યંગસ્ટર્સમાં કેટલી અપાર શક્તિ ભરેલી હોય છે અને યંગસ્ટર્સ ધારે તો શું ન કરી શકે તેનું જીવંત ઉદાહરણ બન્યો છે સુરતનો યંગસ્ટર રાહુલ દલાલ. આ સુરતી યુવાને 22 વર્ષની ઉંંમરે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યતી લેખાય રહી છે અને લેખાશે.
રાહુલ દલાલની ઉંમરના બીજા યંગસ્ટર્સને એક ડિગ્રી ભણતા ભણતા મોઢે ફીણ આવી જાય, ડચકાં ખાતા ખાતા એકાદ ડિગ્રી આવી જાય અને ભણવાનું પૂરું થઇ જાય. 85 ટકા યંગસ્ટર્સની આ હાલત હોય છે જેઓ ગ્રેજ્યુએશન કરે એટલે ભયો ભયો
રાહુલ દલાલ નામનો સુરતી યુવાન જે હાલમાં સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.વી.એન.આઇ.ટી.માં બી.ટેક. કેમિકલ બ્રાન્ચમાં ફાઇનલ ઇયરનું એન્જિનિયરિંગ ભણી ચૂક્યો છે. આ થઇ તેની પહેલી સિદ્ધિ.
રાહુલ દલાલની બીજી સિદ્ધિએ છે કે એન્જિનિયરિંગ ભણવાનું શરૂ કર્યું એટલે કે ધો.12 પાસ થયા પછી રાહુલ દલાલે સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી) કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને સુરતના જાણીતા સી.એ. કોચ રવિ છાવછરીયા પાસે કોચિંગ મેળવ્યું હતું અને હાલમાં એ સી.એ. ફાઇનલની પરીક્ષાનું પ્રિપેરેશન કરી રહ્યો છે.
એન્જિનિયરિંગ અભ્યાસ અને એ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે સી.એ. કોર્સમાં ફાઇનલ સુધી પહોંચી ચૂકેલા રાહુલ દલાલની ત્રીજા અદ્વિતિય સિદ્ધિ એ છે કે તેણે તાજેતરમાં આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આઇ.આઇ.એમ. કેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા આપી હતી અને તેમાં પણ 98.88 પર્સન્ટાઇલ મેળવીને અવ્વલ રહ્યો છે. રાહુલ દલાલને પહેલા જ પ્રયત્ને આઇ.આઇ.એમ. એ. એટલે કે અમદાવાદ આઇ.આઇ.એમ. કે જ્યાં મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે હજારો નહીં લાખો વિદ્યાર્થીઓનું સપનું સપનું જ બની રહી જાય છે.
આમ આ સુરતી યુવાને કોલેજ કાળમાં એક સાથે ત્રણ-ત્રણ અદ્વિતિય સિદ્ધિઓ મેળવી લીધી છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ
ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને
આઇ.આઇ.એમ.માં એમ.બી.એ.
સુરતના આ ટેક્નો-કમર્શિયલ યંગસ્ટરની સિદ્ધિઓ ભાગ્યે જ કોઇ તોડી શકશે અથવા તે અંગે વિચારી શકશે
રાહુલ દલાલને સી.એ.નું કોચિંગ આપનાર સુરતના જાણીતી સી.એ. કોચ રવિ છાવછરીયાએ તેમની વોલ પર રાહુલ માટેની પોસ્ટ આ મુજબ અક્ષરસઃ પોસ્ટ કરી હતી
Exceptional! Amazing! Brilliant!
Our student Rahul Dalal, studying CA Final and in last year of Chemical Engineering (SVNIT)..yes you read it right— CA parallel with engineering from last 4 years..
Now cracked CAT with 99.88 percentile and got admission into IIM A.
A true techno-commercial guy!
Many congratulations to Rahul Dalal and his family.
Surat’s youth are performing amazingly beautiful year after year in all spheres of education..and setting benchmarks.
