CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 21 of 79 - CIA Live

May 30, 2022
Cia_business_news-1280x936.jpg
1min657

ડાયમંડ ઉદ્યોગને ઉપયોગમાં આવે એવી ટેક્નોલોજી અને મશીનરીની વૈશ્વિક કંપની સરીન દ્વારા તાજેતરમાં સુરતના 200થી વધુ હીરા પેઢીઓ પર જઇને કોર્ટ કમિશનની કાર્યવાહી કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો અને હીરા ઉદ્યોગની આ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક વિદેશી કંપની સામે દેશી ટેક્નોલોજી ઉત્પાદક તથા ઉદ્યોગકારો સાથે મળીને લડત આપશે. સ્થાનિક સ્તરે કોર્ટ કમિશન સામે વાંધો ઉઠાવવાથી લઇને કોર્ટમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના નામે લડી લેવાનો મક્કમ નિર્ધાર આજે મળેલી મિટીંગમાં કરવામાં આવ્યો છે.વિશ્વ વિખ્યાત ડાયમંડ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક કંપની સરીનના સત્તાધીશોએ સુરતની હીરા પેઢીઓ પર કોપીરાઇટ સંદર્ભની કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને હીરા ઉધોગને છંછેડવામાં આવ્યા હતા. હવે પરીણામ એ આવ્યું છે કે સમગ્ર હીરા ઉદ્યોગ એક થઇને હવે વિદેશી વિરુદ્ધ દેશીનો જંગ ખેલવા માટે તૈયારી કરી ચૂક્યો છે.આજે બપોરે ત્રણ કલાકે મિનિબજાર ખાતે સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ મળેલી મિટીંગમાં હજારોની સંખ્યામાં ટેક્નોલોજી ઉત્પાદક અને વપરાશકર્તા બન્ને ઉપસ્થિત રહ્યા હતા અને મેક ઇન ઇન્ડિયા અને વિદેશી વિરુદ્ધ દેશીના નારા સાથે સરીન કંપનીની દબાવી દેવાની પ્રવૃતિ સામે ત્રણ તબક્કાએથી લડત શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. વિદેશી વિરુદ્ધ દેશીની આ લડાઈ કેવી હોવી જોઇએ એ બાબતે સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા, ડાયમંડ એસોસીએશનના મંત્રી દામજીભાઇ માવાણી, એડવોકેટ પ્રવીણભાઇ દેવમૂરારી વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએસનની સ્થાપના

સરીન કંપનીની કાર્યવાહીના વિરોધ કરવા માટે સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને તેમના વપરાશકારો અસરકારક રીતે લડત લડી શકે તે માટે એક નવા સંગઠનની રચના અને જાહેરાત આજે કરવામાં આવી હતી. સુરત ડાયમંડ મંશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ હવે કોપીરાઇટની તમામ લડત, રજૂઆતો, કાયદાકીય કેસો વગેરે કરવામાં આવશે. આગામી દિવસોમાં આ સંગઠનનું સ્વરૂપ નક્કી કરવામાં આવશે.

સરીન કંપની સામે આ રીતે લડત લડાશે

  • સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને વપરાશકર્તાઓની એક્ઝિક્યુટિવ કમિટીની રચના
  • સ્થાનિક કોર્ટમાં કેસોના પ્રોસેડિંગ માટે વકીલની પેનલની નિમણૂંક-
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરવા માટે કમિટીની રચના-
  • સ્થાનિક પેઢી પર કોર્ટ કમિશન સામે વાંધા નોંધાવવાનું વ્યક્તિગત અભિયાન

