વાયરલ Archives - Page 81 of 82 - CIA Live

October 26, 2018
rahul.jpg
1min5050

સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો.

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સમેત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા અને અંદાજે 50 મિનિટ જેટલા સમય માટે અટકાયતમાં રાખીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

New Delhi: Congress President Rahul Gandhi holds a cutout of a fighter aircraft during a protest demanding the reinstatement of CBI Director Alok Verma outside the CBI headquarters, in New Delhi, Friday, Oct 26, 2018. (PTI Photo/Arun Sharma) (PTI10_26_2018_000032B)
October 20, 2018
socialmedia.png
1min22150

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.19 ઓક્ટોબર 2018ના રોજ સુરત કલેક્ટર પદે ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયા છોડ્યાના રિપોર્ટ પહેલા વહેલા રજૂ કર્યા ત્યારે કહ્યું હતું કે સુરત કલેક્ટરે શરૂ કરેલો આ ટ્રેન્ડ વાઇરલ થશે અને થયું પણ એવું જ. સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલાને ચોમેરથી આવકાર મળ્યો અને અનેક લોકોએ પોતાના કલાકો વેડફી નાંખતા સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે મન બનાવી લીધા હોવાના ફિડબેક મળી રહ્યા છે.

સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા

આજે સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલે સુરત કલેક્ટર બેડામાં ફરજ બજાવતા 5 ડેપ્યુટી કલેક્ટર્સ ( પ્રાંત અધિકારીઓ)એ પણ સોશ્યલ મિડીયાથી દૂર રહેવાના નિર્ણયનો અમલ કર્યો છે. સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા હતા. મિડીયા ગ્રુપ સમેત કર્મચારીઓ, અધિકારીઓ, સોશ્યલ ગ્રુપ તમામમાંથી આ અધિકારીઓ ફટાફટ લેફ્ટ થયા હતા.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવાનો આ ટ્રેન્ડ સામાન્ય કર્મચારીઓથી લઇને નાયબ મામલતદાર અને મામલતદારોમાં પણ ચર્ચાસ્પદ રહ્યો છે અને આગામી દિવસોમાં સુરત કલેક્ટરેટના વધુ કર્મચારીઓ સોશ્યલ મિડીયાને રામ રામ કરી દે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

October 19, 2018
drdhaval.jpg
1min140690

Jayesh Brahmbhatt 98253 44944

સુરત કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા ડો. ધવલ પટેલે આજે તેમના સહકર્મચારીઓ તેમજ સહ અધિકારીઓને એક છેલ્લો મેસેજ (સોશ્યલ મિડીયા પર) આપીને અચરજમાં મૂકી દીધા હતા. ડો. ધવલ પટેલે કરેલા મેસેજનો સાર એ હતો કે તેઓ હવેથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાને કાયમ માટે તિલાંજલી આપી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન યુઝ કરશે, તેના પર ફોન કોલ કરીને, મેસેજ કરીને અગર તો ઇમેલ થકી તેમને (ડો. ધવલ પટેલનો) સંપર્ક કરી શકાશે.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ

સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે

પોતાના સહકર્મચારીઓ અને સહઅધિકારીઓને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે પાઠવેલો આ મેસેજ જોતજોતામાં એટલો વાઇરલ થયો કે ન પૂછો વાત. બુદ્ધિજીવીઓથી લઇને સરકારી અધિકારીઓમાં આજે તા.19મી ઓક્ટોબર 2018ની સાંજથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મોટા ભાગના અધિકારીઓનું કહેવું હતું કે આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે શરૂ કરેલો ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન સામાજિક સમસ્યાઓના સૌથી મોટા પરીબળ તરીકે ઉપસી રહ્યા છે.

(આ હતો સુરત કલેક્ટરનો તેમના સહકર્મચારીઓ, અધિકારીઓને અંતિમ સ્માર્ટ ફોન મેસેજ)

સનદી અધિકારી ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયા પર એક્ટીવ નહીં રહેવા પાછળ તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. ભલે તેઓ અંગત કારણથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી પરહેઝ રાખશે. પણ હવે પછી તેમણે શરૂ કરેલો આ ટ્રેન્ડ સેંકડો નહીં પણ હજારો લોકો અપનાવતા થશે અને એટલે જ સી.આઇ.એ. લાઇવ વેબ પણ કહે છે કે ડો.ધવલ પટેલ શરૂ કરેલો આ ટ્રેન્ડ દૂર તક જાયેગા.

