CIA ALERT

વાયરલ Archives - Page 82 of 83 - CIA Live

October 8, 2018
fisherman.jpg
1min11590

અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો-પ્રેશર એરિયા સર્જાશે અને તેને કારણે દરિયો વધુ તોફાની બનવાનો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યારે પોરબંદર અને જાફરાબાદના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને તેને સંલગ્ન લક્ષદ્વીપમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને નોર્થ-વેસ્ટ દિશામાં આગળ વધશે અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ આગામી 12 કલાક પછી તે ઓમાન તરફ આગળ વધશે તેમ જણાઈ રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાનારું વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પ્રબળ શક્યતા હોવાના કારણે ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ એકાદ દિવસમાં આ અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.

વેરાવળના પ્રતિનિધિના અહેવાલ મુજબ બપોરે હવામાન ખાતાની સુચના બાદ 1 નંબરનું ભયસૂચક સિગ્નલ ચડાવવામાં આવ્યુછે. અરબી સમુદ્રની મધ્યે હવાનું દબાણ સર્જાયું હોય આમ કરાયું છે.

September 29, 2018
flipkart-amazon-1280x720.jpg
1min8430

Jayesh Brahmbhatt  98253 44944

  • બે કરોડ લોકો વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરશે
  • ત્રણ અબજ ડોલરનું વેચાણ થશે

ઓનલાઇન શોપર્સની વધી રહેલી સંખ્યા અને તેમાં પણ આગામી નવરાત્રી અને દિવાળીના ફેસ્ટીવલ્સને ધ્યાનમાં રાખીને અમેઝોન અને ફ્લીપકાર્ટે ઓનલાઇન શોપિંગ બિઝનેસમાં નેવર બીફોર ઓફર્સ સાથે આગામી નવરાત્રી દરિમયાન મેગા ફેસ્ટિવલ સેલ લોંચ કરશે. જુદી જુદી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી દિવાળી સુધીમાં અંદાજે 2 કરોડ લોકો 3 અબજ ડોલરની જંગી રકમની ખરીદી કરશે. આ ફેસ્ટિવલ સેલમાં બન્ને શોપિંગ સાઇટ્સ નેવર બીફોર પ્રાઇસની ટેગલાઇન સાથે મોબાઇલ, ગારમેન્ટસ, પરફ્યુમ્સ, હોમએપ્લાયન્સીઝ, ફુટવેયર્સથી લઇને ઇમ્પોર્ટેડ ફુડ સપ્લીમેન્ટસ વગેરે ચીજવસ્તુઓનું વેચાણ કરશે.

  • એમેઝોન ઇન્ડિયા 10-15 ઓક્ટોબર ફેસ્ટિવ સેલ
  • ફ્લિપકાર્ટ પણ 10-14 ઓક્ટોબર ‘ધી બિગ બિલિયન ડેઝ’ નામનો ફેસ્ટિવ સેલ
  • શોપક્લૂઝ જેવી નાની કંપનીઓએ પણ 10 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સેલની જાહેરાત કરી છે અને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ, કિચન, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ કેટેગરીમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોનને આ વખતની તહેવારની સીઝનમાં મજબૂત વૃદ્ધિનો વિશ્વાસ છે. ખાસ તો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી મળી રહેલા નવા ગ્રાહકો તેમજ વિવિધતાસભર પ્રોડક્ટ્સ અને અગ્રણી બ્રાન્ડ્સ ઉપલબ્ધ હોવાથી વેચાણ વધવાનો કંપનીને આશાવાદ છે.

ભારતમાં ફ્લિપકાર્ટ સાથે ગળાકાપ સ્પર્ધા કરતી એમેઝોન ઇન્ડિયા 10-15 ઓક્ટોબર દરમિયાન તેનો ફેસ્ટિવ સેલ યોજશે અને ગ્રાહકોને આકર્ષવા માટે તગડાં ડિસ્કાઉન્ટની ઓફર કરશે. વોલમાર્ટ દ્વારા ખરીદવામાં આવેલી ફ્લિપકાર્ટ પણ 10-14 ઓક્ટોબર દરમિયાન તેનો ‘ધી બિગ બિલિયન ડેઝ’ નામનો ફેસ્ટિવ સેલ યોજવાની છે.