કોર્ટ કમિશન આવે તો ગભરાવ નહીં તેની સામે વાંધો ઉઠાવોઃ વકીલ પ્રવીણ દેવમૂરારી

સુરતના હીરા ઉદ્યોગમાં કેટલીક પેઢીઓ સામે સરીન નામની ઇઝરાયેલની કંપનીએ કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને કોપીરાઇટ સંદર્ભનું પ્રોસિડિંગ કરતા હચમચી ઉઠેલા હીરા ઉદ્યોગકારોએ આજે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ જાહેરસભામાં ટેક્નોલોજી અને મશીનરીના સ્થાનિક ઉત્પાદકો અને વપરાશકર્તાઓને માર્ગદર્શન આપતા વકીલ પ્રવીણ દેવમૂરારીએ જણાવ્યું હતું કે કોર્ટ કમિશનની કાર્યવાહીથી ગભરાય જવાની જરૂર નથી. હકીકતમાં આપણી સમસ્યા આપણા કારણે અથવા આપણામાંથી જ કોઇક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને કારણે ઉભી થઇ છે. ઇઝરાયેલની કંપનીએ પોતાની મશીનરીના કોપીરાઇટ અમેરીકામાં રજિસ્ટર્ડ કરાવ્યા છે એટલે ભારતને કોપીરાઇટ લાગૂ પડે છે. કોઇ કંપનીનું સીધેસીધું ડુપ્લિકેટીંગ પકડાય તો એ ગુનો બને પણ તેના જેવી સ્થાનિક ઉત્પાદિત વસ્તુનો વપરાશ કરી શકાય. હાલમાં સરીનની કાર્યવાહી સંભાવનાઓ અને શક્યતાઓ આધારીત છે. હજુ સુધી કંપની તરફથી કોર્ટમાં કશું જ રજૂ કરાયું નથી.વકીલ દેવમૂરારીએ કહ્યું કે કોર્ટ કમિશન આવે તો ગભરાયા વગર તેનો વિરોધ કરો, લેખિતમાં વાંધો નોંધાવો અને જ્યાં સુધી પૂર્તતા ન થાય ત્યાં સુધી તેને કાર્યવાહી ન કરવા દો. કોર્ટ કમિશન એ આધાર પુરાવો નથી પણ સાંયોગિક પુરાવો છે.

May 12, 2022
cia_edu-1280x925.jpg
2min3571

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

  • આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ    16
  • પીપી સવાણી સ્કુલ ગ્રુપ    09
  • આઇએન ટેકરાવાલા        03
  • કૌશલ વિદ્યાભવન 02
  • તપોવન વિદ્યાલય 02
  • મૌની અંકુર સ્કુલ  02
  • જીવનભારતી વિદ્યાલય     01
  • એલપી સવાણી   01
  • માધવબાગ વિદ્યાભવન     01
  • શ્રી ગાયત્રી વિદ્યાલય       01
  • રિવરડેલ એકેડેમી 01
  • બીએચ કલસરીયા વિદ્યાલય  01
  • ગાયત્રી હિન્દી મિડીયમ     01
  • રેડીએન્ટ ઇંગ્લીશ સ્કુલ       01

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનું સાયન્સ વિભાગનું પરીણામ સમગ્ર રાજ્યમાં અવ્વલ હોય છે. 2022માં જ નહીં છેલ્લા સાત વર્ષમાં આ સ્કુલના જેટલા એ-વન રેન્કર્સ હોય છે તેટલા કદાચ આખા જિલ્લાઓના નથી હોતા.

ચાલુ વર્ષે ધો.12 સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં કુલ 196 એ-વન ગ્રેડ હોલ્ડર્સ વિદ્યાર્થીઓ છે. જેમાંથી 42 એ-વન રેન્કર્સ સુરત શહેર જિલ્લાના છે. જેમાં એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના જ 16 વિદ્યાર્થીઓ છે.

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાંથી ધો.12 સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થિની વૈભવી લલીતકુમાર મકવાણાએ આજે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ-ગુજસેટ) 2022ના પરીણામમાં 120માંથી 120 માર્કસ મેળવીને સમગ્ર રાજ્યમાં સર્વપ્રથમ રેન્ક હાંસલ કર્યો છે.

આશાદીપ સાયન્સ ભવનની વૈભવી મકવાણા ગુજકેટ-22માં 120માંથી 120 માર્કર્સ મેળવી ગુજરાત ટોપર બની

ગુજકેટમાં 120માંથી 120 આખા ગુજરાતમાં પ્રથમ આવી વૈભવી મકવાણા

May 12, 2022
sunstroke.jpg
1min550

ગુજરાતમાં મે મહિનામાં સૂર્યનારાયણ દેવ જાણે કોપાયમાન થયા હોય તેમ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ અને શહેરોમાં ૪૩થી ૪૭ ડિગ્રી વચ્ચે રહેતા બપોરના સમયે ગરમ પવનોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૭ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. રાજ્ય હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હોવાથી તંત્રએ બાળકો અને વૃદ્ધોને કામવગર ઘરની બહાર ન નીકળવા સૂચનો કર્યાં હતા.

શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો એક સમયે ૪૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગુરુવારે તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચશે તો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. શહેરીજનો ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ વિચારતા થઈ ગયા હતા. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં બુધવારે સવારથી જ બપોર જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં પણ સૂરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત્ રાખ્યું હતું.

સુકા પવન અને કાળઝાત્ ગરમી વચ્ચે અમદાવાદના રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બપોરના બે વાગતા સુધી તો ગરમીએ ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યાતા છે.

બીજી તરફ રાજ્યના ૧૩ શહેરોમાં તાપમાન પારો  રેકોર્ડ ૪૬ને પાર થઈ ગયું હતું. જ્યારે વડોદરા, મહેસાણા, હિંમતનગર, ગોધરા, ખેડબ્રહ્મા, નડિયાદ, ધોળકામાં  ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ નોંધાયો હતો. સુરેન્દ્રનગર, બોટાદમાં ૪૪ ડિગ્રી અને ભાવનગર, અમરેલીમાં પારો ૪૩ ડિગ્રી જૂનાગઢ, રાજકોટમાં ૪૨ ડિગ્રીએ તાપમાન પારો નોંઘાયો હતો રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી આસપાસ રહેતા અનેક જિલ્લાઓ અને શહેરોમાં એકાએક ઊચો જતા બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂકાતા લોકો રીતસર ગરમીથી શેકાઈ રહ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીને કારણે બપોરના સમયે અનેક શહેરમાં કરફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં ઉત્તર-પશ્ર્ચિમના પવનો શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધતા રવિવારથી અમદાવાદ  સહિત રાજ્ય ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો હતો અને મોટાભાગના શહેરોમાં પારો ૪૫ ડિગ્રી ઉપર રહ્યો હતો. જ્યારે બુધવારે Dt.11/5/22 રેકોડ બ્રેક ગરમી ૪૭ ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદમાં Dt.11/5/22 બુધવારે બપોરે ૨ વાગ્યા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. હજી પણ Dt.12/5/22 ગુરુવારે આ રીતે જ ગરમીનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહીં. તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. 

રાજ્યના અનેક શહેરોમાં બેકાબુ સૂર્યપ્રકોપ થતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતા ગરમીથી છૂટકારો મેળવવા લોકો લીબું પાણી, છાસ, ઠંડા પીણા તરફ વળ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીના કારણે ઝાડાઉલટીના બાર હજારથી વધુ કેસો, ૧૫૦૦ જેટલા હિટસ્ટ્રકના કેસો ઉપરાંત લૂ લાગવાના પણ સૌથી વધારે કેસો નોંધાયાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે જિલ્લાભરની સરકાર અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.  

દરમિયાન અમદાવાદ શહેરમાં એકાએક ગરમી વધી જતાં હિટસ્ટ્રોકના, ઝાડા ઉલ્ટીના અને બીપીના વધી જવાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓથી ઉભરાયા હતા. જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં પણ અનેક લોકો સારવાર માટે લાઈનો લગાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે ભારે ગરમીની આગાહીને પગલે લોકોને લીબું પાણી, છાસ, તેમ જ શુદ્ધ ખોરાક આરોગવાની સાથે વધુ પ્રમાણમાં પાણી પીવાની અને કામવગર વદ્ધોએ બહાર ન જવા તેમ જ સુતરાઉ કપડા પહેરવા જેવા સૂચનો કર્યા હતા.

May 5, 2022
fenil.jpg
1min777

સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર સુરતના પાસોદરા વિસ્તારમાં ગઇ તા.12મી ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા નામની યુવતિની હત્યાના કેસમાં આરોપી ફેનિલને સુરતની કોર્ટે આજે તા.5મી મે 2022ના રોજ ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે.

