CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 22 of 81 - CIA Live

July 25, 2022
jignesh-patil-1.jpg
2min641
  • બપોરે જિજ્ઞેશ પાટીલના નામની જાહેરાત થઇ અને રાત્રે જાહેરાત પાછી ખેંચી લેવાતા યુનિવર્સિટી આલમમાં તર્કવિતર્ક, ખુદ એબીવીપીના મોટા નેતાઓ અજાણ
  • એબીવીપીએ ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં જ નાટ્યાત્મક ઘટનાક્રમ

સુરત, તા.25
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ અધિકારમંડળ, સેનેટ સભાની આગામી તા.14મી ઓગસ્ટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના દિકરા જિજ્ઞેશ પાટીલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે દાતાઓની બેઠક પરથી ચૂંટણી લડશે એવી જાહેરાત થયાના થોડા જ કલાકોમાં સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પટેલે યુનિવર્સિટી સેનેટ ચૂંટણી લડવાનો સાફ ઇન્કાર કરી દેતા અભાવિપ સમેત ભાજપની નેતાગીરીમાં સન્નાટો મચી ગયો હતો.
સેનેટની ચૂંટણી પૂર્વે યુનિવર્સિટી આલમમાં ભારે ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં આજે બપોરે સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના નેતાઓએ જુદા જુદા સંવર્ગની બેઠકો માટે એબીવીપીના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. તેની સાથે જ દાતા મતદાર વિભાગની બે બેઠકો પર પણ એબીવીપીએ પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં એક નામ ડો.કશ્યપસિંહ ખરચીયાનું અને બીજું નામ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલનું હતું.
આ જાહેરાતની સાથે જ એબીવીપી અને ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને યુનિવર્સિટીના રાજકીય તખ્તે હલચલ મચી ગઇ હતી. પરંતુ, રાત્રે આઠ વાગ્યે યુનિવર્સિટીના સિનિયર મોસ્ટ સિન્ડીકેટ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે એક વિડીયો મેસેજ જારી કરીને એવો સંદેશો આપ્યો કે જિજ્ઞેશ પાટીલ યુથ ફોર ગુજરાત તેમજ અન્ય પ્રવૃતિઓને આગળ ધપાવવા માગે છે આથી તેઓ યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં લડવાની ઇચ્છા ધરાવતા નથી. ડો. મહેન્દ્રસિંહ ચૌહાણના આ વિડીયો મેસેજને પગલે સમગ્ર યુનિવર્સિટી આલમમાં સન્નાટો મચી ગયો હતો.
એબીવીપી અને ભાજપના નેતાઓ કંઇ સમજે એ પહેલા જ જિજ્ઞેશ પાટીલની ઉમેદવારી બાબતે પૂર્ણ વિરામ મૂકાય જતા અનેક તર્ક વિતર્ક પણ સેવાય રહ્યા છે.

Reported at 1 pm 26/7/22

CR પાટીલના પુત્ર જિજ્ઞેશ નર્મદ યુનિ.ની સેનેટ ચૂંટણીમાં ABVPના સત્તાવાર ઉમેદવાર

આગામી તા.14મી ઓગસ્ટે યોજાઇ રહેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ અધિકારમંડળ, સેનેટસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દાતાઓના મતવિભાગના સત્તાવાર ઉમેદવાર ઘોષિત કર્યા છે. દાતા વર્ગની બે સીટ માટે જિજ્ઞેશ પાટીલ ઉપરાંત વર્તમાન સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપસિંહ ખરચીયા એબીવીપીના દ્વિતિય સત્તાવાર ઉમેદવાર છે.

ગુજરાત ભાજપના પ્રમુખ અને સુરતના કદાવર રાજકીય નેતા સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલે વિદ્યાર્થી સંગઠન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે ડોનરની સીટ પરથી સેનેટ ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન તો આપ્યું જ છે સાથોસાથ એ સ્પોર્ટસ ક્ષેત્રમાં બાસ્કેટ બોલ, ફૂટબોલ જેવી જુદી જુદી રમતોની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

વિદ્યાર્થી સંગઠનની પ્રત્યક્ષ ચૂંટણીમાં પહેલીવાર જ જિજ્ઞેશ પાટીલે ઝુકાવ્યું છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિસ્તારનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતી દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરકારી યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટ સભાની ચૂંટણી તા.14મી ઓગસ્ટ 2022ના રોજ યોજાઇ રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી હતી. જેમાં દાતા વર્ગની સીટ પરથી જિજ્ઞેશ સી.આર. પાટીલનું નામ ઘોષિત કરીને યુનિવર્સિટી સ્તરના પોલિટીક્સમાં વમળો સર્જી દીધા છે.

જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન આપ્યું છે અને એ રૂએ તેઓ દાતા વર્ગની સેનેટની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સાથે અભાવિપના અન્ય ઉમેદવાર તરીકે ડો.કશ્યપસિંહ ખરચીયાની પેનલ બનાવવામાં આવી છે.

સુરતના સર્કિટ હાઉસ ખાતે તા.25મી જુલાઇએ પત્રકાર પરિષદ યોજીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પોતાના સત્તાવાર ઉમેદવારો ઘોષિત કર્યા હતા

એબીવીપીના અન્ય ઉમેદવારોની યાદી આ મુજબ છે.

  • મતદાર વિભાગ   ઉમેદવાર
  • કોમર્સ ફેકલ્ટી      પ્રધ્યુમનભાઇ જરીવાલા
  • આર્ટસ ફેકલ્ટી      કનુભાઇ ભરવાડ
  • એજ્યુકેશન        ભાર્ગવભાઇ રાજ્યગુરુ
  • કમ્પ્યુટર સાયન્સ  ગણપતભાઇ ધામેલિયા
  • મેનેજમેન્ટ         દિશાંતભાઇ બાગરેચા
  • સાયન્સ ફેકલ્ટી    અમિતભાઇ નાથાણી
  • રૂરલ સ્ટડીઝ       ભાવિનભાઇ પટેલ
  • આર્કિટેક્ચર        ભુવનેશભાઇ માંગરોળીયા
  • હોમિયોપેથી       ડો.સતીશભાઇ પટેલ
  • મેડીકલ ફેકલ્ટી    ડો.ચેતનભાઇ પટેલ
July 23, 2022
Cia_business_news-1280x936.jpg
1min458

તા.23મીને શનિવારથી સુરતના સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત વીવનીટ ફેબ્રિક એક્સ્પોનો આરંભ થઇ રહ્યો છે. વીવનીટ એક્ષ્પોમાં અનેક આકર્ષણો પૈકી સૌથી મોટું આકર્ષણ ફેબ્રિક બાયર્સ માટે એ છે કે સુરતમાં ઉત્પાદિત થતા 1000થી વધુ જાતોના કાપડની વિશાળ રેન્જ ડિસ્પ્લેમાં મૂકાશે.

ચેમ્બરના નવનિર્વાચીત પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળા, આશિષ ગુજરાતી, રમેશ વઘાસીયા, ભાવેશ ટેલર, બિજલ જરીવાલા, મયુર ગોલવાલા, દિપુ અગ્રવાલ, આકાશ ભાદાણી વગેરેએ વીવનીટની માહિતી આપવા માટે યોજેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વીવનીટ એક્ષ્પોમાં દુબઇ અને ચીનથી આંતર રાષ્ટ્રીય બાયર્સ આવી રહ્યા છે આ ઉપરાંત ભારતના કુલ 125 જુદા જુદા શહેરો, નગરોમાંથી કાપડના રિટેલ વેપારીઓ વીવનીટ એક્ષ્પોમાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ કે જેઓ સૌથી વધુ કાપડ ખરીદતા હોય છે એના સંગઠનના 4 હજારથી વધુ મેમ્બર્સને વીવનીટમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. વીવનીટ એક્ષ્પો જેટલી મોટી રેન્જમાં કાપડ ભારતમાં અન્ય ક્યાંય જોવા કે ખરીદવા નહીં મળી શકે.

કમળની ડાળીમાંથી કાપડ, આખી ટેક્નોલોજીનો લાઇવ ડેમો
વીવનીટ એક્ષ્પોમાં સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ વિવનીટ પ્રદર્શનની થીમ રહેશે. જેમાં કમળ (લોટસ) સ્ટેમ ડાળીમાંથી ઉપલબ્ધ થતા ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલોથીંગ એન્ડ ટેકસટાઇલ્સ વિભાગના ફેકલ્ટી તેમજ પીએચ.ડી. સ્કોલર સુમી હલદર દ્વારા લોટસ સ્ટેમ ફાયબરમાંથી વિવિધ ફેબ્રિકસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ ખાસ કોઇમ્બતુરથી આવીને આ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

