CIA ALERT

વાયરલ Archives - Page 80 of 83 - CIA Live

November 22, 2018
gopal_italia.jpg
1min15010

પાટીદાર અનામત આંદોલનના એક્ટિવિસ્ટ અને ફાયર બ્રાન્ડ યુવા નેતા ગોપાલ ઇટાલિયાનો એક એવો વિડીયો છેલ્લા 24 કલાક દરમિયાન વાઇરલ થયો છ જેમાં ગોપાલ ઇટાલિયા દેશી બોંબની વાત કરી રહ્યા છે. પીવીસી પાઇપ અને કેટલાક ટુલ્સની મદદથી તૈયાર થયેલા આ દેશી બોંબથી ચારેક ધડાકા કરીને ભાજપને પડકાર આપતો આ વિડીયો સમગ્ર ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોશ્યલ મિડીયા પર, વ્હોટ્સ એપ અને ફેસબુક ગ્રુપ્સમાં તા.21મી નવેમ્બર 2018ની રાતથી આ વિડીયો ભારે વાઇરલ થયો છે.

ફેસબુક પર લવજી લેપટોપના આઇ.ડી. પરથી પોસ્ટ થયેલો આ વિડીયો હાલમાં લોકલ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર હોટકેક બન્યો છે અને ચોરેને ચૌટે જોવાય રહ્યો છે.

 

#ભાજપ_ના_ભક્તો ને ભગાવાનું સાધન બહાર પડ્યું ????????

Posted by લવજી લેપટોપ on Wednesday, 21 November 2018

જાણકારો કહે છે કે ગોપાલ ઇટાલિયા જે ઔજારનો દેશી બોંબ તરીકે ઉલ્લેખ કરી રહ્યા છે એનો ઉપયોગ ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરોમાં ભેલાણ કરતા ડુક્કર કે અન્ય પ્રાણીઓને ભગાડવા માટે કરતા હોય છે. સાવ જ સામાન્ય ઉપયોગની વસ્તુઓમાંથી મોટો ધડાકો થાય તેવી આ સ્થાનિક બનાવટના દેશી પિસ્તોલ હોવા છતાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વિડીયો અને તેમાં દર્શાવવામાં આવતો દેશી બોંબ કુતુહલ સર્જી રહ્યો હોઇ, સોશ્યલ મિડીયા નેટવર્ક પર આ વિડીયોએ ખાસ્સી ચર્ચા જગાડી છે.

November 21, 2018
roro.jpg
1min20920

ભરૂચના દહેજથી લઇને સામે પાર ઘોઘા સુધી દરીયામાં ફેરી બોર્ટ સર્વિસનો ઇજારો જેને આપવામાં આવ્યો છે એ ઇન્ડીગો સી વેયઝનું તોતિંગ જહાજ આજે બપોરે ભરૂચના દહેજથી નીકળીને દરીયામાં ઘોઘા તરફ જઇ રહ્યુ ંહતું ત્યારે ઘોઘાથી 75 નોટિકલ માઇલ દૂર દરિયામાં ખોટકાય જતા 400 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. લગભગ એક કલાક સુધી દરિયામાં ઇન્ડીગો સી વેયઝનું જહાજ ફસાયેલું રહ્યું હતું, રો રો ફેરી સર્વિસની આ બોટમાં 100થી વધુ વાહનો પણ હતા, છેવટે ભાવનગરના અલંગ ખાતેથી ઇન્ડીગો સી વેયઝના તોતિંગ જહાજને ખેંચી લાવી શકે તેવા ટગ બોટની મદદથી જહાજને ખેંચીને ઘોઘા ખાતે લઇ જવાયું ત્યારે મુસાફરોના જીવ હેઠાં બેઠા હતા.

