યંગિસ્તાન Archives - Page 30 of 37 - CIA Live

March 22, 2019
data.jpg
1min1564

જયેશ બ્રહ્મભટ્ટ

જો તમારા બાળકે ધો.10 કે ધો.12ની પરીક્ષા આપી હોય અને તમારા મોબાઇલ નંબર પર કોઇ કોચિંગ ક્લાસ, ક્રેશકોર્સ, એડમિશન અપાવનારા દલાલો વગેરે ઇન શોર્ટ અજાણ્યાનો નંબર પરથી કોલ અગર તો મેસેજ આવે તો એવું સમજી જજો કે તમારા બાળકની વ્યક્તિગત માહિતી ધંધાદારીઓને વેચી દેવામાં આવી છે અગર તો લિક કરવામાં આવી છે. એક વખત કોચિંગ ક્લાસીસોવાળા, એડમિશન અપાવવા વાળા વગેરે પાસે વિદ્યાર્થીઓનો ડેટા પહોંચી જાય પછી એ વિદ્યાર્થીઓને તેમના ક્લાયન્ટ બનાવવામાં ક્લાસીસોવાળા માહેર હોય છે.

વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે મેળવીને માર્કેટિંગ કરવાનો પેંતરો

બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ રહી છે અને હવે એડમિશન સીઝન શરૂ થઇ રહી છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા જેમાં જે તે વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે યેનકેન પ્રકારે મેળવીને પોતાનું માર્કેટિંગ કરવા માટે ધંધાદારી કોચિંગ ક્લાસીસો, ઇન્સ્ટિયુટ્સ, એડમિશન અપાવતા દલાલોએ ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.

સુરત સમેત રાજ્યના મહાનગરોની અનેક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી લીક થઇ રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓને કેટલાક દિવસથી કોચિંગ ક્લાસીસ તરફથી ફોન આવી રહ્યા હોઇ તેમના કોચિંગ ક્લાસીસમાં એડમિશન લેવા માટે સ્કોલરશીપ આપવાની, એમબીબીએસમાં એડમિશન અપાવવાની, ફોરેન મોકલવાની વગેરે જેવી લલચામણી ઓફરો કરવામાં આવી રહી છે. કેટલાક બુદ્ધિજીવી વાલીઓને એવો પ્રશ્નો જરૂર ઉપસ્થિત થયો છે કે તેમના ફોન નંબર તેમજ વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે કેવી રીતે પહોંચી

વિદ્યાર્થીઓની પર્સનલ માહિતી સ્કુલથી શરૂ કરીને બોર્ડ સુધીની સિસ્ટમમાંથી અનેક રીતે અને અનેક પોઇન્ટસ પરથી ધંધાદારી કોચિંગવાળા, એડમિશનના દલાલો વગેરે યેનકેન પ્રકારે મેળવી લેતા હોય છે.

અનેક શાળાઓની મોબાઇલ એપ્લિકેશનમાંથી પણ વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા આરામથી બહાર જઇ રહ્યો છે

કાયદાનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના વ્યક્તિગત ડેટા લીક થઇ રહ્યાનું વાલીઓ તેમ જ વાલી સંગઠનો દ્વારા પ્રકાશમાં લવાયું છે. અનેક નામાંકિત શાળા દ્વારા વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસને પૂરી પડાઇ રહી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે હોવા સંદર્ભેની ફરિયાદ છેલ્લા કેટલાક દિવસથી સુરત જ નહીં બલ્કે ગુજરાતભરમાંથી વાલીઓ કરી રહ્યા છે. કોચિંગ ક્લાસીસ પાસે આ માહિતી કેવી રીતે આવી તે અંગે પૂછપરછ કરાઇ, પણ કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. અનેક નામાંકિત શાળાઓએ પોતાની ઍપ તૈયાર કરી હોઇ તેમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી મૂકવામાં આવે છે. આથી આ ડેટા કોચિંગ ક્લાસીસને હાથ તો લાગતો નથી ને? એ બાબતે વાલીઓ મૂંઝવણમાં છે. શાળાએ પણ આ અંગે ઇનકાર કર્યો હોવાથી આ ડેટા લીક કેવી રીતે થયો? એ બાબતે વાલીઓએ હવે અવાજ ઉઠાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર વિદ્યાર્થીઓનો આધારકાર્ડ નંબર કે આધારકાર્ડ પરની માહિતી ક્યાં પણ લીક થવી જોઇએ નહીં. તેમ છતાં આવું બનતું હોવાથી વાલીઓમાં ભયનું વાતાવરણ છે.