સુરતીઓની જુગાડ ટેક્નોલોજી, દેશી શટલ લૂમ્સ પર એમ્બ્રોઇડરી સાથેનું કાપડ તૈયાર કરે છે
સુરતના કેટલાક વીવીંગ કારખાનેદારોએ દાયકાઓ જૂની કાપડ બનાવવાની ટેક્નોલોજી અને મશીનરી કે જેને દેશી શટલ લૂમ્સ કહેવાય છે, આ શટલ લૂમ્સ પર અખતરાઓ કરીને તેમાંથી એક આધુનિક પ્રકારના કાપડનું ઉત્પાદન શરૂ કર્યું છે અને હવે એ જુગાડ ટેક્નોલોજીની મદદથી કમર્શિયલ બેઝ પર એમ્બ્રોઇડરી સાથેનું કાપડ તૈયાર કરી રહ્યા છે અને આ કાપડ પણ વીવનીટ એક્ષ્પોમાં ડિસ્પ્લે થવા જઇ રહ્યું છે. આ પ્રકારની દેશી જુગાડ ટેક્નોલોજીથી કાપડ તૈયાર કરી રહેલા આકાશ ભાદાણીએ જણાવ્યું હતું કે દેશી શટલ લૂમ્સ પર તૈયાર થતા એમ્બ્રોઇડરી સાથેના ફેબ્રિકનો હોલસેલ રેટ પ્રતિ મીટરના રૂ.75થી 150-200 જેવી રેન્જ અને ક્વોલિટી એવો ભાવ મળે છે. સ્થાનિક બજારમાં ખરીદારો ન હોવાથી આ પ્રકારનું કપડું વિદેશી ખરીદારો જ ખરીદ કરે છે અને તેના મોટા ઓર્ડર પણ મળી રહ્યા છે.

July 19, 2022
cia_multi-1280x1045.jpg
1min840

સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પાણીનો આવરો ઉકાઇ નદીમાં નોંધાઇ રહ્યો છે. ઉકાઇ ડેમમાં આવી રહેલા પાણીના જથ્થાની ગણતરી કરીને વોટર મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે જ ગઇકાલ તા.18મીએ રાત્રે 8 વાગ્યાથી તબક્કાવાર ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. પહેલા 60 હજાર ક્યુસેક્સથી લઇને આજે બપોરથી 1.87 લાખ ક્યુસેક્સ પાણી ઉકાઇ ડેમમાંથી રિલીઝ કરવામાં આવ્યું છે. આ પાણી જ્યારે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી વહેશે ત્યારે અનેક ઠેકાણે તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળશે.

સલામતિના ભાગરૂપે તંત્રવાહકોએ ડુમસ બીચ અને સુંવાલી બીચ મુલાકાતીઓની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સુરત કલેક્ટરે ટ્વીટ કરીને જાણકારી આપી

July 15, 2022
cia_edu-1280x925.jpg
1min657

Jayesh Brahmbhatt 98253 44944

આજે તા.15 જુલાઇ 2022ના રોજ સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું હતું. સુરતમાં રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કરનાર ચાર વિદ્યાર્થીઓ સી.એ. ઇન્ડીયા ટોપ ફીફ્ટીમાં સ્થાન પામ્યા છે. જેમાંથી શ્રૃષ્ટી સંઘવી ઇન્ડીયા થર્ડ અને સુરત ગુજરાત ફર્સ્ટ, ઉપરોક્ત ફોટામાં રવિ છાવછરીયાની બાજુમાં અર્હમ પારખ ઇન્ડીયામાં 40મો અને સુરતમાં ચોથો તેમજ રોહીત સિધ્ધા ઇન્ડીયામાં 42મો અને સુરતમાં પાંચમા ક્રમે પાસ થયા છે. સી.આઇ. લાઇવ

સમગ્ર દેશમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટેનું હબ બની ચૂકેલા સુરત શહેરમાંથી આજે સી.એ. ફાઇનલની પરીક્ષાનું પરીણામ જાહેર થતાં એક જ ઝાટકે 138 ઉમેદવારોને સી.એ.નો દરજ્જો મળી ગયો હતો. સુરતનું પરીણામ સમગ્ર દેશના એવરેજ પરીણામ કરતા ડબલ આવ્યું છે એટલું જ નહીં પણ સુરત બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા કુલ 5 ઉમેદવારોએ સી.એ. ફાઇનલના પરીણામમાં ઇન્ડીયા ટોપ-50માં સ્થાન પણ હાંસલ કરી લીધું છે.

છેલ્લા ઘણાં વર્ષો પછી આ વખતે આઇ.સી.એ.આઇ.ની સુરત બ્રાન્ચે સી.એ. ફાઇનલ્સના પરીણામો અધિકૃત રીતે ઘોષિત કર્યા હતા. આઇસીએઆઇ સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટ નિકેશ કોઠારીએ જણાવ્યું હતું કે આજે જાહેર થયેલા સીએ ફાઇનલ્સ પરીક્ષાના પરીણામમાં સુરત બ્રાન્ચમાંથી કુલ 585 વિદ્યાર્થીઓએ ગ્રુપ એ અને બી બન્નેની પરીક્ષા આપી હતી. જેમાંથી વિદ્યાર્થીઓ આજે 138 ઉમેદવારો સી.એ.નો દરજ્જો મેળવી ચૂક્યા છે. સુરત બ્રાન્ચમાંથી આ વખતે 1582 ઉમેદવારોએ સી.એ. ફાઇનલ્સ એ ગ્રુપ, બી ગ્રુપ, બન્ને ગ્રુપ એ રીતે પરીક્ષા આપી હતી.  65 ઉમેદવારો ફક્ત એ ગ્રુપ તેમજ 62 ઉમેદવારોએ ફક્ત દ્વિતિય ગ્રુપન પરીક્ષા પાસ કરી છે.

