મગજના તાવે માઝા મૂકી, વધુ છ બાળકોનાં મોત: મૃત્યુઆંક ૧૦૩
બિહારના મુઝફરપુર જિલ્લામાં ‘એકયૂટ એનસિફિલિટીશ સિન્ડ્રોમ’થી પીડાતા છ વધુ બાળ દર્દીનું અવસાન થતા હજુ સુધી કુલ મૃત્યાંક વધીને ૧૦૩ થયો છે. એઈએસથી કેજરીવાલ હોસ્પિટલના ૧૮ બાળદર્દી અને શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ (એસકેએમસીએચ)ના ૮૫ બાળદર્દીઓનું હજુ સુધી મગજનો તાવ (એઈએસ)થી મોત થયું છે.
ડૉકટરોના કહેવા પ્રમાણે બાળદર્દીઓ એઈએસના કારણે માર્યા ગયા છે. જ્યારે સરકારી અધિકારીઓ દાવો કરે છે કે મોટા ભાગના દર્દીઓ હાઈપોગ્લાઈસેમિયાનો ભોગ બન્યા છે. વધુ પડતા તાપમાન અને હ્યુમિડિટીના કારણે બ્લડ સુગરમાં ઘટાડો થવાને હાઈપોગ્લાઈસેમિયા કહે છે.
સોમવારે એસકેએમસીએચમાં પાંચ અને કેજરીવાલ હોસ્પિટલમાં એક બાળદર્દીનું મગજના તાવથી મૃત્યુ થયું હતું. બંને હોસ્પિટલમાંના કુલ ૧૨ બાળદર્દીઓની હાલત ગંભીર છે.
દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને બીજી એક હાઈલેવલ ટીમ મુઝફરપુર રવાના કરવાના સોમવારે નિર્દેશ આપ્યા હતા. આ ટીમ અદ્યતન મલ્ટિડિસિપ્લીનરી રિસર્ચ સેન્ટર ઊભું કરશે. રોગનું કારણ શોધવા રિસર્ચ સેન્ટર ઉપયોગી નીવડશે.
સૂચિત ટીમમાં આઈસીએમઆર, નિમ્હાન્સ (બેંગલૂરુ), નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મલેરિયા રિસર્ચ એન્ડ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન (હૈદ્રાબાદ), નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોઈજ (એમઆઈઈ) ચેન્નાઈ અને એઈમ્સ (દિલ્હી)ના નિષ્ણાતોને સ્થાન આપવામાં આવ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now