CIA ALERT

Blog - Page 558 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 21, 2019
bolo.jpg
1min8920
ગૂગલે બોલો એપ્લિકેશન કરી લૉન્ચ

ટેક કંપની અને એંડ્રૉઈજ ઑપરેટિંગ સિસ્ટમ બનાવતી કંપની ગૂગલે બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવવા માટે Google Bolo એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું અર્લી એક્સેસ હાલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનને હાલ માત્ર એંડ્રૉઈડ ડિવાઈસ માટે જ લૉન્ચ કરવામાં આવી છે. આ એપને એંડ્રૉઈડ કિટકેટ વર્ઝન 4.4ની ઉપરના તમામ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગ કરી શકાય છે.

આ એપ્લિકેશન પ્રાથમિક શાળાના બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવાડશે. કંપનીના પ્રમાણે, આ એપ આર્ટિફિશિયલ ઈંટેલિજંસથી સજ્જ ટેક્સ્ટ-ટૂ-સ્પીચ ટેક્નિક પર કામ કરે છે. આ એપ્લિકેશનને માત્ર ભારતીય યૂઝર્સ માટે જ લૉન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનને ઈન્સ્ટૉલ કરતા જ તેમાં એક એનિમેટેડ કેરેક્ટર આવે છે અને બાળકોને વાર્તાઓ વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે. જો બાળકો કોઈ શબ્દનું ઉચ્ચારણ ન કરી શકે તો તે ઉચ્ચારણ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય વાર્તા પૂરી કરે ત્યારે બાળકોનું મનોબળ પણ વધારે છે.

google bolo app

ગૂગલ ઈન્ડિયાના પ્રૉડક્ટ મેનેજર નિતિન કશ્યપે કહ્યું કે, અમે આ એપ્લિકેશનને એવી રીતે ડિઝાઈન કર્યું છે કે તે ઑફલાઈન પણ કામ કરી શકી છે. આ માટે 50 એમબીની એપ્લિકેશન ઈન્ટસ્ટૉલ કરવી પડશે. આમાં હિંદી અને અંગ્રેજીની લગભગ 100 વાર્તાઓ આપવામાં આવી છે. તેને આપ ફ્રીમાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચોઃ Samsung Galaxy A સીરિઝ ફોન રિવ્યૂ, જાણો કેવા છે આ ફોન

ગૂગલની આ એપ્લિકેશન ઉત્તર પ્રદેશના લગભગ 200 ગામમાં પરીક્ષણ કરીને ડેવલપ કરવામાં આવી છે. પરીક્ષણના પરિણામો ઉત્સાહજનક રહેતા તેને તમામ યૂઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશન અન્ય ભારતીય ભાષામાં પણ રજૂ કરવાનો વિચાર છે.

March 21, 2019
mumbai_indian.png
1min12110

ફોર્બ્સે ના અહેવાલ મુજબ મુંબઇ ઇન્ડિયન્સની કુલ માર્કેટ વેલ્યુ 50 બિલિયન ડોલર

આજને સમયમાં વિશ્વમાં મુકેશ અંબાણીનું નામ એટલે બિઝનસ બની ગયું છે. તે ત્યારે હવે ફોર્બ્સે હાલમાં જ એક યાદી જાહેર કરી હતી. આ યાદી વિશ્વમાં સ્પોર્ટ્સ ટીમના સૌથી અમીર માલિકોની હતી. જેમાં અન્ય કોઇ જ નહી પરંતુ ભારતના અને મુળ ગુજરાતી એવા રીલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. આમ મુકેશ અંબાણી વિશ્વની સ્પોર્ટ્સ ટીમના માલિકોમાં સૌથી વધુ ધનીક છે. ફોર્બ્સે કુલ 20 લોકોને આ યાદીમાં સામેલ કર્યા હતા.