70 ટકાથી પણ વધારે નવા ગ્રાહકો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી આવવાની ધારણા છે.” એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

વનપ્લસ, શાઓમી અને સેમસંગ જેવી મોટી બ્રાન્ડ્સ તેમજ અન્ય પ્રોડક્ટ કેટેગરીની બ્રાન્ડ્સ પણ તેમની પ્રોડક્ટ્સ આ સેલ દરમિયાન વેચવાની તૈયારી કરી રહી છે. કયા સેગમેન્ટ મહત્તમ વૃદ્ધિ કરશે તેવા સવાલના જવાબમાં તિવારીએ જણાવ્યું હતું કે, “પ્રત્યેક કેટેગરી સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે અને મોટા ભાગની કેટેગરીમાં 10 ગણી વૃદ્ધિ થવાનો અંદાજ છે.

અમને અંદાજ છે કે, મોબાઇલ ફોન, ફેશન અને લાર્જ એપ્લાયન્સિસ કેટેગરીનું પ્રદર્શન ઘણું સારું રહેશે.” એક અંદાજ છે કે, ચાલુ ઓક્ટોબર મહિનાના મધ્યમાં શરૂ થનાર ફેસ્ટિવ સેલ દરમિયાન લગભગ બે કરોડ લોકો વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરશે, એટલે ત્રણ અબજ ડોલરનું વેચાણ થઈ શકે છે.

શોપક્લૂઝ જેવી નાની કંપનીઓએ પણ 10 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સેલની જાહેરાત કરી છે અને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ, કિચન, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ કેટેગરીમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

September 20, 2018
hardik_jindal.jpg
1min5420

જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે

hardik patel

ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ કરનાર  હાર્દિક પટેલ હવે  ટ્રિટમેન્ટ માટે બેંગાલુરુ પહોંચ્યો છે. બેંગાલુરુની જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બેંગાલુરુની આ એ જ જિંદાલ નેચરલ કેર સેન્ટર છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ નેચરોપથીની સારવાર મેળવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા સિનિયર નેતાઓ પણ પોતાની હેલ્થ સાચવવા આ નેચરલ કેર સેન્ટરના દર્દી બન્યા છે. હાર્દિક પટેલ  28 તારીખ સુધી આ સેન્ટરમાં ટ્રિટમેન્ટ લેશે. ત્યારબાદ પરત ગુજરાત ફરશે.

September 12, 2018
hardik-1.jpg
1min10290

cialive@yahoo.com

ગુજરાતમાં મોટો નેતા જેને કહેવાય રહ્યો હતો એ હાર્દિક પટેલએ આમરણાંત ઉપવાસ છોડીને હવે જીવતા જીવત સરકાર સામે લડત આપવાના નિર્ધાર સાથે મોટો યુટર્ન લીધો છે. પહેલો યુ ટર્ન એકેય માંગણી સંતોષાયા વગર જ ઉપવાસનું આંદોલન સમેટી લઇને પારણા કરવા અંગેનો છે. બીજો યુ ટર્ન રાજનીતિના રવાડે ચઢી ગયેલા હાર્દિક પટેલેને હવે સમાજ અને સામાજિક પરિબળનું જ્ઞાન લાદ્યું છે. હવે સમાજને સાથે રાખીને રાજનીતિક નહીં સામાજિક લડાઇ લડશે.

આજે તા.12મી સપ્ટેમ્બરના રોજ ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખોએ હાર્દિક પટેલને પારણા કરાવવાનો નિર્ણય કર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નેરશ પટેલ રાજકોટથી અમદાવાદ પહોંચી રહ્યા છે. સોલા ઉમિયા ટ્રસ્ટ ખાતે પાટિદારોની છ મુખ્ય સંસ્થાના અગ્રણીઓની બેઠક યોજાશે જેમાં લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને તેઓ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને ચર્ચા કરશે.

