CIA ALERT

વાયરલ Archives - Page 76 of 82 - CIA Live

February 3, 2019
sunday.png
1min32520

અઠવાડીયામાં 7 દિવસ હોય છે પણ રવિવારે જ ભારતમાં કેમ રજાનો દિવસ હોય છે, એ અંગે મોટેરાઓને ભલે વિચાર ન આવતા હોય પરંતુ, નાના, શાળાએ જતા બાળકોને આ પ્રશ્ન જરૂર થાય છે અને તેઓ જેને આ અંગે પૂછતા હોય છે એવા મોટેરાઓ પાસે આનો જવાબ હોતો નથી. હકીકતમાં રવિવારે રજા રાખવાની પરંપરા શરૂ થવા પાછળના ઐતિહાસિક કારણો બહુ જ રસપ્રદ છે અને કોઇપણ વ્યક્તિએ આ ઇતિહાસ જાણવો જોઇએ.

હકીકતમાં 1843માં ભારતમાં રવિવારે રજા આપવાની પ્રથા શરૂ થઇ હતી. અંગ્રેજ શાસકો પોતે રવિવારના દિવસે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જતા હતા પરંતુ, ભારતીય મજદૂરો પાસે રવિવારે પણ કામ કરાવતા હતા, એ સમયે અંગ્રેજ શાસકોને ભારતીય આગેવાનોએ રજૂઆતો કરીને રવિવારના દિવસે રજા રાખવા માટે અપીલ કરી હતી. એ પછીથી અંગ્રેજોએ ભારતમાં 6 ડે વર્કિંગ પરંપરા શરૂ કરી હતી જે આજે પણ અકબંધ છે.

Sunday officially became an off day since 1843 . It took the British government a decade long on making Sunday an official holiday in India as was the case in Britain. The story behind it is – According to Christianity God created the world in 6 days and on the 7th day he took rest i.e. Sunday .

February 3, 2019
yogi-helicopter.jpg
1min5790

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા. યોગી આદિત્યનાથ હવે બંને રેલીને ફોનથી સંબોધન કરશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં 2 રેલી કરવાના હતા. રેલીના સ્થળ નજકી તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની પરવાનગી નથી મળી, જેને કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હવે ફોન દ્વારા રેલીને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ સાથે આ ઘટના થઈ ચૂકી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને ઝારગ્રામમાં લેન્ડિંગની પરવાનગી નહોતી આપવામાં આવી. આ ઉપરાંત માલદામાં પણ તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી નહોતી.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળમાં 100થી વધુ રેલી કરવાનું છે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ માલદામાં રેલી કરીને શરૂઆત કરી દીધી છે. સીએમ યોગી આદિત્યનાથ પણ ચાર રેલી કરવાના છે.

February 3, 2019
bihar1.jpg
1min9380
બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પલટી, આઠના મોત
બિહારના વૈશાલીમાં મોટી રેલ દુર્ઘટના

બિહારના વૈશાલીમાં આજરોજ તા.3 ફેબ્રુઆરી 2019ની વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના સર્જાતા સમગ્ર દેશમાં રવિવારની સવારે આ અકસ્માત ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જોગબનીથી દિલ્હી આનંદ વિહાર જઈ રહેલી સીમાંચલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉથલી પડયા હતા. ઘટના બની ત્યારે ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો નિંદ્રાધીન હતા. ડબ્બાઓ ઉથલી પડવાથી સર્જાયેલા ગગનભેદી અવાજને કારણે આસપાસના લોકો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડબ્બાઓ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની પ્રારંભિક કામગીરી શરૂ કરી દીધી હતી. દુર્ઘટનામાં અત્યાર સુધી આઠ મુસાફરોના મોત નિપજ્યા હોવાનું ત્તંત્રવાહકો જણાવી રહ્યા છે અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે જેને આસપાસની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન અપ અથવા ડાઉન લાઈન સ્થગિત કરવામાં આવી છે.