 

13 ટીમના માલિકોની સંપતિમાં વધારો થયો

ફોર્બ્સે જાહેર કરેલી યાદી પ્રમાણે ગત વર્ષ કરતા કુલ 13 ટીમના માલિકોની સંપતીમાં વધારો થયો છે. તો બીજી તરફ 5 માલિકોની સંપતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો બે માલિકોની સંપતિમાં કોઈ ફેરફાર થયો નથી. મુકેશ અંબાણીએ વર્ષ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદી હતી.

NBAની લોસ એન્જિલ્સ ટીમના માલિક સ્ટીવ બીજા ક્રમે

ફોર્બ્સની આ લિસ્ટમાં NBA ની ટીમ લોસ એન્જિલિસ ક્લિપર્સના માલિક સ્ટીવ બાલમર બીજા અને ઓટો રેસિંગ ટીમ રેડ બુલના માલિક ડિએટ્રિચ માટેશિટ્ઝ ત્રીજા નંબર પર છે. આ સિવાય આઈસ હોકી ટીમ સાન જોસ શાર્કના માલિક હાસો પ્લેટનર એન્ડ ફેમિલી, ચેલ્સી ફુટબોલ કલબના માલિક રોમન અબ્રામોવિચ અને કેરોલિના પૈંથર્સ ફૂટબોલ ટીમના માલિક ડેવિડ ટેપર પણ લિસ્ટમાં સામેલ છે.

ટોપ સ્પોર્ટ્સ ટીમ માલિક

ટીમના માલિક     
                  ટીમ                રમત                             નેટવર્થ

મુકેશ અંબાણી                  મુંબઇ ઇન્ડિયન્સ     આઇપીએલ           50 બિલિયન ડોલર
સ્ટીવ બાલમર                   લોસ એન્જલિસ      એમબીએ             41.2 બિલિયન ડોલર
ડિઅટ્રિચ માટેશિટઝ         રેડ બુલ                   ઓટો રેસિંગ          18.9 બિલિયન ડોલર
હાસો પ્લેટનર & ફેમિલી    સાન જોસ શાર્ક      આઇસ હોકી          13.5 બિલિયન ડોલર
રોમન અભ્રામોવિચ           ચેલ્સી ક્લબ            ફુટબોલ                 12.4 બિલિયન ડોલર

March 21, 2019
elnino1.jpg
1min17820

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અલ નિનોની આશંકા વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ મિટિયોરોલોજીએ તા.19મી માર્ચ 2019ના રોજ અલ નિનોના આઉટલૂકને ‘એલર્ટ’ મોડમાં મૂક્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના વૈશ્વિક ક્લાઇમેટ મોડલ્સ જૂનની આસપાસ અલ નિનો શક્યતામાં ‌વધારો દર્શાવે છે.

અલ નિનો પેસેફિક મહાસાગરની સપાટી પરનું તાપમાન ગરમ થવા સાથે સંકળાયેલું છે. તેની ભારતના ચોમાસા પર પ્રતિકૂળ અસર થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં હોય છે અને દેશના કુલ વરસાદનો 70 ટકા હિસ્સો આ ગાળામાં આવે છે.

બ્યૂરોએ તા.19મી માર્ચે અલ નિનો અંગેના તાજેતરના મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે, “2019માં અલ નિનોની શક્યતા વધીને લગભગ 70 ટકા થઈ છે, જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ગણી છે.” બ્યૂરોએ કહ્યું હતું કે, “આઠમાંથી એક સિવાયના તમામ ક્લાઇમેટ મોડલ્સમાં દરિયાની સપાટી પરનું તાપમાન એપ્રિલ અને જૂનમાં અલ નિનોની મર્યાદા કરતાં ઊંચું રહેવાની આગાહી કરાઈ છે. છ મોડલ્સમાં સી સરફેસ ટેમ્પરેચર (SSTs)નું મૂલ્ય ઓગસ્ટમાં મર્યાદા કરતાં ઊંચું રહેવાની ધારણા છે.