આજે તા.5મી મેએ ગ્રીષ્મા હત્યા કેસમાં સજાનું એલાન થવાનું હોવાથી સુરતની કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.

સજાનું એલાન થઇ ગયા બાદ કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના પિતાએ પત્રકારો સમક્ષ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.

April 22, 2022
fenil.jpg
1min1009

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સુરતમાં બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કાંડમાં તા.21 એપ્રિલે સુરત કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. તા.22 એપ્રિલ, શુક્રવારે ગ્રીષ્માની સરજાહેર ઘાતકી હત્યા કરનાર ફેનિલને કોર્ટ સજા સંભાળવાશે. કોર્ટ પાસે સરકારી પક્ષના વકીલે ગુનેગાર ફેનિલને ફાંસીની સજા મળે તેવી માગ કરાઇ છે.’

ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે પોલીસ આરોપી ફેનિલને આજે સવારે કોર્ટમાં લઇને પહોંચી હતી. આરોપી સામે હત્યાના તમામ આરોપો પુરવાર થતાં કોર્ટે તેને ગુનેગાર જાહેર કર્યો હતો અને આવતીકાલે તેનો ચૂકાદો જાહેર કરાશે.’

વેકરિયા પરિવારની દીકરી ગ્રીષ્માની ઘાતકી હત્યા કરવાના કેસમાં મુખ્ય ન્યાયધીશ વીમલ વ્યાસે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આજે આરોપી ફેનીલને તમામ કલમોમાં તકસીરવાર ઠેરવવાનો હુકમ કર્યો હતો. જો કે સજા કેટલી તે અંગેની મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ અને અજય ગોંડલિયા દલીલો શુક્રવારના રોજ કરશે.’

રાજ્યમાં પ્રથમ વખત હત્યાકાંડના મામલે ઝડપથી ચૂકાદો આવશે. ગ્રીષ્માની હત્યાની ઘટના બાદના 69માં દિવસે ચૂકાદો આવ્યો છે. બીજી તરફ કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછયું હતું કે તમને મુત્યુદંડ કેમ ન આપવો? કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, આરોપીએ નિ:સહાય હથિયાર વગરની યુવતીનો આરોપીએ મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે અંતિમ સજા સંભાળવતા પહેલા આરોપીને કંઇ કહેવું હોય તો કહેવા માટે પૂછયું હતું પરંતુ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો.

ગત તા. 12મી ફેબ્રુઆરી 2022ના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરી હતી ત્યાર બાદ પોતાના હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડયો હતો.’

હત્યાકાંડની તપાસ માટે ડીવાયએસપી ભગવતાસિંહ વનારની આગેવાનીમાં એસઆઈટી બનાવવામાં આવી હતી. એસઆઈટીએ સમગ્ર કેસની ઝડપી તપાસ કરી હતી. સાક્ષીઓ અને ટેકનિકલ એવીડન્સ કોર્ટ સમક્ષ રજૂ કરાયા’ હતા. એસઆઈટી દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આરોપી ફેનિલ સામે કોર્ટમાં 28 ફેબ્રુઆરીથી ન્યાયની લડાઈ શરૂ થઈ હતી. 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી 16 એપ્રિલે થઇ હતી. જો કે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતાં કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલે કરવામાં આવી છે. આજે ફેનીલ ગુનેગાર સાબિત થયો છે અને આવતીકાલે તેને સજા સંભાળવવામાં આવશે.’

April 11, 2022
WhatsApp-Image-2022-04-11-at-7.40.56-PM.jpeg
1min744
રમેશ વઘાસીયા 2022-23ના વર્ષ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે

સી.એ. હાર્દિક શાહ, સી.એ. મિતીશ મોદી, જનક પચ્ચીગર અને નીતિન ભરૂચાએ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું પણ સમજાવટથી માની ગયા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ પદે હિમાંશુ બોડાવાળા જે રીતે બિનહરીફ ચૂંટાયા છે એવી જ રીતે વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી પરત ખેંચવાના આજે તા.11મી એપ્રિલ 2022 સાંજે 6 કલાકની અંતિમ મુદત બાદ સૌરાષ્ટ્રવાસી મેમ્બર્સ સમર્થિત ઉમેદવાર રમેશ વઘાસીયા સિવાયના બાકીના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા રમેશ વઘાસીયા પણ બિનહરીફ ચૂંટાયા છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચવાના આજે અંતિમ દિવસે સી.એ. હાર્દિક શાહ, સી.એ. મિતીશ મોદી, ટેક્સ કન્સલ્ટન્ટ જનક પચ્ચીગર, વર્તમાન સેક્રેટરી દિપક શેઠવાલા અને મનિષ કાપડીયાએ પોતપોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. સોમવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો સાંજે 6 વાગ્યા સુધીનો સમય હતો એ પછી ફક્ત માત્ર રમેશ વઘાસીયા જ ઉમેદવાર બાકી રહેતા હવે તેમને આગામી વર્ષ માટે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

April 9, 2022
ayush_oak-1-1280x1919.jpg
1min449

વિદ્યાર્થીઓ પર ફી ભરવ માટે દબાણ ન કરવાનો નિર્દેશ આપતા સુરત કલેક્ટરના પરિપત્ર પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. સુરતની અમુક શાળાઓ અંગે મળેલી ફરિયાદના આધારે કલેક્ટર આયુષ ઓકે તમામ શાળઆઓને પરિપત્ર પાઠવ્યો હતો કે ફીની બાબત શાળા અને વાલીઓ વચ્ચેની છે, તેમાં બાળકોને વચ્ચે લાવી તેમને ફી ભરવા માટે દબાણ ન કરવું જોઇએ. આ પરિપત્ર સામે શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે.

સુરતની સ્વનિર્ભર શાળાઓ તરફથી કરવામાં આવેલી પિટિશનમાં હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે માત્ર એક-બે શાળામાં બનેલી ઘટનાના આધારે કલેક્ટર આવો જનરલ પરિપત્ર કરી શકે નહીં. જો કલેક્ટરે રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગને મળેલી સૂચનાના આધારે કાર્યવાહી કરવી હોય તો કાયદા પ્રમાણે તેના ઘણાં રસ્તા છે. આવી રીતે બધી શાળાને તે કાર્યવાહીના દાયરામાં લાવી શકાય નહીં.

રાજ્ય સરકારે સામા પક્ષે બચાવમાં દલીલ કરી હતી કે આયોગને મળેલી ફરિયાદ અને આયોગની સૂચના બાદ આ પરિપત્ર કરાયો છે, અન્ય કોઇ હેતુ કલેક્ટરનો નથી. જો કે જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાએ સરકારને ટકોર કરી હતી કે જો આયોગની સૂચનાના આાધારે કાર્યવાહી કરવી હોય તો અન્ય રીતે થઇ શકે છે, આવી રીતે જનરલ ઓર્ડર આપી શકાય નહી. કોર્ટે હાલ પરિપત્ર પર સ્ટે ફરમાવી કેસમાં આયોગને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યો છે. 