બીજી તરફ સુરત શહેરના પાંચ ઉમેદવારોએ ઇન્ડીયા ટોપ-50 ઉમેદવારોમાં સ્થાન મેળવ્યું છે. જેમાં શ્રૃષ્ટી કેયુર સંઘવી ગુજરાત ફર્સ્ટ, સુરત ફર્સ્ટ અને દેશમાં ત્રીજા ક્રમે, અરુણ કિશનલાલ બોરાણા દેશમાં 32માં ક્રમે અને સુરતમાં સેકન્ડ, અર્હમ સુનિલ પારખ દેશમાં 37માં ક્રમે અને સુરતમાં ત્રીજા ક્રમે, સિદ્ધાર્થ સહારીયા દેશમાં 40માં ક્રમે અને સુરતમાં ચોથા ક્રમે તથા રોહીત સદાનંદ સિદ્ધા દેશમાં 42માં ક્રમે અને સુરતમાં પાંચમા ક્રમે માર્કસ લાવવામાં સફળ નિવડ્યા છે. સુરતના આ ટોપ-ફાઇવ પૈકી દ્વિતિય નંબરને બાદ કરતા બાકીના તમામ વિદ્યાર્થીઓ સી.એ. રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કર્યો છે.

સી.એ. ફાઇનલ્સમાં દેશમાં ઝળકેલા સુરતના ઉમેદવારો

  • ઉમેદવારો      દેશમાં ક્રમ      સુરતમાં ક્રમ
  • શ્રૃષ્ટી કેયુર સંઘવી      03     01
  • અરુણ કિશન બોરાણા   32     02
  • અર્હમ સુનિલ પારખ    37     03
  • સિદ્ધાર્થ સહારીયા        40     04
  • રોહિત સદાનંદ સિદ્ધા    42     05
June 9, 2022
chahumukhi-1.jpeg
1min6764

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બિહારના પટણામાં જન્મેલી એક બાળકી જન્મથી જ 4 હાથ અને 4 પગ ધરાવતી હતી. સોશ્યલ મિડીયામાં આ બાળકી અંગે જાણીને અભિનેતા સોનુ સુદે સુરતની કિરણ હોસ્પિટલને આ કેસ હાથ પર લઇને બાળકીની સર્જરી કરવા માટે ભલામણ કરી હતી. લગભગ સપ્તાહ પહેલા સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરાયેલી આ બાળકીનું જટીલ ઓપરેશન સુરતની કિરણ હોસ્પિટલના ડો.મિથુન અને તેમની ટીમે સફળતાપૂર્વક કર્યું છે અને હવે એ બાળકી નોર્મલ બાળકોની જેમ જીવન જીવી શકશે.

અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.  ચહુંમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. સી.આઇ.એ. લાઇવ.

ચાર હાથ અને ચાર પગ ધરાવતી બાળકી જન્મી ત્યારે તેનું શરીર જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. બાળકીનું નામ આપવામાં આવ્યું હતું. ચહુંમુખીને જન્મથી જ 4 હાથ અને 4 પગ હતા. સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઈ ત્યારે સોનુ સૂદે તે જોયું અને તેના તરફથી બાળકનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી. જેને પગલે સુરતની કિરણ હોસ્પિટલમાં આ બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. આઠ દિવસ અગાઉ બાળકીને સોનું સૂદના કહેવા પર સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી.

અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.  ચહુંમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની કિરણ હોસ્પિટલમાં કલાકોના અથાક પ્રયાસો બાદ ચાહુમુખીનું સફળ ઓપરેશન શક્ય બન્યું હતું. અગાઉ આપેલા વચન મુજબ સોનુ સૂદે ચહુંમુખીનું ઓપરેશન કરીને તેને નવું જીવન આપ્યું છે.  હવે ચહુંમુખી કુમારી સામાન્ય બાળકોની જેમ વાંચન-લેખન સાથે જ રમી શકશે.

ચહુંમુખીનો પરિવાર 30 મેના રોજ મુંબઈ પહોંચીને સોનુ સુદને મળ્યો હતો. સોનુ સુદે ચહુંમુખીની સારવાર માટે પરિવારને  સુરત મોકલ્યો હતો. સુરતમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં ચહુંમુખીની સફળ સર્જરી કરી હતી.