અનેક બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થઇ રહ્યા છે. સમાજના અનેક લોકો પ્રભાવશાળી વ્યક્તિઓનો ફોલો કરતા હોય છે. કોઇ સનદી અધિકારી, આઇ.એ.એસ. ઓફિસર જ્યારે સ્માર્ટ ફોને સોશ્યલ મિડીયા વગર સરળતાથી જીવી જાણતો હોય તો પછી સામાન્ય વ્યક્તિઓ તો સરળતાથી તેના વગર રહી શક્શે. અને એટલે જ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે એમાં બે મત નથી.

  • ખુદ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ દિવસમાં 25 મિનીટ પણ ફેસબુક પર હોતા નથી જ્યારે ભારતમાં લાખો નહીં પણ કરોડો લોકો દિવસમાં 4થી 6 કલાક ફેસબુક કે વ્હોટ્સએપ પર ચોંટેલા રહે છે
  • યુથ આઇકોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રીલાયન્સના મુકેશ અંબાણીને ક્યારેય કોઇએ સ્માર્ટ ફોન પર વાત કરતા કે ચેટ કરતા જોયા નહીં હોય
  • જાણકારો કહે છે કે સોશ્યલ મિડીયાથી જો વ્યક્તિ દૂર રહે તો તેની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવીટીમાં ખાસ્સો વધારો થઇ શકે
  • ભારતમાં અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આવી જાય જો બહુમતિ લોકો સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ કરે.
  • સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ એક પરિવારમાં માસિક રૂ.એક હજારથી ત્રણ હજારની બચત કરાવી શકે
October 19, 2018
Modi_Shirdi2.jpg
1min12320
  • નરેન્દ્ર મોદી શિરડી સાઇબાબાના દરબારમાં પહોંચ્યા
  • સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ
  • સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાનો અવસર
  • વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી

મહારાષ્ટ્રના અહમદનગરમાં સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવા અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19મી ઓક્ટોબર 2018ને શુક્રવારનાર રોજ શિરડી પહોંચ્યા હતા.

સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ઉજવણી-મહોત્સવના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીએ સાઇબાબા મંદિરમાં જઇને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યુ હતું.

વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ઓક્ટોબરમાં શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે પીએમનો કાફલો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપનાર સ્થાનિક મહિલા કાર્યકર્તા તૃપ્તી દેસાઈની પોલીસે અટક કરી હતી. ભૂમાત્મા રણરાગિણી સેનાની અધ્યક્ષ તૃપ્તી દેસાઈ સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓના પ્રવેશના મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

October 15, 2018
swine_flu1.jpg
1min5870

રાજ્યમાં એક તરફ નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લૂના રોગચાળાએ પોતાનો કેર યથાવત્ રાખ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 1374 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પે.માં 584 કેસ છે.

તા.13મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 36 કેસ નોંધાયા જેમાં અમદાવાદ કોર્પો. ખાતે 12, સુરત કોર્પો. અને કચ્છ ખાતે 4-4, ગાંધીનગર ખાતે 3, ભાવનગર ખાતે 2, વડોદરા, મહેસાણા, અમદાવાદ, રાજકોટ, આણંદ, અમરેલી, જામનગર અને નવસારી ખાતે 1-1 સ્વાઇન ફ્લૂના કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂને કારણે આજ સુધીમાં કુલ 36 દર્દીઓનાં મૃત્યુ નોંધાયાં છે. જો કે સદ્નસીબે આજે સ્વાઇન ફ્લૂને કારણે વધુ કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કુલ મૃત્યુઆંક 36 જાહેર થયો તેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પો.માં 15 મહેસાણામાં 3, રાજકોટ 2, બનાસકાંઠા 1, અરવલ્લી 2, પાટણ 2, સુરત 3, ખેડા 1, ગીર સોમનાથ 2 અને અન્ય જિલ્લા અને કોર્પોરેશન મળીને 4નો સમાવેશ છે.