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે અગાઉની આગાહીમાં ચાલુ વર્ષે અલ નિનોની શક્યતા 50 ટકા દર્શાવી હતી. જોકે, ભારતના હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ચોમાસા પર અલ નિનોની પ્રતિકૂળ અસર નહીં થાય. ઇન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ચાલુ મહિને જણાવ્યું હતું કે, મે મહિના સુધી અલ નિનોની સ્થિતિ નબળી રહેશે અને ત્યાર પછી તેમાં નબળાઈ વધવાનો અંદાજ છે.

સ્કાયમેટે ફેબ્રુઆરીમાં જારી કરેલા ચોમાસાના પ્રારંભિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે, દેશમાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદની શક્યતા છે. ચોમાસાની પ્રગતિ સાથે અલ નિનો નબળું પડવાનો અંદાજ છે.

What is El Nino?

an irregularly occurring and complex series of climatic changes affecting the equatorial Pacific region and beyond every few years, characterized by the appearance of unusually warm, nutrient-poor water off northern Peru and Ecuador, typically in late December. The effects of El Niño include reversal of wind patterns across the Pacific, drought in Australasia, and unseasonal heavy rain in South America.

El Nino on India

El Nino, characterised by a warming of surface temperatures in the Pacific Ocean, is associated with lower than normal monsoon rainfall in India. … El Nino affects the flow of moisture-bearing winds from the cooler oceans towards India, negatively impact the summer monsoon, which accounts for over 70% of annual rainfall.

March 21, 2019
h-1b_visa_1mmn.jpg
1min1618

યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઇએસ)એ પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે એચ-૧બી વિઝા પિટિશન્સ સ્વીકારવાનું શરૂ કરી દેશે. આ વિઝા માટે રોજગાર શરૂ કરવાની તારીખ પહેલી ઓક્ટોબર રહેશે.

જોકે અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ એચ-૧ માટે નિયમિત વિઝાની મર્યાદા પણ ૬૫,૦૦૦એ સ્થિર રહેશે. આ ઉપરાંત યુએસ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી અથવા માસ્ટર્સ મેળવનાર અન્ય ૨૦,૦૦૦ પિટીશનર્સને પણ વિઝા મળશે. પરંતુ ઘણાં વકીલોનું કહેવું છે કે આ વર્ષ અસાધારણ બની શકે છે મોટાભાગે એટલે કે આ વર્ષના પ્રારંભમાં જ અનેક નિયમો બદલાયા હતા.

યુએસસીઆઇએસે જાન્યુઆરીમાં ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો. જે મુજબ હવે ફાળવણીની ગણતરી કરશે. હવે તમામ પિટિશનોને નિયમિત મર્યાદામાં જ ગણાશે. જેમાં એડવાન્સ્ડ ડિગ્રીનો પણ સમાવેશ થાય છે. બીજા રાઉન્ડમાં તે બાકીની પિટીશન્સની પસંદગી કરશે. યુએસસીઆઇએસના જણાવ્યાનુસાર નવો ફેરફાર ૧૬ ટકા વધારો થશે. જેને કારણે એડવાન્સ્ડ યુએસ ડિગ્રી સાથે પસંદગી પામેલા એચ-૧ બી પિટીશનરોમાં ૫,૩૪૦ કામદારોનો વધારો થશે. જોકે, કેટલાક વકીલોનું કહેવું છે કે એચ-૧ બી પર અમેરિકાના દેખીતા અંકુશને કારણે ઇમીગ્રેશન પર એકંદરે નકારાત્મક સેન્ટિમેન્ટ દેખાશે અને તેની અસર ફાઇલિંગ્સ પર દેખાશે.

March 21, 2019
priyanka-gandhi1.jpg
1min16280

કાશીનાં ઘાટો ઉપર ગંગા પૂજા, જય હિંદનાં નારા અને વિશ્વનાથ મંદિરમાં રુદ્રાભિષેક. ચૂંટણીનાં માહોલમાં આ વખતે કાશીનું દ્રશ્ય પલટાયેલું દેખાય છે. આ વખતે ચિત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પણ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી છે.’ મોદીનાં જ રાજકીય પ્રતીકોને આધાર બનાવીને પ્રિયંકા ઉત્તરપ્રદેશમાં હાંસિયામાં ધકેલાયેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયત્નો કરે છે.’