Hardik Patel’s tweet

 

આવી જાહેરાત પત્રકાર પરિષદમાં કરવી પડી

પાસનાં નેતા મનોજ પનારાએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, હાર્દિક 18 દિવસથી ઉપવાસ પર છે પરંતુ સરકારે એક વાર પણ અમારી સામે જોયું નથી. સરકારને હાર્દિક પટેલનાં ઉપવાસ નથી દેખાઈ રહ્યાં. સરકાર તો ઈચ્છે જ છે કે હાર્દિક પટેલ પહેલા જેવો લડવૈયો ન રહે અને તે મરી જાય પરંતુ હાર્દિકે જીવવાનું છે સરકાર સામે હજી વધારે લડત આપવા માટે. ઉપવાસને કારણે હાર્દિક ખૂબ બિમાર થઈ ગયો છે અમને અમારો સિંહ જેવો હાર્દિક પાછો જોઈએ છે. જેથી અમારા સમાજનાં વડીલો અને સંસ્થાનાં અગ્રણીઓનાં કહેવાથી આજે બપોરે ત્રણ વાગે અમે હાર્દિકનાં પારણા કરાવશું.

ઉપવાસ કે આંદોલન પરીણામ વિહીન કેમ

ઇતિહાસ કરે છે કે કોઇપણ આમરણાંત ઉપવાસની સફળતાનો આધાર નિયત પર નિર્ભર રહેલો હોય છે. ખરેખર પાટીદાર સમાજને કે ખેડૂતને ફાયદા કરવાની નિયત સાથે ઉપવાસ કરાયા હોત તો અવશ્ય પરિણામ મળ્યું હોત. ભૂતકાળમાં અણ્ણા હજારે કે અન્યોએ જ્યારે જ્યારે ઉપવાસી આંદોલન કર્યા ત્યારે તેમની નિયત કોઇ સરકારને પાડી દેવાની કે કોઇ રાજકીય નેતાને બતાવી દેવાની ન હતી. પ્રજાહિત પ્રાયોરિટીમાં હોય ત્યારે મૃત્યુંનો ડર શેનો, આવી નિષ્ઠા હોય તો કયું આંદોલન બૂમરેંગ થાય

હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું શસ્ત્ર અન્ય કોઇને ભલે ફળ્યું ન હોય પણ રાજ્ય સરકારને તો ફળ્યું જ છે.  હાર્દિક પટેલ અેન્ડ કંપનીની વાત માની લઇએ કે રાજ્ય સરકાર અન્યાયી છે, જુલમકારી છે, પણ આમરણાંત ઉપવાસમાંથી પીછેહઠ કરીને ખુદ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એ વાતની પ્રતીતિ કરાવી દીધી છે સરકારનું સ્ટેન્ડ મક્કમ હતું, છે અને હવે રહેશે. હાર્દિક પટેલ એન્ડ કંપનીએ હવે રાજ્ય સરકાર સામે લડવા માટે આમરણાંત ઉપવાસથી મોટું શસ્ત્ર શોધવું પડશે.

 

 

You can find on Google Play store too

September 8, 2018
hardik1.jpg
1min37930

cialive@yahoo.com

પાસ નેતા હાર્દિક પટેલની માગણીઓ પરત્વે છેલ્લા 14 દિવસથી ચાલી આવેલા શ્રેણીબદ્ધ ઘટનાક્રમો બાદ છેવટે રાજ્ય સરકાર તેના સ્ટેન્ડ પર અટલ રહી હતી અને આમરણાંત ઉપવાસ જેવા આત્યાંતિક અને અંતિમ શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીના ફાળે કશું જ આવ્યું નહીં. કોઇએ પારણા કરાવ્યા નહીં અને પોતાની મરજીથી હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે. ગુજરાત સરકારની આ મોરલ વિક્ટરી છે. રાજ્ય સરકારનું સ્ટેન્ડ પહેલેથી જ એવું રહ્યું હાર્દિક પટેલને સહેજ પણ ભાવ આપવો નહીં અને છેલ્લે સુધી હાર્દિક પટેલને સરકારે ભાવ આપ્યો જ નહીં.