April 8, 2022
Cia_business_news-1280x936.jpg
1min699

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સિગ્નેચર એક્ઝિબિશન ગણાતા ઉદ્યોગ એક્ષ્પોના આયોજનને આ વર્ષે 25 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આગામી તા.8થી 11 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઉદ્યોગ 22નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી અંદાજે 175 જેટલા એક્ઝિબિટર્સ પોતાની ચીજવસ્તુઓ ડિસ્પ્લે કરશે.
ઉદ્યોગ 2022 અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, પાસ્ટ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ઇલેક્ટ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ એક્ઝિબિશન દર બે વર્ષે યોજાય છે અને આ વર્ષે તેની 13મી આવૃતિ છે અને 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ઉદ્યોગ એક્ષ્પો એ બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) સ્તર પર યોજાઇ રહ્યો છે અને તેમાં સુરત, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વાપી, વલસાડ, સિલવાસા, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરુગ્રામ, પાણીપત, નોઇડા, ભોપાલ અને કોઇમ્બતુર જેવા શહેરોમાંથી મેન્યુફેક્ચરર્સ તથા પ્રમોટર વિક્રેતાઓ પોતાની ચીજવસ્તુઓ, સેવાઓને ડિસ્પ્લે કરશે.
ઉદ્યોગ 2022ના એક્ષ્પો ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે 1.10 લાખ ચો.ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં એક્ઝિબિટર્સને સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. આ વખતના એક્ષ્પોમાં ગ્રીન એનર્જી, ટેક્ષટાઇલ એન્સેલરી, ઇલેક્ટ્રીકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્જિનિયરિંગ, સર્વિસ, બેંકિંગ એન્ડ ફાયનાન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી વગેરે પ્રોડક્ટસ અને સર્વિસીઝના ડિસ્પ્લે કરવામાં આવશે.
ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં ફક્ત વિક્રેતાઓને જ એન્ટ્રી મળશે કેમકે આ બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર યોજાશે. તા.7મીએ રાત્રે 12 વાગ્યા સુધી વિઝીટર તરીકે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારાને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ એન્ટ્રી પાસ મળશે પરંતુ, જો કોઇ વ્યક્તિ એક્ષ્પોના એન્ટ્રી ગેટ પર જઇને ફિઝિકલ રજિસ્ટ્રેશન કરાવશે તો તેમણે રૂ.200 એન્ટ્રી ફી ચૂકવવી પડશે. હાલમાં 12000 જેટલા લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

ઉદ્યોગ એક્ષ્પોમાં ખાસ સ્ટાર્ટઅપ પેવેલિયન

ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં આ વખતે સૌથી મહત્વની બાબત સ્ટાર્ટ અપ પેવેલિયન છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સરકારે જે સ્ટાર્ટઅપને માન્યતા આપી છે તેવા તમામ સ્ટાર્ટ અપને પ્લેટફોર્મ મળે અને મુલાકાતીઓને તેમના સ્ટાર્ટ અપ વિષે માહિતી મળે તે માટે તમામને બિલકુલ વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે અને સ્ટાર્ટ અપનું એક આખું અલગ પેવેલિયન જ ઉભું કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ અપ પેવેલિયનમાં 18 જેટલા સ્ટાર્ટ અપ તો એકલા સુરતના યંગસ્ટર્સ ઉધોગ સાહસિકોના જ છે.

April 7, 2022
WhatsApp-Image-2022-04-07-at-8.53.10-AM-1280x960.jpeg
1min786

ઝાંખા પ્રકાશની સમસ્યાને કારણે સપ્તાહમાં બીજી વખત ફ્લાઇટ લેન્ડિંગમાં સમસ્યા નડી, સવારે 6 વાગ્યે વિઝિબિલિટી 4 કિ.મી. હતી જે 6.20 કલાકે ઘટીને ફક્ત 100 મીટર થઇ ગઇ હતી

વાદળછાયા વાતાવરણને કારણે સપ્તાહમાં બીજી વખત આજે ગુરુવારે, તા.7મી એપ્રિલ 2022ની સવારે એવું બન્યું છે કે સુરત એરપોર્ટ પર આવી રહેલી ત્રણ ફ્લાઇટ્સને મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. ખરાબ હવામાન, વિઝિબિલીટીના ઇશ્યુઝ હોય ત્યારે ફ્લાઇટ લેન્ડીંગ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુરત એરપોર્ટ પર વિકસાવવામાં આવી નથી તેને કારણે સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશમાં ફ્લાઇટ લેન્ડીંગમાં ઇશ્યુઝ આવી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ પરથી જાણી શકાય છે.

પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ લેન્ડ કરી શકી નહીં એ પછી ઉપરાછાપરી દિલ્હીથી આવેલી એર ઇન્ડિયા અને ઇન્ડીગોની ફ્લાઇટ પણ ડાઇવર્ટ કરવી પડી

સુરત એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરેલી માહિતી મુજબ આજે સવારે સુરતના વાતાવરણમાં વિઝિબિલીટી ડ્રોપ થઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. સુરત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સવારે 6 વાગ્યે વિઝિબિલીટી 4 કિ.મી.ની હતી જે 6.20 કલાકે ડ્રોપ થઇને ફક્ત 100 મીટરની થઇ ગઇ હતી. વિઝિબિલીટી એકાએક ડ્રોપ થઇ જતા સુરત એરપોર્ટ પર આવી રહેલી ફ્લાઇટ્સના લેન્ડિંગમાં સમસ્યા નડી હતી.

સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશ, ખરાબ હવામાન વચ્ચે ફ્લાઇટ લેન્ડ કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે ઉપરાછાપરી ત્રણ ફ્લાઇટ, જેમાં પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. એ પછી એર ઇન્ડિયાની દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટને પણ મુંબઇ અને ઉપરાછાપરી ત્રીજી ફ્લાઇટ કે જે ઇન્ડીગોની દિલ્હીથી સુરત આવી રહી હતી તેને પણ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી.
સુરત એરપોર્ટ પર વિઝિબિલિટી ઇશ્યુ હોવાની જાણ થતાં હૈદરાબાદથી સુરત આવી રહેલી ફ્લાઇટને પણ ત્યાંથી ટેકઓફ ડિલે કરવામાં આવ્યું હતું.

April 2, 2022
cia_edu-1280x925.jpg
1min623

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત વિધાનસભાએ ગઇ તા.31મી માર્ચે રાજ્યમાં 11 નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરી આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ નવી યુનિવર્સિટીઓમાં એક સુરત જિલ્લાની છે. સુરત નજીક કીમ-અણિતા ખાતે આવેલા વિદ્યાદીપ કોલેજ કેમ્પસમાં યુનિવર્સિટી શરૂ કરવાની મેનેજમેન્ટની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂર કરતા આગામી જૂન 2022-23થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે કાર્યરત થઇ જશે એમ આજે વિદ્યાદીપ યુનિવર્સિટી મેનેજમેન્ટે જાહેરાત કરી હતી.

વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સંસ્થાના પ્રેસિડેન્ટ જયંતિભાઇ પટેલ, મહેશભાઇ પટેલ (એફ.આર.સી. સુરત, મેમ્બર) તેમજ અણિતા કેમ્પસ ડાયરેક્ટર મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં વિદ્યાદીપ કેમ્પસમાં 16 જુદા જુદા અભ્યાસક્રમો ચાલી જ રહ્યા છે. હોમીયોપેથી, એન્જિનિયરિંગ, ફિઝિયોથેરાપીથી લઇને બીસીએ સુધીની કોલેજોમાં કુલ 4500 વિદ્યાર્થીઓ હાલ વિદ્યાદીપ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે. હવે સંસ્થાને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હોઇ, અમે વધુ અભ્યાસક્રમો તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્લેશમેન્ટ મળી જ જાય તેવા કોર્સ શરૂ કરવા જઇ રહ્યા છે.

જયંતિભાઇએ ઉમેર્યું કે વિદ્યાદીપ યુનિવર્સિટી કેમ્પસ ચાલુ વર્ષથી જ ધમધમી ઉઠશે. સુરત અને આસપાસમાં વિકસેલા ઉદ્યોગોને અનુરૂપ મેનપાવર મળી રહે તેવા અભ્યાસક્રમો ખાસ શરૂ કરાશે. પ્રાથમિક તબક્કામાં ફાયર સેફ્ટી, સેનેટરી ઇન્સ્પેકશન, લો, માઇક્રોબાયોલોજી, મેડીકલ લેબ ટેક્નોલોજી જેવા કોર્સ શરૂ કરવાનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ક્વોલિટી એજ્યુકેશન અને ત્વરીત જોબ, વ્યવસાય થઇ શકે તેવા અભ્યાસક્રમો વિદ્યાદીપ યુનિવર્સિટી ઓફર કરશે.

વધુમાં સુરત શહેર જિલ્લા મળીને કુલ 8મી યુનિવર્સિટી તરીકે વિદ્યાદીપ પ્રાઇવેટ યુનિવર્સિટી કાર્યરત થશે. અત્યાર સુધી એક સ્ટેટ યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે બાકીની તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી, પીપી સવાણી યુનિવર્સિટી, સાર્વજનિક યુનિવર્સિટી, વનિતા વિશ્રામ યુનિવર્સિટી અને હવે વિદ્યાદીપ પ્રાઇવેટ યુનિવર્સિટીનો લાભ વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ મળતો થઇ જશે.