પ્રિયંકાએ પ્રયાગરાજનાં મનૈયા ઘાટથી વારાણસીનાં અસ્સી ઘાટ સુધીની નૌકાયાત્રા કરી. સમર્થકોથી ઘેરાયેલા પ્રિયંકા આજે અસ્સી ઘાટ પહોંચ્યા પછી કેન્દ્ર સરકાર ઉપર તડાપીટ બોલાવવા લાગ્યા હતાં. આ દરમિયાન તેમણે મોદીની તર્જ ઉપર જ ઉપસ્થિત સમૂહને જય હિંદનાં નારા પણ લગાવરાવ્યા હતાં. ત્યારબાદ તેઓ કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતાં અને રુદ્રાભિષેકનો લાભ લીધો હતો. પોતાની યાત્રાનાં ત્રીજા અને અંતિમ દિવસે આજે તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાત્રીનાં પૈતૃક આવાસની મુલાકાત પણ લીધી હતી અને આ સાથે જ તેઓ આ સ્થાને જનાર ગાંધી પરિવારની પહેલી વ્યક્તિ પણ બન્યા હતાં. અહીં 15 મિનિટનાં રોકાણમાં તેઓ ભાવુક બન્યા હતાં. પોતાનાં ભાષણમાં પ્રિયંકાએ કહ્યું હતું કે વારાણસીથી અવાજ ઉઠવો જોઈએ કે દેશમાં નકારાત્મક, કિસાન વિરોધી, જનવિરોધી,મજૂર અને મહિલા વિરોધી સરકારની જરૂર નથી.

March 21, 2019
ipl-2019-min-1024x585.jpg
1min16140

22 ચેનલો ઉપર પ્રસારણ કરાશે: ગત વર્ષ કરતા 20 ટકા વધારે આવક

સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ટકા વધારે રકમ મળનાર છે.

બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018માં થઈ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખૂબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-19ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે.

મોગે મીડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકાકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારૂતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. 12 ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.’

March 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6740

સ્પેસ સ્કૂલનો સંચાલક 10માં સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપી 3 દિવસથી અડપલા કરતો હતો

જેતપુરના સરદાર ચોક નજીક શાંતિવન આશ્રમ રોડ પર આવેલ સ્પેશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલાં કરવા અંગે સ્કૂલના સંચાલક અરવિંદ હરદાસભાઇ સાવલિયા અને તેના ભાઇ કિરીટને બોધપાઠ ભણાવ્યો હતો. શાંતિવન આશ્રમ રોડ પર આવેલા સીબીએસસી સ્પેશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર (સંચાલક) અરવિંદ હરદાસભાઇ સાવલિયા છે. તેણે સ્કૂલમાં સીબીએસસી કોર્સ મુજબ ધો.- 9નો અભ્યાસક્રમ પૂર્ણ થયેલ અને ધો. 10ના વર્ગ શરૂ કર્યા છે ત્યારે ધો. 10ની એક વિદ્યાર્થિનીને સંચાલકે તેની ઓફિસમાં બોલાવી ચોકલેટ આપી હતી અને આપણી સ્કૂલને બોર્ડનું કેન્દ્ર મળી ગયું છે. માટે હું તને પરીક્ષામાં ચોરી કરાવીને સારા માર્કસ લેવડાવી દઇશ તેમ કહીને છેલ્લા બે – ત્રણ દિવસથી એ છાત્રા સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

તા.19મી માર્ચે પણ સ્કૂલ સંચાલકે વિદ્યાર્થિનીને બોલાવીને કહ્યું હતું કે સ્કૂલના પ્રિન્સિપાલ લલીત એક મહિનાથી રજા ઉપર છે તે કાલ આવી જશે એટલે જ્યાં સીસીટીવી નથી તે સ્પોર્ટસ રૂમમાં મળીશું. આ વાત સાંભળીની વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. પહેલા તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તે પહેલા તેણે તેની માતાને તેની વિતક વર્ણવી હતી. સ્કૂલમાં બનેલી તમામ હકીકત જણાવીને સંચાલકને પાઠ ભણાવવો પડશે તેવું જણાવ્યું હતું.

