CIA ALERT

Blog - Page 559 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 20, 2019
ipl-2019-min-1024x585.jpg
1min8920

IPL ના 2 ટાઇટલ જીતનાર આ ટીમમાં એક પણ ગુજરાતી ક્રિકેટર નથી

આ ટીમ બીજી કોઈ નથી શાહરુખ ખાન ફ્રેચાઈઝીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. આ વર્ષે આ ટીમમાં એક પણ ગુજરાતી ક્રિકેટરને કોલકત્તાની ટીમમાં સ્થાન મળ્યું નથી. આ પહેલા શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સમાં ગુજરાતી ક્રિકેટર તરીકે યુસુફ પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે આ વર્ષે યુસુફ પઠાણને રિટેન ન કરાતા હૈદરાબાદ દ્વારા તેને ખરિદવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોલકત્તા ટીમે ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ બે આઇપીએલના ટાઇટલ જીત્યા હતા.

IPL 2019: એક એવી ટીમ જેમાં એક પણ ગુજરાતી ક્રિકેટર નથી
એક ટીમ જેમા નથી કોઈ ગુજરાતી પ્લેયર

IPL 2019 ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ ટીમોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પરંતુ આજે અમે તમને એક એવી વાતથી વાકેફ કરવા જઇ રહ્યા છીએ કે તમને જાણીને નવાઇ લાગશે. IPL માં ધમાલ મચાવનાર ખેલાડીઓની લિસ્ટમાં મોટા ભાગના ગુજરાતી ખેલાડીઓ છે. પરંતુ આ વખતે IPL માં એક એવી પણ ટીમ છે જેમાં એક પણ ગુજરાતી ખેલાડી નથી. તમે આ વાંચીને અજુગતું લાગ્યું ને, પણ આ વાત સાચી છે.

IPL માં અત્યાર સુધી આ ગુજરાતી ક્રિકેટર્સનું રહ્યું છે પ્રભુત્વ

ભારતીય ક્રિકેટ ટીમમાં અને આઇપીએલમાં પણ ગુજરાતી ક્રિકેટરોએ પ્રભુત્વ જમાવ્યું છે. બરોડાના પંડ્યા બ્રધર્સ, અમદાવાદનો જસપ્રિત બુમરાહ, પોરબંદરનો જયદેવ ઉનડકટ, રાજકોટનો રવિન્દ્ર જાડેજા સહીતના ખેલાડીઓએ અત્યાર સુધી તમામ આઇપીએલમાં ધમાલ મચાવી હતી. IPL 2019માં કુલ 10 ગુજરાતી ક્રિકેટરો રમી રહ્યા છે. પરંતુ IPLમાં આ વર્ષે એક ટીમ એવી પણ જેમાં એક પણ ગુજરાતી ક્રિકેટર નથી રમી રહ્યો.

 

March 20, 2019
nirav.jpeg
1min7320

યુ.કે.ના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે આપેલી માહિતી પ્રમાણે લંડનમાં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી નિરવ મોદીની ધરપકડ થઈ છે અને તેના આજે એટલે કે તા.20મી માર્ચ 2019ના રોજ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેની જામીન અરજી ફગાવીને તા.29મી માર્ચ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો હતો.

ભારતની પંજાબ નેશનલ બેંકમાંથી હજારો રૂપિયાનું ધિરાણ લઇને બાદમાં નાદારી નોંધાવીને વિદેશ ભાગી છૂટેલો નીરવ મોદી આખરે લંડનમાં આજે ઝડપાયો હતો.  નીરવ મોદીને તા.20મી માર્ચે બપોરે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં નીરવ મોદી તરફે તેમના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી પરંતુ, ગણતરીની મિનીટોમાં તેની જામીન અરજી ફગાવાઈ હતી.

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદી ને આગામી તા.29 માર્ચ સુધી જેલની સજા ફટકારી છે. વધુમાં આ કેસની વધુ સુનવણી એ જ દિવસે એટલે કે તા.29 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ ભારતમાં તેના પ્રત્યર્પણને લઈને આ મામલે સુનવણી કરશે. જજે કહ્યું કે એ વાતનો પર્યાપ્ત આધાર છે કે જો આરોપીને જામીન પર છોડવામાં આવ્યો તો આત્મસમર્પણ માટે રજૂ નહીં થાય. આ ઘટનાક્રમને નીરવ મોદીને પૂછપરછ માટે ભારત લાવવા અને દરેક આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ભારતીય તપાસ એજન્સીઓના પ્રયાસમાં એક મોટી સફળતા માનવામાં આવે છે.