March 20, 2019
masood_mumbai11.jpg
1min20130

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)

મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે

મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.

હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો

મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ  પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.

મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.

March 20, 2019
ramjan_shaikh.jpg
1min5220

પોતાના કુટુંબને બચાવવા ત્રાસવાદીઓ સામે ઝઝૂમનાર 16 વર્ષના રમજાન શેખ નામના કાશ્મીરી કિશોરને અપવાદ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તા.19મી માર્ચ 2019ના દિવસે શૌર્યચક્ર આપ્યું હતું. શૌર્ય ચક્ર સામાન્ય રીતે દુશ્મન સામે અસાધારણ બહાદુરી બતાવનાર સશસ્ત્ર સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને આપવામાં આવે છે.

16-17 ડિસેમ્બર, 2017ની રાતે ત્રણ ત્રાસવાદીઓ શોપિંયા જિલ્લામાં રહેતા રમજાનના ઘરને ઘેરીને ઊભા હતા. એના પિતા મોહમ્મદ રમજાન ભૂતપૂર્વ સરપંચ અને પીડીપીના સભ્ય હતા.

એ રાતે દરવાજો ખોલતા શેખને શસ્ત્ર અને ગ્રેનેડ સહિત ત્રણ ત્રાસવાદી વરંડામાં ઊભેલા દેખાયા. ત્રાસવાદીઓ પોતાના કુટુંબીઓને નુકસાન પહોંચાડી શકે એમ હોવાના અંદાજે શેખે અસાધારણ બહાદુરી દાખવતા એમને ઘરમાં ઘૂસતા રોક્યા હતા. દરમિયાન, એના પિતા ઘરની બહાર આવ્યા અને ત્રાસવાદીઓ એમના પર તૂટી પડયા. શેખે પોતાની પરવા કર્યા વગર ત્રાસવાદીઓનો સામનો કરવા માંડયો.

દરમિયાન, ત્રાસવાદીઓએ શેખના પિતા પર આડેધડ ગોળીબાર કરવો શરૂ કર્યો હતો અને એમાંથી અમુક ગોળીઓ એની સાથે બાખડી રહેલા એક ત્રાસવાદીને પણ વાગી હતી. પોતાના એક સાથીને ઘાયલ થયેલો જાણી ત્રાસવાદીઓ ભાગવા માંડયા હતા. શેખે એમનો પીછો કર્યો અને આખરે ત્રાસવાદીઓ પોતાના સાથીનો મૃતદેહ મૂકીને ભાગી ગયા હતા.

ગોળીબારમાં એના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પાછળથી તેઓ મરણ પામ્યા હતા. શેખે દાખવેલી પોતાની વય કરતા વધુ અપ્રતિમ બહાદૂરી વખાણવાલાયક છે. એ હાલ દસમા ધોરણમાં ભણે છે અને એની ઇચ્છા આઇપીએસ અધિકારી બનવાની છે.

March 19, 2019
utuimages.jpg
9min33180

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત બોર્ડ સમેત અન્ય બોર્ડની ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. હવે વિદ્યાર્થીઓ અને માબાપ કારકિર્દીના વિકલ્પો વિચારવાનું શરુ કરશે એ સમયે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ અને શિક્ષણ સર્વદા આપને કારકિર્દીના વિકલ્પોથી સુપેરે માહિતીગાર કરશે. કારકિર્દી ઘડતરનો સૌથી અગત્યનો નિર્ણય લેવામાં અમે આપને મદદરૂપ થઇશું. આજે અમે અહીં વાત કરી રહ્યા છે સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસની. સુરત શહેર જિલ્લા કે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી એવું મહેણું હતું કે સ્ટેટ ઓફ ધ આર્ટ અને કારકિર્દીના વિકલ્પો એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થાય અને એ પણ ક્વોલિટી એજ્યુકેશન અને ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આવું કેમ્પસ સમગ્ર દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લા પૈકી ક્યાં ન હતું. પરંતુ, બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા વિદ્યાસંકુલ અને એ પછી અસ્તિત્વમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ એ મહેણું દૂર કર્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અપટુડેટ હાયર એજ્યુકેશન કેમ્પસ નથી.