આ વર્ષનો સૌથી સારું ઓપનિંગ મેળવનાર ‘કલંક’ ફિલ્મની કમાણીમાં બીજા દિવસે પ0 ટકાથી વધુ ગગડી છે. કરણ જોહરના પ્રોડકશન હાઉસની આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત જેવા ટોચના કલાકારોનો કાફલો છે. કલંક બુધવારે રીલિઝ થઇ હતી અને પહેલા દિવસે 22 કરોડનું બમ્પર ઓપનિંગ મળ્યું હતું. પણ ગુરુવારે બીજા દિવસે કલંકની કમાણી અરધા પર ઓછી થઇ હતી. શુક્રવારે પણ સવારના શોમાં કલંક જોવા પ્રેક્ષકો થિયેટરમાં બહુ ઓછી સંખ્યામાં આવ્યા હતા. પહેલા દિવસે 22 કરોડની કમાણી કરનાર કલંકનું બીજા દિવસનું કલેકશન 10.7પ કરોડ જ રહયું હતું. આ મલ્ટીસ્ટાર ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. પ્રેક્ષકોને આ ફિલ્મ માત્ર ભપકાદાર લાગી રહી છે. સ્ટોરીમાં દમ નથી. ફિલ્મની 2.48 મિનિટની લંબાઇ પણ કલંકને નડી રહી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને ઝીરોની જેમ કલંક’ ફલોપ તો સાબિત થશે નહીં, પણ સુપરહિટ પણ રહેશે નહીં.
ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.
મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.
વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.
અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.
સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.
QSR બ્રાન્ડ મેક્ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
એકેય સુરતી સિવિલ સર્વિસીઝ પાસ થયો નથી તેવું મહેણું ભાંગતો મૂળ સુરતમાં જ જન્મેલો કાર્તિક જીવાણી, સુરત સમેત ગુજરાતમાં યુપીએસસી ફાઇનલ્સ 2018માં સર્વપ્રથમ ક્રમે પાસ થયો
તા.5મી એપ્રિલ 2019ના રોજ યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઇનલ્સ 2018ના પરિણામે સુરતનું એ મહેણું દૂર કર્યું હતું કે 60 લાખથી વધુની વસતિ ધરાવતા સુરત શહેરમાંથી હજુ સુધી એકેય યુવક કે યુવતિ આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા નથી. જી હા, તા.5મી એપ્રિલે જાહેર થયેલા યુપીએસસી સિવિલ સર્વિસીઝ ફાઇનલ્સ 2018 પરીક્ષાના પરીણામમાં સુરતના વરાછા રોડનો એક યુવાન એન્જિનિયર નામે કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં 94 અને ગુજરાતમાં પહેલા રેન્કથી પાસ થઇને સનદી અધિકારી બન્યો છે.
આઇઆઇટી બોમ્બેથી મિકેનિકલ એન્જિનિયર બન્યા બાદ બીજી ટ્રાયલે કાર્તિક જીવાણીએ યુપીએસસી ક્લીયર કરી દીધી
કાર્તિક સુરતના વરાછાની પી પી સવાણી સ્કુલ અને એ પછી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલિંગ પૂરું કર્યું હતું. કાર્તિક જીવાણીએ એન્જિનિયરિંગમાં ઉચ્ચ શિક્ષણ આઈઆઇટી મુંબઈથી લીધું હતું. મેકૅનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બી.ટેક થયા બાદ કાર્તિક જીવાણીએ ગત 2017માં યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં એ ફેલ થયો હતો અને પછી પુનઃ 2018માં ફરીથી પરીક્ષા આપી હતી, જેનું પરીણામ સમગ્ર સુરત જ નહીં બલ્કે ગુજરાતને પણ ગૌરવ અપાવી રહ્યું છે.
