે મુસાફરે માત્ર કાર્ડ કાઉન્ટર ઉપરથી રિચાર્જ કરાવવાનું રહેશે.
કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ જ વન નેશન વન કાર્ડની યોજના લોન્ચ કરી છે. જેના મારફતે દેશમાં કોઈપણ પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. જો કે આ કાર્ય જારી કરાવવા માટે કેવાઈસી પ્રક્રિયા અનિવાર્ય રહેશે અને અલગ અલગ બેન્કમાંથી જ કાર્ડ મેળવી શકાશે. મેટ્રો કાર્ડ એક રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવું જ હશે.
એક અંદાજ મુજબ કાર્ડ આગામી 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે. વન નેશન વન કાર્ડના પ્રોજેક્ટ સંબંધિત એક અધિકારીના કહેવા પ્રમાણે એવા લોકો જે થોડા સમય માટે ભારત આવ્યા હોય અથવા તો કોઈ શહેરમાં રોકાવાનો સમય ઓછો હોય તેવા લોકોને કાર્ડ મળશે નહી. કેવાઈસી પ્રક્રિયા પુરી કર્યા વિના કાર્ડ જારી કરવામાં આવશે નહી. આવા લોકો માટે એક વૈકલ્પિક કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે પાસપોર્ટ અને આધારકાર્ડ ફરજીયાત રહેશે.
June 16, 2019
dr_strike.jpg
2min8540

પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં એક તબીબ ઉપર જીવલેણ હુમલો થયો તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત શાખાના સેક્રેટરીએ 17મી જૂનના સોમવારે ગુજરાતના ડૉક્ટરો હડતાળ ઉપર ઊતરવાનું એલાન અપાયું હતું.

સુરતનું ચિત્ર

સુરતની વાત કરીએ તો સુરતના તબીબ અગ્રણી ડો. વિનોદ સી. શાહે સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું હતું કો કોલકાત્તામાં તબીબ થયેલા જીવલેણ હુમલાનો અમે સૌ સુરતના તબીબ આલમ વખોડી કાઢીએ છીએ. આ ઘટનાને અનુસંધાને તાજેતરમાં સુરત કલેક્ટરશ્રીને મેમોરેન્ડમ આપી દેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં તબીબોની સ્ટ્રાઇકના ભાગરૂપે સોમવાર, તા.17મી જુને સુરત શહેરના લગભગ 99 ટકા તબીબો અને હોસ્પિટલ્સ કામકાજથી અળગા રહેશે. 500થી વધુ હોસ્પિટલ્સ પણ કાર્યરત નહીં રહીને પોતાનો વિરોધ દર્શાવશે.

ડો.વિનોદ શાહે કહ્યું હતું કે સુરતના તબીબોની માગણી છે કે એસોલ્ટ ઓન ડોક્ટર્સના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે આવા સંજોગોમાં રાજ્યવાર નહીં બલ્કે દેશમાં તબીબોના રક્ષણ માટે એક સમાન કોમન કાયદો બને અને તેનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે.

(Symbolic Photo)

ગુજરાતનું ચિત્ર

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સોમવારે સવારે છ વાગ્યાથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી આ હડતાળ ચાલશે. પણ આ હડતાળમાં ઈમરજન્સી સેવાને કોઈ અસર નહીં થાય, માત્ર નોન-ઈમર્જન્સી સેવાને હડતાળ લાગુ પડે તે રીતે હશે.

17મી જૂને એસોસિયેશન સાથે સંકળાયેલા 28 હજાર ડોક્ટરો હડતાળ પાડશે. તમામ મેમ્બર્સને આ સંદર્ભે જાણ કરાઈ હતી. ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ડોક્ટરોની મિટિંગ યોજવામાં આવી હતી. ડૉક્ટરોએ વડા પ્રધાન અને દેશના ગૃહપ્રધાનને ઈ-મેઈલ કરી ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદામાં હૉસ્પિટલ હુમલા માટે ઓછામાં ઓછા સાત વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ તેવી માગણી કરાઈ હતી.

