CIA ALERT

Alert Archives - Page 493 of 512 - CIA Live

August 5, 2018
apple.jpeg
1min6140

એપલ માટે ભારતમાં આ વર્ષ સૌથી વધુ કપરું સાબિત થાય તેમ છે. 2018ના પ્રથમ છ મહિનામાં તેના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. એનાલિસ્ટ્સે જણાવ્યું કે કંપની વૃદ્ધિના બદલે નફાને વધુ મહત્ત્વ આપે છે અને તેણે ડિસ્કાઉન્ટ તથા ડિસ્ટ્રિબ્યુશનમાં ઘટાડો કર્યો છે તેનું આ પરિણામ છે. કેટલાકે કહ્યું કે તહેવારોની સીઝન અગાઉ સપ્ટેમ્બરમાં કંપની નવા મોડલ લોન્ચ કરે તો વેચાણ વધી શકે છે.

સ્માર્ટફોન ઉત્પાદક કંપનીએ જૂન ક્વાર્ટરમાં વેચાણમાં વાર્ષિક ધોરણે 55 ટકા ઘટાડો નોંધાવ્યો હતો અને ક્રમિક ધોરણે ૩૦ ટકા ઘટાડો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં શિપમેન્ટ્સ વાર્ષિક ધોરણે 22 ટકા ઘટ્યા હતા જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 46 ટકાનો ઘટાડો થયો હતો.

સિંગાપોર સ્થિત રિસર્ચ કંપની કેનાલિસના રિસર્ચ મેનેજર રુષભ દોશીએ જણાવ્યું કે 2018 એ એપલના બજાર માટે સૌથી ખરાબ વર્ષ રહેવાની શક્યતા છે. બીજું ક્વાર્ટર ઘણું નબળું રહ્યું છે. તેના કારણે ભારતમાં આઇફોન ઉત્પાદકનો બજારહિસ્સો ઘટી શકે છે જે પહેલેથી તેની હાજરી વિસ્તારવામાં મુશ્કેલી અનુભવી રહી છે. સામાન્ય રીતે વર્તમાન અને ડિસેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વધતું હોય છે.

પ્રીમિયમ બજારમાં એપલની સ્થિતિ મજબૂત હોય છે પરંતુ તેમાં સ્પર્ધામાં વધારો થયો છે. વનપ્લસ જેવી નવી કંપનીના આગમન તથા સેમસંગની આક્રમકતાના કારણે પ્રીમિયમ મોબાઇલ ક્ષેત્રે સ્પર્ધા વધી છે. પ્રીમિયમ સેગમેન્ટમાં જ એપલનો હિસ્સો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઘટીને 20 ટકા થયો હતો જે ગયા વર્ષમાં 43 ટકા હતો.

August 5, 2018
st.jpg
1min23600
સ્ટીવ જોબ્સની પુત્રીએ પુસ્તકમાં ખોલ્યા પિતા સાથેના સંબંધોના રહસ્યો

વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પુત્રી સાથેના સંબધો ખૂબ જ ખરાબ રહ્યા હતા. ઘણા વર્ષો સુધી સ્ટીવે લીઝાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી જ નહોતી. હવે સ્ટીવ જોબ્સની પુત્રીએ પિતા સાથેના સંબંધો પર પુસ્તક લખ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે જીવનના અંતિમ દિવસોમાં સ્ટીવ જોબ્સે તેને કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે.

લીઝા બ્રેનન-જોબ્સે પોતાના પુસ્તક ‘સ્મોલ ફ્રાય’ માં પિતા સાથેના સંબધો વિશે લખ્યું છે. લીઝા સ્ટીવની પ્રથમ પુત્રી છે. આ પુસ્તકનો એક ભાગ ‘વૈનિટી ફેરે’ છાપ્યો છે જેમાં લીઝાએ જણાવ્યું કે જ્યારે સ્ટીવ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને પથારીવશ હાલતમાં લીઝા તેમને મળવા ગઇ હતી, પોતે રોઝ સેંન્ટ છાંટીને ગઈ હતી પરંતુ સ્ટીવે કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે. બ્રેનન માને છે કે તેમના જન્મ પર દુ:ખની લાગણી જ પિતા સાથેના ખરાબ સંબધોનું કારણ છે.

લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે
લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે

બ્રેનને જણાવ્યું કે તેમના પિતા પાસેથી તેમની જૂની પોર્શ કાર માંગતા સ્ટીવે કહ્યું હતું કે તને કંઇ જ નહી મળે. સમજી લે જે, કંઇ જ નહી મળે.

1978માં જન્મેલી લીઝા બ્રેનન-જોબ્સ, સ્ટીવ અને ક્રિસન બ્રેનનની પુત્રી છે. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ક્રિસન ગર્ભવતી થતા સ્ટીવે બાળકી પોતાની હોવાનો ઈન્કાર કરી અલગ થયા હતા, પરંતુ કોર્ટે પીતૃત્વ પરીક્ષણ કરાવ્યું જેમાં સાબિત થયું કે આ બાળકીના પિતા સ્ટીવ જોબ્સ જ છે.

સ્ટીવ જોબ્સ 2011માં મૃત્યું પામ્યા હતા અને પુત્રી 9 વર્ષની થઇ ત્યાં સુધી સ્ટીવ પોતાની વાત પર રહ્યા કે તેઓ ઈન્ફર્ટાઈલ હોવાથી પિતા નહી બની શકે. જો કે ત્યાર બાદ સ્ટીવ તેમની પત્ની લોરેન પોવેલ થકી ત્રણ સંતાનોના જન્મ્યા હતા.

નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે
નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે

બ્રેનને પુસ્તકમાં લખ્યું છે કે પાછળથી સ્ટીવે માફી માંગી હતી પરંતુ તેમના સંબધો હમેશાં તણાવપૂર્ણ રહ્યાં. તે કયારેક ક્યારેક પિતાના ઘરે જતી પરંતુ તેમની વાતચીતમાં સ્ટીવ લાંબા સમય મૌન રહેતા હતા. પિતા સ્ટીવ માટે બ્રેનન હમેશાં તેમની સફળતા પર એક ડાઘ સમાન હતી. કારણ કે તેની જીંદગી એ મહાનતા અને ગુણો સાથે બંધબેસતી નહોતી જે સ્ટીવ પોતાના માટે ઈચ્છતા હતા. મારા માટે આનાથી વિરૂધ્ધ હતું, હું જેટલી એમની નજીક જતી એટલી ઓછી શરમ અનુભવતી હતી.

August 5, 2018
goat.jpg
1min13300

મસ્જિદ બંદર સ્ટેશન પર બુધવારે એક અજીબ ઘટના ઘટી.

goat

એક યાત્રી ટિકિટ વિના પોતાની બકરી લઈને સફર કરી રહ્યો હતો. રેલવેના નિયમ અનુસાર સામાન્ય ડબ્બામાં પ્રાણીઓને લઈને સફર કરવાની પરવાનગી નથી હોતી. ટિકિટચેકરે જ્યારે આ ભાઈ પાસે ટિકિટ માગી ત્યારે પહેલાં તો તે ગભરાઈ ગયો. ઊભો થઈને ખિસ્સાં ફંફોસવા લાગ્યો અને પછી ચકમો આપીને ત્યાંથી ભાગી ગયો. જોકે તેની બકરી ટ્રેનમાં જ રહી ગઈ.

આવા સંજોગોમાં હવે આ બકરીનું શું કરવું એ બાબતે ટિકિટચેકર મૂંઝવણમાં મુકાયા. તેમણે આ બકરીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી અને CSMTના લગેજ રૂમમાં બાંધી દીધી.

તા.3 ઓગસ્ટે આ બસંતી નામની આ બકરીની પણ હરાજી કરવામાં આવી હતી. લગેજ રૂમમાં બાંધેલી બકરી પર બાકાયદા ‘૩૦૦૦ રૂપિયામાં વેચાણ માટે’ એવી તકતી લગાવવામાં આવી હતી. રેલવે-અધિકારીઓને તા.3 ઓગસ્ટે એનો ખરીદદાર મળ્યો હતો અને એ ૨૫૦૦ રૂપિયામાં વેચાઈ હતી. અબ્દુલ રહેમાન નામની વ્યક્તિએ આ બકરી ખરીદી હતી અને તેણે કહ્યું હતું કે બકરીનું શું કરવું એ વિશે મેં હજી વિચાર્યું નથી.