ભારતથી કરોડો રૂપિયા લઈને ભાગેલા નીરવ મોદીએ હવે લંડનમાં જ પોતાનો હીરાનો નવો વેપાર શરૂ કર્યો હોવાની માહિતી બાદ ભારત સરકાર એલર્ટ થઇ હતી અને બાદમાં તેને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં સફળતા સાંપડી છે અને તા.20મી માર્ચે સવારે જ નિરવ મોદીને લંડન ખાતેથી પકડવામાં આવ્યો હતો. એ પૂર્વે યૂકેના એક અખબાર Telegraphએ એક વીડિયો જાહેર કર્યો એ વીડિયોમાં ભારતમાં કૌભાંડ કરીને ભાગેલો 48 વર્ષીય નીરવ મોદી લંડનની રસ્તાઓ પર લુક બદલીને ફરી રહ્યો છે.

ભારતની પહેલ પર ઈંટરપોલે નીરવની સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી છે. આટલું જ નહીં. આ વીડિયોમાં નીરવ મોદીએ લંડનમાં હીરાનો કારોબાર શરૂ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

neerav modi london

એ વીડિયોમાં નીરવ મોદી જાડીયો થઇ ગયો હોવાનું જણાય આવે છે અને તેણે આસાનીથી ન ઓળખી શકાય એ પ્રકારનો લુક પણ ધારણ કરી લીધો છે. નિરવ મોદીએ મૂંછો મોટી કરી લીધી છે અને દાઢી પણ વધારી છે.

અંગ્રેજી અખબારે નીરવ મોદીના એક નવા આલિશાન ઘરનો પણ ખુલાસો કર્યો છે. મોદીના આ ત્રણ બેડરૂમ વાળા ઘરની કિંમત 73 કરોડ જણાવવામાં આવી રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મોદીએ પોતાના વ્યવસાયને મે 2018માં પોતાના ઘરથી જ ચાલુ કર્યું.

નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડ રૂપિયાના ગોટાળામાં મુખ્ય આરોપી છે અને ફરાર ચાલી રહ્યો છે. ભારતીય તપાસ એજન્સીઓએ નીરવ મોદીની સામે રેડ કૉર્નર નોટિસ પણ જાહેર કરી છે. ઈડીએ 15 ફેબ્રુઆરી, 2018ના PMLAના પ્રાવધાનો અંતર્ગત નીરવ મોદી અને અન્ય લોકો સામે મની લૉન્ડ્રિંગનો મામલો દાખલ કર્યો હતો. કથિત રૂપથી નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્ય લોકોએ પંજાબ નેશનલ બેંકના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને બેંક સાથે છેતરપિંડી કરી.

March 20, 2019
khaman.jpg
1min12970

જયેશ બ્રહ્મભટ્ટ

સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળી-ધૂળેટીના પર્વમાં ધાણી-ચણાં ખાવાનો મહિમા છે. ધાણી-ચણા ખાવા પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કાર્ય કરે છે. પરંતુ, સ્વાદના શોખીન સુરતીઓ ધાણી ચણા તો હોળી ધૂળેટીએ આરોગે છે પરંતુ, સુરતની ફૂડ ફેન્ટસીમાં સૌથી ટોપ પર જે વાનગી આવે છે અને જેને સુરતીઓએ જ શોધી છે એ ખમણ આરોગવાના અગાઉના તમામ રેકોર્ડ ધૂળેટી 2019 તોડી નાંખે તેમ છે.

  • ધૂળેટી 2018ના દિવસે સવારે શહેરના મોટા ભાગની દુકાનોમાં કાચા ખમણની શોર્ટેજ વર્તાઇ હતી
  • વ્હોલસેલ ખમણ ઉત્પાદકો પાસે 2-2 હજાર કિલોના કાચા ખમણના ઓર્ડર
  • ધૂળેટીનો ખમણનો ઓર્ડર પૂરો કરવા હોળીની પ્રગટાવાની સાથે જ ખમણનું પ્રોડકશન શરૂ કરી દેવાશે