Guidance by IMA Gujarat

Date: 16-6-2019 To, All Local branches Presidents & Secretaries, All State Working Committee members. Dear Doctor,

1. The withdrawal of services on Monday, June 17th, 2019 for 24 Hours between 06:00 AM to 06:00 AM (next day) is hereby reconfirmed and reiterated. Everyone is requested to strengthen the agitation.

2. All health care institutions across the sectors are requested to participate.

3. All doctors in all sectors are requested to participate.

4. Emergency and casualties should function normally.

5. Already admitted inpatients should be cared for as usual.

6. All the local branches are directed to give a press statement regarding withdrawal of all non-essential services (especially O.P.D.). Model press statement will follow.

7. All local branches shall report in realtime with photographs at imagsb@gmail.com

8. Associated activities like Protest Marches, Public Meetings etc. can be held as per local exigency.

9. Posters and social media postings can be customised to local needs and prepared at local branches level.

10. Students of all medical colleges should be involved through IMA MSN and respective local branches.

11. IMA JDN and the state branches should coordinate will all Resident Doctors Associations and Junior Doctors.

12. Local Branches should request and involve all Government Doctors organisations.

13. Local branches should request and involve Local chapters of all speciality organisations.

14. Local branches and IMA HBI should involve all Hospital and Nursing Home Organisations.

 

Thanking You Yours sincerely, Dr. S.S. Vaishya Dr. Kamlesh Saini President Hon. State Secretary G.S.B. I.M.A. G.S.B. I.M.A.

June 15, 2019
Vayu-kach-sandesh.txt.jpg
1min6300

ગુજરાતને માથેથી માંડ ટળેલું વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછું ફરીને કચ્છ પર 17 અથવા 18મી જૂને ત્રાટકવાની શક્યતા અર્થ સાયન્સ મંત્રાલયે જાહેર કરી હતી. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછુ ફરે એવી શક્યતા છે અને 17 કે 18મી જૂને કચ્છ પર ત્રાટકવાની શક્યતા સર્જાઇ છે. જોકે, વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે, પણ તોય એ કિનારા પર વાવાઝોડા સાથે અથડાશે. આ મામલે ગુજરાત સરકારને વાવાઝોડાની આડઅસર વિશે જાણ કરી દેવાઇ છે અને સરકાર ફરી એકવાર સાબદી થઇ છે. વાવાઝોડું ‘વાયુુ’ અગાઉ ગુરુવારે ગુજરાત પહોંચવાનું હતું, પણ બુધવારે રાતે એની દિશા બદલાઇ હતી. જોકે એ ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર નજીકથી પસાર થયું હતું.

June 15, 2019
doctors_wb.jpg
1min11400

પ.બંગાળમાં સાથી ડૉક્ટર પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરો પરત્વે એકતા દર્શાવવા ઈન્ડિયન મૅડિકલ અસોસિયેશન (આઈએમએ)એ શુક્રવારે ત્રણ દિવસનું રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન આરંભ્યું હતું અને બિનજરૂરી આરોગ્ય સેવા પાછી ખેંચી લઈ 17મી જૂને હડતાળની હાકલ કરી છે.

હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાનું કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા પર લગામ તાણવા કાયદો ઘડી કાઢવાની પણ આઈએમએએ નવેસરથી માગણી કરી છે અને તેમાં નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ એમ જણાવ્યું છે.

ડૉક્ટરો પર અવારનવાર કરવામાં આવતા હિંસક હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આઈએમએએ કાળી પટ્ટી પહેરી, ધરણા કરી, શાંતિપૂર્ણ રીતે સરઘસ કાઢી આજે અને આવતીકાલે પણ દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ અસોસિયેશનોને તેમાં સહભાગી થવાની વિનંતી કરી છે.

કોલકાતાસ્થિત એનઆરએસ કૉલેજ ખાતે ટોળાં દ્વારા ડૉ. મુખરજી પર કરવામાં આવેલા હિંસક હુમલાની ઘટનાને આઈએમએએ વખોડી કાઢી હતી અને ઘટનાને મામલે રાજ્ય સરકાર તરફથી દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.