રેલવે પ્રધાન રેલ્વે બોર્ડ સાથે અકસ્માત પછી રાહત અને બચાવ કામગીરી અંગે સતત સંપર્કમાં છે. તેમણે રેલવે મુસાફરોની મૃત્યુ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ ઘાયલ લોકોને સ્વસ્થ રહેવાની કામના કરી છે.

ટ્રેનના નવ ડબ્બા પટરી પરથી ઉતરવાના સમાચાર આવ્યા છે. એમાંથી ત્રણ સ્લીપર (એસ-8, એસ-9 અને એસ-10)છે. એક જનરલ કોચ અને એક AC કોચ(બી-3)ના ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા છે. દુર્ઘટનામાં એક ડબ્બો પૂરો ખરાબ રીતે પલટી ખાતા આ ડબ્બામાં મુસાફરી કરી રહેલા લોકોના જાનમાલને સૌથી વ્યાપક નુકસાન થયું હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

દુર્ઘટના બાદ સદહેઈ બુઝુર્ગ સ્ટેશન પર NDRFની ટીમ પહોંચી ગઈ છે. ક્રેનના મદદથી ટ્રેનના ડબ્બાઓને કાપીને પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સૂચના અનુસાર વૈશાલી ડીએસ રાજીવ રોશન અને એસપી માનવજીત સિંહ ઢિલ્લોન પણ પહોંચી ગયા છે.

January 31, 2019
social-media-1.jpg
1min5280

ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા ફેસબુક, ગુગલ જેવા સોશ્યલ મિડીયાની કંપનીઓ પર સરકાર ભારતમાં ગ્રાહકોની સંખ્યા અને વોલ્યુમના આધારે કંપનીઓ પર ટેક્સ નાખવા વિચારી રહી છે. તેના લીધે ગૂગલ અને ફેસબૂક જેવી કંપનીઓ પર ટેક્સ બોજ વધી શકે છે. વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

સરકારે ગયા વર્ષે ‘નોંધપાત્ર આર્થિક હાજરી’ અથવા ડિજિટલ પર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (પીઇ)ની આસપાસ માળખું રચ્યું છે. હવે તે આગામી બજેટમાં પોતાના નિયમ લાવવા વિચારી રહી છે, એમ આ હિલચાલ અંગેની જાણકારી ધરાવતા બે જણાએ જણાવ્યું હતું.

વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

ભારતમાં હાલમાં કંપનીઓ પાસેથી પર્મેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટના કન્સેપ્ટના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ નિષ્ણાતોએ કહ્યું કે કંપની પર ટેક્સ વસૂલવાનો અધિકાર કોની પાસે છે તે નક્કી કરવા માટે આ એક લિટમસ ટેસ્ટ હશે. સરકારે ગયા વર્ષે જણાવ્યું હતું કે વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી. ભારતીય કરવિભાગ હવે ડિજિટલ કંપનીઓને સ્થાનિક ટેક્સ જાળમાં આવરી લેવા માંગે છે.

આ હિલચાલ અંગે સીધી જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે, “કંપનીઓ અને તેમના ક્લાયન્ટ્સ વચ્ચે અનેકવિધ વ્યવહારો થાય અથવા તો તેમની પેરેન્ટ કંપનીની સાથે ગ્રાહકોની સંખ્યા જોવી જરૂરી છે. સ્થાનિક વેરાઓ આ આંકડાથી દૂર છે. આ જટિલ વિષય છે અને તેમાં નાની કંપનીઓ નથી પણ મોટી માછલીઓ પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે સરકાર આ માટે લાખો ભારતીય ગ્રાહકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેના પ્રમાણના આધારે કર દર નક્કી કરશે, જેથી નાની કંપનીઓ પર અસર ન પડે.

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ કંપનીઓનું મોનિટરિંગ કરીને તેઓ નિયમોનું પાલન કરે તેની ચકાસણી કરવાની બાબત ઘણી પડકારજનક હશે. “સિગ્નિફિકન્સ ઇકોનોમિક પ્રેઝન્સ (એસઇપી)થી સોદાની સંખ્યાના આધારે બિઝનેસ કનેક્શનનો આધાર અને સોદાના કુલ મૂલ્ય અથવા તો ગ્રાહક આધાર જેવા માપદંડ ધ્યાનમાં લેવાશે.