August 5, 2018
hotel.jpg
1min4590

હોટેલ સેક્ટર માટે પ્રવર્તતો તેજીમય આશાવાદ, લેમન ટ્રીના IPOને મળેલી સફળતા, હોટેલ કંપનીઓના શેર્સમાં એક વર્ષમાં મ‌ળેલું સારું વળતર જેવાં કારણોસર અન્ય હોસ્પિટાલિટી કંપનીઓ પણ મૂડીમાર્કેટમાં પ્રવેશવા તરફ આગળ વધી રહી છે.

લલિત બ્રાન્ડ હેઠળ હોટેલ બિઝનેસ કરતી કંપની ભારત હોટેલ્સે ₹1,200 કરોડનો IPO લાવવા માટે ચાલુ મહિને જ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે ત્યારે શેલે હોટેલ્સે પણ ₹950 કરોડના નવા શેર્સ ઇશ્યૂ કરવા માટે આ મહિને જ અરજી કરી હતી. મુંબઈમાં મેરિયટ અને રેનેસાં સહિતની વિવિધ હોટેલ્સની માલિકી ધરાવતી આ કંપની ₹2.47 કરોડના સેકન્ડરી સેલની પણ યોજના ધરાવે છે.

ઘણી કંપનીઓ લિસ્ટિંગ કરાવવા માટેની તૈયારીના ભાગરૂપે તેમના હોટેલ એસેટ પોર્ટફોલિયોમાં વિસ્તરણ કરી રહી છે અને આ વર્ષે આવા ઘણા IPO આવી શકે છે.

લાંબા સમય સુધી રાહ જોયા બાદ હવે હોસ્પિટાલિટી ઉદ્યોગ મૂડીબજારોમાંથી ભંડોળ એકત્રિત કરવાની દિશામાં સક્રિય થયો છે. કેટલીક પ્રાઇવેટ હોટેલ કંપનીઓએ પબ્લિક કંપની બનવાની તૈયારીના ભાગરૂપે તેમના હોટેલ એસેટ પોર્ટફોલિયોમાં વિસ્તરણ શરૂ કર્યું હોવાથી આગામી વર્ષની અંદર તો આવા ઘણા IPO આવે તેવી શક્યતા છે.

હોટેલ ઉદ્યોગ માટે વૃદ્ધિમય પર્ફોર્મન્સનો આશાવાદ હોવાથી ઘણી હોટેલ કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરાવીને મૂડીભંડોળ એકત્રિત કરવાની તેમની ક્ષમતા ચકાસવા આતુર બની છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ ’18માં લેમન ટ્રીનો ₹1,040 કરોડનો IPO આવ્યો હતો, જેમાં કંપનીએ તેના પ્રમોટર્સ અને વર્તમાન રોકાણકાર વોરબર્ગ પિન્કસના 18.55 કરોડ જેટલા શેર્સ વેચ્યા હતા. લિસ્ટિંગના દિવસે તેનો શેર ₹61.60ના ઓફર ભાવ કરતાં 28 ટકા ઊંચા ભાવે એટલે કે ₹71.60ના ભાવે બંધ રહ્યો હતો. છેલ્લે 31 જુલાઈ મંગળવારના રોજ તેનો ભાવ ₹78.25 હતો.

BSE પરથી મેળવેલી માહિતી પ્રમાણે વિવિધ લિસ્ટેડ હોટેલ કંપનીઓના શેર્સમાં વાર્ષિક ધોરણે સારું વળતર મળ્યું છે. IHCLના શેરમાં 11 ટકા, EIHમાં 16.6 ટકા, રોયલ ઓર્કિડમાં 38.5 ટકા અને કામત હોટેલ્સમાં 18 ટકા વળતર મળ્યું છે.

સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં તેમજ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલી વૃદ્ધિ, વિશાળ મધ્યમવર્ગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ, વિવિધ મલ્ટિનેશનલ અને સ્થાનિક કંપનીઓની જંગી વિસ્તરણની યોજના જેવાં પરિબળો ધ્યાનમાં લઈએ તો હોસ્પિટાલિટી માર્કેટમાં ઘણી તક દેખાઈ રહી છે.