પ.બંગાળના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની યોગ્ય માગણીઓ કોઈપણ પ્રકારની શરત વિના સ્વીકારવામાં આવવી જોઈએ, એમ આઈએમએના સેક્રેટરી જનરલ આર. વી. અશોકને કહ્યું હતું.

કોલકાતાના ડૉક્ટરોની હડતાળને ટેકો જાહેર કરવા અને તેમના પરત્વે એકતા વ્યક્ત કરવા મુંબઈના 2800 સહિત મહારાષ્ટ્રના 4500 કરતા પણ વધુ ડૉક્ટરોએ પણ એક દિવસની હડતાળ પાડી હતી. હૈદરાબાદ અને તેલંગણામાં જૂનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.

જયપુરમાં એસએમએસ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કાળીપટ્ટી અને હૅલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ડૉક્ટરોએ પણ પ્રતીકાત્મક હડતાળમાં ભાગ લીધો હતો.

રાયપુરમાં અંદાજે 400 જેટલા ડૉક્ટરોએ રાજ્યની સૌથી મોટા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હૉસ્પિટલમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હૉસ્પિટલના પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.

અનેક ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરી જતા પણજીસ્થિત ગોવા મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ સહિતની રાજ્યની હૉસ્પિટલોની સેવા આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી. ચંડીગઢમાં 1200 તો કોઈમ્બતુરમાં 100 ડૉક્ટરોએ ધરણા કર્યા હતા તો મહિલા ડૉક્ટરો પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી.

દરમિયાન, દેશભરના ડૉક્ટરોના આ પગલાંની સીધી અસર દર્દીઓ પર પડી હતી. હજારો દર્દીઓની સારવાર રખડી પડી હતી. દર્દીઓનો આર્તનાદ અસહ્ય હતો. જીવ બચાવનારાઓ જ જીવ લેવા બેઠા છે એવું દર્દીઓના સગાંઓ બોલી રહ્યા હતા. ડૉક્ટરોએ પેશન્ટોને રીતસર વૅન્ટીલેટર પર રાખ્યા છે. દર્દીઓનું દર્દ કોણ સમજશે? એવો આક્રોશ જોવા મળ્યો હતો.

June 14, 2019
pension-1280x720.jpg
1min16250

પ્રધાન મંત્રી કિસાન પેન્શન યોજનામાં ખેડૂતે દર મહિને ફક્ત રૂ. 100 ભરવાના રહેશે અને સરકાર પણ એટલા જ રૂપિયા એલઆઇસીને આપશે.

18-40 વર્ષની વયના નાના અને મધ્યમ ખેડૂતો આ યોજનામાં ભાગ લઇ શકશે. તેઓ જ્યારે 60 વર્ષના થશે ત્યારે એમને દર મહિને રૂ. 3000નું પેન્શન જીવનભર આપવામાં આવશે. મોદી 2.0 સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં પહેલા ત્રણ વર્ષ દરમિયાન પાંચ કરોડ લાભકર્તા માટે પીએમ કિસાન યોજનાને મંજૂરી આપી હતી. આ માટે સરકારને દર વર્ષે રૂ. 10,774.5 કરોડનો ખર્ચ થશે. કેન્દ્રીય કૃષી પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજના વિશે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની વિનંતી કરી હતી.

June 14, 2019
ISRO.jpg
1min6110

ભારત પાસે પોતાનું ઍર સ્પેસ સ્ટેશન અવકાશમાં સ્થાપવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત ઇસરોના પ્રમુખ કે સિવાને જાહેર કરી હતી.

એમના કહેવા પ્રમાણે આ રીતે ભારત વધુ માનવોને અવકાશમાં મોકલી શકશે. આ વિશે એમણે આપેલી રસપ્રદ માહિતીમાં જણાવ્યું હતું કે અમે ગગનયાન કાર્યક્રમ શરૂ કર્યો છે. લાંબા ગાળાની યોજના પ્રમાણે અમે ભારતનું અલાયદુ ઍર સ્પેસ સ્ટેશન બનાવીશું. ભારત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ) સાથે નહીં જોડાય.

