CIA ALERT

Alert Archives - Page 492 of 519 - CIA Live

August 13, 2018
advt.jpg
1min6130

આ વખતની તહેવારોની સીઝન ભારે ધૂમધડાકાભરી બની રહે તેવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તહેવારોના મૂડમાં ભારતીયો અનેક ગણું શોપિંગ કરી લેતા હોય છે, ફક્ત જરૂર હોય છે તેમના સુધી પ્રોડક્ટને યેનકેન પ્રકારે પહોંચાડવાની અને એ પણ આકર્ષક ઓફર સાથે. તહેવારોમાં રીતસરનું એડવર્ટાઇઝમેન્ટ વોર જોવા મળશે કેમકે દેશભરમાં તહેવારો દરમિયાન જુદી જુદી કંપનીઓ દ્વારા અંદાજે રૂ.25 હજાર કરોડનો ખર્ચ ફક્ત જાહેરાતો પાછળ કરવાનું પ્લાનિંગ હાથ ધરી દીધું છે. ભારતીય કંપનીઓ દ્વારા એડ્વર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને પ્રમોશન્સ પાછળ ₹25,000 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત 2017 કરતાં આ વખતે 10 ટકા વધુ ખર્ચ કરશે એમ દેશના મુખ્ય મીડિયા પ્લાનર્સે જણાવ્યું હતું.

નિષ્ણાંતોના મત મુજબ આ વખતની તહેવારોની સીઝન સારી જશે અને બે આંકડાના તંદુરસ્ત વૃદ્ધિદરની અપેક્ષા છે. એકંદરે 10-12 ટકા વૃદ્ધિનો મારો અંદાજ છે. ગ્રાહકો દ્વારા ખર્ચમાં વધારો થયો છે, પરિણામે હું માનું છું કે, આગામી મહિનાઓમાં સેન્ટિમેન્ટ તેજીમય બનશે.
નવેમ્બર 2016માં સરકારે નોટબંધી લાગુ કરી હતી અને ત્યાર પછીના વર્ષે જુલાઈમાં GST અમલી બન્યો હતો, જેથી છેલ્લાં બંને વર્ષની તહેવારોની સીઝન નરમ રહી હતી પરંતુ આ વખતે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ તેજીમય રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું છે એટલે કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષા છે, પરિણામે ગ્રાહક-આધારિત ઉદ્યોગોમાં આશાવાદ વધ્યો છે. ગ્રામ્ય માર્કેટમાંથી માંગ વધી રહી છે, એટલે તેની સાથે સંકળાયેલાં સેક્ટર્સમાં વૃદ્ધિ જોવા મળશે. ગ્રામ્ય માંગ અને સારા વરસાદને કારણે જે સેક્ટર્સને મહત્તમ ફાયદો થવાની અપેક્ષા છે તેમાં FMCG, ઓટોમોબાઇલ અને ટુ-વ્હીલર તથા હેન્ડસેટ સેક્ટરનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઇ-કોમર્સ વેબસાઇટ્સ દ્વારા આ વખતના તહેવારોમાં તગડાં ડિસ્કાઉન્ટ્સની ઓફર થવાથી વેચાણ વધશે.

પ્રબળ આશાવાદને કારણે નવી કંપનીઓ પણ એડ્વર્ટાઇઝિંગ કરે તેવી શક્યતા છે. “આ વર્ષે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવી કેટલીક નવી ડિજિટલ એન્ટરટેઇન્મેન્ટ કંપનીઓ જોવા મળશે. આ કંપનીઓ તહેવારોની સીઝનમાં ખર્ચ કરે તેવી ધારણા છે.” એમ ભસિને ઉમેર્યું હતું.

 

August 13, 2018
sapu4-1280x622.jpg
1min17520

જયેશ બ્રહ્મભટ્ટ

ખાણીપીણી-હરવા ફરવાના શોખીન સુરતીઓને હવે ચોમાસામાં મોન્સુન ટ્રીપનું ઘેલું લાગ્યું છે. શ્રાવણ માસના પહેલા વીકએન્ડ એટલે કે ગઇ તા.11 અને 12 ઓગસ્ટના રોજ સુરતીઓ સાપુતારામાં એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે જાણે કિડીયારું ઉભરાયું હોય. સાપુતારાથી મળેલી તસ્વીરો નિહાળશો તો સ્વયં સ્થિતિ પામી જશો કે શનિ રવિની રજાઓ દરમિયાન સાપુતારા જામ-પેક્ડ હતું.

