CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 118 of 142 - CIA Live

June 12, 2019
vayu-1280x720.jpg
1min7610

ગુજરાતના મહેસુલી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયા કાંઠે આવેલા 500થી વધુ ગામોને ખાલી કરાવાયાં છે અને સવા બે લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પંકજ કુમારે એવી પણ માહિતી આપી છે કે મધરાતથી જ પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે.

વાવાઝોડું ગુજરાત તરફ વધારે નજીક આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમિટર દૂર છે.

તા.12મી જુનની બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં વાયું વાવાઝોડું ગુજરાતના પોરબંદરના દરિયાકિનારાથી અંદાજે 360 કિલોમિટર દૂર છે. વાવાઝોડું દ્વારકા અને વેરાવળ વચ્ચેના દરિયાકિનારે ગુરુવારે બપોર બાદ ત્રાટકશે. વાવાઝોડાની તીવ્રતા વધી છે અને તે હવે અતિ તીવ્ર સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે.

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 155થી 165 કિલોમિટરની હશે.

ગુજરાતમાં મોડી સાંજથી જ વાયું વાવાઝોડાની અસર થવા માંડી છે. ગુજરાતમાં વાવાઝોડાં પહેલાં દરિયાકિનારે પવનની ગતિ વધવા લાગી છે. કોડીનાર, સોમનાથ, દીવ, પોરબંદર વગેરે જગ્યાએ છુટોછવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. સોમનાથ અને દ્વારકામાં દરિયો વધારે તોફાની બની રહ્યો છે, અહીં ઊંચા ઊછળતાં દરિયાનાં મોજાં જોઈ શકાતા હોવાના રિપોર્ટસ મળ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડામાં પવનની ગતિ કલાકના 155 કિલોમિટર સુધીની હોઈ શકે છે.

June 11, 2019
vayu-1280x720.jpg
1min9880

અરબી સમુદ્રમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને સમુદ્રી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે ગુજરાતમાં ‘એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. મંગળવાર સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં એનડીઆરએફના 15 ટીમ તૈનાત કરી દેવામાં આવશે. સૈન્ય, નૌકાદળ અને કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવશે. અરબી સમુદ્રમાં વેરાવળથી 930 કિમી દૂર દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થશે. જેને લઇને સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી હતી. 12થી 14 જૂન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી માછીમારો દ્વારા હાથ ધરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર તા. 11-6-2019 થી તા. 14-6-2019 દરમ્યાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શક્યતા છે. જે 70થી 80 કિ.મી. ઝડપે પવન ફુકાવાની શક્યતા છે.

દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે જેના કારણે જાફરાબાદ, ઊના, વેરાવળ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

વાવાઝોડાની શક્યતાના પગલે ગીર-સોમનાથ જિલ્લાનાં તમામ તાલુકાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તકેદારીનાં ભાગરૂપે રાઉન્ડ ધી ક્લોક તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત કરી નાયબ મામલતદારને હાજર રાખી જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા આવશે. માછીમારો જો દરિયામાં હોય તો બોલાવી લેવા અને દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે. અત્યારે 930 કિલોમીટર દૂર પ્રેસર સર્જાવાની વાત સામે આવી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત બંદરોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. મોટાભાગની બોટો પણ જાફરાબાદ બંદરે પહોંચી ગઇ છે. પોરબંદર અને દ્વારકા સહિતના દરિયા કાંઠાના કલેક્ટરો અને મહેસૂલ વિભાગ દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી રહી છે. સંભવિત તકેદારીના પગલાં લેવા અને એનઆરડીએફની ટીમો જરૂર પડે તૈનાત કરવાની પણ સૂચના અપાઇ છે.

June 10, 2019
vayu-1280x720.jpg
1min5830

હવામાન નિષ્ણાંતોએ જે વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે એ આગામી બે દિવસમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને ઘમરોળશે એવી દહેશત વચ્ચે ગુજરાત સરકારે હાઇએલર્ટની પરિસ્થિતિ જાહેર કરી છે.

વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં આર્મી, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓેને સ્ટેન્ડબાય કરી દેવાઈ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

વેરાવળથી 930 કિમી દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ‘વાયુ’ વાવાઝોડાને પગલે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ગતિ પ્રતિ કલાક 80થી 100 કિમીની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતા છે.

વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં 930 કિમી દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી 12મી તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ લઈ લે તેવી પૂરી શક્યતા છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારાના વિસ્તારોને વધુ અસર કરશે એમ મનાય છે.
વાવાઝોડા દરમિયાન દરિયાના મોજા બે મીટરથી વધુ ઊંચા ઉછળવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. કેટલાક વિસ્તારોમાં 5થી 7 ઈંચ વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મંગળવારે તેના કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દરિયામાં છ મીટર જેટલા ઉંચા મોજાં ઉછળવાની શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં વાવાઝોડાં આવતા હોય છે, અને સૌથી વધુ વાવાઝોડાં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં આવે છે.

June 10, 2019
bumrah-bails.png
1min11450

બૅટ્સમૅનના સ્ટમ્પ્સને બૉલ વાગવા છતાં બેલ્સ ન પડી હોય એવો પાંચમો કિસ્સો ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની શરૂઆતમાં ડેવિડ વૉર્નર સાથે બન્યો હતો. જસપ્રીત બુમરાહની પ્રથમ ઓવરના પહેલા જ બૉલમાં વૉર્નર શૉટ મારવાનું ચૂકી જતાં બૉલ સ્ટમ્પ્સને વાગ્યો હતો, પણ એક પણ બેલ નહોતી પડી.

bails not dropped, icc world cup માટે છબી પરિણામ

અગાઉ ઇંગ્લૅન્ડના આદિલ રશીદના બૉલમાં સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડી’કૉક, ન્યૂ ઝીલૅન્ડના ટ્રેન્ટ બૉલ્ટ સામે શ્રીલંકાનો કૅપ્ટન દિમુથ કરુણારત્ને, ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક સામે વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેઇલ અને ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ સામે બંગલાદેશનો મોહંમદ સૈફુદ્દીન સાથે આવું બન્યું હતું.

June 8, 2019
keral_rain.jpg
1min8480

સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઇ રહ્યા છે એ ચોમાસાએ ભારતના દક્ષિણ પશ્ચિમ કાંઠે એટલે કે કેરળમાં સત્તાવાર આગમન કરી લીધું છે. કેરળમાં આજે સવારથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને ઠીકઠીક પ્રમાણમાં વરસાદે કેરળને તરબોળ કરી દીધું છે.

બીજી તરફ IMD (ઈન્ડિયા મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ)એ પણ સત્તાવાર જાહેરાત બુલેટીનમાં જણાવ્યું છે કે આજે તા.8મી જુન 2019ના રોજ ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. આજે સવારથી જ કેરળના મોટ ભાગના વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.

હવામાન ખાતા દ્વારા કેરળના સાત જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

June 8, 2019
modi-kerala-pti.jpg
1min7370

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તા.8મી જુન 2019ને શનિવારે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

modi in kerala માટે છબી પરિણામ

કેરળના મંદિરમાં વડાપ્રધાન શ્રી મોદીનો તુલાભાર વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. એવી જ રીતે ભાજપાના પાર્ટી સિમ્બોલ કમળના ફૂલોથી પણ તેમની તુલા કરવામાં આવી હતી.

મંદિરમાં પૂજા-અર્ચના માટે એક મુસ્લિમ ખેડૂત પરિવાર પાસેથી 112 કિલો કમળના ફૂલ ખરીદાયા હતા. ત્રિશૂરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી જાણીતા મંદિરોમાંથી એક છે.

 

એ પૂર્વે શ્રી મોદી કેરળ એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા ત્યારે કેરળના ઉચ્ચાધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

June 8, 2019
mbbs.jpg
1min15500

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 સાયન્સ બાયોલોજી સાથે 50 પર્સન્ટાઇલથી વધુ માર્કસ સાથે પાસ થયેલા અને નીટ 2019માં સારો સ્કોર કરીને હાલમાં એમ.બી.બી.એસ. (મેડીકલ)માં પ્રવેશની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશીના સમાચાર એ છે કે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઓપન કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન (અનામત) આપવા માટે દેશભરની તમામ મેડીકલ કોલેજોમાં 25 ટકા જેટલી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે.