હોટેલ્સમાં ઓક્યુપન્સી લેવલ વધી રહ્યું હોવાથી, ખર્ચકાપનાં પગલાંના કારણે આવકમાં થઈ રહેલી વૃદ્ધિ અને રૂમનાં સરેરાશ ભાડાંમાં પાંચથી છ ટકા વધારો જેવા મજબૂત ફંડામેન્ટલને કારણે અગ્રણી લિસ્ટેડ હોટેલ કંપનીઓના શેર્સ નવી ટોચે પહોંચ્યા છે.

August 5, 2018
chin1-1280x720.jpg
1min4600

ચીન તેના આર્ટલરી યુનિટ્સ માટે ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી રૉકેટસ વિકસાવી રહ્યું છે. ઈલેક્ટ્રોમેગ્નેટિક રોકેટસ ઊંચા પહાડી વિસ્તારોમાં વિશેષ ક્ષમતાથી કામ કરી શકે છે. તિબેટના પહાડી વિસ્તારો દ્વારા ભારત સામે ચીન ઈલેક્ટ્રોમેગ્નેટિક આર્ટિલરી ખડકી શકે છે. અતિ આધુનિક ઈલેક્ટ્રોમેગ્નેટિક રૉકેટસ 200 કિ.મી. દૂરના લક્ષ્યાંક પર હુમલો કરી શકે છે. અન્ય આર્ટિલરી હથિયાર કરતા તે વધુ અસરકારક અને વધુ શક્તિશાળી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. લશ્કરી ગતિવિધિ દરમિયાન આ પ્રકારના રોકેટ્સ ચીનની સાઉથ- વેસ્ટ સરહદ પર વાપરવાનો ચીનનો ઇરાદો ચીનનું નિશાન ભારત હોવા તરફ નિર્દેશ કરે છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સિક્કીમ બોર્ડર પર દોકલામ ક્ષેત્રે ભારત તથા ચીન વચ્ચે 73 દિવસનો સ્ટેન્ડ ઑફ (યુદ્ધ વિરામ) જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય સૈન્ય દ્વારા દોકલામના વિવાદાસ્પદ ક્ષેત્રમાં ચીનની મિલિટરી દ્વારા થઈ રહેલું રોડનું બાંધકામ અટકાવવામાં આવ્યું હતું. બીજિંગના કબજા હેઠળના ક્ષેત્ર પર થીમ્પુ દ્વારા પોતાના સાર્વભૌમત્વ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજકીય વાટાઘાટો બાદ દોકલામ વિવાદ પૂર્ણ થયો હોવાની ઘોષણા તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ દ્વારા કરવામાં આવી હતી.

ત્યારબાદ ચીન દ્વારા ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ રોકેટ વિકસાવવામાં આવી રહ્યાના સમાચાર ચીનના બદઈરાદા દર્શાવતા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

બીજિંગના પીએલએ રિસર્ચ સેન્ટર ખાતે ઈલેક્ટ્રોમેગ્નેટિક રોકેટ તૈયાર થઈ રહ્યા છે, જેના પ્રોજેક્ટ લીડર વૈજ્ઞાનિક હેન જૂનલી હોવાનું બહાર આવ્યું છે.

સંરક્ષણ ક્ષેત્રે ચીન અતિઆધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી વ્યાપ વધારી રહ્યું છે. હેનના મત મુજબ ચીને સાઉથ વેસ્ટ સરહદ પરના મેદાનો ખાતે રોકેટ આર્ટિલરી વિકસાવવી ચીનની સુરક્ષા માટે જરૂરી છે. ચીનના અતિ વિશાળ મેદાનો અને પહાડી વિસ્તારોમાં સૈન્ય વગર પણ રોકેટ દ્વારા 200 કિ.મી. દૂર સુધી વાર થઈ શકશે.

ઈલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચીન ઈલેક્ટ્રોમેગ્નેટિક રેલગન પણ તૈયાર કરશે જે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સના સિદ્ધાંત પર કામ કરશે.

