CIA ALERT

વાયરલ Archives - Page 82 of 82 - CIA Live

September 5, 2018
hardik-1280x720.jpg
1min5800

ખેડૂતો માટે ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય હવે દર કલાકે કથળી રહ્યું છે. અત્યાર સુધી હાર્દિક પટેલના ઉપવાસને નજરઅંદાજ કરનાર રાજ્ય સરકાર તા.4થી સપ્ટેમ્બરથી એવી હરકતમાં આવી કે હવે હાર્દિકની માગણીઓ પરત્વે અંદરખાને વિચારણા શરૂ કરી દીધી છે. જેમ જેમ હાર્દિકનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેમ તેમ રાજ્ય સરકારનું બ્લડ પ્રેશર વધી રહ્યાનું જણાય આવે છે. જે રીતે  રાજ્ય સરકારે હાર્દિકને પારણા કરાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે એ જોતા હવે રાજ્ય સરકારે હાર્દિક પટેલના મુદ્દે કંઇકને કંઇક નમતું ઝોખવું પડે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.

ઉપવાસના 11માં દિવસે સરકારે હાર્દિકને સિરીયલી લેવાનું શરૂ કર્યું

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે, પરંતુ આજદિન સુધી એક પણ પ્રધાન કે ભાજપના ધારાસભ્યએ હાર્દિકના આંદોલન અંગે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો, પરંતુ વિવિધ પાટીદાર સંસ્થાઓ દ્વારા હાર્દિકના આંદોલનને સમર્થન આપીને મધ્યસ્થી બનવાની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ પ્રધાન સૌરભ પટેલે આજે એકાએક નિવેદન કર્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસથી સરકાર પણ ચિંતિત છે. હાર્દિકે પણ તેની તબિયતનું ધ્યાન રાખી ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ.

હાર્દિકનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે, સરકારનું બીપી વધી રહ્યું છે

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ઉપવાસથી અગિયાર દિવસમાં હાર્દિકનું 20 કિલો વજન ઊતરી ગયુ છે. હાર્દિકનું ધરખમ વજન ઉતારતાં સોલા સિવિલના ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી. હાર્દિક ગયા મહિનાની 25મી તારીખથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા. 25મી ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઊતર્યો ત્યારે તેનું વજન 78 કિલો હતું. ઉપવાસના 10 દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે 20 કિલો વજન ઊતરી ગયું છે. હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હૉસ્પિટલની ટીમ પહોંચી હતી. તબીબોની ટીમમાં એક ફિઝિશિયન ડૉક્ટરને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસથી યુરિન કે બ્લડ ટેસ્ટ કરવાની ના પાડી રહ્યો છે.

સોલા સિવિલના ડૉકટરે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમાં પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. તેણે સુગર અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી હતી. 100/80 પલ્સ રેટ અને હાલ 58.3 કિલો વજન થયું છે. હાર્દિકને હૉસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી છે. હલનચલન કરવામાં તેને તકલીફ થાય છે અને ચક્કર આવી રહ્યા હોવાની તેણે ફરિયાદ કરી છે. હાર્દિક ઉપવાસ પર ઊતર્યો ત્યારે તંદુરસ્ત અને હસમુખો ચહેરો ધરાવતો હતો, પરંતુ ઉપવાસ પર ઊતરતા તેણે અન્નનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ જળનો ત્યાગ કરતાં તેની હાલત દિવસે ને દિવસે કથળી હતી, પરંતુ 1 સપ્ટેમ્બરે એસપી સ્વામીએ જળગ્રહણ કરાવ્યું જેને પગલે તેને થોડી રાહત થઈ હતી, પરંતુ તેનું વજન ઉતરવાનું ઓછું થયું ન હતું.

પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી

મંગળવારે તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસમાં પાટીદારોની 6 ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બંધબારણે બેઠક મળી હતી. બેઠક બાદ સાંજે સી. કે. પટેલ અને જેરામ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ સરકારને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યું હતું, જ્યાં કેબિનેટ પ્રધાનો સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સંયુક્ત બેઠક યોજીને હાર્દિકને પારણાં કરાવવા માટેનો વિચાર-વિમર્શ કર્યો હતો. બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હાર્દિક પટેલ પારણાં કરશે નહીં અને ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે.