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઓપન કેટેગરીમાં આવતા અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના નિયમ અનુસાર 10 ટકા અનામત (રિઝર્વેશન) આપવા માટેની પ્રક્રિયાઓ મે 2019માં જ શરૂ કરી દીધી હતી અને હાલમાં દેશભરની તમામ કાર્યરત મેડીકલ કોલેજોમાં બેઠકો વધારીને પ્રવેશ આપવા માટેની સૂચનાઓ જારી કરી દીધી છે.

મેડીકલ કોલેજોમાં ઓપન કેટેગરીમાં 10 ટકા ઇડબલ્યુએસ (ઇકોનોમિકલી વિકર સેકશન) માટે બેઠકો વધારવાની હાથ ધરેલી કાર્યવાહીને પગલે હવે ગુજરાતમાં એમબીબીએસની બેઠકોની કુલ સંખ્યા વધીને 4800 થી વધુ થવા પામી છે.

મેડીકલ કોલેજોમાં 10 ટકા ઇડબલ્યુએસ ક્વોટાનો અમલ કરવા માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સ આ મુજબની છે.

June 8, 2019
up.jpeg
1min17020

ઉત્તર પ્રદેશના વિભિન્ન જિલ્લામાં ધૂળની આંધી, વરસાદ અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થઈ ગયા. 6 અને 7 જૂને અહીંના અલગ-અલગ ભાગોમાં પડેલા વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં અત્યાર સુધી 26 લોકોના મોત થવાની સૂચના મળી છે. આ ઉપરાંત 57 અન્ય લોકો અલગ-અલગ ઘટનાઓમાં ઘાયલ થયા છે. વરસાદના કારણે તમામ વિસ્તારોમાં નુકસાન બાદ યુપી સરકારે અધિકારીઓને રાહત કાર્યો ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.

સીનિયર સરકારી અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મોટાભાગના લોકો દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યા. જ્યારે બે લોકો વીજળી પડવાના કારણે મર્યા.

રાહત કમિશનરની ઓફિસ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ મૈનપુરી જિલ્લામાં સૌથી વધારે 6 લોકોના મોત થયા, જ્યારે ઈટા અને કાસગંજમાં 3-3 લોકો, ફારુખાબાદ અને બારાબંકીમાં 2-2 લોકો તથા મોરાદાબાદ, બાદૌન, પીલીભીત, મથુરા, કનૌજ, સંભાલ, ગાઝીયાબાદ, અમરોહા અને મહોબામાં 1-1 લોકોના માત થયા છે.
ઉત્તરપ્રદેશના વિભિન્ન ભાગોમાં આંધી-તોફાન અને આકાશી વીજળી ત્રાટકવાના બનાવોમાં ઓછામાં ઓછા 19નાં મોત થયાં હતાં. પ્રદેશના રાહત કમિશનર કાર્યાલયે આજે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મૈનપુરીમાં સૌથી વધુ નુકસાન થયું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્યની જાણકારી લેવા માટે 6 પ્રભારી મંત્રીને નિર્દેશ આપ્યા છે. મૈનપુરીમાં સૌથી વધુ 6 જણનાં મોત થયાં હતાં. એટા અને કાસગંજમાં ત્રણ-ત્રણ જણનાં મૃત્યુના અહેવાલ હતા. મુરાદાબાદમાં એક વ્યક્તિનું વીજળી પડવાથી મૃત્યુ થયું હતું.
બદાયું, પીલીભીત, મથુરા, કન્નૌજ, સંભલ અને ગાઝિયાબાદમાં પણ એક-એક વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજે આંધી-તોફાન આવ્યું હતું. અનેક જગ્યાએ વૃક્ષો તૂટીને પડી ગયાં હતાં.
June 7, 2019
jagan1.jpg
1min7600

આંધ્ર પ્રદેશ રાજ્યમાં વિવિધ કેસોમાં તપાસ તથા દરોડા હાથ ધરવા સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને છૂટ આપતી ‘સામાન્ય મંજૂરી’ પાછી ખેંચી લેતો જે આદેશ ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટીની સરકારે 8મી નવેમ્બર, 2018ના દિવસે ગવર્મેન્ટ ઑર્ડર (જીઓ)ના રૂપમાં બહાર પાડ્યો હતો એને વાય. એસ. જગન મોહન રેડ્ડીની નવી સરકારે ગુરુવારે રદ કરી નાખ્યો હતો.