August 5, 2018
fraud.jpg
1min13320

રાજ્યની સી.આઇ.ડી.ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગેરકાયદેસર બનાવટી લે-ભાગુ કંપનીઓ વિરુદ્ધ વર્ષ – 2016થી મે- 2018 સુધી 28 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરાઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં 4,62,687 રોકાણકારોના અંદાજે રૂ.713 કરોડના નાણાં છેતરપિંડી કરીને લે-ભાગુ કંપનીઓએ ઉઘરાવી લીધા છે અને પરત કર્યા નથી. આવી કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને 114 જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્ત કરાઇ છે. જે સંબંધે રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હુકમો કરી ડેઝીગેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી છે ત્યારે હવે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને તેની હરાજી કરીને લોકોના નાણાં પાછા આપવામાં આવશે.

ગુજરાતના ગ્રૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ શહેરો – જિલ્લાઓમાં કેટલીક લે – ભાગુ કંપનીઓ દ્વારા લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવા રોકાણકારોના નાણાં સત્વરે પાછા મળે તે માટે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ આ મિલકતોની હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે પણ નિમણૂક કરી દીધી છે. આ લે-ભાગું કંપનીઓ રિઝર્વ બેંકની મંજૂરી લીધા વગર ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાના પ્રલોભનો આપીને નાગરિકોની માતબર રકમ પચાવી પાડી છેતરપિંડી કરતી હોય છે. આ માટે રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના દાખવીને આ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. જેના કારણે રોકાણકારોના નાણાં સત્વરે પરત મળશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં જી.પી.આઇ.ડી. એક્ટ અન્વયે નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારીઓની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂક કરાઇ છે. કાયદામાં ડેઝીગેટેડ કોર્ટની નિમણૂક કરવાની જોગવાઇ છે. જે મુજબ સમગ્ર રાજય માટે અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે ડેઝીગેટેડ કોર્ટોની રચના પણ કરી દેવાઇ છે. સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી તપાસનું અસરકારક સુપરવિઝન થઇ શકશે અને એકંદરે રોકાણકારોને ફાયદો થશે.

August 5, 2018
ben-stokes759.jpg
1min4670

બર્મિંગહૅમની ટેસ્ટમાં બીજા દાવમાં રાહુલ, વિરાટ, હાર્દિક અને શમીની વિકેટ લઈને ભારતની હાર નિશ્ર્ચિત કરનાર ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સ ગઈ કાલે બેહદ ખુશ હતો, પરંતુ હવે આવતી કાલે તા.6 ઓગસ્ટ (સોમવારે) તેણે ગયા વર્ષે બ્રિસ્ટૉલ ખાતેની નાઇટક્લબની બહાર બનેલા મારપીટના બનાવના સંદર્ભમાં અદાલતમાં હાજર થવું પડશે. પાંચથી સાત દિવસ સુનાવણી ચાલવાની હોવાથી તે ૯મી ઑગસ્ટથી લૉર્ડ્સમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં કદાચ નહીં રમી શકે.

 

August 4, 2018
Vijay_Gutte.jpg
1min5360

રૂ. 34 કરોડની જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ)ની કથિત છેતરપિંડી આચરવા પ્રકરણે ફિલ્મ ડિરેક્ટર વિજય ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી હતી, એમ જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું.

આગામી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના ડિરેક્ટર ગુટ્ટેની ગુરુવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીએસટીઆઇ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુટ્ટેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 14 ઓગસ્ટ સુધીની અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.

ગુટ્ટે સામે ગુડ્સ એન્ડ સર્વિસીસના કોઇ પણ પુરવઠા વિના બિલ અને ઇન્વોઇસીસનો ઉપયોગ કરીને ઇનપુટ ટેક્સનો ખોટી રીતે લાભ લેવા સંબંધી કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ગુટ્ટેની કંપની વીઆરજી ડિજિટલ કોર્પ પ્રા. લિ.એ અન્ય કંપની હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સ પ્રા.લિ. પાસેથી પ્રાપ્ત એનિમેશન અને મેનપાવર સર્વિસીસ માટે રૂ. 34.37 કરોડની જીએસટીને સાંકળતા 149 બનાવટી ઇન્વોઇસીસ પ્રાપ્ત કર્યાં હતાં. મે, 2018માં ડીજીજીએસટીઆઈએ જીએસટી છેતરપિંડી સંદર્ભે હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુટ્ટેની કંપની હોરાયઝન આઉટસોર્સના ટોચના ક્લાયન્ટ્સમાંથી એક હતી અને તેણે સેવાઓના વાસ્તવિક પુરવઠા વિના રૂ. 34.37 કરોડના જીએસટી ઇમ્પ્લિકેશન સાથે આશરે રૂ. 266 કરોડની સેવાઓ પ્રાપ્ત કરી હોવાનું બતાવ્યું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.