સરકારે આના પર ટિપ્પણીઓ મંગાવી છે અને જણાવ્યું છે કે તેના અંગેના માપદંડો અને માર્ગદર્શિકાઓની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રકારના હેતુલક્ષી વિષયમાં નિરીક્ષણ મોટો પડકાર છે અને આ માટે કંપનીઓ પાસે પણ આ પ્રકારની સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ હોવી જરૂરી છે.” એમ ટેક્સ એન્ડ રેગ્યુલેટરી સર્વિસિસ અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના પાર્ટનર સમીર કાનાબારે જણાવ્યું હતું.

January 30, 2019
gandeva_falia.jpg
1min3296

નવસારીના ગણદેવા હરીપુરા ફળિયા ગામ ખાતે ખ્રીસ્તી ધર્મ પાળનારા લોકો માટે પ્રવેશ બંધી ફરમાવતા બોર્ડએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું છે. વર્ગ વિગ્રહને બિનજરૂરી નિમંત્રિત કરતા આ બોર્ડને કારણે આજે પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિને તા.30મી જાન્યુઆરી 2019ના રોજ નરેન્દ્ર મોદી નવસારી ખાતે આવી રહ્યા છે ત્યારે જ એક ધર્મ ને ઉદ્દેશીને લગાડવામાં આવેલા આ બોર્ડને પગલે રાજકીય અને સામાજિક તખ્તે મામલો ગરમાયો છે. નવસારીના જે ગામમાં ખ્રિસ્તીઓને પ્રવેશ બંધીનું બોર્ડ લગાડવામાં આવ્યું છે એ ગણદેવા હરીપુરા ફળિયાની વસતિ 7 હજારની છે અને મોટા ભાગે આદિવાસી સમુદાયના પરિવારો અહીં રહે છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હરિપરા ફળિયા નામના ગામમાં બાર આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં ગામના લોકો એવા રોષે ભરાયા છે કે તેમણે ગામની હદ શરૂ થાય ત્યાં જ બોર્ડ લગાવીને સૂચના મૂકી દીધી છે કે ખ્રિસ્તી ધર્મ પાળનારાં ભાઈઓ-બહેનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં

મહિના પહેલાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હરિપરા ફળિયા નામના ગામમાં બાર આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં ગામના લોકો એવા રોષે ભરાયા છે કે તેમણે ગામની હદ શરૂ થાય ત્યાં જ બોર્ડ લગાવીને સૂચના મૂકી દીધી છે કે ખ્રિસ્તી ધર્મ પાળનારાં ભાઈઓ-બહેનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં.

આ બોર્ડ અને ગામમાં અન્ય જગ્યાએ લટકતાં પોસ્ટર કોની સૂચનાથી લગાવવામાં આવ્યાં છે એના વિશે કોઈ કશું નથી કહેતું, પણ એવી ધારણા મૂકવામાં આવે છે કે આ બોર્ડ અને પોસ્ટર અન્ય કોઈ નહીં પણ આદિવાસી સમાજના આગેવાનો અને પ્રમુખ દ્વારા મૂકવામાં આવ્યાં હોય શકે છે.

જિલ્લા કલેક્ટરે આ બોર્ડ કાઢવાનો આદેશ આપ્યો છે તો સાથોસાથ આ બોર્ડે કોણે લગાવ્યાં એ બાબતમાં તપાસ પણ સોંપી છે.

જિલ્લા કલેક્ટરે આ બોર્ડ કાઢવાનો આદેશ આપ્યો છે તો સાથોસાથ આ બોર્ડે કોણે લગાવ્યાં એ બાબતમાં તપાસ પણ સોંપી છે. નવસારીના કલેક્ટર ડૉ. એમ. ડી. મોદિયાએ કહ્યું હતું કે ‘લોકશાહીમાં તમે કોઈ એક કમ્યુનિટી કે વ્યક્તિ પર બૅન મૂકી ન શકો કે એનો બહિષ્કાર ન કરી શકો એટલે આ પ્રકારના બોર્ડનો કોઈ અર્થ નથી, પણ અમે એની તપાસ કરીશું અને જે-તે કસૂરવાર સામે પગલાં પણ લઈશું.’

