શિરડીવાલે સાંઈબાબાના દરબારમાં પહોંચ્યા નરેન્દ્ર મોદી
- નરેન્દ્ર મોદી શિરડી સાઇબાબાના દરબારમાં પહોંચ્યા
- સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ
- સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાનો અવસર
- વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી
મહારાષ્ટ્રના અહમદનગરમાં સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવા અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19મી ઓક્ટોબર 2018ને શુક્રવારનાર રોજ શિરડી પહોંચ્યા હતા.
સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ઉજવણી-મહોત્સવના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીએ સાઇબાબા મંદિરમાં જઇને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યુ હતું.
વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ઓક્ટોબરમાં શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે પીએમનો કાફલો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપનાર સ્થાનિક મહિલા કાર્યકર્તા તૃપ્તી દેસાઈની પોલીસે અટક કરી હતી. ભૂમાત્મા રણરાગિણી સેનાની અધ્યક્ષ તૃપ્તી દેસાઈ સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓના પ્રવેશના મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now