વાયરલ Archives - Page 74 of 82 - CIA Live

April 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5330

હિંમતનગર ખાતે આવતીકાલ તા.17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર સભા માટે તૈયાર કરવામાં આવેલા મંડપને આજે કુદરતી વાવાઝોડાએ તહસનહસ કરી મૂક્યો હતો. પ્રસ્તુત વિડીયો દર્શાવે છે કે ગુજરાતમાં આવેલા આંધી-તૂફાનને કારણે મોદીનો સભા મંડપ બિલકુલ વેરણછેરણ બની ગયો હતો.

Video From the Facebook wall of leading Journalist of Gujarat Shri Vivek Oza..

Posted by Vivek Oza on Tuesday, 16 April 2019

April 16, 2019
bharat_salman-1280x720.jpg
1min8060

સલમાન ખાનની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ‘ભારત’નો ચાહકોને બેસબરીથી ઇંતઝાર છે. આ ફિલ્મનું એક પોસ્ટર બહાર પડાયું છે. જેમાં સલમાન ખાન સાવ અલગ જ અંદાજમાં જોવા મળે છે. સલમાન ખાને આ પોસ્ટર ટ્વિટર પર રીલિઝ કર્યું છે. પોસ્ટરમાં સલમાન ખાન એક વૃદ્ધ આદમીનાં રૂપમાં જોવા મળે છે. સલમાન ટ્વિટ કર્યું છે કે જેટલા સફેદ વાળ મારા માથા અને દાઢીમાં છે, એથી તો મારી જિંદગી રંગીન છે. પોસ્ટર પર 2010 લખાયું છે. ભારતમાં સલમાન સાથે કેટરિના કૈફ અને દિશા પટણી છે. તબ્બુ અને સુનિલ ગ્રોવરના પણ રોલ છે. ઇદ પર ભારત ફિલ્મ રીલિઝ થશે. ડાયરેક્ટર અલી અબ્બાસ જાફર છે.’
April 1, 2019
mohan_kundaria.jpg
1min6000
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજકોટના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટે ભાજપના રીપીટ ઉમેદવાર એવા મોહન કુંડારીયાનો પાક વીમાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન સબબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાક વીમાનો પ્રશ્ન પૂછાતા સાંસદ ખુરશી પરથી ઉભા થઈને જતા રહેતા હોવાનું દેખાય છે. આ વિડીયોએ અનેક ચર્ચા જગાવી છે ત્યારે તે વિડીયો ચાર વર્ષ જુનો હોવાનું સાંસદ કુંડારીયા જણાવી રહ્યા છે.
વિડીયોમાં જણાઈ રહ્યું છે કે એક યુવક સાંસદને કપાસ સહિત પાક વીમા મુદ્દે પ્રશ્ન કરે છે ત્યારે કુંડારીયા કહે છે કે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વીમો આપવાની જવાબદારી સરકારની છે, તમારા ધારાસભ્યની આ જવાબદારી છે. સાંસદના આ જવાબથી નારાજ થઈને યુવક કહે છે કે ‘આ તમારી રીત છે જવાબ આપવાની ?’ જેથી સાંસદ કહે છે કે ‘તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થીયરી જ ખોટી  હતી.’ આ વાતચીત બાદ મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને ત્યાંથી જતા રહે છે.
મોહન કુંડારીયા કહે છે વિડીયો ચાર વર્ષ જૂનો છે