હાલ માસૂમ બાળકને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે. સોનુ સૂદે ચહુંમુખીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે. તેની માનવતાવાદી કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.

May 30, 2022
darshna_jardos.jpg
1min1001

Jayesh Brahmbhatt 98253 44944

ટેક્ષટાઇલ ઉધોગમાં મશીનરી અને ટેક્નોલોજીના અપગ્રેડેશન માટેની ટફ (ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ) સ્કીમ અને એ ટફ સ્કીમમાં પેન્ડીંગ રહી ગયેલી એપ્લિકેશનના સેટલમેન્ટ માટે આજથી બે દિવસ માટે રિંગરોડ પર મંત્રા સંકુલ ખાતે વસ્ત્ર મંત્રાલય દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન વસ્ત્ર રાજ્યમંત્રી દર્શના જરદોષે કર્યું હતું.કેમ્પના ઉદઘાટન સમયે કપડામંત્રી દર્શના જરદોષે પોતાના આક્રમક મિજાજનો પરચો આપતા કહ્યું કે કેમ્પનું આયોજન ઓન ધ સ્પોટ અરજીનો નિકાલ થઇ શકે તે માટે થયું છે. જ્યાં સુધી જુની અરજીઓનું સેટલમેન્ટ નહીં થાય ત્યાં સુધી નવી સ્કીમ નહીં આવી શકે. આજના કેમ્પમાં જુદી જુદી બેંકના સ્વતંત્રતાથી નિણર્ય લઇ શકે તેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે કે નહીં તે અંગે પોતે જ હાજરી લેતા દર્શના જરદોષે કહ્યું કે તમે ઓન ધ સ્પોટ નિર્ણય લઇ શકો તેટલા પાવર ધરાવતા હોય તો જ મિટીંગમાં બેસજો. તેમણે બેંકોના અધિકારીઓને ખાસ પૂછ્યું કે તમારી પાસે ઓન ધ સ્પોટ લોન મંજૂર કરવાની સત્તા છે કે નહીં, તેમણે કલેક્ટર કચેરીના નોડલ અધિકારીની અનુપસ્થિતિની પણ ગંભીર નોંધ લીધી હતી.કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે કહ્યું કે પેન્ડીંગ રહી ગયેલા કેસોમાં અનેક વખત પ્રોસિડિંગ અને મુદતો આપવામાં આવી છે. હવે સુરતના આંગણે આ છેલ્લો કેમ્પ છે, જે અરજદારો અગાઉ ક્યાંય ઉપસ્થિત રહ્યા નથી તેમને પણ તક આપવામાં આવી છે. હવે પછી તેમની અરજીનો નિકાલ થઇ શકશે નહીં.

બેંકોની આડોડાઇને કારણે અરજદારોને ભોગવવું પડ્યું

ટફ સ્કીમ, એ ટફ સ્કીમના કેમ્પમાં આજે રજૂઆત કરવા માટે આવેલા અરજદારોએ રજૂઆત કરી કે કેટલીક બેંકોના અધિકારીઓની આડોડાઇને કારણે તેમણે કરોડો રૂપિયાની મશીનરી અને ટેક્નોલોજી નવી વસાવી હોવા છતાં મહિનાઓ સુધી તેમને ઇન્વેસ્ટમેન્ટ પર મળતી સબસિડીથી વંચિત રહેવું પડ્યું છે. બેંકો દ્વારા કેટલાક કેસોમાં ખોટી રીતે ફાઇલો દબાવી રાખીને પ્રક્રિયામાં જ વિલંબ કરવામાં આવ્યો હોવાનું પણ જણાય આવ્યું હતું. બેંકોની આવી આડાઇ સામે આજે ખુદ કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષ પણ ગુસ્સામાં જણાયા હતા.
હેડિંગ બોક્સનવી સબસિડી યોજનામાં અરજદારે ઓનલાઇન પ્રોસિજર કરવાની રહેશેઃ દર્શના જરદોષકપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે આજે ટફ સ્કીમની પેન્ડીંગ અરજીના નિકાલ માટેના કેમ્પને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધીની ટફ યોજનાના અમલી કરણમાં જેટલા પણ છીંડાઓ, મુશ્કેલીઓ, સમસ્યાઓ નડી છે તે ભવિષ્યની સબસિડી યોજનામાં નહીં નડે. હવે કેન્દ્ર સરકારે એવી જ યોજના તૈયાર કરી રહી છે જેમાં અરજદારે જાતે ઓનલાઇન એપ્લિકેશન કરવા ઉપરાંત દરેક સ્તરે અરજદાર સ્વયં પોતાની એપ્લિકેશન આગળ ધપાવી શકશે. બેંકો કે અન્ય કોઇ સરકારી અધિકારી ઇચ્છશે તો પણ કોઇ અરજદારની અરજી છુપાવી શકશે નહીં.