દહેજથી ઘોઘા ફેરી સર્વિસનો કોન્ટ્રાક્ટ લઇને ફક્ત નાણાં ઉસેટવાનું કામ કરી રહેલી ઇન્ડીગો સી વેયઝ કંપનીના સંચાલકોના પાપે આજે આ કંપનીનું જહાજ મધદરીયે ખોટકાય ગયું હતું. દરિયા વચ્ચે બંધ પડી ગયેલા ઇન્ડીગો સી વેયઝના જહાજમાં 400 જેટલા મુસાફરો હતા. જહાજ બંધ થવા અંગે મુસાફરોને ફક્ત ટેકનિકલ ફોલ્ટની માહિતી આપવામાં આવી હતી. જોકે, જહાજના વહીવટી તંત્રએ જહાજની આ ટેકનિકલ ખામી અંગે કેટલાય દિવસોથી ઇન્ડીગો સી વેયઝના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી કે મુસાફરોના જીવ જોખમમાં મૂકાય તેવી શક્યતા છે, આમ છતાં આ ફોલ્ટ પરત્વે નજરઅંદાજ રહેલા ઇન્ડીગો સી વેયઝના સંચાલકોના પાપે આજે મુસાફરો મધદરિયે એક કલાક સુધી યાતનાનો ભોગ બન્યા હતા.

મળતી માહિતી મુજબ ઇન્ડીગો સી વેયઝ દ્વારા દહેજથી ઘોઘા ફેરી સર્વિસ માટે જે જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, એમાં અગાઉથી જ ટેકનિકલ ક્ષતિ છે આમ છતાં સંચાલકો તેને ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. હવે આ જ કંપનીને હજીરાથી ઘોઘાનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એ ડિસેમ્બર 2018થી શરૂ કરવાની ફિરાકમાં છે ત્યારે કંપની સામે રાજ્ય સરકારે પગલાં ભરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

 

November 19, 2018
paas.jpg
1min7890

આજરોજ તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ ખાતેની પલાસિયો હોટેલમાં બપોરે 3 વાગ્યાના અરસામાં પાસની એક મિટીંગ યોજવામાં આવી હતી. જોકે, આ હોટેલમાં પાસના નેતાઓ જેવા કે દિનેશ બાંભણીયા, નિખિલ સવાણી, દિલીપ સાબવા વગેરે ઉપસ્થિત હતા અને મિટીંગ શરૂ થાય એ પહેલા જ હોટેલ સંચાલકોએ ઇલેક્ટ્રીસિટી બંધ કરી દેતા મિટીંગ વિખેરી નાંખવાની ફરજ પડી હતી. હોટેલ માલિકો સાથે પાસના કાર્યકર્તાઓએ જીભાજોડી કરીને ઘર્ષણ કરવાનો પ્રયાસ કરતા હોટેલ માલિકોએ પોલીસ બોલાવવી પડી હતી. હોટેલ માલિકોએ પત્રકારોને જણાવ્યું હતું કે પાસના નેતાઓએ સ્નેહ મિલનના નામે જુઠ્ઠું બોલીને હોલ બુક કરાવ્યો હતો.

આ મિટીંગમાં લગભગ 150થી વધુ પાસ કન્વીનરો, આગેવાનો સમગ્ર ગુજરાતભરમાંથી આવ્યા હોવાની માહિતી પાસ આગેવાનોએ આપી હતી.

(પ્રતિકાત્મક તસ્વીર)

હોટેલમાં રૂપિયા ભરીને સ્થળ ફાઇનલ કર્યું હોવા છતાં પાસ, એસપીજી સમેતના આંદોલનકારી સંસ્થાઓના આગેવાનોની મિટીંગ ફિક્સ થઇ હતી પરંતુ, રાજ્ય સરકારના દબાણ હેઠળ હોટેલ સંચાલકોએ વીજળી ગુલ કરી દીધી હોવાનો આક્ષેપ દિનેશ બાંભણીયા તેમજ અન્યોએ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પાસના નેતાઓ, કાર્યકર્તાઓ, અગ્રણીઓ, કન્વીનરોએ મિટીંગ અને મિટીંગ પછી યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી દેવાની ફરજ પડી હતી.