 

January 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6010

સામાજિક મીડિયામાં વડા પ્રધાન અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર એમડીએમકેના સ્થાનિક કાર્યકર્તાની અટક કરવામાં આવી હતી, એવી પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી.

મોદીની તમિળનાડુ મુલાકાત પહેલા ફેસબુક પર વડા પ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર એમડીએમકેના સિરકાઝી ગામના એકમના નેતા સાહિત્યરાજ ઉર્ફે બાલુ સામે સ્થાનિક ભાજપ નેતાએ ફરિયાદ નોંધાવી હતી. સાહિત્યરાજે મોદીનું એક ચિત્ર બનાવ્યું હતું જેમાં મોદીને કટોરો લઇને ભીખ માગતા બતાવવામાં આવ્યા હતા. સાહિત્યરાજને સિરકાઝી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે ઉપસ્થિત કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી.

January 28, 2019
marriage.jpeg
1min13470

ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં પટેલ પરિવારના લગ્ન યોજાયા હતા જ્યાં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા (કન્યાપક્ષ) વચ્ચે માથાકૂટ સર્જાતા હસ્ત મેળાપ થયાની થોડી જ મિનિટોમાં નવદંપતીએ છૂટાછેડા લેવાની નોબત આવી હતી. લગ્ન સમારંભમાં જ વકીલોને બોલાવી વર અને કન્યા પક્ષે એકબીજાને આપેલી ચીજ વસ્તુઓ સામસામી પરત કરી લગ્ન ફોક જાહેર કર્યા હતા. ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં આટલું ટૂંકું લગ્નજીવન હજી સુધી નોંધાયું નથી. કહેવાય છે આ નવદંપતિનું લગ્ન ફક્ત 16 મિનિટ જેટલું ટક્યું હતું અને 17મી મિનિટે જાનૈયાઓ અને માંડવીયાઓ (કન્યાપક્ષ) વચ્ચે થયેલી બબાલમાં નવદંપતિએ કાયમ માટે છૂટા પડી જવું પડ્યું હતું.

ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ યોજાયો હતો. ખેડાથી આવેલી જાન લઇને આવેલા જાનૈયાઓના આગમનથી લઇને લગ્ન મંડપમાં બધુ સમૂસુતરું ચાલ્યું હતું. માંડવીયાઓની હસી ખુશીથી લગ્ન વિધિ થઇ રહી હતી. દરમિયાન પંચોલાના ભોજન વેળાએ કોઈ કારણોસર જાનૈયા અને માંડવીયાઓ વચ્ચે ઝઘડો થતાં ઝઘડો થયો હતો. સૌરાષ્ટ્રમાં પંચોલુ એટલે લગ્નમંડપમાં કંસાર જેવી વાનગીથી મોઢું મીઠું કરાવવાનો રિવાજ. આ રિવાજ રસમ અદા કરતી વખતે કશું વાંકું પડ્યું હતું અને શરૂ થઇ હતી મોટી બબાલ. જોત જોતામાં બબાલ એટલી મોટી થઇ કે હાથાપાઇ સુધી વાત પહોંચી ગઇ અને પોલીસને બોલાવવાની નોબત આવી ગઇ હતી. અંતે વર અને કન્યા પક્ષના આગેવાનોએ લગ્ન સ્થળે જ છુટાછેડાની વિધી કરી લેવા માટે વકીલોને પણ ત્યાં બોલાવી લીધા હતા અને વર અને કન્યા પક્ષે એકબીજાને જે કંઇપણ આપ્યું હતું તેની પરત આપલે કરીને છૂટાછેડાના કાગળીયાઓ પર પણ સહીઓ કરાવી લેવાઇ હતી.