October 8, 2018
fisherman.jpg
1min11500

અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો-પ્રેશર એરિયા સર્જાશે અને તેને કારણે દરિયો વધુ તોફાની બનવાનો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યારે પોરબંદર અને જાફરાબાદના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને તેને સંલગ્ન લક્ષદ્વીપમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને નોર્થ-વેસ્ટ દિશામાં આગળ વધશે અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ આગામી 12 કલાક પછી તે ઓમાન તરફ આગળ વધશે તેમ જણાઈ રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાનારું વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પ્રબળ શક્યતા હોવાના કારણે ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ એકાદ દિવસમાં આ અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.

વેરાવળના પ્રતિનિધિના અહેવાલ મુજબ બપોરે હવામાન ખાતાની સુચના બાદ 1 નંબરનું ભયસૂચક સિગ્નલ ચડાવવામાં આવ્યુછે. અરબી સમુદ્રની મધ્યે હવાનું દબાણ સર્જાયું હોય આમ કરાયું છે.

September 29, 2018
flipkart-amazon-1280x720.jpg
1min8320

Jayesh Brahmbhatt  98253 44944

  • બે કરોડ લોકો વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરશે
  • ત્રણ અબજ ડોલરનું વેચાણ થશે

ઓનલાઇન શોપર્સની વધી રહેલી સંખ્યા અને તેમાં પણ આગામી નવરાત્રી અને દિવાળીના ફેસ્ટીવલ્સને ધ્યાનમાં રાખીને અમેઝોન અને ફ્લીપકાર્ટે ઓનલાઇન શોપિંગ બિઝનેસમાં નેવર બીફોર ઓફર્સ સાથે આગામી નવરાત્રી દરિમયાન મેગા ફેસ્ટિવલ સેલ લોંચ કરશે. જુદી જુદી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી દિવાળી સુધીમાં અંદાજે 2 કરોડ લોકો 3 અબજ ડોલરની જંગી રકમની ખરીદી કરશે. આ ફેસ્ટિવલ સેલમાં બન્ને શોપિંગ સાઇટ્સ નેવર બીફોર પ્રાઇસની ટેગલાઇન સાથે મોબાઇલ, ગારમેન્ટસ, પરફ્યુમ્સ, હોમએપ્લાયન્સીઝ, ફુટવેયર્સથી લઇને ઇમ્પોર્ટેડ ફુડ સપ્લીમેન્ટસ વગેરે ચીજવસ્તુઓનું વેચાણ કરશે.

  • એમેઝોન ઇન્ડિયા 10-15 ઓક્ટોબર ફેસ્ટિવ સેલ
  • ફ્લિપકાર્ટ પણ 10-14 ઓક્ટોબર ‘ધી બિગ બિલિયન ડેઝ’ નામનો ફેસ્ટિવ સેલ
  • શોપક્લૂઝ જેવી નાની કંપનીઓએ પણ 10 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સેલની જાહેરાત કરી છે અને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ, કિચન, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ કેટેગરીમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોનને આ વખતની તહેવારની સીઝનમાં મજબૂત વૃદ્ધિનો વિશ્વાસ છે. ખાસ તો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી મળી રહેલા નવા ગ્રાહકો તેમજ વિવિધતાસભર પ્રોડક્ટ્સ અને અગ્રણી બ્રાન્ડ્સ ઉપલબ્ધ હોવાથી વેચાણ વધવાનો કંપનીને આશાવાદ છે.

ભારતમાં ફ્લિપકાર્ટ સાથે ગળાકાપ સ્પર્ધા કરતી એમેઝોન ઇન્ડિયા 10-15 ઓક્ટોબર દરમિયાન તેનો ફેસ્ટિવ સેલ યોજશે અને ગ્રાહકોને આકર્ષવા માટે તગડાં ડિસ્કાઉન્ટની ઓફર કરશે. વોલમાર્ટ દ્વારા ખરીદવામાં આવેલી ફ્લિપકાર્ટ પણ 10-14 ઓક્ટોબર દરમિયાન તેનો ‘ધી બિગ બિલિયન ડેઝ’ નામનો ફેસ્ટિવ સેલ યોજવાની છે.