 

August 27, 2018
WhatsApp_Logo-1920-1280x720.jpg
1min13000

વોટ્સએટ્સ દ્વારા તેના વપરાશકર્તાઓને સૂચિત કરવામાં આવે છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન કે જે વ્હોટ્સએપ એપ્લિકેશન પર મેસેજીસ અને મીડિયા ફક્ત બે પક્ષકારો પૂરતા સિમીત રાખે છે પરંતુ, જો વ્હોટ્સ એપ પરના ડેટા Google ના સર્વર્સ પર બૅકઅપ તરીકે સંગ્રહિત કરવામાં આવશે તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની કોઇ ખાતરી વ્હોટ્સએપ આપી શકે નહીં. Google ડ્રાઇવમાં વૉટ્સએટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત નથી.

 

વોટ્સએપ મેનેજમેન્ટે તેની સાઇટ પર અપડેટમાં જણાવ્યું હતું કે 16 મી ઓગસ્ટના રોજ ફેસબુકની માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે તેણે ગૂગલ સાથે કરાર કર્યો છે, જે યુઝર્સને ઇન્ટરનેટ કંપનીના મેગા સ્ટોરેજ ઓફર પર સંદેશા સંગ્રહિત કરવાની પરવાનગી આપે છે. ગૂગલ (Google) ડ્રાઇવ પર જુદા જુદા હેતુઓના ડેટાને ફક્ત 15 જીબી સુધી સંગ્રહિત કરી શકાય છે.

ભૂતકાળમાં (2017) વપરાશકર્તાઓને સમજાવ્યું હતું કે Google ડ્રાઇવ પર સંગ્રહિત મેસેજિંગ એપ્લિકેશનનો ડેટા એનક્રિપ્ટ થયેલ નથી. જો કે, વોટ્સએટ્સના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સત્તાવાળાઓ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારત સરકારે એપ્લિકેશન પર મોકલવામાં આવેલા સંદેશાઓની ટ્રેસબિલિટી પ્રદાન કરવા મેસેજિંગ પ્લેટફોર્મ પર ફોન કર્યો છે.

વોટ્સએટ્સએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેના સંદેશાને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે અને તે ટ્રેસબિલિટીની ઓફર કરી શકતું નથી. એક સ્વતંત્ર સુરક્ષા સંશોધક, સાઈ ક્રિષ્ના કોઠાપલ્લીએ જણાવ્યું હતું કે, “એક વોટ્સએટ યુઝર તરીકે, તમારી પાસે ગૂગલ ડ્રાઇવ પર બેકઅપ લેવાનો વિકલ્પ નથી.” “તેઓ તમને બૅકઅપ લેવાની ફરજ પાડતા નથી. તે એક લક્ષણ છે તેથી, જો તમે Google પર ભરોસો રાખો છો, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેમણે ઉમેર્યું હતું કે,” જો કાયદા અમલીકરણ એજન્સીઓ ચોક્કસ વપરાશકર્તા ડેટા માટે Google ને વિનંતી કરે છે, ગૂગલ દ્વારા તમારો ડેટા સરકારી એજન્સીઓને આપી શકાય એમ છે. ”

વૉટ્સએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પૂરું પાડે છે, જેનો અર્થ થાય છે કે જે વપરાશકર્તા મોકલે છે તે મેસેજ ફક્ત પ્રાપ્તકર્તા અને મોકલનાર એમ બે વ્યક્તિ દ્વારા વાંચી શકાય છે. કોઇપણ ત્રીજા પક્ષકાર દ્વારા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનમાં કોઇપણ પ્રકારે મેસેજિસ કે ઇમેજીસ ટ્રેસ કરી શકાતા નથી.

 

August 14, 2018
rupee-full.jpg
1min7620

રૂપિયો સૌપ્રથમ વાર અમેરિકન ડોલર સામે 70ની નીચે સરક્યો છે. રૂપિયો ડોલર સામે સળંગ બીજા દિવસે તૂટ્યો છે. તા.13 ઓગસ્ટના રોજ ડોલર સામે રૂપિયો 69.93ની ઓલટાઈમ લો સપાટીને સ્પર્શ્યો હતો અને આજે મંગળવારે પ્રતિ ડોલર સામે રુપિયો 69.84 પૈસા પર ખૂલ્યા બાદ રૂ.70.085 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પર ગગડી ગયો હતો. ભારત માટે આ નુકસાનકારક હોવા સાથે શરમજનક અને અપમાનજનક સ્થિતિ જોવાય રહી છે. ભારત એવા દેશોની યાદીમાં આવી ગયો છે કે જેનું ચલણ સતત અવમૂલ્યન સહન કરી રહ્યું છે.