સુરતમાં શહેરમાં મોટા ગણી શકાય તેવા 9 ખમણ ઉત્પાદકો છે જે નાના ફરસાણના વેપારીઓને રોજેરોજ કાચા ખમણ સપ્લાય કરે છે. આવા ઉત્પાદકો પૈકીના એક હરેશભાઇ પટેલ કહે છે કે તેમની પાસે ફક્ત ધૂળેટીએ સવારે 9 વાગ્યા સુધીમાં સપ્લાય કરવા માટે 2000 કિલોથી વધારેનો કાચા ખમણનો ઓર્ડર છે અને હજુ ઓર્ડર આવી રહ્યા છે. તેઓ કહે છે કે સુરતીઓ ધૂળેટી રમ્યા પછી ગ્રુપ્સમાં નાસ્તો કરવા માટે મોટા ભાગે કાચા ખમણ, તેલ અને કાચી ડૂંગળી પસંદ કરતા હોય છે. આ સુરતીઓનો ફેવટીટ નાસ્તો હોય છે અને ગયા વર્ષે 2018માં જે પ્રકારે કાચા ખમણની શોર્ટેજ પડી હતી એ અનુભવને જોતા શહેરના નાના રિટેઇલ ફરસાણ ગૃહોએ ગયા વર્ષથી 25 ટકા વધુ માત્રામાં કાચા ખમણ ઓર્ડર કર્યા છે.

એવી જ રીતે શહેરના વરાછા વિસ્તારમાં મોટા ખમણ સપ્લાયર તરીકે જાણીતા વ્યાપારીએ જણાવ્યું કે સુરતમાં કોઇપણ તહેવાર હોય એટલે રુટીન કરતા વધારે જથ્થામાં કાચા ખમણનો ઉપાડ રહે છે, આ વખતે પણ તા.21મી માર્ચ 2019ને ધૂળેટીનો પર્વ હોઇ એડવાન્સ્ડ ઓર્ડર રૂટીન દિવસો ખાસ કરીને રવિવાર કરતા પણ 30 ટકા વધારે માત્રામાં એડવાન્સ્ડ ઓર્ડર મળ્યા છે. આમ, આ વખતે ધૂળેટીમાં જેટલા ધાણી ચણા નહીં ખવાય તેના કરતા અનેક ઘણી વધુ માત્રામાં કાચા ખમણ સુરતમાં ખવાશે.

ખમણ છે સૌની પસંદ

સુરતમાં અબાલવૃદ્ધો સૌની જો કોઇ એક કોમન પસંદની વાનગી હોય તો એ છે ખમણ. સુરત સિવાય આખા ગુજરાતમાં મોટા ભાગે આંશિક ગળ્યા લાગે તેવા ખમણ મળે છે. વડોદરાથી ઉપર ઉત્તર ગુજરાત તરફ જઇએ તો મોટા ભાગે નાયલોન ખમણ મળે એ સિવાય ખમણ કરતા વધારે વણાયેલા ગાંઠીયા ખવાય. પણ સુરતના ખમણની વાત જ નિરાલી છે. અહીં 5-6 મહિનાના બાળકને પણ ખમણનો ટેસ્ટ કરાવે એ સુરતી કહેવાય. બાળકોથી લઇને મોટેરાઓ અને સિનિયર સિટીઝન સુધી બધાને સુરતી ખમણનો ચટાકો હોય જ. એવા કોઇ ભાગ્યે જ મળી આવે જેને ખમણ પ્રત્યે સુગ હોય. સુરતીઓ માટે ક્યારેય ખમણ જૂની વાનગી થઇ નથી. જે લોકોને એકલા કે કાચા ખમણ નથી ભાવતા તેઓ હવે રસાવાળા ખમણ ખાય રહ્યા છે. જેમને ટૂકડામાં ખમણ નથી ભાવતા તેઓ લોચો ભરપૂર ઝાપટી જાય છે. આમ, સુરતીઓ માટે ખમણ એ એવી વાનગી છે જે 24×7 હોટ ફેવરીટ બની રહે છે.

  • સુરતીઓની ફેસ્ટીવલમાં ફૂડ ફેન્ટસી

  • ચંદી પડવાએ ઘારી

  • ઉતરાયણમાં જલેબી અને ઉંધીયું

  • ક્રિસમસ પર પોંકવડા અને પોંક પાર્ટી

  • કેરી ગાળામાં સરસીયા ખાજા

  • ધૂળેટીમાં કાચા ખમણ અને કાંદો

  • દર રવિવારે લોચો

  • દશેરાએ જલેબી અને ફાફડા-પાપડી ગાંઠીયા

  • બેસતા વર્ષે વેજીટેરીયન ચોળીનું શાક ખાય અને નોનવેજીટેરીયન પોમ્ફલેટ માછલી અવશ્ય ખાય જ