70 ટકાથી પણ વધારે નવા ગ્રાહકો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી આવવાની ધારણા છે.” એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

વનપ્લસ, શાઓમી અને સેમસંગ જેવી મોટી બ્રાન્ડ્સ તેમજ અન્ય પ્રોડક્ટ કેટેગરીની બ્રાન્ડ્સ પણ તેમની પ્રોડક્ટ્સ આ સેલ દરમિયાન વેચવાની તૈયારી કરી રહી છે. કયા સેગમેન્ટ મહત્તમ વૃદ્ધિ કરશે તેવા સવાલના જવાબમાં તિવારીએ જણાવ્યું હતું કે, “પ્રત્યેક કેટેગરી સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે અને મોટા ભાગની કેટેગરીમાં 10 ગણી વૃદ્ધિ થવાનો અંદાજ છે.

અમને અંદાજ છે કે, મોબાઇલ ફોન, ફેશન અને લાર્જ એપ્લાયન્સિસ કેટેગરીનું પ્રદર્શન ઘણું સારું રહેશે.” એક અંદાજ છે કે, ચાલુ ઓક્ટોબર મહિનાના મધ્યમાં શરૂ થનાર ફેસ્ટિવ સેલ દરમિયાન લગભગ બે કરોડ લોકો વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરશે, એટલે ત્રણ અબજ ડોલરનું વેચાણ થઈ શકે છે.

શોપક્લૂઝ જેવી નાની કંપનીઓએ પણ 10 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સેલની જાહેરાત કરી છે અને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ, કિચન, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ કેટેગરીમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

September 20, 2018
hardik_jindal.jpg
1min5350

જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે

hardik patel

ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ કરનાર  હાર્દિક પટેલ હવે  ટ્રિટમેન્ટ માટે બેંગાલુરુ પહોંચ્યો છે. બેંગાલુરુની જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બેંગાલુરુની આ એ જ જિંદાલ નેચરલ કેર સેન્ટર છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ નેચરોપથીની સારવાર મેળવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા સિનિયર નેતાઓ પણ પોતાની હેલ્થ સાચવવા આ નેચરલ કેર સેન્ટરના દર્દી બન્યા છે. હાર્દિક પટેલ  28 તારીખ સુધી આ સેન્ટરમાં ટ્રિટમેન્ટ લેશે. ત્યારબાદ પરત ગુજરાત ફરશે.

September 12, 2018
hardik-1.jpg
1min10000

cialive@yahoo.com

ગુજરાતમાં મોટો નેતા જેને કહેવાય રહ્યો હતો એ હાર્દિક પટેલએ આમરણાંત ઉપવાસ છોડીને હવે જીવતા જીવત સરકાર સામે લડત આપવાના નિર્ધાર સાથે મોટો યુટર્ન લીધો છે. પહેલો યુ ટર્ન એકેય માંગણી સંતોષાયા વગર જ ઉપવાસનું આંદોલન સમેટી લઇને પારણા કરવા અંગેનો છે. બીજો યુ ટર્ન રાજનીતિના રવાડે ચઢી ગયેલા હાર્દિક પટેલેને હવે સમાજ અને સામાજિક પરિબળનું જ્ઞાન લાદ્યું છે. હવે સમાજને સાથે રાખીને રાજનીતિક નહીં સામાજિક લડાઇ લડશે.

આજે તા.12મી સપ્ટેમ્બરના રોજ ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખોએ હાર્દિક પટેલને પારણા કરાવવાનો નિર્ણય કર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નેરશ પટેલ રાજકોટથી અમદાવાદ પહોંચી રહ્યા છે. સોલા ઉમિયા ટ્રસ્ટ ખાતે પાટિદારોની છ મુખ્ય સંસ્થાના અગ્રણીઓની બેઠક યોજાશે જેમાં લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને તેઓ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને ચર્ચા કરશે.

Hardik Patel’s tweet

 

આવી જાહેરાત પત્રકાર પરિષદમાં કરવી પડી

પાસનાં નેતા મનોજ પનારાએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, હાર્દિક 18 દિવસથી ઉપવાસ પર છે પરંતુ સરકારે એક વાર પણ અમારી સામે જોયું નથી. સરકારને હાર્દિક પટેલનાં ઉપવાસ નથી દેખાઈ રહ્યાં. સરકાર તો ઈચ્છે જ છે કે હાર્દિક પટેલ પહેલા જેવો લડવૈયો ન રહે અને તે મરી જાય પરંતુ હાર્દિકે જીવવાનું છે સરકાર સામે હજી વધારે લડત આપવા માટે. ઉપવાસને કારણે હાર્દિક ખૂબ બિમાર થઈ ગયો છે અમને અમારો સિંહ જેવો હાર્દિક પાછો જોઈએ છે. જેથી અમારા સમાજનાં વડીલો અને સંસ્થાનાં અગ્રણીઓનાં કહેવાથી આજે બપોરે ત્રણ વાગે અમે હાર્દિકનાં પારણા કરાવશું.