ટ્રેડ વોરની ઘટના શરૂ થઈ ત્યારથી ભારતનો રૂપિયો છેલ્લા ત્રણ મહિનામાં 3.2 ટકા ઘટ્યો છે. તેની સામે ચીનના યુઆનમાં 8.6 ટકાનો ઘટાડો જોવાયો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ આ ગાળામાં ચાર ટકા વધ્યો છે. ચીનનો યુઆન ડોલર સામે ઐતિહાસિક 6.95 તળિયાની નજીક સરકીને દોઢ વર્ષના નીચલા 6.89ના સ્તરે રહ્યો હતો.

ફોરેક્સ કામકાજમાં રૂપિયામાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેને પગલે ઓપન માર્કેટમાં રિઝર્વ બેન્કે પણ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 70ના લોએસ્ટ લેવેલે ગગડ્યો હતો. જેથી ખ્યાલ આવ્યો હતો કે હજુ સુધી ભારતીય ચલણમાં વેચવાલી અટકી નથી.

August 13, 2018
major1.jpg
1min6780

મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી 

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે

ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.

મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

 

 

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.

August 11, 2018
chikufarmbullet.jpg
1min11830

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

બુલેટ ટ્રેન માટે ખેડૂતો ભલે સ્થળ પર કાર્યવાહી ન કરવા દે, સરકારે 2013ના નવા કાયદાને આધાર બનાવીને જમીનના દફતરમાં જ સીધી બુલેટ ટ્રેનની એન્ટ્રી પાડી દીધી

નવસારીના પાંતરી અને દેસાડની 50થી વધુ જમીનોના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ કરી દેવાઇઃ ખેડૂત સમાજ 20મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ મામલો રજૂ કરશે

બુલેટ ટ્રેન માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો ભલે જમીન સંપાદનની કાર્યવાહી કરી રહેલા તંત્રવાહકોને પોતાની જમીનમાં ઘૂસવા ન દેતા હોય પરંતુ, સરકારે પાછલે બારણે એવો કિમીયો અપનાવ્યો છે કે ખેડૂતો દોડતા થઇ ગયા છે. 2013માં કેન્દ્ર સરકારે અમલી બનાવેલા જમીન સંપાદનના કાયદાનો ઉપયોગ કરીને નવસારી કલેક્ટરએ દેસાડ અને પાંતરી ગામોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવરી લેવાયેલી જમીનોના દફતરમાં ખેડૂતોની જાણ બહાર સીધી જ બુલેટ ટ્રેન માટેની એન્ટ્રી કરી દીધી છે. નીચે મુજબની ઇમેજ પરથી જોઇ શકાય છે કે જમીનના 7-12ની નકલમાં કયા પ્રકારની નોંધ કરવામાં આવી છે. નવસારીના દેસાડ અને પાંતરી ગામની આ જમીનોમાં બીજો હક  હવે બુલેટ ટ્રેનનો લાગુ થઇ ગયો છે.

(બુલેટ ટ્રેનના જમીન સંપાદન સામે ઝુંબેશ ચલાવી રહેલા ખેડૂત આગેવાન દર્શન નાયક અને ખેડૂતોની ફાઇલ તસ્વીર)

સરકારની આ નીતિ સરમુખત્યારશાહી જેવી ઃ દર્શન નાયક,  સુરત જિલ્લા ખેડૂત આગેવાન

સુરત જિલ્લાના આગેવાન અને ખેડૂત અગ્રણી શ્રી દર્શનભાઇ નાયકે CIAને જણાવ્યું હતું કે જો આ પ્રકારે સરમુખત્યારશાહીથી જ ખેડૂતોની મહામૂલી જમીનો પચાવી લેવાની હોય તો પછી માપણી તેમજ અન્ય કાર્યવાહીની ઔપચારિકતા કેમ, હકીકતમાં લોકશાહીનો છેદ ઉડાડી દેતી આ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અમે રણનીતિ નક્કી કરીને આગળ વધીશું.