સ્વાદના શોખીન સુરતીઓની દરેક તહેવારને અનુલક્ષીને સ્પેશિફિક વાનગીઓ આરોગવાની એક પેટર્ન છે, જેમકે ચંદી પડવાએ ઘારી-ભૂસું-ભજીયા સાથે નોનવેજ ખાનારાઓ ચીકન અચૂક ખાય છે. ઉતરાયણના પર્વે ઉંધીયું અને જલેબી વગર સુરતીઓ પતંગના પેચ કાપી શક્તા નથી. ક્રિસમસ પર્વે પોંક પાર્ટી કે પોંકવડા વગર સુરતીઓને ક્રિસમસને કેક હજમ જ ન થાય. કેરીના રસની સીઝનમાં સરસીયા ખાજા સાથેની જયાફત ન માણે તે સુરતી નહીં. એવી જ રીતે દશેરાએ જલેબી ફાફડા નહીં ખાય તો સુરતીઓના તહેવારની રોનક સાવ ફિક્કી લાગે.

March 20, 2019
masood_mumbai11.jpg
1min20450

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)

મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે

મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.

હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો

મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ  પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.

મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.

March 20, 2019
ramjan_shaikh.jpg
1min5380

પોતાના કુટુંબને બચાવવા ત્રાસવાદીઓ સામે ઝઝૂમનાર 16 વર્ષના રમજાન શેખ નામના કાશ્મીરી કિશોરને અપવાદ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તા.19મી માર્ચ 2019ના દિવસે શૌર્યચક્ર આપ્યું હતું. શૌર્ય ચક્ર સામાન્ય રીતે દુશ્મન સામે અસાધારણ બહાદુરી બતાવનાર સશસ્ત્ર સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને આપવામાં આવે છે.

16-17 ડિસેમ્બર, 2017ની રાતે ત્રણ ત્રાસવાદીઓ શોપિંયા જિલ્લામાં રહેતા રમજાનના ઘરને ઘેરીને ઊભા હતા. એના પિતા મોહમ્મદ રમજાન ભૂતપૂર્વ સરપંચ અને પીડીપીના સભ્ય હતા.

એ રાતે દરવાજો ખોલતા શેખને શસ્ત્ર અને ગ્રેનેડ સહિત ત્રણ ત્રાસવાદી વરંડામાં ઊભેલા દેખાયા. ત્રાસવાદીઓ પોતાના કુટુંબીઓને નુકસાન પહોંચાડી શકે એમ હોવાના અંદાજે શેખે અસાધારણ બહાદુરી દાખવતા એમને ઘરમાં ઘૂસતા રોક્યા હતા. દરમિયાન, એના પિતા ઘરની બહાર આવ્યા અને ત્રાસવાદીઓ એમના પર તૂટી પડયા. શેખે પોતાની પરવા કર્યા વગર ત્રાસવાદીઓનો સામનો કરવા માંડયો.

દરમિયાન, ત્રાસવાદીઓએ શેખના પિતા પર આડેધડ ગોળીબાર કરવો શરૂ કર્યો હતો અને એમાંથી અમુક ગોળીઓ એની સાથે બાખડી રહેલા એક ત્રાસવાદીને પણ વાગી હતી. પોતાના એક સાથીને ઘાયલ થયેલો જાણી ત્રાસવાદીઓ ભાગવા માંડયા હતા. શેખે એમનો પીછો કર્યો અને આખરે ત્રાસવાદીઓ પોતાના સાથીનો મૃતદેહ મૂકીને ભાગી ગયા હતા.

ગોળીબારમાં એના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પાછળથી તેઓ મરણ પામ્યા હતા. શેખે દાખવેલી પોતાની વય કરતા વધુ અપ્રતિમ બહાદૂરી વખાણવાલાયક છે. એ હાલ દસમા ધોરણમાં ભણે છે અને એની ઇચ્છા આઇપીએસ અધિકારી બનવાની છે.

March 20, 2019
jet-1280x720.jpg
1min6260

ઉડ્ડયન કંપની જેટ એરવેઝના વધુને વધુ પ્લેન ઉડાનના બદલે જમીન પર જ રહ્યા છે, અનેક ફલાઈટ રદ થઈ છે. ઉડ્ડયન જોખમી બન્યા છે. એરલાઈનના ઍરક્રાફટ મેઈનટેનન્સ એન્જિનિયર્સ યુનિયને એવિયેશન રેગ્યુલેટરને પત્ર લખીને જણાવ્યું છે કે ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નથી.

  • 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી
  • નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે

ડિરેકટર જનરલ ઑફ સિવિલ એવિયેશનને મોકલેલા પત્રમાં જેટ ઍરક્રાફટ એન્જિનિયર્સ વેલ્ફેર એસોસિયેશને જણાવ્યું છે કે અમારી નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા કઠિન બન્યું છે. પરિણામ સ્વરૂપ ઍરક્રાફટ એન્જિનિયર્સને કામ કરવામાં પ્રતિકૂળ સ્થિતિ ઊભી થઈ છે. આ કંપનીના પ્લેનના ઉડ્ડયન સામે જોખમ પણ ઊભું થયું છે.