ઉપવાસ કે આંદોલન પરીણામ વિહીન કેમ

ઇતિહાસ કરે છે કે કોઇપણ આમરણાંત ઉપવાસની સફળતાનો આધાર નિયત પર નિર્ભર રહેલો હોય છે. ખરેખર પાટીદાર સમાજને કે ખેડૂતને ફાયદા કરવાની નિયત સાથે ઉપવાસ કરાયા હોત તો અવશ્ય પરિણામ મળ્યું હોત. ભૂતકાળમાં અણ્ણા હજારે કે અન્યોએ જ્યારે જ્યારે ઉપવાસી આંદોલન કર્યા ત્યારે તેમની નિયત કોઇ સરકારને પાડી દેવાની કે કોઇ રાજકીય નેતાને બતાવી દેવાની ન હતી. પ્રજાહિત પ્રાયોરિટીમાં હોય ત્યારે મૃત્યુંનો ડર શેનો, આવી નિષ્ઠા હોય તો કયું આંદોલન બૂમરેંગ થાય

હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું શસ્ત્ર અન્ય કોઇને ભલે ફળ્યું ન હોય પણ રાજ્ય સરકારને તો ફળ્યું જ છે.  હાર્દિક પટેલ અેન્ડ કંપનીની વાત માની લઇએ કે રાજ્ય સરકાર અન્યાયી છે, જુલમકારી છે, પણ આમરણાંત ઉપવાસમાંથી પીછેહઠ કરીને ખુદ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એ વાતની પ્રતીતિ કરાવી દીધી છે સરકારનું સ્ટેન્ડ મક્કમ હતું, છે અને હવે રહેશે. હાર્દિક પટેલ એન્ડ કંપનીએ હવે રાજ્ય સરકાર સામે લડવા માટે આમરણાંત ઉપવાસથી મોટું શસ્ત્ર શોધવું પડશે.

 

 

You can find on Google Play store too

September 8, 2018
hardik1.jpg
1min37840

cialive@yahoo.com

પાસ નેતા હાર્દિક પટેલની માગણીઓ પરત્વે છેલ્લા 14 દિવસથી ચાલી આવેલા શ્રેણીબદ્ધ ઘટનાક્રમો બાદ છેવટે રાજ્ય સરકાર તેના સ્ટેન્ડ પર અટલ રહી હતી અને આમરણાંત ઉપવાસ જેવા આત્યાંતિક અને અંતિમ શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીના ફાળે કશું જ આવ્યું નહીં. કોઇએ પારણા કરાવ્યા નહીં અને પોતાની મરજીથી હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે. ગુજરાત સરકારની આ મોરલ વિક્ટરી છે. રાજ્ય સરકારનું સ્ટેન્ડ પહેલેથી જ એવું રહ્યું હાર્દિક પટેલને સહેજ પણ ભાવ આપવો નહીં અને છેલ્લે સુધી હાર્દિક પટેલને સરકારે ભાવ આપ્યો જ નહીં.