નવસારીના દેસાડ અને પાંતરી ગામની જમીનોના દફતરમાં નીચે મુજબની નોંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના 2013ના નવા જમીન સંપાદન કાયદા અનુસાર કરાયું જમીન સંપાદન

ગુજરાત હાઇકોર્ટમાં મુદ્દો લઇ જવાશેઃ જયેશ પટેલ (પાલ)

જમીનના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ પાડ્યા બાદ ઉદભવેલી સ્થિતિમાં સુરત ખેડૂત સમાજના અાગેવાન જયેશ પટેલ (પાલ) કહે છે કે ખેડૂતો જમીન ખરીદ-વેચાણ કરી શકશે પણ તેમાં બુલેટ ટ્રેનની નોંધ હશે એટલે ભવિષ્યમાં નવો માલિક એવી દલીલ નહીં કરી શકે કે તેને બુલેટ ટ્રેના જમીન સંપાદન અંગે કોઇ માહિતી જ હતી નહીં કે છુપાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જમીન સંપાદનની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રીટ અંગે આગામી તા.20મી ઓગસ્ટે હિયરીંગ થવાનું છે તેમાં આ મુદ્દાને પણ પડકારવામાં આવશે.

નવસારીના 28 ગામોમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનનો ટ્રેક

નવસારી જિલ્લાના કુલ 28 ગામોની જમીનો બુલેટ ટ્રેનના ટ્રેક માટે સંપાદનમાં આવી રહી છે અને તેમાંથી કુલ 48 રનિંગ કિ.મી.નો ટ્રેક પસાર થાય છે. નવસારીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર જે વળતર આપવાની વાત કરી રહી છે એના કરતા બજારભાવ ખૂબ ઉંચો છે અને સરકારી વળતર સાથે તેની સરખામણી થઇ શકે તેમ જ નથી.

 

August 11, 2018
lalit.jpg
1min6480

ધોરાજીના ભાદર ડેમ માં કેમિકલયુક્ત ગંદુ અને ઝેરી પાણી હોવાના મુદ્દે મામલો ગરમાયો છે. સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયાએ અહીં જળ સમાધિ લેવાની ચિમકી ઉચ્ચારતા ભૂખી ગામે આજે સવારથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. દરમિયાન હાર્દિક પટેલે પણ લલીત વસોયાને સમર્થન આપીને જળસમાધિ લેવાની જાહેરાત કરતા પોલીસ વધુ હરકતમાં આવી હતી અને આજે બન્નેની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. લલીત વસોયા ડેમમાં ભૂસકો મારે તે પહેલા જ પોલીસે તેમને જબરદસ્તી કરીને પકડી રાખ્યાના અહેવાલો સ્થળ પરથી મળ્યા હતા.

જળસમાધી પૂર્વે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા બાદ વસોયા જળ સમાધી લેશે. પરંતુ સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ પર જાય તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

લિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ. આદોલનને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. તેઓએ ટેકો જાહેર કર્યો છે.

આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

August 8, 2018
maratha.jpg
1min11510

આરક્ષણની માગણીને લઇ મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલ તા. 9 ઓગસ્ટને ગુરુવારે બંધની હાકલ કરી હોઇ બંધ દરમિયાન રાજ્યમાં હિંસાની ઘટના રોકવા મુંબઈ પોલીસ આજે તા.8મી ઓગસ્ટથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળે છે. અગાઉ આંદોલન દરમિયાન જ્યાં હિંસાની ઘટના બની હતી, એવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યને વધારાની સિક્યોરિટી ફોર્સ પૂરી પાડી છે. મહારાષ્ટ્રએ 15 કંપનીની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રે માત્ર સાત કંપની મોકલી છે, જેમાં રેપિડ એક્શન ફોર્સની છ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (એસઆરપીએફ)ની એક કંપનીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પોલીસદળનું સંખ્યાબળ બે લાખ જેટલું છે અને તેમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો પણ સમાવેશ છે. પોલીસની મદદ માટે હોમગાડર્સને પણ તહેનાત કરવામાં આવશે. લોકોને શાંતિપૂર્વક આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી હોઇ અમે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે અને અફવા પર ધ્યાન ન આપવાનું જણાવ્યું છે.

જો કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઇ આવશે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવાનું પણ જણાવાયું છે, એમ અધિકારીએ કહ્યું હતું.

આંદોલનનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે અને આ વીડિયો તથા સીસીટીવી ફૂટેજ ગુનેગારો તથા તોફાની તત્ત્વોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે, જે તકનો લાભ લઇને હિંસામાં આચરી શકે છે.