સાંસદ મોહન કુંડારીયાએ વાત કરતા જણાવ્યું હતું કે ‘એ વિડીઓ ચાર વર્ષ જુનો છે. વાંકાનેરના કલાવડી નજીક પ્રતાપગઢનો છે. અમે યાત્રા લઈને ત્યાં ગયા હતા. અત્યારે કોંગ્રેસ પાસે મારી વિરુઘ્ધ કોઈ મુદ્દા નથી એટલે નેગેટીવ પ્રચાર કરે છે.’ નોંધનીય છે કે ચૂંટણીના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.
March 26, 2019
shivraj-Patel-Rajkot.jpg
1min9500
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કેંગ્રેસમાંથી રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડશે તેવી પાંચેક દિવસથી ચર્ચા ચાલતી હતી અને હવે આ વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પરિવારજનોના નિર્ણય અનુસાર શિવરાજ પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત આજે નરેશભાઈ પટેલે કરી દીધી છે. હવે કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ યક્ષપ્રશ્ન બની ગયો છે.
સૌરાષ્ટ્રમાં બ્રાસનો ઉદ્યોગ લાવનારા અને આ ઉદ્યોગનો પાયો મજબૂત કરનારા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ સ્વ.રવજીભાઈ પટેલ રાજકારણથી દૂર રહેવામાં માનતા હતા અને તેમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર રમેશભાઈ પટેલ આ પરિવારના મોભી હોવાના નાતે તેમનો નિર્ણય આખરી માનવામાં આવે છે. છેલ્લા પાંચેક દિવસથી ચાલી રહેલી ચર્ચાના અંતે આજે એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, શિવરાજ પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. પારિવારિક અને સામાજિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અલબત્ત, નરેશભાઈની શાખના કારણે અનેક લોકોની, સમાજની લાગણી શિવરાજ પટેલ સાથે જોડાયેલી હતી કે, તેમણે ચૂંટણી લડવી જોઈએ. થોડા દિવસ પહેલાં ધોરાજીના એક કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં કહેલું કે, સમાજના યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. એ બાદ નરેશભાઈ પોતે ચૂંટણી લડે અથવા તેમના પુત્ર શિવરાજ ચૂંટણી લડે તેવી વાતો વહેતી થઈ હતી અને રવિવારે તો રાજકોટના કેટલાક મુખ્ય વિસ્તારમાં શિવરાજ પટેલને આવકારતા બેનર લાગી ગયા હતા. આ બધી ચર્ચા અને અટકળો વચ્ચે આજે આ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
બીજી તરફ હવે રાજકોટ બેઠક ઉપર કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. મોહનભાઈ કુંડારિયાની સામે લલિત કગથરાનું નામ ગાજ્યું હતું. જો કે, હવે કેંગ્રેસ પણ આ મામલે અવઢવમાં છે. રાજકોટમાં લોકસભાની બેઠક લડી શકે તેવું કોઈ ‘મોટું માથું’ કેંગ્રેસ પાસે રહ્યું નથી.
March 22, 2019
jklf.jpeg
1min13420
  • અગાઉની સરકારોએ યાસીન મલિક અને તેના જેવા નેતાઓ અને તેમની સંસ્થાઓને સુવિધાઓ જ આપ્યે રાખી હતી
  • અગાઉની એકેય સરકારોએ યાસિન મલિક કે અન્ય અલગાવવાદીઓ સામે પગલાં ભરવાથી કિનારો કર્યે રાખ્યો હતો

