CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 100 of 142 - CIA Live

November 8, 2019
na-1280x720.jpg
1min5960

Land N.A.માં પેમેન્ટ પહેલા પ્રોવિઝનલ મંજૂરી પત્ર મળશે, ડેવલપરને ફાયદો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બિનખેતી (Land N.A.) ની કાર્યપદ્ધતિમાં કરવામાં આવેલા સુધારા વિશે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ઑનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણાં ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવે છે. આ નાણાંનું ઑનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી દ્વારા ખરાઈનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવે છે. આ કાર્યપદ્ધતિમાં સુધારો કરાતાં અરજદારને ઇન્ટિમેશન લેટરની સાથે એન. એ. પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરી અંગેનો પત્ર પણ ઇ-મેઇલથી મોકલવામાં આવશે.

File Photo : A public meeting was held earlier this year regarding Land Reforms.

અરજદારનું વેરિફિકેશન ઓનલાઇન થવાથી બિનજરૂરી વિલંબ નહીં થાય

તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલમાં જમીન અંગેની વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજૂર કરવાની કાર્યવાહી દરમિયાન જરૂરિયાતના કિસ્સામાં અરજદાર ખેડૂત ખાતેદાર છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાની રહે છે. આ ખરાઈ ઑફલાઇન થવાને કારણે તથા કોઈ કિસ્સામાં એક જિલ્લાનો અરજદાર બીજા જિલ્લામાં આવી પરવાનગીઓ મેળવવા અરજી કરે ત્યારે બીજા જિલ્લાની વિગતો મેળવવામાં સમય જતાં અરજદારની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ થાય છે. આ કાર્યપદ્ધતિમાં સુધારો કરાતાં હવેથી ઑનલાઇન અરજી કરતી વેળાએ અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. સમગ્ર રાજ્યના હકપત્રકોનો ડેટા વેબ પોર્ટલ પર ઑનલાઈન ઉપલબ્ધ થવાથી હવેથી અરજદારે દાખલ કરેલ વિગતોની મહેસૂલી અધિકારીઓ વેબ પોર્ટલ પર ઑનલાઇન ચકાસણી કરશે, જેથી ખેડૂત ખાતેદારની ખરાઇ કરવામાં ઝડપ આવશે અને બિનજરૂરી વિલંબ ટાળી શકાશે.

જમીન પર બેંક-મંડળીનો બોજો હશે તો તેના ઉલ્લેખ સાથે બિનખેતીની પરવાનગી અપાશે

મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે બિનખેતીની કાર્યપદ્ધતિમાં બોજા સાથે બિનખેતી પરવાનગી આપવા-લેવાના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં જમીનની વિવિધ પરવાનગી, હેતુફેર, સત્તાપ્રકાર ફેરની અરજીઓ જેવી કે ગણોતધારા, નવી શરતની જમીનમાં ખેતી, બિનખેતી હેતુ માટે પ્રીમિયમ ભરવાની પરવાનગી, બિનખેતી પરવાનગીની અરજીઓનો નિર્ણય કરતી વખતે જો જમીન પર મંડળી/બૅંકનો બોજો બાકી હોય તો આવી પરવાનગીઓ આપવામાં આવતી નથી. આ કાર્યપદ્ધતિમાં કરવામાં આવેલા સુધારા અંગે વધુ માહિતી આપતા કૌશિક પટેલે જણાવ્યું હતું કે, વાસ્તવમાં આવી પરવાનગીઓથી મિલકતનું હસ્તાંતરણ થતું ન હોઈ અને માત્ર ઉપયોગનો હેતુ/સત્તા પ્રકાર જ બદલાતો હોઈ અને અન્ય કોઇ નિયમોનો હુકમોનો ભંગ ન થતો હોઈ, જમીન પર સરકારી લ્હેણાં અંગે કે બાકી મહેસૂલ અંગે બોજો નોંધાયેલ ન હોય, માત્ર જમીન પર મંડળી/બૅંકનો બોજો બાકી હોય તેવા કિસ્સામાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવા બાબતે અરજદારોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આવા કિસ્સાઓમાં અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયેલ હોય તો પણ હુકમમાં ઉલ્લેખ કરીને બોજા સહિત બિનખેતી પરવાનગી આપવામાં આવશે.