અગાઉ મહારાષ્ટ્રમાં અણ્ણા હજારેએ આમરણાંત ઉપવાસ કરીને અનેક વખત રાજ્ય સરકારને ઝુકાવી હતી પરંતુ, ગુજરાતમાં હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું મોડ્યુલ કહો કે બ્રહ્માસ્ત્ર નિષ્ફળ નિવડ્યું છે. કોઇપણ અહિંસક લડતમાં આરણાંત ઉપવાસને અંતિમ શસ્ત્ર માનવામાં આવે છે પરંતુ, હાર્દિક પટેલ માટે આ શસ્ત્ર ફળદાયી નિવડ્યું નથી. બબ્બે વખત જળત્યાગ કર્યા પછી પણ હાર્દિક પટેલની ચીમકીને સરકારે રાબેતા મુજબ સિરીયસલી લીધી નહીં. છેલ્લે 24 કલાકનું અલ્ટીમેટમ આપવું પડ્યું. અલ્ટીમેટમ આપ્યા પછી પણ રાજ્ય સરકાર પોતાના સ્ટેન્ડ પર અફર રહી હતી. છેલ્લે ખોડલ ટ્રસ્ટના નરેશ પટેલને મળવાની ઔપચારિકતાઓ પછી હાર્દિક પટેલને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો. રાજ્ય સરકારે આમાં પણ કોઇ જબરદસ્તી કરી નહીં. ઉલ્ટાનું પોલીસ અધિકારીએ હાર્દિક પટેલને હોસ્પિટલ દાખલ કરવા માટે પહેલા સામેથી લેખિત સંમતિ અને મરજી પત્ર માંગ્યો. રાજ્ય સરકાર માટે આ મોરલ વિક્ટરી એટલા માટે છે કે જો અહીં રાજ્ય સરકાર ઝુકી ગઇ હોત તો સામી ચૂંટણીએ ગુજરાતમાં ભાજપા માટે આકરાં ચઢાણો ચઢવાનો વારો આવ્યો હોત. હાર્દિક પટેલ એન્ડ કંપનીને જો આવો નૈતિક વિજય મળ્યો હોત તો પાટીદાર આંદોલનની સિકલ આજથી જ બદલાઇ જવા પામી હોત.

ઉપવાસના ૧૪મા દિવસે પણ, પોતાની તબિયત લથડી રહી હોવા છતાં સરકારના પેટનું પાણી જરાસરખું પણ હલ્યું નહીં એટલે હાર્દિક પટેલ કોઈ વિરોધ વગર હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ જવું પડ્યું હતું.

hardik1

હાર્દિક પટેલની આડકતરી પીછેહઠ

સાથીઓ હૉસ્પિટલમાં લઈ ગયા એનો વિરોધ ન કર્યો : ઉપવાસના ૧૪મા દિવસે શ્વાસ લેવામાં તકલીફ અને અર્ધબેહોશી જેવી હાલત પાટીદારોને અનામત મળે, ખેડૂતોનાં દેવાં માફ થાય અને અલ્પેશ કથીરિયાને મુક્ત કરવાની માગણી સાથે ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની તબિયત તા.7મી સપ્ટેમ્બરએ બપોરે લથડતાં તેના સાથીદારો તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને એનો વિરોધ પણ હાર્દિક પટેલે કર્યો નહોતો. આમ તબિયત ખરાબ થતાં તેમ જ સરકાર તરફથી કોઈ હિલચાલ ન થતાં હાર્દિક પટેલે આમરણ ઉપવાસમાં આડકતરી પીછેહઠ કરી હોવાનો સૂર ઊઠ્યો હતો. સોલા હૉસ્પિટલ સરકારી હોવાથી મોડી રાતે તેને પાટીદાર નેતાઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાનમ (SGVP) હૉસ્પિટલમાં લઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે તેને બૅન્ગલોરની જિંદલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે.