ચૂંટણીના સમયે તો ચૂંટણીના સમયે પરંતુ, નરેન્દ્ર મોદી સરકારની હિંમતને દાદ આપવી ઘટે. અત્યાર સુધી જેની સામે અગાઉની સરકારોએ એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો એવા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની સંસ્થા JKLF પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. દેશના મોટા ભાગના મોદી સરકારના આ નિર્ણયથી ખુશી અનુભવી રહ્યા છે. આ સંસ્થાની આડમાં યાસીન મલિક અનેક રીતે આતંકીઓનો પોષતો હોવાની પાક્કી બાતમીઓ મળી હતી. યાસીન મલિક અને તેની સંસ્થા JKLF સામે 27 જેટલી એફ.આઇ.આર. પણ દર્જ થઈ ચૂકી છે.

ગઇ તા. 26 ફેબ્રુઆરીએ NIAએ કાશ્મીર ખીણ વિસ્તારમાં સંખ્યાબંધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં યાસીન મલિક, શબ્બીર શાહ, મીરવાઈઝ ઉર ફારુક, મોહમ્મદ અશરફ ખાન, મસર્રત આલમ, ઝફર અકબર ભટ્ટના નામ સામેલ હતા જેના ભાગરૂપે આતંકવાદ સામે કેન્દ્ર સરકારે વધુ કાર્યવાહી હાથ ધરીને આજે તા.22મી માર્ચ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પર પ્રતિબંધ લાદી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારે આ પ્રકારની હિંમત કરી છે, અગાઉની સરકારોએ યાસિન મલિક અને તેના જેવા અનેક કાશ્મીરી અલગાવવાદીઓને સુવિધાઓ જ ધર્યે રાખી હતી.

મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFને આતંક વિરોધ કાયદા અંતર્ગત પ્રતિબંધિત કર્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય અલગાવવાદીઓ સામે મહત્વનો નિર્ણય છે. અલગાવવાદી નેતા યાસીન મલિક JKLFના પ્રમુખ છે.

JKLF પર સમયાંતરે આતંકી ગતિવિધિઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. JKLF પર પ્રતિબંધના સરકારના નિર્ણય અંગે માહિતી આપતા ગૃહ સચિવ રાજીવ ગાબાએ કહ્યું કે JKLF વિરુદ્ધ 27 FIR નોંધાઇ ચૂકી છે. જેમાં વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યાના કેસ અને મુફ્તી મોહમ્મદ સઈની પુત્રી રુબૈયા સઈદના અપહરણનો કેસ સામેલ છે. રાજીવ ગાબાએ કહ્યું કે આ સંગઠન આતંકને પ્રોત્સાહન આપવા માટે ગેરકાયદે ફંડિંગમાં જવાબદાર છે. આ સંગઠન ફાળો એક્ઠો કરીને ખીણમાં અશાંતિ ફેલાવે છે. જેનાથી હુર્રિયતના કાર્યકર્તાઓ અને પત્થરબાજોને પૈસા મળે છે.

JKLFને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, એટલે તેના વિરુદ્ધમાં ત્રણ મહિનાથી પગલાં લેવાઈ રહ્યા હતા. આ પહેલા સરકાર જમાત એ ઈસ્લામી પર પણ પ્રતિબંધ મૂકી ચૂકી છે. ઈડીએ પણ પાછલા કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં દરોડા કર્યા હતા. ઈડીએ યાસીન મલિકના કેટલાક ઠેકાણાંઓ પર પણ દરોડા કર્યા હતા.

 

March 22, 2019
nit-kurukshetra.jpg
1min7840

જયેશ બ્રહ્મભટ્ટ

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર આધારિત આમીર ખાનની સુપ્રસિદ્ધ ફિલ્મ થ્રી ઇડિયટમાં એક દ્રશ્ય એ છે કે ત્રણ મિત્રો આમંત્રિત ન હોવા છતાં કોલેજના ડાયરેક્ટરની પુત્રીના લગ્નમાં જમવા માટે પહોંચી જાય છે. ફિલ્મમાં આ સીન જોવાની બહુ મજા આવે, મનોરંજક લાગે પણ કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NIT ની હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને તેમની આસપાસના વિસ્તારોમાં થતાં લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જાય છે, આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને સમાજમાંથી ગંભીર ફરીયાદો ઉઠતાં કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NITના મેનેજમેન્ટએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક નોટીસ જારી કરવી પડી છે કે જો હવે પછી તેઓ અજાણ્યાના લગ્નસમારોહમાં, વિના આમંત્રણે જમવા માટે પહોંચી ગયેલા જણાશે, પકડાશે તો તેમની સામે આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

કુરુક્ષેત્ર એન.આઇ.ટી.ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ વોર્ડનએ આ પ્રકારે નોટિસ પાઠવવી પડી છે.