November 8, 2019
ayodhya-2.jpg
1min5430

૧૭મી નવેમ્બર અગાઉ કોઇ પણ દિવસે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે તે ધ્યાનમાં રાખીને સરકારે તકેદારીના તમામ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી મોકલી છે જેમાં તેમને તમામ સંવેદનશીલ સ્થળો પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યા છે. ઉશ્કેરણીજનક ટિપ્પણી અથવા અફવા ફેલાવવા સામે જાગૃત રહેવા રાજકીય નેતાઓ જાહેર અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અર્ધલશ્કરી દળોના ચાર હજાર જવાનોને મોકલી આપવામાં આવ્યા છે. રેલવે દ્વારા તેમના દળના જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે. ૭૮ મોટા સ્ટેશન પર અને ટ્રેનોમાં નજર રાખવાની અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

વડા પ્રધાન મોદીએ બુધવારે તેમના પ્રધાન મંડળ સાથે અયોધ્યા મુદ્દે ચર્ચા કરી હતી અને આ વિષયે બિનજરૂરી નિવેદન કરવાથી દૂર રહેવા અને દેશમાં શાતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખવા જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં કાર્તિક પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓનો ધસારો અયોધ્યામાં આવશે તે ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટી તંત્રે પણ સુરક્ષા તૈયારી કરવા માંડી છે. કાર્તિક પૂર્ણિમા સ્નાનનો લાભ લેવા લાખો શ્રદ્ધાળુ બારમી નવેમ્બરના મંગળવારે ભેગા થશે તેમ માનવામાં આવે છે. રેલવેએ તમામ ઝોનને સાત પાનાની માર્ગદર્શિકા મોકલી છે જેમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે. પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન, યાર્ડ, પાર્કિંગ સ્થળ, પૂલો અને ટનલમાં તથા વર્કશોપ વિગેરે દરેક સ્થળે સુરક્ષાના નિર્દેશો આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન નજીક અથવા તેના કંપાઉન્ડમાં આવેલા તમામ ધર્મસ્થાનો પર ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. મુંબઇ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ૭૮ મોટા સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જ્યાં આરપીએફ જવાનોની હાજરી વધારવામાં આવી છે. (પીટીઆઇ)

વીએચપીએ રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું

અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર વિશેનો ચુકાદો આવવાની તૈયારીમાં છે, ત્યારે વિશ્ર્વ હિંદુ પરિષદ (વીએચપી)એ ૧૯૯૦ બાદ પહેલી વખત રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું છે.

વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે બધા જ મૂર્તિકારો પોતપોતાના ઘરે પાછા ફર્યા છે. કોતરણીનું કામ થોભાવવાનો નિર્ણય વીએચપીના વરિષ્ઠ નેતાઓએ લીધો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજની ખંડપીઠ ૧૭મી નવેમ્બરે ગોગોઇ નિવૃત્ત થાય એ અગાઉ અયોધ્યા મામલાનો નિર્ણય જાહેર કરવાની છે.

શર્માએ જણાવ્યું હતું કે અમે પથ્થરનું કોતરકામ બંધ કર્યું છે અને ફરીથી એ ક્યારે શરૂ કરવું એનો નિર્ણય રામ જન્મભૂમિ ન્યાસ લેશે.

અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમે અમારી વિવિધ પ્રવૃત્તિઓને લગતા બધા જ પ્રસ્તાવિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં વીએચપીએ ૧૯૯૦માં પથ્થરોની કોતરણીનું કામ શરૂ કરાવ્યું હતું. ત્યારથી મૂર્તિકારો દ્વારા કોતરણીનું કામ સતત ચાલું રહ્યું હતું. આ પહેલી વખત કામ થોભાવવામાં આવ્યું છે.

વીએચપીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧.૨૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થરની કોતરણી થઇ ગઇ છે, જે પ્રસ્તાવિત મંદિરનો પહેલો માળ બનાવવા માટે પર્યાપ્ત છે. બાકીનું મંદિર બાંધવા માટે ૧.૭૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થર કોતરવાના બાકી છે.

વીએચપીના કેન્દ્રીય ઉપ-પ્રમુખ ચંપત રાઇએ પોતાના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ ચુકાદો હિંદુ કે મુસ્લિમનો ન હોવો જોઇએ. આ સત્ય સ્વીકારવા વિશેનો છે. આ કારણસર વિજ્યોત્સવ ન મનાવતા કે અન્યોને ટોણાં ન મારતાં.