સામાજિક લડાઇ રાજકીયમાં પરિવર્તીત થઇ હોવાથી પરિણામ મળતા નથી

હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યુ હતું ત્યારે તેની લડાઇ સામાજિક હતી. સમાજના ઉત્થાન માટે શરૂ થયેલી લડાઇ તબક્કાવાર રાજકીય મોડ પર આવી ગઇ. પોલિટીકલ નેતાઓને મળવાનું શરુ કર્યું, કોંગ્રેસને ખુલ્લો ટેકો આપ્યો. પરીણામે બૌદ્ધિક વર્ગમાં આવતા પાટીદારોએ રાજકીય આંદોલનને સહકાર આપવાનું બંધ કરી દીધું, છેલ્લે નોબત એ આવી કે આમરણાંત ઉપવાસ જેવું કારગત શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દીક પટેલે જ પીછેહઠ કરવી પડી છે. હવે રાજ્ય સરકાર સંભવ છે કે પાટીદારો માટે પોતાની રીતે પેકેજ જાહેર કરી શકે પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીની માગણીઓ પરત્વે હરગીઝ ઝુકશે નહીં એમ જણાય રહ્યું છે.

 

Google Play store

September 5, 2018
hardik-1280x720.jpg
1min5930

ખેડૂતો માટે ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય હવે દર કલાકે કથળી રહ્યું છે. અત્યાર સુધી હાર્દિક પટેલના ઉપવાસને નજરઅંદાજ કરનાર રાજ્ય સરકાર તા.4થી સપ્ટેમ્બરથી એવી હરકતમાં આવી કે હવે હાર્દિકની માગણીઓ પરત્વે અંદરખાને વિચારણા શરૂ કરી દીધી છે. જેમ જેમ હાર્દિકનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેમ તેમ રાજ્ય સરકારનું બ્લડ પ્રેશર વધી રહ્યાનું જણાય આવે છે. જે રીતે  રાજ્ય સરકારે હાર્દિકને પારણા કરાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે એ જોતા હવે રાજ્ય સરકારે હાર્દિક પટેલના મુદ્દે કંઇકને કંઇક નમતું ઝોખવું પડે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.

ઉપવાસના 11માં દિવસે સરકારે હાર્દિકને સિરીયલી લેવાનું શરૂ કર્યું

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે, પરંતુ આજદિન સુધી એક પણ પ્રધાન કે ભાજપના ધારાસભ્યએ હાર્દિકના આંદોલન અંગે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો, પરંતુ વિવિધ પાટીદાર સંસ્થાઓ દ્વારા હાર્દિકના આંદોલનને સમર્થન આપીને મધ્યસ્થી બનવાની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ પ્રધાન સૌરભ પટેલે આજે એકાએક નિવેદન કર્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસથી સરકાર પણ ચિંતિત છે. હાર્દિકે પણ તેની તબિયતનું ધ્યાન રાખી ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ.

હાર્દિકનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે, સરકારનું બીપી વધી રહ્યું છે

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ઉપવાસથી અગિયાર દિવસમાં હાર્દિકનું 20 કિલો વજન ઊતરી ગયુ છે. હાર્દિકનું ધરખમ વજન ઉતારતાં સોલા સિવિલના ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી. હાર્દિક ગયા મહિનાની 25મી તારીખથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા. 25મી ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઊતર્યો ત્યારે તેનું વજન 78 કિલો હતું. ઉપવાસના 10 દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે 20 કિલો વજન ઊતરી ગયું છે. હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હૉસ્પિટલની ટીમ પહોંચી હતી. તબીબોની ટીમમાં એક ફિઝિશિયન ડૉક્ટરને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસથી યુરિન કે બ્લડ ટેસ્ટ કરવાની ના પાડી રહ્યો છે.