અમે ચન્દ્ર અને ધૂમકેતુ પર માનવ મોકલવાના આંતરરાષ્ટ્રીય મિશનમાં સહભાગી થઇશું. સ્પેસ પ્રોગ્રામ માટે અમારી પાસે સ્પષ્ટ યોજના છે. આપણું સ્પેસ સ્ટેશન ઘણું નાનું હશે. અમે નાનકડું મોડ્યુલ મોકલીશું અને એનો ઉપયોગ માઇક્રોગ્રેવિટી પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે. આપણા સ્પેસ સ્ટેશનનું વજન વીસ ટન જેટલું હશે.

જોકે, એમણે એ વાત સ્પષ્ટ કરી હતી કે સ્પેસ સ્ટેશન બનાવીને તેઓ સ્પેસ પર્યટન શરૂ કરવા નથી માગતા. ગગનયાન મિશન બાદ 2022 સુધીમાં તેઓ સરકારને મંજૂરી માટે અરજી મોકલશે તથા આ યોજના પૂર્ણ થતા પાંચથી સાત વર્ષનો સમય લાગશે.

June 13, 2019
vayu-1280x720.jpg
1min11570
વાવાઝોડું ફંટાઈને હવે તેની દિશા બદલી રહ્યું છે. ગુજરાતનો દરિયાકાંઠો પસાર કર્યા બાદ તે ઉત્તર અરબ સાગરમાં કરાચીના દરિયા કિનારામાં પહોંચીને નબળું પડી શકે છે. હાલમાં ગુજરાતના દરિયા કિનારે ‘વાયુ’ની અસરના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હળવો વરસાદ પડી રહ્યો છે.

સેટેલાઇટ ઇમેજીસ કહે છે વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે

હવામાન અંગે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સ્કાયમેટની વેબસાઇટ પર કરવામાં આવેલા ફોરકાસ્ટ અનુસાર તા.13 અને તા.14 જુન દરમિયાન વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા, જુનાગઢ, નલિયા અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત વેરાવળ અને ઓખામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વચ્ચે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હવામાન એજન્સી સ્કાયમેટ ની આગાહી ગુજરાતના રહેવાસીઓ ઉપરાંત રાજ્ય સરકાર માટે રાહતજનક પુરવાર થઇ રહી છે.

વૈશ્વિક રીતે સ્વીકૃત સ્કાયમેટ વેબ ફોરકાસ્ટ કહે છે ગુજરાતની ધરતીને નહીં સ્પર્શે વાયુ

સ્કાયમેટ ફોરકાસ્ટ અનુસાર ‘વાયુ’ વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય પરંતુ તે પોરબંદરના દરિયાકાંઠા નજીકથી પસાર થઈને ઓમાન તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે વાવાઝોડું પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠા નજીકથી પસાર થશે. આ પહેલા ‘વાયુ’ વેરાવળથી દ્વારકા વચ્ચેના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

સ્કાયમેટ મુજબ ‘વાયુ’ વાવાઝોડાનું સિસ્ટમ દરિયામાં ચાલુ જ રહેશે, પરંતુ જમીન તેને નબળું પાડી રહી છે. હાલમાં કેટેગરી 2નું વાયુ વાવાઝોડું નબળું પડી કેટેગરી 1 માં પરિણમી શકે છે. જોકે તેમ છતાં 135થી 145કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને 175 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉદભવતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે NDRFની ટીમોને ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત 3 લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
vayu latest update માટે છબી પરિણામ
June 12, 2019
dwarka.jpg
1min6250

વાયુ’ વાવાઝોડાંને પહેંચી વળવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી છે અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. તમામ બંદરો ઉપર બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં બહારના રાજ્યોમાંથી પણ એનડીઆરએફના જવાનો તૈનાત કરાયા છે. જ્યાં વાવાઝોડાંની સૌથી વધારે અસર થવાની સંભાવના છે તેવા ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે અને અન્ય ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ માછીમારોને બોટ સાથે પરત બોલાવી લેવાયા છે. જો કે, પોરબંદરની 1પ બોટ અને 4પ બોટ હજી પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે.’ લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી સાથે શાળાઓની ઈમારતો ખાલી રાખવામાં આવી છે અને સંખ્ય-ાબંધ એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