વકીલોની દલીલો અને જજોની ટિપ્પણી પરથી એવું લાગે છે કે ચુકાદો સત્યની તરફેણમાં આવશે અને એ સાંભળીને સમાજમાં ખુશીની લાગણી ફેલાશે. (પીટીઆઇ)

અયોધ્યાના ચુકાદા અગાઉ બેંગલુરુ પોલીસે સતર્કતાના પગલાં લીધા

બેંગલુરુ: અયોધ્યાનો ચુકાદો આવે એ વખતે કોઇ અઘટિત ઘટના ન બને એ માટે બેંગલુરુની પોલીસે અગાઉથી સતર્કતાના પગલાં લીધા હોવાની માહિતી પોલીસ કમિશનર ભાસ્કર રાવે આપી હતી.

રાવે જણાવ્યું હતું કે એમણે સતર્કતાની દૃષ્ટિએ બધા જ પગલાં લીધાં છે. એમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મામલે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં તેઓ ડીસીપી રેન્કના અધિકારીઓ સાથે પણ બેઠક યોજશે.

ચુકાદો આવશે ત્યારે બધા જ અધિકારીઓ હાજર રહેશે. અર્ધલશ્કરી દળ અને રેપિડ ઍક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવશે.

ભાઇચારો વધારવાના હેતુથી લઘુમતી અને બહુમતી કોમના વિવિધ જૂથો સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવી છે. તેઓ બધા જ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન્ય રાખવા માટે સહમત થયા છે.

રાવે જણાવ્યું હતું કે ચુકાદો જાહેર થયા બાદ તેઓ નિરાશા વ્યક્ત નહીં કરે કે ફટાકડાં ફોડીને અથવા એકબીજા પર રંગ ઉડાડીને આનંદ વ્યક્ત નહીં કરે. પોતાના વિચારો જાહેર કરવા કોઇ જાતનો સૂત્રોચ્ચાર પણ નહીં કરવામાં આવે.

November 7, 2019
ayodhya-2.jpg
1min5340

અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદના કેસનો ચુકાદો નજીકના ભવિષ્યમાં આવવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બહુસ્તરીય ઉપાયો કરવામાં આવ્યા છે. જડબેસલાક બંદોબસ્તના ભાગરૂપે વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. સંવેદનશીલ ઇલાકામાં સામાન્ય કરતાં વધારે પોલીસ ટુકડીઓ ગોઠવવામાં આવી છે. 

૧૭ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની નિવૃત્તિ પૂર્વે અયોધ્યા કેસના ચુકાદાની સંભાવવાને કારણે મુંબઈ શહેરના દરેક વિસ્તારમાં ગયા રવિવારે અને ત્યારપછી મહોલ્લા કમિટીઓની બેઠકો યોજવાની સૂચના વિવિધ પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટર્સ અને અસિસ્ટન્ટ કમિશનર્સને આપવામાં આવી હતી. પોલીસ જવાનોની આઠ કલાકની ડ્યુટી લંબાવીને બાર કલાકની કરવામાં આવી છે. અફવાઓ અને અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે સોશ્યલ મીડિયા પર નિગરાણી રાખવામાં આવે છે.

November 7, 2019
crop_insurance.jpg
1min5720

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહા વાવાઝોડું અને અકુદરતી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કૃષિપ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય વીમા કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે.

ફળદુએ કહ્યું કે, ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો. માવઠાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાનીનો સામનો કરવો પડયો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ વીમા કંપનીના ફોન લાગતા ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જેને અનુલક્ષીને ચારેય કંપનીઓને 10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવવા જણાવવામાં આવ્યું છે.

કૃષિપ્રધાને કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજિત આંકડા આપતા કહ્યું કે, અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય.

અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે ફળદુએ કહ્યું કે, સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ તેમણે મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.’