ટફ અન્વયે 1577 એપ્લિકેશનો પેન્ડીંગ, મોટા ભાગની અપૂરતા દસ્તાવેજોવાળી અરજીઓ

શહેરના રિંગરોડ પર આવેલા મંત્રા સંકુલમાં આજથી બે દિવસ માટે વસ્ત્ર મંત્રાલયના ટફ સ્કીમમાં પેન્ડીંગ અરજીઓના નિકાલ માટેના કેમ્પને સંબોધતા મુંબઇ ટેક્ષટાઇલ મંત્રાલય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ઉષા પોલે જણાવ્યું હતું કે કુલ 1577 અરજીઓ પેન્ડીંગ છે. તેમાંથી મોટા ભાગની અરજીઓ એવી છેકે જેમણે 6 અલગ અલગ દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે તેમાંથી એક પણ દસ્તાવેજ બાકી હોય તો જે તે અરજદારની મશીનરી કે ટેક્નોલોજીનું ફિઝિકલ વેરિફિકેશન નહીં થઇ શકે. આવા અરજદારોને અનેક વખત લેખિતમાં, મેઇલથી જાણ કરીને પૂર્તતા કરવા માટે જણાવાયું છે છતાં તેમના 70 ટકા લોકોએ કોઇ જ પ્રતિસાદ પાઠવ્યો નથી. આથી હવે છેલ્લા પ્રયાસરૂપે સુરતના મંત્રા સંકુલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

May 30, 2022
Cia_business_news-1280x936.jpg
1min666

ડાયમંડ ઉદ્યોગને ઉપયોગમાં આવે એવી ટેક્નોલોજી અને મશીનરીની વૈશ્વિક કંપની સરીન દ્વારા તાજેતરમાં સુરતના 200થી વધુ હીરા પેઢીઓ પર જઇને કોર્ટ કમિશનની કાર્યવાહી કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો અને હીરા ઉદ્યોગની આ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક વિદેશી કંપની સામે દેશી ટેક્નોલોજી ઉત્પાદક તથા ઉદ્યોગકારો સાથે મળીને લડત આપશે. સ્થાનિક સ્તરે કોર્ટ કમિશન સામે વાંધો ઉઠાવવાથી લઇને કોર્ટમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના નામે લડી લેવાનો મક્કમ નિર્ધાર આજે મળેલી મિટીંગમાં કરવામાં આવ્યો છે.વિશ્વ વિખ્યાત ડાયમંડ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક કંપની સરીનના સત્તાધીશોએ સુરતની હીરા પેઢીઓ પર કોપીરાઇટ સંદર્ભની કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને હીરા ઉધોગને છંછેડવામાં આવ્યા હતા. હવે પરીણામ એ આવ્યું છે કે સમગ્ર હીરા ઉદ્યોગ એક થઇને હવે વિદેશી વિરુદ્ધ દેશીનો જંગ ખેલવા માટે તૈયારી કરી ચૂક્યો છે.આજે બપોરે ત્રણ કલાકે મિનિબજાર ખાતે સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ મળેલી મિટીંગમાં હજારોની સંખ્યામાં ટેક્નોલોજી ઉત્પાદક અને વપરાશકર્તા બન્ને ઉપસ્થિત રહ્યા હતા અને મેક ઇન ઇન્ડિયા અને વિદેશી વિરુદ્ધ દેશીના નારા સાથે સરીન કંપનીની દબાવી દેવાની પ્રવૃતિ સામે ત્રણ તબક્કાએથી લડત શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. વિદેશી વિરુદ્ધ દેશીની આ લડાઈ કેવી હોવી જોઇએ એ બાબતે સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા, ડાયમંડ એસોસીએશનના મંત્રી દામજીભાઇ માવાણી, એડવોકેટ પ્રવીણભાઇ દેવમૂરારી વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએસનની સ્થાપના

સરીન કંપનીની કાર્યવાહીના વિરોધ કરવા માટે સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને તેમના વપરાશકારો અસરકારક રીતે લડત લડી શકે તે માટે એક નવા સંગઠનની રચના અને જાહેરાત આજે કરવામાં આવી હતી. સુરત ડાયમંડ મંશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ હવે કોપીરાઇટની તમામ લડત, રજૂઆતો, કાયદાકીય કેસો વગેરે કરવામાં આવશે. આગામી દિવસોમાં આ સંગઠનનું સ્વરૂપ નક્કી કરવામાં આવશે.

