સ્માર્ટફોન અને સોશ્યલ મિડીયાથી ‘પરહેઝ’ : સુરત કલેક્ટરનો આ ટ્રેન્ડ ‘ દૂર તક જાયેગા ‘
Jayesh Brahmbhatt 98253 44944
સુરત કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા ડો. ધવલ પટેલે આજે તેમના સહકર્મચારીઓ તેમજ સહ અધિકારીઓને એક છેલ્લો મેસેજ (સોશ્યલ મિડીયા પર) આપીને અચરજમાં મૂકી દીધા હતા. ડો. ધવલ પટેલે કરેલા મેસેજનો સાર એ હતો કે તેઓ હવેથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાને કાયમ માટે તિલાંજલી આપી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન યુઝ કરશે, તેના પર ફોન કોલ કરીને, મેસેજ કરીને અગર તો ઇમેલ થકી તેમને (ડો. ધવલ પટેલનો) સંપર્ક કરી શકાશે.
સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ
સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે
પોતાના સહકર્મચારીઓ અને સહઅધિકારીઓને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે પાઠવેલો આ મેસેજ જોતજોતામાં એટલો વાઇરલ થયો કે ન પૂછો વાત. બુદ્ધિજીવીઓથી લઇને સરકારી અધિકારીઓમાં આજે તા.19મી ઓક્ટોબર 2018ની સાંજથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મોટા ભાગના અધિકારીઓનું કહેવું હતું કે આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે શરૂ કરેલો ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન સામાજિક સમસ્યાઓના સૌથી મોટા પરીબળ તરીકે ઉપસી રહ્યા છે.
(આ હતો સુરત કલેક્ટરનો તેમના સહકર્મચારીઓ, અધિકારીઓને અંતિમ સ્માર્ટ ફોન મેસેજ)
સનદી અધિકારી ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયા પર એક્ટીવ નહીં રહેવા પાછળ તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. ભલે તેઓ અંગત કારણથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી પરહેઝ રાખશે. પણ હવે પછી તેમણે શરૂ કરેલો આ ટ્રેન્ડ સેંકડો નહીં પણ હજારો લોકો અપનાવતા થશે અને એટલે જ સી.આઇ.એ. લાઇવ વેબ પણ કહે છે કે ડો.ધવલ પટેલ શરૂ કરેલો આ ટ્રેન્ડ દૂર તક જાયેગા.
અનેક બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થઇ રહ્યા છે. સમાજના અનેક લોકો પ્રભાવશાળી વ્યક્તિઓનો ફોલો કરતા હોય છે. કોઇ સનદી અધિકારી, આઇ.એ.એસ. ઓફિસર જ્યારે સ્માર્ટ ફોને સોશ્યલ મિડીયા વગર સરળતાથી જીવી જાણતો હોય તો પછી સામાન્ય વ્યક્તિઓ તો સરળતાથી તેના વગર રહી શક્શે. અને એટલે જ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે એમાં બે મત નથી.
- ખુદ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ દિવસમાં 25 મિનીટ પણ ફેસબુક પર હોતા નથી જ્યારે ભારતમાં લાખો નહીં પણ કરોડો લોકો દિવસમાં 4થી 6 કલાક ફેસબુક કે વ્હોટ્સએપ પર ચોંટેલા રહે છે
- યુથ આઇકોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રીલાયન્સના મુકેશ અંબાણીને ક્યારેય કોઇએ સ્માર્ટ ફોન પર વાત કરતા કે ચેટ કરતા જોયા નહીં હોય
- જાણકારો કહે છે કે સોશ્યલ મિડીયાથી જો વ્યક્તિ દૂર રહે તો તેની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવીટીમાં ખાસ્સો વધારો થઇ શકે
- ભારતમાં અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આવી જાય જો બહુમતિ લોકો સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ કરે.
- સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ એક પરિવારમાં માસિક રૂ.એક હજારથી ત્રણ હજારની બચત કરાવી શકે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now