પાસ અગ્રણી નરેન્દ્રભાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદાર સમાજ માટે લડત ચલાવી રહેલી તમામ સંસ્થાઓના આગેવાનો જ્યારે સંગઠિત થવાના એજન્ડા પર મળવાના હતા, તેમાં સરકારે હવનમાં હાડકા નાંખ્યા છે. પણ આ મિટીંગ ટૂંક સમયમાં કોઇ ખેતરમાં કે ખુલ્લી જગ્યાએ રાખીશું. સરકાર કોઇ કાળે મિટીંગ વિખેરી શકશે નહીં.

હોટેલના માલિકે જણાવ્યું કે ફક્ત 20-25 વ્યક્તિઓના ગેટ ટુ ગેધર ના નામે હોટેલ બુક કરાવવામાં આવી હતી. અમે તેમને રાજકારણ કે વિવાદિત મુદ્દા પર મિટીંગ નહીં કરવા જણાવ્યું હતું જોકે, પાછળથી ખબર પડી કે પાસના રાજકારણ માટે હોટેલ બુક કરાવવામાં આવી હોવાથી અમારે ના પાડવી પડી હતી. પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવતા અમારે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

November 16, 2018
nuts_burn.jpg
1min7240

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.

અળવીતરો નિયમ સરકારનો

ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.

તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.

November 14, 2018
gst1-1.jpg
1min30090

(GST સુરતના આ અધિકારીની સૉફર ડ્રીવન ઇનોવા કાર જમનાનગર બીઆરટીએસમાં ઘૂસી અને પછી જે વલે થઇ એ કદાચ કોઇ અધિકારીએ નહીં અનુભવી હોય)

GST સામે સ્થાનિક લોકોમાં કેવો રોષ છે તેનો પરચો જોવો-જાણવો હોય તો આ ન્યુઝ મેટર વાંચી જજો અને તેના વિડીયો જોઇ લેજો. આજે સમી સાંજે સુરત GST  કચેરીમાં ફરજ બજાવતા અને જેમને હોદ્દાની રૂએ ઇનોવા જેવી લકઝરીયસ શૉફર ડ્રીવન ગાડી મળી છે એવા એક વણઓળખાયેલા અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસ્યા હતા અને પછી સામાન્ય લોકોએ તેમનો જે તમાશો કર્યો એ જોતા એ વાતની પ્રતીતિ થાય છે કે સામાન્ય લોકો GST થી કેટલા પરેશાન થઇ ચૂક્યા છે.

સુરત GST કાર્યાલયમાં ફરજ બજાવતા અા અધિકારી તેમની સત્તાવાર ઇનોવા કારમાં બેસીને ઘર તરફ જઇ રહ્યા હતા. તેમના ડ્રાઇવરે ભટાર તરફથી જમનાનગર બીઆરટીએસમાં ગાડી ઘૂસાડી દીધી અને બાદમાં એવો તમાશો શરૂ થયો કે ન પૂછો વાત. જમનાનગર બીઆરટીએસ સ્ટેન્ડ પર લગાડેલી રેલિંગ ખૂલી નહીં અને GST અધિકારીની ઇનોવા ત્યાં ઉભી રાખવી પડી. પહેલા એકલદોકલ લોકોએ તેમને ઠપકો આપ્યો એટલે ગાડી થોડી રિવર્સ લેવી પડી. પણ પછી તો લોકોનું ટોળું એકઠું થઇ ગયું અને GST અધિકારીની જે વલે કરી. GST  અધિકારીએ ડ્રાઇવર અને ગાડી ત્યાં જ મૂકીને ભાગી જવું પડ્યું હતું. સ્થળ પર લોકોમાં એટલો રોષ હતો કે પોલીસને બોલાવીને આ GST અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ગાડી છોડવામાં ન આવે. અને લોકોએ લગભગ એક કલાક સુધી GST  અધિકારીની ગાડી હટવા પણ દીધી ન હતી.

