જેટ જમીન પર
ઉડ્ડયન કંપની જેટ એરવેઝના વધુને વધુ પ્લેન ઉડાનના બદલે જમીન પર જ રહ્યા છે, અનેક ફલાઈટ રદ થઈ છે. ઉડ્ડયન જોખમી બન્યા છે. એરલાઈનના ઍરક્રાફટ મેઈનટેનન્સ એન્જિનિયર્સ યુનિયને એવિયેશન રેગ્યુલેટરને પત્ર લખીને જણાવ્યું છે કે ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નથી.
- 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી
- નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે
ડિરેકટર જનરલ ઑફ સિવિલ એવિયેશનને મોકલેલા પત્રમાં જેટ ઍરક્રાફટ એન્જિનિયર્સ વેલ્ફેર એસોસિયેશને જણાવ્યું છે કે અમારી નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા કઠિન બન્યું છે. પરિણામ સ્વરૂપ ઍરક્રાફટ એન્જિનિયર્સને કામ કરવામાં પ્રતિકૂળ સ્થિતિ ઊભી થઈ છે. આ કંપનીના પ્લેનના ઉડ્ડયન સામે જોખમ પણ ઊભું થયું છે.
સિનિયર મેનેજમેન્ટ ઉકેલ લાવવાનો માર્ગ શોધી રહી છે. એન્જિનિયર્સ સમયસર વેતન નહીં મળતા સતત તાણ હેઠળ કામ કરી શકતા નથી. ત્રણ માસથી પગાર મળ્યો નથી. નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે. યુનિયને ડીજીસીએને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.
જેટ એરવેઝમાં 560 એન્જિનિયર્સ છે. ત્રણ માસથી વેતન નહીં મળતા તેઓેનો કંપની માટે વિશ્ર્વાસ ડગમગી ગયો છે. યુનિયને પત્રની કોપી વડા પ્રધાન મોદી, નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુને પણ મોકલી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now