માલિબા સંકુલમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ફક્ત સાઉથ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. અહીં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ પછી વિદ્યાર્થીઓ માટે લગભગ મોટા ભાગની ફેકલ્ટીઝના અભ્યાસક્રમો શરૂ થયા છે. ક્વોલિફાઇડ અને એક્સપિરીયન્સ્ડ અધ્યાપકોની સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની એક વખત મુલાકાત લઇ આવવી જોઇએ.

ધો.12 સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કોઇપણ કોલેજમાં એડમિશન લેતા પહેલા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની વિઝીટ કરજો, તમારું વિઝન ચોક્કસ બદલાઇ જશે

ઉકા તરસાડીયા યુનિવર્સિટીને બેઠી કરનારા ડો.દિનેશ શાહ લેખકને હંમેશા કહેતા આવ્યા છે કે તમે કાઉન્સિલર છો, ક્યારેય કોઇ વાલી વિદ્યાર્થીઓને સીધા જ અમારી યુનિવર્સિટીમાં એડમિશન લઇ લો એવું ન કહેતા, એમને કહો કે પહેલા સ્વયં યુકા તરસાડીયા કેમ્પસની મુલાકાત લો, અન્ય સંસ્થાઓની મુલાકાત લો અને એ પછી વિકલ્પ પસંદ કરો. અહીં વિદ્યાર્થીઓ મેરીટ્સ પર એડમિશન મેળવે છે. સૌથી અગત્યની વાત એ છે કે ઉકા તરસાડીયાના સંચાલકોનો અભિગમ ધંધાદારી નથી બલ્કે સમાજ સેવાનો છે. તેઓ ક્યારેય પ્રોફિટ મેકિંગ એપ્રોચમાં જોવાયા નથી બલ્કે વિદ્યાર્થીઓ કઇ રીતે વ્યવસાયલક્ષી બની શકે તેના પર ફોકસ કરીને સેવાના હેતુથી શૈક્ષણિક સંકુલ ચલાવી રહ્યા છે.

અહીં આ કેમ્પસમાં થઇ રહેલી અન્ય પ્રવૃતિઓની વાત તો એટલા માટે નથી કરવી કેમકે શૈક્ષણિક સાથે કો કરીક્યુલર એક્ટિવિટીઝ, સેલિબ્રેશન, ફેસ્ટિવલ્સ અને સૌથી મહત્વની વાત ટેલેન્ટ હન્ટમાં આ યુનિવર્સિટી દ્વારા યોજાતા કાર્યક્રમો કાબિલે તારીફ રહ્યા છે. સ્ટડી ટૂર, પ્રોજેક્ટ વર્ક, કોમ્પિટીશન પાર્ટીશિપેશન, એસાઇન્મેન્ટ વગેરે કાર્યક્રમોમાં ઉકા તરસાડીયા યુનિવિર્સિટીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ ભાત પાડી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની માહિતી નિમ્નદર્શિત છે.

GROUP-A

BACHELOR OF TECHNOLOGY [B.TECH.]

INTEGRATED PROGRAMMES

Master Of Science

Bachelor Of Science

GROUP-B 

INTEGRATED PROGRAMMES

Master Of Science

BACHELOR

 

 

ARTS

 

COMMERCE

Integrated Programmes

Other Bachelors Programmes at UTU

Bachelor Programmes in Designing

 

 

About UTU

Established under Gujarat Private University(Amendment) Act No. 25 – 2011 Government of Gujarat and approved under section 22 of UGC Act 1956

Location

Uka Tarsadia University Maliba Campus , Gopal Vidyanagar , Bardoli-Mahuva Road , Tarsadi – 394 350. Tal: Mahuva Dist: Surat Gujarat, INDIA

Helplines

6353030096, 6353033853

 

 

March 17, 2019
pub-1280x720.jpg
1min9610

જયેશ બ્રહ્મભટ્ટ

તા.15મી માર્ચ 2019ના રોજ બપોરે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં આવેલી બે મસ્જિદોમાં બ્રેન્ટન્ટ નામના માથાફરેલ હરામખોરે કરેલા ઓપન અને અંધાધૂંધ ફાયરીંગના વિડીયો તેમજ હુમલાખોરની હરકત જોતા પહેલો વિચાર એ જ આવે કે કોઇ વિડીયો ગેમ જોતા હોઇએ. હુમલાખોરે જે રીતે ફાયરિંગનો અંજામ આપ્યો અદ્દલ એ જ પ્રમાણે પબજી ગેમ્સ રમાડવામાં આવે છે. હાલમાં ભારત સમેત અનેક દેશોમાં જેના પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે એ પબજી ગેમ્સની તર્જ પર જ ન્યુઝીલેન્ડમાં મૂળ ઓસ્ટ્રેલિયન હુમલાખોર બ્રેન્ટને આડેધડ ફાયરીંગ કરીને 50 લોકોના ઢીમ ઢાળી દીધા છે.