સરીન કંપની સામે આ રીતે લડત લડાશે

  • સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને વપરાશકર્તાઓની એક્ઝિક્યુટિવ કમિટીની રચના
  • સ્થાનિક કોર્ટમાં કેસોના પ્રોસેડિંગ માટે વકીલની પેનલની નિમણૂંક-
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરવા માટે કમિટીની રચના-
  • સ્થાનિક પેઢી પર કોર્ટ કમિશન સામે વાંધા નોંધાવવાનું વ્યક્તિગત અભિયાન

કોર્ટ કમિશન આવે તો ગભરાવ નહીં તેની સામે વાંધો ઉઠાવોઃ વકીલ પ્રવીણ દેવમૂરારી

સુરતના હીરા ઉદ્યોગમાં કેટલીક પેઢીઓ સામે સરીન નામની ઇઝરાયેલની કંપનીએ કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને કોપીરાઇટ સંદર્ભનું પ્રોસિડિંગ કરતા હચમચી ઉઠેલા હીરા ઉદ્યોગકારોએ આજે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ જાહેરસભામાં ટેક્નોલોજી અને મશીનરીના સ્થાનિક ઉત્પાદકો અને વપરાશકર્તાઓને માર્ગદર્શન આપતા વકીલ પ્રવીણ દેવમૂરારીએ જણાવ્યું હતું કે કોર્ટ કમિશનની કાર્યવાહીથી ગભરાય જવાની જરૂર નથી. હકીકતમાં આપણી સમસ્યા આપણા કારણે અથવા આપણામાંથી જ કોઇક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને કારણે ઉભી થઇ છે. ઇઝરાયેલની કંપનીએ પોતાની મશીનરીના કોપીરાઇટ અમેરીકામાં રજિસ્ટર્ડ કરાવ્યા છે એટલે ભારતને કોપીરાઇટ લાગૂ પડે છે. કોઇ કંપનીનું સીધેસીધું ડુપ્લિકેટીંગ પકડાય તો એ ગુનો બને પણ તેના જેવી સ્થાનિક ઉત્પાદિત વસ્તુનો વપરાશ કરી શકાય. હાલમાં સરીનની કાર્યવાહી સંભાવનાઓ અને શક્યતાઓ આધારીત છે. હજુ સુધી કંપની તરફથી કોર્ટમાં કશું જ રજૂ કરાયું નથી.વકીલ દેવમૂરારીએ કહ્યું કે કોર્ટ કમિશન આવે તો ગભરાયા વગર તેનો વિરોધ કરો, લેખિતમાં વાંધો નોંધાવો અને જ્યાં સુધી પૂર્તતા ન થાય ત્યાં સુધી તેને કાર્યવાહી ન કરવા દો. કોર્ટ કમિશન એ આધાર પુરાવો નથી પણ સાંયોગિક પુરાવો છે.

May 12, 2022
cia_edu-1280x925.jpg
2min3577

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

  • આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ    16
  • પીપી સવાણી સ્કુલ ગ્રુપ    09
  • આઇએન ટેકરાવાલા        03
  • કૌશલ વિદ્યાભવન 02
  • તપોવન વિદ્યાલય 02
  • મૌની અંકુર સ્કુલ  02
  • જીવનભારતી વિદ્યાલય     01
  • એલપી સવાણી   01
  • માધવબાગ વિદ્યાભવન     01
  • શ્રી ગાયત્રી વિદ્યાલય       01
  • રિવરડેલ એકેડેમી 01
  • બીએચ કલસરીયા વિદ્યાલય  01
  • ગાયત્રી હિન્દી મિડીયમ     01
  • રેડીએન્ટ ઇંગ્લીશ સ્કુલ       01

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનું સાયન્સ વિભાગનું પરીણામ સમગ્ર રાજ્યમાં અવ્વલ હોય છે. 2022માં જ નહીં છેલ્લા સાત વર્ષમાં આ સ્કુલના જેટલા એ-વન રેન્કર્સ હોય છે તેટલા કદાચ આખા જિલ્લાઓના નથી હોતા.

ચાલુ વર્ષે ધો.12 સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં કુલ 196 એ-વન ગ્રેડ હોલ્ડર્સ વિદ્યાર્થીઓ છે. જેમાંથી 42 એ-વન રેન્કર્સ સુરત શહેર જિલ્લાના છે. જેમાં એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના જ 16 વિદ્યાર્થીઓ છે.

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાંથી ધો.12 સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થિની વૈભવી લલીતકુમાર મકવાણાએ આજે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ-ગુજસેટ) 2022ના પરીણામમાં 120માંથી 120 માર્કસ મેળવીને સમગ્ર રાજ્યમાં સર્વપ્રથમ રેન્ક હાંસલ કર્યો છે.