November 7, 2019
housing.jpg
1min5980

સરકારે અટકી પડેલા ૧,૬૦૦ હાઉસિંગ પ્રૉજેક્ટને આર્થિક સહાય કરવા માટે બુધવારે રૂપિયા ૨૫,૦૦૦ કરોડ ફાળવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર આ ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડ આપશે, જ્યારે એસબીઆઇ (ભારતીય સ્ટેટ બૅન્ક) અને એલઆઇસી (ભારતીય જીવન વીમા નિગમ) રૂપિયા ૧૫,૦૦૦ કરોડ આપશે એટલે કુલ મળીને રૂપિયા ૨૫,૦૦૦ કરોડ થશે.તેમણે જણાવ્યું હતું કે દેશભરમાંના અટકી પડેલા ૧,૬૦૦ હાઉસિંગ પ્રૉજેક્ટના ૪.૫૮ લાખ હાઉસિંગ યુનિટને આ આર્થિક લાભ મળશે.સરકારે બાંધકામ ક્ષેત્રે રોજગારી ઊભી કરવા અને સિમેન્ટ, લોખંડ તેમ જ સ્ટીલની માગ વધારવા આ પગલું ભર્યું છે.કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે નૉન-પરફૉર્મિંગ એસેટ્સ (એનપીએ) અથવા નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માંના હાઉસિંગ પ્રૉજેક્ટ્સને રૂપિયા ૨૫,૦૦૦ કરોડના ઑલ્ટરનેટ રિયલ એસ્ટેટ ફંડનો લાભ મળશે.

ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં સૉવરિન એન્ડ પેન્શન ફંડ પણ જોડાવાની આશા હોવાથી તેની રકમ વધી શકે છે.

November 5, 2019
maha.jpg
1min8810

રાજ્યમાં હાલ ૧૫ ટીમ તહેનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. હાલના તબક્કે આપણી પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશિંગ બોટ પરત આવે તેની છે. કુલ ૧૨,૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે, તેમાંથી ૧ર હજાર જેટલી તો પરત આવી ગઇ છે અને સોમવાર સાંજ સુધીમાં અન્ય બોટ પણ પરત આવી જશે, એમ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતિ અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતિની વિગતો સબબ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ ‘મહા’ વાવાઝોડું તા. છ નવેમ્બર થી સાત નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક લૅન્ડફોલ થવાની સંભાવના છે. આ વાવાઝોડાંની હાલની તીવ્રતા ઇન્ટેન્સિટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

મહેસૂલ અધિક મુખ્ય સચિવે રાજ્યના નાગરિકોને ખાસ અનુરોધ કર્યો કે આ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે તેથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોંચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમ જ વાવાઝોડાંની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે.

આગાહીઓને ધ્યાનમાં રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે. દરમિયાન રાજ્ય સરકારે વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમો ફરજ પર છે.

વાવાઝોડા સામે રેસ્ક્યૂ અને બચાવ કાર્ય માટે પંજાબથી અને મહારાષ્ટ્રથી પાંચ-પાંચ ટીમો બોલાવાશે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આગામી આઠમી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં વાવાઝોડા દરમિયાન કે ભારે વરસાદ દરમિયાન કોઈ જરૂરિયાત જણાય તો તેને માટે કોસ્ટગાર્ડના સાત જહાજ અને બે વિમાન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

November 5, 2019
homes.jpg
1min6880

દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.

હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.

પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.

નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.

November 5, 2019
lic_logo.jpg
1min9070

લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ પૉલિસીધારકોને તેમની બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ (પ્રીમિયમ નહીં ભરવાથી રદ થયેલી) થયેલી પૉલિસી રિવાઈવ કરવાની છૂટ આપી છે. જે પૉલિસી બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ થઈ ગઈ હતી જેને અગાઉ ફરી શરૂ કરવાની છૂટ ન હતી તેવી પૉલિસી પણ હવે પુનર્જીવિત થઈ શકશે તેવું એલઆઈસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું.

પહેલી જાન્યુઆરી ૨૦૧૪ પછી જેમણે પૉલિસી લીધી હતી તેવી યુનિટ-લિન્કડ પૉલિસી ત્રણ વર્ષમાં અને યુનિટ લિન્ક નહીં હોય તેવી પૉલિસી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરી શકાશે. એલઆઈસીના મેનેજિંગ ડિરેકટર વિપિન આનંદે કહ્યું હતું કે કોઈ કારણવશ પ્રીમિયમ નહીં ભરી શકાયું હોય અને પૉલિસી રદ થઈ જતી હોય તો તે પૉલિસી રિન્યૂ કરવાની છૂટ મળે તે સારી બાબત છે. તેમણે કહ્યું કે જીવન વીમા પૉલિસી લેવાનો નિર્ણય જીવનના સારા નિર્ણયોમાંથી એક છે. અમે અમારા દરેક પૉલિસીધારકની કદર કરીએ છીએ અને જીવન વીમા છત્ર અમારી સાથે ચાલુ રાખવાની તેમની ઈચ્છાને અમે સન્માન આપવા માગીએ છીએ.