હરામખોર હુમલાખોરને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો, આવી ક્રૂરતા પબજી ગેમ્સમાં જ દેખાડવામાં આવે છે

ન્યુઝીલેન્ડમાં જે રીતે હરામખોર બ્રેન્ટન પોતાની કાર લઇને નીકળે છે, પોતાના શરીર પર કેમેરાથી સોશ્યલ મિડીયામાં લાઇવ વિડીયો પ્રસારિત કરે છે, મ્યુઝિક સાંભળે છે, કારમાંથી બેફામ ફાયરિંગ કરે છે, કારની ડિકીમાં રાખવામાં આવેલી ત્રણ ગન્સને ચકાસે છે, હુમલા બ્રેન્ટન ટેરેન્ટ નામના 28 વર્ષની એક વ્યક્તિએ કર્યો છે જેને હુમલામાં કુલ પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો છે. હેડકૅમથી મળેલી તસવીરોમાં જોવા મળી શકે છે કે હુમલાખોર જેવો જ એક રૂમથી બીજા રૂમ તરફ આગળ વધે છે. તે લોકો પર નજીકથી ગોળીઓ વરસાવી રહ્યો છે. તેણે ઘાયલ પર ગોળીઓ વરસાવી છે.

હેમખેમ બચેલા લોકોએ શું જણાવ્યું

  • તેમના જણાવ્યા પ્રમાણે અંદાજે 20 મિનિટ સુધી આ ગોળીબાર ચાલ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
  • તેમણે જણાવ્યું, “હું એ વિચારતો હતો કે તેની પાસે જલદી ગોળીઓ ખતમ થઈ જાય.”
  • “હું ત્યાં કંઈ કરી શકું એમ ન હતો. માત્ર પ્રાર્થના કરતો રહ્યો અને રાહ જોતો હતો કે અલ્લાહ, આની ગોળીઓ ખતમ થઈ જાય.”
  • કથિત રીતે બંદૂકધારીએ મસ્જિદમાં પહેલાં પુરુષોનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો, જ્યારે ત્યારબાદ મહિલાઓનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો.
  • બીજા એક બચી ગયેલા પુરુષે જણાવ્યું કે લોકો બચવા માટે બારીઓ તોડીને ભાગ્યા હતા.
  • રેડિયો ન્યૂઝીલૅન્ડ સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી.”
  • “તેને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો. તે કોઈ જીવતું રહે તેમ ઇચ્છતો ન હતો.”
  • આ હુમલામાં બચી ગયેલા ફરીદ અહમદે કહ્યું કે તેઓ વ્હિલચેર પર હતા અને તેમને હજી જાણ નથી કે તેમનાં પત્ની જીવતાં છે કે નહીં.
  • તેમણે જણાવ્યું, “હું એક રૂમમાં હતો ત્યાંથી મેં જોયું કે એક યુવક એ રૂમમાં આવવા ગયો તો તેને પાછળના ભાગે ગોળી મારી દીધી. તે ત્યાં જ મરી ગયો.”

આ બધી ઘટનાઓને જોતા પ્રથમદર્શી નજરે જ જણાય આવે છે કે પબજી ગેમ્સમાં મોટા ભાગની સિક્વન્સ મળતી આવી રહી છે. હજુ એ વાત બહાર આવી નથી કે હુમલાખોરે પબજી ગેમ્સ રમી હતી કે નહીં અગર તો આડેધડ ગન ફાયરિંગનો વિચાર ક્યાંથી મેળવ્યો પરંતુ, આજે નહીં તો કાલે એ વાત ચોક્કસ બહાર આવશે કે કોઇકને કોઇ હિંસાત્મક ગેમ કે મૂવીમાંથી જ આવો વાહિયાત આઇડિયા ગુનેગાર મેળવી શકે છે.