સિનિયર મેનેજમેન્ટ ઉકેલ લાવવાનો માર્ગ શોધી રહી છે. એન્જિનિયર્સ સમયસર વેતન નહીં મળતા સતત તાણ હેઠળ કામ કરી શકતા નથી. ત્રણ માસથી પગાર મળ્યો નથી. નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે. યુનિયને ડીજીસીએને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

જેટ એરવેઝમાં 560 એન્જિનિયર્સ છે. ત્રણ માસથી વેતન નહીં મળતા તેઓેનો કંપની માટે વિશ્ર્વાસ ડગમગી ગયો છે. યુનિયને પત્રની કોપી વડા પ્રધાન મોદી, નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુને પણ મોકલી હતી.

March 19, 2019
jeeadv.png
1min12650

ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.19મી મે 2019ના રોજ લેવાનું અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ, ચૂંટણી પંચે જાહેર કરેલા લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં મતદાનો 7મો અને આખરી તબક્કો તા.19મી મે 2019ના રોજ છે. ચૂંટણી મતદાનના કારણે સંભવે છેકે પરીક્ષાર્થીઓથી શરૂ કરીને સ્કુલ સ્ટાફ, સ્કુલ બિલ્ડીંગ વગેરેનો પ્રશ્નો ઉપસ્થિત થતો હતો. આથી આ વખતની આઇ.આઇ.ટી. જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા 2019 લેવાની જવાબદારી જેના શિરે છે એ આઇ.આઇ.ટી. રૂરકીના સંચાલકોએ જે.ઇ.ઇ. એડવાન્સ્ડ પરીક્ષા તા.19મી મેની જગ્યાએ તા.27મી મે 2019ના રોજ લેવાની જાહેરાત કરી છે.

  • અગાઉ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા તા.19-05-2019ના રોજ લેવાની જાહેરાત થઇ હતી
  • લોકસભા ચૂંટણીના આખરી તબક્કાનું મતદાન તા.19-05-2019ના રોજ હોઇ જેઇઇ એડવાન્સ્ડની તારીખ બદલવી પડી
  • હવે જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.27-05-2019ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે

The Indian Institute of Technology (IIT), Roorkee has shifted the Joint Entrance Examination (JEE) Advanced date to May 27, 2019. Earlier, the JEE (Advanced) examination was to be conducted on May 19, 2019. The JEE Advanced examination will be conducted on Monday (May 27) in two shifts – Paper 1 from 09:00 am to 12:00 noon and Paper 2 from 02:00 pm to 05:00 pm.

The JEE (Advanced) exam date has been changed as it was clashing with the seventh phase polls, to be conducted on 59 seats of the Lok Sabha elections at 1. Bihar: 8 seats, 2. Jharkhand: 3 seats, 3. Madhya Pradesh: 8 seats, 4. Punjab: 13 seats, 5. West Bengal: 9 seats, 6. Chandigarh: 1 seat, 7. Uttar Pradesh: 13 seats, and 8. Himachal Pradesh: 4 seats.

જેઇઇ મેઇન્સમાં ટોપ 2.24 લાખમાં સામેલ વિદ્યાર્થીઓ જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા આપી શકશે

 

March 19, 2019
Event-cover.jpeg
1min19510

જો તમે રોજીંદા જીવનમાં કરિઅર-ઈન્કમ અંગે કઈક નવા મુકામ હાસલ કરવા માંગતા હોવ તે ઉપરાંત જો તમે ફ્રી ટાઈમનો ઈફેક્ટિવ ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તે સાથે જો એવું ઈચ્છતા હોવ કે તમે ટેકનોલોજી અથવા તો ડિજીટલ યુગ સાથે કદમ મેળવીને આગળ વધો તો આ જાણકારી તમારા માટે અનહદ અગત્ય તેમ જ ફાયદાકારક પણ છે.

આ જાણકારી છે, ફ્રી સેમીનાર અંગેની, જે સેમીનાર પાવર ઓફ  ડિજીટલ માર્કેટીંગના વિષય પર આયોજીત છે. આ સેમિનાર 24, 28, અને 31 માર્ચ એટલે કે 3 અલગ-અલગ દિવસો માટે આયોજીત છે, જેથી કરીને જો તમે કોઈ એક તારીખે આ સેમિનારની તક ચૂકી જાવ છો તો તમે બીજા સેમિનારમાં હાજરી આપીને આ તકનો લાભ મેળવી શકો છો.