ભૂતકાળમાં જે પૉલિસીઓ રિન્યૂ નહીં કરી શકાય હતી પણ હવે કરી શકાય છે તે એક પૉલિસીધારકો માટે સારી તક છે તેવું તેમણે કહ્યું હતું.

November 4, 2019
CIA_Live_Logo_New2.jpg
5min8260

RCEP સામેની સ્થાનિક ચળવળો રાષ્ટ્રીય સ્વરુપ પકડે એ પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ નામના 16 દેશો વચ્ચે થનારા સૂચિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ સામે ભારતમાં ઉઠેલી ચળવળ રાષ્ટ્રીય સ્વરૂપ પકડે એ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે ભારત RCEPમાં જોડાય તેવી કોઇ શક્યતા હાલ નથી. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં જોડાવા અંગેનો સવાલ જ ઉપસ્થિત થતો નથી.

RCEP સામે સૂરતમાં ટેક્સટાઇલ કારખાનેદારો ખાસ કરીને વિવર્સ, ટ્રેડર્સ, પ્રોસેસર્સ વગેરેએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક સુનિયોજિત લડતના મંડાણ કર્યા હતા. સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સાથે મુંબઇ, ભીવંડી, અમદાવાદ વગેરેના પણ કારખાનેદારો, વેપારીઓ જોડાયા હતા. એ રીતે દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન વગેરેથી પણ RCEP સામે મૂવમેન્ટ વેગ પકડી રહી હતી. આ સ્થાનિક ચળવળો મોટું સ્વરૂપ પકડે એ પહેલા જ મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક મારીને RCEP માં જોડાવા અંગે હાલ તો પૂર્ણ વિરામ લગાડી દીધું છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું તેમની સ્પીચમાં

* PM Modi: Our farmers, traders, professionals and industries have stakes in such decisions. Equally important are the workers and consumers, who make India a huge market and the third biggest economy in terms of purchasing power parity. When I measure the RCEP Agreement with respect to the interests of all Indians, I do not get a positive answer. Therefore, neither the Talisman of Gandhiji nor my own conscience permit me to join RCEP.

RCEPના વર્તમાન મુસદ્દામાં ભારતને હાનિ પહોંચે તેવી કેટલીક જોગવાઇઓ સામે અગાઉ ભારતે સખત વિરોધ કર્યો હતો એ બાબતે હજુ સુધી કોઇપણ પ્રકારના સુધારાઓ સૂચવાયા નથી. થાઇલેન્ડ ખાતે એશિયાઇ દેશો વચ્ચેની બેઠકમાં વડાપ્રધાન શ્રી મોદીએ સ્પષ્ટ કહ્યું કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની તરફેણમાં ભારત નથી.

હાલમાં જે પ્રકારે RCEP ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ ફ્રેમ કરવામાં આવી રહ્યો છે તેની સામે પણ ભારત તરફથી નેગોશીએટ કરી રહેલા એક્સપર્ટસે અનેક વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા છે. જેમાં એક મુદ્દો ઇમ્પોર્ટ ડ્યૂટીની મોટી આવક ભારતે ગુમાવવી પડે તેમ છે, વિશ્વ માટે ભારત એક મોટું બજાર છે, ભારતમાં ડીમાંડ પણ હોય તેવી ચીજવસ્તુઓના ખડકલા ભારતમાં થશે જે અનેક મુશ્કેલીજનક બની રહેશે. આ અંગે RCEP કોઇ રેમેડિયલ પ્રપોઝલ મૂવ કરવામાં આવી નથી.

RCEP અન્વયે થનારા કથિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં ભારત અન્ય દેશો માટે સૌથી મોટું માર્કેટ બનશે તેની સરખામણીમાં ભારતે એવી માગ કરી હતી કે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવે. ભારતની આ માગ પરત્વે પણ કોઇ પ્રતિસાદ RCEP દ્વારા પાઠવવામાં આવ્યો નથી.

ભારતની સરખામણીમાં RCEP માં જોડાઇ રહેલા અન્ય દેશો ખુબ નાના છે, વિસ્તાર, વસતિ, ઇકોનોમીની દ્રષ્ટીએ એ દેશો અને ભારતનું મૂલ્ય સરખું આંકવાની બાબતે પણ ભારતે મોટો વાંધો નોંધાવ્યો છે.