તા.20મી માર્ચે સવારે તેની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી હતી. આથી વાલી મંડળ સ્પેશ સ્કૂલનાં કેમ્પસમાં એકઠું થયું હતું. જ્યાં સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયા અને કિરીટ સાવલિયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા વાલીઓએ સંચાલકોને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ બાબતેની જાણ થતાં સંચાલકનો પરિવાર બચાવવા માટે આવી ગયો હતો. વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે શાળા સંચાલક અરવિંદ સાવલિયાની ધરપકડ કરી હતી.

કાળા કાચ કાઢો અને સીસીટીવી કેમેરા લગાવો
આ સ્કૂલના તમામ વર્ગખંડના બારી – દરવાજામાં કાળા કાચ લગાવ્યા છે. તે દૂર કરવા અને સ્કૂલમાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા લગાડયા નથી ત્યાં કેમેરા વાલીઓએ પોલીસને આવેદનપત્ર આપીને માગણી કરી હતી.

પેપર રદ્દ કરાયા
સ્પેશ સ્કૂલમાં ધો.1થી 8ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હોય અને આજે છેલ્લા બે પેપર ગણીત અને અંગ્રેજીના લેવાના હતા ત્યારે હોબાળો થતાં નાના ભુલકાઓ ગભરાઇ ગયા હતા. સંચાલક દ્વારા આજના પેપર રદ્દ કરવામાં આવ્યા હતા અને સોમવારે આ પેપર લેવાશે તેમ જણાવ્યું હતું. તેના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
March 21, 2019
uv.jpg
1min11240

IPL 2019:ખુલ્યો રાઝ, આ કારણથી મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને ખરીદ્યો
યુવરાજસિંહને વેલકમ કરી રહેલા નીતા અંબાણી

ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજસિંહ આઈપીએલ 2019માં માંડ માંડ કોઈ ટીમમાં જવામાં સફળ થયા છે. પહેલા રાઉન્ડમાં યુવરાજ સિંહને કોઈ ટીમે નહોતા ખરીદ્યા, પરંતુ આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયામાં ખરીદી લીધા. પરિણામે આ વખતે યુવરાજ સિંહ રોહિત શર્માની કેપ્ટનસીમાં રમતા દેખાશે. જો કે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને એક ખાસ યોજના અંતર્ગત ખરીદ્યા છે. આ વાતનો ખુલાસો ખુદ ઝહીર ખાને કર્યો છે.

ઝહીર ખાને કહ્યું કે યુવરાજસિંહ પાસે લાંબો અનુભવ છે, તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં એક મહત્વના બેટ્સમેન સાબિત થઈ શકે છે. યુવરાજસિંહ મેચન વિનર ખેલાડી છે, અમને એક એવા બેટ્સમેનની જરૂર હતી જે મિડલ ઓર્ડરમાં અનુભવી હોય. મને લાગે છે કે યુવરાજસિંહ પાસે આ અનુભવ છે, એટલે જ અમે તેમને અમારી ટીમમાં ખરીદ્યા છે. ઝહીર ખાને કહ્યું કે યુવરાજ સિંહે વર્ષો સુધી પોતાની ટીમને મેચ જીતાડી છે અને તેઓ એક મેચ વિનર ખેલાડી છે, તેમાં કોઈ બેમત નથી. અમે પ્રેક્ટિસ દરમિયાન પણ જોયું છે કે તે સારી બેટિંગ કરી રહ્યા છે. આ સિઝનમાં તે સારું પ્રદર્શન જરૂર કરશે. યુવરાજ સિંહની હાજરીથી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઈનઅપ મજબૂત બની છે.