મોરબીમાં કાર્યવાહી

વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયાકાંઠાના 39 ગામના 5900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, તો 160થી વધુ બોટ અને 4000 જેટલા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે. એનડીઆરએફની ટીમને મોરબીમાં તૈનાત કરાઇ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તો હાલ અમરેલીના દરિયામાં મોજા ઉંચે ઉછળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ગીર સોમનાથના 40 ગામોને એલર્ટ કરાયા છે. સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળના 8-8 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17 થી 18 ગામ પર તંત્ર નજર રાખી રહ્યું છે.’ આ માટે એનડીઆરએફની ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. તો બીજી તરફ જોડીયા અને જામનગર ખાતે પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

કચ્છની સ્થિતિ

‘કચ્છમાં જખૌ બંદર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જખૌ બંદર પર માછીમારોને સચેત કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમ જખૌ બંદર પર તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. વાવાઝોડાના જોખમને પગલે મજુરોને વ્યવસ્થિત અને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે. ગાંધીનગરની બે એનડીઆરએફની ટીમ નલિયા અને કંડલા જશે. દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ મુજબ લોકો અને વહીવટી તંત્રને સૂચિત કરાશે.

અમરેલી

અમરેલીના અહેવાલ મુજબ 700 જેટલી બોટ જાફરાબાદ લાંગરી દેવામાં આવી છે. જાફરાબાદના 11, રાજુલાના 12 સહિત 23 ગામોને હાઈએલર્ટ’ કરવામાં આવ્યા છે. 60 એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. મોરબીથી મળતા અહેવાલ મુજબ, મોરબી જિલ્લાના કુલ 348 ગામ પૈકી 39 ગામો અને તેના પ3પ3 નાગરિકોના સ્થળાંતર માટેની તમામ તૈયારી કરી લેવાઈ છે. આ માટે 48 સ્કૂલો અને પાંચ આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ, જ્ઞાતિ-સમાજની વાડી વગેરે ખાલી રાખવામાં આવ્યા છે. સિરામિક એસોસિએશનને તકેદારી માટે અપિલ કરી છે. મોરબીનું ફાયર બ્રિગેડ 40ના સ્ટાફ સાથે સ્ટેન્ડ ટુ થઈ ગયું છે. ફાયર બ્રિગેડના વિનયભાઈ ભટ્ટ, ડી.ડી.જાડેજા સહિતનો સ્ટાફ પરિસ્થિતિને પહેંચી વળવા તૈનાત છે.

જામનગરમાં સ્થિતિ

જામનગરથી મળતા અહેવાલ મુજબ, કલેક્ટર રવિશંકર રજા ઉપર ગયા હતા પણ રજા રદ્દ કરીને તે પરત આવી ગયા છે અને તમામ સ્થિતિની સમીક્ષા કરી છે. જામનગર અને જોડીયા માટે એનડીઆરએફની બે ટીમ આવી પહેંચી છે. માછીમારોને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. પોરબંદરમાં વાવાઝોડાંમાં લોકોને મદદ કરવા માટે પોરબંદર જિલ્લા યુવા ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે રહેશે અને આ માટે એક મિટીંગ પણ કરી હતી. પોરબંદરમાં પાલિકા તંત્ર પણ સુસજ્જ છે. પાલિકાના ચીફ ઓફિસર હુદડે લોકોને જર્જરિત મકાનોથી દૂર રહેવા, સમુદ્રથી દૂર રહેવા સૂચના આપી છે. અહીં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સેલ્ટર હોમ, શાળા, કોલેજના બિલ્ડીંગો વગેરેમાં સહયોગ આપવા કલેક્ટર મુકેશ પંડયાએ ટ્વીટ કરીને અનુરોધ કર્યો હતો.