RCEPના વર્તમાન મુસદ્દામાં ભારતના પડતર પ્રશ્નો સંદર્ભે કોઇ ઉકેલ જણાતો નથી

આ મુજબના મુદ્દાઓને પગલે RCEP માં જોડાવાની બાબતે હાલ તુરત તો પૂર્ણ વિરામ મૂકાઇ ગયું છે

The RCEP failed to addressed some of the core concerns raised by India, such as the threat of circumvention of Rules of Origin due to tariff differential, inclusion of fair agreement to address the issues of trade deficits and opening of services.

* Indian negotiators had also questioned the design of the trade agreement, which will see elimination of import duties on 80-90% of goods, along with easier services and investment rules. For India, the big concern was goods trade as domestic industry fears that lower customs duty will see a flood of imports, especially from China, with which India has a massive trade deficit.

* In its negotiations, the government had also raised the issue of unavailability of MFN (Most Favoured Nation) obligations, where it would be forced to give similar benefits to RCEP countries that it gave to others.

* India had raised a red flag over the move to use 2014 as the base year for tariff reduction. While RCEP negotiators wanted to sign the deal in 2020, the new tariff regime will kick in from 2022 and will see duties go back to 2014 levels.

* In his speech at the RCEP summit, PM Modi said, “The present form of the RCEP Agreement does not fully reflect the basic spirit and the agreed guiding principles of RCEP. It also does not address satisfactorily India’s outstanding issues and concerns In such a situation, it is not possible for India to join RCEP Agreement.

* Earlier, under the UPA government, India had opened 74% of its market to Asean countries but richer countries like Indonesia opened only 50% of their markets for India. It also agreed to explore an India-China FTA in 2007 and join RCEP negotiations with China in 2011-12. However, the impact of these decisions resulted in increased trade deficit with RCEP nations – from $7 billion in 2004 to $78 billion in 2014.

November 2, 2019
nirbhayasuprem.png
1min5060

અયોધ્યા, શબરીમાલા, રાફેલ અને RTI પર સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વના ચુકાદાઓ

આગામી 10 દિવસમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા હાથ ધરવામાં આવનારા 4 અત્યંત મહત્વના અને સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાનો અંતિમ ફેંસલો સંભળાવી શકે. કદાચ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાઓ પર અંતિમ ફેંસલાઓ ન પણ હોય તો પણ સમગ્ર ભારતમાં તેમના રુલિંગ, હિયરીંગ ચર્ચાનો મુદ્દો બનશે. આ 4 સંવેદનશીલ મુદ્દાઓ આ મુજબ છે.

અયોધ્યા ખાતે રામજન્મભૂમિના વિવાદમાં અંતિમ નિર્ણય આવી શકે

અયોધ્યા મામલે ચુકાદો જે 1858થી દેશના સામાજીક-ધાર્મિક મામલે મુખ્ય બિંદુ રહ્યો છે. જેના પર 1885થી કેસ ચાલી રહ્યો છે. હવે આ કેસના લાંબા ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય નોંધાશે.

દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ શબરીમાલામાં મહિલાઓના પ્રવેશ ના વિવાદમાં

સબરીમાલા અયપ્પા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ અંગે મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા અપીલ પર ચુકાદો આગામી 10 દિવસમાં આવી શકે એમ છે.

રાફેલ સોદામાં મોદી સરકાર સામે થયેલી રિટી પીટીશનો બાદ ક્લીન ચીટ આપવા સંદર્ભનો ચુકાદો આવી શકે

મોદી સરકાર દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા યુદ્ધ વિમાનો રાફેલના સોદામાં કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચાર આચરવાથી લઇને રિલાયન્સના અનિલ અંબાણીની તરફદારી સુધીના અનેક આક્ષેપો થયા, રિટ પીટીશન્સ થઇ હતી. હવે આ કેસમાં કેન્દ્રની મોદી સરકારને ક્લિન ચીટ આપવાના સંદર્ભનો નિર્ણય પણ આગામી 10 દિવસમાં આવી શકે.

ચીફ જસ્ટીશને રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ લાવવા સંદર્ભે

દેશમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ અમલમાં આવ્યો છે. આ કાયદાથી કોઇ પર નથી પરંતુ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ઓફ ઇન્ડિયા કે જે અત્યાર સુધી આ કાયદાના દાયરામાં આવ્યા નથી, તેમને પણ આર.ટી.આઇ. હેઠળ લાવવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં રિટ પીટીશન કરવામાં આવી છે. CJIને RTI અંતર્ગત લાવવાના મામલે પણ ચુકાદો આગામી 10 દિવસમાં આવી શકે એમ છે.