 

કુરુક્ષેત્ર NITના ચીફ વોર્ડનએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોગ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે વિના આમંત્રણે, ભળતા લોકોના લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જવું એ કોઇ મજાક નથી પણ સિદ્ધાંતો વિરુદ્ધની અને અનૈતિક વાત છે અને એ સંપૂર્ણ અસામાજિક વર્તન છે. સાંખી નહીં લેવાય એવી હરકત કરવાનું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બંધ નહીં કરે તો આકરાં પગલાં માટે તૈયાર રહે.

કુરુક્ષેત્ર NITના વિદ્યાર્થીઓ થ્રી ઇડિયટ મૂવીના સીન પરથી પ્રેરણા લઇને હોસ્ટેલનું બીબાંઢાળ ખાવાનું છોડીને હોસ્ટેલની આસપાસના પાર્ટી પ્લોટ્સમાં યોજાઇ રહેલા લગ્ન સમારોહમાં બિન બુલાયે મહેમાનની જેમ જમવા માટે પહોંચી જાય છે. અનેક વખત આ પ્રકારે કુરુક્ષેત્ર એન.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને લગ્ન આયોજકોએ તેમની ફરીયાદો પણ કરતા કુરુક્ષેત્ર NITનું મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે.

 

March 21, 2019
elnino1.jpg
1min16970

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અલ નિનોની આશંકા વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ મિટિયોરોલોજીએ તા.19મી માર્ચ 2019ના રોજ અલ નિનોના આઉટલૂકને ‘એલર્ટ’ મોડમાં મૂક્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના વૈશ્વિક ક્લાઇમેટ મોડલ્સ જૂનની આસપાસ અલ નિનો શક્યતામાં ‌વધારો દર્શાવે છે.

અલ નિનો પેસેફિક મહાસાગરની સપાટી પરનું તાપમાન ગરમ થવા સાથે સંકળાયેલું છે. તેની ભારતના ચોમાસા પર પ્રતિકૂળ અસર થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં હોય છે અને દેશના કુલ વરસાદનો 70 ટકા હિસ્સો આ ગાળામાં આવે છે.

બ્યૂરોએ તા.19મી માર્ચે અલ નિનો અંગેના તાજેતરના મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે, “2019માં અલ નિનોની શક્યતા વધીને લગભગ 70 ટકા થઈ છે, જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ગણી છે.” બ્યૂરોએ કહ્યું હતું કે, “આઠમાંથી એક સિવાયના તમામ ક્લાઇમેટ મોડલ્સમાં દરિયાની સપાટી પરનું તાપમાન એપ્રિલ અને જૂનમાં અલ નિનોની મર્યાદા કરતાં ઊંચું રહેવાની આગાહી કરાઈ છે. છ મોડલ્સમાં સી સરફેસ ટેમ્પરેચર (SSTs)નું મૂલ્ય ઓગસ્ટમાં મર્યાદા કરતાં ઊંચું રહેવાની ધારણા છે.

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે અગાઉની આગાહીમાં ચાલુ વર્ષે અલ નિનોની શક્યતા 50 ટકા દર્શાવી હતી. જોકે, ભારતના હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ચોમાસા પર અલ નિનોની પ્રતિકૂળ અસર નહીં થાય. ઇન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ચાલુ મહિને જણાવ્યું હતું કે, મે મહિના સુધી અલ નિનોની સ્થિતિ નબળી રહેશે અને ત્યાર પછી તેમાં નબળાઈ વધવાનો અંદાજ છે.

સ્કાયમેટે ફેબ્રુઆરીમાં જારી કરેલા ચોમાસાના પ્રારંભિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે, દેશમાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદની શક્યતા છે. ચોમાસાની પ્રગતિ સાથે અલ નિનો નબળું પડવાનો અંદાજ છે.

What is El Nino?

an irregularly occurring and complex series of climatic changes affecting the equatorial Pacific region and beyond every few years, characterized by the appearance of unusually warm, nutrient-poor water off northern Peru and Ecuador, typically in late December. The effects of El Niño include reversal of wind patterns across the Pacific, drought in Australasia, and unseasonal heavy rain in South America.