યુવરાજસિંહને બીજા રાઉન્ડમાં ખરીદવા અંગે ઝહીર ખાને કહ્યું કે એવા ઘણા ખેલાડીઓ હતા જે પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ હતા, હું પણ તેમાંથી એક છું. ઓક્શન વખતે તમામ ફ્રેન્ચાઈઝી પોતાની રણનીતિ મુજબ ખેલાડીઓની પસંદગી કરે છે. તો રોહિત શર્માએ કહ્યું કે ખેલાડીઓએ નક્કી કરવાનું છે કે તેઓ પોતાની ક્ષમતા બરાબર ઓળખે છે. તેમને પોતાને જ્યારે જરૂર હશે ત્યારે તેઓ આરામ કરશે. રોહિત શર્માએ કહ્યું કે પાછલા ત્રણ-ચાર વર્ષમાં અમે ઘણું ક્રિકેટ રમ્યા છીએ. વર્કલોડ ખેલાડીઓનો અંગત મામલો છે. આ મામલે ખેલાડીઓએ જાતે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.

March 20, 2019
hardik-alpesh.png
1min10000

જયેશ બ્રહ્મભટ્ટ

એક સમયે સમગ્ર ગુજરાતનું જનજીવન ખોરવી દેનારું પાટીદાર આંદોલન હવે ફાઇટ ટુ ફિનિશના મોડમાં આવી ગયું છે. ફાઇટ ટુ ફિનિશ એ સેન્સમાં કે હવે પાસમાં બાકી બચેલા નેતાઓ અંદરો અંદર એવી લડાઇ લડી રહ્યા છે કે પાસ જેવી સંસ્થા જ નહીં રહે. પાટીદાર આંદોલનનો એક સમયનો મુખ્ય ચહેરો અને હવે કોંગ્રેસી નેતા બની ચૂકેલા હાર્દિક પટેલએ કોંગ્રેસની કંઠી બાંધી ત્યારથી શરૂ થયેલા અંદરોઅંદરના ડખાંમાં તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલી પાસની મિટીંગે પેટ્રોલ હોમવાનું કામ કર્યું. અમદાવાદની પાસની મિટીંગના મંચ પર લગાડાયેલા બેનરમાં એકલા હાર્દિક પટેલનો ફોટો સમાવાયો હતો અને અલ્પેશ કથિરીયાની બાદબાકી કરવામાં આવી હતી. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત એ જ મિટીંગમાં પડ્યા અને હાર્દિક અલ્પેશ ગબ્બરના સમર્થકો અંદરોઅંદર ઝઘડી પડ્યા. બસ આ ફાઇટથી શરૂ થઇ છે પાસમાં ફાઇટ ટુ ફિનિશની ગેમ.

(સુરતમાં લાગેલા હાર્દિક પટેલ વિરોધી બેનર્સ હવે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ લાગવા માંડ્યા છે)

અમદાવાદ ખાતેની પાસની છેલ્લી મિટીંગના બેનરમાં અલ્પેશ કથિરીયાનો ફોટો નહીં સામેલ કરીને હાર્દિક એન્ડ કંપનીએ પાસનો જ સેલ્ફ ગોલ સાથે ફાઇટ ટુ ફિનિશ શરૂ કરી

  • કેન્દ્ર સરકારે 10 ટકા ઉજળીયાત અનામત આપીને પાટીદાર આંદોલન માટે લડવાનો કોઇ મુદ્દો રહેવા દીધો નહીં
  • હાર્દિક પટેલએ પણ પવન જોઇને વહાણનું શઢ રાજકીય દિશામાં ફેરવતા કોંગ્રેસની કંઠી બાંધી લીધી