આશાદીપ સાયન્સ ભવનની વૈભવી મકવાણા ગુજકેટ-22માં 120માંથી 120 માર્કર્સ મેળવી ગુજરાત ટોપર બની

ગુજકેટમાં 120માંથી 120 આખા ગુજરાતમાં પ્રથમ આવી વૈભવી મકવાણા

May 12, 2022
sunstroke.jpg
1min567

ગુજરાતમાં મે મહિનામાં સૂર્યનારાયણ દેવ જાણે કોપાયમાન થયા હોય તેમ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ અને શહેરોમાં ૪૩થી ૪૭ ડિગ્રી વચ્ચે રહેતા બપોરના સમયે ગરમ પવનોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૭ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. રાજ્ય હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હોવાથી તંત્રએ બાળકો અને વૃદ્ધોને કામવગર ઘરની બહાર ન નીકળવા સૂચનો કર્યાં હતા.

શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો એક સમયે ૪૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગુરુવારે તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચશે તો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. શહેરીજનો ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ વિચારતા થઈ ગયા હતા. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં બુધવારે સવારથી જ બપોર જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં પણ સૂરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત્ રાખ્યું હતું.

સુકા પવન અને કાળઝાત્ ગરમી વચ્ચે અમદાવાદના રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બપોરના બે વાગતા સુધી તો ગરમીએ ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યાતા છે.

બીજી તરફ રાજ્યના ૧૩ શહેરોમાં તાપમાન પારો  રેકોર્ડ ૪૬ને પાર થઈ ગયું હતું. જ્યારે વડોદરા, મહેસાણા, હિંમતનગર, ગોધરા, ખેડબ્રહ્મા, નડિયાદ, ધોળકામાં  ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ નોંધાયો હતો. સુરેન્દ્રનગર, બોટાદમાં ૪૪ ડિગ્રી અને ભાવનગર, અમરેલીમાં પારો ૪૩ ડિગ્રી જૂનાગઢ, રાજકોટમાં ૪૨ ડિગ્રીએ તાપમાન પારો નોંઘાયો હતો રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી આસપાસ રહેતા અનેક જિલ્લાઓ અને શહેરોમાં એકાએક ઊચો જતા બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂકાતા લોકો રીતસર ગરમીથી શેકાઈ રહ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીને કારણે બપોરના સમયે અનેક શહેરમાં કરફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં ઉત્તર-પશ્ર્ચિમના પવનો શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધતા રવિવારથી અમદાવાદ  સહિત રાજ્ય ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો હતો અને મોટાભાગના શહેરોમાં પારો ૪૫ ડિગ્રી ઉપર રહ્યો હતો. જ્યારે બુધવારે Dt.11/5/22 રેકોડ બ્રેક ગરમી ૪૭ ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદમાં Dt.11/5/22 બુધવારે બપોરે ૨ વાગ્યા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. હજી પણ Dt.12/5/22 ગુરુવારે આ રીતે જ ગરમીનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહીં. તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. 

રાજ્યના અનેક શહેરોમાં બેકાબુ સૂર્યપ્રકોપ થતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતા ગરમીથી છૂટકારો મેળવવા લોકો લીબું પાણી, છાસ, ઠંડા પીણા તરફ વળ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીના કારણે ઝાડાઉલટીના બાર હજારથી વધુ કેસો, ૧૫૦૦ જેટલા હિટસ્ટ્રકના કેસો ઉપરાંત લૂ લાગવાના પણ સૌથી વધારે કેસો નોંધાયાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે જિલ્લાભરની સરકાર અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.  

દરમિયાન અમદાવાદ શહેરમાં એકાએક ગરમી વધી જતાં હિટસ્ટ્રોકના, ઝાડા ઉલ્ટીના અને બીપીના વધી જવાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓથી ઉભરાયા હતા. જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં પણ અનેક લોકો સારવાર માટે લાઈનો લગાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે ભારે ગરમીની આગાહીને પગલે લોકોને લીબું પાણી, છાસ, તેમ જ શુદ્ધ ખોરાક આરોગવાની સાથે વધુ પ્રમાણમાં પાણી પીવાની અને કામવગર વદ્ધોએ બહાર ન જવા તેમ જ સુતરાઉ કપડા પહેરવા જેવા સૂચનો કર્યા હતા.

May 5, 2022
fenil.jpg
1min792

સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર સુરતના પાસોદરા વિસ્તારમાં ગઇ તા.12મી ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા નામની યુવતિની હત્યાના કેસમાં આરોપી ફેનિલને સુરતની કોર્ટે આજે તા.5મી મે 2022ના રોજ ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે.

આજે તા.5મી મેએ ગ્રીષ્મા હત્યા કેસમાં સજાનું એલાન થવાનું હોવાથી સુરતની કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.

સજાનું એલાન થઇ ગયા બાદ કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના પિતાએ પત્રકારો સમક્ષ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.