સોલા સિવિલના ડૉકટરે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમાં પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. તેણે સુગર અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી હતી. 100/80 પલ્સ રેટ અને હાલ 58.3 કિલો વજન થયું છે. હાર્દિકને હૉસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી છે. હલનચલન કરવામાં તેને તકલીફ થાય છે અને ચક્કર આવી રહ્યા હોવાની તેણે ફરિયાદ કરી છે. હાર્દિક ઉપવાસ પર ઊતર્યો ત્યારે તંદુરસ્ત અને હસમુખો ચહેરો ધરાવતો હતો, પરંતુ ઉપવાસ પર ઊતરતા તેણે અન્નનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ જળનો ત્યાગ કરતાં તેની હાલત દિવસે ને દિવસે કથળી હતી, પરંતુ 1 સપ્ટેમ્બરે એસપી સ્વામીએ જળગ્રહણ કરાવ્યું જેને પગલે તેને થોડી રાહત થઈ હતી, પરંતુ તેનું વજન ઉતરવાનું ઓછું થયું ન હતું.

પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી

મંગળવારે તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસમાં પાટીદારોની 6 ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બંધબારણે બેઠક મળી હતી. બેઠક બાદ સાંજે સી. કે. પટેલ અને જેરામ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ સરકારને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યું હતું, જ્યાં કેબિનેટ પ્રધાનો સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સંયુક્ત બેઠક યોજીને હાર્દિકને પારણાં કરાવવા માટેનો વિચાર-વિમર્શ કર્યો હતો. બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હાર્દિક પટેલ પારણાં કરશે નહીં અને ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે.

 

August 27, 2018
WhatsApp_Logo-1920-1280x720.jpg
1min13050

વોટ્સએટ્સ દ્વારા તેના વપરાશકર્તાઓને સૂચિત કરવામાં આવે છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન કે જે વ્હોટ્સએપ એપ્લિકેશન પર મેસેજીસ અને મીડિયા ફક્ત બે પક્ષકારો પૂરતા સિમીત રાખે છે પરંતુ, જો વ્હોટ્સ એપ પરના ડેટા Google ના સર્વર્સ પર બૅકઅપ તરીકે સંગ્રહિત કરવામાં આવશે તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની કોઇ ખાતરી વ્હોટ્સએપ આપી શકે નહીં. Google ડ્રાઇવમાં વૉટ્સએટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત નથી.

 

વોટ્સએપ મેનેજમેન્ટે તેની સાઇટ પર અપડેટમાં જણાવ્યું હતું કે 16 મી ઓગસ્ટના રોજ ફેસબુકની માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે તેણે ગૂગલ સાથે કરાર કર્યો છે, જે યુઝર્સને ઇન્ટરનેટ કંપનીના મેગા સ્ટોરેજ ઓફર પર સંદેશા સંગ્રહિત કરવાની પરવાનગી આપે છે. ગૂગલ (Google) ડ્રાઇવ પર જુદા જુદા હેતુઓના ડેટાને ફક્ત 15 જીબી સુધી સંગ્રહિત કરી શકાય છે.

ભૂતકાળમાં (2017) વપરાશકર્તાઓને સમજાવ્યું હતું કે Google ડ્રાઇવ પર સંગ્રહિત મેસેજિંગ એપ્લિકેશનનો ડેટા એનક્રિપ્ટ થયેલ નથી. જો કે, વોટ્સએટ્સના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સત્તાવાળાઓ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારત સરકારે એપ્લિકેશન પર મોકલવામાં આવેલા સંદેશાઓની ટ્રેસબિલિટી પ્રદાન કરવા મેસેજિંગ પ્લેટફોર્મ પર ફોન કર્યો છે.