પાટીદારો માટે અનામતની માગ સાથે શરૂ થયેલું પાસનું પાટીદાર આંદોલન ત્યારે જ હળવું થઇ ગયું હતું જ્યારે કેન્દ્ર સરકારે ફક્ત પાટીદારોને નહીં બલ્કે તમામ ઉજળીયાત વર્ગના આર્થિક રીતે પછાત પરિવારોના ઉમેદવારોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની ઘોષણા કરી અને એ પછી લોકસભા, રાજ્યસભામાં તાબડતોડ ઠરાવો કરાવીને તેનો અમલ ચૂંટણી પહેલા શરૂ કરાવી દીધો. આ ડેવલપમેન્ટ પછી પાટીદાર અનામત આંદોલન પાસે કોઇ નક્કર મુદ્દો લડવા માટે રહ્યો નથી, અને હવે ગુજરાતમાં ફક્ત પાટીદારોને અનામત મળે તેવી કોઇ શક્યતા પણ રહી નથી. આ પરિસ્થિતિ પારખી ગયેલા હાર્દિક પટેલએ પોતાની નાની ઉંમર અને ભવિષ્યને જોતા રાજકીય બેકગ્રાઉન્ડ બનાવવાના ઇરાદે કોંગ્રેસની કંઠી બાંધી લીધી.

હાર્દિકને પાટીદાર સમાજના ગદ્દાર ચિતરતા પોસ્ટર પહેલા સુરત લાગ્યા, બાદમાં સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં લાગવા માંડ્યા

અનેક પાટીદાર નેતાઓ, પાસના કાર્યકર્તાઓને હાર્દિકનું આ પગલું ગમ્યું નહીં, પણ પાસમાં ફાટફૂટ ન પડે તે માટે પહેલા કોઇ કશું બોલ્યું નહીં. પરંતુ, અમદાવાદમાં તાજેતરમાં મળેલી પાસની મિટીંગમાં તોફાન થયા પછી હવે હાર્દિક પટેલ વિરુદ્ધ પહેલા સુરતમાં, બાદમાં સૌરાષ્ટ્રમાં અને હોળીના દિવસથી અમદાવાદમાં પણ પોસ્ટરો લાગવા માંડ્યા છે. હાર્દિકને પાટીદાર સમાજનો ગદ્દાર દર્શાવતા એક સરખા બેનરો સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, જામનગરમાં લાગી રહ્યા છે. ભાજપા માટે આ એક ગેઇનિંગ સબ્જેક્ટ છે. પાટીદારો અંદરોઅંદર લડવાનું શરૂ કરી દીધું છે. હાર્દિક અને અલ્પેશ ગબ્બર એક હતા, તેમાં પણ હવે ઉગ્ર મતભેદો સપાટી પર આવી ચૂક્યા છે. લાલજી પણ હાર્દિક વિરુદ્ધ ખુલ્લંખુલ્લા મોરચો માંડી ચૂક્યા છે, આમ એક સમયે ગુજરાતનું જનજીવન ખોરવી નાંખનાર શક્તિશાળી પાટીદાર આંદોલન અને પાસનું સંગઠન વેરણછેરણની સ્થિતિમાં આવી ચૂક્યું છે.

હાર્દિકનો બળાપો, ભાજપના આશીર્વાદથી વિરોધ થઇ રહ્યો છે

છેલ્લા દસેક દિવસથી હાર્દિક પટેલનો વિરોધ ખુદ પાટીદારો કરી રહ્યા છે, જામનગરમાં જ્યાંથી હાર્દિક પટેલએ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યાં તેની સામે વિરોધ પ્રદર્શનો થયો, એથી વિશેષ સુરતમાં પાટીદાર સમાજનો ગદ્દાર ચિતરતા પોસ્ટર લાગ્યા, આ સિલસિલો જે રીતે સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહયો છે એ માટે હાર્દિક પટેલ જાહેરમાં એવો બળાપો કાઢી રહ્યો છે કે ભાજપા નેતાઓ આવું કરાવી રહ્યા છે. આ એક પોલિટીકલ સ્ટેટમેન્ટથી વિશેષ કંઇ ગણાતું નથી. હાર્દિક જ્યારે શક્તિશાળી પાટીદાર આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારે પણ ઇમ્મેચ્યોર હતો અને આજે પણ ઇમ્મેચ્યોર જ જણાય છે. એ સમયે છાશવારે એવા નિવેદનો કર્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ બન્ને સરખા છે, આજીવન ક્યારેય કોઇ પાર્ટીમાં નહીં જોડાઉ, એ જ હાર્દિકે  કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે, હવે એ પોતાના વિરોધ માટે ભાજપાના નેતાઓને જવાબદાર ગણાવી રહ્યો છે, એ પણ નાદાનીથી વિશેષ કશું નથી. રાજકારણની ગેમમાં કદાચ હાર્દિક નબળો પડીને ધીમે ધીમે અસરકારકતા ગુમાવી દેશે.