El Nino on India

El Nino, characterised by a warming of surface temperatures in the Pacific Ocean, is associated with lower than normal monsoon rainfall in India. … El Nino affects the flow of moisture-bearing winds from the cooler oceans towards India, negatively impact the summer monsoon, which accounts for over 70% of annual rainfall.

March 20, 2019
khaman.jpg
1min12400

જયેશ બ્રહ્મભટ્ટ

સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળી-ધૂળેટીના પર્વમાં ધાણી-ચણાં ખાવાનો મહિમા છે. ધાણી-ચણા ખાવા પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કાર્ય કરે છે. પરંતુ, સ્વાદના શોખીન સુરતીઓ ધાણી ચણા તો હોળી ધૂળેટીએ આરોગે છે પરંતુ, સુરતની ફૂડ ફેન્ટસીમાં સૌથી ટોપ પર જે વાનગી આવે છે અને જેને સુરતીઓએ જ શોધી છે એ ખમણ આરોગવાના અગાઉના તમામ રેકોર્ડ ધૂળેટી 2019 તોડી નાંખે તેમ છે.

  • ધૂળેટી 2018ના દિવસે સવારે શહેરના મોટા ભાગની દુકાનોમાં કાચા ખમણની શોર્ટેજ વર્તાઇ હતી
  • વ્હોલસેલ ખમણ ઉત્પાદકો પાસે 2-2 હજાર કિલોના કાચા ખમણના ઓર્ડર
  • ધૂળેટીનો ખમણનો ઓર્ડર પૂરો કરવા હોળીની પ્રગટાવાની સાથે જ ખમણનું પ્રોડકશન શરૂ કરી દેવાશે

સુરતમાં શહેરમાં મોટા ગણી શકાય તેવા 9 ખમણ ઉત્પાદકો છે જે નાના ફરસાણના વેપારીઓને રોજેરોજ કાચા ખમણ સપ્લાય કરે છે. આવા ઉત્પાદકો પૈકીના એક હરેશભાઇ પટેલ કહે છે કે તેમની પાસે ફક્ત ધૂળેટીએ સવારે 9 વાગ્યા સુધીમાં સપ્લાય કરવા માટે 2000 કિલોથી વધારેનો કાચા ખમણનો ઓર્ડર છે અને હજુ ઓર્ડર આવી રહ્યા છે. તેઓ કહે છે કે સુરતીઓ ધૂળેટી રમ્યા પછી ગ્રુપ્સમાં નાસ્તો કરવા માટે મોટા ભાગે કાચા ખમણ, તેલ અને કાચી ડૂંગળી પસંદ કરતા હોય છે. આ સુરતીઓનો ફેવટીટ નાસ્તો હોય છે અને ગયા વર્ષે 2018માં જે પ્રકારે કાચા ખમણની શોર્ટેજ પડી હતી એ અનુભવને જોતા શહેરના નાના રિટેઇલ ફરસાણ ગૃહોએ ગયા વર્ષથી 25 ટકા વધુ માત્રામાં કાચા ખમણ ઓર્ડર કર્યા છે.

એવી જ રીતે શહેરના વરાછા વિસ્તારમાં મોટા ખમણ સપ્લાયર તરીકે જાણીતા વ્યાપારીએ જણાવ્યું કે સુરતમાં કોઇપણ તહેવાર હોય એટલે રુટીન કરતા વધારે જથ્થામાં કાચા ખમણનો ઉપાડ રહે છે, આ વખતે પણ તા.21મી માર્ચ 2019ને ધૂળેટીનો પર્વ હોઇ એડવાન્સ્ડ ઓર્ડર રૂટીન દિવસો ખાસ કરીને રવિવાર કરતા પણ 30 ટકા વધારે માત્રામાં એડવાન્સ્ડ ઓર્ડર મળ્યા છે. આમ, આ વખતે ધૂળેટીમાં જેટલા ધાણી ચણા નહીં ખવાય તેના કરતા અનેક ઘણી વધુ માત્રામાં કાચા ખમણ સુરતમાં ખવાશે.