સાપુતારામાં આવતા સહેલાણીઓ સુરતી જ હતા એવું કેવી રીતે પામી શકાય, એવો પ્રશ્ન સાહજિક થાય. સાપુતારાના પબ્લિક પાર્કિંગ પ્લેશ તેમજ અન્ય સ્થળોએ પાર્ક કરાયેલા વાહનોના નંબરનું રેન્ડમ ચેક કરવામાં આવતા દર 10માંથી 9 ગાડી સુરત પાસિંગની જોવા મળી હતી. એ સ્થિતિ સૂચવે છે કે સાપુતારામાં ગયા વીકએન્ડમાં ઉમટેલા પ્રવાસીઓ પૈકી 90 ટકા સુરતીઓ હતા.

આ તસ્વીરો સિમલાની નથી સાપુતારાની છે

જ્યાં જુઓ ત્યાં ટુરીસ્ટથી છલકાતું હતું સાપુતારા

સાપુતારામાં જાણે રસ્તાઓની પહોળાઇ રાતોરાત ઘટી ગઇ

સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખાણીપીણીની કેબિનોમાં માલ ખૂટી ગયો

સોશ્યલ મિડીયા પર સાપુતારાના જ પિક્સ જોવા મળે

વીતેલા વીકએન્ડની વાત કરીએ તો સાપુતારાની મોન્સુન સ્મોલ ટ્રીપ પર ગયેલા શોખીન સુરતીઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં ખાણીપીણી, મોજમજા તો કરી જ સાથે સેંકડોની સંખ્યામાં ફોટોગ્રાફ્સ પણ પાડ્યા અને તેને મોટી સંખ્યામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જેવા સોશ્યલ મિડીયામાં અપલોડ કર્યા. વીકએન્ડમાં સાઉથ ગુજરાતના સોશ્યલ મિડીયા સર્કલમાં સાપુતારા પણ ટ્રોલિંગમાં જોવા મળ્યું હતું.

August 13, 2018
somnath-1.jpg
1min5870

લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન થયું છે. 89 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. સોમનાથ ચેટર્જી લાંબા સમયથી બીમાર હતા. હાર્ટ એટેકેને કારણે તેમની સ્થિતિ વધુ બગડી, જે બાદ તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સોમનાથ ચેટર્જી 1968માં સીપીએમના સભ્ય બન્યા હતા.

સોમનાથ ચેટર્જી કિડનીની બીમારીથી પીડિત હતા. 10 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. આ પહેલા 28 જૂને મગજમાં રક્તસ્રાવને કારણે પણ તેમની સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર માટે પાંચ સભ્યોના મેડિકલ બોર્ડને નિયુક્ત કરાયું હતું, જે તેમની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા હતા.

સોમનાથ ચેટર્જીનો જન્મ આસામના તેજપુરમાં 26 જુલાઈ, 1929ના રોજ થયો હતો. તેઓ હિંદુ મહાસભાના સંસ્થાપક્ષ અધ્યક્ષ નિર્મલચંદ્ર ચેટર્જીના પુત્ર હતા. તેમનું શરૂઆતનું શિક્ષણ કોલકાતા અને ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટિમાં થયું. શ્રમિક નેતા અને વકીલની સાથે સાથે સોમનાથ ચેટર્જી પ્રભાવશાળી વક્તા પણ હતા. 1989 અને 2004 સુધી લોકસભામાં તેઓ સીપીએમના સંસદીય દળના નેતા રહ્યા. 2004માં સર્વસંમતિથી તેઓ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા.

સોમનાથ ચેટર્જી 1871માં પહેલી વખત સાંસદ બન્યા, જે બાદ તેમણએ રાજકારણા જુદા જુદા ક્ષેત્રમાં સફળતા મેળવી. ચેટર્જી દસ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. 35 વર્ષમાં સાંસદ તરીકે દેશ સેવા કરી અને 1996માં તેઓ સર્વશ્રેષ્ઠ સાંસદના પુરસ્કારથી સન્માનિત થયા. સર્વશ્રેષ્ઠ સાંસદ રહી ચૂકેલા સોમનાથ ચેટર્જી પ.બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી. પરંતુ ચેટર્જી એક જ વખત ચૂંટણી હાર્યા. જેમાં તેમનો પરાજય મમતા બેનર્જી સામે થયો હતો. 1984માં જાદવપુર બેઠક પર થયેલી લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ ત્યારે સીપીએમના કદાવર નેતાને પરાજય આપ્યો હતો.

સોમનાથ ચેટર્જી સિદ્ધાંતવાદી અને પ્રામાણિક વ્યક્તિ હતા. જ્યારે સરકારી કામ માટે વિદેશ જવું પડતું, ત્યારે તેઓ પરિવારજનોનો ખર્ચ જાતે ઉઠાવતા હતા. એટલું જ નહીં સ્પીકર તરીકેની કામગીરી દરમિયાન પણ તેમમે પોતાના સરકારી આવાસમાં થતા સરકારી ખર્ચ ઓછા કરી દીધા હતા.

August 13, 2018
vnsgu.jpg
1min12560

Jayesh Brahmbhatt   

Executive Editor CIA live.  98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ પદે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ છે ત્યારથી ક્યારેય તેમનું નામ કોઇ રચનાત્મક કામગીરીમાં આવ્યું નથી બલ્કે વિવાદો ઉપસ્થિત કરવામાં તેમને આખા દેશમાં નંબર વન આપવો પડે તેવી કામગીરી એક પત્રકાર તરીકે નિહાળી છે. કોલેજોમાં 20-20 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવી પડે એવું વ્યવસ્થા તંત્ર કદાચ આખા વિશ્વમાં પણ નહીં બન્યું હોય. એવું સાભળ્યું હતું કે ડો.શિવેન્દ્ર ગુપ્તાની VNSGUના કુલપતિ પદે  નિયુક્તિ RSSના નેતાના ઇશારે થઇ હતી. એ અંગે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો.

RSS એક હિન્દુવાદી સંગઠન છે અને અનેક નેતાઓ ભૂતકાળમાં એન્ટી મુસ્લિમ સ્ટેટ્સમેન કરી ચૂક્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ માઇનોરિટી વિરોધી એજન્ડા અખત્યાર કરવામાં આવ્યો હોવાની અનૂભુતિ થઇ રહી છે. વાત છે એક કેપેબલ, ક્વોલિફાઇડ મુસ્લિમ અધ્યાપકની છે કે જેઓ ગુજરાતનું જ નહીં બલ્કે દેશનું ગૌરવ ગણાય છે, એ છે ડો.મુનિર જી. ટીમોલ.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપક છે. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની ખાલી પડેલી જગ્યા પર ડો. મુનિર જી. ટીમોલને તા.15 જુન 2018ના રોજ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની જગ્યા માટે તેઓ કાયદાકીય રીતે તમામ પ્રકારની લાયકાત ધરાવે છે અને યુનિ.નો નિયમ છે કે સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠક મળે એટલે ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપકને ફુલફ્લેજ ચાર્જ આપવાનો ઠરાવ કરવામાં આવે છે.

શું કહે છે યુનિવર્સિટીનો કાયદો

(1) The Statute 293, which is provided for appointment of HOD in a Department of our University, is as follows:

“There shall be a Head of the Department to be appointed by the Syndicate. The Syndicate shall appoint the senior most full time teacher not below the rank of a Reader from the staff of the Department to work as the Head of the Department. ….”

ફક્તને ફક્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ અધિકાર મંડળ પાસે જ પાવર્સ છે કે કોઇપણ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પદે સક્ષમ વ્યક્તિની  નિમણૂંક નિયમાનુસાર કરી શકે. આ માટે યુનિ.માં સ્ટેચ્યુટરી પ્રોવિઝન પણ ઉપલબ્ધ છે.

ડો.મુનિર જી. ટીમોલને ઇન્ચાર્જ એચ.ઓ.ડી. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ પદે તા.15 જુન 2018ના રોજ નિમણૂંક આપવામાં આવી એ પછીની વહેલી તકે એટલે કે એ પછીની સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠકમાં તેમને વિધિવત રીતે એચ.ઓ.ડી.નો ચાર્જ સોંપી દેવાનો ઠરાવ થવો જોઇતો હતો. પરંતુ, RSS સમર્થક કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના રાજમાં આ કામને ઇરાદાપૂર્વક વિલંબમાં નાંખવામાં આવી રહ્યું છે.