પોરબંદરની ચોપાટી બંધ 

ખંભાળીયાના અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરના માર્ગદર્શનમાં એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને ત્રણ આશ્રય સ્થાનો આરક્ષિત રખાયા છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો તમામ સ્થળોએ મોકુફ રાખવામાં આવ્યા છે. વાવાઝોડાંને પગલે કોડીનારનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. કોડીનાર, માઢવાડ, કોટડા, વેલણ, મૂળ દ્વારકા સહિતની દરિયાઈ પટ્ટીના ગામોના લોકો સાથે સતત સંપર્ક થઈ રહ્યો છે.

જૂનાગઢના હાલ

જૂનાગઢથી મળતા અહેવાલ મુજબ, જૂનાગઢનું વહિવટી તંત્ર સાબદું બની ગયું છે. એનડીઆરએફની એક ટીમ જૂનાગઢ પહોંચી છે જ્યારે એક ટીમને કેશોદ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. માંગરોળ તાલુકાના ખોડાદા, શેરીયાજ, આરેણા, શાપુર, માંગરોળ, લોએજ, આંત્રોલી જેવા ગામોમાં અને માળીયા હાટીનાના ગામોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.

બોટાદમાં પણ ડિઝાસ્ટરની મિટીંગ કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી.

દીવમાં પણ ભારે પવન અને ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. દીવમાં તમામ તંત્રના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની સાથે કોસ્ટગાર્ડ પણ સ્ટેન્ડબાય રહેશે. દીવમાં કંટ્રોલરૂમ નંબર 0287પ 2પ2081, 2પ2111 આપવામાં આવ્યા છે.ભાવનગરમાં પણ તંત્ર એલર્ટ છે અને શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં ઘો-ઘો ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.

સુરતમાં એલર્ટ

સુરતમાં ગણેશ બિચ અને ડુમસ બિચ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માંગરોળના અહેવાલ મુજબ, તમામ 14પ2 બોટ અને પ3પ નાની હોડીઓ પાછી ફરી ગઈ છે. વાવાઝોડાંની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ આવી પહેંચી છે. વડોદરાના અહેવાલ મુજબ, વડોદરાથી એનડીઆરએફની 11 ટીમ સૌરાષ્ટ્ર માટે રવાના કરી દેવામાં આવી છે. આ તમામ ટીમ આધુનિક સાધનોથી સજ્જ છે. મહારાષ્ટ્રના પુણે અને ભટીંડાથી પણ પાંચ ટીમો આવી છે. દરમિયાન જામનગર જિલ્લાના 2પ ગામોમાંથી લોકોને સ્થળાંતર કરવા 100 એસ.ટી. બસ મૂકવામાં આવી છે.

હૈદરાબાદથી એનડીઆરએફની બે ટુકડી 30 ટન સામગ્રી સાથે રવાના થઈ છે. તેમજ સંરક્ષણની ત્રણેય વિંગને એલર્ટ કરવા સાથે જરૂર પડયે લોકોની મદદ માટે હેલિકોપ્ટર પણ તૈયાર રખાયું છે. અમરેલી જિલ્લા કલેકટરે રાજુલાના 13 અને જાફરાબાદના 10 મળી 23 ગામોને હાઈએલર્ટ જાહેર કર્યા છે.

ભાવનગરમાં 33 ગામો હાઇ એલર્ટ પર

ભાવનગર આસિસ્ટન્ટ કલેકટર ડો. રાજેન્દ્ર પટેલે તળાજા, ધોધા, મહુવાના 33 ગામો હાઈએલર્ટ પર જાહેર કર્યા છે. કાળા તળાવ, હાથબ, નર્મદ, કોળિયાક, જસવંતપુર, ગણેશગઢ વગેરે ગામોનો સમાવેશ થાય છે. દરિયાકિનારાના હાઈએલર્ટવાળા ગામડાઓમાં બપોરબાદ સ્થળાંતર કરાવવામાં આવશે. અલંગ શીપ યાર્ડમાં શ્રમિકો પાસે જહાજોનું કટીંગ નહીં કરાવવા આદેશ અપાયો છે.