હાર્દિકના પિતા વરાછા રોડ પર જીવાણી લેબોરેટરી ચલાવી રહ્યા છે. ડો.એન.ડી. જીવાણી વરાછા રોડ પર સારી શાખ ધરાવે છે, તેમના પુત્રની સિદ્ધિથી તેઓ અત્યંત ખુશી અનુભવી રહ્યા છે.
હજારો યંગસ્ટર્સ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. બનવાના સપનાઓ જોતા હોય છે પણ તેને પૂરા કરવાની આવે ત્યારે તેમનું પાણી મપાઇ જતું હોય છે. કાર્તિક જીવાણીની જેમ એવા યુવાનો જ આઇ.એ.એસ. બની શકે છે જેઓ બાકીનું બધું પડતું મૂકીને ફક્ત સિવિલ સર્વિસીઝને જ પ્રાયોરિટી કામ તરીકે હાથ પર લે.
કાર્તિક જીવાણીએ યુપીએસસીની સિવિલ સર્વિસીઝ ઉપરાંત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 3જો રેન્ક તેમજ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 101મો રેન્ક હાંસલ કર્યો છે.
સી.આઇ.એ. સાથે વાતચીત દરમિયાન કાર્તિક જીવાણીએ જણાવ્યું હતું કે તેણે આઇ.એ.એસ. અગર આઇ.પી.એસ. બ્રાન્ચ સિલેક્ટ કરી છે. બ્રાન્ચની સાથે સ્ટેટ (રાજ્ય)ની પસંદગી કરવાની હોય છે. તેમાં પણ ગુજરાતને પસંદ કરી છે.
સુરતના વરાછા રોડ સ્થિત બિનસરકારી સંસ્થાઓ જેવી કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, લોક સમર્પણ બ્લેડ બેંક, વરાછા કો.બેંક વગેરેના આગેવાનોએ તા.6 એપ્રિલના રોજ વરાછા સ્થિત લોકસમર્પણ બ્લડ બેંકના હોલમાં આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરનાર કાર્તિક જીવાણીનું જાહેર અભિવાદન કર્યું હતું, તે વેળાની તસ્વીર
યુપીએસસીએ શુક્રવારે જાહેર કરેલા સિવિલ સર્વિસીસની 2018ની અંતિમ પરીક્ષાના પરિણામમાં આઇઆઇટી બૉમ્બેનો બીટેકનો વિદ્યાર્થી કનિષ્ક કટારિયા પ્રથમ આવ્યો હતો. યુપીએસસીએ જણાવ્યું હતું કે કમિશને વિવિધ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ વગેરે સેવા માટે કુલ 759 ઉમેદવાર (577 પુરુષ અને 182 મહિલા)ની ભલામણ કરી હતી. કટારિયા અનુસૂચિત જાતિનો છે અને ગણિતને વૈકલ્પિક વિષય રાખીને ક્વૉલિફાઇ થયો હતો. તે બી.ટેક (કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)નો વિદ્યાર્થી છે.
ગુજરાતનું રિઝલ્ટ શું
UPSCની કમ્બાઈન્ડ સિવિલ સર્વિસિઝ એક્ઝામ (CCSE) 2018નું પરિણામ શુક્રવારે જાહેર થયું. ગુજરાતના 18 ઉમેદવારોએ UPSCની પરીક્ષા પાસ કરી છે અને એક પરીક્ષાર્થીએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. 2018માં ગુજરાતમાંથી 131 ઉમેદવારોએ યુપીએસસીની પ્રીલિમનરી પરીક્ષા પાસ કરી જેમાંથી 43 ગુજરાતી ઉમેદવારોએ એ યુપીએસસી સિવીલ સર્વિસીઝ મેઈન્સ પરીક્ષા પાસ કરી છે. ફાઈનલ સિલેક્શન અને રેન્ક નક્કી કરવા માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી એન્જિનયિરંગ સ્નાતક થયેલા કાર્તિક જીવાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય સાથે પરીક્ષા પાસ કરી અને યુપીએસસી ફાઇનલ્સમાં દેશભરમાં 94મો ક્રમાંક મેળવ્યો છે. કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ છે.