ડો. મુનિર જી. ટીમોલની હંગામી નિયુક્તિ થયા પછી સિન્ડીકેટ અધિકાર મંડળની બબ્બે સભાઓ યોજાઇ ગઇ. પહેલી મિટીંગ તા.25-06-2018 અને બીજી તા.15-07-2018ના રોજ મળી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્ને બેઠકોના એજન્ડા પર એક સક્ષમ મુસ્લિમ અધ્યાપક ડો. મુનિર જી. ટીમોલની નિમણૂંકનું ઔપચારિક કામ નહીં મૂકવાના આદેશ કરવામાં આવ્યા. આવા આદેશ કોના ઇશારે થયા એ તપાસનો વિષય બન્યો છે પરંતુ, સૌથી મોટી ચર્ચાએ શરૂ થઇ છે કે RSS સમર્થક કુલપતિના રાજમાં માઇનોરિટી વર્ગના લોકો સાથે અન્યાય શરૂ થયો છે અને તેની નોંધ કોઇ લેતું નથી એટલે અન્યાયકર્તાઓને વધુ બળ મળી રહ્યું છે.

ડો.મુનિર જી. ટીમોલની નિમણૂંકના મુદ્દે કહેવાય છે કે ખુદ કુલપતિ ડો. ગુપ્તા યુનિ. કાર્યાલયને તેમની નિમણૂંકની દરખાસ્ત સિન્ડીકેટ અધિકારમંડળના એજન્ડા પર લાવવાથી અટકાવી રહ્યા છે. યુનિ.ના એક્સપર્ટ કહે છે કે આ સરાસર અન્યાયકર્તા છે ડો. મુનિર ટીમોલ ખરેખર તમામ પ્રકારની શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિત તમામ બાબતો પર અપ ટુ ધ માર્ક મેરિટ ધરાવે છે આમ છતાં તેમને હળાહળ અન્યાય તો થઇ રહ્યો છે પરંતુ, તેઓ પોતે પણ અપમાનિત થઇ રહ્યાની અનૂભુતિ ધરાવી રહ્યા છે.

ડો.ટીમોલને નિમણૂંક નહીં આપી ને આટલા હકોથી વંચિત રાખ્યા

ડો. મુનિર જી. ટીમોલને 15 જુન 2018 પછી વહેલી તકે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની નિમણૂંક નહીં આપીને RSS સમર્થક કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ ડો. મુનિર જી. ટીમોલને સેનેટ મેમ્બર, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ જેવા અનેક પદોથી વંચિત રાખ્યા છે. હવે જ્યારે સિન્ડીકેટ અધિકાર મંડળની ચૂંટણી આવી રહી છે ત્યારે સેનેટ મેમ્બર તરીકે એક એક મત કિંમતી હોય છે ત્યારે તેમને કાયમી નિમણૂંક અપાશે કે હજુ પણ અન્યાય કરવાની નીતિ ચાલી રહેશે એ જોવું રહ્યું.

આગામી તા.24મી ઓગસ્ટના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે. કુલાધિપતિ એવા રાજ્યપાલ શ્રી કોહલીના હસ્તે જ્યારે પદવીદાન સમારોહ યોજવાનો હોય ત્યારે સેનેટ મેમ્બર માટે આવા દિક્ષાંત સમારોહ જીવનભરનું સંભારણું બની રહેતા હોય છે. સેનેટ મેમ્બર માટે ગર્વની વાત હોય છે કે તેઓ સેનેટર તરીકે દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહે. ત્યારે ડો. મુનિર જી. ટીમોલને  આ ગર્વથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે.

 

 

August 13, 2018
major1.jpg
1min6870

મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી 

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે

ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.

મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

 

 

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.

August 13, 2018
siachen-glacier.jpg
2min6790

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે 

હાલ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે ખાસ પ્રકારનાં કપડાં, સ્લિપીંગ કિટ્સ તથા અન્ય ખાસ ઉપકરણો તૈયાર કરાવવા અંગેની યોજનાને આખરી ઓપ આપી રહી છે. સિયાચીન ખાતે અતિશય ઠંડી પડે છે. તે લડાઈનું સૌથી ખતરનાક ક્ષેત્ર માનવામાં આવે છે.

૧૬૦૦૦ ફૂટથી ૨૦૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ક્ષેત્રના ભારતીય લશ્કરના જવાનોને અતિશય ઠંડી સામે રક્ષણ આપતા ખાસ ટેક્નિક ધરાવતા કપડાં (એક્સટ્રીમ કોલ્ડ વેધર ક્લોધિંગ સિસ્ટમ)ની આયાત તથા માઉન્ટેનિયરિંગ કિટની આયાત પાછળ ભારત સરકાર પ્રતિ વર્ષ ૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે.

હાલ આ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે, પરંતુ તેનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવે તો પ્રતિવર્ષ ૩૦૦ કરોડ રૂપિયાની બચત થઈ શકશે. ખાનગી ક્ષેત્રના સંયુક્ત ઉપક્રમ હેઠળ સિયાચીન ગ્લેસિયર ખાતે ફરજ બજાવનાર લશ્કરી જવાનની જરૂરિયાતની સામગ્રીના ઉત્પાદન અંગેની યોજના લગભગ ફાઇનલ થઈ ગઈ હોવાનું લશ્કરી સૂત્રોએ જણાવ્યું છે. સામગ્રીમાં થર્મલ ઇનસોલ્સ, સ્નો ગોગલ્સ, આઇસ એક્સ, બૂટ, એવેલેન્ચ વિક્ટીમ ડિટેક્ટર, રોક પાઇટોન્સ, સ્લિપીંગ બેગ્સ ઉપરાંત પર્વતારોહણને આવશ્યક સામગ્રીનો સમાવેશ થશે. સિયાચીન ગ્લેશિયર ઉપરાંત ડોકલામ તથા અન્ય ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં ફરજ બજાવતી લશ્કરી ટુકડીઓને પણ જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવશે. કારાકોરમ રેન્જમાં આવેલી સિયાચીન ગ્લેશિયરને હાઈએસ્ટ મિલિટરાઈઝ્ડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્ર્વનો આ સૌથી ખતરનાક વિસ્તાર છે. જ્યાં સૈનિકોએ અતિશય ઠંડી અને તેજ પવનની વચ્ચે થીજી જવાય એવા વાતાવરણમાં લડવું પડે છે. શિયાળા દરમિયાન સિયાચીન ગ્લેશિયરનું તાપમાન માઇનસ ૬૦ ડિગ્રી જેટલું નીચું જાય છે.

As legend goes, Colonel Narendra Kumar, the legendary
mountaineer after whom the mid way point of Siachen is
named, lost an ice axe presented to him by Indira Gandhi
while trekking up the glacier. The firm belief is that till
the army finds the missing piece of equipment, soldiers are
doomed to stay on the glacier.
AT 22,000ft, WITH TEMPERATURES FALLING BELOW MINUS 65 DEGREE CELSIUS, SIACHEN IS THE WORLD’S HIGHEST AND COLDEST BATTLEFRONT. ON AN EIGHT-DAY AND 84 Kms TREK UP THE GLACIER, MEMBERS OF SIACHEN GLACIER TRACKERS CLIMBING ON THE GLACIER TOWARDS CAMP THREE (NEAR KUMAR POST). IT WAS 84 Kms TRACK FROM BASE CAMP TO CAMP-3 AND BACK. IT WAS A CIVILIAN EXPENDITION UP THE SIACHEN GLACIER ORGANIZED BY THE INDIAN ARMY.
PHOTO BY — PRAVEEN KHANNA (17-10-2008)
SIACHEN-GLACIER.

પાછલા ૧૦ વર્ષમાં ભારતે સિયાચીન ગ્લેસિયર ખાતે તેના ૧૬૩ જવાન ગુમાવ્યા છે. ભારત તથા પાકિસ્તાન તરફથી ૧૯૮૪થી સિયાચીન ખાતે લશ્કરી ટુકડીઓ લાદવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટ બે કેટેગરીમાં ડીવાઈડ કરવામાં આવશે જે અંતર્ગત એક કેટેગરીમાં ૯૦૦૦ ફટથી ૧૨૦૦૦ ફૂટ તથા બીજી કેટેગરીમાં ૧૨૦૦૦ ફૂટ ઉપરનો સમાવેશ કરવામાં આવશે.

એનડીએ સરકાર તરફથી મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણને લગતી સાધાનસામગ્રીનું ઉત્પાદન દેશમાં કરવા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતીય ફર્મ સાથે જોડાઈને હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. આર્મી દ્વારા ૧૦ વર્ષ પહેલાં જ હાઈ અલ્ટિટ્યૂટ કપડાં તથા સામગ્રીના સ્વદેશી ઉત્પાદનનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.