નિયમ અનુસાર કરચોરી કરવામાં આવી હોય કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવાયું હોય કે ઉપયોગ કરાયું હોય અથવા રિફંડ ખોટી રીતે મેળવાયું હોય તેમાં રૂ. પાંચ કરોડથી વધુ રકમ સંકળાયેલી હોય તો આરોપીને દંડ થઇ શકે અને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે.

એજન્સીનો દાવો છે કે ગુટ્ટેની કંપનીએ જુલાઇ, 2017થી આ બનાવટી ઇન્વોઇસીસ માટે પ્રાપ્ત સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ (સીઇએનવીએટી) ક્રેડિટ સામે સરકાર પાસેથી રૂ. 28 કરોડના રોકડ રિફંડનો ખોટી રીતે દાવો કર્યો હતો. ગુટ્ટેએ ખોટી રીતે બિન-અસ્તિત્વની ઇનપુટ ટેક્ટ ક્રેડિટ મેળવી હતી અને બનાવટી ઇન્વોઇસીસને આધારે જીએસટી વિભાગ પાસેથી આઇટીસીના રિફંડનો છેતરપિંડીથી દાવો પણ કર્યો હતો. આવું કરીને ગુટ્ટે અને તેની કંપનીએ કથિત છેતરપિંડી કરી હતી અને સરકારી તિજોરીને નુકસાન કર્યું હતું.

ગુટ્ટેએ ત્રણ ફિલ્મ ‘ઇમોશનલ અત્યાચાર’, ‘ટાઇમ બારા વૈત’ અને ‘બદમાશિયાં’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેણે ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ બનાવી છે, જે 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વડા પ્રધાન મનમોહન સિંહ વિશે એ જ નામના પુસ્તક પર આધારિત છે, જેમાં મુખ્ય ભૂમિકા અનુપમ ખેરની છે.

August 4, 2018
drug.jpg
1min5730
આરોગ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇસરી બોડીની એક પેટા-સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં 300 થી વધુ દવાઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ફિક્સડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) મેડિસિન છે. સરકારના આ નિર્ણયથી એબોટ જેવા વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ (એમએનસીજ) સહિત પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યુપીન જેવી ઘરેલૂ દવા ઉત્પાદકો ઉપરાંત અનેક કંપનીઓ પણ પ્રભાવિત થશે. શક્ય છે કે સરકાર આ નિર્ણય વિરુદ્ધ કંપનીઓ કોર્ટમાં પણ પહોંચે. બેન સંબંધિત પ્રારંભિક સ્તરે અનેક અધિસૂચનાઓ જોવા મળી છે. જો તેને લાગુ કરવામાં આવે તો લોકોની વચ્ચે સામાન્ય થઇ ચૂકેલી ફેન્સેડિલ, સેરિડોન અને ડી’કોલ્ડ લોટલ જેવી કફ સિરપ, દર્દ નિવારક અને ફ્લૂની દવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આરોગ્ય મંત્રાલય જે 343 ફિક્સડ ડઝ કોમ્બિનેશન મેડિસીન્સનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, તેનું ડ્રાફ્ટ લિસ્ટ ડ્રગ ટેક્નોલોજી એડવાઇઝર બોર્ડ (ડીટીએબી)ની ભલામણો પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડીટીએબીએને કહ્યું હતું કે તે આરોગ્ય મંત્રાલયને કારણ સહિત સલાહ આપી કે તેઓ કઇ દવાઓ પર રેગ્યુલેટ, રેસ્ટ્રિક્ટ અથવા સંપૂર્ણ પ્રતિબંધ કરે છે. સર્વોચ્ચ અદાલતનો આ આદેશ એફડીસી બેન મુદ્દાઓ પર સરકાર અને દવા કંપનીઓ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ લેવાયો છે.
શું છે એફડીસી?
બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે કે બેથી વધુ સામગ્રીના મિશ્રણથી બનતી દવાને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) કહેવામાં આવે છે. ડ્રાફ્ટમાં પેરિસટામોલ+ ફેનીલેફ્રાઇન+કૈફિન, ક્લૉરફેનિરામાઇન મેલીઆટ+ કોડાઇન સિરપ અને પારાસીટમોલ+ પ્રોપિફેનાજૉન+કૈફીન જેવા કોમ્બિનેશનને એફડીસીઝમાં સામેલ કરાયો છે
August 4, 2018
gm2.jpg
2min10040

શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન છે: રાજ્યપાલશ્રી
——————–
ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે: ઓ.પી.કોહલી
——————–
રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી દ્વારા સુરતના નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા
——————–
લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે: રાજ્યપાલશ્રી કોહલી

 

રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીના હસ્તે સુરતના ૧૧ નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

સુરતના પ્રતિષ્ઠિત ‘ગુજરાતમિત્ર’ દૈનિકની સ્થાપનાને ૧૫૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું હતું કે, ૧૫૫ વર્ષની સુદીર્ઘ અખબારી યાત્રા દ્વારા ગુજરાતમિત્ર દૈનિકે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. ગુજરાતમિત્ર સ્વતંત્રતા પૂર્વના અને સ્વતંત્રતા પછીના ભારત ઉપરાંત ગુજરાતના વિકાસનું પણ સાક્ષી છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજે એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પત્રકારત્વ રચનાત્મક ભૂમિકા સમાજમાં અદા ન કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે, પરંતુ ગુજરાતમિત્ર પોતાની વિશ્વસનીયતા માટે જાણીતું છે, જેણે પત્રકારત્વનાં મૂલ્યોનું રક્ષણ કર્યું છે. કોઈ પણ અખબારની કસોટી તેની વિશ્વસનીયતાથી થતી હોય છે. આજે અખબારોની વિશ્વસનીયતા પર સંકટ ઘેરાયું છે એવા સંજોગોમાં ગુજરાતમિત્ર વિશ્વસનીયતાની એરણ ઉપર ખરૂ ઊતર્યું છે.

સુરતના શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન હોવાનું જણાવી શ્રી કોહલીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે, તેમનામાં લોકસેવાની ભાવના પ્રબળ હોવાથી માત્ર સરકાર પાસેથી જ આશા ન રાખતા સ્વયં સમાજ સેવાની એક પણ તક જતી કરતા નથી. સુરતની આ ૧૧ હસ્તીઓએ સમાજનું ઋણ અદા કરવા માટે પાછું વળીને જોયું નથી એમ શ્રી કોહલીએ ઉમેર્યું હતું.

લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે. જે કાર્ય પત્રકારત્વ દ્વારા બખૂબી નિભાવીને ગુજરાતમિત્રએ લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું ઉમદા યોગદાન આપ્યું છે. આ અખબાર લોકસમસ્યા, લોકોની આશા-અપેક્ષા અને વિચારોને વ્યક્ત કરી પ્રજાનો અવાજ બન્યું છે તેમ જણાવી પ્રગતિના શિખરો સર કરે એવી શુભકામના પણ પાઠવી હતી.

સુરતના નામાંકિત સી.એ.જય છૈરા, પુષ્પા એજન્સીના રાજુભાઇ શાહ, આર્કિટેક્ટ્ નિમેષભાઈ ચોકસી, જલારામ ફર્નિચરના ગોવિંદભાઈ પટેલ, કે.પી.ગ્રુપના ફારુક પટેલ, એન.જે. ગૃપના નિરજ ચોકસી અને જીજ્ઞેશભાઈ દેસાઈ, સાયકલિસ્ટ અજિતા ઈટાલીયા, ડો.પિયુષભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ અને સમાજસેવક લવજીભાઈ બાદશાહ, અંબિકા ઓટોમોબાઇલના કનુભાઈ મોદી અને શાહ પબ્લિસિટીના યશવંત શાહને રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.

પ્રારંભે ભરતભાઈ રેશમવાળાએ સ્વાગત પ્રવચન કરી રાજ્યપાલ તેમજ આમંત્રિત મહાનુભાવોની આવકાર્યા હતા.

આ પ્રસંગે રમતગમત અને યુવા પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતીષ શર્મા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠક સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.