583મો ક્રમ મેળવનાર અલ્પેશ પંચાલ ભારતીય રેલવેમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરે છે. ઘાટલોડિયાનો રહેવાસી અને સુથારના દીકરા અલ્પેશે નોકરી કરતાં કરતાં જ પરીક્ષાની તૈયારી કરી. અલ્પેશે કહ્યું, “IIT બોમ્બેમાંથી મેં મિકેનિકલ એન્જિયરિંગની ડિગ્રી મેળવી અને બાદમાં સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. મને આશા છે કે હું IPS કે IRS કેડરમાં જોડાઉં.” બી. જે. મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવનાર ડૉ. મનોજ ભરતે 622મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવ્યો છે. ડૉ. મનોજે કહ્યું, ‘IPS કેડરમાં જોડાવાની આશા છે.’ શહેરના અન્ય એક ઉમેદવાર પિંકેશ પરમહંસે 685મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો.
પરિણામનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, 3 ઉમેદવારોએ પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી, બીજા પ્રયાસમાં પાંચ ઉમેદવારો અને ત્રીજા પ્રયાસમાં બે ઉમેદવારો પાસ થયા. 6 સફળ પરીક્ષાર્થીઓ 20થી 25 વર્ષની વયના છે અને એક 30થી વધુની ઉંમરનો છે. સ્પીપા (સરદાર પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)ના સૂત્રોના જણાવ્યા અનુસાર UPSCએ જાહેર કરેલી ખાલી જગ્યાની સંખ્યામાં ઘટાડો થયો છે તેમ છતાં ઈન્સ્ટીટ્યૂટનું પરિણામ ઊંચું આવ્યું છે. જાગૃતિ અને પરીક્ષાની ઉત્તમ તૈયારીના લીધે સારું પરિણામ પ્રાપ્ત થયું છે. 2017-18માં પાસ થનારા ઉમેદવારો 22 હતા. જ્યારે 2016-17માં આ આંકડો 19 હતો.”
ધો.12 કોઇપણ પ્રવાહ પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માટેનું પહેલું ચરણ ગણાતી સી.પી.ટી. (કોમન પ્રોફિશ્યન્સી ટેસ્ટ) જુન 2019માં બેસવા માટેના રજિસ્ટ્રેશન તા.4 એપ્રિલ 2019થી શરૂ થઇ ચૂક્યા છે. ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સી.એ. કોર્સ કરવો હોય તો સી.પી.ટી. માટે રજિસ્ટ્રેશન કરીને એ પરીક્ષા આપવી ફરજિયાત છે.
તા.30મી જૂન 2019ના રોજ લેવાનારી સી.પી.ટી. પ્રવેશ પરીક્ષાની સઘળી માહિતી નીચે મુજબ છે.
1. Last date for registration to CPT Course with BOS
30th June, 2017
2. Commencement of Online filling of CPT Examination Form
4th April, 2019 (10:00 A.M. IST)
3. Last date & time for Login Creation/New User Registration
02nd May, 2019 upto 5:30 P.M. (IST)
4. Last date & time for submitting the form and making payment without Late Fee through already created Login
24th April, 2019 upto 23:59 P.M. (IST)
5. Last date & time for filling the form and making payment with Late Fee through already created Login
02nd May, 2019 upto 23:59 P.M. (IST)
6. Last date for receipt of print out of online examination form duly filled up(PDF)
06th May, 2019
7. Date of CPT Examination
16th June, 2019 (Sunday)
8. Hosting of Correction Window -I [(without fee) will be available for one week from the date of hosting]
1st Week of May, 2019 (for one week) **
9. Hosting of Correction Window -II [(with fee) will be available upto 07th June, 2019]
4th Week of May, 2019 to 07th June, 2019. **
10. Likely date of declaration of result (icaiexam.icai.org)
હાલમાં ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે ધો.12 કોમર્સનું પરિણામ આવે અને કોલેજમાં પ્રવેશ કામગીરી શરૂ થાય ત્યારે સેંકડો નહીં હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે ચોઇશ ફિલિંગ કરવી એ સમજ પડતી નથી, ઘણાં વિદ્યાર્થીઓને તો યુનિવર્સિટીની કઇ વેબસાઇટ પરથી ફોર્મ ભરવું તે સમજ પડતી નથી હોતી, પ્રવેશ રાઉન્ડનું પરીણામ કેવી રીતે જોવું વગેરે અનેક સવાલો ઉપસ્થિત થાય છે.