August 13, 2018
arohi2.jpg
1min11280

વિશ્ર્વભ્રમણ માટે ભારતની બે યુવતીઓ ૨૨ વર્ષની આરોહી પંડિત અને ૨૪ વર્ષની કૈથર મિસ્ક્વિટ્ટા ટચૂકડાં વિમાનમાં ઉડાન ભરી દુનિયાની સફરે નીકળી પડી છે. પંજાબની પતિયાલા એવિએશન ક્લબની મેમ્બર ટચુકડાં મોટર ગ્લાઈડર ગણાતાં લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ સાથે ત્રણેક માસ લાંબી સફરે નીકળી પડી છે. જેમાં તે ૪૦ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને ત્રણ ખંડના એકવીસ દેશનું પરિભ્રમણ કરી ભારતમાં નવો જ વિક્રમ રચશે.

આ બંને દીકરી ભારતની સરહદ છોડીને પાકિસ્તાન જતાં પૂર્વે ત્રણેક દિવસ ભુજમાં રોકાઈ હતી અને ગત સાતમી ઑગસ્ટે ભુજથી પાકિસ્તાનના કરાચી તરફ નીકળી ગઈ હતી. ભુજ એરપોર્ટના મેનેજરના જણાવ્યા અનુસાર બને પાઇલટ્સ ટચુકડાં પ્લેન સાથે અમદાવાદથી ભુજ આવી પહોંચી હતી. જો કે, એક-બે દેશના પાસપોર્ટ-વિઝાની પ્રક્રિયામાં વિલંબ થયો હોઈ તે ત્રણેક દિવસ સુધી ભુજમાં રોકાઈ હતી. આરોહી અને કૈથરના આ મિશનને દેશના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને નેવી બ્લ્યૂ ફાઉન્ડેશને સંયુક્ત રીતે સ્પોન્સર કર્યું છે. આ મિશનને વીઇ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ નામ અપાયું છે .

ભુજ એરપોર્ટ સ્ટાફે પાકિસ્તાનની ઉડાન માટે રવાના થતાં પૂર્વે વિદાયમાન આપ્યું હતું. તો, કરાચી એરપોર્ટ પર પણ ભારતના હાઈકમિશનર અને પાકિસ્તાની સ્ટાફે બંનેનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આરોહી મરાઠીભાષી હોઈ ઍરપોર્ટ દ્વારા ખાસ તેની મદદ માટે મરાઠીભાષી સ્ટાફ તૈનાત રખાયો હતો. આરોહી અને કૈથરે જે નાનકડાં વિમાનમાં સાહસયાત્રા શરૂ કરી છે તે સિંગલ એન્જિન પ્લેનનું નામ છે માહી. સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે પૃથ્વીમાતા. આ વિમાન ૮૦ હોર્સપાવરનું છે. આ વિમાન કલાકના મહત્તમ ૨૧૫ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે અને એક ટ્રીપ મહત્તમ ચાર કલાક સુધી ખેડી શકાય છે.

એવિએશન ઈન્ડસ્ટ્રીના તજજ્ઞોના જણાવ્યા મુજબ આવા પ્લેનમાં ઉડાન સંપૂર્ણપણે વાતાવરણ પર નિર્ભર રહેતી હોય છે. વિશ્ર્વભ્રમણે નીકળેલી આ સાહસવીર યુવતીઓ બર્ફિલા પહાડો, વિશાળ સમુદ્રો, બિહામણા કોતરો, બર્ફિલા ટુંડ્ર પ્રદેશ, અફાટ રણ અને ઘનઘોર જંગલોને પાર કરવાનાં આવશે. અનેક જગ્યાએ હવાનું ટર્બ્યુલન્સ નડવાની શક્યતા છે. તો માનવ વસતીવિહોણા વિસ્તારોમાં સફર ખેડતી વખતે અનેક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

ભુજથી કરાચી બાદ હાલ આ દીકરીઓ ઈરાન પહોંચી છે. અહીંથી તે તુર્કી, સ્લોવેનીયા, ઑસ્ટ્રીયા, એટલાન્ટિક રેન્જ પાર કરી કેનેડા પહોંચશે. ત્યાંથી અમેરિકા, રશિયા, ચાઈના, મ્યાનમાર વગેરે દેશોમાં થઈ ભારત પરત ફરશે. સિંગલ એન્જિન પ્લેન સાથે વિશ્ર્વભ્રમણના ઇતિહાસમાં નવી સિદ્ધિ અંકિત કરવા કૃતનિશ્ર્ચયી છે.