નોંધનીય છે કે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર તેમ જ નવી મુંબઈ અને થાણેમાં મરાઠા સંગઠનો દ્વારા ગયા મહિને બંધની હાકલ કરી હતી અને બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. 18 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન રાજ્યમાં હિંસાના 276 કેસ નોંધાયા હતા. ઉપરાંત 250 સ્થળે પથ્થરમારાની ઘટના, જ્યારે આગજનીની 198 ઘટના બની હતી. રૂ. 4.5 કરોડથી વધુની સરકારી તથા ખાનગી મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

August 5, 2018
goat.jpg
1min13300

મસ્જિદ બંદર સ્ટેશન પર બુધવારે એક અજીબ ઘટના ઘટી.

goat

એક યાત્રી ટિકિટ વિના પોતાની બકરી લઈને સફર કરી રહ્યો હતો. રેલવેના નિયમ અનુસાર સામાન્ય ડબ્બામાં પ્રાણીઓને લઈને સફર કરવાની પરવાનગી નથી હોતી. ટિકિટચેકરે જ્યારે આ ભાઈ પાસે ટિકિટ માગી ત્યારે પહેલાં તો તે ગભરાઈ ગયો. ઊભો થઈને ખિસ્સાં ફંફોસવા લાગ્યો અને પછી ચકમો આપીને ત્યાંથી ભાગી ગયો. જોકે તેની બકરી ટ્રેનમાં જ રહી ગઈ.

આવા સંજોગોમાં હવે આ બકરીનું શું કરવું એ બાબતે ટિકિટચેકર મૂંઝવણમાં મુકાયા. તેમણે આ બકરીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી અને CSMTના લગેજ રૂમમાં બાંધી દીધી.

તા.3 ઓગસ્ટે આ બસંતી નામની આ બકરીની પણ હરાજી કરવામાં આવી હતી. લગેજ રૂમમાં બાંધેલી બકરી પર બાકાયદા ‘૩૦૦૦ રૂપિયામાં વેચાણ માટે’ એવી તકતી લગાવવામાં આવી હતી. રેલવે-અધિકારીઓને તા.3 ઓગસ્ટે એનો ખરીદદાર મળ્યો હતો અને એ ૨૫૦૦ રૂપિયામાં વેચાઈ હતી. અબ્દુલ રહેમાન નામની વ્યક્તિએ આ બકરી ખરીદી હતી અને તેણે કહ્યું હતું કે બકરીનું શું કરવું એ વિશે મેં હજી વિચાર્યું નથી.

July 25, 2018
mumbai1.jpeg
1min14130

મરાઠા અનામતની માંગને લઈને બીજા દિવસે પણ મહારાષ્ટ્ર બંધના એલાનના હિંસક પ્રત્યાઘાત પડ્યા છે. ટ્રેન, બસ, પબ્લિકપ્રોપર્ટી પર બેફામ પથ્થરમારો કરીને પારાવાર નુકસાની પહોંચાડવામાં આવી છે. માયા નગરી મુંબઇ જાણે ઠપ થઇ ગઇ છે. સ્કુલ કોલેજોને તકેદારીના પગલા રૂપે પહેલેથી જ બંધ રખાયા છે. પ્રાઇવેટ ઓફિસો પણ બંધ કરાવી દેવામાં આવી છે. કેટલાક માર્ગો પરથી કરફ્યુ હોય તેવી સ્થિતિ ભાસી રહી છે.

થાણે અને નવી મુંબઈમાં બંધ દરમિયાન રાજ્ય પરવિહન નિગમની બસોને નિશાન બનાવવામાં આવી હતી. ટોળા દ્વારા બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દરમિયાન મુંબઈમાં બંધને પગલે કંજુરમાર્ગ અને ભાંડુપમાં પણ બે બેસ્ટ બસને ટાર્ગેટ બનાવાવમાં આવી હતી. બસો પર પથ્થરમારો કરવાની ઘટનાને પગલે બૃહમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ કેટલાક ભાગોમાં સેવા સ્થગિત કરી દીધી હતી.

અનામતની માગણી સાથે થાણે પછી ઘંસોલી રેલવે સ્ટેશન પર ટ્રેક પર લોકો ઉતર્યા હતા અને ટ્રાંસ-હાર્બર સેવા ઠપ થઈ ગઈ હતી. થાણે-ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મરાઠા સમાજ દ્વારા રસ્તા રોકો આંદોલન બાદ ટ્રાફિક જામ થતા લોકોને હાલાકી પડી હતી.