ધો.12 કોમર્સ B.com, B.C.A. B.B.A. ના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પ્રવેશની દોડધામથી બચવું હોય તો હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવીને એડવાન્સમાં પ્રવેશનું આયોજન કરી શકશો
આવા સંજોગોમાં કોલેજોમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરાયા હોવા છતાં પ્રવેશાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાઇબર કાફેના સંકજામાં સપડાય છે. ખાસ કરીને વરાછા, કતારગામ, વેડરોડ, સુમુલડેરી રોડ, પૂણા, કુંભારીયા, કોસાડ, અમરોલી, કોટ વિસ્તાર, ઓલપાડ વિસ્તાર વગેરે વિસ્તારમાં તો કેટલાક સાઇબર કાફેમાં માત્ર ફોર્મ ભરવાના રૂ.1500થી રૂ.2000 સુધીનો ચાર્જ ચૂકવવો પડે છે.
ઓનલાઇન પ્રવેશ ફોર્મ જે કોલેજોના હેલ્પ સેન્ટર્સ પર બિલકુલ મફત ભરાય છે તેના પ્રવેશાર્થીઓ સાઇબર કાફેમાં રૂ.2-2 હજાર ચૂકવી આવતા હોય છે
જાણકારીના અભાવે માત્ર 15 મિનિટમાં જે ફોર્મ ઓનલાઇન ભરાય એ ફોર્મ ભરવાના વિદ્યાર્થીઓ રૂ.2000 સુધીની રકમ બિનજરુરી ચૂકવી આવે છે.
શહેરના અમરોલી ખાતે જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આ વખતના ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે નિશુક્લ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્ક ઓનલાઇન કાર્યરત છે. ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ માત્ર તેમની 8 જાણકારીઓ આપીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. અમરોલી કોલેજની હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાથી સંપૂર્ણપણે માહિતગાર કરશે, તેમના પ્રશ્નો, સમસ્યાઓ, ડાઉટ વગેરેનું પણ સમાધાન કરી આપશે. અને સૌથી મહત્વની વાત છે કે આ હેલ્પ ડેસ્કનો કોઇ જ ચાર્જ નથી.
અમરોલી કોલેજની આ હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવો અને કોલેજ પ્રવેશ માટે આગોતરી વ્યવસ્થા કરી નચિંત બનો
અમરોલી કોલેજના હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રોસ્પેક્ટસ, અમરોલી કોલેજની પરિચય પુસ્તિકા, કારકિર્દી માર્ગદર્શનની ગુજરાત સરકારની માહિતી પુસ્તિકા, બી.કોમ.માં શું ભણવાનું આવશે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ વગેરે માહિતી કોઇપણ વિદ્યાર્થી જોઇ શકશે. આ હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ હેલ્પલાઇન નંબર પણ આપ્યા છે. વિદ્યાર્થીઓ તેના પર કોલ કરીને પણ માહિતી મેળવી શકશે.
ટૂંકમાં અમરોલી કોલેજે ધો.12 કોમર્સ પછી કોલેજના પ્રવેશાર્થીઓ માટે શરૂ કરેલી હેલ્પ લાઇન સેંકડો વિદ્યાર્થીઓના સાઇબર કાફેમાં ઘસડાઇ જતા બિનજરૂરી રૂપિયા તો બચાવશે જ પરંતુ કોલેજ પ્રવેશ કાર્યવાહીનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરૂં પાડશે.