હત્યાના આરોપમાં 28 વર્ષના બ્રેન્ટન ટેરન્ટને શનિવારે ક્રાઇસ્ટચર્ચની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકના વિસ્તારોમાંથી હુમલાખોરો સાથે સંપર્ક ધરાવતા વિસ્તારોમાં ત્રણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા પણ સામેલ છે. તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ તમામની પૂછપરછ થઇ રહી છે અને તેઓ આ આવા હિંસક પ્લાનને કેવી રીતે અંજામ આપ્યો તે પોલીસ શોધી રહી છે.

હકીકતમાં પબજી જેવી હિંસક ગેમ્સ કે ટેલિવિઝનના પ્રોગ્રામ્સમાંથી જ ગુનેગારોને ગુનો કરવા અંગેના આઇડિયા મળી રહેતા હોય છે. ભારતમાં એવા સંખ્યાબંધ ક્રાઇમ્સ પ્રકાશમાં આવ્યા છે જેમાં પકડાયેલા ગુનેગારોએ કબૂલાત કરી હતી કે તેણે ક્રાઇમ પેટ્રોલ કે તેના જેવી અન્ય ક્રાઇમ આધારિત ટેલિ સીરીયલ્સમાંથી જ યુક્તિ મેળવીને ગુનાને અંજામ આપ્યો હતો.

March 16, 2019
tejaswi.jpg
1min3413

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 16, 2019
Greta-Thunberg-.jpg
3min10260
  • સ્કુલમાં ગૂલ્લી મારીને ગ્રેટા ક્લાઇમેટ ચેન્જ અવેરનેસ કેમ્પેઇન ચલાવતી હતી
  • યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક ફોરમમાં લેક્ચર આપી આવી છે
  • પર્યાવરણ બચાવવા માટે 15 વર્ષની ઢબૂડી ગ્રેટાની મૂવમેન્ટને વિશ્વભરના લોકો સપોર્ટ કરી રહ્યા છે
  • 15 વર્ષની ઉંમરે સામાન્ય રીતે બાળકો દસમા ધોરણની પરીક્ષા આપતા હોય ત્યારે સ્વીડનની આ ઢબૂડી નોબલ પ્રાઇઝ માટે નોમિનેટ થઇ અને થોડા દિવસોમાં કદાચ પ્રાઇઝ હાંસલ પણ કરી લે

ગુજરાતમાં 12 લાખ જેટલા 15 વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે ધો.10ની પરીક્ષા આપી રહ્યા હતા એ માર્ચ 2019ના બીજા સપ્તાહમાં સ્વીડનની એક 15 વર્ષિય ગર્લ ગ્રેટા ને પર્યાવરણનો નોબલ પારિતોષિક એનાયત કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 15 વર્ષની આ ઢબૂડી ગ્રેટા સ્કુલમાં ગૂલ્લી મારીને સ્વીડનમાં જુદા જુદા સ્થળોએ ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ બચાવ માટેની જાગૃતિ ફેલાવવાનું કામ કરતી હતી. અનેક વખત તેમણે તેના સહધ્યાયીઓને ભણવાનું છોડાવીને રોડ પર દેખાવો યોજ્યા હતા. ગ્રેટા તેના સહધ્યાયીઓને સમજાવતી કે ભણવા કરતા મહત્વનું પર્યાવરણ છે, પર્યાવરણને બચાવીશું તો માનવીઓને બચાવી શકીશું. ગ્રેટા અત્યાર સુધી યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક ફોરમથી લઇને અનેક આંતર રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનોમાં સ્પીચ આપી આવી છે. તેની આ મૂવમેન્ટને વિશ્વભરના લોકો સપોર્ટ કરી રહ્યા છે.

પર્યાવરણ દિશામાં કામ કરતી સ્વીડનની 16 વર્ષીય ગ્રેટા થુનબર્ગ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. નોર્વેના ત્રણ સાંસદ દ્વારા ગ્રેટાનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયું છે.

ગ્રેટા અનેકવાર શાળા છોડીને સ્વિડીશ સંસદની બહાર બેસીને પર્યાવરણ બચાવવાની માંગને લઇને પ્રદર્શન કરી ચૂકી છે. ફ્રેડી આંડરે ઓવેસ્ટેગાર્ડ અને સોશિયાલિસ્ટ લેફ્ટ પાર્ટીના બે અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે, અમને લાગે છે કે ગ્રેટાએ જેવી રીતે પર્યાવરણ મુદ્દે આંદોલનનો સૂર છેડ્યો છે તે શાંતિ સ્થાપિત કરવા ખૂબ જ મોટું યોગદાન છે.