આ દરેક સેમિનાર ફ્રી છે, પરંતુ રજીસટ્રેશન ફરજીયાત છે. આ સેમીનાર દરેક વ્યક્તિને ડિજીટલ ઈન્ડિયાના કોન્સેપ્ટ માં ડિજીટલ શબ્દની અગ્રમ્તા સમજાવવા માટે ઓયોજીત કરવામાં આવ્યો છે. અને આ ડિજીટલ શબ્દના અગત્ય ફાયદા અંગે જાણકારી આપવા માટે પણ છે. આ શબ્દ વડે દરેક વ્યક્તિને કેટલો ફાયદો થઈ શકે છે એ જણાવામાં આવશે.

આ સેમીનાર દરેક વ્યક્તિને આજના સમયમાં સશક્ત કરવા માટે રાખવામાં આવ્યો છે.  આ સેમીનારને ફ્રી રાખવા માટેનો ધ્યેય સામાજીક રીતે દરેક વ્યક્તિ આ સેમીનારનો લાભ લઈ શકે એ છે.  આ સેમીનારની વક્તા ફોરમ માર્ફતિયા પટેલ છે કે જેઓ ઓન્લાઈન યુગ નામની ડિજીટલ માર્કેટિંગ કંપનીના કો-ફાઉન્ડર છે, તેઓ સોશિયલ મીડિયા માર્કેટિંગમાં નિષ્ણાંત છે તે ઉપરાંત ઈન્ડિયન ટ્રેનર અશોશિયેન દ્રારા તેમને સર્ટિફાઈડ ટ્રેનરની પદવી પણ આપવામાં આવી છે. આ સેમીનાર વડે ફોરમ માર્ફતિયા પટેલ  નીચે મૂજબના મુદ્દા અંગે એકસ્પર્ટ ટોક-વાતો કરશે.

ડિજીટલ માર્કેટિંગ અવેરનેસ, ડિજીટલ માર્કેટિંગના અનહદ અગત્ય ફાયદા, ડિજીટલ માર્કેટિંગ વડે કોઈપણ વ્યક્તિ વ્યવસાયમાં વૃદ્ધિ મેળવી શકે છે.

ડિજીટલ માર્કેટિંગ માત્ર માર્કેટિંગનું સાધન જ નથી પણ એક બિઝનેસને બ્રેન્ડ બનાવવા માટે આવશ્કય છે. ડિજિટલ માર્કેટિંગ એક એવો બ્રહ્માસ્ત્ર છે જે આપણા બિઝનેસને અલગ ઉંચાઈઓ પર પહુંચાડે છે. આ સેમિનારમાં ડિજિટલ માર્કેટિંગ ટેક્નિક સાથે સાથે આપણા બ્રાન્ડની ઇમેજ લોકોમાં કેવી રીતે પ્રખ્યાત કરવી તેની ટિપ્સ આપવામાં આવશે.. શું તમે જાણો છો કે આપડે આખા દિવસ દરમિયાન અવરેજ 3 કલાક સોશ્યિલ મીડિયા માં અને 6 કલાક ડિજિટલ ગૅજેટ્સની સાથે આપડો સમય પસાર કરીએ છે. 2021 સુધી ભારતમાં 88 કરોડ થી વધુ મોબાઇલ યુઝર્સ થવાંના છે. હવે આપણે ખબર વાંચવા કે આમંત્રણ આપવા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટટર અને બીજી બધી એપ્લિકેશન નો ઉપયોગ કરીયે છે. ગૂગલની મદદથી હવે આપણે અજાણ્યા જગ્યા પર પણ સહેલાઈથી પહોંચી શકીયે છીએ. આપડા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ પણ ડિજિટલ ઇન્ડિયા ને ખુબ સપોર્ટ કર્યો છે. જો અગર આપણે આ લોકપ્રિય પ્લેટફોર્મ્સ વડે આપણા બીઝનેસની ડિજિટલ માર્કેટિંગ કરીયે તો આપણું બિઝનેસનો પણ ઘણો વિકાસ થઇ શકે છે.

ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં SEO, SEM, EMAIL MARKETING, AFFILIATE MARKETING, BLOGGING, વગેરે ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.આ ક્ષેત્રમાં ફક્ત ઉદ્યોગકર્તાઓ જ નહિ પરંતુ કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા ગૃહિણીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે તેમજ ડિજિટલ માર્કેટિંગ કરવા માટે તમને ઓફિસની જરૂર પડતી નથી. જરૂર પડે છે

ફક્ત સ્માર્ટ ફોન અથવા લેપટોપની. ડિજિટલ માર્કેટિંની એ ખાસિયત છે કે તમે ફક્ત એક ક્લિકથી લાખો લોકો સુધી પહોંચી શકો છો. આ ફિલ્ડમાં તમને ઉચ્ચ ડિગ્રીની કે મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી અને એમાં કોઈ ઉંમરની સીમા નથી. જરૂર પડે છે તો બસ સીખાવાની ધગસની.

આથી એ તમામ વ્યક્તિ જેઓ ડિજીક્ટ માર્કેટિંગ ક્ષેત્રે કઈ હાસલ કરવા માંગતા હોય તેમણે આ ટક જતી ન કરવી જોઈએ.

સેમિનારમાં સહભાગી થવા માટે સંપર્ક કરો 9574750077.

March 19, 2019
utuimages.jpg
9min33520

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત બોર્ડ સમેત અન્ય બોર્ડની ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. હવે વિદ્યાર્થીઓ અને માબાપ કારકિર્દીના વિકલ્પો વિચારવાનું શરુ કરશે એ સમયે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ અને શિક્ષણ સર્વદા આપને કારકિર્દીના વિકલ્પોથી સુપેરે માહિતીગાર કરશે. કારકિર્દી ઘડતરનો સૌથી અગત્યનો નિર્ણય લેવામાં અમે આપને મદદરૂપ થઇશું. આજે અમે અહીં વાત કરી રહ્યા છે સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસની. સુરત શહેર જિલ્લા કે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી એવું મહેણું હતું કે સ્ટેટ ઓફ ધ આર્ટ અને કારકિર્દીના વિકલ્પો એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થાય અને એ પણ ક્વોલિટી એજ્યુકેશન અને ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આવું કેમ્પસ સમગ્ર દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લા પૈકી ક્યાં ન હતું. પરંતુ, બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા વિદ્યાસંકુલ અને એ પછી અસ્તિત્વમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ એ મહેણું દૂર કર્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અપટુડેટ હાયર એજ્યુકેશન કેમ્પસ નથી.

માલિબા સંકુલમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ફક્ત સાઉથ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. અહીં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ પછી વિદ્યાર્થીઓ માટે લગભગ મોટા ભાગની ફેકલ્ટીઝના અભ્યાસક્રમો શરૂ થયા છે. ક્વોલિફાઇડ અને એક્સપિરીયન્સ્ડ અધ્યાપકોની સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની એક વખત મુલાકાત લઇ આવવી જોઇએ.

ધો.12 સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કોઇપણ કોલેજમાં એડમિશન લેતા પહેલા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની વિઝીટ કરજો, તમારું વિઝન ચોક્કસ બદલાઇ જશે

ઉકા તરસાડીયા યુનિવર્સિટીને બેઠી કરનારા ડો.દિનેશ શાહ લેખકને હંમેશા કહેતા આવ્યા છે કે તમે કાઉન્સિલર છો, ક્યારેય કોઇ વાલી વિદ્યાર્થીઓને સીધા જ અમારી યુનિવર્સિટીમાં એડમિશન લઇ લો એવું ન કહેતા, એમને કહો કે પહેલા સ્વયં યુકા તરસાડીયા કેમ્પસની મુલાકાત લો, અન્ય સંસ્થાઓની મુલાકાત લો અને એ પછી વિકલ્પ પસંદ કરો. અહીં વિદ્યાર્થીઓ મેરીટ્સ પર એડમિશન મેળવે છે. સૌથી અગત્યની વાત એ છે કે ઉકા તરસાડીયાના સંચાલકોનો અભિગમ ધંધાદારી નથી બલ્કે સમાજ સેવાનો છે. તેઓ ક્યારેય પ્રોફિટ મેકિંગ એપ્રોચમાં જોવાયા નથી બલ્કે વિદ્યાર્થીઓ કઇ રીતે વ્યવસાયલક્ષી બની શકે તેના પર ફોકસ કરીને સેવાના હેતુથી શૈક્ષણિક સંકુલ ચલાવી રહ્યા છે.