સામી ચૂંટણીએ પાટીદારોની વસતિ, વોટ, સમૃદ્ધિની પ્રચંડ શક્તિ હવે માં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી
તા.22મી માર્ચ 2019ના રોજ સુરતમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલએ સુરત કે દક્ષિણ ગુજરાતમાં ખોલડધામ ઉભું કરવાની કરેલી જાહેરાત બાદ પાટીદાર સમાજમાં જે રીતના વમળો સર્જાયા તેના પરથી લખી શકાય કે સુરત-સૌરાષ્ટ્રમાં (ઉત્તર ગુજરાત સિવાય)ના પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી જઇ રહી છે. પાટીદારોને પ્રચંડ શક્તિથી એટલા માટે પ્રયોજી રહ્યો છું કેમકે પાટીદારો વસતિ, સમૃદ્ધિ, વોટિંગ તમામ દ્રષ્ટીએ એક મોટી તાકાત છે અને તેનો સ્વીકાર કરવો જ પડે. સુરતમાં ખોડલધામના નરેશ પટેલ નવું ખોડલધામ ઉભું કરવાની કરેલી જાહેરાતે ગુજરાતના લાખો પાટીદારોને સામી ચૂંટણીએ પ્રભાવિત કરી મૂક્યા છે. નવું ખોડલધામ ઉભું કરવાના ન્યુઝ સોશ્યલ મિડીયામાં જે રીતે માઇલેજ મેળવી રહ્યા છે, તેની તર્જ પરથી એવું ગણિત માંડી શકાય કે પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામ નરેશ પટેલ કેમ્પ ભણી પ્રયાણ કરી રહી છે. પાટીદારોની પ્રચંડ શક્તિ યોગ્ય નેતૃત્વ શોધી રહી છે.
સુરતમાં ખોડલધામનું નવું સંકુલ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદાર મતોને ગુજરાતમાં પ્રભાવિત કર્યા, જો નરેશ પટેલ કોઇ રાજકીય પક્ષ કે સંગઠન સાથે સંકળાયેલા હોત તો ચૂંટણી પંચે તેમને આચારસંહિતા ભંગની નોટિસ જારી કરી હોત એ હદે તેમની જાહેરાતે પાટીદાર વોટબેંકને પ્રભાવિત કરી છે, પરંતુ, નરેશ પટેલ એક ધાર્મિક સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે ચૂંટણી પંચ તેમની આ જાહેરાતની સામે કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી
એક સમય એવો હતો કે પાટીદારોએ પાસ, પાટીદાર આંદોલનને તન, મન, ધનથી જબરદસ્ત સપોર્ટ કર્યો હતો. ભાજપા સાથે કે સરકાર સાથે સંકળાયેલા મોટા ગજાના પાટીદાર નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓએ પાસ અને પાટીદાર આંદોલનને છાના છપના પણ એવો સપોર્ટ કર્યો કે પાટીદાર અનામત આંદોલન ગુજરાતને ગણતરીની મિનીટોમાં ડિસ્ટર્બ કરી દેવાની તાકાત ધરાવતું હતું. પાટીદાર આંદોલનની નેતાગીરી જેના શિરે નાંખવામાં આવી હતી એ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા તેમજ અન્ય નેતાઓએ પાટીદારની પ્રચંડ શક્તિ, સંગઠનને જાળવવામાં સરીયામ નિષ્ફળતા મેળવી, તેમણે લોકપ્રિય નેતા બનવાની તક વેડફી નાંખી, હાર્દિક પટેલે લાખોની મેદની વચ્ચે અનેક વખત જાહેરાતો કરી કે આજીવન રાજનીતિમાં નહીં જાઉ, એ જ વિડીયો, એ જ ભાષણો ફરીથી પ્રસરાવીને હવે પાટીદારો તેને સમાજનો ગદ્દાર ચિતરીને એ જ્યાં જઇ રહ્યો છે ત્યાં તેનો સખત વિરોધ કરી રહ્યા છે. અલ્પેશ કથિરીયા લિગર પ્રોસિડિંગ્સમાં એવો ફસાયો છે કે હવે તે સમાજને નેતૃત્વ આપી શકે તેમ નથી.
દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદારોને ચૂંટણીના સમયે પ્રભાવિત કર્યા
આવી સ્થિતિમાં છેલ્લા વીસેક દિવસથી ગુજરાત પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી એકત્રિત અને સંગઠિત થઇ રહી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ નરેશ પટેલ અને તેમના પુત્ર પૈકી જે તૈયાર થાય તેને જ્યાંથી ટિકીટ માંગે ત્યાંથી આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. એનું કારણ એ જ છે કે બન્ને રાજકીય પક્ષોએ જાણી ચૂક્યા છે કે હવે પાટીદાર આંદોલન તો વેરણછેરણ થઇ રહ્યું છે પરંતુ, પાટીદારોની મોટા ભાગની વસતિ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓની જે તાકાત છે પછી એ વોટિંગની હોય કે સમૃદ્ધિની હોય, જે પક્ષની સાથે હશે એ ગુજરાતની 26 બેઠકો પૈકી 10 બેઠકોને તો પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
પાટીદાર શક્તિ-સંગઠનને પરિપક્વ નેતાગીરીની આવશ્યકતા
ગુજરાતમાં પાટીદારો પાસે વસતિ, મતદાર, સમૃદ્ધિ, જ્ઞાન, યુવાધન જેવી શક્તિઓ ધરબાયને પડી છે એ જોતા હાલમાં પાટીદારોને એકસૂત્રતાથી જાળવી રાખે, પાટીદાર સંગઠનને યોગ્ય દિશા આપે તેવા નેતૃત્વની જરૂરીયાત છે. પાટીદારોને અનામત માટે શરુ થયેલી ચળવળમાં હવે અનામતનો મૂળભૂત હેતુ જ રહ્યો નથી, એટલે પાટીદારોનું બનેલું સંગઠન હવે એવી નેતાગીરી ઝંખી રહ્યું છે કે જે સામાજિક રીતે પાટીદારોને એકસૂત્રતામાં જાળવી રાખીને તેમની પ્રગતિ કરી શકે. હાલમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સિવાય અન્ય કોઇ નેતા દેખાતા નથી કે જે પાટીદારોની શક્તિને દિશા આપી શકે. પાટીદારોની આ શક્તિને એક પરિપક્વન નેતાની તાતી જરૂરીયાત વર્તાય રહી છે.
હાર્દિક પટેલ કે અલ્પેશ કથિરીયા કે પાસ પાટીદારોની પ્રચંડ શક્તિને દિશા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા
સુરત કે દક્ષિણ ગુજરાતમાં પણ હવે ખોડલધામ નિર્માણ કરાશે : નરેશ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે કાગવડ બાદ સુરતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવશે. મંદિરના નિર્માણને લઈને સુરતમાં બારડોલી, વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી મિંટિંગો યોજી હતી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકના ન્યુઝ સોશ્યલ મિડીયામાં એટલા વાઇરલ થયા અને મોટા ભાગે પાટીદાર વસતિને સામી ચૂંટણીએ ભારે પ્રભાવિત કરી હતી.
ખોડલધામ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની કૃષિ વિશેના જ્ઞાનમાં વધારો કરવા કૃષિ યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ શિક્ષણ માટેના અનેક પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેના નિર્માણની શરુઆત થોડા સમયમાં જ થઈ શકે છે. આ પ્રોજેક્ટને લઈને જ સમિતિ દ્વારા વિવિધ બેઠકો કરવામાં આવી રહી છે.