આ GST અધિકારીને બીઆરટીએસમાં ફસાયા પછી ખબર પડી હશે કે સ્થાનિક લોકોમાં GST સામે કેટલો રોષ ભભૂકી રહ્યો છે. બીઆરટીએસમાં અન્ય સરકારી અધિકારીઓ ઘૂસતા હશે અને નીકળી જતા હશે પણ GST અધિકારી ફસાયા એટલે કાગનું બેસવું અને ડાળનું પડવું એ રૂએ જે જે લોકોને ખબર પડતી ગઇ કે GST અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ફસાયા છે, લોકો ઘટના સ્થળે જઇને તેની સામે કાર્યવાહીની માગ સાથે ટોળે વળ્યા હતા.

જોકે, મોડી સાંજ સુધી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસેલા અધિકારીના નામની કોઇ જાણકારી મળી નહતી. ઘટના સ્થળે ટોળે વળેલા લોકોએ તેમની સામે તાત્કાલિક પગલાં ભરવાની માગણી સાથે ગાડીને લાંબા સમય સુધી રોકી રાખી હોવાનું જાણવા મળે છે.

સાંજે લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં ખટોદરા પોલીસના સ્ટાફે સમગ્ર મામલામાં દરમિયાન થવું પડ્યું હતું. ટોળે વળેલા લોકોની માગણી હતી કે પોલીસ જીએસટી અધિકારીની કારને ખટોદરા પોલીસ મથકે લઇ જઇને તેની સામે નિયમાનુસારની કાર્યવાહી કરે. એ માગણી અનુસાર ખટોદરા પોલીસે જીએસટી અધિકારીની ઇનોવા કારને ખટોદરા પોલીસ મથકે મૂકાવડાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

November 14, 2018
walmart-flipkar.jpg
1min10680

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં ભારતની આ સૌથી વધુ પ્રચલિત ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપ કાર્ટની સ્થાપના કરનાર બન્ને બંસલો આજે કંપનીમાંથી આઉટ થઇ ચૂક્યા છે.

ફ્લિપકાર્ટના સહસ્થાપક બિન્ની બંસલ સામે વ્યક્તિગત ગેરવર્તણૂકના આરોપ થયા બાદ તેમણે દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલરના ચેરમેન અને ગ્રૂપ સીઇઓપદેથી રાજીનામું આપી દીધું છે. ભારતીય કંપનીઓમાં આ હાઈ-પ્રોફાઇલ એક્ઝિટ પૈકી એક છે.

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં બંસલે વિદાય લીધી છે. અમેરિકન કંપની વોલમાર્ટે ‘ગંભીર વ્યક્તિગત ગેરવર્તન’ની તપાસ શરૂ કર્યા બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. વોલમાર્ટે આરોપો કયા પ્રકારના છે તે જણાવ્યું ન હતું.

તપાસમાં બિન્ની સામેના આરોપોને સમર્થન મળે તેવું કંઈ મળ્યું નથી. પરંતુ તેણે જજમેન્ટમાં બીજી ખામીઓ ટાંકી હતી, જેમ કે પારદર્શિતાનો અભાવ. બિન્નીએ પરિસ્થિતિનો જે રીતે પ્રતિભાવ આપ્યો તે પણ ખામીયુક્ત ગણવામાં આવે છે. તેના કારણે આ રાજીનામું આપવામાં આવ્યું છે તેમ વોલમાર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું.

35 વર્ષીય બિન્ની બંસલે ૨૦૦૭માં સચિન બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. બંને આઇઆઇટી દિલ્હીના ગ્રેજ્યુએટ્સ છે. બિન્ની બંસલ હવે ફ્લિપકાર્ટના બોર્ડમાં રહેશે. હિલચાલથી વાકેફ સૂત્રોએ કહ્યું હતું કે બિન્ની બંસલ સામેની સ્વતંત્ર તપાસ ચાલુ વર્ષમાં જુલાઈમાં શરૂ થઈ હતી અને સ્વતંત્ર કાનૂની પેઢી દ્વારા આ તપાસ કરવામાં આવી હતી.