August 13, 2018
ugc.jpg
1min6250

રાજ્યની અને કેન્દ્રની યુનિવર્સિટીના ડિસ્ટન્સ એજ્યુકેશનના અંતર્ગત દેશ અને રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા  ૩૫ પ્રોફેશનલ અભ્યાસક્રમની માન્યતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ રદ્દ કરી દીધી છે, આ નિર્ણયને લીધે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. સ્પષ્ટીકરણ આપીને યુજીસીના આ નિર્ણયને બદલવા માટે ઇન્સ્ટ્ટ્યિૂટ પાસે એક મહિનાનો સમય છે.

ગઇ તા.9મી ઓગસ્ટના રોજ યુજીસી નવી દિલ્હીના ડિસ્ટન્સ એજ્યુકેશનના બ્યુરોએ જાહેરાત કરી હતી કે નિયમિત રીતે નિર્ધારિત અભ્યાસક્રમનું સંચાલન છેલ્લાં પાંચ વર્ષથી નહીં કરાયું હોય એવી યુનિવર્સિટીના અભ્યાસક્રમની માન્યતા રદ્દ થઇ શકે છે. એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમની સંબંધિત રૅગ્યુલેટરી ઑથોરિટીની મંજૂરી મળ્યા બાદ જ આ અભ્યાસક્રમને માન્યતા મળશે. ડીમ્ડ યુનિવર્સિટીના અભ્યાસક્રમની ઝીણવટભરી તપાસ હાલમાં ચાલી રહી છે.

એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા  ૩૫ પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી પ્રાઇવેટ, ડીમ્ડ, ડિસ્ટન્સ લર્નિંગની યુનિવર્સિટીઓ શિક્ષણને બદલે સીધેસીધી ડિગ્રીઓ જ વેચી દેતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. કેટલાક સંગીન પુરાવા સાથે દાખલાઓ પણ મળતા યુજીસીએ આકરી કાર્યવાહી કરી છે. સમગ્ર દેશમાં આ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે. ગઇ તા.8મી ઓગસ્ટના રોજ યુજીસીએ જે અભ્યાસક્રમોને માન્યતા આપી છે તેની વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત છે. આ યાદી અનુસારના અભ્યાસક્રમોમાં જ પ્રવેશ લેવા માટે ઉમેદવારોને જણાવવામાં આવે છે.

https://www.ugc.ac.in/pdfnews/9969719_UGC-RECOGNITION-FOR-ODL-PROGRAMMES-2018-19-ONWARDS.pdf

UGC_distance_learning

August 13, 2018
psp1.jpg
1min8770

સૂર્ય ફરતેના આગઝરતા વાતાવરણના રહસ્યો જાણવા તથા તેની અવકાશી હવામાન પર થતી અસરનો અભ્યાસ કરવા સાત વર્ષની અભૂતપૂર્વ સફરે રવિવારે નાસાનું પાર્કર સૉલર પ્રૉબ રવાના થયું હતું. સૂર્યને સ્પર્શવાના માનવજાતના પહેલા મિશનનું રવિવારે સફળ ઉડ્ડયન થયું હતું. કેપ કેનેવરલ ઍર ફૉર્સ સ્ટેશનના સ્પૅસ લૉન્ચ કૉમ્પ્લેક્સ ૩૭ પરથી દોઢ અબજ અમેરિકી ડૉલરના આ અવકાશયાનનું ભારતીય સમય પ્રમાણે રવિવારે બપોરે ૩.૩૧ કલાકે ઉડ્ડયન થયું હતું. જોકે શનિવારે પાર્કર સૉલર પ્રૉબને લઇ જનાર યુનાઇટેડ લૉન્ચ અલાયન્સ ડેલ્ટા ફૉર હેવી રૉકેટનું ઉડ્ડયન થવાનું હતું. આ ઉડ્ડયનને સાવ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

નાસાએ પોતાના બ્લૉગ પૉસ્ટ પર જણાવ્યું હતું કે,‘અવકાશયાન સારી હાલતમાં છે અને પોતે જ પોતાનું સંચાલન કરી રહ્યું છે. પાર્કર સૉલર પ્રૉબે સૂર્યને સ્પર્શવાનું તેનું મિશન આદર્યું છે.’ લૉન્ચ થયાના થોડા સમયમાં જ અવકાશયાન તેનું વહન કરતા રૉકેટથી અલગ થઇ ગયું હતું.
કોઇ જીવતા વિજ્ઞાનીનું નામ અપાયું હોય એવું આ પહેલું મિશન છે. ૧૯૫૮માં સૌરપવનોના અસ્તિત્વ અંગે શોધ કરનાર હાલ ૯૧ વર્ષના યુજીન એન. પાર્કરનું નામ સૉલર પ્રૉબને અપાયું છે.