દેશની સર્વોચ્ચ તપાસ-સંસ્થા સીબીઆઇ પોતાની કાર્યવાહી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ કરે છે.

આ ધારાની કલમ 6 હેઠળ રાજ્ય સરકાર સીબીઆઇને રાજ્યમાં પોતાની સત્તાના ઉપયોગ માટેની રાબેતામુજબ મંજૂરી આપતી હોય છે અને આંધ્ર પ્રદેશ સરકારે પણ સમયાંતરે આવી મંજૂરીઓ આપી હતી. જોકે, નાયડુએ ગયા વર્ષે માર્ચમાં જ્યારથી નરેન્દ્ર મોદી સરકારની આગેવાની હેઠળની એનડીએ સરકાર સાથેના સંબંધો કાપી નાખ્યા હતા ત્યારથી આક્ષેપો કર્યા હતા કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને લક્ષ્યાંક બનાવવા સીબીઆઇ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે.

રાજ્યમાં એ સમયની શાસક તેલુગુ દેસમ પાર્ટીની નજીકની માલિકીના કેટલાક ધંધાકીય સંસ્થાનો પર આવકવેરા સત્તાધીશોએ પાડેલા દરોડાને પગલે નાયડુ રાતા-પીળા થઈ ગયા હતા. એને પગલે તેમણે જાહેરાત કરી હતી કે તેમની રાજ્ય સરકાર આ દરોડા પાડવા માટે આવકવેરા અધિકારીઓને સલામતીનું કવચ પૂરું નહીં પાડે.

June 7, 2019
monsoon.jpg
1min8230

અનુકૂળ વાતાવરણને કારણે આંદામાનમાંથી મંગળવારે શ્રીલંકામાં દાખલ થયેલું ચોમાસુ આગામી 48થી 72 કલાકમાં એટલે કે આઠમી જૂન સુધી કેરળમાં દાખલ થશે, એવી આગાહી હવામાન વિભાગ અને સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

સામાન્ય રીતે 25મી મે સુધી શ્રીલંકામાં ચોમાસુ બેસી જતું હોય છે, પરંતુ આ વખતે તે અંદાજે આઠથી નવ દિવસ મોડું છે. કેરળમાં ચોમાસુ બેસવાના સંકેત મળ્યા ભલે હોય, પરંતુ હવામાનમાં થઇ રહેલા પરિવર્તનને કારણે કર્ણાટક સહિત આંધ્ર પ્રદેશમાં શરૂઆતમાં પૂરતો વરસાદ પડશે નહીં, આગામી 24 કલાકમાં વિદર્ભમાં વરસાદ પડવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં મૉન્સૂન પહેલા જ સારો વરસાદ પડી રહ્યો છે.

આ દરમિયાન કણકવલી શહેર તથા વાગદે વિસ્તારમાં સવારે જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો જેને કારણે હાઇવે પર માટીનો ભરાવો થઇ ગયો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. હાઇવે નજીકનાં ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સત્તાવાળાઓ દ્વારા હાઇવે પર ચોમાસા પહેલાના દરેક કામ પૂરા કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો છતાં કૉન્ટ્રેક્ટરોની બેજવાબદારીને કારણે લોકોને હેરાનગતિ સહન કરવી પડી હતી.

સિંધુદુર્ગમાં પણ ગુરુવાર સવારથી જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. વીજળીના કડાકા, જોરદાર પવનો સાથે વરસાદનું આગમન થયું હતું. અડધો કલાક સુધી સતત પડેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં નુકસાન પણ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સાવંતવાડી સહિત અન્ય વિસ્તારોમાં ગુરુવારે વીજળીના કડાકા સાથે સવારથી જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. મુંબઈ-ગોવા માર્ગ પર ગાળુ વિસ્તારમાં મોટાં મોટાં વૃક્ષો તૂટી પડ્યાં હતાં. વૃક્ષો તૂટી પડવાને કારણે સાવંતવાડીથી કુડાળ તરફ આવનારા-જનારા માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો.

રાજ્ય માટેનો અંદાજ સાતમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા સાથે જોરદાર પવન ફૂંકાશે, જ્યારે અમુક ઠેકાણે ગરમી કાયમ રહેશે.

આઠમી અને નવમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા અને જોરદાર પવનો ફૂંકાશે. મરાઠવાડા અને વિદર્ભના અમુક જગ્યાએ ગરમી રહેશે