બંસલે તા.13મી નવેમ્બર 2018ના રોજ ફ્લિપકાર્ટના કર્મચારીઓને એક ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, “મારી સામેના આરોપોથી મને આઘાત લાગ્યો છે અને હું તેને નકારી કાઢું છું. જોકે, તપાસમાં કેટલીક ખામીઓ શોધવામાં આવી છે. ખાસ કરીને પારદર્શિતાનો અભાવ. મારા માટે અને મારા પરિવાર માટે આ પડકારજનક સમય હતો.

તેના કારણે કંપની અને ટીમનું ધ્યાન અન્યત્ર ખેંચાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં હું ચેરમેન અને ગ્રૂપ સીઇઓ તરીકે રાજીનામું આપું તે વધુ યોગ્ય છે.”એક સૂત્રે કહ્યું કે, “મુખ્ય વાત એ છે કે બિન્ની કેટલાક સમયથી રાજીનામું આપવા વિચારતા હતા અને આ તપાસથી તેમનો નિર્ણય વધારે ઝડપથી લેવામાં આવ્યો છે.”

November 9, 2018
dahnu.jpg
1min6770
  • શુક્રવારે સવારે 9 વાગ્યા બાદ ગતિ મર્યાદા સાથે ટ્રેન વ્યવહાર શરૂ થયો 
  • મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગતાં લાંબા અંતરની 10 ટ્રેન પ્રભાવિત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગ્યાં બાદ લાંબા અંતરની 10 ટ્રેનની સેવા પ્રભાવિત થઈ છે. અધિકારીએ જણાવ્યું સળગેલા ડબ્બા પાટા પરથી હટાવવા અને ખરાબ થયેલાં તારને બદલવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાના કારણની પણ તપાસ થઈ રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે ઘટના ગુરૂવારની રાત્રે લગભગ 11 વાગ્યે દહાણુ રોડ અને વનગાંવ રેલવે સ્ટેશન વચ્ચે થઈ. તેઓએ જણાવ્યું કે ફાયરબ્રિગેડ વિભાગ, રેલવે પોલીસ દળ અને રાજકીય રેલ પોલીસ કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા.

આગ પર મોડી રાત્રે લગભગ બે વાગ્યે કાબૂ મેળવવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે આગની ગરમીના કારણે ટ્રેકની ઉપર લાગેલાં વિજળીના તાર ઓગળી ગયા હતા. આ કારણે લાંબા અંતરની ઓછામાં ઓછી 10 ટ્રેનને રોકવી પડી હતી.

કઇ કઇ ટ્રેનોને અસર થઇ વાંચો

Due to fire incidence in goods train near Dahanu Road,

trains of 11095 Ahmedabad – Pune, 22475 Hisar-Coimbator,

12246 H. Nizamuddin – Pune & 22944 Indore-Pune of (JCO) 8/11/18 has been diverted via Bhestan & Jalgaon.

12298 Pune-Ahmedabad of that commenced on Nov 8 is diverted via Kalyan, Jalgaon & Surat.

69173 Virar- Dahanu Rd of Nov 8 and 69174 Dahanu Rd- Borivali operated on Nov 9 are cancelled.

59442 Ahmedabad- Mumbai Central will be Short Terminated at Vapi.

Similarly many other trains on Dahanu – Surat section have been cancelled.

Also the local trains are being operated till Boisar for the time being.

Work on Up line towards Churchgate is underway.

The section on DAHANU ROAD – VANGAON, UP LINE TRACK has been declared fit on the site at 08.50 am with speed restrictions of 50 KMPH.

The first train departed Dahanu road at 9.02 am.