ગ્રેટાએ બાળકોને શાળા છોડીને જળવાયુ પરિવર્તનમાં ઝડપી કાર્યવાહની માંગ સંબંધી પ્રદર્શનોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રેટા થુનબર્ગ તાજેતરમાં પર્યાવરણ સુરક્ષા માટે યોગ્ય પગલા ન લેવાતા આંદોલન કરીને વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ગયા ફેબ્રુઆરી માસમાં ગ્રેટાએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને પર્યાવરણ સુરક્ષા મુદ્દે નક્કર પગલા લેવાની માંગ કરી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના શક્તિશાળી નેતાઓ પૈકી એક માનવામાં આવે છે. ગ્રેટા પણ એ જાણે છે અને તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પર્યાવરણ બચાવ ઝુંબેશ જાગૃતિ ફેલાવવામાં મદદ કરવા અપીલ કરી હતી

Climate Activist Greta Thunberg Has A Message For Narendra Modi

A 16-year-old climate activist, Greta Thunberg from Sweden, has asked world leaders not to ignore the impending consequences of runaway climate change. The young girl has a message for Prime Minister, Narendra Modi, and she mentioned it in a video by Brut India.

What is the movement about?

The Schools Strike for Climate is a global, growing movement of students demanding more action from authorities regarding global warming and climate change. The movement began last year as a solo protest by a 15-year-old Swedish girl Greta Thunberg outside the Swedish Parliament building. It has since grown, and on March 15, thousands of students from across continents are expected to skip school and take part in protests. It is said to be the largest such protest.

Who is Greta Thunberg?

Ninth-grade student Greta Thunberg, on August 20, 2018, decided to skip school that day and sat outside the Riksdag (Swedish Parliament) with the signSkolstrejk för klimatet (school strike for the climate). Spurred by the recent heatwave and wildfires in Sweden, Ms. Thunberg skipped school for the next three weeks and continued her protest outside Parliament, demanding that the Swedish government reduce carbon emissions per the Paris Agreement. On September 8, Ms. Thunberg decided to continue striking every Friday, leading to the hashtag #FridaysForFuture and #Climatestrike. She posted her protests on social media, which went viral and the movement spread as students started protesting outside their respective parliaments and town halls. In November 2018, Ms. Thunberg spoke at TEDxStockholm, the following month she addressed the United Nations Climate Change Conference. In January this year, she spoke at the World Economic Forum in Davos. On Thursday, she was nominated for a Nobel Peace Prize.

March 15, 2019
mehul_modi.jpg
1min18050

ભલે નરેન્દ્ર મોદી પાસે પી.એચડી.ની ડિગ્રી નહીં હોય પરંતુ, તેમની કામગીરી પર રિસર્ચ કરનાર સુરતના યુવાન વકીલ મેહુલ ચોક્સીએ તૈયાર કરેલા મહાનિબંધને સ્વીકારીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ જગતની સર્વોચ્ચ ડિગ્રી પી.એચડી. એનાયત કરી છે. વિશ્વમાં પહેલી વખત બનેલી ઘટનામાં શ્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિ પર પી.એચડી.ની ડિગ્રી એનાયત થઇ હોય.

નરેન્દ્ર મોદી પર પી.એચડી. કરનાર મેહુલભાઇ ચોક્સીએ સી.આઇ.એ.લાઇવ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે તા.19મી એપ્રિલ 2010ના રોજ તેમના પી.એચડી. પર સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. યુનિ.ના એમ.પી.એ. ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર શ્રી ડો.નિલેશ જોશી તેમના પી.એચડી.ગાઇડ હતા. તેમણે સરકારી સિસ્ટમમાં પોલિટીકલ લિડરની ભૂમિકા, યોજનાઓનું અમલીકરણ, ખાનગી લોકો સાથે લોકભાગીદારી વગેરે જેવા મુદ્દાઓને સાંકળી લઇને થીસીસ તૈયાર કરી હતી.

(નરેન્દ્ર મોદીના ગવર્નન્સ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પી.એચડી.ની ડિગ્રી એનાયત કરી છે)

સુરતના યુવાન ધારાશાસ્ત્રી મેહુલ ચોકસીએ જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેમનું પી.એચડી. શરૂ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા. જ્યારે તેમનું પી.એચડી. પૂરું થયું એટલે કે પી.એચડી. નોટિફિકેશન વીર નર્મદ યુનિવર્સિટીએ ઇશ્યું કર્યું ત્યારે એ તારીખ 13મી માર્ચ 2019ના રોજ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદે બિરાજી રહ્યા છે.