વોટ્સએટ્સએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેના સંદેશાને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે અને તે ટ્રેસબિલિટીની ઓફર કરી શકતું નથી. એક સ્વતંત્ર સુરક્ષા સંશોધક, સાઈ ક્રિષ્ના કોઠાપલ્લીએ જણાવ્યું હતું કે, “એક વોટ્સએટ યુઝર તરીકે, તમારી પાસે ગૂગલ ડ્રાઇવ પર બેકઅપ લેવાનો વિકલ્પ નથી.” “તેઓ તમને બૅકઅપ લેવાની ફરજ પાડતા નથી. તે એક લક્ષણ છે તેથી, જો તમે Google પર ભરોસો રાખો છો, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેમણે ઉમેર્યું હતું કે,” જો કાયદા અમલીકરણ એજન્સીઓ ચોક્કસ વપરાશકર્તા ડેટા માટે Google ને વિનંતી કરે છે, ગૂગલ દ્વારા તમારો ડેટા સરકારી એજન્સીઓને આપી શકાય એમ છે. ”

વૉટ્સએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પૂરું પાડે છે, જેનો અર્થ થાય છે કે જે વપરાશકર્તા મોકલે છે તે મેસેજ ફક્ત પ્રાપ્તકર્તા અને મોકલનાર એમ બે વ્યક્તિ દ્વારા વાંચી શકાય છે. કોઇપણ ત્રીજા પક્ષકાર દ્વારા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનમાં કોઇપણ પ્રકારે મેસેજિસ કે ઇમેજીસ ટ્રેસ કરી શકાતા નથી.

 

August 14, 2018
rupee-full.jpg
1min7710

રૂપિયો સૌપ્રથમ વાર અમેરિકન ડોલર સામે 70ની નીચે સરક્યો છે. રૂપિયો ડોલર સામે સળંગ બીજા દિવસે તૂટ્યો છે. તા.13 ઓગસ્ટના રોજ ડોલર સામે રૂપિયો 69.93ની ઓલટાઈમ લો સપાટીને સ્પર્શ્યો હતો અને આજે મંગળવારે પ્રતિ ડોલર સામે રુપિયો 69.84 પૈસા પર ખૂલ્યા બાદ રૂ.70.085 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પર ગગડી ગયો હતો. ભારત માટે આ નુકસાનકારક હોવા સાથે શરમજનક અને અપમાનજનક સ્થિતિ જોવાય રહી છે. ભારત એવા દેશોની યાદીમાં આવી ગયો છે કે જેનું ચલણ સતત અવમૂલ્યન સહન કરી રહ્યું છે.

ટ્રેડ વોરની ઘટના શરૂ થઈ ત્યારથી ભારતનો રૂપિયો છેલ્લા ત્રણ મહિનામાં 3.2 ટકા ઘટ્યો છે. તેની સામે ચીનના યુઆનમાં 8.6 ટકાનો ઘટાડો જોવાયો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ આ ગાળામાં ચાર ટકા વધ્યો છે. ચીનનો યુઆન ડોલર સામે ઐતિહાસિક 6.95 તળિયાની નજીક સરકીને દોઢ વર્ષના નીચલા 6.89ના સ્તરે રહ્યો હતો.

ફોરેક્સ કામકાજમાં રૂપિયામાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેને પગલે ઓપન માર્કેટમાં રિઝર્વ બેન્કે પણ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 70ના લોએસ્ટ લેવેલે ગગડ્યો હતો. જેથી ખ્યાલ આવ્યો હતો કે હજુ સુધી ભારતીય ચલણમાં વેચવાલી અટકી નથી.

August 13, 2018
major1.jpg
1min6850

મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી 

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે

ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.

મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

 

 

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.

August 11, 2018
chikufarmbullet.jpg
1min11950

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

બુલેટ ટ્રેન માટે ખેડૂતો ભલે સ્થળ પર કાર્યવાહી ન કરવા દે, સરકારે 2013ના નવા કાયદાને આધાર બનાવીને જમીનના દફતરમાં જ સીધી બુલેટ ટ્રેનની એન્ટ્રી પાડી દીધી

નવસારીના પાંતરી અને દેસાડની 50થી વધુ જમીનોના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ કરી દેવાઇઃ ખેડૂત સમાજ 20મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ મામલો રજૂ કરશે