ખમણ છે સૌની પસંદ

સુરતમાં અબાલવૃદ્ધો સૌની જો કોઇ એક કોમન પસંદની વાનગી હોય તો એ છે ખમણ. સુરત સિવાય આખા ગુજરાતમાં મોટા ભાગે આંશિક ગળ્યા લાગે તેવા ખમણ મળે છે. વડોદરાથી ઉપર ઉત્તર ગુજરાત તરફ જઇએ તો મોટા ભાગે નાયલોન ખમણ મળે એ સિવાય ખમણ કરતા વધારે વણાયેલા ગાંઠીયા ખવાય. પણ સુરતના ખમણની વાત જ નિરાલી છે. અહીં 5-6 મહિનાના બાળકને પણ ખમણનો ટેસ્ટ કરાવે એ સુરતી કહેવાય. બાળકોથી લઇને મોટેરાઓ અને સિનિયર સિટીઝન સુધી બધાને સુરતી ખમણનો ચટાકો હોય જ. એવા કોઇ ભાગ્યે જ મળી આવે જેને ખમણ પ્રત્યે સુગ હોય. સુરતીઓ માટે ક્યારેય ખમણ જૂની વાનગી થઇ નથી. જે લોકોને એકલા કે કાચા ખમણ નથી ભાવતા તેઓ હવે રસાવાળા ખમણ ખાય રહ્યા છે. જેમને ટૂકડામાં ખમણ નથી ભાવતા તેઓ લોચો ભરપૂર ઝાપટી જાય છે. આમ, સુરતીઓ માટે ખમણ એ એવી વાનગી છે જે 24×7 હોટ ફેવરીટ બની રહે છે.

  • સુરતીઓની ફેસ્ટીવલમાં ફૂડ ફેન્ટસી

  • ચંદી પડવાએ ઘારી

  • ઉતરાયણમાં જલેબી અને ઉંધીયું

  • ક્રિસમસ પર પોંકવડા અને પોંક પાર્ટી

  • કેરી ગાળામાં સરસીયા ખાજા

  • ધૂળેટીમાં કાચા ખમણ અને કાંદો

  • દર રવિવારે લોચો

  • દશેરાએ જલેબી અને ફાફડા-પાપડી ગાંઠીયા

  • બેસતા વર્ષે વેજીટેરીયન ચોળીનું શાક ખાય અને નોનવેજીટેરીયન પોમ્ફલેટ માછલી અવશ્ય ખાય જ

સ્વાદના શોખીન સુરતીઓની દરેક તહેવારને અનુલક્ષીને સ્પેશિફિક વાનગીઓ આરોગવાની એક પેટર્ન છે, જેમકે ચંદી પડવાએ ઘારી-ભૂસું-ભજીયા સાથે નોનવેજ ખાનારાઓ ચીકન અચૂક ખાય છે. ઉતરાયણના પર્વે ઉંધીયું અને જલેબી વગર સુરતીઓ પતંગના પેચ કાપી શક્તા નથી. ક્રિસમસ પર્વે પોંક પાર્ટી કે પોંકવડા વગર સુરતીઓને ક્રિસમસને કેક હજમ જ ન થાય. કેરીના રસની સીઝનમાં સરસીયા ખાજા સાથેની જયાફત ન માણે તે સુરતી નહીં. એવી જ રીતે દશેરાએ જલેબી ફાફડા નહીં ખાય તો સુરતીઓના તહેવારની રોનક સાવ ફિક્કી લાગે.

March 18, 2019
raj_thackary-1280x719.jpg
1min1050

રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત પક્ષે કરી હતી. છેલ્લાં ઘણા સમયથી મનસે અંગે અટકળો ચાલી રહી છે. ઠાકરે એનસીપી ચીફ શરદ પવારની નજીક આવતા તેઓ એનસીપીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પક્ડયું હતું. આ તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું.