March 14, 2019
fraud.jpg
1min8150

અમરેલીમાં આવેલી પ્રતાપરાય કોલેજના સંજય દવે નામના પ્રોફેસર સામે સરકારી નોકરીની લાલચ આપીને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવડાવી રૂ. પાંચ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ગજવે ઘાલીને છેતરપીંડી કરી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવવામાં આવી છે. સંજય દવે ભાવનગરનાં ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મધુ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 111 બેરોજગાર યુવકો પાસેથી 5 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ઉસેટી લઈને છેતરપિંડી કર્યાની ફરીયાદને પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.

ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર તાલુકાના અગિયારી ગામમાં રહેતા કૌશિક જોશી એ નોંધાવેલી એફ.આઇ.આર.માં આક્ષેપ કર્યો છે કે અમરેલી કોલેજના અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાનું વચન આપી તેની પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. પણ ઘણાં મહિનાઓ સુધી કોઇ જ પ્રતિસાદ નહીં મળતા કૌશિકએ સંજય દવે પણ દબાણ વધાર્યું હતું. જેને પગલે પ્રો.સંજય દવેએ કૌશિક જોશીને એક ઉપજાવી કાઢેલો બોગસ અપૉઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.

બોગસ એપોઇન્ટમેન્ટ લેટરમાં કૌશિક જોશીને શ્રમ અને રોજગાર વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનો નિર્દેશ કરાયો છે.

ભાવનગર બી ડીવીઝન પોલીસ ને કૌશિક જોશીએ જણાવ્યુ કે લેટર અંગે તપાસ કરાતાં જાણવા મળ્યું કે એ લેટર સાવ બોગસ છે. વધુ તપાસ દરમિયાન એવી પણ સ્ફોટક વિગતો બહાર આવી કે સંજય દવેએ આ પ્રકારે જ સૌરાષ્ટ્રના અન્ય યુવકો સાથે પણ આ રીતે છેતરપિંડીં કરી છે. સૌરાષ્ટ્રના કુલ 111 યુવકો સાથે અધ્યાપક સંજય દવેએ છેતરપીંડી કરીને રૂપિયા ઉસેટી લીધાનું જણાય આવ્યું છે.

 

March 5, 2019
ann2.jpg
1min18640

દર વર્ષે બોર્ડ અને કોલેજોની પરીક્ષા સમયે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગે છે, કતાર દર્શન અને આશીર્વાદ માટે તો લાગે છે પરંતુ, અહીં પરંપરા કહો કે પોઝિટીવ વાઇબ્સ ગણો, પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરાયેલી બોલપેન મેળવવા માટે રીતસર કતાર લાગે છે. પ્રસ્તુત તસ્વીર તા.5મી માર્ચ 2019ના રોજ સાંજે 7 વાગ્યે લાગેલી કતારની છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ કહે છે કે બોર્ડની પરીક્ષા આડે હવે એક દિવસ બાકી હોઇ, મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે બોલપેનથી ઉત્તરવહી લખવાના હોય તે બોલપેન તેમજ અન્ય ટુલ્સ, કંપાસ વગેરે લઇને ગણપતિ દાદા પાસે આવે છે અને તેમના ચરણોનો સ્પર્શ કરાવીને અભિમંત્રિત કરાવે છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પરંતુ, ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરેલી આ વસ્તુઓથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હકારાત્મક લાગણી અનુભવાય તેમજ તેના પરીણામો ભૂતકાળમાં સારા મળ્યા છે એટલે પરંપરા દર વર્ષે આગળ વધી રહી છે.

અહીં પરીક્ષા પહેલા દર્શનાર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય રહેતો નથી, પોઝિટીવ વાઇબ્સની અનુભૂતિ સાથે વિદ્યાર્થીઓ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર પ્રશ્નપત્રો આપી શકે છે.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અભિમંત્રિત કરાવવા માટે તા.5મી માર્ચ 2019ની સાંજે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતાર લાગી હતી તે વેળાની તસ્વીર

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં પૂજારી શ્રી અંબિકા પ્રસાદ પરીક્ષાર્થીઓની બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરીને મંત્રોચ્ચાર કર્યા બાદ બોલપેન પરત આપે છે. આ જ્યારથી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો ત્યારથી ચાલી આવે છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.