બુલેટ ટ્રેન માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો ભલે જમીન સંપાદનની કાર્યવાહી કરી રહેલા તંત્રવાહકોને પોતાની જમીનમાં ઘૂસવા ન દેતા હોય પરંતુ, સરકારે પાછલે બારણે એવો કિમીયો અપનાવ્યો છે કે ખેડૂતો દોડતા થઇ ગયા છે. 2013માં કેન્દ્ર સરકારે અમલી બનાવેલા જમીન સંપાદનના કાયદાનો ઉપયોગ કરીને નવસારી કલેક્ટરએ દેસાડ અને પાંતરી ગામોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવરી લેવાયેલી જમીનોના દફતરમાં ખેડૂતોની જાણ બહાર સીધી જ બુલેટ ટ્રેન માટેની એન્ટ્રી કરી દીધી છે. નીચે મુજબની ઇમેજ પરથી જોઇ શકાય છે કે જમીનના 7-12ની નકલમાં કયા પ્રકારની નોંધ કરવામાં આવી છે. નવસારીના દેસાડ અને પાંતરી ગામની આ જમીનોમાં બીજો હક  હવે બુલેટ ટ્રેનનો લાગુ થઇ ગયો છે.

(બુલેટ ટ્રેનના જમીન સંપાદન સામે ઝુંબેશ ચલાવી રહેલા ખેડૂત આગેવાન દર્શન નાયક અને ખેડૂતોની ફાઇલ તસ્વીર)

સરકારની આ નીતિ સરમુખત્યારશાહી જેવી ઃ દર્શન નાયક,  સુરત જિલ્લા ખેડૂત આગેવાન

સુરત જિલ્લાના આગેવાન અને ખેડૂત અગ્રણી શ્રી દર્શનભાઇ નાયકે CIAને જણાવ્યું હતું કે જો આ પ્રકારે સરમુખત્યારશાહીથી જ ખેડૂતોની મહામૂલી જમીનો પચાવી લેવાની હોય તો પછી માપણી તેમજ અન્ય કાર્યવાહીની ઔપચારિકતા કેમ, હકીકતમાં લોકશાહીનો છેદ ઉડાડી દેતી આ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અમે રણનીતિ નક્કી કરીને આગળ વધીશું.

નવસારીના દેસાડ અને પાંતરી ગામની જમીનોના દફતરમાં નીચે મુજબની નોંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના 2013ના નવા જમીન સંપાદન કાયદા અનુસાર કરાયું જમીન સંપાદન

ગુજરાત હાઇકોર્ટમાં મુદ્દો લઇ જવાશેઃ જયેશ પટેલ (પાલ)

જમીનના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ પાડ્યા બાદ ઉદભવેલી સ્થિતિમાં સુરત ખેડૂત સમાજના અાગેવાન જયેશ પટેલ (પાલ) કહે છે કે ખેડૂતો જમીન ખરીદ-વેચાણ કરી શકશે પણ તેમાં બુલેટ ટ્રેનની નોંધ હશે એટલે ભવિષ્યમાં નવો માલિક એવી દલીલ નહીં કરી શકે કે તેને બુલેટ ટ્રેના જમીન સંપાદન અંગે કોઇ માહિતી જ હતી નહીં કે છુપાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જમીન સંપાદનની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રીટ અંગે આગામી તા.20મી ઓગસ્ટે હિયરીંગ થવાનું છે તેમાં આ મુદ્દાને પણ પડકારવામાં આવશે.

નવસારીના 28 ગામોમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનનો ટ્રેક

નવસારી જિલ્લાના કુલ 28 ગામોની જમીનો બુલેટ ટ્રેનના ટ્રેક માટે સંપાદનમાં આવી રહી છે અને તેમાંથી કુલ 48 રનિંગ કિ.મી.નો ટ્રેક પસાર થાય છે. નવસારીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર જે વળતર આપવાની વાત કરી રહી છે એના કરતા બજારભાવ ખૂબ ઉંચો છે અને સરકારી વળતર સાથે તેની સરખામણી થઇ શકે તેમ જ નથી.