 

November 8, 2018
amit.jpg
1min14370

દિવાળીનો તહેવાર ઊજવવા માટે અમદાવાદમાં પોતાના ઘરે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 6 નવેમ્બર 2018ના રોજ અમદાવાદના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તા પર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં અચાનક જ દર્શન કરવા ગયા હતા. જોકે મંદિરનાં દ્વાર બંધ હોવાથી અમિત શાહે બંધબારણેથી દાદાનાં દર્શન કરીને બારણા પર હાર ચડાવી આર્શીવાદ મેળવ્યા હતા. અચાનક અમિત શાહની મુલાકાતથી નાગરિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

અમિત શાહ મોસ્ટ વીઆઇપી પર્સન હોઇ, આ મંદિરને ઇચ્છે તો પોતાના માટે ખોલાવી શક્યા હોત, પરંતુ, તેમણે એમ ન કરતા, મંદિરની બહારથી દર્શન કરવાનું મુનાસિબ માન્યું હતું.

નાગરિકોએ અમિત શાહ સાથે દિવાળીની શુભેચ્છાની આપ-લે કરી હતી અને પોતાના પસંદગીના નેતા સાથે સેલ્ફી પણ પડાવ્યો હતો.

November 1, 2018
statue_of_unity.jpg
1min5470
પહેલા જ દિવસે મફતીયાઓનો ત્રાસ, સામાન્ય મુલાકાતીઓ પાસે રૂ.350 લેવાયા, જ્યારે અપનાદળના 1500 કાર્યકર્તાઓને મફતમાં પ્રવેશ અપાયો

જો કે સૌથી મોટો હોબાળો ત્યારે થયો જ્યારે ભાજપના સાથી પક્ષના અપનાદળના 1500 જેટલા કાર્યકર્તાઓને સ્ટેચ્યુ જોવા માટે મફતમાં પ્રવેશ અપાયો. એનડીએના સાથીપક્ષ અપના દળના 1500 કાર્યકર્તાઓને સ્ટેચ્યુની મુલાકાત માટે આવ્યા હતા. અને અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ પટેલની દરમિયાનગિરી બાદ કાર્યકરોને મફત પ્રવેશ અપાયો હતો. જ્યારે અન્ય મુલાકાતીઓ પાસેથી ટિકિટના 350 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. જેને પગલે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

November 1, 2018
swiggy.png
1min8060

ઑનલાઇન ફૂડ ઑર્ડરની ડિલિવરી કરવા માટે બાઇકર્સ છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે શહેરમાં જોતજોતામાં સેંકડો નહીં પણ હજારો યુવાનો સ્વિગ્ગી અને ઝોમાટો સર્વિસના ડિલિવરી – બૉય્ઝ તરીકે જોડાઇ ગયા છે અને તેઓ મોટા ભાગે ટુ વ્હીલર્સ પર ઉતાવળે ફૂડ ડિલીવરી કરવાની લ્હાયમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ગંભીર ફરીયાદો સામે આવી છે. સ્વિગ્ગી અને ઝોમાટે બન્નેના ડિલીવરી બોયઝ તેમના ડ્રેસ કોડ અને બાઇક્સને કારણે નિયમ તોડતા હોય ત્યારે તરત જ લોકોની નજરમાં આવી જાય છે. સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝ શહેરમાં ઠેકઠેકાણે રૉન્ગસાઇડ, ફુટપાથ પરથી બાઇક ચલાવતા હોવાની, ઓવરસ્પીડ કરતા હોવાની, રોંગ સાઇડ ઓવરટેકિંગ કરતા હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ માટે ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ માથાનો દુખાવો ઉભો કરી રહ્યા છે. અત્યાર સુધી ડોમીનોઝ કે અન્ય સ્પેશિફિક બ્રાન્ડના જ ફુડ ડિલીવરી બોયઝ શહેરમાં છુટા છવાયા જોવા મળતા હતા પણ હવે તો સ્વિગ્ગી અને ઝોમાટો જેવી ફૂડ ડિલીવરી સર્વિસના હજારો બાઇકર્સ શહેરમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ શહેર પોલીસ માટે ઉપદ્રવ સમાન બન્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