સુરતનાં પ્રમુખ કે.કે. કથીરિયાએ કહ્યું હતું કે, ખોડલધામના નિર્માણ અને અન્ય પ્રોજેક્ટને લઈને ખોડલ ધામના ટ્રસ્ટી મંડળે સુરતના લેઉઆ પટેલ આગેવાનો સાથે વાતચીત કરી હતી અને આ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કાગવડ ખોડલધામ બનાવવાની શરુઆત 2012મા કરવામાં આવી હતી અને ત્યારબાદ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. કાગવડ ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમાજની ઈચ્છા અને યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. કહેવાય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લગભગ 60 કરોડના ખર્ચે માં ખોડીયારનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં માં ખોડલ સિવાય 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. હોય કે પછી કોઇપણ સ્ટેટ બોર્ડમાંથી ધો.10ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ એ જ થતી હોય છે કે ધો.11-12 કયા ક્ષેત્રમાંથી કરવું જોઇએ.
આ અંગે ઝીણવટભરી માહિતી સામાન્ય લોકોને મળે તે માટે ન્યુઝ પોર્ટલ ખબર છે ડોટ કોમ સાથે શિક્ષણ સર્વદાએ કારકિર્દી માર્ગદર્શનની સિરીઝ શરૂ કરી છે. અહીં પ્રસ્તુત છે ધો.10 પછી શું કરવું તે અંગેનું માર્ગદર્શન
એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર આધારિત આમીર ખાનની સુપ્રસિદ્ધ ફિલ્મ થ્રી ઇડિયટમાં એક દ્રશ્ય એ છે કે ત્રણ મિત્રો આમંત્રિત ન હોવા છતાં કોલેજના ડાયરેક્ટરની પુત્રીના લગ્નમાં જમવા માટે પહોંચી જાય છે. ફિલ્મમાં આ સીન જોવાની બહુ મજા આવે, મનોરંજક લાગે પણ કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NIT ની હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને તેમની આસપાસના વિસ્તારોમાં થતાં લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જાય છે, આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને સમાજમાંથી ગંભીર ફરીયાદો ઉઠતાં કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NITના મેનેજમેન્ટએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક નોટીસ જારી કરવી પડી છે કે જો હવે પછી તેઓ અજાણ્યાના લગ્નસમારોહમાં, વિના આમંત્રણે જમવા માટે પહોંચી ગયેલા જણાશે, પકડાશે તો તેમની સામે આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
કુરુક્ષેત્ર એન.આઇ.ટી.ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ વોર્ડનએ આ પ્રકારે નોટિસ પાઠવવી પડી છે.
કુરુક્ષેત્ર NITના ચીફ વોર્ડનએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોગ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે વિના આમંત્રણે, ભળતા લોકોના લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જવું એ કોઇ મજાક નથી પણ સિદ્ધાંતો વિરુદ્ધની અને અનૈતિક વાત છે અને એ સંપૂર્ણ અસામાજિક વર્તન છે. સાંખી નહીં લેવાય એવી હરકત કરવાનું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બંધ નહીં કરે તો આકરાં પગલાં માટે તૈયાર રહે.
કુરુક્ષેત્ર NITના વિદ્યાર્થીઓ થ્રી ઇડિયટ મૂવીના સીન પરથી પ્રેરણા લઇને હોસ્ટેલનું બીબાંઢાળ ખાવાનું છોડીને હોસ્ટેલની આસપાસના પાર્ટી પ્લોટ્સમાં યોજાઇ રહેલા લગ્ન સમારોહમાં બિન બુલાયે મહેમાનની જેમ જમવા માટે પહોંચી જાય છે. અનેક વખત આ પ્રકારે કુરુક્ષેત્ર એન.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને લગ્ન આયોજકોએ તેમની ફરીયાદો પણ કરતા કુરુક્ષેત્ર NITનું મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.