અહીં આ કેમ્પસમાં થઇ રહેલી અન્ય પ્રવૃતિઓની વાત તો એટલા માટે નથી કરવી કેમકે શૈક્ષણિક સાથે કો કરીક્યુલર એક્ટિવિટીઝ, સેલિબ્રેશન, ફેસ્ટિવલ્સ અને સૌથી મહત્વની વાત ટેલેન્ટ હન્ટમાં આ યુનિવર્સિટી દ્વારા યોજાતા કાર્યક્રમો કાબિલે તારીફ રહ્યા છે. સ્ટડી ટૂર, પ્રોજેક્ટ વર્ક, કોમ્પિટીશન પાર્ટીશિપેશન, એસાઇન્મેન્ટ વગેરે કાર્યક્રમોમાં ઉકા તરસાડીયા યુનિવિર્સિટીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ ભાત પાડી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની માહિતી નિમ્નદર્શિત છે.

GROUP-A

BACHELOR OF TECHNOLOGY [B.TECH.]

INTEGRATED PROGRAMMES

Master Of Science

Bachelor Of Science

GROUP-B 

INTEGRATED PROGRAMMES

Master Of Science

BACHELOR

 

 

ARTS

 

COMMERCE

Integrated Programmes

Other Bachelors Programmes at UTU

Bachelor Programmes in Designing

 

 

About UTU

Established under Gujarat Private University(Amendment) Act No. 25 – 2011 Government of Gujarat and approved under section 22 of UGC Act 1956

Location

Uka Tarsadia University Maliba Campus , Gopal Vidyanagar , Bardoli-Mahuva Road , Tarsadi – 394 350. Tal: Mahuva Dist: Surat Gujarat, INDIA

Helplines

6353030096, 6353033853

 

 

March 18, 2019
j2.jpg
1min9180

ન્યુઝીલેન્ડમાં ગઇ તા.15મી માર્ચ 2019ના રોજ બે મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં માર્યા ગયેલા 50 મૃતકોની અંતિમવિધીમાં જોડાયેલા ન્યુઝીલેન્ડના મહિલા પ્રાઇમ મિનિસ્ટર અદ્દલ મુસ્લિમ મહિલા હોય તેવો વસ્ત્ર પરિધાન કરીને ગયા હતા. તેમણે મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરાતા હિજાબ પરિધાન કર્યો હતો. સમગ્ર વિશ્વમાં તેમની તસ્વીરોના વખાણ થયા હતા. તેમણે હુમલાનો ભોગ બનેલા પરિવારજનોને ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે તેઓ બિનમુસ્લિમ દેશમાં બિન મુસ્લિમ મહિલા સાથે વાતચીત કરી રહ્યા છે.

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં ચરમપંથી બ્રેન્ટન ટેરન્ટે કરેલા આંધાધૂંધ ગોળીબારે ન્યુઝીલેન્ડમાં વસતા 50 જેટલા મુસ્લિમોના જીવ લીધા છે ત્યારે તેમના પરિવારને આશ્વાસન આપવા ન્યુઝી લેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડન હિજાબ પહેરીને પહોંચ્યા હતા.

મૃતકોના પરિવારજનોને ગળે મળી તેમણે આશ્વાસન આપ્યું હતું. તેમના આ પગલાના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે.

ન્યુઝિલેન્ડમાં મુસ્લિમો અને પ્રવાસીઓ વિરુદ્ધ વધી રહેલી નફરત વચ્ચે વડાપ્રધાન આર્ડને મૃતકોના પરિવારની મુલાકાત લઈને માનવતાનો સંદેશ આપ્યો હતો. તે મૃતકોના પરિવારને મળવા પહોંચ્યા ત્યારે તેમની આંખમાં દુઃખ અને કરુણા ભારોભાર નજર આવી રહ્યા હતા.

તેમની આ તસવીરો ટ્વીટર પર વાયરલ થઈ હતી. લોકોએ તેને ‘ત્રાસવાદ વિરુદ્ધ સકારાત્મક ચહેરો’ કહી વધાવી લીધા હતા. આર્ડને હુમલો થયો તેની સાંજે જ મીડિયાને સંબોધન કર્યું હતું.

તેમાં તેમણે કહ્યું કે, “ન્યુઝીલેન્ડમાં 20થી વધુ જાતિના લોકો રહે છે અને 160 ભાષાઓ બોલાય છે. આટલી વિવિધતા છતાંય અમુક નૈતિક મૂલ્યો બધામાં સરખા જ જોવા મળે છે.

જે લોકો પર દુર્ઘટનાની સીધી અસર પડી છે તેની સાથે આખા દેશની કરુણા છે.

બીજું જે લોકોએ આ કર્યું તેને અમે વખોડીએ છીએ. તમે કદાચ આ અમારા માટે કર્યું હશે પણ અમે તમને સ્વીકારતા નથી અને તમારી આકરી ટીકા કરીએ છીએ.”