સૌરપવનો ઊર્જા વહન કરતી રજકણો અને ચુંબકીય ક્ષેત્રોનો એવો પ્રવાહ છે જે સતત સૂર્યમાંથી વહેતો રહે છે.કારની આકારનું યાન સીધું સૂરજના વાતાવરણમાં પ્રવાસ કરશે અને એ સૂર્યની સપાટીથી ૩૮ લાખ માઇલ દૂર હશે. જોકે આજ સુધી સૂર્યની નજીક જનારા યાનની સરખામણીમાં પાર્ક સૉલર પ્રૉબ સાત ગણાથી વધુ અંતર નજીક હશે. આનું શ્રેય તેની થર્મલ પ્રૉટેક્શન સિસ્ટમને આપી શકાય. સૂર્યની સૌથી નજીક આ યાન હશે ત્યારે તે પ્રતિ કલાકે સાત લાખ માઇલ્સની ઝડપે સૂર્યની ફરતે ફરતું હશે અને તેણે ૧,૩૭૭ અંશ સેલ્સિયસ ગરમીનો સામનો કરવા પડશે. સૂર્યના બહારના વાતાવરણ કૉરૉનામાં યાન ૨૪ ભ્રમણ કરશે અને એ દરમિયાન કૉરૉના અંગે સંશોધન કરશે. સૂર્યના વાતાવરણના રહસ્યોનો પર્દાફાશ કરવા માટે યાન શુક્રના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરશે અને શુક્ર ફરતે સાત ભ્રમણ કરશે જેના દ્વારા સૂર્યના વાતાવરણમાં પ્રવેશી શકશે.

 

August 12, 2018
tank.jpg
1min6020

ગુજરાતમાં ચોમાસું હોવા છતાં ઓછા વરસાદને કારણે ઘણી જગ્યાએ પીવાના પાણીની અછત વર્તાઇ રહી છે. હજીયે ઓછા વરસાદ વાળા કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો દોડી રહ્યા છે. રાજ્યના 7 જિલ્લાના 20 તાલુકાના 56 ગામો તથા 36 પરાં મળીને 92 ગામ-પરામાં 64 ટેન્કરોના કુલ 234 ફેરા કરીને પીવાનું પાણી પહોચતું થઇ રહ્યું છે. રાજ્યમાં 24મી જૂને ઉનાળાની સિઝનના સૌથી વઘુ 478 ટોન્કરોના 1,978 ફેરા દ્વારા 72 તાલુકાના 1,037 ગામ-પરામાં પીવાનું પાણી અપાયું હતું, તેની તુલનામાં અત્યારે ઘણી હળવી સ્થિતિ છે.

કચ્છ જિલ્લાના 6 તાલુકાના 48 ગામ-પરામાં, સુરેન્દ્રરનગરના 3 તાલુકાના 8 ગાલ-પરામાં, મોરબીના 5 તાલુકાના 13 ગામ-પરામાં, દ્વારકાના 2 તાલુકાના 12 ગામ-પરામાં, બનાસકાંઠાના 2 તાલુકાના 8 ગામ-પરામાં તેમજ જામનગર-ભાવનગરના એક-એક તાલુકામાં અનુક્રમે 2 અને 1 ગામોમાં પીવાનું પાણી ટેન્કરથી અપાઇ રહ્યું છે. આ બઘા ગામોમાં ઘણો ઓછો વરસાદ થયો છે. જો કે હવે પખવાડિયાના અંતરાલ બાદ ગઇકાલ બુધવારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જેને કારણે ટૂંક સમયમાં જ ટેન્કરોથી પીવાનું પાણી આપવાની કામગીરી મોટાભાગે બંધ થશે, તેમ સૂત્રો જણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ચોમાસાની સિઝનની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદ જોવા મળ્યો હતો પણ હજુ ઉત્તર ગુજરાત અને અમદાવાદ જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાં મેઘાની મહેર થઇ નથી. આમ વરસાદ નહીં વરસે તો પીવાની સમસ્યા વધુ વકરે તેવા એધાણ છે. કેમ કે, વરસાદ ઓછો પડશે તો અમદાવાદ સહિત મોટા શહેરોમાં પાણીની તંગી સર્જાશે.