‘રાત્રિના સમયે જાનૈયા અને માંડવીયા વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીટી પોલીસના પી.એસ.આઈ ઠાકોર તેમજ રાઇટર પુનિતભાઈ અગ્રાવત સહિતનો પોલીસ કાફલો દોડી ગયો અને બંને પક્ષના વકીલો આવી ચડતા સગાઈ તેમજ લગ્ન વખતે એકબીજાને આપવામાં આવેલી ચીજવસ્તુઓ પરત કરવામાં આવી હતી. ચાર ફેરા ફર્યાની ગણતરીની મિનિટમાં જ મંડપ મધ્યે છૂટાછેડા થવા પામ્યા હતાં.

January 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7230

દાહોદ નજીકના એક ગામની યુવતી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે ઘરે લઈ જતી વખતે ગોધરા-દાહોદ રોડ પર યુવતીના શરીરમાં અચાનક હલનચલન થતા તેને ફરી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની તબિયત સુધારા પર છે.

દાહોદ નજીકના એક ગામમાંથી બહારગામ જવા નીકળેલા પરિવારને ગત તા. 19મી જાન્યુઆરીએ રાતના સમયે દાહોદ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારની એક યુવતીને ગંભીર ઈજાઓ હતી જેથી તેને સારવાર અર્થે વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સારવાર દરમિયાન બીજા દિવસે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા દાહોદ વસતા આ યુવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને યુવતીની અંતિમ યાત્રા સવારે દસ વાગ્યે લઈ જવાશે તેવું પરિવાર દ્વારા નક્કી કરાયા બાદ સમાજમાં સોશિયલ મીડિયા દ્વારા પણ જાણ કરી દેવામાં આવી હતી. જોકે દાહોદ પરત લાવતી વખતે ગોધરાથી દાહોદની વચ્ચે એમ્બ્યુલન્સમાં યુવતીનું શરીર હલાવતા તે જીવિત હોવાનું જણાયું હતું જેથી યુવતીને દાહોદના ખાનગી દવાખાનામાં લઈ જઈને તપાસ કરવામાં આવતા યુવતી જીવિત હોવાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક સારવાર બાદ યુવતીને વધુ સારવાર માટે ફરીથી વડોદરા ખાતે બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરના તબીબોના મત પ્રમાણે દર્દી શોકમાં જતો રહે તે અવસ્થામાં તેના ધબકારા અનિયમિત થઈ જાય છે, જેથી તે સાંભળવા અતિમુશ્કેલ હોય છે. આ સંજોગોમાં પલ્સ અને બીપી બિલકુલ આવતું નથી, જેથી દર્દી મૃત છે કે જીવિત તે અનુમાન થતું નથી. આ સંજોગોમાં ક્યારેક ભૂલ થઈ પણ શકે છે.

January 24, 2019
swine-flu_.jpg
1min7730

ગુજરાતમાં સ્વાઇન ફ્લુ રોગચાળાએ બિલ્લી પગે જાહેર આરોગ્ય પર જબરદસ્ત શિકંજો કસી દીધો હોવાની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગમાં પણ સ્વાઇન ફ્લુના રોગોના કેસોની સંખ્યાએ ભૂકંપ મચાવી દીધો છે. છેલ્લા 22 દિવસ દરમિયાન સ્વાઇન ફ્લુના 210થી વધુ કેસો નોંધાતા સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓને એલર્ટ પોઝીશનમાં લાવી દેવામાં આવ્યા છે. હાલમાં રાજકોટ અને અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લુના રોગો સૌથી વધુ સંખ્યામાં મળી રહ્યા છે.

  • દેશમાં સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે
  • અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત
  • રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા
  • રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ

ગુજરાતભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે. 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 210 કેસ નોંધાયા છે. તેમ જ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત થયા હતા. ફક્ત અમદાવાદ સિવિલમાં સ્વાઈન ફ્લૂના 31 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા હતા જેમાં રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ નોંધાયા છે જેથી આરોગ્ય વિભાગના સલામતીના દાવા પોકળ સાબિત થયા છે. દેશમાં સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. રાજસ્થાનમાં 33માંથી 31 જિલ્લા સ્વાઈન ફ્લૂના સકંજામાં છે. તેમ જ રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂના 789 કેસ નોંધાયા છે તેમ જ 51 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગચાળાએ માઝા મૂકી છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 66 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 19 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 19 કેસ અને રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 27 કેસ નોંધાયા છે જેમાંથી રાજકોટ શહેરમાં 2, રાજકોટ ગ્રામ્યમાં 3 અને રાજકોટ જિલ્લામાં 6 લોકોના મોત થયા છે.