રાજ ઠાકરે ૧૯મી માર્ચે જાહેરસભાને સંબોધવાના છે, તેમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવશે. ઠાકરે બહાર રહી પવારને મદદ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચાર કરશે, તેમ પણ માનવામાં આવે છે. ગત ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરેનો પક્ષ કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મનસેએ ખાસ જનાધાર મેળવ્યો ન હતો. ઠાકરેના એકમાત્ર વિધાનસભ્ય પણ તાજેતરમાં શિવસેનામાં જોડાયા હતા. મરાઠી માણૂસનો વિષય લઈ એક સમયે કિંગ ગમૅકર માનવામાં આવતા ઠાકરેના પક્ષે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. એનસીપી તેમને સાથે લેવા તૈયાર હતી, પરંતુ કૉંગ્રેસે મનસેને લેવાની ધસીને ના પાડી હતી. અંતે મનસેએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

March 13, 2019
google.jpg
1min10290

તા.13મીએ મધરાતથી વિશ્વમાં ગૂગલ સર્વિસીઝમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓને કારણે વિશ્વભરના કરોડો ગુગલ સર્વિસ યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા હતા. જો તમે ગઇકાલ એટલે કે મંગળવારે રાતથી બુધવારે સવાર સુધીમાં ગુગલની સર્વિસીઝ જેવી કે ગુગલ મેલ- જીમેલ, ગુગલ મેપ, ગુગલ ડ્રાઇવ, યુ ટ્યુબ વગેરે ઓપરેટ કરવામાં તકલીફ અનુભવતા હોવ તો તમે એકલા નથી, આખા વિશ્વએ આ મુશ્કેલી અનુભવી ત્યારે ગુગલ સત્તાવાળાઓએ પણ એ વાતનો એકરાર કરવો પડ્યો હતો કે ગુગલ સર્વિસમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ છે અને બુધવારે ભારતીય સમય પ્રમાણે સવારે 11.14 વાગ્યા સુધીમાં ગુગલ તેની ભૂલોને રેક્ટીફાય કરી દેશે.

ગુગલ સર્વિસીઝમાં કયા પ્રોબ્લેમ્સ થઇ રહ્યા છે

  • ગુગલ સર્વિસીઝમાં એટેચમેન્ટસ
  • ડાઉનલોડિંગ પ્રોબ્લેમ
  • સેન્ડ અને રિસિવિંગ પ્રોબ્લેમ
  • ઓપરેટિંગ પ્રોબ્લેમ 

ભારતમાં બુધવારે સવારે સાડા સાત વાગ્યાથી ગુગલ સર્વિસ, ગુગલ પ્લે સ્ટોરના ઓપરેટિંગમાં હજારો નહીં પણ લાખો ગુગલ યુઝર્સે મુશ્કેલી પડતી હોવાની ફરીયાદો કરી હતી. સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝ ઓપરેશનમાં મુશ્કેલીની ફરીયાદ આવતા અમેરિકામાં મધરાત હોવા છતાં ગુગલ એ તેની વર્કફોર્સ કામે લગાડીને વૈશ્વિક પ્રોબ્લેમને સુધારવા માટે યુદ્ધના ધોરણે  કામગીરી શરૂ કરી હતી. કેમકે વિશ્વમાં કરોડો લોકો ગુગલની સર્વિસીઝના બંધાણી થઇ ચૂક્યા છે. સૌથી મોટી તકલીફ ગુગલ મેલ તેમજ ક્લાઉડ અને ડ્રાઇવમાં એટેચમેન્ટસમાં આવી રહી હતી.

સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝની ફરીયાદો ઉઠતા ગુગલ સત્તાવાળાઓએ તેમના ઓફિશ્યલ સોશ્યલ મિડીયા પર કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે.