વાયરલ Archives - Page 75 of 82 - CIA Live

March 7, 2019
gseb-1280x720.jpg
1min18660

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.

Paper Review HSC ફિઝિક્સ

બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

Paper Review HSC અકાઉન્ટન્સી

ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.

Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ

આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.

Paper Review SSC

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.

ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.

વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

March 5, 2019
ai_news.jpg
1min8260

ચીનની ન્યુઝ એજન્સી શિન્હૂઆએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી ચાલતી પહેલી મહિલા ન્યૂઝ એન્કરને લાઈવ કરી દીધી છે. આ એઆઈ મહિલા એન્કરનું નામ શિન શિઓમેંગ છે. જેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગવેજ માણસથી વધુ અલગ નથી.

મહિલા AI (Artificial Intelligence) એઆઈ શિન શિઓમેંગ સમાચાર એજન્સી શિન્હૂઆમાં બની એન્કર

રવિવારે પેઈચિંગમાં શરૂ થયેલી પોલિટિકલ મિટિંગ ટૂ સેશન દરમિયાન મહિલા એન્કરે 1 મિનિટ સુધી સમાચાર વાંચ્યા હતા. આ દરમિયાન એઆઈ શિઓમેંગે ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેના ટૂંકા વાળમાં એક સાચી મહિલા એન્કર જેવી જ લાગતી હતી. હકીકતમાં શિઓમેંગ ચીનની ત્રીજી વર્ચુઅલ એન્કર છે. શિઓમેંગ પહેલા બે પુરુષ એઆઈ એન્કર લાઈવ આવી ચૂક્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એઆઈ ન્યૂઝ એન્કર ક્યૂ હાઓને ચીનમાં આયોજીત વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફ્રેન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્યૂ હાઓ અત્યારસુધીમાં 3400 રિપોર્ટસ સાથે ક્રીન ઉપર 10,000 મિનિટ વિતાવી ચૂક્યો છે.

ન્યૂઝ એજન્સી શિન્હૂઆના કહેવા પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતા જર્નાલિઝમ ઉપર ઘણા પ્રયોગો થયા બાદ પેઈચિંગની સોગોઉ ઈંક સાથે મળીને મહિલા એઆઈ એન્કર તૈયાર કરવામાં આવી છે. જે માણસો કરતા ઘણી બાબતોમાં વધુ સારી છે. જેમ કે તે થાક્યા વિના કલાકો સુધી સમાચાર વાંચી શકે છે અને તેનાથી પ્રોડક્શનના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. એક દાવા પ્રમાણે શિઓમેંગ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયામાં 24 કલાક સમાચાર વાંચવા સક્ષમ છે.

March 1, 2019
abhi.jpg
1min12280

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.

February 25, 2019
drought-1280x720.jpg
1min7640
  • શેત્રુંજી અને ભાદર ડેમમાં ફક્ત ૧૨ ટકા જ પાણી
  • સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક
  • ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો
  • કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન
  • આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ
  • રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો
  • રાજકોટ જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક
  • ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી

સૌરાષ્ટ્ર-કચ્છ પર ગંભીર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગત વર્ષે અત્યંત ઓછા વરસાદના લીધે હવે આગામી દિવસોમાં પીવા અને સિંચાઈના પાણીની તીવ્ર અછત ઊભી થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

હાલની પરિસ્થિતિએ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયાં છે. ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો જ હવે બચવા પામ્યો છે. આ પરિસ્થિતિને લીધે હવે આ ડેમો પર નિર્ભર શહેરો અને ગામડાઓ માટે ફક્ત નર્મદાના નીર જ એકમાત્ર આધાર રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના બે સૌથી મોટા ડેમો ભાદર અને શેત્રુંજીમાં પણ તેની કુલ સંગ્રહ ક્ષમતા સામે ફક્ત ૧૦થી ૧૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌથી ખરાબ હાલત કચ્છ જિલ્લાની છે. કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન બની ગયાં છે.અને જે બે ડેમોમાં પાણીનો જથ્થો બચ્યો છે તે પણ એકાદ માસમાં ખાલી થઈ જવાની સંભાવના છે ત્યારે આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ છે.

રાજકોટના જળાશયોની સ્થિતિ મોટાભાગે ખાલીખમ જોવા મળી રહી છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્યાં જળાશયોની સ્થિતિ પ્રમાણમાં સારી હતી તેવા જૂનાગઢ જિલ્લામાં પણ હવે ડેમો ખાલીખમ થઈ ગયા છે.

જોકે, ગીર સોમનાથ જિલ્લામાં ગત સાલ મેઘમહેરના પગલે જળાશયોમાં હજુ પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે. તો બીજી તરફ વરસાદ ન થવાના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક થઈ ગયાં છે. તો ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી. જળાશયોમાં ફક્ત માર્ચ માસના અંત સુધી ચાલે તેટલો જ જળજથ્થો ઉપલબ્ધ હોવાનું સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા છે.

 

February 20, 2019
jab-koi-baat-05-1.jpg
1min24200

પોતાની 20મી મેરેજ એનિવર્સરીને એક અદ્દલ બોલીવુડ સોંગ બનાવડાવીને સેલિબ્રેટ કરનાર સુરતી યુગલ અજીતા અને જગદીશ ઇટાલિયા અભિનીત ગુજરાતી સોંગ જબ કોઇ બાત ને યુ ટ્યુબ પર ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ મળ્યા છે. કોઇ સુરતી બોલિવુડના ખ્યાતનામ સિંગર્સ કે એક્ટર્સને મળતા હોય તેવા વ્યુઝ મળે એ સુરતીઓ માટે ગૌરવપ્રદ ઘટના છે.

ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ કમાઇ ચૂક્યું છે સુરતી કપલનું રોમેન્ટિક સોંગ જબ કોઇ બાત-વાલમ આવોને

એડવેન્ચરિયસ સાઇકલિંગ માટે ખ્તાયનામ અજિતા અને જગદીશ ઇટાલિયા મ્યુઝિક તેમાં પણ ખાસ કરીને ગુજરાતી મ્યુઝિકના ભારોભાર પ્રેમી છે. તક અને સમય મળે ત્યારે અજિતા કે જગદીશ ગીત ગાવાની એકેય તક જતી કરતા નથી હોતા એવા આ સુરતી મ્યુઝિક લવર કપલ અજિતા અને જગદીશ ઇટાલિયાએ પોતાની 20મી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે જોધપુર ખાતે પોતાના પર જ જબ કોઇ બાત અને વાલમ આવોને ગીતનું ફિલ્માંકન કરાવ્યું હતું. સોંગ મેકીંગ પ્રોસેસ દરમિયાન તેમની અપેક્ષા બહાર આ ગીતની સિનેમેટોગ્રાફિ, મ્યુઝિક કમ્પોઝિશન, લિરીક્સ બધું જ એટલું યોગ્ય હતું કે વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંપનીને એપ્રોચ કરીને તેનું વર્લ્ડ પ્રીમિયર અને એ પણ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ઉપલક્ષમાં કરવાનું નક્કી કરાયું હતું. વિનસ મ્યુઝિક કંપનીએ જબ કોઇ બાત વાલમ આવોને સોંગ યુ ટ્યુબ સમેત 9 મ્યુઝિક ચેનલ્સ પર લોંચ કર્યાના 3 જ દિવસમાં સુરતી કપલના અદ્લ બોલિવુડ સ્ટાઇલ ગુજરાતી સોંગને 10 લાખ કરતા વધુ વ્યુઅર્સ મળી ચૂક્યા છે.

  • ઓવર વ્હેલમિંગ રિસપોન્સની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ : જગદીશ ઇટાલિયા
  • અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે : અજિતા ઇટાલિયા

અમે જ્યારે જગદીશ અને અજિતાનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે આટલા વ્યુઅર્સ મળ્યા પછી કેવી ફિલિંગ થાય છે, ત્યારે સાહજિક રીતે જ જગદીશ ઇટાલિયાએ કહ્યું આ રિસ્પોન્સ કલ્પના બહારનો છે, સ્વપ્નેય વિચાર્યું ન હતું કે મારી એનિવર્સરી સેલિબ્રેશન માટે બનાવેલું સોંગ  ગુજરાતી મ્યુઝિક લવર્સને આટલી હદે ગમશે. આ એક ઉત્સાહ વર્ધક રિસ્પોન્સ છે, ઓવર વ્હેલમિંગની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ. અજિતા ઇટાલિયાએ સહજતાથી કહ્યું કે અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે. સોંગ પ્રત્યેના લોકોના પ્રતિભાવો અમે જ્યારે સોશ્યલ મિડીયા પર વાંચીએ છીએ ત્યારે એવી ફિલીંગ આવે છે કે જાણે અમે પ્રોફેશનલ હોઇએ.

February 18, 2019
guvnl1.jpg
1min11730

જાન્યુઆરી 2019માં રૂ.8 કરોડ ખોટી રીતે વસૂલી લીધા, હવે ફેબ્રુઆરીના બિલમાં પણ આવી જ લૂંટ મચે તેવી શક્યતા

ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ્યના સરકારી વીજળી વાપરતા ૧.૪૦ કરોડ વીજગ્રાહકો પાસેથી ગત જાન્યુઆરી માસમાં રૂ.૮ કરોડ વસૂલ્યા હતા અને આ જ પદ્ધતિ ફેબ્રુઆરી-માર્ચના બિલોમાં ચાલુ રહેવાની દહેશત વર્તાય રહી છે.

‘જર્ક’એ આ ખોટી વસૂલાત ઉપર તત્કાળ અસરથી રોક લગાવવી જોઈએ અને વસૂલાયેલી રકમ બિલમાં મજરે આપવી જોઈએ તેવી રજૂઆત વિવિધ ગ્રાહક હિત રક્ષક મંડળો દ્વારા કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ફ્યુઅલ સરચાર્જ યાને ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈસ એડ્જસ્ટમેન્ટ યુનિટ દીઠ રૂ.૧.૯૦ વસૂલવાનો હતો, પરંતુ ગ્રાહકોને અપાયેલાં બિલોમાં રૂ.૧.૯૯ ચાર્જ થયો હતો, જે ૯ પૈસાનો વધારો વીજગ્રાહકો પાસેથી બીજા ક્વાર્ટરનાં બિલોમાં વસૂલી લેવાયો હતો. આમ યુનિટ દીઠ ૯ પૈસાનું નવું માગણું ૧.૪૦ કરોડ ગ્રાહકો પાસેથી ખોટી રીતે ઊભું કરાયું છે.

સરકારી ચાર વીજ કંપનીઓ મહિને સરેરાશ ૮૦ હજાર લાખ યુનિટના વપરાશનાં બિલો જનરેટ કરે છે, એટલે પ્રતિમાસ ૯ પૈસા લેખે આશરે રૂ.૨૫ કરોડ ત્રણ મહિનામાં વસૂલાશે જે પૈકી જાન્યુઆરીના ૮ કરોડ વસૂલી લેવાયા હતા. તેથી ખોટી રીતે વસૂલાયેલી રકમ જે તે ગ્રાહકોને બિલમાં મજરે આપવી જોઈએ અને ફેબ્રુઆરી-માર્ચની સંભવિત વસૂલાત બંધ કરાવવી જોઈએ તેવી રજૂઆત વીજ નિષ્ણાત કે.કે.બજાજે જર્કના ચેરમેનને પત્ર લખી કરી હતી.

February 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6570

કસ્ટમ ઓફિસમા વિદેશી દારૂની બોટલ મુદ્દે તમામ સ્ટાફની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા

સુરત અમદાવાદની ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ વિજીલેંસની ટીમે ગયા બુધવારે, તા.6 ફેબ્રુઆરીના રોજ અચાનક સગરામપુરા ખાતે આવેલી કસ્ટમ ઓફિસમા તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી કેટલીક ગેરરીતીઓ મળી આવી હતી. જેમાં ત્રીજા માળે મુકવામા આવેલા એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. આ કિસ્સામાં આજે કસ્ટમ વિભાગના ઉચ્ચાધિકારીઓએ એક સાથે 10 અધિકારી કર્મચારીઓની ટ્રાન્સફર કરી દીધી હોવાના સમાચારો ચમક્યા છે. કુલ 4 અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે દારુની બાટલી મળ્યા બાદ અત્યાર સુધી ત્યાં હાજર સ્ટાફની પૂછપરછમાં કોઇએ પણ સ્વીકાર કર્યો નથી. જેને પગલે વિજિલેંસના અધિકારીઓ પણ ગુંચવણમા મુકાયા છે જોકે તેઓ પણ આ મુદ્દે કાચું કાપવાના મુડમા નથી.

આગામી દિવસોમાં બુધવારે હાજર રહેલા તમામ કર્મચારી અને અન્ય સ્ટાફનો નિવેદન લેવામા આવે તેવી સંભાવના છે.

કસ્ટમનાં સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વિજિલેંસની ટીમે બુધવારે બપોરે સાડા ત્રણ વાગે શરૂ કરેલી તપાસ ગુરુવારે વહેલી સવાર ત્રણ વાગે સુધી ચાલુ હતી. તપાસ દરમિયાન એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. જોકે કબાટની માલિકી કોની છે તેનો કોઇએ સ્વીકાર કર્યો નથી. હવે આશ્ચર્યની વાત એ છે કે કસ્ટમ ઓફિસમા ત્રીજા માળે કબાટમાં દારૂની બોટલ કોણે મુકી છે. વિજિલેંસના અધિકારીઓ પણ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે જોકે તેમણે દારૂની બોટલ મળ્યા બાદ તરતજ ત્યાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફનો નિવેદન લેવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ અત્યાર સુધી કોઇ ઠોસ માહિતી મળી નથી તેથી સંભાવના છે કે કસ્ટમ વિભાગ દ્વારા તે દિવસે હાજર રહેલા તમામ કર્મચારી ઇન્સ્પેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ સહિત અન્ય તમામના નિવેદન લેવામા આવી તેવી શક્યતા છે અત્રે ઉલ્લેખનીય છે કે કસ્ટમ વિભાગમાં વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવવાની ઘટનાને લીધે ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ છે. વિદેશી દારૂ મળ્યા અંગે ખુદ કસ્ટમ વિભાગ પણ કસ્ટમ એક્ટના ભંગ બદલ તપાસ શરૂ કરશે. કસ્ટમ વિભાગમાં આવી ગેરરીતી મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે જોકે હવે તપાસ બાદ કેટલીક હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.

February 3, 2019
sunday.png
1min32360

અઠવાડીયામાં 7 દિવસ હોય છે પણ રવિવારે જ ભારતમાં કેમ રજાનો દિવસ હોય છે, એ અંગે મોટેરાઓને ભલે વિચાર ન આવતા હોય પરંતુ, નાના, શાળાએ જતા બાળકોને આ પ્રશ્ન જરૂર થાય છે અને તેઓ જેને આ અંગે પૂછતા હોય છે એવા મોટેરાઓ પાસે આનો જવાબ હોતો નથી. હકીકતમાં રવિવારે રજા રાખવાની પરંપરા શરૂ થવા પાછળના ઐતિહાસિક કારણો બહુ જ રસપ્રદ છે અને કોઇપણ વ્યક્તિએ આ ઇતિહાસ જાણવો જોઇએ.

હકીકતમાં 1843માં ભારતમાં રવિવારે રજા આપવાની પ્રથા શરૂ થઇ હતી. અંગ્રેજ શાસકો પોતે રવિવારના દિવસે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જતા હતા પરંતુ, ભારતીય મજદૂરો પાસે રવિવારે પણ કામ કરાવતા હતા, એ સમયે અંગ્રેજ શાસકોને ભારતીય આગેવાનોએ રજૂઆતો કરીને રવિવારના દિવસે રજા રાખવા માટે અપીલ કરી હતી. એ પછીથી અંગ્રેજોએ ભારતમાં 6 ડે વર્કિંગ પરંપરા શરૂ કરી હતી જે આજે પણ અકબંધ છે.