( પાસના બે દિગ્ગજ નેતાઓમાં શરૂ થઇ છે ફાઇટ)

સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોએ હાર્દિક પટેલને આંધળું સમર્થન આપીને મોટો બનાવ્યો એ જ પાટીદાર આંદોલનના પાયાના કાર્યકરો હવે હાર્દિક પટેલનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. અધુરામાં પૂરું હવે અલ્પેશ કથિરીયાના સમર્થકોની પણ દુશ્મનાવટ વ્હોરી લઇને હાર્દિકે તેની સામે એવું જોખમ ઉભું કર્યું કે જેનાથી તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન ઘટી રહી છે. પાટીદારો હવે એવું માનવા માંડ્યા છે કે હાર્દિક પટેલ સમાજના નામે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે.

બીજી તરફ અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલા પોલીસ કેસ તેમજ તેની વર્તણૂકને લીધે બુધ્ધિજીવ પાટીદારો હવે પાસ કે આંદોલનથી કિનારો પકડી રહ્યા છે. અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલી લિગલ પ્રોસિડીંગ્સને કારણે પાટીદાર આંદોલન કે પાસ પાસે હવે કોઇ એવો સક્રીય નેતા રહ્યા નથી કે જે આ સંગઠનને નવી દિશા આપીને જાળવી શકે. આવી સ્થિતિમાં પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે પડેલા ડખાં સમગ્ર સંગઠનને જ ફિનિશ કરવા તરફ દોરી જઇ રહ્યા છે.

March 20, 2019
whatsapp_logo.png
1min10670

વિશ્વમાં સૌથી વધુ યુઝ થઈ રહેલા મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે નવું ફીચર લઈને આવ્યું છે. આ ફીચરમાં યુઝર્સ ફોન સ્ટોરેજમાંથી ડિલીટ કરેલા મીડિયા ફાઈલ્સને રી-ડાઉનલોડ કરી શકશે. વોટ્સએપના રિપોર્ટ મુજબ આ સેવા હાલ એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નવા અપડેટ સાથે જ તેનો યુઝ કરી શકાશે.

‌નવા ફીચર અંતર્ગત જો તમે વોટ્સએપ ફોલ્ડરમાંથી કોઈ ઈમેજ, વીડિયો, વોઈસ મેસેજ તેમજ અન્ય મીડિયા ફાઈલ ડિલીટ કરી નાંખી હશે તો હવે તેને પરત મેળવવું સરળ બનશે. યુઝર્સ ત્રણ મહિના જૂની ફાઈલ્સ પણ વોટ્સએપ સર્વર પરથી ડાઉનલોડ કરી શકશે. જો કે આ સેવા મીડિયા ફાઈલ્સ પરુતી જ સિમિત રહેશે ટેક્સ્ટને તમે ડાઉનલોડ કરી શકશો નહીં.

અત્યાર સુધી જ્યારે રિસીવર કોઈ ફાઈલ ડાઉનલોડ કરી લેતો હતો તો તેને સર્વર પરથી હટાવી દેવાતી હતી, પરંતુ હવે વોટ્સએપ ત્રણ મહિના સુધી સર્વર પર રાખશે. જેથી યુઝર્સ ત્રણ માસ જૂની ઈમેજ, વીડિયો, વોઈસ મેસેજ અથવા અન્ય ફાઈલ્સને રી-ડાઉનલોડ કરી શકશે. જો કે આ ફાઈલ્સ મોકલનારે તેને ડિલીટ ના કરી હોય તો જ તે પરત ડાઉનલોડ કરી શકાશે.