શહેરમાં પીક અવર્સ દરમિયાન અઠવાલાઇન્સ, રિંગ રોડ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ, અડાજણ, એલ.પી. સવાણી રોડ, વરાછા રોડ, કતારગામ વગેરે વિસ્તારમાં જુદી જુદી હોટેલો પરથી ખાણું મંગાવનારા લોકોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. બહારનું ખાણું ગ્રાહકના સરનામે ઝડપથી ડિલીવરી કરી આપવાની સર્વિસ આપતા સ્વિગ્ગી અને ઝોમાટોએ શહેરમાં ફુડ ડિલિવર કરવા માટે હજારો યુવાનોને રોક્યા છે. આ સ્વિગ્ગી અને ઝોમાટોના ફુડ ડિલિવરી બોયઝ એટલી વ્યાપક સંખ્યામાં વધ્યા છે કે તેઓ હવે શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે. ઝડપથી ફૂડ ડિલીવરી કરવાનું પ્રેશર લઇને બાઇકો દોડાવી રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ફૂડ ડિલિવરી કરતા યુવાનો સામે અનેક ફરીયાદો ઉઠી છે. હોટેલો કે રેસ્ટોરેન્ટ તેની જવાબદારી લેવા તૈયાર નથી જ્યારે આ બન્ને કંપનીઓના સ્થાનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહ્યા છે. બેદરકારીભર્યું અને રફ ડ્રાઇવિંગ કરીને સામાન્ય રાહદારીઓ તેમજ શહેરના વાહનચાલકોને બાનમાં લઇ રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝની આ પ્રવૃતિ સામે હવે ટ્રાફિક પોલીસે જ લાલ આંખ કરવી પડે તેમ છે.

સ્વિગ્ગી અને ઝોમાટોની નીતિઓને કારણે જ ડિલીવરી બોયઝ ઓવર સ્પિડીંગ કરતા હોય છે

ફુડ ડિલીવરી કરી આપતી કંપનીઓ તેમની કામગીરીનો વ્યાપ વધારવા માટે ડિલીવરી બોયઝને ઝડપી ડિલીવરી કે રોજની સ્પેશિફિક ડિલીવરી કરતા વધુ સંખ્યામાં ફુડ ડિલીવર કરનારને વધુ ઇન્સેન્ટીવ આપતી હોવાથી સ્થાનિક યુવકો વધુ સંખ્યા માટે ઝડપથી ઓર્ડર પૂરો કરવા માટે ઓવર સ્પિડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, વન-વેમાં ઘૂસી જતા હોય છે.

મુંબઇમાં ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ બોયઝને ડામવા માટે ઝુંબેશ આ રીતે ચાલી રહી છે

બાઇકર્સ દ્વારા છડેચોક કરાતા નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુંબઈના કેટલાક નાગરિકોએ પોતાનું રોડ સેફ્ટી કૅમ્પેન શરૂ કર્યું હતું. ત્રણ મહિના પહેલાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અનેક વખત જોવા મળ્યું હતું કે ડિલિવરી કરનારા લાંબો રૂટ ટાળવા માટે નો એન્ટ્રીમાં ઘૂસી જતા હોય છે અથવા તો ફુટપાથ પર બાઇક ચલાવતા હોય છે. રોડ સેફ્ટી કૅમ્પેન સાથે સંકળાયેલા ૫૫૦ સ્વયંસેવકો આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા બાઇકર્સના વિડિયો બનાવે છે અને પછી એને મુંબઈ પોલીસના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરે છે. આમાંથી મોટા ભાગના બાઇકર્સ આવી રીતે ફૂડ ડિલિવરી કરનારા હોવાનું જાણવા મળ્યું છે. વૉલન્ટિયર્સ આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઈ-ચલાન મોકલીને કાર્યવાહી કરવામાં આવે એ માટે દબાણ બનાવી રહ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આવા ૨૦૦થી વધુ બાઇકર્સને ઈ-ચલાન મોકલવામાં આવ્યાં છે.