(Swine Flu image)

January 22, 2019
ahmedabad_airport-1280x720.jpg
1min6260

બીજા પૅસેન્જરે સીટ ક્લેઇમ કરી ત્યારે ભૂલ જાણવા મળી, નહીં તો મુંબઇની જગ્યાએ કોલકાત્તા પહોંચી ગયા હોત મુસાફર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની જાણીતી કંપનીમાં કામ કરતા ૫૩ વર્ષના ભરત દવે ગાંધીનગર યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ કવર કરવા માટે ત્રણ દિવસ માટે મુંબઇથી અમદાવાદ ગયા હતા. રવિવારે વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન બાદ તેઓ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મુંબઇ જવા રવાના થયા હતા.

ભરત દવે મુંબઈમાં હતા તેમને પગમાં ઈજા થઈ હતી આમ છતાં, તેઓ વાઇબ્રન્ટ ઇવેન્ટ માટે ત્રણ દિવસ ગાંધીનગર આવ્યા હતા. એ દરમિયાન તેમને પગમાં ભારે દુખાવો શરૂ થયો હતો. દરમિયાન તા.20મીએ વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ પૂરી થયા બાદ રવિવારે સાંજે 6.40 વાગ્યાની અમદાવાદથી મુંબઈ માટે ઇન્ડિગોની ફ્લાઇટની ટિકિટ બુક હોઇ ભરત દવે ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.

ભરત દવેને પગ ઇજા અને દુખાવો જોઈને ફ્લાઇટ સ્ટાફે વ્હીલચૅર પર ફ્લાઇટ સુધી લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી. ભરત દવેના બોર્ડિંગ પાસની ત્રણથી વધુ વખત તપાસ કરવામાં આવી હતી. અને અમદાવાદ એરપોર્ટ પર ૬ નંબરના ગેટ સુધી લઈ જવામાં આવ્યા. ત્યાર બાદ અન્ય ફ્લાઇટ સ્ટાફે તેમને ત્યાંથી ફ્લાઇટ સુધી લઇ ગયા. ફ્લાઇટમાં લઇ જઇને તેમને સીટ ૨D પર બેસાડી ફ્લાઇટ સ્ટાફ રવાના થઇ ગયો હતો. બાદમાં ધીરે-ધીરે પૅસેન્જરો ફ્લાઇટમાં પોતાની સીટ્સ પર બેસવા માંડ્યા ત્યારે એક પ્રવાસીએ ૨D સીટ પોતાની હોવાનો દાવો કરી બોર્ડિંગ પાસ બતાવ્યો ત્યારે ક્રૂ-મેમ્બરને અને ભરત દવેને ખબર પડી કે આ મુંબઈની નહીં પણ કલકત્તાની ફ્લાઇટ છે.

અમદાવાદથી મુંબઈ આવી રહેલા ઈજાગ્રસ્ત ગુજરાતી મુંબઈગરાને પ્લેનના સ્ટાફે કલકત્તાની ફ્લાઇટમાં બેસાડી દીધાની ગંભીર ભૂલ થઇ ગયા પછી ફ્લાઇટના સ્ટાફે માફી માગીને તેમને અમદાવાદથી મુંબઈની ફ્લાઇટમાં શિફ્ટ કર્યા હતા. જોકે ફ્લાઇટ સંબંધિત કંપનીએ આ વિશે તપાસ શરૂ કરી હતી.

ભરત દવેને ખોટી ફ્લાઇટમાં બેસાડવાના પગલે તા.20મી જાન્યુઆરી 2019ને રવિવાર સાંજની અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી કલકત્તાની એમ બન્ને ફ્લાઇટ્સ લેટ પણ પડી હતી.