અગાઉ મહારાષ્ટ્રમાં અણ્ણા હજારેએ આમરણાંત ઉપવાસ કરીને અનેક વખત રાજ્ય સરકારને ઝુકાવી હતી પરંતુ, ગુજરાતમાં હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું મોડ્યુલ કહો કે બ્રહ્માસ્ત્ર નિષ્ફળ નિવડ્યું છે. કોઇપણ અહિંસક લડતમાં આરણાંત ઉપવાસને અંતિમ શસ્ત્ર માનવામાં આવે છે પરંતુ, હાર્દિક પટેલ માટે આ શસ્ત્ર ફળદાયી નિવડ્યું નથી. બબ્બે વખત જળત્યાગ કર્યા પછી પણ હાર્દિક પટેલની ચીમકીને સરકારે રાબેતા મુજબ સિરીયસલી લીધી નહીં. છેલ્લે 24 કલાકનું અલ્ટીમેટમ આપવું પડ્યું. અલ્ટીમેટમ આપ્યા પછી પણ રાજ્ય સરકાર પોતાના સ્ટેન્ડ પર અફર રહી હતી. છેલ્લે ખોડલ ટ્રસ્ટના નરેશ પટેલને મળવાની ઔપચારિકતાઓ પછી હાર્દિક પટેલને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો. રાજ્ય સરકારે આમાં પણ કોઇ જબરદસ્તી કરી નહીં. ઉલ્ટાનું પોલીસ અધિકારીએ હાર્દિક પટેલને હોસ્પિટલ દાખલ કરવા માટે પહેલા સામેથી લેખિત સંમતિ અને મરજી પત્ર માંગ્યો. રાજ્ય સરકાર માટે આ મોરલ વિક્ટરી એટલા માટે છે કે જો અહીં રાજ્ય સરકાર ઝુકી ગઇ હોત તો સામી ચૂંટણીએ ગુજરાતમાં ભાજપા માટે આકરાં ચઢાણો ચઢવાનો વારો આવ્યો હોત. હાર્દિક પટેલ એન્ડ કંપનીને જો આવો નૈતિક વિજય મળ્યો હોત તો પાટીદાર આંદોલનની સિકલ આજથી જ બદલાઇ જવા પામી હોત.

ઉપવાસના ૧૪મા દિવસે પણ, પોતાની તબિયત લથડી રહી હોવા છતાં સરકારના પેટનું પાણી જરાસરખું પણ હલ્યું નહીં એટલે હાર્દિક પટેલ કોઈ વિરોધ વગર હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ જવું પડ્યું હતું.

hardik1

હાર્દિક પટેલની આડકતરી પીછેહઠ

સાથીઓ હૉસ્પિટલમાં લઈ ગયા એનો વિરોધ ન કર્યો : ઉપવાસના ૧૪મા દિવસે શ્વાસ લેવામાં તકલીફ અને અર્ધબેહોશી જેવી હાલત પાટીદારોને અનામત મળે, ખેડૂતોનાં દેવાં માફ થાય અને અલ્પેશ કથીરિયાને મુક્ત કરવાની માગણી સાથે ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની તબિયત તા.7મી સપ્ટેમ્બરએ બપોરે લથડતાં તેના સાથીદારો તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને એનો વિરોધ પણ હાર્દિક પટેલે કર્યો નહોતો. આમ તબિયત ખરાબ થતાં તેમ જ સરકાર તરફથી કોઈ હિલચાલ ન થતાં હાર્દિક પટેલે આમરણ ઉપવાસમાં આડકતરી પીછેહઠ કરી હોવાનો સૂર ઊઠ્યો હતો. સોલા હૉસ્પિટલ સરકારી હોવાથી મોડી રાતે તેને પાટીદાર નેતાઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાનમ (SGVP) હૉસ્પિટલમાં લઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે તેને બૅન્ગલોરની જિંદલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે.

સામાજિક લડાઇ રાજકીયમાં પરિવર્તીત થઇ હોવાથી પરિણામ મળતા નથી

હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યુ હતું ત્યારે તેની લડાઇ સામાજિક હતી. સમાજના ઉત્થાન માટે શરૂ થયેલી લડાઇ તબક્કાવાર રાજકીય મોડ પર આવી ગઇ. પોલિટીકલ નેતાઓને મળવાનું શરુ કર્યું, કોંગ્રેસને ખુલ્લો ટેકો આપ્યો. પરીણામે બૌદ્ધિક વર્ગમાં આવતા પાટીદારોએ રાજકીય આંદોલનને સહકાર આપવાનું બંધ કરી દીધું, છેલ્લે નોબત એ આવી કે આમરણાંત ઉપવાસ જેવું કારગત શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દીક પટેલે જ પીછેહઠ કરવી પડી છે. હવે રાજ્ય સરકાર સંભવ છે કે પાટીદારો માટે પોતાની રીતે પેકેજ જાહેર કરી શકે પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીની માગણીઓ પરત્વે હરગીઝ ઝુકશે નહીં એમ જણાય રહ્યું છે.

 

Google Play store