Sunday officially became an off day since 1843 . It took the British government a decade long on making Sunday an official holiday in India as was the case in Britain. The story behind it is – According to Christianity God created the world in 6 days and on the 7th day he took rest i.e. Sunday .

February 3, 2019
yogi-helicopter.jpg
1min5780

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા. યોગી આદિત્યનાથ હવે બંને રેલીને ફોનથી સંબોધન કરશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં 2 રેલી કરવાના હતા. રેલીના સ્થળ નજકી તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની પરવાનગી નથી મળી, જેને કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હવે ફોન દ્વારા રેલીને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ સાથે આ ઘટના થઈ ચૂકી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને ઝારગ્રામમાં લેન્ડિંગની પરવાનગી નહોતી આપવામાં આવી. આ ઉપરાંત માલદામાં પણ તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી નહોતી.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળમાં 100થી વધુ રેલી કરવાનું છે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ માલદામાં રેલી કરીને શરૂઆત કરી દીધી છે. સીએમ યોગી આદિત્યનાથ પણ ચાર રેલી કરવાના છે.

February 3, 2019
bihar1.jpg
1min9360
બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પલટી, આઠના મોત
બિહારના વૈશાલીમાં મોટી રેલ દુર્ઘટના

બિહારના વૈશાલીમાં આજરોજ તા.3 ફેબ્રુઆરી 2019ની વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના સર્જાતા સમગ્ર દેશમાં રવિવારની સવારે આ અકસ્માત ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જોગબનીથી દિલ્હી આનંદ વિહાર જઈ રહેલી સીમાંચલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉથલી પડયા હતા. ઘટના બની ત્યારે ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો નિંદ્રાધીન હતા. ડબ્બાઓ ઉથલી પડવાથી સર્જાયેલા ગગનભેદી અવાજને કારણે આસપાસના લોકો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડબ્બાઓ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની પ્રારંભિક કામગીરી શરૂ કરી દીધી હતી. દુર્ઘટનામાં અત્યાર સુધી આઠ મુસાફરોના મોત નિપજ્યા હોવાનું ત્તંત્રવાહકો જણાવી રહ્યા છે અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે જેને આસપાસની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન અપ અથવા ડાઉન લાઈન સ્થગિત કરવામાં આવી છે.

રેલવે પ્રધાન રેલ્વે બોર્ડ સાથે અકસ્માત પછી રાહત અને બચાવ કામગીરી અંગે સતત સંપર્કમાં છે. તેમણે રેલવે મુસાફરોની મૃત્યુ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ ઘાયલ લોકોને સ્વસ્થ રહેવાની કામના કરી છે.

ટ્રેનના નવ ડબ્બા પટરી પરથી ઉતરવાના સમાચાર આવ્યા છે. એમાંથી ત્રણ સ્લીપર (એસ-8, એસ-9 અને એસ-10)છે. એક જનરલ કોચ અને એક AC કોચ(બી-3)ના ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા છે. દુર્ઘટનામાં એક ડબ્બો પૂરો ખરાબ રીતે પલટી ખાતા આ ડબ્બામાં મુસાફરી કરી રહેલા લોકોના જાનમાલને સૌથી વ્યાપક નુકસાન થયું હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

દુર્ઘટના બાદ સદહેઈ બુઝુર્ગ સ્ટેશન પર NDRFની ટીમ પહોંચી ગઈ છે. ક્રેનના મદદથી ટ્રેનના ડબ્બાઓને કાપીને પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સૂચના અનુસાર વૈશાલી ડીએસ રાજીવ રોશન અને એસપી માનવજીત સિંહ ઢિલ્લોન પણ પહોંચી ગયા છે.