સોમવારે રાત્રે વાયુ વાવાઝોડું કચ્છની ભૂમિ પર લેન્ડ થાય તેવી આગાહી
ગુજરાત પરથી ફંટાઇને એક સમયે ઓમાન તરફ ફંટાયેલું વાયુ વાવાઝોડું મધદરિયાથી ફરીથી ગુજરાતની દિશામાં વળ્યું હતું અને હવે આજે રાત્રે કચ્છની ભૂમિ પર ત્રાટકી શકે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કચ્છની દરીયાઇ સીમા પર એલર્ટ પોઝીશન જાહેર કરી દેવામાં આવી છે.
વાયુ વાવાઝોડું કચ્છના દરિયા કિનારાના લખપતથી માંડવી વચ્ચે વાયુ લેન્ડફોલ કરશે, જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવા ઉપરાંત તોફાની પવન ફુંકાઈ શકે છે. જોકે, વાયુ હાલ નબળું પડી ચૂક્યું છે, અને તેનાથી કોઈ તબાહી ફેલાય તેવી શક્યતા નથી.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 18મી તારીખે પણ કચ્છમાં વાયુની અસર જોવા મળશે. તેના કારણે 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આ ઉપરાંત, આ વાવાઝોડું કચ્છમાં ભારે વરસાદ પણ લાવી શકે છે. તેના લીધે સૂકા કચ્છમાં 8-10 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.
કચ્છ ઉપરાંત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વાયુને કારણે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. હાલ કચ્છમાં વાયુના ખતરાને ધ્યાનમાં લેતા બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. કચ્છ સિવાયના ગુજરાતના બાકીના કોઈ વિસ્તારને આ વાવાઝોડાંની ખાસ અસર નથી થવાની.
વાવાઝોડાં દરમિયાન દરિયો તોફાની બનવાની પૂરી શક્યતા હોવાના કારણે માંડવી બીચ પર પ્રવાસીઓની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. માછીમારોને પણ હાલ દરિયામાં ન જવા માટે કહી દેવામાં આવ્યું છે, અને ફિશિંગની બોટ્સ કિનારા પર લાંગરી દેવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now